Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વૈરાગ્ય થયો તો દેવોએ વેષ આપેલો. જો કે તો પણ પૂર્વજન્મમાં ગુરુ ભગવાન વગેરે કારણ ખરા જ.
હૃદયમાં ભગવાન પ્રત્યે અનુરાગ જાગે એટલે તરત જ ભગવાન તરફથી વહેતો અનુગ્રહનો પ્રવાહ આપણામાં આવવા લાગે જ.
કાશીમાં ભણીને આવેલા, મોટા વાદીઓને હરાવનારા મહાન તાર્કિક પૂ.ઉપા. યશોવિજયજી જેવા જ્યારે ભગવાનની ભક્તિને સારભૂત ગણાવતા હોય ત્યારે વિચારવા જેવું નહિ ?
આગમોદ્ધારક પૂ. સાગરજીએ કહેલું છે : ઉપા. યશોવિજયજીના ગ્રન્થોમાંથી એક અક્ષરની પણ ભૂલ ન નીકળી શકે. એ તો હરિભદ્રસૂરિજીના અવતાર હતા.
રાગ એમને એમ ન જાય. કાંટો કાંટાથી જાય, તેમ રાગ રાગથી જાય. સંસારના રાગને પ્રભુનરાગમાં વાળવો, એ જ ભક્તિનું બીજ છે.
ભગવાન પર બહુમાન જાગે તો ભગવાનના વચન પર પણ બહુમાન જાગે જ.
તળે ગીતા તબ્બા' આ ભગવાનનું વચન છે. એટલે જ ભક્તિ આખરે વિરતિ તરફ લઈ જાય.
(૨૧) થ યાdi |
ભગવાન જીવોની ભવ્યતા (યોગ્યતા) મુજબ દેશના આપે, યોગ્યતાથી વધુ નહિ. આનંદ આદિ શ્રાવકો માટે ભગવાને કદી સર્વવિરતિનો આગ્રહ ન્હોતો રાખ્યો.
- ભગવાન દેશનામાં શું કહેતા હશે ? હરિભદ્રસૂરિજીએ આપેલો નમૂનો જુઓ : પ્રવીણવિરોષે ભવ: |
આ આખો સંસાર સળગતું ઘર છે.
હૈદ્રાબાદમાં હું નાનો હતો ત્યારે પાંચ માળના એક થિયેટરમાં નીચે આગ લાગેલી. પાંચમે માળે લોકો સિનેમા જોતા હતા. તે વખતે લોકો શું કરે ? સિનેમા જોવા બેસે કે બચવાની કોશીશ કરે ?
સંસાર બળતું ઘર છે. એમ હજુ લાગ્યું નથી. લાગે તો એક ક્ષણ પણ શી રીતે રહી શકાય ?
* * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૨૨૮
*
*
*
*
*
*
*
*
*
*