Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હશે, પણ ગુજરાતી કૃતિ પર સંસ્કૃત ટીકા હોય તેવો એક જ ગ્રન્થ છે : દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.'
“જૈનોમાં કોઈ વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થો નથી. જૈન સાધુઓ માત્ર રાસડાઓ ગાય છે.” જૈનેતરોએ કહેલા આક્ષેપોના જવાબમાં આ ગ્રન્થ પૂ. ઉપા. યશોવિજયજીએ બનાવ્યો હતો.
- મોહનીય, જ્ઞાનાવરણીય આદિ ચારેય ઘાતી કર્મોનો વિગમ થાય ત્યારે જ બુદ્ધિના આઠ ગુણો મળે છે.
ઘાતી કર્મોના વિગમ વિના પણ બુદ્ધિના આઠ ગુણો છે, એમ જણાય ખરું, પણ એ આભાસ સમજવો. બહારથી સમાન દેખાય, પણ ફળમાં ઘણો ફરક પડે.
અહીં નિર્મળ બુદ્ધિની વાત છે. ઘાતી કર્મોની મંદતા વિના બુદ્ધિમાં નિર્મળતા પ્રગટતી નથી.
મોહયુક્ત બુદ્ધિ મહત્ત્વાકાંક્ષાથી ભરેલી હશે : હું બરાબર ભણીશ તો લોકો મારી પૂજા કરશે, પૂજા કરશે, નહિ ભણું તો કોણ પૂછશે ?
કર્મ-ક્ષય કે આત્મ-શુદ્ધિનો કોઈ આશય ત્યાં જોવા નહિ
મળે.
આ વાતને પૂ. હરિભદ્રસૂરિજી કહે છે કે અન્ય આધ્યાત્મિક આચાર્યોએ (યોગિમાર્ગ પ્રણેતા અવધૂત આચાય) સ્વીકારી છે.
પુસ્તક “કહ્યું કલાપૂર્ણસૂરિએ કહ્યું. અનુભવની 9 અટારીએથી આલેખાયેલ પુસ્તકોનો અનુભવ શું જણાવીએ ? પુસ્તક જ આદરણીય બની જાય છે.
- સાધી શશિપ્રભાશ્રી
સુરત
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * *
*
F
=
*
* *
*
* *
*
* *
* ૨૦૦