Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વિના નથી થતી.
આથી જ રોજ દર્શન કરનારા આપણે સમ્યગદર્શન પામ્યા છીએ કે નહિ ? તે મોટો સવાલ છે. - સમ્યગ્દર્શનની નિશાની શી ? સતત આપણે દેહભાવમાં રહીએ છીએ કે આત્મ-ભાવમાં ? આ પ્રશ્નના જવાબથી સમ્યગ્રદર્શનની પ્રાપ્તિનો ખ્યાલ આવશે.
ભગવાનનું દર્શન થયા પછી કાંઈ જોવું ગમે નહિ. એ સમ્યગદર્શનની નિશાની છે. ક્ષીરસમુદ્રનું પાણી પીધા પછી ખારું પાણી કોણ પીએ ? ગુલાબજાંબુ ખાધા પછી તુચ્છ ભોજન કોણ ખાય ? પરબ્રહ્મમાં મગ્ન થયેલાને સાંસારિક વિષયોમાં રુચિ શી રીતે થાય ?
ભગવાનના ઉપકારો સાંભળવામાં રસ પડતો હોય તો પણ પુણ્યોદય સમજવો. આપણને વૈરાગ્ય (ભલે એ જ્ઞાનગર્ભિત હોય કે દુ:ખગર્ભિત) થયો તેમાં પણ ભગવાનનો જ પ્રભાવ છે, એ ભૂલશો નહિ.
બધી જગ્યાએ થતી લાઈટનું મૂળ પાવરહાઉસ છે, તેમ સર્વત્ર દેખાતા શુભનું મૂળ ભગવાન છે. વચ્ચે કનેક્ષન ન હોય તો લાઈટ ન મળે. ભગવાન સાથે કનેક્ષન ન હોય તો ભગવત્તાની અનુભૂતિ ન થાય. અવિચ્છિન્ન ગુરુ-પરંપરાએ આપણને ઠેઠ ભગવાન સુધી જોડ્યા છે. અવિચ્છિન્ન ગુરુપરંપરા જ ભગવાન સાથે આપણું જોડાણ કરે છે.
જ્યાં ભગવાનને નમસ્કાર થયો તે જ ક્ષણે ભગવાન સાથે અનુસંધાન થાય છે. ખૂટતા તમામ ગુણો ભગવાન પાસેથી જ મળશે, એવો ભાવ થાય તો ભગવાન સાથે અનુસંધાન થયા વિના ન રહે.
આ સૂત્રો (આગમો) ભગવાન સાથે જોડનારા તંતુઓ છે. સૂત્રો એટલે જ દોરી ! નાનપણમાં દોરીથી માચીસના બોક્ષ બાંધી અમે રમત રમતા, તે યાદ આવી જાય છે.
સૂત્ર તો ભગવાનની વાણી છે. ભગવાનની શક્તિના વાહક છે આ સૂત્રો ! સૂત્ર જો બરાબર ધારણ કરીએ તો સર્વત્ર ભગવાન દેખાશે. સૂત્રના એકેક અક્ષરમાં ભગવાન
=
=
*
*
*
*
*
*
* =
=
૨૩૭.