Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
(૩૨) સિવ-મયલ-મગ-મળત-મયમવ્યાવામપુર વિત્તિ - सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं ।
ભગવાન શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, વ્યાબાધા અને પુનરાગમન રહિત સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા છે.
વ્યવહારથી ભગવાનનું સ્થાન સિદ્ધશિલા છે, પણ નિશ્ચયથી સ્વસ્વરૂપ જ છે.
તે (સિદ્ધિગતિ) સર્વ ઉપદ્રવથી રહિત હોવાથી અચલ છે. શરીર-મન ન હોવાથી પીડા ન હોવાથી અરુજ છે. ક્ષય ન હોવાથી અક્ષય છે.
અંત ન હોવાથી અનંત છે.
છે.
આબાધા રહિત હોવાથી અવ્યાબાધ છે.
ત્યાં ગયા પછી પાછું આવવાનું નથી માટે અપુનરાવૃત્તિ
-
પૂજ્ય આ.શ્રી વિજય કલાપ્રભસૂરિજી : શ્રી હરિભદ્રસૂરિજી મ., મુનિચન્દ્રસૂરિજી - બશે મહાપુરુષોએ પ્રભુ-સ્તવનારૂપ લલિત વિસ્તરા, નામક ટીકા અને પંજિકા લખી છે. આપણે ચાર-ચાર મહિના સુધી આ ગ્રન્થ ૫૨ જે કાંઈ સાંભળ્યું છે.
પૂ. ગુરુદેવે ખૂબ જ સુંદર શૈલીથી ભગવાન ગમી જાય તે રીતે આપણને સમજાવ્યું. આ રીતે આપણે કોઈ વખત ભગવાનને ઓળખવાનો પ્રયાસ કર્યો નથી. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવા છતાં હરિભદ્ર કઈ રીતે ભગવાનને ઓળખી શક્યા ? એક પણ ક્ષણ ભગવત્ સ્મરણ વિનાની નહિ હોય. તો જ આવું તેઓ આવું લખી શક્યા હશે.
પૂજ્યશ્રીનું જીવન પણ ભગવન્મય જ છે. આથી જ તેઓ આના પર બોલવાના અધિકારી છે. ભગવાન પર પ્રેમ હોવાથી જ નાદુરસ્ત તબિયત હોવા છતાં વાચના બને ત્યાં સુધી બંધ નથી રાખી. અમે ના પાડીએ તો પણ બંધ રાખી નથી.
પૂજયશ્રી જેવા તો આપણે ન બની શકીએ, પણ એમના ચરણોમાં નતમસ્તકે પ્રાર્થના કરીએ : આપ ભગવાનને જે રીતે
* * કહે, કલાપૂર્ણસૂરિ-૪
૩૦૪ *