Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* અરિહંત સાથે સિદ્ધ તો ઠીક પણ સાધુ ક્યાં બેસી ગયા ? સાધુ અરિહંતના ઉપાસક છે. સાધુ-સાધ્વીજી અરિહંતથી જુદા હોઈ જ ન શકે. હોય તો દ્રવ્ય સાધુત્વ સમજવું, માત્ર આજીવિકારૂપ સાધુત્વ સમજવું.
આપણે ચારનું શરણ ક્યાં લીધું છે ? માત્ર અહંનું જ શરણું લીધું છે.
‘વમેવ ા૨UT મમ ' એમ આપણી જીભ બોલે છે. ‘મવ રdi મમ ' એમ આપણું હૃદય બોલે છે. “મોટાના ઉત્સગે બેઠાને શી ચિન્તા ?'
- પૂ. દેવચન્દ્રજી. જિન તેરે ચરણ કી શરણ ગ્રહું, હૃદય-કમલમેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહુ.”
હૃદયમાં ભગવાન અને માથે ભગવાનની આજ્ઞા હોય તો બીજી કઈ વસ્તુની જરૂર છે ?
હું આ બોલું છું તે હું કરું છું. કરીને, જીવીને બોલું છું. તો જ તમને અસર થશે ને ?
- કાયાને તપથી તપાવીએ નહિ, માત્ર મન જ જોડવા પ્રયત્ન કરીએ તો ભગવાન એવા ભોળા નથી કે આવી જાય.
» પોતાના આત્મામાં જ લીન બનેલા આત્માને જોવો તે પરમલય છે.
* અરિહંતનું એક શરણું પકડી લઈએ તો પણ બીજા ત્રણેય આવી જાય. “સિક્કર્ષિસદ્ધર્મમયપેવ' ભગવાન સિદ્ધ, ઋષિ અને ધર્મમય છે.
પોલીસનું અપમાન તે સરકારનું જ અપમાન છે. સાધુનું અપમાન તે ભગવાનનું જ અપમાન છે. કારણ કે અપેક્ષાએ બન્ને અભિન્ન છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * *
*
*
* *
* *
*
*
* * * ૧૪૯