Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભણવાનું છે.
આગમનું જ્ઞાન પણ આત્મજ્ઞાન પામવા ભણવાનું છે.
પ્રકરણ ગ્રન્થો તો આગમરૂપી સમુદ્રમાં જવા માટેની નાવડીઓ છે. માત્ર પ્રકરણ ગ્રન્થો ભણીને અટકી જવાનું નથી, આગમ-સમુદ્રનું અવગાહન કરવાનું છે.
સંપૂર્ણ આગમો ભણી ન શકીએ કદાચ, આગમાનુસારી જીવન જીવી ન શકીએ કદાચ, પણ તેની ઈચ્છા પેદા થઈ જાય તો પણ કામ થઈ જાય. ઈચ્છા-યોગ પણ જેવી-તેવી ચીજ નથી.
ભગવાન દેશના દ્વારા ધર્મ (શ્રાવક-સાધુનો ચારિત્ર ધર્મ) આપે છે. શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ કોને કહેવાય ? હરિભદ્રસૂરિજી કહે છે :
(श्रावकधर्मः) अणुव्रतायुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषातिशयरूपः आत्मपरिणामः, साधुधर्मः पुनः
सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः । सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव ।
બાર અણુવ્રત, અગીયાર પ્રતિમા આદિ ક્રિયાઓથી સાધ્ય, સાધુધર્મની અભિલાષારૂપ આત્મપરિણામ તે શ્રાવક ધર્મ. સામાયિકાદિગત શુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થતો સકલ જીવોનું હિત થાય તેવા વિચારોથી ભરેલો આત્મપરિણામ તે સાધુધર્મ છે.
@GM
?
કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. હજી તો હાથમાં જ લીધું છે પરંતુ, 'First Impression is last Impression...' પ્રથમ દષ્ટિએ જ પ્રભાવિક છે.
- ગણિ રાજ્યાશવિજય
સોમવાર પેઠ, પુના
છે .
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * ૨૧૦