Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 417
________________ શાણી નારીએ તરત જ પોતાના પિતા મિશ્રીમલજીને પત્ર લખીને આ વાત જણાવી. રતનબેનને એમ કે મારાથી એ નહિ માને પણ મારા પિતાજીથી તો અવશ્ય માનશે અને વૈરાગ્યનો ઊભરો ઠરી જશે પછી વાંધો નહિ આવે. પણ થયું ઊલટું. પિતાશ્રીનો થોડા જ દિવસોમાં પ્રત્યુત્તર આવ્યો અને રતનબેન તો સડક જ થઈ ગયા. ધાર્યા કરતાં જુદો જ જવાબ આવ્યો. મૂંઝવણ દૂર થવાને બદલે ઊલ્ટી વધી ગઈ. રતનબેનને થયું આ તો ભારે થઈ. “ઘરના બાળ્યા વનમાં ગયા, ને વનમાં લાગી આગ.' રતનબેનના પિતાએ એવું તે શું લખ્યું હતું કે જેથી રતનબેન મૂંઝાઈ ગયા ? મિશ્રીમલજીએ લખ્યું હતું : “અક્ષયરાજની દીક્ષા માટેની ભાવના જાણી ખૂબ જ આનંદ થયો. મારી પણ વર્ષોથી દીક્ષા લેવાની ભાવના છે, પણ હજુ અમલમાં મૂકી શકાઈ નથી... પણ મને જો આવો ઉત્તમ સહયોગ મળી જાય તો તરત જ દીક્ષાની ભાવના છે. તમો પણ તેમને અનુકૂળતા કરી આપશો. અને તમારા માટે તથા બન્ને બાળકો માટે કોઈ ચિંતા ન થાય તે રીતે બધી વ્યવસ્થા થઈ જશે.' પતિ અને પિતા બન્ને એક થઈ ગયા. હવે વ્યથા ક્યાં જઈને ઠાલવવી ? રતનબેન ધર્મના શરણે ? જ્યારે માનવી પાસે બાહ્ય કોઈ આધાર રહેતો નથી ત્યારે તે ધર્મના શરણે જવા ઈચ્છે છે. રતનબેનને પણ આખરે ધર્મ એ જ શરણું લાગ્યું. એ સામાયિક લઈને બેસી ગયાં. અને ચિંતન કરવા લાગ્યાં : શું કરવું ? એમને પતિદેવનો માર્ગ કલ્યાણકારી લાગ્યો. | સામાયિક પૂરું થયા પછી રતનબેને પતિદેવને કહ્યું : આપ સંયમના કલ્યાણકારી માર્ગે જાઓ છો, તે બહુ જ સારું છે. હું એમાં વિઘ્નરૂપ શા માટે બને ? પણ અમારો પણ કોઈ વિચાર કર્યો કે નહિ ? અમારું શું ? અમને પણ સંયમમાં રુચિ જગાડો તો અમે પણ તૈયાર થઈ આપની સાથે દીક્ષા લઈશું. માટે * * * * * * * * * ૩૮૫

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452