Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પધારેલા સર્વ પૂજ્ય આચાર્ય ભગવંતોનો હું ઋણી છું.
આવેલા તમે સૌ કંદમૂળ, રાત્રિભોજનને તિલાંજલિ આપજો.
- કમ ખાના, ગમ ખાના, નમ જાના - આ ત્રણ સુવાક્યો યાદ રાખજો.
સૌ મહાત્માઓ મારા પર કૃપા-વૃષ્ટિ વરસાવે, જેથી હું વધુને વધુ તપ કરી શકું. વર્ધમાન તપની ૧૦૦ ઓળી જી પૂરી કરું – એવી પૂજ્યશ્રી પાસે આશિષ માંગું છું.
પરદેશમાં પૂજ્યશ્રીના વચનની લબ્ધિનો
પ્રસાર એક યુવાને થોડા જ દિવસમાં આખું પુસ્તક (તત્ત્વજ્ઞાન - પ્રવેશિકા) કંઠસ્થ કરી લીધું અને એના ચિંતનમાં એવો ખોવાઈ ગયો કે અમેરિકા ધન કમાવા ગયેલો તે યુવાન ધર્મ કમાયો. એટલું જ નહિ પણ અમેરિકા છોડી દીધું અને ભારત આવી આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી તત્ત્વજ્ઞાન પચાવી દીધું. જેમ જેમ તત્ત્વજ્ઞાન પિરસાતું ગયું તેમ તેમ આ જીવને પણ જનમો જન્મ ચાલે તેવું તત્ત્વ- ચિંતનનું મહાન ભાથું મળ્યું, જેનું ઋણ શી રીતે અદા થઈ શકે ?
- સુનંદાબેન વોરા
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
ઝ
ઝ
*
*
*
*
*
*
*
* * *
* ૧૫૯