________________
ધર્મબિંદુપ્રકરણ
ચોથો અધ્યાય
આપવી.” (૧૫૭) (૪૦)
शीलमेव व्याचष्टे
असङ्गतया समशत्रुमित्रता शीलम् ॥४१॥२६७॥ इति ।
असङ्गतया क्वचिदपि अर्थे प्रतिबन्धाभावेन समशत्रुमित्रता शत्रौ मित्रे च समानमनस्कता शीलमुच्यत इति ।।४१।।
હવે શીલનું જ સ્વરૂપ કહે છે :
કોઈ પણ પદાર્થમાં રાગ ન હોવાના કારણે શત્રુ અને મિત્ર પ્રત્યે મનનો સમાનભાવ એ શીલ છે. (૪૧).
ननु स्वपरिणामसाध्यं शीलं तत् किमस्य क्षेत्रादिशुद्धयारोपणेनेत्याशङ्क्याह
अतोऽनुष्ठानात्तद्भावसम्भवः ॥४२॥२६८॥ इति । अतः अस्माद् अनुष्ठानाद् उक्तरूपशीलारोपणलक्षणात्तभावस्य शीलपरिणामलक्षणस्य सम्भवः समुत्पादः प्रागसतोऽपि जायते, सतश्च स्थिरीकरणमिति //૪રાઈ
શીલ પોતાના પરિણામથી સાધ્ય છે, અર્થાત્ આત્મામાં શીલના પરિણામ પ્રગટે તો શીલ થાય, આથી ક્ષેત્રાદિની શુદ્ધિપૂર્વક શીલનું આરોપણ કરવાની શી જરૂર છે? આવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે :
પર્વે કહેલી શીલ આરોપણની ક્રિયાથી નહિ ઉત્પન્ન થયેલા શીલના પરિણામ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયેલા શીલના પરિણામ સ્થિર થાય છે. (૪૨)
તથા
तपोयोगकारणं चेति ॥४३॥२६९॥ इति। स एवं विधिप्रव्रजितः सन् गुरु परम्परयाऽऽगतमाचाम्लादितपोयोगं कार्यत इति //૪રૂા.
તપરૂપ યોગ કરાવવો. આ પ્રમાણે વિધિથી દીક્ષિત થયેલા તેને ગુરુપરપરાથી દીક્ષિતને આયંબિલ વગેરે જે તપ કરાવાતો હોય તે તારૂપ યોગ કરાવવો. (આત્માને મોક્ષ સાથે જોડી આપે તે યોગ. જ્ઞાન, સંયમ અને તપ એ ત્રણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે, માટે તે ત્રણ યોગરૂપ છે. આથી અહીં તપને યોગ કાડેલ છે. જે
૨૩૯