Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આવતા હોય તો ઉપાધ્યાયજી મ. જેવા આમ ગાય નહિ.
તપ-જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે.'
સાધનાના માર્ગે સાધકને આવા અનુભવ થાય જ છે. એ અનુભવનું અહીં વર્ણન છે.
એ માટે જ યોગશાસ્ત્રના ૪થા પ્રકાશમાં વિષય-કષાય અને ઈન્દ્રિયોના જય પછી મનોજય કરવાનું કહ્યું છે.
આપણી પરંપરા પણ આ જ છે. માટે જ વૈરાગ્યશતક, ઈન્દ્રિય - પરાજયશતક વગેરે ભણાવવામાં આવે છે. વૈરાગ્યશતક, ઈન્દ્રિય પરાજયશતક વગેરે મૂકીને માત્ર વ્યાકરણ આદિમાં પડ્યા તો ખતરો ઉત્પન્ન થઈ શકે છે.
- જ્ઞાનસાર, યોગસાર, અધ્યાત્મસાર, આગમસાર (પૂ. દેવચન્દ્રજીનું) વગેરે ગ્રન્થો સારભૂત છે. બીજું કાંઈ ન કરી શકો તો આ ગ્રન્થો જરૂર ભણજો. આ ગ્રન્થોથી ટૂંકમાં આપણને સારભૂત પદાર્થો મળી રહે છે.
આગમસાર પૂ. દેવચન્દ્રજીની કૃતિ છે. મેં ગૃહસ્થપણામાં જ કર્યો છે. નયચક્રસાર પણ એમનો ગ્રન્થ છે, પણ કઠિન છે, એટલે નથી કહેતો.
અત્યારે આપણો ધ્યેય જ બદલાઈ ગયો છે. આપણી રુચિ જ બદલાઈ ગઈ છે. અધ્યાત્મ તરફ રુચિ હોય તો આ બધા ગ્રન્થો ભણવાનું મન થાય ને ? રુચિ હોય ત્યાં શક્તિ વપરાય જ છે. આપણી શક્તિઓ હંમેશા આપણી ઈચ્છાને જ અનુસરે છે. આત્મા તરફ વળવાની તીવ્ર ઈચ્છા તે જ સમ્યગૂ દર્શન છે.
- અરૂપી પવન કાર્યથી જણાય છે.
અરૂપી આત્મા ગુણથી જણાય છે. જ્ઞાનાદિ ગુણો આત્મા સિવાય બીજે ક્યાંય જોયા ?
આપણા જ્ઞાનાદિ ગુણો પ્રભુ સાથે તન્મય બનાવવા છે. શિક્ષકનું જ્ઞાન વિદ્યાર્થીમાં આવી શકતું હોય તો ભગવાનના ગુણો આપણામાં સંક્રાન્ત કેમ ન થાય ?
જ દીવો સ્વયં તો પ્રગટે છે, પણ બીજાને પ્રગટાવવાની એ શક્તિ ધરાવે છે. દીવો બીજાને પ્રગટાવે તો એ જરાય
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૨૯૦