________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
यदि नामैवमापद्यते तथापि को दोष इत्याह
દૃષ્ટવાળા દ્રારા વિશે दृष्टस्य सर्वलोकप्रतीतस्य देहकृतस्यात्मना आत्मकृतस्य च देहेन यः सुखदुःखानुभवः तस्य इष्टस्य च शास्त्रसिद्धस्य बाधा अपहवः प्राप्नोति, तथाहि- दृश्यत एवात्मा देहकृताचौर्य - पारदार्याद्यनार्यकार्याच्चारकादौ चिरं शोक - विषादादीनि दुःखानि समुपलभमानः, शरीरं च तथाविधमनःसंक्षोभादापन्नज्वरादिजनितव्यथामनुभवदिति, न च दृष्टेष्टापलापिता युक्ता सताम, नास्तिकलक्षणत्वात् तस्याः ||६३।।
જો આ પ્રમાણે (= શરીરે કરેલું કર્મ આત્મા ન ભોગવે અને આત્માએ કરેલું શરીર ન ભોગવે એમ) થાય તો પણ શો દોષ થાય તે કહે છે :
દૃષ્ટ અને ઈષ્ટનો અપલાપ થાય. દૃષ્ટ એટલે લોકમાં પ્રસિદ્ધ. ઇષ્ટ એટલે શાસ્ત્રથી સિદ્ધ. દેહે કરેલાં કર્મને આત્મા ભોગવે છે = સુખ – દુઃખ અનુભવે છે, અને આત્માએ કરેલા કર્મને શરીર ભોગવે છે એ બીજા સર્વલોકમાં પ્રતીત હોવાથી દૃષ્ટછે, તથા એ બીના શાસ્ત્રથી સિદ્ધ હોવાથી ઇષ્ટ પણ છે. શરીરે કરલું કર્મ આત્મા ન ભોગવે અને આત્માએ કરેલું કર્મ શરીર ન ભોગવે એમ માનવાથી આ દૃષ્ટ અને ઇષ્ટનો અપલાપ થાય. આત્મા શરીરે કરેલા ચોરી, પરદારાગમન આદિ પાપ કાર્યોથી કેદખાના વગેરેમાં લાંબા કાળ સુધી શોક – વિષાદ વગેરે દુઃખોને પ્રાપ્ત કરતો દેખાય જ છે. તથા શરીર તેવા પ્રકારના મનના સંક્ષોભથી થયેલા તાવ વગેરેથી ઉત્પન્ન થયેલી પીડાને અનુભવે છે. દૃષ્ટ - ઈષ્ટનો અપલાપ કરવો એ સજ્જન માટે યોગ્ય નથી. દૂષ્ટ – ઇષ્ટનો અપલાપ કરવો એ નાસ્તિકનું લક્ષણ છે. (૬૩)
इत्थं सर्वथा नित्यमनित्यं च तथा देहाद् भिन्नमभिन्नं चात्मानमङ्गीकृत्य हिंसादीनामसम्भवमापाद्योपसंहरन्नाह
अतोऽन्यथैतत्सिद्धिरिति तत्त्ववादः ॥६४॥१२२। इति ।
अतः एकान्तवादाद् अन्यथा नित्यानित्यादिस्वरूपे आत्मनि समभ्युपगम्यमाने एतत्सिद्धिः हिंसादिसिद्धिः, तत्सिद्धौ च तन्निबन्धना बन्धमोक्षसिद्धिः, इति एष तत्त्ववादः प्रतिज्ञायते, योऽत्त्ववेदिना पुरुषेन वेदितुं न पार्यते इति ।।६४।।
આ પ્રમાણે એકાંતે નિત્ય અને એકાંતે અનિત્ય,તથા એકાંતે દેહથી
૧૦પ