Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આર્ત – ધ્યાન માત્ર પોતાની પીડાના વિચારમાંથી થાય છે. એની જગ્યાએ બીજાનું ધ્યાન, વિચાર કરો તો એ ધ્યાન ધર્મધ્યાન બની જાય.
૦ તત્ર ધ્યાનું ચિત્ત - માવનાપૂર્વવ8: સ્થિરોડથ્યવસાય:
ભગવાનના શરણાર્થી આપણે છીએ, ભગવાનને આપણે નાથ તરીકે સ્વીકાર્યા તો યોગક્ષેમની ભગવાનની જવાબદારી છે. આપણે ધ્યાનના અધિકારી ન હોઈએ તો ધંધામાં ડૂબેલા ગૃહસ્થો અધિકારી બનશે ?
મનને એટલું વ્યગ્ર બનાવીએ છીએ કે ધ્યાનની વાત દૂર, ચિંતન પણ કરી શકતા નથી. એટલી બધી જવાબદારીઓ લઈને ફરીએ છીએ.
અહીં વ્યક્ત રૂપે મંગળ આદિ ન હોવા છતાં અવ્યક્તરૂપે મંગળ છે જ. ધ્યાનના અધિકારીનો પણ નિર્દેશ કર્યો જ છે. ચતુર્વિધ સંઘનો યોગ્ય સભ્ય ધ્યાનનો અધિકારી
ત્રણ ચીજ વિના લાડુ ન બને, તેમ રત્નત્રયી વિના ધ્યાન ન મળે. ચિંતામાં જ્ઞાન – દર્શન અને ભાવનામાં ચારિત્ર આવી ગયા છે.
આર્ત - રૌદ્ર ધ્યાન પણ આ જ રીતે બને છે. માત્ર ત્યાં મિથ્યાદર્શનાદિ ત્રણ પડેલા છે. અનાદિના અભ્યાસથી તે સહજ રીતે થઈ જાય છે.
પહેલા ૨૪ ધ્યાન ભેદો વાંચી પછી તે પર વિવેચન વિચારીએ.
દ્રવ્યથી આ-રૌદ્ર ધ્યાન છે. ભાવથી આજ્ઞા વિચયાદિ ધર્મધ્યાન કહેવાય. એનો જ અહીં અધિકાર છે. પ્રારંભમાં આવું (આજ્ઞા-વિચયાદિ સ્વરૂપ) ધર્મધ્યાન પણ આવી જાય તોય કામ થઈ જાય. ધર્મ-શુક્લ ધ્યાન ન થ્થાઈએ તો અતિચાર લાગે છે. જે રોજ આપણે બોલીએ છીએ. આપણે એથી ઊદું જ કરીએ છીએ. નિષિદ્ધ કરીએ છીએ, વિહિત : છોડીએ છીએ. પછી જીત શી રીતે મળે ?
*
*
*
*
*
*
*
*
*
*
*
*
૯૧