________________
ધર્મબિંદુમકરણ
પહેલો અધ્યાય
शुभकर्माणमायान्ति विवशाः सर्वसम्पदः ।।५।। तथा - नोदन्वानर्थितामेति, न चाम्भोभिर्न पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति सम्पदः ।।६।। આ પ્રમાણે અન્યાયથી વ્યવહાર કરવાનો પ્રતિષેધ કરવામાં આવે તો ગૃહસ્થને ધનપ્રાપ્તિ જ નહિ થાય, એથી એનો જીવનનિર્વાહ નહિ થાય અને એથી ધર્મનું કારણ એવી ચિત્તસમાધિ તેને નહિ રહે, આવી આશંકા કરીને ગ્રંથકાર તેનો જવાબ આપે છે :
ન્યાય જ ધનપ્રાપ્તિનો ઉત્કૃષ્ટ અત્યંત રહસ્યભૂત ઉપાય છે એમ જાણકારો કહે છે. અહીં ““અત્યંત રહસ્યભૂત ઉપાય છે” એનો અર્થ એ છે કે- યોગ્યાયોગ્ય પદાર્થસમૂહના વિભાગને જાણવાની કુશળતાથી રહિત એવા સ્થૂલ મતિવાળા પુરુષોને આ ઉપાય સ્વપ્નમાં પણ જાણવામાં આવ્યો નથી. શાસ્ત્રના જાણકારો એટલે સદાચારને કહેનારા શાસ્ત્રોને જાણનારા. તેઓ આ પ્રમાણે કહે છે:-“જેવી રીતે દેડકાઓ જલાશયોમાં આવે છે અને પક્ષીઓ પાણીના સ્થાનો પાસે આવે છે તે રીતે બધી સંપત્તિઓ શુભકાર્ય કરનારને આધીન બનીને તેની પાસે આવે છે. (૧) તથા સમુદ્ર પાણીને પ્રાર્થના ન કરતો હોવા છતાં પાણીથી પૂરાય છે. તે પ્રમાણે પોતાના આત્માને પાત્ર બનાવવો જોઈએ. કારણકે સંપત્તિઓ પાત્રની પાસે આવે છે.” (૨) (૮)
कुत एतदेवमित्याह
ततो हि नियमतः प्रतिबन्धककर्मविगमः ॥९॥ इति ।
ततो न्यायात् सकाशात् हिर्यस्मात् नियमतः अवश्यभावेन प्रतिबन्धकस्य परलाभोपघातजननद्वारेण भवान्तरे उपात्तस्य लाभविघ्नहेतोः कर्मणो लाभान्तरायलक्षणस्य विगमो विनाशः संपद्यते, यथा सम्यक्प्रयुक्तायाः लङ्घनादिक्रियायाः सकाशात् रोगस्य શ્વર-ગતિસાર રિતિ ////
“ન્યાય જ ધનપ્રાપ્તિનો ઉત્કૃષ્ટ અત્યંત રહસ્યભૂત ઉપાય છે” એનું કારણ જણાવે છે:
કારણકે નીતિથી નિયમ પ્રતિબંધક કર્મનો વિનાશ થાય છે. પ્રતિબંધક કર્મ એટલે જેનાથી ધન ન મળે તેવા ભવાંતરમાં બાંધેલા લાભાંતરાય કર્મ. બીજાના