Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સંસાર એટલે વિષય-કષાય. જ્યાં વિષય-કષાય ઉત્કટ હોય ત્યાં બધા દોષો ઉત્કટ હોવાના.
ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પ્રગટતાં આપણા ગુણો પ્રગટવા માંડે છે, ચિત્ત સ્વસ્થ થવા માંડે છે. માટે જ સ્વસ્થતા ભગવાન આપે છે, એમ અહીં કહ્યું છે.
ચિત્ત જ્યારે જ્યારે ચપળ હોય ત્યારે ત્યારે વિચારજો : ચિત્ત ચંચળ શા માટે છે ? જે જે શબ્દાદિનું ગ્રહણ કરીએ તેના - તેના વિચારો આવવાના જ. આથી મન ચંચળ થાય છે. કાજળની કોટડીમાં રહેલા આપણે કાળાશ ન લાગે તેવી રીતે રહેવાનું છે.
પાંચેય ઈન્દ્રિયો તરફ દોડતી વૃત્તિઓને રોકવાની છે. તે વૃત્તિઓને અંદર પડેલો અઢળક ખજાનો બતાવવાનો છે.
ભગવાન પ્રત્યેનો પક્ષપાત તો જ થયો ગણાય જો વિષયોની વિમુખતા હોય. ભવાભિનંદી કદી ભગવાનનો ભક્ત બની શકતો નથી. વિષયો પ્રત્યેનો વૈરાગ્ય ભગવાન પ્રત્યેના બહુમાનને સૂચવે છે. વિષયો પ્રત્યેનો વૈરાગ્ય ન હોય તો બુહમાન પ્રગટ્યું નથી, એમ નક્કી માનજો .
- ભગવાન તો સ્વ-પદવી આપવા તૈયાર છે, પણ આપણામાં યોગ્યતા જોઈએ ને ? ભગવાનમાં ગુણોનો પ્રકર્ષ પ્રગટેલો છે. ગુણો ભગવાન પાસેથી જ મળશે. આ બધા પદાર્થો પૂ. હરિભદ્રસૂરિજીએ અહીં અદ્ભુત રીતે ખોલ્યા છે. ક્રોડ-ક્રોડ વંદન કરીએ તેમના ચરણોમાં.
રોગ-રહિત શરીર સ્વસ્થ કહેવાય, તેમ પોતાના સ્વભાવમાં રહેલો આત્મા સ્વસ્થ કહેવાય. તેનો ભાવ તે સ્વાથ્ય કહેવાય.
“સમર્થના (ભગવાનના) ખોળે હું બેઠેલો છું. ભક્તને સદા આવો ભાવ રહે છે. આથી જ એ કદી અસ્વસ્થ નથી બનતો. ભયભીત નથી બનતો.
ભગવાનમાં ગુણ પ્રકર્ષ સાથે પુણ્ય-પ્રકર્ષ પણ છે. અચિજ્ય શક્તિ પણ છે. આથી જ તેમનામાં પરોપકારનો પણ પ્રકર્ષ છે.
૧૮૮
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪