Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દરેકનો એંગલ સમજવો જોઈએ.
આપણે સમાધિ રાખવા માટે આ એંગલ છે : નિંદક ઉપકારી છે. એના પોતાના માટેનો એંગલ અલગ છે. એણે તો એમ જ વિચારવું જોઈએ : (જો એ વિચારી શકે તેમ હોય તો.)
‘નિન્દો ન જોઽપ નો'
‘વિશ્વમાં કોઈની પણ નિંદાથી મારું શું થશે ?'
બન્નેના પોત-પોતાના એંગલ-દૃષ્ટિકોણ હોય છે. એ રીતે અપનાવે તો બન્ને ખરા ! બીજાના દૃષ્ટિકોણ પોતે અપનાવી લે તો બન્ને ખોટા !
ભીંત સાથે તમે અથડાયા તો ભીંતને કશું નથી થવાનું, પણ તમારું માથું ફુટવાનું ! તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે જીવાસ્તિકાય વિષે તમે વિપરીત પ્રરૂપણા કરો તેમનું કશું બગડવાનું નથી, પણ તમારું જરૂર બગડશે. તે રીતે તમે સમ્યક્ પ્રરૂપણા કરો તો તેમને ભલે કાંઈ ન થાય, પણ તમારું તો હિત જરૂર થાય જ.
મગજને વિકસિત કરવા જ્ઞાનમાં આયાસ કરીએ છીએ. તેમ કાયાને વિકસિત કરવા વીર્યાચારમાં આયાસ કરવો જોઈએ. એક પર મંડી ન પડો, ત્રણેય નોકરોને (મન, વચન, કાયાને) સરખું કામ આપો.
be
‘કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. પૂજ્યશ્રીના પ્રવચનોમાં અમૃત-અમૃત ને અમૃત જ હોય એમાં બીજું કાંઈ કહેવા જેવું જ નથી.
પંન્યાસ મુક્તિદર્શનવિજય ગોરેગાંવ, મુંબઈ
**
-
* કહે, કલાપૂર્ણસૂરિ-૪