Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચારમાંથી નરક પણ એક ગતિ છે. ચાર ગતિના ચક્કરમાંથી બચવા જ ધર્મની આરાધના કરવાની છે. મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય હત્યા, માંસાહાર - આ નરકના કારણો જાણી તેનો ત્યાગ કરજો. મોટા કારખાના વગેરે નહિ ખોલો તો ઉદ્યોગપતિ કદાચ ન બની શકો, પણ ધર્મી તો બની જ શકશો.
- પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ
કોઈ આત્મા વૈરાગ્ય ન પામે ત્યારે તેનો મિત્રદેવ અહીં આવી નરકના દુઃખો બતાડે. અત્યારે દૃશ્ય કલ્પિત લાગતું હોય, પણ શાસ્ત્રીય પદાર્થનું દર્પણ છે.
ઉમાસ્વાતિજીએ કહ્યું : મહાઆરંભ, મહાપરિગ્રહ નરકનું કારણ છે.
ઘરમાં એવી સામગ્રી ખડકી છે કે જેમાં પડદાની પાછળ મહારંભ - પરિગ્રહ હોય. T.V, ફ્રીજ, મોટર વગેરે ક્યારે ચાલે? તેની પાછળ મોટા કતલખાનાઓ ચાલે છે તે જાણો છો ? જેની ના પાડી છે તે કર્માદાનોની પાછળ આજે જૈનો દોડી રહ્યા છે. પૂ. આચાર્યશ્રી તેનાથી અટકાવે છે.
માખી-મચ્છર-માંકડની દવા વાપરતા હો તો તમે જૈન રહી જ શકતા નથી.
બધા જ બાધા લઈ લો.
બિચારી બુદ્ધિ ! હું ચૈતન્ય સ્વરૂપ છું તેનું અનુભવ-પ્રમાણ બુદ્ધિ પૉદ્દગલિક હોવાથી કેવી રીતે કરી શકે ? હું ચૈતન્ય સ્વરૂપ છું. મને જન્મ, મરણ, રોગ, શોક નથી તેવું બુદ્ધિમાં ઉતરતું નથી અને આત્મજ્ઞાનમાં વિશ્વાસ નથી. તેથી મનુષ્યના દુ:ખો પણ ટળતા નથી.
૫૬
=
=
=
*
*
*
*
*
*
*
*