Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/001057/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ty 03. in Education ritematonal Wwwijainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ I ! નમો સિન્થસ i શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ ભાગ ૧ લે પ ક રતિ લા લ દી પચંદ દેસાઈ Slalle 92 ક્રયા अमदावाद પ્ર કા શાક શેઠ આણંદજી કલ્યા ણજી અમ દા વા દ– ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકા શ કે બાપાલાલ મગનલાલ ઠાકર જનરલ મેનેજર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઝવેરીવાડ; પટણીની ખડકી અમદાવાદ - ૩૮૦૦૦૧ (ગુજરાત) - વિ. સં. ૨૦૩૯, માહ; ફેબ્રુઆરી, ૧૯૮૩ વીરનિર્વાણ સંવત ૨૫૦૯ કિંમત પચાસ રૂપિયા ગ્રંથના– શ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહ શ્રી પાશ્વ પ્રિન્ટરી ૧૪૭, તળીને ખાંચે, દેશીવાડાની પિળ, અમદાવાદ-૩૮૦૦૦૧ છમીઓના— શ્રી નરેશ કે. દેસાઈ વિનય પ્રિન્ટીંગ પ્રેસ વાળંદની વાડી, પ્રકાશ સિનેમાની પાછળ ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠિ કસ્તૂરભાઈ લાલભાઈ ( તા. ૧૯-૧૨-૧૮૯૪-તા. ૨૦-૧-૧૯૮૦) Page #6 -------------------------------------------------------------------------- ________________ અપણુ શ્રેષ્ઠિવ કસ્તૂરભાઈ લાલભાઈ ને— તેઓશ્રીએ અરધી સદી જેટલા સુદીર્ઘ સમય સુધી, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના એક પ્રતાપી સુકાની તરીકે તથા શ્રી જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક સૌંઘના મુખ્ય અગ્રણી તરીકે, જૈન તીર્થભૂમિ, જૈન સઘ અને જૈન સસ્કૃતિની તન, મન, ધનથી ખજાવેલી, શાણપણ, દૂરંદેશી અને નિષ્ઠાભરી અનેકવિધ સેવાએ પ્રત્યે તેમ જ દેશના એક વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિરૂપે, ખાહેાશ અને વગદાર રાજપુરુષરૂપે તથા કેળવણીક્ષેત્રના સમથ પુરસ્કર્તા અને ઉદાર દાતારૂપે દેશના એક મહાન પ્રભાવશાળી મહાજન તરીકે કરેલ અનેક પ્રકારનાં સત્કાર્યાં પ્રત્યે કૃતજ્ઞતાની વિનમ્ર લાગણી પ્રદર્શિત કરવા નિમિત્તે —સાદર સમર્પિત. —રતિલાલ Page #7 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનુ વર્તમાન ટ્રસ્ટી મડળ (વહીવટદાર પ્રતિનિધિએ ) ૧. શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, પ્રમુખ ૨. વકીલ શ્રી ચંદ્રકાંત છેટાલાલ ગાંધી ૩. શેઠશ્રી નરેાત્તમદાસ મયાભાઈ ૪. શેઠશ્રી ચંદ્રકાંત બકુભાઈ ૫. શેઠશ્રી આત્મારામ ભેાગીલાલ સુરિયા ૬. શેઠશ્રી મનુભાઈ લલ્લુભાઈ છ. શેઠશ્રી રસિકલાલ મેાહનલાલ ૮. શેઠશ્રી ગૌરવભાઈ અનુભાઈ ૯. શેઠશ્રી કલ્યાણભાઈ પુરુષાત્તમદાસ ફડિયા Page #8 -------------------------------------------------------------------------- ________________ સાંસ્કૃતિક વારસાના જતનને ડેક ઈતિહાસ (પ્રકાશકીય નિવેદન) જેન સંઘને સાંસ્કૃતિક વારસો જેમ અનેક પ્રકારને છે, તેમ તેનું પ્રમાણ ઘણું વિશાળ છે, અને અમૂલ્ય કહી શકાય એવી એની સમૃદ્ધિ છે. ભગવાન તીર્થંકરદેવોએ, જગતના કલ્યાણ માટે, જે સર્વમંગલકારી જંગમ અને સ્થાવર તીર્થની સ્થાપના કરી હતી, તેને સદા ઉદ્યોતમંત રાખવાનું એટલે કે માનવસમાજની ધર્મભાવનાને ટકાવી રાખવાનું તથા એમાં અભિવૃદ્ધિ કરતાં રહેવાનું પાયાનું કામ, છેક પ્રાચીન કાળથી, આ સાંસ્કૃતિક વારસા દ્વારા થતું રહ્યું છે એની ઇતિહાસ સાક્ષી પૂરે છે. આવા ઉમદા સાંસ્કૃતિક વારસાનાં પ્રેરક બળ બે છે: એક તે, મોક્ષના રાજમાર્ગ સમી સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના જૈન સંધ અખંડ રૂપે કરી શકે એવું સમર્થ આલંબન ઊભું કરવું. અને બીજું પ્રેરક બળ છે, તીર્થકર ભગવાનના અભાવના યુગમાં, જ્ઞાન અને ક્રિયાની આરાધનાના પુષ્ટ અવલંબનરૂપ તીર્થભૂમિએ, જિનમંદિર, જિનપ્રતિમાઓ અને જિનવાણીની સારી રીતે ઉપાસના થઈ શકે એવાં ધર્મસ્થાની સ્થાપના કરવી. ' એટલે, તીર્થંકર પરમાત્માના વિરહના યુગમાં, જિનમંદિરે એમના સમવસરણના અને જિનપ્રતિમાઓ સ્વયં તીર્થંકરદેવના સ્મરણનું નિમિત્ત બને છે. અને જિનવાણીના બહુમૂલા ખજાનારૂપ ધર્મશાસ્ત્રો તે, પિતાના અને વિશ્વના કલ્યાણને પંથ બતાવવામાં, દિવ્ય પ્રકાશની ગરજ સારે છે. તીર્થભૂમિ, જિનમંદિરે, જિનપ્રતિમાઓ અને જિનવાણીની આવી ઉપકારકતાને કારણે જ, સમયે-સમયે અને સ્થાને સ્થાને. તીર્થભૂમિઓ. જિનાલયે અને જ્ઞાનભંડારોની સ્થાપના થતી જ રહી છે અને અત્યારે પણ થતી રહે છે. અને તેથી જ જૈન સંઘના આ સાંસ્કૃતિક વારસામાં, ઉત્તરોત્તર વધારે થતો જ રહે છે. આ સાંસ્કૃતિક વારસે વિવિધ પ્રકારની શિલ્પકળા અને ચિત્રકળાની વિપુલતાથી વિશેષ સમૃદ્ધ બને છે; અને તેથી જૈન-આશ્રિત કળા તરીકે વિશ્વમાં એની ઘણી નામના થયેલી છે એ એક હકીકત છે. પણ જેમ આ વારસે અસાધારણ રીતે સમૃદ્ધ અને વ્યાપક છે, તેમ એની સાચવણનું કામ પૂરેપૂરી શ્રદ્ધા-ભક્તિ, જાગૃતિ, દૂરંદેશી, સાહસિકતા અને જવાબદારીભરી કામગીરીની અપેક્ષા રાખે એવું જટિલ અને મોટું હોય છે. એક રીતે જોઈએ તે, એક રાજસત્તા જેટલી સત્તાની અપેક્ષા રાખે એવું અતિ મુશ્કેલ આ કામ છે. અને છતાં રાજસત્તાની રીતરસમ કરતાં જુદી રીતરસમો ધરાવતી ધર્મ સત્તાથી જ આ કામ સરખી રીતે થઈ શકે છે. રાજસત્તા અને ધર્મસત્તાની કાર્યપદ્ધતિમાં પાયાને ફરક એ રહેલા છે કે, રાજસત્તા માટે ભાગે, વિવેકને વેગળે મૂકીને, કઠોરતા અને અહંભાવથી જ કામ કરતી હોય છે, જ્યારે ધર્મસત્તાએ કરુણાપરાયણતા, વિનમ્રતા તથા વિવેકશીલતા વગેરેથી કામ કરવાનું હોય છે. અને તેથી જ ધર્મરક્ષાના કાર્યને સુવ્યવસ્થિત અને સફળ રીતે કરી શકે એવી Page #9 -------------------------------------------------------------------------- ________________ t સંસ્થાએ ઓછી જોવા મળે છે. આ સંદર્ભમાં, ત્રણ સૈકા કરતાંય લાંબા સમયથી, તીર્થરક્ષા, શાસનપ્રભાવના, જીર્ણોદ્ધાર વગેરે ક્ષેત્રમાં કામ કરી રહેલ અને શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધનું પ્રતિનિધિત્વ ધરાવતી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કામગીરીનું મૂલ્યાંકન કરવા જેવું અમને લાગ્યું છે અને તેથી એ કામગીરીની ઝાંખી કરાવો શકે એવા ઇતિહાસ તૈયાર કરાવવાનું અમે ઉચિત અને જરૂરી માન્યું છે. તીર્થાનાં હક્કો, હિતા અને યાત્રાળુઓની સલામતી તથા સગવડ વગેરેની સાચવણીના પેઢીના કામની શરૂઆત સાડાત્રણસે વર્ષી કરતાંય વધુ સમય પહેલાં થઈ હતી. એ સમય હતા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી, મેાગલ સમ્રાટ અકબર બાદશાહ અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની વિદ્યમાનતાને અને ત્યારે અમદાવાદના શ્રીસંધ, મુખ્યત્વે, પવિત્ર તીર્થાધિરાજ શત્રુંજયના વહીવટ સંભાળતા હતા. આ શરૂઆતના સમયમાં રાજનગર-અમદાવાદના શ્રીસંધ “શેઠ આણુ જી કલ્યાણજીની પેઢી ” એવા નામથી નહીં પણ એક ધર્મભાવનાશીલ, ધ્યેયનિષ્ઠ અને એકરંગી સંધ તરીકે આ જવાબદારી નિભાવતા હતા. અને પછી આ બધા કારોબાર “શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી '' ના નામથી ચાલવા લાગ્યા એ વાતનેય અઢીસ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયા. અને છેલ્લાં આશરે સવાસે વર્ષ દરમ્યાન તા છાપરીયાળી ગામમાં જૈનધર્મના પ્રાણુરૂપ અને કરુણાપ્રેરિત જીવયાના કાર્યંને માટે સ્વતંત્ર પાંજરાપેાળ ચલાવવારૂપે તથા ખીજા ખીન તીર્થધામાના વહીવટની જવાબદારીના સ્વીકારરૂપે પેઢીના કાર્ય - ક્ષેત્રના સારા પ્રમાણમાં વિસ્તાર થયા. આવા વિશાળ વહીવટની બહુ અટપટી જવાબદારી અદા કરવામાં, પેઢીને, અનેક વાર, એક બાજુ જેમ રાજસત્તા સાથેની અથડામણુ કે એવી જ ખીજી આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડયુ છે, તેમ એને, આવા દરેક પ્રસંગે, શ્રીસંઘના પૂરેપૂરા અને ઉલ્લાસભર્યે સાથ અને સહકાર મળતા રહ્યો છે. પેઢીના કાકાળમાં આવી તા સંખ્યાબંધ ઘટનાએ ખનતી રહી છે; એટલે એની વિગતા, ધરક્ષા યાને તીરક્ષાની પ્રેરણા આપવા સાથે, રામાંચ ખડાં કરે એવી છે. એટલે આવી ઘટનાઓ માંથી કેટલીક નોંધપાત્ર કે મહત્ત્વની ઘટનાએ સંબધી માહિતી શ્રીસંધ સમક્ષ રજૂ થઈ શકે એટલા માટે આવે ઇતિહાસ તૈયાર થાય એ અમને હિતાવહ લાગ્યુ છે. વળી જૈનપુરી—અમદાવાદના શ્રીસંધે, વિક્રમની સત્તરમી સદીના ઉત્તરા થી, નગરશેઠ શાંતિદાસ ઝવેરીની રાહબરી નીચે શરૂ કરેલી શાસનરક્ષા, તીર્થરક્ષા અને સંઘરક્ષાની પરંપરા દસ દસ પેઢીએ, એટલે કે આશરે ચાર સૈકા સુધી અવિચ્છિન્નપણે ચાલુ રહે, એને કેવળ અમદાવાદના જ નહીં પણ સમસ્ત ભારતના જૈન સંધના વગદાર અગ્રણીઓના તથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ સંધના હાર્દિક અને સક્રિય સાથ અને સહકાર મળતા રહે અને ધર્માંસધ ઉપર આવી પડેલી મુસીબતના સામને કરવા જેવા અણીને વખતે, શેઠે આદજી કલ્યાણુજની પેઢી, શ્રીસ ધને સજાગ અને એકત્રિત કરવાનું માધ્યમ બની શકે—તે સંબધી આગળ પડતાં બનાવાની હકીકત શ્રીસ`ઘ સમક્ષ રજૂ થાય એ, તી'કર પરમાત્માના શાસનના યોગક્ષેમની દૃષ્ટિએ પણુ, ઉપયાગી અને પ્રેરક ખની શકે એમ અમને લાગ્યું. એટલે, અમને લાગે છે કે, મુરબ્બી સ્વસ્થ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને, ૧૦-૧૨ વર્ષી Page #10 -------------------------------------------------------------------------- ________________ પહેલાં, જે ઘડીએ પેઢીને ઈતિહાસ લખાવવાને વિચાર આવ્યો, તે ઘડી તથા એ વિચારને અમે સહર્ષ વધાવી લીધે એ ઘડી પણ એક શુભ ધડી હતી. પણ આ ઇતિહાસ લખાવવાનું કાર્ય અનેકવિધ મુશ્કેલીઓથી ભરેલું હતું. કેવળ તીર્થભૂમિઓ અંગે પ્રચલિત કિવદંતીરૂપ કથાઓ, ભક્તિભાવથી લખાયેલાં કાવ્યો અને તીર્થોની પ્રશસ્તિની દષ્ટિએ આલેખાયેલાં ધપસ્તકના આધારે જ જો આ ઈતિહાસ લખાય, તે કદાચ તેને સત્ય ઘટનાઓને ઈતિહાસ ને પણ કહી શકાય. એટલે, ખરી રીતે, આના સંકલન માટે તે સૈકાજુનાં લેખે, હિસાબી ચોપડાઓ, દસ્તાવેજો, ફરમાન અને ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ વગેરેના અધ્યયન અને સંશોધનના નિચેડરૂપે, વિવેકભરી ભાષામાં, મહત્વની ઘટનાઓને આવરી લઈ, કડીબદ્ધ રીતે તેને શબ્દ-૨વરૂપ અપાય તે જરૂરી હતું. આ કાર્ય માત્ર કપર જ ન હતું, પરંતુ પૂરતે શ્રમ, સમય અને અધ્યયન માગી લે તેવું હતું. તેથી આ કાર્યની જવાબદારી સંભાળીને એને સંતોષકારક રીતે પૂરું કરી શકે તેવો ઈતિહાસકાર મેળવો, તે ઇતિહાસના આલેખન જેટલું જ અઘરું હતું. આ કામ માટે મુરબ્બી શેઠશ્રી કસ્તૂરભાઈએ પ્રથમ એકાદ-બે વિદ્વાનને પસંદ કરીને તેઓને આ લેખનકાર્ય સેપેલું, પણ તેમનાથી સંતોષપ્રદ કાર્ય થશે નહીં તેવું જણાવાથી આ માટે ફરીથી શોધ કરવી જરૂરી બની હતી. મુરબ્બી શેઠશ્રી કસ્તૂરભાઈની ચાર દૃષ્ટિ ચારે દિશાઓમાં ફરી વળી અને પેઢીને ઇતિહાસ આલેખી શકે તેવા મહાનુભાવોની નામાવલિ તેઓએ ફરીથી વિચારી. અને, એમ કરતાં, તેમના સ્મરણપટ ઉપર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનું નામ તરી આવ્યું. અને તેમને બોલાવીને આ કાર્યભાર વહન કરવા સૂચવતાં શ્રી રતિલાલ દેસાઈએ, આશરે છએક મહિને, સંકોચ સાથે, આ કાર્ય સંભાળવાની સંમતિ આપી. શ્રી રતિલાલ દેસાઈ સાત્ત્વિક ભાવના ધરાવતા કલ્પનાશીલ વિદ્યાછવી અને જેન સંધની પરંપરા સાથે ઓતપ્રોત થયેલ ભાવિક સજજન છે. તેઓને પ્રથમ પ્રત્યાઘાત, આ કામને પહોંચી વળવાની દૃષ્ટિએ, બહુ જ વિનમ્ર અને સંકેચભર્યો હતે; કારણ કે, તેઓની દૃષ્ટિએ કથા પેઢીને ઈતિહાસ લખવાનું ભગીરથ કાર્ય અને કળ્યાં પોતાની આટલી મોટી ઉંમરે તે કામ પૂરું કરવાની મર્યાદિત શક્તિ—કંઈક આ ખ્યાલ એમના મનમાં ઉભા હશે. પરંતુ આજે શ્રી રતિભાઈએ અથાગ પ્રયત્ન કરી આ પ્રથમ ભાગ પૂરે કર્યો છે અને બાકીનું કામ ઝડપભેર પૂરું કરવા તૈયારી કરેલ છે, તે આનંદ અને ગૌરવને વિષય છે. શ્રી રતિભાઈ દેસાઈએ આ ઈતિહાસના આલેખનમાં કોઈ નાની સરખી હકીકત પણ લક્ષ બહાર જવા ન પામે તેની યથાશક્ય ચીવટ રાખી છે. વિશાળ પાયા પરના જૂના રેકર્ડ (દફતર), તેનાં જીર્ણ થયેલાં પાનાંઓ, ચેપડાઓ, ચુકાદાઓ, પરવાનાઓ વગેરેમાં પડેલી મહત્વની ધબકતી વિગતે અને લેખો તથા ઉપલબ્ધ બને તેવી બીજી તમામ સામગ્રીને ઝીણવટભર્યો અભ્યાસ કરીને આ કાર્યને પહોંચી વળવા પ્રયત્ન કર્યો છે. પેઢીના ઈતિહાસને જુદા જુદા વિષયમાં વિભાજિત કરીને યથાયોગ્ય વિભાગમાં તેની ગોઠવણી કરી ઈતિહાસને આ પ્રથમ ભાગ તેઓએ તૈયાર કર્યો છે, જેને પ્રકાશિત કરતાં અમને હર્ષ થાય એ સ્વાભાવિક છે. આ ગ્રંથ તૈયાર કરાવવાની ભાવના પ્રથમ વ્યક્ત કરનાર સ્વપ્નશીલ સ્વર્ગસ્થ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આપણી વચ્ચેથી સદાને માટે વિદાય થઈ ગયેલા છે અને તેમનું સાંનિધ્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ અત્યારે આપણી વચ્ચે નથી, તેનું આપણને દુઃખ રહે એ સ્વાભાવિક છે. છતાં તેઓએ આ ઇતિહાસનાં હસ્તલિખિત તેર પ્રકરણે જાતે જોયાં–તપાસ્યાં હતાં અને તેનાં સંકલન અને રજૂઆત પર ખૂબ આનંદ અને સંતોષ વ્યક્ત કરેલ હતું; અને એ રીતે તેઓએ લેખકને પણ આ કાર્ય માટે બિરદાવ્યા હતા અને કાર્ય પૂરું કરવાના પ્રેરણા અને બળ આપ્યાં હતાં, તેથી અમે કંઈક સંતોષની લાગણી અનુભવીએ છીએ. - આ ઈતિહાસને ગ્રંથ બહુ દળદાર ન થાય તે ઔચિત્યને ખ્યાલ કરીને, તેને બે ભાગમાં પ્રસિદ્ધ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ એને પહેલો ભાગ છે. તેમાં દસ પ્રકરણે આપવામાં આવ્યાં છે અને દરેક પ્રકરણમાં, યથાયોગ્ય રીતે, જુદી જુદી હકીકતને આવરી લેવામાં આવી છે. આ ગ્રંથમાં પ્રકરણવાર શી શી સામગ્રી આપવામાં આવી છે તેને ખ્યાલ ગ્રંથના વિસ્તૃત અનુક્રમ તથા લેખકની પ્રસ્તાવનામાંથી મળી શકે તેમ હોવાથી તેની વિગતે અત્રે આપવાનું જરૂરી માનેલ નથી. - આશા રાખીએ કે, પેઢીની કામગીરીનું વિગતે દર્શન કરાવતે આ ગ્રંથ શ્રીસંઘના દરેક સ્તરના વાચક સમુદાયને પેઢીના કાર્ય અને સંકલનની મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં ઉપયોગી નીવડશે અને તીર્થરક્ષા તથા શાસનપ્રભાવનાની પ્રેરણા આપશે. ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદ-૧. તા. ૭-૧૦-'૮૨ -દ્રસ્ટી મંડળ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તા વ ના (લેખકનું નિવેદન) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ઇતિહાસને પહેલે ભાગ પ્રગટ થઈ રહ્યો છે, ત્યારે હું કંઈક આવી લાગણી અનુભવું છુંઃ કાઈ પાંગળા માણસ, પોતાના કામની મુશ્કેલી જાણવા છતાં, પહાડ ચડવાની જવાબદારી લઈ બેસે અને, ડીક ડીક મજલ કાપતે કાપો, લાંબે વખતે, પહાડની અરધી કરતાં વધારે ઊંચાઈ સુધી પહોંચી જાય ત્યારે એ જે થોડીક નિરાંત અને શેડોક હાશકારો અનુભવે, કંઈક એવી લાગણું હું અનુભવું છું. અને હજી આ ગ્રંથને બીજો ભાગ પૂરો કરીને ગ્રંથની, મારી સામાન્ય સમજણ અને ધારણા મુજબ, સાંગોપાંગ પૂર્ણાહુતિ કરવી બાકી છે, એ વિચાર મારા મનમાં કંઈક એવી વિમાસણ જરૂર જણાવે છે કે, ઉંમરના વધવા સાથે ઘટતી જતી કાર્યશક્તિને કારણે, બાકીની મજલ મારાથી ક્યારે અને કેવી રીતે પૂરી કરી શકાશે ? પણ, આવી વિમાસણને કારણે, બાકીનું કામ પૂરું થવા અંગે મને વિશેષ નિરાશા કે ગભરામણ એટલા માટે નથી થતી કે, બાકીના લેખનકાર્યમાં આશરે ત્રીજો ભાગ લખાઈ ગયો છે, અને તે સિવાયનાં પ્રકરણને લગતી સામગ્રીમાંથી મોટા ભાગની સામગ્રી તપાસીને એની કાચી ને કરી લીધેલ છે. બાકી તે, ખરી રીતે, આ કામ ભગવાનનું જ છે અને એમની અસીમ કૃપાથી જ આટલું કામ થઈ શકયું છે; અને બાકીનું કામ પણ એની અદશ્ય કરુણાથી જ પૂરું થઈ શકવાનું છે. એટલે, ખરી રીતે, આમાં હું તે માત્ર એક સાવ સામાન્ય નિમિત્તરૂપ જ છું. આવા કામનું નિમિત્ત બનવાની મને તક મળી, એને મને હર્ષ છે અને એને હું મારું સદ્ભાગ્ય માનું છું, યશના સાચા અધિકારી આ ગ્રંથના લેખનમાં હું જે કંઈ કામ કરી શકો છું, તે માટે હું સૌથી પહેલાં પરમકૃપાળુ પરમાત્માને માટે ઉપકાર માનું છું. અત્યારે આ ગ્રંથને પહેલો ભાગ પ્રગટ થઈ રહ્યો છે, તેને સંપૂર્ણ યશ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના શાણા, દૂરદશી અને પ્રભાવશાળી પ્રમુખ અને જૈન સંઘના આ યુગના મુખ્ય અગ્રણી શ્રેષ્ટિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈને જ ઘટે છે, એમ મારે, કૃતજ્ઞભાવે, કહેવું જોઈએ. આ કામની જવાબદારી લેવા માટે તેઓશ્રીએ મને એવા મમતાભાવપૂર્વક આદેશ કર્યો કે, આ કાર્યની જટિલતા અને એ માટેની મારી અશક્તિ અને અગ્રતાને મને પૂરેપૂરે ખ્યાલ હેવાથી, એ લેવાની મારી બિલકુલ તૈયારી નહીં હોવા છતાં, હું એને ઇનકાર ન કરી શક્યો, અને છેવટે, છ-આઠ મહિનાની આનાકાનીને અંતે, એમના આદેશને માથે ચડાવીને કામની શરૂઆત પણ તા. ૧-૪-૧૯૭૪ થી કરી દીધી. એ વાતને આજે આશરે નવ વર્ષ જેટલો સમય થઈ ગયું. આ Page #13 -------------------------------------------------------------------------- ________________ ܢ હકીકત પણ એમ સૂચવે છે કે, આ કામ મારા માટે કેટલું બધું મુશ્કેલ પુરવાર થયું છે; અને એની મજલ કાપવામાં મારી ગતિ કેટલી બધી મદ રહી છે! આટલા લાંબા સમય પછી પણ હજી અને પહેલા ભાગ જ તૈયાર થઈ શકયો છે ! આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે, તે વખતે એના મુખ્ય પ્રેરણાસ્થાન સમા શ્રેષ્ઠિરત્ન કસ્તૂરભાઈ લાલભાઈનું મને વિશેષ સ્મરણ થઈ આવે અને અત્યારે તે વિદ્યમાન નથી. એ હકીકતથી ચિત્ત વિષાદપૂર્ણ બની જાય એ સ્વાભાવિક છે. મને થાય છે કે, આ ગ્રંથના પ્રકાશન વખતે તેઓશ્રી આપણી વચ્ચે મેાજૂદ હેાત તા, આ જોઈને, એમને કેટલા બધા આનંદ અને મને કેટલે બધા સાષ થાત ! પણ કુદરતને એ મંજૂર ન હતું, ત્યાં ખીજો શા ઉપાય? આમ છતાં, આવા વિષાની ઘેરી લાગણી વચ્ચે પણ, મારા માટે એટલી વાત થાડેાક સંતાષ આપનારી બની કે, આ ગ્રંથનાં તેર પ્રકરણા સુધીનું લખાણ તૈયાર થયા પછી, ( પાદનેાંધા વગરનુ`) એ લખાણુ મેં એમને વાંચવા માકલ્યું હતું; અને એ વાંચીને એમણે, એ લખાણ અંગે પેાતાનેા હું અને સ ંતાષ દર્શાવ્યા હતા; એટલું જ નહીં પશુ, આ ગ્રંથ અને એના મુદ્રણુ અંગે મારે કંઈ પૂછપરછ કરવી હેાય, કે સલાહ લેવી હાય તા, મે” એ માટે એક સમિતિ રચવાની વિનંતિ કરી હતી; તેથી મારી આ વિનતિ માન્ય રાખીને સસ્થાના ટ્રસ્ટી મ`ડળે (૧) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ, (૨) શેઠશ્રી નરાત્તમદાસ મયાભાઈ અને (૩) શેઠશ્રી આત્મારામભાઈ ભાગીલાલ સુતરીઆએ ત્રણ સભ્યાની સમિતિ પણ નીમી હતી. શેઠશ્રીએ મારા લખાણુ પ્રત્યે વ્યક્ત કરેલા સંતાષ અને આ સમિતિમાં તેએએ પેાતે રહેવાનુ માર કર્યું', આ બન્ને ખીના મારા માટે વિશેષ પ્રેરણારૂપ અને આનંદપ્રદ પુરવાર થઈ છે એમાં શક નથી. આ ગ્રંથ અંગે કઈક અત્યાર સુધીમાં આ ગ્રંથનાં તેર પ્રકરણ લખાયાં છે, અને એમાંનાં દસ પ્રકરણ, ખૂબ વિસ્તૃત અને સંખ્યાબંધ પાદનોંધા સાથે, આ પહેલા ભાગમાં આપવામાં આવ્યાં છે. ઇતિહાસલેખનની પદ્ધતિ ( Techinique ) ને મને અભ્યાસ નથી; અને વિદ્યાર્થી અવસ્થામાં ઇતિહાસના વિષય મને માથાના દુઃખાવા જેવા અપ્રિય લાગતા હતા ! આમ છતાં, કયારેક કયારેક, કોઈક વિદ્યાકા" નિમિત્તે કે અમુક ઐતિહાસિક જિજ્ઞાસાથી પ્રેરાઈને, ઇતિહાસવિશારદાએ લખેલ પ્રથાને જોવા-વાંચવાને મને જે કંઈ અપ-સ્વપ્ અવસર મળ્યો, તે ઉપરથી હું એટલું તા સમજી શકયો છું કે, કોઈ પણ વિષયનુ અતિહાસિક નિરૂપણુ કરવું. હાય તા તેના પાયાના સિદ્ધાંત છે. “નામૂર્ણ હિતે નિશ્ચિત ’’–આધાર વગર કશું જ લખી શકાય નહી. એ. અર્થાત્ પ્રત્યેક વાત, વિધાન કે પ્રસંગના સમર્થનમાં, પુરાવારૂપે, અન્ય ગ્રંથૈા વગેરેની સાક્ષી ટાંકવી જ જોઈએ. ઇતિહાસશાસ્ત્રના પ્રણેતાઓએ માન્ય કરેલી પદ્ધતિ પ્રમાણે, પુરાવા કે સાક્ષીરૂપે રજૂ કરવાનાં લખાણાના ઉતારા આપવાના બદલે, જે તે લખાણાના સ્થળનિર્દેશ કરવા જ પૂરતા ગણાય છે. અને આમ કરવાથી ગ્ર ંથનું કલેવર વધી જવા પામતું નથી, પણુ મર્યાદામાં રહે છે, એ માટા લાભ છે. પણ મારે અહીં એ કબૂલ કરવું જોઈએ કે, પાદનાંધામાં માત્ર જે તે પાડાના સ્થળનિર્દેશ જ કરવાની ઇતિહાસકારોએ માન્ય કરેલી આ પદ્ધતિને હું, જાણી-જોઈને જ અનુસર્યાં નથી; એટલે જે તે વાત, વિધાન કે પ્રસંગના સમર્થનમાં મેં, અન્ય ગ્રંથા વગેરેમાંથી મળી આવતા, સવિસ્તર પાઠાના પાડ઼ા જ, સ્થળનિર્દેશ સાથે, આ ગ્રંથમાં આપી દીધા છે. આમ કરવાથી આ ગ્રંથનું કલેવર સારા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રમાણમાં વધી જવા પામ્યું છે, એ વાત વાચકના ખ્યાલમાં આવ્યા વગર નહીં રહે. જો પાદને ધેામાં આવા બધા પાઠો રજૂ કરવાને બદલે માત્ર સ્થનિર્દેશ કરીને જ મેં સ ંતાષ માન્યા હાત તેા, ગ્રંથનુ કલેવર લગભગ અડધા જેટલું ઓછું થઈ શકત. ગ્રંથને જોવાથી એ વાત તરત જ ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે કે, ગ્ર ંથનાં મૂળ પ્રકરણાએ જેટલાં પાનાં રાકમાં છે, એના કરતાં અનેકગણાં વધુ પાનાં જે તે પ્રકરણાની પાદને ધાએ રાકમાં છે ! ગ્રંથનાં પાનાં વધવાનાં હેાય તા ભલે વધે, એની જરાય ફિકર કર્યા વિના, મને પૂરેપૂરો સંતાષ થાય એ રીતે મન ભરીને સંખ્યાબંધ, માહિતીસભર અને લાંખી લાંખી પાદનોંધા મે... આ ગ્રંથમાં આપી છે. એનું કારણુ આ છેઃ આ ગ્રંથને તૈયાર કરવામાં મારી નજર સામે કેવળ ઇતિહાસના નિષ્ણાતા કે સ’શાધકાને જ નહીં પણુ, સાથે સાથે, અને વિશેષ રૂપે, જૈન પરંપરાની તથા તીર્થં રક્ષાની ભાવના અને પ્રવૃત્તિની જિજ્ઞાસા ધરાવતા જૈન સંધના ભાવનાશીલ અને વિદ્યાપ્રેમી વર્ગને પણ રાખેલ છે. શેઠ આણુ છ કલ્યાણુજીની પેઢીના ઇતિહાસનું આ ઢબે આલેખન કરવા પાછળના મારા આશય જૈન સંઘમાં આવી જિજ્ઞાસા જાગ્રત થવા પામે, એવા પણ છે, એ મારે સ્વીકારવું જોઈએ. જૈન સંધના ગૃહસ્થવ, સામાન્ય રીતે, વેપાર-વણજ, હુન્નર-ઉદ્યોગ કે નાકરી-ચાકરી જેવા અર્થાપાનના ક્ષેત્રમાં જ કામ કરતા હાય છે, એટલે એ આવા સ્થળનિર્દેશથી સૂચિત કરેલ ગ્રંથાને મેળવીને જે તે પાઠે વાંચવા-તપાસવાની તકલીફ્ લે, એવી અપેક્ષા એમની પાસેથી ભાગ્યે જ રાખી શકાય. અને કાઈને એવી જિજ્ઞાસા થઇ આવે તાપણ એવું બધું સાહિત્ય, જુદાં જુદાં સ્થાનેમાંથી, એકત્ર કરીને એને ઉપયોગ કરવાના અવકાશ પણ એમને જવલ્લે જ મળવા પામે, તેથી તે મારા કહેવાના મુદ્દાને ત્યારે જ સારી રીતે જાણી શકે કે, જ્યારે એવી બધી સામગ્રી એમની સામે મેાજૂદ હાય. પાદનેધામાં આપવાની માહિતી, જે તે અંકવાળા પેજમાં આપવાને બદલે, દરેક પ્રકરણને અંતે આપી છે, તે એટલા માટે કે, જેને મૂળ પુસ્તકનુ લખાણ જ વાંચવું હોય અને પાદનોંધા વાંચવાની તસ્દી ન લેવી હાય, તેઓ તેમ સહેલાઈથી કરી શકે. આ ગ્રંથમાં આવી બધી સામગ્રી ખૂબ વિસ્તારપૂર્વક આપી દેવામાં મારા એક લાભ એ પણ છે કે, જૈન શાસનની પરંપરા કેવી ઊજળી, ગૌરવવંતી અને મહિમાવંતી છે અને એનુ રક્ષણ અને પાષણુ કરનારા કેવા કેવા ધર્માત્મા અને પ્રતાપી મહાપુરુષો આપણા શ્રીસ ધમાં થઈ ગયા છે, એને પણ કેટલાક ખ્યાલ, આ ગ્રંથનું વાચન કરતાં કરતાં, આપણા શ્રીસંધને સહજ ભાવે આવે. આ ષ્ટિએ તેમ જ આ ગ્રંથનુ. વાચન કંઈક રોચક બને એ દૃષ્ટિએ મેં આમાં કેટલીક ધર્મ કથાઓ પણ આપી છે, જે વાચકાને માટે વિશેષ રુચિકર બનશે એવી મને આશા છે. વળી, અત્યારે જે સૌંસ્થા આપણા પરમ પવિત્ર શ્રી શત્રુંજય મહાતીર્થને સભાળી રહેલ છે તે, શ્રી જૈન શ્વેતાાંબર મૂર્તિપૂજક સૌંધના પ્રતિનિધિ તરીકે, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને પાલીતાણા રાજ્યના સતત સપર્કમાં રહેવું પડતું હતું અને તેથી, કેટલીય વાર, આ મહાતીર્થ ને લગતા જૈન સંઘના હુક્કાની, તીથૅ ઉપરનાં સંખ્યાબંધ જિનમદિરાની તથા દેશના દૂરના તથા નજીકના પ્રદેશામાંથી તીર્થની યાત્રા માટે, દર વર્ષે, હજારાની સંખ્યામાં આવતાં ભાવિક યાત્રિકાના જાન-માલની રક્ષા અને સલામતી માટે પાલીતાણા રાજ્ય સાથે સ ંધ માંય ઊતરવું પડતું હતું. અને પાલીતાણા રાજ્ય સાથેના પેઢીના Page #15 -------------------------------------------------------------------------- ________________ સંપર્ક અને સંઘર્ષને ખ્યાલ આપતી સામગ્રી ખૂબ મોટા પ્રમાણમાં પેઢી પાસે સચવાયેલી છે. આ સામગ્રીનાં એટલાં બધાં પટલાં પેઢીના દફતરખાનામાં મોજુદ છે કે જેને જોતાં અને તપાસતાં થાકી જવાય. આ સામગ્રી જેમ જૂની ગૂજરાતી ભાષામાં છે, તેમ કાયદાની કે રાજદ્વારી અંગ્રેજી ભાષામાંય છે; અને તેથી એને ઉલ્લીને એમાંથી અર્થ કે ભાવાર્થ તારવવાનું કામ મને ઠીક ઠીક મુશ્કેલ લાગ્યું છે. પેઢી પાસે આટલા વિપુલ પ્રમાણમાં સામગ્રી વિદ્યમાન હોવાથી, મને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં ત્યાં, મૂળ પ્રકરણમાં કે એની પાદમાં મેં મોકળે મને એ સામગ્રી આ ગ્રંથમાં રજૂ કરી દીધી છે. પઢીનું મોટું દફતર પેઢીના દફતરખાનામાં આ સામગ્રી મોટા પ્રમાણમાં અને એકંદર સારા પ્રમાણમાં સચવાયેલ છે. આ સામગ્રીમાં આશરે પોણાચાર-ચાર વર્ષ જેટલા જૂના દસ્તાવેજો, અઢી વર્ષ જેટલા જૂના ચેપડાઓ, સવા વર્ષ જેટલી જૂની ફાઈલો અને એક વર્ષ જેટલી પ્રોસિડિંગ બુકે છે. એમ કહી શકાય કે, આ દફતર એક રજવાડાના દફતર જેટલું વિશાળ અને વિવિધ ખાતાઓને લગતું છે. મારા કામ માટે એને તપાસતાં તપાસતાં, ક્યારેક તે, મેં એવી મીઠી મૂંઝવણ પણ અનુભવી છે કે, આમાંથી કેટલી સામગ્રીને ઉપયોગ કરવા અને કેટલીને જતી કરવી? પણ છેવટે ગ્રંથને વિષય સ્પષ્ટ અને આધારભૂતરૂપમાં રજૂ થાય, એ માટે અનિવાર્ય લાગી એટલી સામગ્રીની, યથાશક્ય વિવેકદષ્ટિથી, પસંદગી કરીને મેં મારું કામ ચલાવ્યું છે. પાલીતાણા રાજ્યનું દફતર જેવાની જરૂર આ કામ માટે મને આટલી બધી સામગ્રી સુલભ હોવા છતાં, અને એને મેં આ ગ્રંથમાં મોકળે મને ઉપયોગ કર્યો હોવા છતાં, ક્યારેક ક્યારેક, મારા કથનનું અનુસંધાને મેળવવા અથવા એ કથનની યથાર્થતાની ચકાસણી કરી જોવા માટે, મને એમ લાગ્યા કર્યું છે કે, આ લખાણમાં ખૂટતી કડીઓ શેધી કાઢવા માટે તથા પાલીતાણા રાજ્યનેય ક્યાંક અજાણતાં અન્યાય ન થઈ જાય એટલા માટે, પાલીતાણા રાજ્યના દફતરમાંથી કે કાઠિયાવાડ એજન્સીના દતરમાંથી અમુક સામગ્રી જોવા મળે તે સારું. પણ એજન્સીના દતરમાંની સામગ્રી મેળવવાનું તે લગભગ અશક્ય જેવું હતું, પણ પાલીતાણું રાજ્યના દફતરમાંની મારે જરૂરી સામગ્રી તપાસવાનું કામ મેં, પ્રમાણમાં, સરળ માની લીધેલું. એટલે મેં એ માટે પાલીતાણા તપાસ કરાવી, તે મને જાણવા મળ્યું કે પાલીતાણું રાજ્યના જૂના (એતિહાસિક) દફતરને ભાવનગરના કોઠામાં મૂકવામાં આવ્યું છે. આથી આ અંગે હું ભાવનગર તપાસ કરાવવાનું વિચારતો હતો, એવામાં સમાચાર મળ્યા કે ભાવનગરના કઠામાં મોટી આગ લાગવાથી ત્યાં મૂકવામાં આવેલ દફતરેને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ પછી આ સામગ્રી તપાસવાને વિચાર મેં જતો કર્યો. પણ જે આ સામગ્રી જેવાને મને લાભ મળ્યો હોત તો, હું મારું કથન વધુ યથાર્થ રૂપમાં રજૂ કરી શકત. એમ ન થઈ શકયું એનું મને દુઃખ છે. રખોપાના કરાર - પાલીતાણું રાજ્ય સાથેને સૈકાઓના સતત સંપર્ક અને સંઘર્ષને ખ્યાલ આપતી આ વિપુલ સામગ્રીમાં, તીર્થાધિરાજના તથા યાત્રિકોના રક્ષણ માટે, જુદા જુદા સમયે, કરવામાં આવેલ પાંચ ૨ખાપાના કરારે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. એ પાંચ કરારમાંથી પહેલો અને બીજે કરાર Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગુજરાતી ભાષામાં થયા હતા. એટલે એ આ ગ્રંથના દસમા પ્રકરણના મૂળ લખાણમાં જ આપવામાં આવેલ છે; અને છેલ્લા ત્રણ કરાર અંગ્રેજીમાં થયા હતા, એટલે એનું ગુજરાતી ભાષાંતર આ પ્રકરણમાં મૂળ લખાણમાં અને એ ત્રણેનું અસલ અંગ્રેજી લખાણુ આ પ્રકરણની પાદનેાંધામાં આપવામાં આવ્યું છે. વળી આ પાંચ કરારમાંના પહેલા, ખીજા અને ચેાથા કરારની પૂરેપૂરી છબીઓ અને છેલ્લા પાંચમા કરારના પક્ષકારીની સહીવાળા છેલ્લા પાનાની છખી પણ આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. ત્રીજા કરારની છષ્મી એટલા માટે આપી શકાઈ નથી કે, ખરી રીતે, એ પાલીતાણા રાજ્ય અને જૈન સંધ વચ્ચે થયેલ સીધા કરાર ન હતા, પણ બન્ને પક્ષકારાની વાતે અને લીલે સાંભળીને કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મેજર આર. એ. કિટિંગે અગ્રેજી ભાષામાં આપેલા વિસ્તૃત ફેસલા હતા. રખેાપાના આ કરારી અને એની આગળ-પાછળ કરવામાં આવેલી મહેનત તથા એના અમલ માટે રાખવામાં આવેલી ખબરદારી આપણને એ વાતના સચેટ ખ્યાલ આપી શકે છે કે, આપણા સંધના પ્રતાપી પૂર્વજો તીર્થભૂમિના હક્કોની, તીધામેાની, જૈન શાસનની પ્રણાલિકાની અને યાત્રિકાની રક્ષા માટે તેમ જ જૈનધર્મની પ્રભાવના માટે, હુંમેશાં, કેટલા બધા સાગ અને સક્રિય રહેતા હતા. યાત્રા-ખહિષ્કારનુ· પ્રકરણ રખાપાના છેલ્લા–પાંચમા કરાર પાલીતાણા રાજ્ય સાથે થયા તે અગાઉ, જૈન સંધની ધર્મશ્રદ્ધા અને તીર્થભક્તિની બહુ આકરી અગ્નિપરીક્ષા થઈ હતી, અને, સદ્ભાગ્યે, એમાં એ સાંગાપાંગ અને સફળતાપૂર્ણાંક પાર ઊતર્યા હતા, તેની વિગતા જાણવા જેવી, અતિહાસિક અને સદાને માટે યાદ રાખવા જેવી છે. સને ૧૮૮૬ ની સાલમાં થયેલેા, વાર્ષિક રૂપિયા પંદર હજારના, ચાલીસ વર્ષની મુદ્દતના, રખેાપાના ચોથા કરાર, તા. ૩૧-૩-૧૯૨૬ ના રોજ, પૂરા થતા હતા, એટલે, પાલીતાણા રાજ્યનુ માનસ જોતાં, હવે પછી એ કેવું રૂપ લેશે એ અંગે શેઠ આણુ ંદજી કલ્યાણજીની પેઢી તેમ જ જૈન સ ંધ ચિંતિત હતાં; અને સુલેહકારક સમાધાન થાય એવા પ્રયત્ને પણ એમના તરફથી વેળાસર હાથ ધરવામાં આવ્યા હતા. પણ આ પ્રકરણે કંઈક જુદું જ રૂપ ધારણ કર્યું અને પાંચમા કરાર થાય તે પહેલાં, તે વખતના કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેાટસને, જૈન સંઘના હિતની ઉપેક્ષા કરતું અને પાલીતાણાના દરબારશ્રીની તરફેણ કરતું વલણુ અખત્યાર કરીને જૈન સઘ સામે જે અક્કડ અને અન્યાયી પગલાં ભર્યાં તે, સરવાળે, જૈન સંધને માટે છૂપા આશીર્વાદરૂપ પુરવાર થયાં હતાં. મિ. વેટસનના આવાં પગલાં સામે આખા દેશના જૈન સધામાં રાષ અને દુઃખની ઘણી ઉગ્ર લાગણી પ્રસરી ગઈ હતી. પેઢીના અને જૈન સંઘના અગ્રણી, વસ્તુસ્થિતિના તાગ મેળવતાં, તરત જ સમજી ગયા કે, આ દઈ બહુ ઘેરું—ગ*ભીર છે, એટલે એના . નિવારણ માટે એવાં જ જલદ પગલાં ભર્યા વગર ચાલવાનું નથી. એટલે બ્રિટિશ સરકારના પ્રતિનિધિએ દાખવેલ આવા એકતરફી અને અન્યાયી વલણ સામે ન્યાય મેળવવા જૈન સંધ કૃતનિશ્ચય બન્યા હાય અને એ માટે દરેક પ્રકારના ભેગ આપવા જાણે એણે કમ્મર કસી હાય, એ રીતે એણે, પેાતાના પ્રાણ સમા પ્યારા શત્રુ ંજય મહાતીર્થની યાત્રાને બહિષ્કાર, તા. ૧-૪-૧૯૬૬ થી, કરવાને નિશ્ચય કર્યો. આ યાત્રા-બહિષ્કાર એવે સજ્જડ અને સંપૂર્ણ હતા કે એ દરમ્યાન એક ચકલુંય પાલીતાણા શહેરમાં જવા પામ્યું ન હતું, એટલું જ નહીં, આ બહિષ્કાર પૂરાં બે વર્ષી અને બે મહિના એટલે કે છવ્વીસ-છવ્વીસ મહિના જેટલા લાંબા સમય સુધી અખંડપણે ચાલુ રહ્યો હતા. જૈન પરપરાની અને જૈન સંઘની સુદીર્ધકાલીન ઘટનાએમાં જેને Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જોટા ન મળી શકે એવી એક અભૂતપૂ, અદ્ભુત, ચેતનવતી, ઐતિહાસિક અને શકવતી કહી શકાય એવી આ ઘટના હતી. પેાતાના પરમ પાવનકારી તી ધામના અને એને લગતા, પરાપૂર્વ`થી ચાલ્યા આવતા હક્કોને માટે જૈન સ ંધે, આ શાંત અને અહિંસક લડત વખતે, સરૂપ, એકતા અને એકવાકયતાની જે સક્રિય ભાવના દાખવી હતી, તે ખરેખર, અપૂર્વ અને અદ્વિતીય કહી શકાય એવી હતી. એટલે, ખરી રીતે, જૈન પરંપરાના ગૌરવવંતા ઇતિહાસ ઉપર સુવર્ણ કળશ ચડાવે એવી અનેાખી આ ઘટના હતી. આ ઘટનાની આટલી બધી મહત્તા હેાવાથી, મે બનાવની મહત્ત્વની વિગતાથી જૈન સંઘ માહિતગાર થાય એ મને ઇચ્છવા જેવું અને જરૂરી લાગ્યું. એટલે યાત્રા-બહિષ્કારની આ અદ્ભુત લડતની વિગતવાર માહિતી, રખેાપાના કરારાને લગતા દસમા પ્રકરણની પાદને ધેા પૂરી થયા પછી, ખાસ “ પુરવણી” રૂપે મેં આપી છે. આ પ્રકરણને લગતી આવી માહિતી “પુરવણી” રૂપે આપવાનુ એથી જ શકય બન્યું કે, એને લગતી સામગ્રી પણુ, પેઢીના દકતરમાં, સારા પ્રમાણમાં સચવાયેલી છે. ና ፡፡ વાચાના અધિકાર આટલા સમય, આટલા ખર્ચ અને આટલા પરિશ્રમ પછી પણ આ લખાણ કેવું થઈ શકયુ છે, એ અંગે હું કઈ પણ કહું એ સર્વથા અનુચિત જ ગણાય. આમ છતાં, બહુ જ નમ્રતા સાથે, હું એટલું જરૂર કહી શકું કે, આ કામ સરખું અને ઓછામાં ઓછી ખામીવાળું થાય, એ માટે મેં મારાથી બનતા પ્રયત્ન કરવામાં ઉપેક્ષા સેવી નથી. બાકી આ ગ્રંથની ખામી અને ખૂખી અંગે કહેવાના ખરા અધિકારી તા સહૃદય વાચકેા જ ગણાય. હું તા આ તબક્કે એટલું જ ઇચ્છું છું અને પ્રાર્થુ છું કે, આ ગ્રંથ વાચાને કટાળાજનક ન લાગે અને ગૌરવશાળી જૈન પરંપરાનું આછું પાતળું પણ દર્શન કરાવે. સાથે સાથે હું મારા ઈષ્ટદેવને અંતઃકરણથી એવી પણ પ્રાર્થના કરું છું કે, આ કામની જવાબદારીમાંથી હું જલદી મુક્ત થઈ શકું એ માટે આના ખીજો ભાગ પૂરા કરવાની કૃપા-પ્રસાદી અને શક્તિ મને આપતા રહે. નગરશેઠ શાંતિદાસ ઝવેરી વગેરેની સેવાઓ અહમદશાહ બાદશાહે ગુજરાતના નવા પાટનગર તરીકે અમદાવાદ ( અહમદાબાદ) શહેર વિ. સ’. ૧૪૬૮ માં વસાવ્યું. તે પછી દોઢસા-પાણાબસેા વર્ષ બાદ, શ્રી શત્રુંજય મહાતીર્થં અને એના યાત્રિકાની સાચવણીના જવાબદારીભર્યું વહીવટ અમદાવાદ શહેરના શ્રીસધના હાથમાં આવી ગયે હતા એમ, આનુષંગિક હકીકતો ઉપરથી, જાણી શકાય છે. આ સમય એટલે સમ્રાટ અકબરના પ્રતિખાધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના વિ. સં. ૧૯૫૨ સુધીના સમય. અને તે પછી મેાગલ શહેનશાહે। અકબર, જહાંગીર, શાહજહાં, મેારાધ્યક્ષ તથા ઔરગઝેબ એમ પાંચે ખાદ્શાહેાના શાસન દરમ્યાન, રાજશાસન ઉપર અસાધારણ પ્રભાવ અને વગ ધરાવનાર, નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કાર્યકાળ. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તથા એના યાત્રિકાનાં જાન-માલના રક્ષણ માટેનેા, પાલીતાણા રાજ્ય સાથેના, રખાપાના સૌથી પહેલે કરાર અમદાવાદના સ`ઘના પ્રભાવશાળી મુખ્ય અગ્રણી નગરશેઠ શાંતિદાસ ઝવેરી તથા રતન અને સૂરા નામના આસવાલ ભાઈઓના નામથી, વિ. સં. ૧૭૦૭ માં, અમદાવાદમાં જ થયા હતા, એ જ બતાવે છે કે, અમદાવાદના શ્રીસંઘના તથા ખાસ કરીને એ નગરશ્રેષ્ઠીશ્રીના હૈયે એ તીર્થનું તથા યાત્રિકાનું હિત સાચવવાની ચિંતા અને ધગશ કેટલી બધી ઊંડી હતી ! Page #18 -------------------------------------------------------------------------- ________________ ท તેથી જ શ્રી શત્રુંજય તીર્થની સાથે તથા એના યાત્રિકાની સાચવણીના ઇતિહાસ સાથે નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું નામ ડગલે ને પગલે સ`કળાયેલું જોવા મળે એમાં શી નવાઈ? આ અંગે વિશેષ નોંધપાત્ર અને હર્ષોં તથા ગૌરવ ઉપાવે એવી હકીકત તા એ છે કે, શ્રી શત્રુ...જય મહાતીર્થના વહીવટ ઉમદા રીતે ચલાવવાની નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ, અમદાવાદ શ્રીસ ધના ધર્મભાવનાશીલ અગ્રણીઓને સાથ-સહકાર મેળવીને, સ્થાપેલી આ પરપરા, એમના ઉત્તરાધિકારી નગરશેઠે તથા અન્ય પ્રતાપી અને ધર્મની ધગશવાળા મહાપુરુષોએ, દસ દસ પેઢી સુધી, અખંડપણે સાચવી રાખી છે, એટલું જ નહીં, સમયના વહેવા સાથે, શેઠે આણુંદજી કલ્યાણજીની પેઢીના ઉત્તરાત્તર વિસ્તૃત થતા રહેલા વહીવટને પણ ખૂબ બાહેાશી અને સફળતાપૂર્ણાંક સંભાળી જાણ્યા છે. તીર્થરક્ષા, ધર્મ શ્રદ્ધા, રાજ્યમાન્યતા તથા પ્રજામાન્યતાની પર ́પરા એકધારી દસ દસ પેઢી સુધી સચવાતી રહી હાય એવા દાખલા મળવા બહુ મુશ્કેલ છે. વર્તમાન સમયમાં આ પરંપરાની સાચવણી કરીને એને વિશેષ ઊજળી કરી જનાર પુણ્યશાળી અગ્રણી તે સ્વસ્થ શ્રેષ્ટિવ` કસ્તૂરભાઈ લાલભાઈ. વર્તમાન ટ્રસ્ટી મ`ડળની કાર્યનિષ્ઠા શેઠશ્રી કસ્તૂરભાઈની હયાતીમાં જ, વિ. સ. ૨૦૩૨ ની સાલમાં, તેઓ પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થયા ત્યારે જ, શ્રીસંધે એમના અનુગામી તરીકે પેઢીના પ્રમુખપદની માટી જવાબદારી તેના ઉદ્યોગનિષ્ણાત સુપુત્ર શેઠશ્રી શ્રેણિકભાઈને સાંપી હતી. આ અનેકમુખી અને અટપટી જવાબદારીને સફળ રીતે પાર પાડવામાં શેઠશ્રી શ્રેણિકભાઈ તન-મન-ધનથી જે જહેમત ઉઠાવી રહ્યા છે તથા સમયને ભાગ આપે છે અને એમાં એમના સાથીઓ એટલે કે પેઢીનું ટ્રસ્ટી મંડળ અર્થાત્ પેઢીના વહીવટદાર પ્રતિનિધિ, શ્રેષ્ઠી મહાનુભાવેા, એક ધ્યેયલક્ષી જૂથની જેમ, નિષ્ઠાપૂર્ણાંક જે સાથ, સહકાર અને દરેક રીતને ભેગ આપે છે, તે જોઈને મન ખૂબ ઠરે છે અને પ્રસન્નતા અનુભવે છે. નગરશેઠ શાંતિદ્યાસ ઝવેરીની છમી પેઢીના દફ્તરમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીની એક રંગીન અને એના ઉપરથી ફાટાગ્રાફીથી પાડેલ એકર’ગી ( બ્લેક એન્ડ વ્હાઈટ) છઞી સચવાયેલી છે. આ ખીમાં નગરશેઠ શાંતિદાસના ગુરુ શ્રી રાજસાગરસૂરિજીને ઊંચે આસને બેઠેલા અને શ્રી શાંતિદાસ ઝવેરીને, એમની સામે હાથ જોડીને, નીચે બેઠેલા ચીતરવામાં આવ્યા છે. અને એમાં આળખ માટે “શ્રી રાયસાગરસૂરિ” અને “શ્રી સાંન્તીદાસ” એવું લખાણુ મૂકવામાં આવ્યું છે. આ ચિત્રને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. નીચેના ભાગમાં ગુરુ અને શિષ્યનાં ચિત્રા આપવામાં આવ્યાં છે અને ઉપરના ભાગમાં શિખર જેવું ચિતરામણુ કરીને ઉપર ફરકતી ધજા તથા સૂર્ય અને ચંદ્ર દારવામાં આવ્યાં છે. પણ આ પુસ્તકમાં તે માત્ર ગુરુ અને શિષ્યનાં ચિત્રાવાળા નીચેના ભાગ જ આપવામાં આવ્યા છે. આ છમ્મી એક કલ્પિત છખી છે, એ દેખીતુ છે; આમ છતાં આ અંગે તપાસ કરતાં એટલું જાણી શકાયું છે કે, આ છક્ષ્મી એક બીજી ખીના આધારે ચીતરવામાં આવી છે, એની વિગત આ પ્રમાણે છે— આ ક્ખી જોઈને મને આવી ક્ષ્મી સ્વનામધન્ય સાક્ષરરત્ન શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ લખેલ “ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ” નામે પ્રથમણિમાં કયાંક જોઈ હાવાનું યાદ આવ્યું. Page #19 -------------------------------------------------------------------------- ________________ અને આ ગ્રંથમાં તપાસ કરતાં, એના ૫૬૮ મા પાનાની સામે આ છબી છપાયેલી જોવામાં આવી; સાથે સાથે આ ગ્રંથમાં આપવામાં આવેલ સખ્યાબંધ ચિત્રાની વિગતે માહિતી આપતા, ગ્રંથની શરૂઆતમાં આપવામાં આવેલ ચિત્ર-પરિચય ’” વિભાગના પૃ૦ ૧૨૭ માં આ ચિત્રના પરિચય આ પ્રમાણે આપવામાં આવેલ છે “ આ ચિત્ર ‘ગુજરાતનું પાટનગર' એ પુસ્તકના પૃ. ૬૦૧ સામે પ્રથમ પ્રગટ થયું છે ને ત્યાં જણાવ્યું છે કે ‘ આ ચિત્ર નગરશેઠના વ'શજોની દેખરેખમાં ચાલતા એક અપાસરામાં થાંભલા ઉપર જડેલું છે. ચિત્ર ઓછામાં ઓછું બસે વર્ષનું જૂનું દેખાય છે. કોઈ જૂના ચિત્રની નકલ હાય એમ લાગે છે. રંગ હજી પણ સારો રહેલા છે. હાંડીઓ વગેરે સામગ્રી પણ સારી ચીતરેલી છે. આ ચિત્ર રંગમાં મેટું કરવા જેવું છે, ' ’ જે ગ્રંથમાં, પૃ. ૬૦૧ ની સામે) ઉપરની નેધ સાથે આ ચિત્ર પહેલવહેલું પાયું હતું, એ ( ગ્રંથનું પૂરું નામ “ ગૂજરાતનું પાટનગર અમદાવાદ ” એ પ્રમાણે છે. એના વિદ્વાન લેખક છે. શ્રો રત્નણિરાવ ભીમરાવ ખી. એ.; અને એ ગ્રંથ અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા તરફથી, ૫૪ વર્ષ પહેલાં–ઈસ્વીસન ૧૯૨૯ માં-પ્રગટ થયા હતા. સને ૧૯૨૮ માં પ્રગટ થયેલ ગ્રંથમાં જ્યારે આ ચિત્ર બસે, વર્ષ જૂનું હેાવાનુ` કહેવામાં આવ્યું છે, ત્યારે અત્યારે તા એ અઢીસા વર્ષી કરતાંય વધુ જૂનુ થયું કહેવાય. વળી આ ચિત્ર માટે, ઉપરની નોંધમાં જણાવ્યા પ્રમાણે, “ધાઈ જૂના ચિત્રની નકલ હેાય એમ લાગે છે” એમ કહેવામાં આવ્યું છે, એને અં એ જૂના ચિત્રને સમય, લગભગ વિ. સ. ૧૭૧૫ માં સ્વર્ગીવાસ પામેલ નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને વિ. સ. ૧૭૨૧ માં કાળધર્મ પામેલ આચાર્યશ્રી રાજસાગરસૂરિજીની હયાતીના સમયને સ્પશી જાય છે. પણ આ જૂના ચિત્ર સંબધી કે એને લગતી આધારભૂત માહિતી ખીજે કયાંકથી મળી ન આવે ત્યાં સુધી આમાં વાસ્તવિક સ્થિતિ કે તથ્ય શું હશે તે નિશ્ચિત રૂપે કહેવું તા દૂર રહ્યું, પણ એનું અનુમાન કરવું પણ શકય નથી લાગતું, એટલે આ અંગે જે કઈ વિચારણા કરી શકાય એમ છે, તે અત્યારે આપણી સામે વિદ્યમાન ચિત્રને ધ્યાનમાં રાખીને જ કરવી ઉચિત છે. “ ગૂજરાતનું પાટનગર અમદાવાદ” ગ્રંથમાં આ ચિત્ર અંગ ઉપર પ્રમાણે નોંધ વાંચ્યા પછી એ ઉપાશ્રય અને એ ચિત્ર સબંધી તપાસ કરતાં, ઝવેરીવાડમાં વાધણુપાળમાં, અત્યારે જ્યાં આયખિલ શાળા ચાલે છે, તે ઉપાશ્રય ઉપર–એની બહારની દીવાલ ઉપર-એક આરસની તકતી લગાવેલી અત્યારે પણ મેાજૂદ છે, અને એમાં “ શ્રી સાગરગથ્થુ ઉપાશ્રય અમદાવાદ ” એવું લખાણ મૂકેલ છે. અને નગરશેઠના વંશજો સાગરગચ્છની શ્રદ્દા ધરાવતા હતા, એટલે એમની દેખરેખ નીચે ચાલતા ઉપાશ્રય આ જ હતા એ નિશ્ચિત છે. ૩૧ વર્ષ પહેલાં તા. ૧૭–૪–૧૯૫૨ ના રાજ ), આ ઉપાશ્રયના વહીવટ સંભાળતી નગરશેઠના વશજોની કમીટીએ ઠરાવ કરીને, આ ઉપાશ્રયનુ` મકાન આયખિલ શાળાને માટે ભેટ આપી દીધું હતું; એટલે તે પછી આ મકાનમાં, આયંબિલ શાળાને અનુરૂપ ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મકાનમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીના આ ચિત્રની તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ ચિત્રની ખરાખર સાચવણી થાય એ માટે એને થાંભલા ઉપરથી કાઢી લઈને મફાનની પાછલી દીવાલ ઉપર Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ચેડી દેવામાં આવ્યું છે, એટલું જ નહીં, એના ઉપર રંગ કરાવીને એને નવા જેવું અને વધુ ચમકદાર પણ બનાવવામાં આવ્યું છે. અને આ રીતે આ ચિત્રને રંગીન બનાવતી વખતે ગુરુ-શિષ્યના નામમાં પણ થોડો ફેરફાર કરવામાં આવ્યા છે, જેમ કે મૂળ ચિત્રમાં ગુરુનું નામ “શ્રી રાયસાગર” લખ્યું હતું તે “શ્રી રાજસાગર' અને શિષ્યનું નામ “શેઠ સાંત્વીદાસ” લખ્યું હતું તે “શેઠ, શાંતિદાસ” લખવામાં આવેલ છે. આ ફેરફારને ધ્યાનમાં લેતાં “ગુજરાતનું પાટનગર અમદાવાદ” પુસ્તકમાં છપાયેલ ચિત્ર તથા પેઢી પાસેનું ચિત્ર આ ફેરફાર કે સુધારા પહેલાંના અસલ ચિત્રને વધુ મળતું આવે છે,. એમ. સ્પષ્ટ લાગે છે. સ્થાનફેર અને રંગફેર કરવામાં આવેલ આયંબિલ શાળામાંના આ ચિત્ર સંબંધી માહિતી આ પ્રમાણે આપવામાં આવેલ છે: “પૂજ્યપાદ આચાર્ય દેવ ૧૦૦૮ શ્રીમદ રાજસાગર સૂરીશ્વર કરતા શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ શેષાકિરણ. અસલ પ્રતિકૃતિ સાગરગચ્છના જુના ઉપાશ્રયના એક કાષ્ટસ્તંભમાંથી ઉદ્દત.” જન્મસંવતવાળી છબી નગરશેઠ શાંતિદાસ ઝવેરીનો જન્મ કયા વર્ષમાં થયું હતું એને સ્પષ્ટ કે ચોક્કસ ઉલ્લેખ ક્યાંય મળતું નથી. આમ છતાં, આયંબિલ શાળામાં ગુરુ-શિષ્યની આ છબીવાળી દીવાલ ઉપર, તકિયાને અઢેલીને મોટી ગાદી ઉપર બેઠેલી, શ્રેષ્ઠીને શોભે એવાં વસ્ત્રો અને આભૂષણોથી પ્રભાવશાળી લાગતી અને બે હાથ જોડેલી શ્રી શાંતિદાસ શેઠની મોટી આકર્ષક છબી ચીતરવામાં આવી છે. આ છબીની ખાસ નોંધપાત્ર વિશેષતા એ છે કે, એમાં “જન્મસંવત ૧૬૪૫” એમ સ્પષ્ટ રૂપે એમની જન્મસાલ નોંધવામાં આવી છે. આ નેધ શા આધારે કરવામાં આવી છે, તે શોધવાનું રહે છે. કેમ કે પરમપૂજ્ય આચાર્ય મહારાજ (તે વખતે મુનિ) શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈએ સંશોધિત કરેલ અને વિ. સં. ૧૯૬૯ માં પ્રગટ થયેલ “જૈન ઐતિહાસિક રાસમાળા” ભાગ ૧ માં આપવામાં આવેલ રાસોને સારમાં (પૃ. ૮) સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, “તેમને જન્મ ક્યારે થયે, માતાનું નામ શું હતું તે હમણાં તે અજ્ઞાત છે.” આમ છતાં એમને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયું હતું એવી કલ્પના કરવાનું મન થાય એવા બે આધારે મળે છે, તેને પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ, જે આ પ્રમાણે છે– (૧) ભાવનગરથી પ્રગટ થતા “જૈન” સાપ્તાહિકના સને ૧૯૪૧ ના ભેટપુસ્તક તરીકે પ્રગટ થયેલ અને શ્રીયુત ડુંગરશી ધરમશી સંપટે લખેલ “પ્રતાપી પૂર્વજો” પુષ્પ બીજું નામે પુસ્તકમાં આપવામાં આવેલ શાંતિદાસ ઝવેરીના પરિચયને અંતે (પૃ. ૪૦માં) નોંધવામાં આવ્યું છે કે, “શેઠ શાંતિદાસને સને ૧૬૫૯ (સંવત ૧૭૧૫) માં સ્વર્ગવાસ થયો હતો. આ વખતે શાંતિદાસની વય ૭૦ વરસ લગભગ હેવી જોઈએ.” (૨) આ પુસ્તકથી છ વર્ષ અગાઉ, સને ૧૯૩૫ માં, પ્રગટ થયેલ અને વિખ્યાત ઈતિહાસવિદ્દ પ્રોફેસર એમ. એસ. કમસેરિયટે લખેલ “ Studies in the history of Gujarat” નામે પુસ્તકમાં નગરશેઠ શાંતિદાસ ઝવેરીને પૃ. ૫૩ થી ૭૮ સુધી ૨૫ પૃષ્ઠોમાં સવિસ્તર પરિચય આપ્યો છે; એમાં એમના Page #21 -------------------------------------------------------------------------- ________________ જન્મના વર્ષ અંગે અનુમાન કરતાં (પૃ. ૫૩ માં) એમણે લખ્યું છે કે, “ Shantidas was probably born during the last dacade or two of the reign of Akbar.” (અર્થાત “ શાંતિદાસનો જન્મ, ઘણે ભાગે, અકબરના રાજ્યના છેલ્લા બે દાયકા દરમ્યાન થયે હતે.”) બાદશાહ અકબરના રાજ્યશાસનને સમય સને ૧૫૫૬ થી ૧૬૦૫ એટલે કે વિ. સં. ૧૬૧૨ થી ૧૬૬૧ સુધીને હતા. એટલે એના છેલ્લા બે દાયકા વિ. સં. ૧૬૪૧ થી ૧૬૬૧ ના ગણાય, જે દરમ્યાન શેઠ શાંતિદાસનો જન્મ થયો હેવાનું છે. કેમિસેરિયટે અનુમાન કર્યું છે. આ બન્ને પુસ્તકના ઉપર્યુક્ત ઉલલેખ ભલે શાંતિદાસ શેઠને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયાનું સ્પષ્ટરૂપે જર્ણવતા ન હોય, આમ છતાં એ એમને જન્મ વિ. સં. ૧૬૪૫ માં થયો છે કલ્પના કે એવા અનુમાનનું, આનુષંગિક પુરાવારૂપે, આડકતરું સમર્થન કરે છે, એટલું તે સ્વીકારવું જ જોઈએ. મતલબ કે, શાંતિદાસ શેઠને જન્મ વિ. સં. ૧૬૪૫ થયું હતું એ જે ઉલેખ, આયંબિલ શાળામાંની એમની છબી ઉપર કરવામાં આવેલ છે, એને સાવ નિરાધાર કે કેવળ નરી ક૯પનારૂપ માની લેવાની જરૂર નથી. નગરશેઠ શાંતિદાસ ઝવેરીની આ છબીનું તથા એમની જન્મસંવતનું ઐતિહાસિક મહત્વ હેવાથી એ સંબંધી આટલી વિગતે અહીં રજૂઆત કરી છે. આ ગ્રંથમાં આપવામાં આવેલ છબીઓ પેઢીના જંગી દફતરમાં જૂનામાં જૂના જે દસ્તાવેજ છે, તે છે મેગલ શહેનશાહએ, જગદ્ગુરુ હીરવિજયસૂરિજી વગેરેને તથા નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને આપેલાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજય વગેરેની માલિકીના હક્કો જેન સંધને અર્પણ કર્યા સંબંધીનાં બાદશાહી ફરમાને. અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ ઓછામાં ઓછું અઢી વર્ષ (વિ. સં. ૧૭૮૭) કરતાંય વધુ જૂનું છે, એને લેખિત પુરા શ્રી શત્રુંજય મહાતીર્થને ચેપડામાંથી જ મળે છે. આવી બધી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી દસ્તાવેજી સામગ્રી પણ પેઢી પાસે સારા પ્રમાણમાં વિદ્યમાન અને સારી રીતે સચવાયેલી હેવાથી, એમાંના કેટલાય દસ્તાવેજોની છબીઓ આ ગ્રંથમાં આપવાની લાલચ મને થઈ આવે એ સ્વાભાવિક હતું. પણ આ લાલચને જે નિયંત્રણમાં ન રાખું તે, આમાં શેની છબી આપવી અને શેની ન આપવી એની વિમાસણમાં જ મારે અટવાઈ જવું પડે; અને આવી સામગ્રીની છબીઓની મર્યાદા જ રહેવા ન પામે. આવું બનવા ન પામે એટલા માટે, ઉપર જેની વિગત વિસ્તારથી આપી છે તે, નગરશેઠ શાંતિદાસ ઝવેરીની છબી આપવા ઉપરાંત, આ ગ્રંથમાં બહુ જ અગત્યના લાગ્યા, એવા થોડાક દસ્તાવેજોની, ત્રણ શિલાલેખેની, તથા કેટલીક ઇમારતેની છબીઓ આપીને જ મેં સંતોષ માન્યો છે. આમાં રખોપાના કયા કયા કરારની છબીઓને સમાવેશ થાય છે. તેની વિગત અગાઉ (પૃ. ૧૨ માં) અપાઈ ગઈ છે. આ રીતે આ ગ્રંથમાં કુલ ૨૬ છબીઓ આપવામાં આવી છે; અને એની યાદી આ ગ્રંથના અનુક્રમને અંતે આપવામાં આવી છે. આ છબીઓમાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની ચાર સુંદર છબીઓ આપવામાં આવેલ છે; અને Page #22 -------------------------------------------------------------------------- ________________ તે રાજસ્થાન સાદડીના સિદ્ધહસ્ત તસ્વીરકાર શ્રીયુત કાંતિલાલભાઈ રાંકાએ બેએક વર્ષ પહેલાં લીધેલ છે. આ માટે હું ભાઈશ્રી કાંતિલાલ રાંકાને આભાર માનું છું. બાદશાહી ફરમાને મોગલ સલ્તનતના શહેનશાહેઓ શ્રી શત્રુંજ્ય મહાતીર્થ વગેરે તીર્થભૂમિઓ વગેરેને લગતા માલિકી હક્કો જેન સંઘને અર્પણ કર્યા સંબંધી આપેલ ફરમાનેની કાયદાની દૃષ્ટિએ વ્યવહારુ કહી શકાય એવી ઉપયોગિતા અત્યારે ભલે રહેવા પામી ન હોય, પણ એ જૈન સંઘના ત્યાગીવૈરાગીસંયમી તથા જ્ઞાન-ક્રિયાવંત શ્રમણ સંતેના તેમ જ પ્રો ઉપર તથા રાજ્યશાસન ઉપર પ્રભાવ ધરાવતા જૈન સંઘના કેટલાક વગદાર અગ્રણીઓનાં પ્રતાપ અને ગૌરવના તેમ જ જૈન પરંપરાના યશેજજ્વલ ઈતિહાસના બોલતા પુરાવારૂપ કે ચિરંજીવી કીર્તિગાથારૂપ છે; અને, સંજોગવશાત , તે કાળમાં એને અમલ થાય તે જોવાની અને તે પછી એની સાચવણી કરવાની જવાબદારીભરી કામગીરી પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના જ શિરે આવી હતી. એટલે આવાં ફરમાનેની છબીઓ તથા એનાં ભાષાંતરો સાથેની મહત્વની માહિતી આ ગ્રંથમાં આપવામાં આવે એ જરૂરી લાગવાથી, એ બધી સામગ્રી આ ગ્રંથના બીજા ભાગમાં આપવામાં આવનાર “શ્રી શત્રુંજય તીર્થ સંબંધી બાદશાહી ફરમાને” નામે તેરમા પ્રકરણમાં, એની છબીઓ સાથે, આપવામાં આવનાર છે. મારા પ્રત્યે પેઢીની અસાધારણ ઉદારતા આવા ઐતિહાસિક વિષયને ન્યાય આપવાની મારી આવડત, સૂઝ અને શક્તિ બહુ જ મર્યાતિ–-લગભગ નહીં જેવી કહી શકાય એટલી ઓછી-છે; તેથી મારા માટે તે, આ કાર્ય ઝાઝા હાથ રળિયામણા થાય તે જ થઈ શકે એવું મોટું પુરવાર થયું છે; અને આવી જરૂરી સહાય તો મને ટુકડે ટુકડે અને થોડી થોડી જ મળતી રહી છે; આ કાર્યમાં આટલે બધે વિલંબ થયો અને છતાં હજીય એ પૂરું થઈ નથી શકયું, એનું મુખ્ય કારણ આ જ છે, અને એની મોટા ભાગની જવાબદારી પણ મારી પિતાની જ છે એ મારે કબૂલ કરવું જોઈએ. વળી આમ થવામાં ઉંમરના વધવાની સાથે ઘટતી જતી મારી કાર્યશક્તિને પણ ફાળે છે, એ પણ એટલું જ સાચું છે. આ કાર્યમાં આશરે નવ વર્ષ જેટલે વિલંબ થવા છતાં, પેઢીના સ્વર્ગસ્થ પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ, વર્તમાન પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કે પેઢીના માન્યવર વહીવટદાર પ્રતિનિધિ (ટ્રસ્ટી) સાહેબ દ્વારા મારા કામને ક્યારેય હિસાબ માગવામાં નથી આવ્યું, એટલું જ નહીં, મને મારી રીતે કામ કરવાની પૂરેપૂરી મોકળાશ પણ આપવામાં આવી છે; તેઓની આ અસાધારણ ઉદારતા આગળ મારું મસ્તક ઝુકી જાય છે. આ માટે હું મારા અંતરની ઉપકારવશતાની લાગણીને કેવા શબ્દોમાં વ્યક્ત કરી શકું, એ જ મને સમજાતું નથી–જાણે આ માટે લાગણીસભર શબ્દો પણ ઓછા પડતા હોય એમ જ લાગે છે. વળી મને ક્યારેક ક્યારેક એવી લાગણી પણ થઈ આવે છે કે, પેઢીના સંચાલકોએ મારામાં મૂકેલ પૂર્ણ વિશ્વાસને ન્યાય આપવામાં ઊણું ઊતરવાને દોષ તે હું નથી વહોરી બેઠો ને ? આવી છે કઈ ભૂલ મારાથી જાણતાં-અજાણતાં થઈ હોય એ માટે પરમાત્મા મને ક્ષમા કરે એવી હું અંતઃકરણથી પ્રાર્થના કરું છું. આ વિશ્વાસ સંપાદન કરે અને મોકળે મને કામ કરવાની પૂરેપૂરી છૂટ મળવી, એને હું મારું મોટું સદ્ભાગ્ય અને ઈષ્ટદેવને મહાન અનુગ્રહ લેખું છું. વળી પેઢીના નિવૃત્ત મેનેજર સ્વર્ગસ્થ શ્રીયુત શિવલાલભાઈ શાહ, અત્યારના જનરલ મેનેજર Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીયુત બાપાલાલભાઈ ઠાકર, મેનેજર શ્રીયુત જે. કે. પંડયા તથા પેઢીના રેકર્ડ ખાતાના ભૂતપૂર્વ તથા વર્તમાન કર્મચારી ભાઈઓ કે જેઓ મને હમેશાં માગી સહાય આપતા રહ્યા છે, તેમ જ પેઢીના નાનામોટા બધા કર્મચારી ભાઈઓ મારા તરફ જે ભલી લાગણી દર્શાવતા રહે છે, એને હું ક્યારેય વીસરી નહીં શકે. પેઢીના આ બધા કર્મચારી મિત્રો પ્રત્યે હું મારી કૃતજ્ઞતાની ઊંડી લાગણી દર્શાવું છું. અહીં મારે એ વાતને પણ સહર્ષ સ્વીકાર કરવો જોઈએ કે, પેઢીને ઇતિહાસ લખવાની કામગીરી નિમિત્તે પેઢીમાં વીતેલાં મારાં આ બધાં વર્ષ એક આનંદ, ઉલ્લાસ અને આત્મીયતાના સમય તરીકે મારા માટે યાદગાર બની રહેશે. મને, મારી પાછલી જિંદગીમાં, આ ઉત્તમ લાભ મળ્યો અને હું મારી વિશેષ ખુશનસીબી લેખું છું. આભાર-નિવેદન મેં અગાઉ કહ્યું તેમ, ઇતિહાસના વિદ્વાનેથી જ થઈ શકે એવા આ કાર્ય માટેની મારી આવડત, શક્તિ અને સૂઝ નહીં જેવી જ છે; આમ છતાં એક બાબતમાં હું ભાગ્યશાળી છું: જુદા જુદા વિષયના નિષ્ણાત કહી શકાય એવા વિદ્વાને તથા પંડિત પુરુષની સદ્ભાવના અને કૃપાદષ્ટિ હું એટલી હદે મેળવી શકો છું કે, મારી શંકાઓનું સમાધાન કે મને જોઈતી માહિતી મેળવવા માટે, એમનાં દ્વાર અને હૃદય, મારા માટે, સદાને માટે ખુલેલાં જ હોય છે. એટલે શાસ્ત્રીય, ઐતિહાસિક કે બીજી અટપટી શંકાઓનું સમાધાન તથા મારે જરૂરી માહિતી કે શાસ્ત્રપાઠ સત્વર આપીને તેઓ મને સનેહભાવે અને આત્મીયભાવે મારા કામમાં હમેશાં સહાય કરતા રહ્યા છે. આવા વિદ્વાને તે અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિવૃત્ત ડાયરેકટર અને મારા મિત્ર પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા વર્તમાન ડાયરેકટર અને મારા આત્મીય જન ડે. નગીનદાસ જે. શાહ; આગમ-સંશોધનનિપુણ પંડિત શ્રી અમૃતલાલભાઈ ભેજક; શ્રી લક્ષમણભાઈ ભેજક; ભે. જે. અધ્યયન-સંશાધનવિભાગના ડાયરેકટર ર્ડો. પ્રવીણભાઈ પરીખ વગેરે. ટૂંકમાં કહેવું હોય તે, મારે એ કબૂલ કરવું જોઈએ કે, “પૂછતાં નર પંડિતા” એ લેકેક્તિ પ્રમાણે, આવા આવા વિદ્વાન અને પંડિતને પૂછી પૂછીને હું પંડિત તે નથી જ બની શકયો, પણ એથી મારું આ ગ્રંથલેખનનું કે આવું બીજું માથે લીધેલું કાર્ય આગળ વધારી શક્યો છું અને ગ્રંથની સામગ્રીને વધુ સમૃદ્ધ કરી શક્યો છું. આ પણ કંઈ સારસ્વત મિત્રોની મૈત્રીથી મને મળેલ જે તે લાભ ન ગણી શકાય. મને આવી ઉદાર અને સહદય સહાય આપવા માટે હું આ બધા વિદ્વાને તથા પંડિત મહાનુભાવોને અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યની જવાબદારી મેં લીધી તે પછી કેટલાક વખત બાદ ડે. કનુભાઈ વી. શેઠે અને તેઓના પછી અધ્યાપક ડે. વસંતભાઈ બી. દવેએ આ કાર્યમાં મારા સહાયક તરીકે, જૂના દસ્તાવેજો વગેરે સામગ્રી ઉકેલીને એ ઉપરથી ને તૈયાર કરવામાં, મને જે મદદ કરી છે તેનું, આ પ્રસંગે, હું કતાભાવે સ્મરણ કરું છું. આ બે વિદ્વાન મિત્રોની સહાય મળવી બંધ થઈ તે પછી મારી પુત્રી ચિ. માલતીએ, આશરે બે વર્ષ લગી, મારા કાર્યમાં મને જુદી જુદી રીતે જે સહાય કરી હતી, તેથી આ કાર્યની મુશ્કેલ મજલ કાપવામાં મને ઠીક ઠીક સરળતાને અનુભવ થયે હતા, એટલું જણાવવાની રજા લઉં છું. પૂ. મુનિવરને ઉપકાર શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને હૈયે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું હિત હમેશને માટે પૂરેપૂરું વસેલું હતું અને એમના કાર્યકાળમાં તેઓ પેઢીના Page #24 -------------------------------------------------------------------------- ________________ એક દીર્ધદશી, શાણા અને પ્રભાવશાળી માર્ગદર્શકનું આદરભર્યું સ્થાન ધરાવતા હતા અને પેઢીની નાની-મોટી બધી પ્રવૃત્તિઓથી પૂરેપૂરા માહિતગાર રહેતા હતા. તેઓશ્રીની શિષ્ય પરંપરામાં, અત્યારે પાંચમી પાટે વિદ્યમાન, પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ પણ પેઢી પ્રત્યે એવી જ મમતાની લાગણી ધરાવે છે. એટલે, આવી લાગણીથી દોરવાઈને, તેઓ મારા આ કાર્યમાં જીવતે રસ લેતા રહ્યા છે અને આ કામ ઉત્તમ પ્રકારનું થાય એ માટે તેઓ મને ઉપયોગી સૂચનાએ, સામગ્રી અને સહાય ઉમંગપૂર્વક આપતા રહ્યા છે અને મને મારા કાર્યમાં હમેશાં સાગ રાખતા રહ્યા છે. વળી, મારી વિનતિથી, આ આખા ગ્રંથને વાંચી જવાનું કષ્ટ ઉઠાવીને, એનું ગુજરાતી શુદ્ધિપત્રક પણ તેઓશ્રીએ જ તૈયાર કરી આપ્યું છે. મારા કાર્યમાં આટલી બધી ઊલટભરી સહાય, સાવ સહજભાવે આપવા માટે હું તેઓશ્રીને ખૂબ ખૂબ ઉપકાર માનું છું. શબ્દસૂચિ અંગે આવા ગ્રંથમાં અનુક્રમ ઉપરાંત શબ્દસૂચિ આપી શકાય તે ગ્રંથને ઉપયોગ કરવાનું અને ખાસ કરીને, અમુક મુદ્દા સંબંધી તરત જ માહિતી મેળવવાનું કામ ઘણું સહેલું બની જાય છે. એટલે આવા ગ્રંથને અંતે મોટે ભાગે શબ્દસચિ આપવાની પ્રણાલિકા પ્રચલિત છે. એટલે જ આ ગ્રંથને અંતે શબ્દસૂચિ આપવી જ હશે તે તે બીજા ભાગને અંતે આપવાની રહેશે. પણ આ કામ ઘણે શ્રમ અને પૂરતો સમય માગી લે એવું છે, એટલે બીજા ભાગનું લેખન અને છાપકામ પૂરું થયા પછી, મારામાં એટલી કૃતિ હશે અને એ માટે યોગ્ય વ્યક્તિની સહાય મળી રહેશે, તે આ કાર્ય કરવાની મારી પૂરી ભાવના છે, એટલું જ હું અત્યારે તે કહી શકું એવી વસ્તુસ્થિતિ છે. દરમ્યાનમાં આ ગ્રંથને અનુક્રમ એટલા વિસ્તારથી આપ્યો છે કે જેના આધારે ગ્રંથના વિષયોને સવિસ્તર ખ્યાલ સહેલાઈથી મળી શકશે. ઋણ સ્વીકાર આ ગ્રંથનું સ્વચ્છ અને સુઘડ છાપકામ શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ કરી આપ્યું છે. એની છબીઓનું છાપકામ વિનય પ્રિન્ટીંગ પ્રેસે કરી આપ્યું છે. અને આ ગ્રંથનું બાઈડિંગ સુપ્રીમ બાઈન્ડીંગ વકસે કરી આપ્યું છે. એ બધાના ઋણને હું સ્વીકાર કરું છું. ઉપસંહાર અંતમાં હું ઈચ્છું છું અને આશા રાખું છું કે, જૈનધર્મના પ્રાણુરૂપ તથા અમૂલ્ય સાંસ્કૃતિક વારસારૂપ તીર્થાધિરાજ શત્રજય વગેરે તીર્થભૂ મિઓ અને અન્ય જિનાલયેની સાચવણી માટે, પૂરી આસ્થા, શ્રદ્ધા અને ભક્તિથી કામગીરી બજાવનાર નગરશેઠ શાંતિદાસ ઝવેરી, એમની વંશપરંપરામાં થયેલા નગરશ્રેષ્ઠીઓ તથા અન્ય પ્રભાવશાળી મહાનુભાવ, તેમ જ સમસ્ત જૈન સંધના બીજ ધર્મભાવનાશીલ, વગદાર અને પ્રતાપી આગેવાની ધર્મરક્ષા, તીર્થરક્ષા અને શાસનપ્રભાવનાની કામગીરીની જે અલ્પ-સ્વ૮૫ માહિતી આ ગ્રંથમાં રજ થઈ શકી છે, તે આપણું શ્રીસંધની અત્યારે વિદ્યમાન જૂની પેઢી તથા આપણી ઊછરતી પેઢીને ધર્મ, સંધ અને શાસનની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિની કામગીરીની મહત્તા, ઉપયોગિતા અને ઉપકારકતા સમજાવવાનું અને એમને એ માટે પ્રેરણા આપવાનું એક નમ્ર નિમિત્ત બને ? આને જ હું મારા આ અદના પ્રયત્નની સફળતા લેખું છું; અને એ માટે હું પરમ કપાળુ પરમાત્માને મન-વચન-કાયાથી પ્રાર્થના કરી મારું આ કથન પૂરું કરું છું. ૬, અમૂલ સેસાયટીઅમદાવાદ-૭; તા. ૨૬–૧–૧૯૮૩ : પ્રજાસત્તાક રાષ્ટ્રપવી. –રતિલાલ દીપચંદ દેસાઈ Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ (૧) અર્પણ . ... (૨) વર્તમાન ટ્રસ્ટી મંડળ .. (૩) સાંસ્કૃતિક વારસાના જતનને શેડોક ઈતિહાસ (પ્રકાશકીય નિવેદન) ... (૪) પ્રસ્તાવના (લેખકનું નિવેદન) યશના સાચા અધિકારી ૯; આ ગ્રંથ અંગે કંઈક ૧૦; પેઢીનું મોટું દફતર ૧૨; પાલીતાણું રાજ્યનું દફતર જોવાની જરૂર ૧૨; ૨પાના કરાર ૧૨; યાત્રા-બહિષ્કારનું પ્રકરણ ૧૩; વાચકોને અધિકાર ૧૪; નગરશેઠ શાંતિદાસ ઝવેરી વગેરેની સેવાઓ ૧૪; વર્તમાન ટ્રસ્ટી મંડળની કાર્યનિષ્ઠા ૧૫; નગરશેઠ શાંતિદાસ ઝવેરીની છબી ૧૫; જન્મસંવતવાળી છબી ૧૭; આ ગ્રંથમાં આપવામાં આવેલ છબીઓ ૧૮; બાદશાહી ફરમાને ૧૯; મારા પ્રત્યે પેઢીની અસાધારણ ઉદારતા ૧૯; આભાર નિવેદન ૨૦; પૂ. મુનિવરને ઉપકાર ૨૦; શબ્દસૂચિ અંગે ૨૧; ઋણસ્વીકાર ૨૧; ઉપસંહાર ૨૧. (૫) અનુક્રમ (૬) ખાસ વિનંતી (૭) કારણને ખુલાસો (૮) છબીઓની યાદી. ૩૦ ૧. ધમને મહિમા પાદ : (૧)* માનવભવની દુર્લભતા સૂચવતાં અવતરણે ૫; (૨) ઊચ્ચ કેટિના જ્ઞાનનાં સૂચક અવતરણે ૫; (૩-૪) ધર્મ સંબંધી સમજૂતિ પ; (૫) ધર્મમાં રહેલ અમૃતતવ ૬. ર. જૈનધર્મ ૭-૧૨ પાદનોંધ: (૧-૨) ધર્મને હેતુ મેક્ષ ૧૦; (૪) સમભાવનો મહિમા ૧૦; (૭) અહિંસાની વ્યાપકતા ૧૧; (૧૦) સંયમ, તપ, ત્યાગ વગેરે ૧૨. नमो तित्थस्स ૧૩૧૮ જંગમ તીર્થને મહિમા ૧૩; જંગમ અને સ્થાવર તીર્થોને ઉપકાર ૧૪; યાત્રાની વ્યાપક ભાવના ૧૪. પાદ : () તીર્થનો અર્થ ૧૬; (૪) તીર્થકરને મહિમા ૧૬; (૬) તીર્થયાત્રાનું ફળ ૧૭; (૭) તીર્થયાત્રા–એક ધર્મ કર્તવ્ય ૧૮, * આ અનુક્રમમાં આ પ્રમાણે કૌંસમાં મૂકેલા નંબરે જે તે પાદનોંધને નંબર સૂચવે છે. • ૨૯ ૩-૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા ૧૯-૪૭ નવાણું યાત્રાના મહિમા ૧૯; પુઉંડરીક ગણધરની નિર્વાણભૂમિ ૨૦; સે'કડા જિનમદિરા અને હારા જિનપ્રતિમા ૨૧; જાવડશાને ઉદ્ઘાર ૨૧; અગ-આગમામાં આ તીર્થના નામેાલેખ ૨૧; બાહડ મંત્રીના ઉદ્ધાર ૨૨; બૌદ્ધધર્મના કબજો ૨૨; એ ગચ્છના ઝઘડાથી તીર્થને નુકસાન થયાના કર્નલ ટોડના આક્ષેપના રદિયા ૨૩; સૌથી પ્રાચીન મૂર્તિ ૨૪; વસ્તુપાળના સ્વર્ગવાસ નિમિત્તે અનેલ સ્વર્ગારાહપ્રાસાદ ૨૪. ૫. ૨૪ પાદનોંધા : (૧) વિવિધ ગ્ર ંથામાં શત્રુંજયને મહિમા ૨૫; (૩) નવાણું યાત્રાના મહિમા ૨૬; (૪) શાશ્વત તીર્થ શત્રુ ંજય ૨૬; (૯) શત્રુંજયના યાત્રાવર્ણનને લગતા ગ્રંથા ૨૭; (૧૨) શત્રુંજય સંબધી કૃતિએ ૨૯; (૧૩) શત્રુંજયના પ્રાગૈતિહાસિક દ્દારાની યાદી ૩૨; (૧૪) ઇતિહાસ-યુગમાં થયેલ ચાર ઉદ્ઘારા ૩૨; (૧૫) જાવડશાના ઉદ્દારની કથા ૩૩; (૧૬-૨૦) શત્રુંજય સંબધી અ ́ગસૂત્રોના પાઠા ૩૮; (૨૬) બૌદ્ધોએ તીર્થના લીધેલા કબજો ૩૮; (૨૭) ‘“ પાલીતાણા ’’ નામ અંગે કેટલીક ખોટી કલ્પના અંગે ખુલાસા ૩૯; (૨૮) શત્રુંજય ઉપર પ્રાચીન અવશેષો નહીં મળવાનું કારણુ અને એના ખુલાસા ૪૦; (ર૯) વિ॰ સ૦ ૧૦૬૪ના શિલાલેખ ૪૨; (૩૧) વસ્તુપાળના સ્વર્ગવાસના સમય અને સ્વર્ગારાહણ પ્રાસાદ સબંધી વિવિધ મતાની વિચારણા ૪૨-૪૭, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ર) વહીવટ અને વિસ્તાર ૪૮૧૦૩ શ્રી શત્રુંજય પ્રત્યેની શ્રીસધની શ્રદ્ધા-ભક્તિ ૪૮; સાલકી યુગમાં શ્રી શત્રુંજય તીર્થના વહીવટ પાટણના સંધ સભાળતા હતા ૪૯; ધાળકા સ“ધ હસ્તક તીર્થના વહીવટ અંગે વિચારણા ૫૦; સમરાશાના પંદરમા ઉદ્ધાર ૫૦; યાત્રિકાને આપવા પડતા કર અને અરાજકતા ૫૩; કર્માશાહના સેાળમા ઉદ્દાર ૫૪; નગરશેઠ શાંતિદાસ ઝવેરીના પ્રભાવ તથા અમદાવાદના શ્રીસ ધ હસ્તક આવેલ શત્રુજયના વહીવટ ૫૫; રખાપાના પહેલા કરાર પ૬; કલ ટાડની એક માન્યતા અંગે ખુલાસા ૫૭; ત્રણ શહેરોનાં સંધાને સંયુક્ત વહીવટ ૫૮; નેાંધપાત્ર સમયની વિગત ૫૮; વહીવટની સ્થિરતાનુ પરિણામ ૬૦; નવ ટૂંકની રચનાની સાલવાર યાદી ૬૨; ભાતાની શરૂઆત ૬૨; એક વિશિષ્ટ ઠરાવ ૬૪; વિકાસના ત્રણ તબક્કા ૬૫; મૂર્તિ આનું ઉત્થાપન અને પુનઃસ્થાપન ૬૬; તીની કેટલીક મહત્ત્વની પ્રશસ્તિ ૬૭ થી ૭૨ : જેમ્સ ટેાડ ૬૭; એલેક્ઝાંડર કિન્લાક ફ્રાસ ૬૮; જેમ્સ ફર્ગ્યુસન ૬૮; જેમ્સ બર્જેસ ૬૯; હેન્રી કઝીન્સ ૭; મહાવિ ન્હાનાલાલ ૭૧; નાથુરામ પ્રેમજી ૭૨; કવિવર બેટાદકર ૭૨. પાદનોંધા : (૩) સિદ્ધરાજ જયસિંહની યાત્રા ૭૩; (૪) રાષિ` કુમારપાળે કરેલ યાત્રા ૭૪; (૫) બાહડ મંત્રીના ઉદ્દારની પ્રતિષ્ઠાની સંવત અંગે વિભિન્ન મતા ૭૪; (૬) બાહડ મંત્રીના ઉદ્દારની કથા ૭૫; (૭) સમરાશાના ઉદ્ધાર સબંધી કેટલીક વિગત ૭૯; (૮) તીના વહીવટ ધાળકાના સઘ હસ્તક (મહામ`ત્રી વસ્તુપાળ હસ્તક) હેાવાનુ` સૂચન કરતી એક કથા ૮૧; (૧૦) શત્રુંજયની યાત્રામાં યાત્રિકાને પડતી મુશ્કેલી ૮૩; (૧૧) શત્રુંજયના મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમાનું પરિકર નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ કરાવ્યા સંબંધી શિલાલેખા ૮૫; (૧૨) સાત દ્દારા સંબધી ખુલાસા ૮૭; (૧૬) નગરશેઠ શાંતિદાસ ઝવેરી તથા એમના ચિંતા Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મણિ પાર્શ્વનાથના દેરાસર સંબંધી પ્રશસ્તિઓ ૮૯; (૨૧) નગરશેઠ શ્રી હેમાભાઈએ કરાવેલ દાદાની પ્રતિમાને મુગટ ૯૫; (૨૨) તેજપાલ સોનીને જીર્ણોદ્ધાર ૯૫; (૨૪) બાબુનું જિનાલય-ધનવસહીની ટૂંક ૯૬; (૨૮) તલાટીમાં અપાતા ભાતા સંબંધી માહિતી ૯૮; (૩૦-૩૪) શત્રુંજ્યની પ્રશસ્તિઓ અંગેનું મૂળ અંગ્રેજી લખાણ ૯૯-૧૦૩. ૬, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા ૧૦૪-૧૨૦ પેઢીના નામની લોકપ્રિયતા ૧૦૪; દફતરની સાચવણી ૧૦૫; સૌથી જૂને પુરાવો ૧૦૬; વધુ પુરાવા ૧૦૭; એક સવાલ ૧૦૮; પાલીતાણાને વહીવટ કયા નામથી ચાલતું હતું ? ૧૦૮; પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીના નામની શરૂઆત ૧૯; તારણ ૧૧૦; બીજ નક્કર પુરાવા ૧૧૧; પાલીતાણા રાજ્યના દતરમાંથી મળતી માહિતી ૧૧૨. ' ' પાદોંધો: (૨) ગઢબળને એક પ્રસંગ ૧૧૪; (૬-૮) પેઢીના નામોલેખવાળું કેટલુંક નામું ૧૧૮; એક ભૂલસુધાર ૧૨૦. પર ૧૨૦. : ૭. પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૨૧-૧૫૨ જિનમંદિરે તથા તીર્થક્ષેત્ર ૧૨૨; જાત્રાળુઓની વ્યવસ્થા ૧૨૪; જીવદયાનાં કામ ૧૨૫; અર્થવ્યવસ્થા ૧૨૬; લોકોને વિશ્વાસ ૧૨૮; બીજા પ્રશ્નોને નિકાલ ૧૨૯; એક જાણવા જેવું “પ્રસંગ ૧૨૯; વકીલ રાખવાની પ્રથા ૧૩૦. પાદનોંધ:(૧) સમેતશિખરનું વેચાણખત ૧૩૨; (૨) જીર્ણોદ્ધાર ૧૩૩; (૩) નવા દેરાસર માટે સહાય ૧૩૪; (૫) નકરાનું ધોરણ ૧૩૬; બીજા કેટલાક દાખલા ૧૩૭; નકરે પાછા આપીને પ્રતિમા પાછાં લીધાને એક પ્રસંગ ૧૩૭; નકરા માટે અત્યારના નિયમ ૧૩૯; (૬) થોડાક જાણવા જેવા દાખલા ૧૪૦; (૭) ધર્મશાળાઓ તથા ભેજનશાળાઓ ૧૪૨; (૮) બીજ તીર્થોમાં - અપાતાં ભાતાં ૧૪૩; (૧૪) બાઈ મેનાનું વીલ ૧૪૪; (૧૫) દેશી ચુનીલાલ રખચંદનું વીલ ૧૪૪; (૧) પન્નાલાલજી સોનીનું વીલ ૧૪૫; પેઢીની વિશ્વસનીયતાને એક વધુ પુરા ૧૪૮; વિશ્વાસ મૂકી વિશ્વાસ જીતવાનો એક પ્રસંગ ૧૪૯; (૧૯) ધ્યાનમાં લેવા જેવા બે પ્રસંગે ૧૫૦; (૨૧) પાંચમી પાદધની પુરવણી ૧૫ર. ૮. પેઢીનું બંધારણ ૧૫૩-૧૮૪ બંધારણને યુગ ૧૫૪; બંધારણ તત્કાળ ઘડવાનું મુખ્ય કારણ ૧૫૪; ઠરાવ ૧૫૬; પહેલું બંધારણ ૧૫૬; પેઢીનું પ્રમુખપદ ૧૫૯; બંધારણમાં પહેલી વાર ફેરફાર ૧૫૯; શ્રી સમેત| શિખર તીર્થના પહાડને માલિકી હક્ક ૧૬૨; ગૌરવભર્યો ઠરાવ ૧૬૩; વિશેષ મહત્ત્વને ઠરાવ ૧૬૪; વહીવટદાર પ્રતિનિધિઓ ૧૬૪; પેઢીનું પ્રમુખપદ ૧૬૫; આ સભાની કેટલીક યાદગાર બાબતે : પેઢીના કારોબારની પ્રશંસા ૧૬૫; ઠરાવ ચેાથે ૧૬૫; ઠરાવ પાછા ખે' ૧૬૬; સભામાં હાજર રહેવા દેવાને ઇનકાર ૧૬૬; બંધારણમાં છેલ્લે સુધરે ૧૬ ૬; શેડીક મહત્ત્વની કલમ ૧૭૦; આઠમી કલમઃ પ્રતિનિધિઓના પ્રમાણની પદ્ધતિ ૧૭૦; કે-ઓપ્ટ પ્રતિનિધિ ૧૭૧; પ્રતિનિધિઓની Page #29 -------------------------------------------------------------------------- ________________ કુલ સંખ્યા ૧૭૧; કલમ ૨૨ મી તથા ૨૩મી : પ્રમુખપદની પ્રથામાં ફેરફાર ૧૭૧; (૨૨) ટ્રસ્ટી બનવાને હક્ક ૧૭૨; (૨૩) પ્રમુખની ચૂંટણી ૧૭૨; કલમ ૩૧ મીઃ તીર્થો વગેરેની સાચવણી માટે સહાય ૧૭૨; કલમ ૩૨ મી (ક) : સંધ બહાર કરવાની સત્તામાં ફેરફાર ૧૭૩; કલમ ૪૪ મી : મકાનમાં પણ નાણાં રોકવાની જોગવાઈ ૧૭૪; કલમ ૫૦ મી નિયમાવલીમાં ફેરફાર ૧૭૪; અમલ ૧૭૪. પાદનોંધ : (૨) સત્તાવાર પ્રતિનિધિત્વની જરૂર અંગે સરકારનું સૂચન ૧૭૫; (૫) પેઢીનું કાર્યાલય અમદાવાદમાં જ રાખવા અંગે નિર્ણય ૧૭૮; (૬) શ્રીસંઘને સંતેષ ૧૭૮; (૭) પેઢી - - હસ્તકનાં અમદાવાદનાં બાર ટ્રસ્ટ ૧૮૦; (૯) ડો. સી. પી. રામસ્વામી અય્યરની પ્રશંસા ૧૮૧; ચમત્કાર જેવી અસર ૧૮૨.. ૮. પઢી અને પાલીતાણા રાજ્ય ૧૮૫-૧૯ શત્રુંજય મહાતીર્થના વહીવટ અંગે પેઢીની કામગીરી ૧૮૬; પાલીતાણા રાજ્યની એક પક્ષકાર જેવી સ્થિતિ ૧૮૬; સફળતાનું મુખ્ય કારણ ૧૮૭. પાદોંધ : (૧) એક એક તીર્થને વહીવટ સંભાળતી પેઢીઓ ૧૮૮; એકથી વધુ તીર્થોને વહીવટ સંભાળતી સંસ્થાઓ ૧૮૯. ૧૦, પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે - ૧૯૦૩૪૦ રોપાના પાંચ કરોની યાદી ૧૯૧; રખેપાને પહેલ કરાર ૧૯૧; પહેલા કરારનું લખાણ ૧૯૩; કરારની યથાર્થતા બાબત તકરાર અને તેનું નિરાકરણ ૧૮૪; યતિશ્રી મોતીજીની જુબાની ઉપર દરબારશ્રીની ટીકા ૧૯૫; સને ૧૮૨૧ ને ૨ખોપાને બીજે કરાર ૧૯૬; શેઠશ્ન મોતીચંદ અમચંદ વગેરેની મુંબઈના ગવર્નરને અરજી ૧૯૬; શેઠ હેમાભાઈ વખતચંદને કેપ્ટન બાનવેલ ઉપર પત્ર ૧૯૮; સને ૧૮૨૧ ને કરાર ૧૯૯; હેમાભાઈ શેઠનું વર્ચસ્વ ૨૦૦; સને ૧૮૨૧ ને કરાર ક્યાં સુધી ચાલુ રહ્યો ૨૦૧; એક જાણવા જેવું લખાણ ૨૦૨; આ કરાર કાયમી હોવાને પેઢીને ખ્યાલ ૨૦૩; રખોપાની રકમ લેવા સામે દરબારશ્રીને વાંધા ૨૦૪; કરારમાં છેતરપીંડી થયાને દરબારને આક્ષેપ ૨૦૫; એક મહત્ત્વની ઘટના ૨૦૬; દસ હજારને ત્રીજે રોપા-કરાર ૨૦૭: મેજર કટિજને ફેસલો ૨૦૭; રખેપાની રકમ રૂા. પાંસઠસો તથા રૂા. પંચોતેરસ રાખવાનું સૂચન ૨૧૪; મેજર કીટિંજના ફેંસલા સામે પેઢીએ કરેલી બે અપીલ ૨૧૫; કીટિંજને ફેંસલે કાયમ રહ્યો ૨૧૫; ચાર વરસની રખેપાની રકમ પેઢીએ રોકી રાખ્યા બનાવ ૨૧૬: પેઢીએ ચૂકવવા પડેલ રૂપિયા ૪૦,૦૦૦૧ ૨૧૭; પાલીતાણા રાજ મુંડકાવેરા ઉઘરાવવાની કરેલી શરૂઆત ૨૧૮; નગરશેઠ શાંતિદાસના વંશજોને મુંડકાવેરામાંથી મુક્તિ ૨૨૦; મુંડકાવેરા સામે પેઢીની અપીલ ૨૨૧; વાર્ષિક રૂ. ૧૫,૦૦૦) ને ચે રખોપા-કરાર ૨૨૨; સને ૧૮૮૬ ને કરાર ૨૨૩; પાલીતાણા રાજ્યને વહીવટ એડમિનિસ્ટ્રેટર હસ્તક ૨૨૪; રખેપાને છેલ્લે -પાંચમે રૂ. ૬૦,૦૦૦jને કરાર ૨૨૫; દરબારશ્રીની મુંડકાવેરો ઉઘરાવવા બાબત અરજી ૨૨૫; પેઢીને પ્રતિનિધિઓની મિ. સી. સી. વોટસનની મુલાકાત ૨૨૬; પાલીતાણા રાજ્યની અજીની નકલ મેળવવા બાબતની પદ્ધતિ સામે પેઢીને વધે ૨૨૭; પેઢીની તા. ૫-૧૧-૨૫ની એજન્સીને Page #30 -------------------------------------------------------------------------- ________________ २७ અરજી ૨૨૮; આ બાબત પેઢી તરફથી કરવામાં આવેલ છે વધુ અરજીઓ ૨૨૯; પાલીતાણા રાજ્યની અરજીની નકલ એજન્સીમાંથી મેળવવામાં મળેલ સફળતા ૨૩; પેઢી તરફથી જવાબ આપવાની મુદ્દતમાં વધારો ૨૩૧; પોલિટિકલ એજન્ટને વચગાળાના હુકમ ૨૩૧; મુડકાવેરાની અનુમતિના વિરોધ ૨૩૧; જૈન સંઘે શરૂ કરેલ ( યાત્રાત્યાગરૂપ ) ધર્મયુદ્ધ ૨૩૩; પેઢી તરફથી રજૂ કરવામાં આવેલ જવાબ ૨૩૭; એમાં રજૂ કરવામાં આવેલ ત્રણ માગણીઓ ૨૩૩; પોલિટિકલ એજન્ટના ચુકાદા ૨૭૪; વોટસનના ફૅ'સલા સામે જૈન સધના રાષ ૨૩૫; યાત્રાત્યાગને ઠેર ઠેર મળેલ આવકાર ૨૩૬; લા` ઈરવિનની અપીલમાં રજૂ કરવામાં આવેલ ત્રણ માગણીઓ ૨૩૭; સિમલામાં સમાધાન ૨૩૭; કરારનામુ: ૨૩૮; યાત્રાની શુભ શરૂઆત અંગે પેઢીની જાહેરાત ૨૪૧; જૈન સધમાં વ્યાપેલ હુ અને ઉત્સાહ ૨૪૨; ૨ખાપાની ૨કમની માફી ૨૪૪; સમાધાન અંગે કરવામાં આવેલ વિશેષ પ્રયત્ન ૨૪૫. પાદનોંધ : (૨) શ્રી ચિંતાર્માણુ પાર્શ્વનાથના મંદિરની એક વધુ પ્રશસ્તિ ૨૪૯; (૩) રખેાપાના પહેલા કરાર સંબંધી થોડીક વધુ માહિતી ૨૫૦; (૪-૭) રખાપાના પહેલા કરારના સાચા-ખોટાપણાં અંગે જાણવા જેવી માહિતી ૨૫૧; (૮) શેઠશ્રી મેાતીશા વગેરેએ લખેલ પત્રમાંનું મૂળ લખાણુ ૨૫૫; (૧૩) ખીજા કરારની રકમની વહેંચણી સંબધી વિગતા ૨૫૮; (૧૪૧૫) પાલીતાણાનું ગિરાખત રદ થયા સંબંધી માહિતી; કરાર પછી પણુ શત્રુંજય ઉપર લૂંટ ચલાવ્યાની એક ઘટના ૨૬૦; (૨૦) રૂપિયા ૪૫૦૦] ની એક પહેાંચને નમૂને ૨૬૬; (૨૨) રખાપાની રકમ લેવા સામે દરબારશ્રીના વાંધાનું કારણ ૨૬૬; (૨૫-૩૦) રખાપાના ખીજા કરારમાં ઘાલમેલ થયાના દરખારશ્રીને આક્ષેપ અને તેનું નિરાકરણ ૨૬૯; (૩૧) રખાપાના ખીએ કરાર ખીજા દસ વરસ માટે ચાલુ રાખવાની દરબારશ્રોની અરજી ૨૭૦; (૩૨) દરબારશ્રીએ રૂા. ૩૩૩૩૫] વ્યાજે લીધાના દસ્તાવેજ ૨૭૦; (૩૫) મેજર કીટિંજના ફેંસલાનું મૂળ લખાણ ૨૭૧; (૩૭૩૮) મેજર ફીટિંજના ફે‘સલા સામે પેઢીની મુંબઈ સરકારને અપીલ, કે જે નામંજૂર થઇ ૨૭૯; (૩૯) કેશવજી નાયક અને પાલીતાણા રાજ્ય વચ્ચે થયેલ રૂા. ૧૬,૧૨૫] ના કરારની વિગતો ૨૮૧; (૪૦) રખેાપાની દસ હજારની રકમમાં સમાવિષ્ટ થતા મુદ્દાઓ અંગે મુંબઈ સરકારનુ' લખાણુ ૨૮૧; (૪૨) રૂપિયા ચાલીસ હજાર પાલીતાણા દરબારને ચૂકવી આપવાના પેલિટિકલ એજન્ટને આદેશ ૨૮૨; (૪૭) નગરશેઠ પ્રેમાભાઈને શાંતિદાસના વંશજ ગણવાના અંગ્રેજ સરકારને આદેશ ૨૮૨; (૪૮) ચાર માગણીઓનુ` મૂળ અંગ્રેજી લખાણ ૨૮૩; (૪૯) એ માગણીઓનું મૂળ અંગ્રેજી લખાણ ૨૮૪; (૫૦) મુંડકાવેરાથી થતી કનડગતનું મૂળ લખાણ ૨૮૫; (૫૧) રખાપાના ચેાથા કરારનું મૂળ અંગ્રેજી લખાણ ૨૮૫; (૫૫) દરબારની વતી દીવાનશ્રીએ કરેલ શેરાનુ` મૂળ અ'ગ્રેજી લખાણ ૨૯૦; (૬૭) દરબાર માનસિહજીના રાજ્યારોહણ પ્રસંગે મિ. મેલવિને જૈના સાથે સમા ધાન કરવાની આપેલી સલાહનું લખાણ ૨૯૫; (૭૧) ઈ. સ. ૧૯૨૮ ના પાંચમા રખાપાના કરારનું મૂળ અંગ્રેજી લખાણ ૨૯૬; (૭૨) પોલિટિકલ એજન્ટને પેઢી તરફથી આપવામાં આવેલ જવાખનું મૂળ લખાણુ ૩૦૦; (૭૪) શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ગવર્નર સાથેની મુલાકાતની નોંધ અને ગવનરે એમના પર લખેલ પત્ર ૩૦૧; (૭૫) ભારતના વાઈસરાય અને ગવર્નર જનરલ લે` રીડિંગની જૈન અગ્રણીઓએ લીધેલી મુલાકાતની નોંધ ૩૦૨; (૭૬) દરબાર તરફથી જૈન સંધની થતી કનડગતના કેટલાક પ્રસંગા ૩૦૩. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પુરવણું : યાત્રા-બહિષ્કારનું શકવતી અને અપૂર્વ ધર્મયુદ્ધ: અભિપ્રાય માગતા પત્ર ૩૦૫; યાત્રા-ત્યાગનું સૂચન ૩૦૬; શ્રીસંઘની સભાને સરકયુલર ૩૦૬; સભાએ પસાર કરેલ ઠરાવ ૩૦૭; સાત ગૃહસ્થની કમિટી ૩૦૯; પૂજ્ય શ્રમણ ભગવતેને વિનતિ ૩૦૯; વચગાળાને હુકમ ૩૧૦; યાત્રાના બહિષ્કારને નિર્ણય ૩૧૦; શાંતિદાસના વંશજેની નોંધ કરાવવા અંગે પાલીતાણા રાજ્યની જાહેરખબર ૩૧; શાંતિદાસના વંશજો હોવા અંગેની નેંધ કરાવવા સંબંધી પોલિટિકલ એજન્ટની જાહેરખબર ૩૧૧; એક જાણવા જેવો પત્ર ૩૧૧; મુંબઈના સંધને રોષ ૩૧૨; “મુંબઈ સમાચાર'નું લખાણ ૩૧૩; “સાંજ વર્તમાન ”નું લખાણ ૩૧૪; “વીરશાસનનું લખાણ ૩૧૫; “સૌરાષ્ટ્રનું લખાણ ૩૧૬; અંગ્રેજી દૈનિકે સાથ ૩૧૭; જૈન સંઘની નારાજગી ૩૧૭; આબુમાં મુલાકાત અને મિ. ટસનને ફેંસલો ૩૧૮; જૈન સંઘને રોષ ૩૧૮; વોટસન પોતાના શબ્દો પાછા ખેંચે છે ૩૧૮; યાત્રા-ત્યાગ અસરકારક હેવા અંગે પેઢીની પાલીતાણુ શાખાના પત્ર ૩૧૯; સ્થાનિક પ્રતિનિધિઓ તથા અગ્રણીઓની સભા તથા એને સરકયુલર ૩૨૦; પ્રમુખશ્રીનું વક્તવ્ય ૩૨૦; ઠરાવો ૩૨૩; લડતમાં વેગ ૩૨૪; પેઢી તરફથી પ્રગટ કરવામાં આવેલ ત્રણ પરિપત્ર (૧) પૂજ્ય મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજની વિનતિ, (૨) જાહેરખબર, હિંદના સકળ જૈન સંઘની સભાને ઠરાવ, (૩) જાહેરખબર ૩૨૬; તા. ૧૫-૮-૧૯૨૬ શોકને ઠરાવવામાં આવેલો દિવસ ૩૨૬; શાક-દિવસના પાલનની કેટલીક વિગત ૩૨૭; ભારત સરકારને દરમ્યાનગીરીની વિનતી ૩૨૮; બહિષ્કારના ત્રીજા વર્ષના પ્રવેશની ઉજવણી ૩૨૮; આ અંગે મુનિરાજેને પત્ર ૩૨૮; આ અંગે સંઘને પત્ર ૩૨૯; બહિષ્કાર ચાલુ હોવાની જાહેરાત ૩૩૧; આ અંગેની એક જાહેરખબર ૩૩૧; બિનપાયાદાર અફવા અંગે જાહેર સૂચના ૩૩૨; ત્રણ મરચાની કામગીરી ૩૩૩; સિમલામાં વિપક્ષી બેઠક ૩૩૩; સમાધાન ૩૩૪; જૈન સંઘમાં વ્યાપેલ હર્ષોલ્લાસ ૩૩૬; બે પ્રશંસનીય પગલાં ૩૩૬; યાત્રાને મંગળ પ્રારંભ-એ અંગેની જાહેરાત ૩૩૭; પેઢીની વતી શેઠશ્રી પ્રતાપસિંહભાઈ મહાલાલભાઈએ કરેલ વક્તવ્ય ૩૩૮; પાલીતાણુના નામદાર હકારશ્રીએ કરલ વક્તવ્ય ૩૩૮; આનંદ વ્યક્ત કરતું એક ગીત ૩૩૯; યાત્રાને શુભ પ્રારંભ અને ઉપસંહાર ૩૪૦. શુદ્ધિપત્રક ૩૪૧. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ખાસ વિનંતી પુસ્તક શુદ્ધ છપાય અને એમાં ભૂલ રહેવા ન પામે એ માટે પૂરેપૂરી ચીવટ રાખવા છતાં અને બે વ્યક્તિઓની નજરે મુફ તપાસાય એવી ગોઠવણ પણ કરવા છતાં, સરતચૂક અથવા મુદ્રણદોષના કારણે, પુસ્તકમાં ભૂલો રહી જવા પામી જ છે. એ ભૂલે વાચકેના ધ્યાનમાં આવે એ માટે પુસ્તકને અંતે શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે. તેથી, પુસ્તકને ઉપયોગ કરતાં અગાઉ, એ ભૂલોને સુધારી લેવાની ખાસ વિનંતિ છે એક વધુ ભૂલ : પૂ. ર૧૫ માં ૧૪મી લીટીમાં તા. ૧૨-૧-૧૮૨૪ છપાયું છે, તે તા. ૧૨-૧-૧૮૬૪ સુધારવું. કારણને ખુલાસો : આ પુસ્તકના ૧૩૫ મા પૃષ્ઠમાં, સને ૧૯૦૭ની સાલમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તે વખતના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને સમેતશિખર જવું પડયું હતું તેના કારણ અંગે આ પ્રમાણે મોઘમ લખવામાં આવ્યું છે: “સને ૧૯૦૭ની સાલમાં, શ્રી સમેતશિખર તીર્થ અંગે કઈક એવો ગહન-જટિલ પ્રશ્ન ઊભું થયું હતું કે, જેનું નિરાકરણ કરવા માટે ખુદ પેઢીના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને જાતે જ ત્યાં જવું પડ્યું હતું અને રોકાવું પડયું હતું.” પણ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભઈએ પોતાના જીવનનાં સંસ્મરણેની, અંગ્રેજીમાં, જે છૂટી છૂટી ને કરેલી છે, તેના આધારે, શેઠશ્રી કસ્તૂરભાઈના અમૃત મહોત્સવ પ્રસંગે મેં પોતે જ લખેલ એમના પરિચયમાં, શેઠશ્રી લાલભાઈને સમેતશિખર શા કારણે જવું પડયું હતું, તે અંગે આ પ્રમાણે ઉલેખ કર્યો છે : સને ૧૯૦૮ માં રાજસત્તાએ સમેતશિખર તીર્થ ઉપર બંગલાઓ બાંધવાની પરવાનગી આપ્યાની વાત આવી. સંધમાં ભારે સંભ જાગ્યો. આવે વખતે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ ચૂપ કેમ બેસી રહે ? તરત જ લાલભાઈ શેઠ ત્યાં પહોંચ્યા અને બીજાઓને સાથે મેળવીને એ વાતને રોકવામાં સફળતા મેળવી.” (પૃ. ૭) આ ઘટના ૧૯૦૮ માં નહીં પણ ૧૯૦૭માં બની હતી. Page #33 -------------------------------------------------------------------------- ________________ છબીઓની યાદી ૧. શ્રેણિવર્ય કસ્તૂરભાઈ લાલભાઈ ૨. દેવમંદિરની નગરી તીર્થાધિરાજ શત્રુંજયનું સર્વગ્રાહી દશ્ય. ૩. હાથીપળના કળામય, વિશાળ, નૂતન પ્રવેશદ્વારને દેખાવ. ૪. દાદાની ટ્રકમાંના ભગવાન ઋષભદેવના વિશાળ જિનપ્રાસાદ ઉપરના કળામય ભાગનું દશ્ય. ૫. દાદાના જિનપ્રસાદના શિલ્પસમૃદ્ધ શિખર અને સામરણનું દશ્ય. ૬. ગિરિરાજ ઉપરની વિસં. ૧૦૬૪ ના લેખવાળી ગણધર પુંડરીકસ્વામીની સૌથી પ્રાચીન પ્રતિમા. ૭. આ પ્રતિમા ઉપરના લેખની છબી. ૮. આચાર્ય રાજસાગરસૂરીજી તથા નગરશેઠ શાંતિદાસ ઝવેરી. ૯. પાલીતાણું શહેરમાંની નગરશેઠ શાંતિદાસ ઝવેરીની મેડીનું સ્થાન. ૧૦. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વિ. સં. ૧૭૮૭ માં મોજુદ હેવાને પુરાવે. ૧૧. વિ. સં. ૧૭૮૭ ની ખાતાવહીમાં શ્રી આણંદજી કલ્યાણજી, રાજનગરનું ખાતું. ૧૨. વિ. સં. ૧૭૮૧ ના કરારમાં આણંદજી કલ્યાણજીનું નામ. ૧૩. શ્રેષ્ઠી નારાયણની વિ. સં. ૧૧૩૧ ની મૂર્તિ. ૧૪. પેઢીના દફતરની સાચવણીને પુરાવે. ૧૫. હાથીપળમાં નવું દેરું નહીં બાંધવાના વિસં. ૧૮૬૭ ના શ્રીસંધના આદેશને લેખ. ૧૬. વિસં. ૧૭૦૭ ના રખેપાના પહેલા કરારને દસ્તાવેજ. ૧૭. સને ૧૮૨૧ ના રખેપાના બીજ કરારને દસ્તાવેજ. ૧૮. રખેપાને બીજે કરાર બીજા ૧૦ વર્ષ ચાલુ રાખવાની ગોઠવણ કરી આપવા પાલીતાણા રાજ્ય આસીસ્ટંટ પોલિટિકલ એજન્ટને કરેલી અરજી. ૧૯. પાલીતાણું રાજ્ય રૂ. ૩૩૩૩૫ વ્યાજે લીધા સંબધી લખાણ. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦. રખેપાની રકમ પતે ઉઠાવેલ વટાવની તકરારને લીધે પિતાને મોડી મળ્યાને પાલીતાણા રાજ્યને એકરાર. ૨૧. હેમાભાઈ શેઠની હવેલીની જીર્ણ ઈમારત. ૨૨. સને ૧૮૮૬ ને રખેપાના ચેથા કરારને દસ્તાવેજ ૨૩. પૂ. પં. શ્રી કલ્યાણવિમળજી મહારાજ વગેરેનાં પગલાંની દેરી. ૨૪. ભાતાઘરનું મકાન ગંગામાએ બંધાવી આપ્યાને લેખ. ૨૫. આધુનિક સુવિધાવાળું ભાતાધરનું નવું મકાન. ર. રખેપાના છેલ્લા-પાંચમા કરારના સહીઓવાળા છેલ્લા પાનાની છબી. Page #35 -------------------------------------------------------------------------- ________________ Page #36 -------------------------------------------------------------------------- ________________ નય સંગ્વષ્ણુસાસ છે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઇતિ હાસ ભાગ WWW.jainelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ ⚫ WORTHY OF EMULATION The Jain community takes a great deal of enlightened interest in the maintenance of their shrines and in the maintenance of a proper and serene religious atmosphere surrounding them. The stupendous activity in the direction of repair, expansion and renovation work connected with these temples, some of which are of great architectural beauty, undertaken in an organized manner by organizations like Anandji Kalyanji Trust, Ahmedabad, and other smaller trusts is such that it is worthy of healthy emulation by Hindu temples and organizations. —Recommendation of Dr. C. P. Ramaswami Aiyar, Chairman, and six other members of "The Hindu Religious Endowments Commission '' (1960-62; Page-111). અનુકરણ કરવા ચૈાગ્ય જૈન સમાજ પેાતાનાં મિંદરાની સાચવણી માટે તથા એમની આસપાસનું વાતાવરણ સુયેાગ્ય, ગભીર અને ધર્મમય રૂપમાં સચવાઈ રહે એ માટે, ખૂબ જાગ્રત રસ લે છે. આ મદિરામાંનાં કેટલાંક તા શિલ્પ-સ્થાપત્યકળાની ઉચ્ચ કાટિની સુંદરતા ધરાવે છે. એમના સમારકામ, વિસ્તાર અને [દ્ધારને લગતી કામગીરી કરવાની દિશામાં, અમદાવાદનું આણુ જી કલ્યાણુજી ટ્રસ્ટ તથા ખીજાં નાનાં ટ્રસ્ટા, વ્યવસ્થિત રીતે, જે પ્રવૃત્તિ કરે છે, તે એવા પ્રકારની છે કે, જેનું હિંદુ ધર્મનાં દેવસ્થાના તથા વ્યવસ્થાતત્રાએ તંદુરસ્ત અનુકરણ કરવા જેવું છે. — ડૉ. સી. પી. રામસ્વામી અય્યર, અધ્યક્ષ તથા ખીજા છ મેમ્બરોએ, એમના “ ધી હિંદુ રિલિજિયસ અન્ડાઉમેન્ટસ કમીશન ''ના અહેવાલમાં, કરેલ ભલામણ ( સને ૧૯૬૦-૬૨; પૃ૦ ૧૧૧). Page #38 -------------------------------------------------------------------------- ________________ ॥ ગયફ મહેળા મહાવીરને ૧ ધના મહિમા જીવન તરફ અનુરાગ, સુખ-દુઃખની લાગણી, ભૂખ-તરસનુ` સંવેદન, ઘડપણ અને માંદગી તરફ્ના અણુગમા, મરણને ભય વગેરે ખાખતા જીવમાત્ર સાથે સકળાયેલ છે; અને એમાં માનવજાતિને પણ સમાવેશ થાય છે. આમ છતાં માનવજાતિ અને અન્ય જીવસૃષ્ટિ વચ્ચે કઈક એવી અસાધારણ ભેદરેખા કે વિશેષતા રહેલી છે કે, જે સમસ્ત જીવસમૂહ ઉપર માનવજીવનની સર્વોપરિતા સ્થાપિત કરે છે. તેથી જ બધાં ધર્મશાસ્ત્રાએ માનવભવને દુભ અને શ્રેષ્ઠ કહ્યો છે. માનવજીવન સાથે એકરૂપ બની ગયેલી આ વિશેષતા તે માનવીને મળેલી ચિંતનમનનની બૌદ્ધિક શક્તિ અને હૃદયની સ`વેદનશીલતા. આ શક્તિના ખળે, માનવીએ જ્ઞાન અને વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રાનુ, છેક પ્રાચીન કાળથી, ખેડાણ કરીને આત્મદર્શન અને વિશ્વદર્શીનના અનેક માર્ગની શેાધ કરી છે અને આંતર તથા ખાદ્ય દુઃખના નિવારણનાં અને સુખની પ્રાપ્તિનાં સાધનાનું દન અને નિરૂપણ કર્યું છે. વિશ્વના સ્વરૂપનું દર્શન કરાવતી અને વિશ્વવ્યાપી ભૌતિક તત્ત્વાની શક્તિઓનુ માનવીના ઉપયાગ માટે નિયમન કરતી વિજ્ઞાનની શેાધા માનવીની બુદ્ધિશક્તિની નવાઈ ઉપજાવે એવી નીપજ હાવા છતાં, એ સતત પ્રયાગશીલ પ્રક્રિયાઓનું પરિણામ હેાવાથી, એ આત્માની જ્ઞાનશક્તિના અસાધારણ કે અપૂર્વ વિકાસનું દર્શન નથી કરાવી શકતી. આત્માની ખરેખરી જ્ઞાનશક્તિનાં પ્રતીતિકર દન તેા, ઉચ્ચ કેટિની યાગસાધનાને મળે સિદ્ધ થતા જ્ઞાનના અતિમ કાટિના વિકાસમાં જ થાય છે. અને આ જ્ઞાન જેમ વિશ્વના સ્વરૂપનું સુરેખ દર્શન કરાવે છે, તેમ આત્માના સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક એક ભાવનું દર્શન કરાવીને એની પૂર્ણ શુદ્ધિના ઉપાચા પણ આંકી બતાવે છે. આ ઉપાયા એટલે જ ધમ અને એની આરાધના, જે ધર્મપુરુષાથ તરીકે સુવિદિત છે અને સદા-સદા આદરણીય અને એકાંત હિતકારક ગણાય છે. આ પ્રક્રિયા ચાગસાધના, આત્મસાધના કે આધ્યાત્મિક સાધનાને નામે પણ ઓળખાય છે. અને એના આધારે જ માનવી સંસારનાં બંધને થી મુક્ત થવાના પુરુષાર્થ કરી શકે છે. એટલા માટે જ મેાક્ષની પ્રાપ્તિના પુરુષાર્થને પરમ પુરુષાર્થ લેખવામાં આવેલ છે. સંસારનાં અધનાથી મુક્ત થવામાં એટલે કે મેક્ષ મેળવવામાં માનવીને સહાયરૂપ થાય એ ધર્મઃ એ રીતે ધર્મને સાદી સમજથી આળખી શકાય. Page #39 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કરની પેઢીના ઇતિહાસ આ દૃષ્ટિએ વિચારીએ તેા, જેમ બધી ગતિમાં માનવગતિ શ્રેષ્ઠ છે તેમ, માનવીએ કરેલી બધી શેાધામાં પેાતાની જાતને સમજવાની અને સુધારવાના ઉપાયાની શેાધ એટલે કે ધમ યા અધ્યાત્મમાર્ગની શેાધ એ મેટામાં માટી અને સર્વોચ્ચ કોટિની શેાધ છે. અને દુઃખ, ફ્લેશ અને કષાયાથી ભરેલી દુનિયા થાડા-ઘણા પ્રમાણમાં પણ સુખી અને વસવા ચેાગ્ય રહી શકી હેાય તે તે, મેાટે ભાગે, આ શેાધને પરિણામે.” પેાતાની જાતને સમજવા-સુધારવાની આ શેાધ કરવાનુ શ્રેય ધમને તથા ધર્મસાધકો અને ધર્મપ્રરૂપકોને ઘટે છે. આ ધર્મના આશ્રય લીધા વગર કોઈનું જીવન ચરિતાર્થ નથી થઈ શકતું અને વ્યાપક જનસમૂહમાં સંસ્કારિતા અને સંયમ-સમર્પણની ભાવનાની કેળવણી પણ નથી થઈ શકતી. એટલા માટે જ ધર્મને ધરતીના અમૃતની ઉપમા આપીને અનેક રૂપે એના મહિમા વવવામાં આવ્યે છે, તે યથાર્થ છે.પ ४ ધર્માંની આવી વિશેષતાને લીધે, માનવસમાજને એના હમેશાં લાભ મળતા રહે અને દુનિયામાં બંધુભાવની કે કુટુંબભાવનાની લાગણીને પ્રાત્સાહન મળતું રહે એટલા માટે, માનવીની જીવનપદ્ધતિના વિકાસની સાથે સાથે, ધર્મ એક પ્રભાવશાળી અને શક્તિશાળી તેમ જ સહૃદયતા અને ભાવનાશીલતાથી શે।ભતી સંસ્થાનું રૂપ ધારણ કર્યું.. અને સમય જતાં, ધર્મની ઉપકારકતાથી માનવી એટલા બધા પ્રભાવિત થયા કે એણે, ધર્મ ભાવનાની ભાગીરથી માનવસમાજને નિર ંતર પાવન કરતી રહે એટલા માટે, ધર્મને એક સુભગ અને સ કલ્યાણકારી સત્તાનું રૂપ આપ્યું. પણ આ સત્તાનુ` કામ, કઠાર અનુશાસનથી કોઈની પણ કનડગત ન થાય એ માટે સતત જાગૃતિ રાખીને, જનસમુદાયમાં શુભ અને સ્વ-પર કલ્યાણકારી ભાવના તથા પ્રવૃત્તિનું સી'ચન કરવાનું, જ્યાં જ્યાં આવી મ'ગલ લાગણીએ પ્રવર્તતી હાય એની સાચવણી અને અભિવૃદ્ધિ કરવાનુ` અને ધર્મની પ્રભાવના થાય એ રીતે, ભાવનાશીલતા અને સુકુમારતાપૂર્વક, સ'ઘની વ્યવસ્થા કરવાનુ' રહ્યું છે. રાજસત્તા અને ધર્માંસત્તા વચ્ચે હંમેશાં આ પાયાનું અંતર ચાલતુ' આવ્યું છે. અને જેટલા પ્રમાણમાં ધસત્તા આ રીતે પાતાની ફરજ ખજાવી શકી છે, તેટલા પ્રમાણમાં માનવસમાજને અને, માનવસમાજની અહિં`સા અને કરુણાથી પ્રેરાયેલી પ્રવૃત્તિને લીધે, અખેલ જીવસૃષ્ટિને પણ લાભ મળતા રહ્યો છે. આ રીતે ધર્મોમાં સર્વ કલ્યાણકારીપણાનુ' તત્ત્વ રહેલુ હાઈ એને મહિમા શબ્દોથી ન વર્ણવી શકાય એટલા અસાધારણ છે. * * આ ગ્રંથનાં બધાં પ્રકરણેાની પાદનોંધ, જે તે પ્રકરણની પાદનેાંધના અંકવાળા પૃષ્ઠની નીચે આપવાને બદલે, દરેક પ્રકરણને અંતે આપવામાં આવેલ છે. ! Page #40 -------------------------------------------------------------------------- ________________ પહેલા પ્રકરણની પાનાંધા १. (i) चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमंमि य वीरियं ॥ — श्री उत्तराध्ययनसूत्र, २५० 3, भा० १. (ii) भो भो भव्वा भवोहंमि, दुल्लहो माणुसो भवो । चुल्ल गाईहिं नाहिं, आगमंमि विआहिओ ॥ - सिरिसिश्विास उडा, २०१०७५. (iii) तं तह दुल्लहलंभ, विज्जुलयाचंचलं माणुसत्तं । लडूण जो पमायइ, सो कापुरिसो न सप्पुरिसो ॥ (iv) दुर्लभं मानुषं जन्म, दुर्लभं जिनदर्शनम् । (v) मानुष्यं दुर्लभ लोके, (vi) न मानुषात् श्रेष्ठतरं हि किंचित् । (vii) दुर्लभं त्रयमेवैतद्, देवानुग्रहहेतुकम् । मनुष्यत्वं मुमुक्षुत्वं, महापुरुषसंश्रयः ॥ - आवश्य सूत्र नियुक्ति, २५० १. - सित्तु ला०, ५० १४७. -मोधियर्यावतार, टीडा, प्रथम परिछेह - महाभारत, शांतिपर्व - विषेश्यूडामणि, श्० 3. २. (i) तत्थ दव्वओ णं सुयनाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ पासइ । खेत्तओ णं सुयनाणी उवउत्ते सन्वं खेत्तं जाणइ पासइ । कालओ णं सुयनाणी उवउत्ते सव्यं कालं जाणइ पासइ । भावओ णं सुयनाणी उवउत्ते सव्वे भावे जाणइ पासइ || — श्री नहीसूत्र, सू० ११७. (ii) जस्स बलेणं अज्जवि नज्जइ, तियलोयगोयरवियारां । करगहियामलयं पिव, तं सन्नाणं मह पमाणं ॥ - सिरिसिरिवासउडा, १२७८. 3. (i) धम्मो ताणं धम्मो सरणं गई पट्ठा य । धम्मेण सुचरिण य गम्मइ अयरामणं ठाणं । (ii) सो धम्मो जो जीवं धारेइ भवण्णवे निवडमाणं । (iii) देवा वितं नमसंति, जस्स धम्मे सया मणो । - तसवेयासिय अर्थ है, गा० १२. (iv) संखाय पेसलं धम्मं, दिट्टिमं परिनिव्वुडे । उवसग्गे नियामित्ता, आमोक्खाए परिव्वज्जासि ॥ - धर्मपरीक्षा, गा० २. - श्री रावैअसिसूत्र, १, १. - श्री सूत्रहृतांगसूत्र, श्रु० १, २५० ३, ग० २१. Page #41 -------------------------------------------------------------------------- ________________ શેઠ આવકની પેઢીને ઇતિહાસ (v) स धर्मो यो दयायुक्तः, सर्वप्राणिहितप्रदः । स एवोत्तारणे शक्तो भवाम्भोधेः सुदुस्तरात् ॥ -तत्वामृत, सी० ६५. (vi) धर्मो मङ्गलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लङ्घने मार्गदेशकः । -पष्टि०, ५० १, स० १, 10 १४६. ४. (i) धर्मो महामङ्गलमङ्गभाजां, धर्मो जनन्युद्दलिताखिलातिः ।। धर्मः पिता पूरितचिन्तितार्थो धर्मः सुहृद्वर्तितनित्यहर्षः ॥ -पमान-६ भव्य, २, १७3. (ii) जरामरणवेगेणं, बुज्झमाणाण पाणिणं । धम्मो दीवा पईट्ठा य, गई सरणमुत्तमं ॥ -श्री उत्तराध्ययनसूत्र, भ० २3, ०१८. (iii) दिने दिने मञ्जुलमङ्गलावलिः, सुसम्पदः सौख्यपरम्परा च । - इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः, सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ॥ -उपदेशसा२,०५, सो० ५. . (iv) अबन्धुनामसौ बन्धुरसखीनामसौ सखा । अनाथानामसौ नाथो धर्मो विश्वकवत्सलः ॥ -योगशास्त्र, ५० ४, सी. १००. (v) सुखं हि वाञ्छते सर्वः, तच्च धर्मसमुद्भवम् । तस्माद्धर्मः सदा कार्यः, सर्ववर्णः प्रयत्नतः । - भृति, 40 3, सी० २५. ' (vi) धम्मो मंगलमउलं, औसहमउलं च सव्वदुक्खाणं । धम्मो बलं च विउलं, धम्मो ताणं च सरणं च ॥ -सित ४ चो, २० ५ (१० १४). ५. (i) सहजो भावधर्मो हि, शुद्धश्चन्दनगन्धवत् । तं सम्प्रचक्षते ॥ -अध्यात्मसार, प्र० 3, सहनुष्ठान अधि४।२, सो० २५. (ii) धम्मो चिंतामणी रम्मो, चिंतिअत्थाण दायगी । निम्मल्लो केवलालोअलच्छिविच्छिड्डिकारओ ॥ कल्लाणिक्कमओ वित्त-रूवो मेरूवमा इमो । सुमणाणं मोतुट्टि, देइ धम्मो महोदओ ॥ -सारासारवास1,०१०६१-६२. (iii) धर्मामृतं सदा पेयं, दुःखातङ्कविनाशनम् । यस्मिन् पीते परं सौख्यं, जीवानां जायते सदा ॥ -तत्वामृत, सी०६४. Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ જિનેશ્વર દેએ આત્મવિયનો સ્વ-પર સૌના કલ્યાણને જે માર્ગ બતાવ્યા તે જૈનધર્મ. જૈનધર્મનું મુખ્ય અથવા અંતિમ ધ્યેય આત્માને સંસારનાં બધાં બંધનમાંથી સંપૂર્ણ મુક્ત કરવાનું છે. આ સંસારના બંધનથી મુક્તિ એટલે આત્માને અનાદિ કાળથી વળગેલાં કર્મોથી મુક્તિ. તેથી જ આત્માને લાગેલાં બધાં કર્મોને સંપૂર્ણ નાશ, એને જ મોક્ષ કહેવામાં આવેલ છે. જૈનધર્મો, ધર્મની આરાધના માટે, જે વિગતવાર આચારસંહિતા એટલે કે વ્રત, વિધિ-નિષેધના નિયમ અને ક્રિયાઓ નકકી કરેલ છે, તેને આધાર જૈન દર્શન અર્થાત્ જૈન તત્ત્વજ્ઞાન છે. દર્શન અથવા તત્ત્વજ્ઞાન વિશ્વના સ્વરૂપ, પરમાત્માના સ્વરૂપ અને આત્માના સ્વરૂપનો નિશ્ચય કરી આપે છે અને દર્શને સમજાવેલ વિશ્વના અને આત્માના સ્વરૂપને ધ્યાનમાં રાખીને, ધર્મ, હિંસા વગેરે દોષના ઓછામાં ઓછા સેવનથી કેવી રીતે જીવી શકાય અને આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવાની દિશામાં કેવી રીતે આગળ વધી શકાય, એ માટેના સ્વ-પર ઉપકારક માર્ગે નક્કી કરી આપે છે. જે તવજ્ઞાન અથવા દર્શન, આ રીતે, આત્મસાધના માટેની ધાર્મિક આચારસંહિતા ઘડવામાં ઉપયોગી થાય છે, એ જનસમૂહ અને સંઘમાં જીવન બની રહે છે. જૈિન દર્શને પ્રત્યુત્તદો ધો ૩ એમ કહીને ધર્મની જે મૌલિક અને વૈજ્ઞાનિક વ્યાખ્યા કરી છે, એમાં જ ધર્મ અને એની આરાધનાની ઉપગિતા, ઉપકારકતા અને અનિવાર્યતા જોવા મળે છે. વસ્તુનું પિતાનું અસલી એટલે કે મૌલિક સ્વરૂપ તે ધર્મ, અને જે માગ કે ઉપાયથી કઈ પણ વસ્તુ પોતાના મૂળ સ્વભાવ કે સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એનું નામ પણ ધર્મનું તીર્થકર ભગવંતે, પોતાની વિશિષ્ટ આત્મસાધના કે ગસાધનાને બળે પ્રગટેલ સર્વજ્ઞપણું અને સર્વદશરપણાના આધારે, ત્રણે લોક અને ત્રણે કાળનું સ્પષ્ટ દર્શન કરીને, જે ધર્મની પ્રરૂપણ કરી તે ધર્મ આત્મલક્ષી છે; અને તેથી આત્માને ઉદ્ધાર, આત્માનું શુદ્ધીકરણ અને આત્માની મુક્તિ, એ એને મુખ્ય ઉદ્દેશ છે. જૈનધર્મની બધી આરાધના આ ઉદ્દેશની દિશામાં આગળ વધવા માટે જ છે. એને ધામિક આરાધના કહીએ કે યંગસાધના, આત્મસાધના કે આધ્યાત્મિક સાધના કહીએ, એ બધાને ભાવ એક જ છે. જે પ્રકિયા આત્માને એના સ્વભાવ કે સ્વરૂપને પ્રગટ કરવામાં સહાયક થાય એ ધર્મ. અને, જ્યારે ધમની આરાધનાના કેન્દ્રમાં આત્માના ઊીકરણને સ્થાન આપવામાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ર રો' આ કની પેઢીના ઇતિહાસ આવે ત્યારે, એ આરાધના માટે નક્કી કરવામાં આવેલ બધાં આચારો, વિધિવિધાનો, વ્રતા અને વિધિ-નિષેધના નિયમા આત્મલક્ષી કે મેાક્ષલક્ષી જ હાય, એ સહેજે ફલિત થાય છે. જૈનધર્મની આવી. મેાક્ષલક્ષી સાધનામાં સમતા એટલે કે સમભાવની સાધનાનુ સ્થાન સર્વોચ્ચ અને સશ્રેષ્ઠ છે.૪ પૂર્ણ સમભાવની જીવનમાં પ્રતિષ્ઠા કર્યા વગર કર્મથી સર્વથા મુક્તિ મેળવવારૂપ મેાક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. આનેા અથ એ થયા કે, જેમ જેમ કર્મોને મળ આછે થતા જાય એટલે કે કર્મોની નિર્જરા થતી જાય, તેમ તેમ સમભાવની પ્રાપ્તિની દિશામાં આગળ વધી શકાય. તેથી જે જે ઉપાયાથી કર્મના ભાર આછે ને આછા થતા જાય, તે ઉપાયને અપનાવવાનો આદેશ ભગવાન તીર્થંકરોએ પ્રરૂપેલ જૈનધર્મે ઠેર ઠેર કરેલા છે. કર્મીને દૂર કરવાના અને સમભાવની કેળવણી કરવાના ઉપાયામાં સૌથી મહત્ત્વનું સ્થાન પ્રાણાતિપાતવિરમણવ્રત એટલે કે અહિંસાને આપવામાં આવ્યું છે; અને અહિંસાની ખીજી બાજુ તે કરુણા. જૈનધર્મે વિશ્વના બધાય જીવા સાથે મૈત્રીભાવ કેળવવાના અને કાઈ પણ જીવ પ્રત્યે વ-વિરોધ નહી રાખવાના ’જે ઉદાત્ત આદેશ આપ્યા છે તે, અહિ'સા અને કરુણાના આચરણથી જ જીવનવ્યવહાર સાથે એકરૂપ થઈ ને સાધકને સમભાવ મેળવવાની દિશામાં આગળ લઈ જાય છે. અને અહિ'સાવ્રતનુ પરિપૂર્ણ પાલન કરવું' હોય તા મૃષાવાદવિરમણુ, અદત્તાદાનવિરમણુ, મૈથુનવિરમણુ અને પંરિગ્રહપરિમાણુ ( સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) એ ચારે તેાનુ પાલન અનિવાય અની જાય છે. અર્થાત્ અહિંસાવ્રતના સપૂર્ણ પાલનમાં આ ચારે વ્રતાના પાલનના સમાવેશ થઈ જાય છે. તેથી આ ચાર ત્રતાના પાલનમાં જે કંઈ ઊણપ રહે, તેટલી ઊણપ અહિંસાવ્રતના પાલનમાં રહેવાની, જૈનધર્મના પ્રરૂપકાએ વિશ્વમૈત્રીની ભાવનાને અને સમભાવને કેળવવાના ઉપાય તરીકે અહિંસાનું મહત્ત્વ સમજાવીને જ સ ંતોષ ન માનતાં, અહિંસાની સાધના કેવી રીતે થઈ શકે એને વ્યવહારુ ઉપાય પણ સમજાવ્યા છે. આ ઉપાય છે સયમ અને તપના માર્ગ અપનાવવાનો. સંચમ દ્વારા ઇંદ્રિય-સુખાપભાગની વિલાસી વૃત્તિ ઉપર કાબૂ મેળવી શકાય છે; અને ખાદ્ય અને આભ્યંતર તપ દ્વારા ચિત્તની ચંચળતા અને કર્મોની સત્તા ઉપર વિજય મેળવી શકાય છે. એટલા માટે તેા અહિંસા, સયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલરૂપ ગણવામાં આવેલ છે. સંક્ષેપમાં, જૈન સાધનાના ક્રમ આ પ્રમાણે નિરૂપી શકાય : કર્મીના સ`પૂર્ણ ક્ષયરૂપ માક્ષને માટે પૂરા સમભાવ કેળવવા જોઈએ. આ સમભાવ એટલે વિશ્વના બધા જીવા માટે મૈત્રીભાવ, સમભાવ કે મૈત્રીભાવ પૂર્ણ અહિંસા અને કરુણાથી મેળવી શકાય. અને અહિંસાની ભાવનાને જીવન સાથે વણી લેવા માટે સયમ અને તપના આશ્રય લેવા Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈનધમ જોઈ એ. આધ્યાત્મિક સાધનાના આ ક્રમ વૈજ્ઞાનિક કહી શકાય એવા સચોટ અને સાધકને સફળતાની દિશામાં દોરી જાય એવા કાર્યક્ષમ છે. અને એનું કારણ એની પાછળ આત્મસાધક મહાપુરુષોના જાતઅનુભવનુ બળ રહેલું છે એ છે. જૈન સાધનાની આવી વૈજ્ઞાનિક પ્રક્રિયાને જીવનમાં ઉતારવાના પાયાના ઉપાચા છે દન, જ્ઞાન અને ચારિત્રની આરાધના. સાધકને આવી આરાધનામાં આગળ વધવાનું ખળ મળે છે ત્યાગ, વૈરાગ્ય અને તિતિક્ષાને માર્ગ સમજપૂર્વક અપનાવવાથી. જીવનસાધના કે આત્મસાધનામાં સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય અને તિતિક્ષાની ભાવનાને તથા પ'ચાચારના પાલનને અપાયેલી મુખ્યતા,૧૦ એ જૈન સાધનાની અસાધારણ વિશેષતા છે; અને આ વિશેષતા જ જૈન સાધનાને અન્ય સાધનાઓથી જુદી પાડે છે, અને એના વિશેષ મહિમા પ્રસ્થાપિત કરે છે. વસ્તુસ્થિતિ આવી છે એટલે જૈનધર્મ પ્રરૂપેલી બધી ધર્મક્રિયાઓ, ધમ પર્વોની આરાધના અને ધર્માંતીર્થાની યાત્રાની વિધિઓ ઉપર તપ-ત્યાગ-વૈરાગ્ય-સયમ-તિતિક્ષાની ભાવનાના વ્યાપક પ્રભાવ પ્રસરેલા જોવા મળે છે, જે ધર્મક્રિયા, જે પ આરાધના અને જે તીર્થયાત્રા સાધકના જીવનમાં આ ભાવનાની અભિવૃદ્ધિ કરે તે આદર્શ અને ચિરતા થયેલી ગણાય છે. આટલા માટે તે અહિંસા, ત્યાગ, વૈરાગ્ય, તપ અને સયમપ્રધાન ધર્મ તરીકે જૈનધર્મીની જનસમૂહમાં માટી નામના અને પ્રતિષ્ઠા છે, અને જૈનધર્મને આવી વિરલ કીર્તિ અપાવવામાં જૈન સ`ઘનાં પવિત્ર તીર્થ ધામાના ફાળા પણ ઘણા મોટા છે. અને એટલા માટે ધર્મતીર્થની સ્થાપના અને રક્ષાના કાર્યને આપણાં ધર્મશાસ્ત્રાએ મહાન ધર્માંકૃત્ય તરીકે બિરદાવેલ છે.૧૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ બીજા પ્રકરણની પાદનો १. (i) जं मए इमस्स धम्मस्स केवलिपन्नत्तस्स...निव्वाणगमणपज्जवसाणफलस्स ॥ -पाक्षिसूत्र, पृ० ४. (i) नमो त्थु णं समणस्स भगवओ महावीरस्स आदिगरस्स चरिमतित्थयरस्स पुव्वतित्थयरमिहिटस्स जाव संपाविउकामस्स, -४६५सूत्र, सू० १९. (iii) अभग्गेहिं णाणदंसणचरित्तेहिं अजियाइं जिणाहि इंदियाई, जियं च पालेहि समणधम्म, जिअविग्यो वि य वसाहि तं देव सिद्धिमज्झे, -३८५सूत्र, सू० ११२. (iv) भीसणो मच्चू सव्वाभावकारी......धम्मो एअस्स ओसहं एगंतविसुद्धो महा पुरिससेविओ सव्व हिअकारी निरइआरो परमाणंदहेऊ...इच्छामि अहमिणं धम्म पडिवज्जित्तए, सम्मं मणवयकायजोगेहिं होऊ ममेअं कल्लाणं...॥ -५'यसूत्र, सू० २, पेट। सू० १२, 13. (v) सद्भिर्गुणदोष>षानुत्सृज्य गुणलवा ग्राह्याः । सर्वात्मना च सततं, प्रशमसुखायैव यतितव्यम् ॥ -प्रशभति, ० 3११. (vi) त्यजन दुःशीलसंसर्ग, गुरुपादरजः स्पृशन् । कदाहं योगमभ्यस्यन् , प्रभवेयं भवच्छिदे ॥ -योगशार, . 3, सी० १४3. २. कृत्स्नकर्मक्षयो मोक्षः । -तत्त्वार्थ सूत्र, ५० १०, सू० 3. 3. (i) धर्म-चेतनाऽचेतनद्रव्यस्वभावं श्रुतचारित्ररूपं वा वेत्तीति धर्मवित् ॥ -मायाटी , श्रु. १, ५० 3, 5. 3. (ii) धम्मत्थिकाय धम्मा० । काया समुदाया, अत्थी य काया य अस्थिकाया, ते य इमे धम्माऽधम्माऽऽकासजीवपोग्गला, “धम्मो सभावो लक्खणं" ॥ -शासियूणि, पृ० १०. ४. (i) सेयंवरो य आसंवरो य, बुद्धो व अहव अन्नो वा । समभावभावियप्पा, लहई मुक्खं न संदेहो ॥ -समापसप्तति, 10 २. (ii) समया सव्वभूएसु, सत्तु-मित्तेसु वा जगे। - उत्तराध्ययनसूत्र, २५० १८, २० २१. (iii) समयाए समणो होइ । -उत्तराध्ययनसूत्र, स० २५, ० ३२, Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ (iv) कान्ता मे समतैवैका, ज्ञातयो मे समक्रियाः । बाह्यवर्गमिति त्यक्त्वा, धर्मसंन्यासवान् भवेत् ॥ -ज्ञानसार, त्यासा४४, सो0 3. ५. (i) जन्मनि कर्मक्तशैरनुबद्धेऽस्मिन् तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावा यथा भवत्येष परमार्थः ।। परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ॥ -तत्वार्थ सूत्र, समा२ि७, सी० २, ५. (ii) किं बहुणा इह जह जह, रागद्दोसा लहुं विलिज्जति । तह तह पयट्टियव्वं, एसा आणा जिर्णिदाणं ।। -धर्मपरीक्षा, १०७. (iii) आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा । आश्रवः सर्वथा हेय उपादेयश्च संवरः ॥ आश्रवो भवहेतुः स्यात् , संवरो मोक्षकारणम् । इतीयमाहतीमुष्टि-रन्यदस्याः प्रपञ्चनम् ॥ -पीत२।१२तव, ५० १६, सी० ५, १. (iv) જેમ નિર્મળતા રે રત્નસ્ફટિક તણી, તેમ જે જીવસ્વભાવ; તે જિનવરે ધર્મ પ્રકાશી, પ્રબળ કષાય અભાવ, -શ્રી સીમંધરજિનવિનતિ (સવાસો ગાથાનું સ્તવન), ગા૧૭. ६. मित्ती मे सव्वभूएसु वेरं मज्झं न केणइ । - तुसूत्र, २० ४६. ७. (i) अहिंसा-गहणे पंच महव्ययाणि गहियाणि भवति । संजमो पुण तीसे चेव अहिंसाए उवग्गहे वट्टइ, संपुण्णाय अहिंसाय, संजमो वि तस्स वट्टइ ॥ -शासियू पिण, म० १. (ii) अहिंसैषा मता मुख्या, स्वर्गमोक्षप्रसाधनी । एतत्संरक्षणार्थ च, न्याय्यं सत्यादिपालनम् ॥ -श्री रिमभूरिकृत अष्ट४, १६ नित्यानित्याष्टर, सी० ५. (iii) इक चिय इत्थ वयं निद्दिष्टुं जिणवरेहिं सव्वेहिं । पाणावायविरमणं अवसेसा तस्स रक्खट्ठा ॥ धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो। -शासिसूत्र, १० १, २६० १. ४. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । -तत्वार्थ सूत्र, म. १, सू० १. Page #47 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ १०. सयम भने त५(i) सज्झायसंजमतवे वेयाषचे य झाणजोगे य । जो रमति, ण रमति, असंजमम्मि सो पावए सिद्धिं ॥ -शासि सूत्र-नियुति, २० १८. (ii) वरं मे अप्पा दंता संजमेण तवेण य । -उत्तराध्ययनसूत्र, ५० १, ० ११. (iii) मूलोत्तरगुणश्रेणि-प्राज्यसाम्राज्यसिद्धये । बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्यान् महामुनिः ॥ -ज्ञानसार, त५५४४, सो० ८. त्याग जे उ कंते पिए भोए, लद्धे विपिट्टि कुबई । साहीणे चयई भोए, से हु चाइ त्ति वुच्चइ । -शवैदिसूत्र, ५० २, ० ८. वैराज्य(i) माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय, लिप्पंतस्स सकम्मुणा ॥ -उत्तराध्ययनसूत्र,०६,०3. (ii) जम्म दुक्ख जरा दुक्ख, रोगा य मरणाणि य । अहो ! दुक्खा हु संसारा, जत्थ कसति जंतवा ॥ -उत्त२१८ययनभूत्र, ८० १८, २० १६. (iii) दृढतामुपैति वैराग्य-भावना येन येन भावेन । तस्मिस्तस्मिन् कार्यः, कायमनोवाग्भिरभ्यासः ॥ -प्रशभति, सो० १६. : (iv) शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चे-त्यदो माहास्त्रमुल्बणम् ॥ -ज्ञानसा२, मोखा, सो० २. तितिक्षा-- खुहं पिवासं दुस्सेज्जं, सीउण्हं अरई भयं । अहियासे अव्बहिओ, देहे दुक्ख महाफलं ॥ -शलिसूत्र, भ० ८, २० ४१५. ५यायार सम्यक्त्व-ज्ञान-चारित्र-तपो-वीर्यात्मको जिनैः प्रोक्तः । पञ्चविधेोऽयं विधिवत् , साध्वाचारः समनुगम्यः ॥ -प्रशभति, सी० ११3. ११. (i) रहजत्ता तित्थजत्ता य । 0 3. पुत्थयलिहणं पभावणा तित्थे । मा० ५. -मन् orgly मा ABाय. (ii) तहेव तित्थस्स प्रभावना । . –श्री विन्यसभा २ि४त “ श्री ५युषष्टानिया प्याभ्यान," या० भी Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩ नमो तित्थस्स જૈનધર્મના પ્રરૂપકો ખુદ તીર્થંકરો છે, એટલા ઉપરથી પણ જૈન સાધના અને સંસ્કૃતિમાં તીથ કેટલુ' મહત્ત્વનુ' સ્થાન ધરાવે છે તે સમજી શકાય છે. ઉપરાંત, ધર્માંના પ્રરૂપકા અને ધતીંના સ્થાપકે ભગવાન તીર્થં કરા પાતે, ધર્મ પરિષદમાં (સમવસરણમાં) પોતાની ધ દેશના શરૂ કરતાં પહેલાં, ‘નમો તિત્ત્વજ્ઞ ૧પનુ ઉચ્ચારણ કરીને, તીનુ બહુમાન કરતા હોય ત્યારે તે તીર્થના મહિમા કેટલા બધા હોવા જોઈ એ અને તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર ભગવાનને પ્રભાવ પણ કેટલે વ્યાપક હાવા જોઈએ, એ સહજપણે સમજાઈ જાય છે. તીર્થ અને તીની ભાવના ધર્મમાર્ગના ઓછા જાણકાર અને ધર્માંના આચરણની દિશામાં ડગલાં ભરવાની શરૂઆત કરનાર શ્રદ્ધાવાન ભદ્રિક સામાન્ય જનસમૂહના અંતરમાં પણ ધર્માનુરાગની કેવી કેવી સુભગ લાગણીઓ જન્માવે છે ! તીર્થંકર ભગવાન જે તીર્થની સ્થાપના કરે છે અને જે તી ને નમસ્કાર કરે છે તે, સ્થાવર નહી પણ જંગમ એટલે કે ચેતન તીર છે, અને તેને ભાવતી પણ કહેવામાં આવે છે. ધર્માંની પ્રરૂપણા માનવીના કલ્યાણ માટે કરવામાં આવે છે; અને ધના લાભ મેળવીને પોતાના જીવનને દોષમુક્ત, નિર્મળ અને પવિત્ર કરવાના પુરુષાર્થ કરનાર માનવી તીના જેવા આદરણીય છે, એ એની પાછળના ભાવ છે. તેથી જ તી કર ભગવાન પોતાના ધર્માંસ'ઘના અગરૂપ અને મેાક્ષમાર્ગી ધર્મનું અનુસરણ કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને તીથ' તરીકેનુ ગૌરવ આપે છે, અને એને નમસ્કાર કરે છે. પેાતાના ધર્મસંઘના અંગરૂપ સાધકાને આવું ગૌરવ આપવાની જૈનધર્મની આ પ્રણાલિકા વિરલ અને જૈન સ'સ્કૃતિની આગવી વિશેષતા કહી શકાય એવી છે; બીજા કાઈ ધર્મ પાતાના અનુયાયીઓને તી તરીકે બિરદાવવાની આવી પ્રણાલિકા કાયમ કરી હાય એમ જાણવા મળતું નથી. નીતિશાસ્ત્રારાએ “ સાધુ-સ ́તાનું દર્શન પુણ્યકારક છે, કેમ કે સાધુ-સંતા એ તીર્થાંસ્વરૂપ છે.” એમ જે કહ્યુ છે, એને ભાવ પણ જૈનધર્મની જગમ તીની ભાવનાને પુષ્ટ કરે એવા જ છે. જૈનધર્મ પાતાના સંઘના અગરૂપ સાધકાને તી તરીકેનુ ગૌરવ આપ્યું, એની પાછળના એક ભાવ ઇતર જીવન કરતાં માનવજીવન શ્રેષ્ઠ છે અને ધર્મનું પાલન કરવાના પુરુષાર્થ કરનાર માનવસમૂહ વિશેષ આદરપાત્ર છે, એ દર્શાવવાના હોય એમ પણ લાગે છે. મતલખ કે, જ્યારે પણ માનવીનું મન નિષ્ઠાભરી ધર્મકરણી તરફ વળે છે, ત્યારે ઉત્તરાત્તર એનુ જીવન વધુ ને વધુ પવિત્ર થતું જાય છે; અને, જૈન પરપરા પ્રમાણે, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ અને તી જેવુ... ગૌરવ મળે છે. આવું ગૌરવ મેળવનારાઓમાં તી કરદેવનું સ્થાન સર્વોચ્ચ છે; અને તેથી જ તે સમસ્ત શ્રીસ'ધના આરાધ્યદેવ તથા દેવાને પણ પૂજનીય એવા દેવાધિદેવ ગણાય છે. તીર્થંકર ભગવાન પાતાના ધર્મશાસનની પ્રભાવના માટે ચતુર્વિધ સ ́ઘરૂપ જગમ તીની સ્થાપના કરે છે, તે પછી જગમ તીર્થરૂપ શ્રીસંઘ સ્થાવર તી ધામાની સ્થાપના કરે છે,પ એ માટે પ્રેરણા આપે છે અને એની સાચવણી માટે બધી વ્યવસ્થા કરે છે. સાથે સાથે સ્થાવર તીર્થા શ્રીસંઘની ધર્મભાવનાને જાગ્રત કરવાનુ, ટકાવી રાખવાનું અને એમાં અભિવૃદ્ધિ કરવામાં બહુ ઉપયાગી અને ઉપકારક કાર્યાં કરે છે. આ રીતે તીર્થંકર ભગવાનના અભાવમાં જગમ અને સ્થાવર એ મને પ્રકારનાં તીર્થો, એકબીજાનાં ઉપકારક ખનીને, શ્રી જિનેશ્વરદેવના ધર્મશાસનની રક્ષા, અભિવૃદ્ધિ અને પ્રભાવના કરતાં રહે છે. તી ભૂમિ અને તી યાત્રાની ભાવના જનસમૂહના સંસ્કાર-ઘડતરમાં અને એની ગુસપત્તિમાં વધારો કરવામાં ઘણેા ઉપકારક ફાળા આપે છે. એટલા માટે જ દુનિયાના બધા દેશે અને ધર્મમાં ધર્મતીનાં યાત્રાધામેાની માટી સખ્યામાં સ્થાપના કરવામાં આવી છે અને પેાતાનાં પવિત્ર તીર્થધામે તરફ ધર્માનુરાગી જનસમૂહ અપાર શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની ભવ્ય ભાવના ધરાવતા હોય છે. અને આવાં યાત્રાધામા એના યાત્રિકને પેાતાના ઇષ્ટદેવના મહિમા વિશેષરૂપે સમજવાના અને એમના વિમળ સાંનિધ્યમાં પાતાની ખામીઓને શેાધવા તથા સ્વીકારવાનેા તેમ જ પેાતાના જીવનને સદ્ગુણાથી સમૃદ્ધ બનાવવાના પ્રયત્ન કરવાના તથા શુભ કાર્ય માટે પેાતાનાં તન-મન-ધન ન્યાછાવર કરવાને બહુમૂલા અવસર આપે છે, માનવજાત ઉપરના તીર્થં ભૂમિએના આ ઉપકાર વવી ન શકાય એટલેા વ્યાપક છે. જનસમૂહમાં પ્રવર્તતી તીર્થયાત્રાની ભાવનાના અને તીર્થભક્તિની તમન્નાનાં હૃદયસ્પશી દર્શન કોઈ પણ તીર્થભૂમિમાં થઈ શકે છે. એક આભ ઊંચા ગિરિરાજ છે; અને પેાતાના આરાધ્યદેવ એ ગિરિરાજના ઉન્નત શિખર ઉપર બિરાજે છે. કાઈક વૃદ્ધ ભાવિકજનના અંતરમાં એ દુર્ગમ પહાડ ઉપર બિરાજતા પેાતાના દેવાધિદેવ પરમેશ્વરનાં કે ઇષ્ટદેવનાં દર્શન કરીને પાતાની જાતને ધન્ય અને પાવન કરવાના મનેારથ જાગે છે, પછી તા, પોતાની વૃદ્ધ ઉઉંમર, વધતી શારીરિક અશક્તિ અને ડગમગતી કાયાના નિરાશાપ્રેરક વિચારો પણ એની ભાવનાને રોકી શકતા નથી; અને એ, પેાતાના ઇષ્ટદેવના સ્મરણથી અદમ્ય મનેાબળ મેળવીને, પર્વતના શિખર ઉપર પહોંચવા તૈયાર થઈ જાય છે. કાયા ભલે ડાલતી હાય, પગ ભલે ધીમા ધીમા ઊપડતા હોય અને થાકેલા શરીરને આરામ આપવા ભલે લાકડીના સહારો લેવા પડતા હાય, પણ એની ભાવના ઉત્તરાત્તર એવી વધતી હાય છે કે, એની આગળ આવા બધા અવરાધા દૂર હટી જાય છે; અને, એક . Page #50 -------------------------------------------------------------------------- ________________ નમે તિત્હસ્સ પુણ્ય ઘડીએ, યાત્રિક ગિરિવરના શિખર ઉપર પહેાંચી જાય છે, અને પેાતાના આરાધ્યદેવની પૂજા-ભક્તિ-સ્તવના કરી કૃતાર્થાંતા અનુભવે છે. ધર્મ તરફ રુચિ ધરાવતાં સપત્તિશાળી ભાઈઓ અને બહેનેા તીથ ભૂમિ નિમિત્તે પોતાનું ધન ઉદારતાથી વાપરવાની ભાવના ધરાવતાં હોય છે, અને જ્યારે પણ આવા અવસર મળે છે ત્યારે, પેાતાના ધનના સદ્વ્યય કરીને, એવા અવસરને તેએ ઉલ્લાસથી લાભ લે છે. દેશ-વિદેશમાં પ્રસરેલી નાની-મોટી અસંખ્ય તીર્થં ભૂમિએ, સંપત્તિવાન ભાઈ એ-બહેનાએ પાતાની સંપત્તિના ઉદારતાથી સદુપયેાગ કર્યાની અને એમની ધર્મશ્રદ્ધા તથા તીર્થ ભક્તિની સાક્ષી પૂરે છે. ૧૫ અને, આટલું જ શા માટે, સામાન્ય અને ગરીબ સ્થિતિવાળાં અસખ્ય ધર્મભાવનાશીલ ભાઈ બહેનને પણ હમેશાં એવી ઝંખના રહ્યા કરે છે કે, કયારે પાવન તીર્થ ભૂમિના સ્પર્શ કરવાનેા સોનેરી અવસર મળે? અને, પેાતાની એછી કમાણીમાંથી પણ કઈક બચત કરીને તેએ તી યાત્રાની પેાતાની આવી ઉત્તમ ઝંખનાને પૂરી કરે છે ત્યારે જ એમને સંતાષ થાય છે. લેાકમાનસ ઉપર આવા અદ્ભુત પ્રભાવ છે તીર્થભૂમિ અને તી યાત્રાની ભાવનાના. આ ભાવનાને પૂરી કરવામાં આવી પડતાં શરીર-કષ્ટા ધર્માનુરાગી મહાનુભાવને પેાતાના આત્માની કસેટી જેવાં આવકારદાયક લાગે છે. તી યાત્રા કરતી વખતે ચિત્ત જે આનંદ અને ઉલ્લાસના અનુભવ કરે છે, એ અપૂર્વ હાય છે, અને પેાતાની સ ́પત્તિનુ વાવેતર કરીને એને કૃતાર્થ કરવાનો જે લાભ તી ભૂમિમાં મળે છે, એ પાતાના અને બીજાના માટે લાંખા વખત સુધી ઉપકારક બની રહે છે. અર્થાત્ તીભૂમિ અને તીયાત્રા જનસમૂહને તન-મન-ધનને સમર્પિત અને કૃતકૃત્ય કરવાની અમૂલ્ય પ્રેરણા અને તક આપે છે. તીર્થભૂમિ અને તીર્થયાત્રાનેા આવા અસાધારણ પ્રભાવ હાવાના કારણે તીથ ભૂમિઆની સ્થાપના અને રક્ષાને તેમ જ તીર્થયાત્રા માટે કાઢવામાં આવતા સઘાને ઉત્તમ પ્રકારનું ધર્મ કૃત્ય લેખવામાં આવ્યુ છે; અને એના વહીવટ માટે અનેક સસ્થા એ સ્થાપવામાં આવી છે. આવી સસ્થાઓમાં, જૈન સ`ઘમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આગળ પડતી અને પ્રથમ પંક્તિની સસ્થા ગણાય છે. અને એની કાર્યવાહીના ઇતિહાસ જૈન સંધની શ્રદ્ધા, ભક્તિ અને કાર્યશક્તિની કીતિ ગાથા બની રહે એવા અને એના ગૌરવનું દર્શન કરાવે એવા છે, Page #51 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા પ્રકરણની પાદનોંધા 'तीर्थाय नम ' इत्येव - मुच्चैरुच्चारितस्तुतिः । रत्नसिंहासने पूर्वाभिमुखो न्यषदत् प्रभुः ॥ - त्रिषष्टि०, ५० 3, स० ४, श्लो० १८. २. (i) तिथं भंते । तित्थं, तित्थगरे तित्थं ? । गोयमा ! अरहा ताव नियमा तित्थगरे, तित्थं पुण चाउव्वणाइण्णे समणसंघे । तं जहा-समणा, समणीओ, सावया, सावियाओ य । १. 3. (ii) भावे तित्थं संघो सुयविहियं, तारओ तहिं साहू । नाणाssइतियं तरणं, तरियव्वं भवसमुद्दोऽयं ॥ (iii) कस्मात् पुनः संघो भावतीर्थमित्याह - भगवतीसूत्र, श० २०, ३०८. - विशेषावस्याभाष्य, गा० १०२८. जं नाणदंसणचरित्तभावओ तग्विवक्खभावाओ । भवभावओ य तारेइ तेण तं भावओ तित्थं ॥ (iv) तित्थं ति पुव्वभणियं, संघो जो नाणचरणसंघाओ । इह पत्रयणं पि तित्थं तत्तोऽणत्थंतरं जेह || - विशेषावश्यम्भाष्य, ० १०३०. - विशेषावश्यम्भाष्य, गा० १३७७. (v) બ્રાહ્મણુ ધર્મમાં પણ માનસ-તીર્થં અને ભૌમ-તીર્થં —એ રીતે તીથૅના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે. માનસ-તીર્થ એટલે આધ્યાત્મિક તીર્થં; અને ભૌમ-તીર્થ એટલે તી ભૂમિ. - भुखो, ४६पुराण, अशी भड. साधूनां दर्शनं पुण्यं तीर्थभृता हि साधवः । तीर्थ फलति कालेन, सद्यः साधुसमागमः ॥ - प्रयसित सुभाषित. ४. (i) जगचिंतामणि जगनाह जगगुरु जगरक्खण जगबंधव जगसत्थवाह....... - भगयितामणि यैत्यवधन, गा० १. (ii) पुरिसुत्तमाणं पुरिससीहाणं । पुरिसवरपुंडरीआणं पुरिसवरगंधहत्थीणं ॥ लोगुत्तमाणं लोगनाहाणं । लोग हिआणं लोगपईवाणं लोगपज्जोअगराणं ॥ -नमुत्थुणसूत्र, सू० 3, । — पुइमरवरहीवड्ढेसूत्र, गा० २. (iii) तमतिमिरपडल विद्वंसणस्स सुरवरनरिंदमहिअस्स सीमाधरस्त वंदे पप्फोडियमोहजालस्स ॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ નમો તિસ્થમ્સ (iv) जो देवाण वि देवो जं देवा पंजलि नमसंति । ___ तं देवदेवमहियं सिरसा वन्दे महावीरं ॥ –સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર, ગા૦ ૨. (v) तस्मादर्हति पूजामहन्नेवोत्तमोत्तमो लोके । देवर्षिनरेन्द्रेभ्यः पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥ તત્વાર્થસૂત્ર, સમ્બન્ધકારિકા, લે. ૭. (vi) તા: સર્વજ્ઞ યઃ સાગ્રતગુણેશ્વરઃ | क्लिष्टकर्मकलातीतः, सर्वथा निष्कलस्तथा ॥ यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्वयोगिनाम् । यः स्रष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥ युग्मम् ॥ –હરિભદ્રસૂરિકૃત અષ્ટક, પહેલું મહાદેવાષ્ટક, . ૩, ૪. (vii) વર્ષે નવમૂલ્યન, સમૂત્રાઃ રાપur | मूर्ना यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः ॥ –વીતરાગસ્તોત્ર, પ્ર. ૧, ૦ ૨. પ. (i) પુંડરીકાદિક પાંચે તીરથ, ચત્યના પાંચ પ્રકાર રે; થાવર તીરથ એહ ભણજે, તીર્થયાત્રા મહાર રે; શ્રી તીરથપદ પૂજો ગુણી જન, જેથી તરિકે તે તીરથ રે. ૩ વિહરમાન વીશ જંગમ તીરથ, ... ... સંઘ ચતુવિધ જંગમ તીરથ, ... ... " –વિજયલક્ષ્મી રિકત શ્રી વીશસ્થાનકની પૂજા, પૂજા ૨૦મી. (ii) તીર્થની વ્યાખ્યાतिज्जइ जं तेण तहिं, तओ व तित्थं ॥ ---વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૧૦૨૩. (iii) ભવ જલ તરિયે જેહથી, તીરથ કહિએ તેહ; દ્રવ્યભાવથી સેવતાં, ટાળે પાપની રેહ. ૧ તીરથ સેવી બહુ જના, પામ્યા ભવને પાર; જગમ થાવર તીરથના, ભાષા દેય પ્રકાર. ૨ –રૂપવિજયજીકૃત વીશાનક પૂજા, પૂજા ૨૦મીના દેહા. તીર્થયાત્રાથી મળતા ફળ અંગે કહેવામાં આવ્યું છે કે – (i) સન્મrળ નિવૃત્તિ વિકસતા રઘવાતા नैर्मल्यं दर्शनस्य प्रणयिजनहितं जीर्णचैत्यादिकृत्यम् । Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ (ii) श्रीतीर्थपान्थरजसा विरजीभवन्ति, શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ तीर्थोन्नत्यं च सम्यग् जिनवचनकृतिस्तीर्थसत्कर्मकत्वं, सिद्धेरासन्नभावः सुरनरपदवी तीर्थयात्रा फलानि ॥ तीर्थेषु विभ्रमणतो न भवे भ्रमन्ति । तीर्थव्ययादिह नराः स्थिरसम्पदः स्युः, पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥ (iii) वपुः पवित्रीकुरु तीर्थयात्रया । (iv) अग्रणी : शुभकृत्यानां तीर्थयात्रैव निश्चितम् । दानादिधर्मः सर्वोsपि, यस्मिन् सीमानमश्नुते ॥ — उपदेशतर गिडी, पृ० २.४२. — पद्देशतर ंगिएणी, ५० २४६. - सूक्तमुक्तावली. —કુમારપાલભૂપાલચરિત્ર મહાકાવ્ય, સ૦ ૯, શ્લા ૨૭૫. ७. (i) नमिऊण वद्धमाणं, सम्मं संखेवओ पवक्खामि । जिणजत्ताए विहाणं, सिद्धिफलं सुत्तणीईए ॥ –प·याशः अनु२९, ५०४, ० १ ( श्री हरिलद्रसूरिविरथित). (ii) तथा प्रतिवर्ष जघन्यतोऽप्येकैका यात्रा कार्या । यात्रा च त्रिधा । यदुक्तंअष्टानिकाभिधामेकां, रथयात्रामथापराम । तृतीयां तीर्थयात्रां चेत्याहुर्यात्रां त्रिधा बुधाः ॥ - श्राद्धविधिप्ररण, सटी, ला०२, ५० २२. (iii) अथ तीर्थयात्रास्वरूपम् । तत्र तीर्थानि श्रीशत्रुञ्जय श्रीश्वतादीनि । तथा तीर्थकृज्जन्मदीक्षाज्ञाननिर्वाणविहारभूमयोऽपि प्रभूतभव्य सत्त्व शुभभाव संपादकत्वेन भवांम्भोनिधितारणात् तीर्थान्युच्यन्ते । तेषु सद्दर्शनविशुद्धिप्रभावनाद्यर्थं विधिवद्यात्रागमनं तीर्थयात्रा । - श्राद्धविधिप्राण, सटी, ला०२, ५० २३. Page #54 -------------------------------------------------------------------------- ________________ ४ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની અનેકમુખી કાર્યવાહીનો વિચાર કરતાં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના મહિમાના અને એના ધર્મ ભાવના-અભિમુખ વહીવટના વિચાર કરવાનુ` સહજપણે પ્રાપ્ત થાય છે; અને છેલ્લા ત્રણથી ચાર સૈકા દરમિયાન થયેલ આ મહાતીર્થના વિસ્તાર તથા વહીવટનો વિચાર કરતાં શેઠ આણુ‘દજી કલ્યાણુ જીની પેઢીની કામગીરીનુ` સહેજે સ્મરણ થઈ આવે છે. પેઢી અને આ તીથૅ વચ્ચે, છેલ્લા ત્રણ-ચાર સકા દરમિયાન, આવા નિકટના અને અભિન્ન સંબંધ ખધાઈ ગયા છે. અને એને લીધે પેઢીનાં નામ અને કામ દેશભરમાં ખૂબ જાણીતાં થઈ ગયાં છે. માનવીની ધર્મશીલતા પાંગરવા લાગે છે ત્યારે એ, શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની ભાવનાથી પ્રેરાઈને, પેાતાની સ'પત્તિના, ન કલ્પી શકાય એટલા મેાટા પ્રમાણમાં, કેવી ઉદારતાથી સદ્વ્યય કરે છે અને કેવાં કેવાં જાજરમાન દેવપ્રાસાદા તથા ધર્મતીર્થીનુ સર્જન અને રક્ષણ કરે છે, એના શ્રેષ્ઠ અને કદાચ અનન્ય કહી શકાય એવા દાખલે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયમાં જોવા મળે છે. માનવીની ધર્મભાવના અને એની પોતાના આરાધ્ય દેવ પ્રત્યેની અખંડ ભક્તિના સુભગ સંગમ આવાં તીર્થ ધામેામાં જોવા મળે છે. શ્રી શત્રુંજય તી એમાં મુગટમણની જેમ શે।ભી રહ્યું છે, અને તેથી એનેા મહિમા અનેક ગ્રંથામાં, ભાવપૂર્ણાંક, વર્ણવવામાં આવેલ છે.૧ જૈન સંઘ ઉપર એનેા કેટલેા ધેા અસાધારણ પ્રભાવ છે! શ્રીસઘમાં સૌકેઈ એ તીની, છેવટે જીવનમાં એકાદ વાર પણુ, યાત્રા કરવાની કેવી ઉત્કટ તમન્ના સેવતા હાય છે અને એ મહાતીર્થની યાત્રા કરીને પોતાની જાતને કેટલી કૃતકૃત્ય થયેલી સમજે છે, તે સુવિદિત છે. માનવસ'સ્કૃતિના આદિ સ્થાપક ભગવાન ઋષભદેવ આ તીર્થસ્થાનમાં પૂર્વ ૯૯ વાર સમે સર્યા ( પધાર્યા) હતા,૨ એ પર પરાના પુણ્યસ્મરણ અને યથાશકય અનુકરણ નિમિત્તે, ગિરિરાજ ઉપર શાભતા આ મહાતીર્થની ૯૯ યાત્રા કરવી એ જીવનના મોટા લહાવા ગણાય છે. અને અનેક ભાવિક જના, શારીરિક કષ્ટો અને ખીજી અગવડોની ચિંતા કર્યાં વગર, તપ, વ્રતા અને ધર્મ ક્રિયાઓનુ` યથાશક્તિ પાલન કરીને, અંતરના ઉલ્લાસથી, નવાણું યાત્રા કરવામાં પોતાના જીવનની કૃતાતા અને આત્માની ઉન્નતિ સમજે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ આ તીર્થની ખ્યાતિ “પ્રાયઃ શાશ્વત તીર્થ તરીકેની હોવાના કારણે એની કીતિગાથા ઈતિહાસકાળ અને તે પહેલાંના સુદીર્ઘ પ્રાચીન સમય સુધી વિસ્તરેલી જોવા મળે છે. આ તીર્થ સાથે ભગવાન ઋષભદેવનું નામ જે રીતે સંકળાયેલું છે, તેથી એ ભગવાન ઋષભદેવના તીર્થ તરીકે વિખ્યાત બનેલું છે. વળી, ભગવાન ઋષભદેવને પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી આ ગિરિ ઉપર જ મોક્ષે પધાર્યા હતા, આ બીને પણ આ તીર્થની પવિત્રતા અને પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. આ તીર્થ શ્રી પુંડરીક ગણધરની નિર્વાણભૂમિ હોવાથી પુંડરીક ગિરિ તરીકે ઓળખાય છે. વળી, અસંખ્ય આત્માઓ અહીં આત્મસાધના કરીને મોક્ષે ગયેલા એટલે કે સિદ્ધિપદને પામેલા હોવાથી સિદ્ધક્ષેત્ર કે સિદ્ધાચલ તરીકે પણ આ તીર્થ વિખ્યાત બનેલ છે. આ રીતે આ તીર્થભૂમિના અણુઅણુમાં પવિત્રતાને વાસ હોવાથી એને પરમ પવિત્ર માનવામાં આવે છે. આ મહાતીર્થની પવિત્રતાની ભાવના એ, છેક પ્રાચીન સમયથી લઈને તે વર્તમાન સમય સુધી, જૈન સંઘ ઉપર કેટલે બધે પ્રભાવ વિસ્તાર્યો છે, તે સુવિદિત છે. ઈતિહાસ કહે છે કે, આ પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે અને જ્યારે પણ, રાજકીય ઝંઝાવાત કે એવા જ કેઈ બાહ્ય કે આંતરિક કારણે, આ તીર્થની આશાતના થઈ છે, એના ઉપર આક્રમણ થયું છે અથવા આ તીર્થની યાત્રા કરવાનું મેકૂફ રાખવાને દુઃખદ વખત આવે છે, ત્યારે સમસ્ત શ્રીસંઘે વજપાત જે આઘાત અને અંગવિ છેદ જેવી કારમી વેદનાને અનુભવ કર્યો છે. અને આ મહાન તીર્થ ઉપર આવી પડેલા સંકટના નિવારણ માટે શ્રીસંઘે તન-મન-ધનના સમર્પણભાવથી કામ કરવામાં લેશ પણ વિલંબ ન થાય કે કચાશ ન રહે એની પૂરેપૂરી જાગૃતિ રાખી છે; અને જ્યારે એવી આપત્તિ દૂર થવા પામી છે ત્યારે જ એણે નિરાંતનો શ્વાસ લીધે છે. આ દૃષ્ટિએ જોતાં આ મહાતીર્થ જૈન સંઘને પિતાના પ્રાણ કરતાં પણ અધિક વહાલું છે એમ વિના અતિશયોક્તિએ કહી શકાય. આ તીર્થને મહિમા જે રીતે વિસ્તરતું જાય છે, તે જોઈને ભવિષ્યમાં પણ આ મહિનામાં કશી ખામી નથી આવવાની એવી આસ્થા જરૂર રાખી શકાય–જાણે આ તીર્થને મહિમા શાશ્વતપણાના દિવ્ય રસાયણથી સિંચાયે ન હોય, એમ જ લાગે છે. આ તીર્થના અપૂર્વ મહિમાથી પ્રેરાઈને તથા એને પાપનું પ્રક્ષાલન કરવાનું ઉત્તમ અને નિર્મળ સાધન અને મોક્ષપદને પ્રાપ્ત કરવાનું પવિત્ર પગથિયું માનીને, દર વરસે, ચતુર્વિધ સંઘની હજારો ભાવિક વ્યક્તિઓ, એ તીર્થની યાત્રા કરવા આવે છે, એ તે ખરું; ઉપરાંત, નાના-મોટા અનેક સંઘો પણ, દૂરથી તેમ જ નજીકથી, છેક પ્રાચીન કાળથી, આ મહાતીર્થની યાત્રાએ આવતા રહ્યા છે અને અત્યારે પણ આવતા રહે છે. આ રીતે આ તીર્થ તન-મન-ધનને કૃતાર્થ કરીને આત્માને નિર્મળ અને ઉન્નત કરવાનું અપૂર્વ નિમિત્ત બની રહે છે. આત્માને અંતર્મુખ બનવાની, ચિત્તના ચંચળતાનો ત્યાગ કરીને Page #56 -------------------------------------------------------------------------- ________________ દી દેવમંદિરોની નગરી તીર્થાધિરાજ શત્રુંજય મહાગિરિનું સર્વગ્રાહી દર્શન “ઉજજવળ જિનગૃહમંડળી તિહાં દીપે ઉત્ત'ગા” હિ. છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ () CHITT DET (IA છે ? : ૪ ૪ : રું છું ક રે રા " " ) , , , , - :: ::: હાથીપળના કળામય, વિશાળ, નૂતન પ્રવેશદ્વારનો દેખાવ Page #58 -------------------------------------------------------------------------- ________________ દાદાની દ્રકમાંના ભગવાન ઋષભદેવના વિશાળ જિનપ્રાસાદને ઉપરના ભાગનું કળામય દ્રશ્ય. Page #59 -------------------------------------------------------------------------- ________________ છે. * * ૨૪ : - ર : કે, ' છે જ છે. .., દાદાના જિનપ્રાસાદના શિલ્પસમૃદ્ધ શિખર અને સામરણનું દ્રશ્ય. Page #60 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા સ સંયમના માર્ગ યથાશક્તિ અપનાવવાની અને સુખાપભાગના બદલે સમજપૂર્વક કષ્ટોના સામનેા કરવાની સહિષ્ણુતા કેળવવાની પ્રેરણાને ઝીલીને યાત્રિક, ધર્મસ'સ્કૃતિના સારના અપ-સ્વલ્પ પણ અનુભવ અને આસ્વાદ આ તી માં મેળવે છે. આ તીર્થનાં દર્શન કરતાં, અલ્પ સમય માટે પણુ, પુદ્ગલભાવ વિસારે પડે અને આત્મભાવના સામાન્ય વિચાર પણ આવે તે તેય મોટા લાભનું કારણ બની રહે છે.૧૦ આ તીર્થાધિરાજને નાનાં-મોટાં સેકડા જિનમદા અને પાષાણની તથા ધાતુની નાની-મોટી હજારો જિનપ્રતિમાઓથી૧૧ સમૃદ્ધ અને શોભાયમાન કરનાર ધર્મભાવનાશીલ સગૃહસ્થા અને સન્નારીઓનું સ્મરણ યાત્રિના અંતરને કેવું લાગણીભીનું, મુગ્ધ અને વિનમ્ર ખનાવી મૂકે છે ! તેથી જ, આ તીર્થાધિરાજ તથા એના અધિદેવતા ભગવાન ઋષભદેવની સ્તુતિ-પ્રશસ્તિ નિમિત્તે, શાસ્ત્રની ભાષામાં તથા લેાકભાષાઓમાં, સેંકે સેકે, નાની-મેાટી અસખ્ય ગદ્ય-પદ્યકૃતિઓ રચાતી રહી છે; અને અત્યારના સમયમાં પણ નવી નવી રચાતી જ જાય છે,૧૨ ‘પ્રાયઃ શાશ્વત' ગણાતા આ તીર્થના, ઇતિહાસયુગ પહેલાંના સુદીર્ઘ સમયમાં, અનેક ઉદ્ધારા થયાની કથા જૈન સાહિત્યમાં સચવાયેલી છે.૧૩ અને ઇતિહાસયુગમાં આ તીના ચાર ઉદ્ધારા થયા,૧૪ તેમાં સૌથી પહેલા ( અને ઉદ્ધારાની પ્રાચીન પર પરામાં તેરમા ) ઉદ્ધાર, વિ॰ સ`૦ ૧૦૮ ની સાલમાં, શ્રેષ્ડી જાવડશાએ કરાવ્યાની કથા આપણે ત્યાં ખૂબ જાણીતી પ છે. આ વિખ્યાત ઘટનાની નોંધ વિક્રમની ઓગણીસમીવીસમી સદીમાં થઈ ગયેલા આપણા સંતકવિ પંડિત શ્રી વીરવિજયજી મહારાજે, વિ॰ સં॰ ૧૮૮૪માં રચેલ, નવાણુપ્રકારી પૂજામાં આ પ્રમાણે લીધી છે : “ સંવત એક અઠલ તરે રે, જાવડશાના ઉદ્ધાર.” શ્રી શત્રુ...જય ગિરિની પ્રાચીનતા દર્શાવતા ગ્રંથસ્થ એટલે કે સાહિત્યિક પુરાવા જૈન આગમામાં પ્રાચીન લેખાતાં અંગસૂત્રમાં પણ મળે છે. એને છઠ્ઠા અંગ શ્રી જ્ઞાતાધમ - કથાંગસૂત્રમાં ‘પુ’ડરીક પર્યંત ’અને ‘શત્રુંજય પર્વત’ તરીકે૧૨ અને આઠમા અંગ શ્રી અ’તકૃદ્દેશાંગસૂત્રમાં ‘ શત્રુ જય પર્વત ’૧૭ તરીકે ઉલ્લેખ મળે છે. અગસૂત્ર જેવા જૈન સાહિત્યના પ્રાચીનતમ તથા મૌલિક ગ્રંથામાં સચવાયેલા આ ઉલ્લેખા કાઈ ને કાઈ પ્રાચીન ઘટના યા કથાના પ્રસ`ગમાં કરવામાં આવેલ છે. વળી, આ આગમસૂત્રાની ગૂંથણી શ્રમણ ભગવાન મહાવીરની ધ દેશનાને આધારે ગણધર ભગવતાએ કરી છે; અને પરમાત્મા મહાવીરદેવે, ધ દેશના આપતાં, પાતે જ એમ કહ્યુ` છે કે, હું જે કંઈ કહું છું તે પૂના તીર્થંકરાએ જે કઈ કહ્યું છે, તેને અનુસરીને કહું છું.૧૮ શ્રી શત્રુંજય તી સાથે સકળાયેલી આવી કથાઓ અને ઘટનાએ તથા ભગવાન મહાવીરનું આવુ' કથન પણ આ તીની પ્રાગિતિહાસકાળ સુધી વિસ્તરતી પ્રાચીનતાને જ Page #61 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ પુરવાર કરે છે. શ્રી અંતકૃશાંગસૂત્રમાં તે એક પ્રસંગ એ આપવામાં આવ્યો છે કે, બાવીસમા તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિ (નેમિનાથ)ના શિષ્ય ગૌતમ નામના અણગાર શ્રી શત્રુંજય ગિરિ ઉપર એક માસની અંતિમ સંલેખના કરીને મોક્ષે ગયા હતા. ૧૯ શ્રી શત્રુંજય તીર્થ ઉપર કરવામાં આવેલી સાધનાની અનેક પ્રાચીન ઘટનાઓનું સમર્થન કરે એવા અનેક ઉલ્લેખો પ્રાચીન જૈન સાહિત્યમાંથી મળી શકે એમ છે. જાવડશાહે આ તીર્થને તેરમે ઉદ્ધાર વિસં. ૧૦૮માં કરાવ્યુંતે પછી મંત્રોશ્વર ઉદયનના પુત્ર બાહડ મંત્રીએ શ્રી શત્રુંજય ગિરિને ચૌદમો ઉદ્ધાર વિસં. ૧૨૧૧ની સાલમાં કરાવ્યાને એતિહાસિક (સાહિત્યિક) પુરાવે મળે છે. શ્રી બાહડ મંત્રીએ કરાવેલ ચૌદમા ઉદ્ધારની અસાધારણ વિશેષતા એ હતી કે, એમણે ગિરિરાજ ઉપરના લાકડાના જિનાલયના સ્થાને પાષાણુનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું; અને, એમ કરીને, પિતાના સ્વર્ગસ્થ પિતા અને ગૂર્જરપતિના મહામંત્રી ઉદયનની, શત્રુંજય ગિરિરાજ ઉપર લાકડાના મંદિરના સ્થાને, પાષાણનું મંદિર બનાવવાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી. વળી, આ ચૌદમા ઉદ્ધારથી જેમ મંત્રીશ્વર ઉદયનની પ્રતિજ્ઞા પૂરી થઈ હતી, તેમ શત્રુંજય તીર્થના અનેકમુખી વિકાસનાં પગરણ પણ આ ઉદ્ધાર પછી જ મંડાયાં હતાં, એમ ઉપલબ્ધ થતી હકીક્ત ઉપરથી જાણી શકાય છે. ૨૪ આ રીતે તેરમા અને ચૌદમા ઉદ્ધાર વચ્ચે ૧૧૦૩ વર્ષને ગાળે રહે છે તે દર મિયાન પણ આ તીર્થ ઉપર અવારનવાર કષ્ટ આવતાં રહ્યાં હશે તથા યાત્રા બંધ કરવાના વખત પણ આવ્યા હશે; અને એ રીતે આ તીર્થની આશાતના પણ થતી રહી હશે. આમ છતાં, આ તીર્થ પ્રત્યેની શ્રીસંઘની શ્રદ્ધા અને ભક્તિમાં ક્યારેય ઓટ આવવા પામી નથી, આવા સંકટન પ્રસંગે પણ જૈન સંઘનાં પ્રાર્થના અને પુરુષાર્થ તે, આ તીર્થની યાત્રા વહેલામાં વહેલી ફરી કેમ શરૂ થાય એ દિશામાં જ થતાં રહ્યાં છે. આ બીના પણ એ જ બતાવે છે કે, આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાની ભાવના શ્રીસંઘના અંતર સાથે કેવી દઢતા પૂર્વક વણાઈ ગયેલી અને ઊંડી છે! શ્રી શત્રુંજય તીર્થ ઉપર જે કોઈ તરફથી ઉપદ્રવ થયા છે, એમાં બૌદ્ધધર્મના અનુયાયીઓનો પણ સમાવેશ થાય છે. એક કાળે, ભારતના અન્ય ભાગની જેમ, સૌરાષ્ટ્રમાં પણ બૌદ્ધધર્મનાં કેન્દ્રો હતાં; અને આ સમય દરમિયાન જ આ ધર્મના અનુયાયીઓના હાથે આ તીર્થની આશાતનાના બનાવો બન્યા છે. બૌદ્ધધર્મના સૌરાષ્ટ્રમાંના પ્રસાર અને પ્રભાવથી દેરવાઈને એક અંગ્રેજ સંશોધકે તો “પાલિતાણુ” શહેરના નામની એવી વિચિત્ર સમજૂતી આપી હતી કે, “આ શહેર બૌદ્ધધર્મનાં ધર્મશાસ્ત્રોની ભાષા પાલિભાષાનું સ્થાન હોવાથી એ “પાલિતાણું” તરીકે ઓળખાયું હતું !૨૭ જોગાનુજોગ વિ. સંવની અગિયારમી સદી પછી, જ્યારે આખા ભારતમાંથી બૌદ્ધધર્મને Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તાર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા પ્રસાર ઘટવાની શરૂઆત થઈ ત્યાર પછી, એટલે કે મોટે ભાગે ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર સોલંકીઓનું રાજ્યશાસન શરૂ થયું ત્યારથી, બેએક પ્રસંગોને બાદ કરતાં, શ્રી શત્રુંજય તીર્થની આશાતના થાય એવા મોટા ઉપદ્રવ ભાગ્યે જ થવા પામ્યા છે, એટલું જ નહીં, એકંદર આ તીર્થને મહિમા અને વિસ્તાર વધતું જ રહ્યો છે, જેની વિગતે હવે પછીના પ્રકરણમાં આપવામાં આવશે. આ તીર્થ ઘણું પ્રાચીન હોવા છતાં, તથા ઈતિહાસયુગમાં એને પ્રથમ (તેર) ઉદ્ધાર, છેક વિક્રમના બીજા સૈકાની શરૂઆતમાં જ, શ્રેષ્ઠી જાવડશાના હાથે થયો હોવા છતાં, પુરાતત્ત્વની દષ્ટિએ પ્રાચીન ગણી શકાય એવાં શિલ્પ-સ્થાપત્ય અથવા છેવટે એવાં પુરાતન સ્થાપત્યના છણે કે ભગ્ન અવશેષે ગિરિરાજ ઉપર, થોડાક પ્રમાણમાં પણ, કેમ સચવાયાં કે મળતાં નહીં હોય, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આને સામાન્ય ખુલાસે. એ છે કે, આ ગિરિરાજ નવાં નવાં દેવમંદિરે કે દેવકુલિકાઓનાં સ્થાપત્યરૂપી સમૃદ્ધિથી વિશેષ સમૃદ્ધ થવાની શરૂઆત ગુજરાતના સુવર્ણયુગ સમા સેલંકીયુગના ઉત્તર કાળથી જ થઈ હતી. આ પહેલાં પણ આ તીર્થની પ્રાચીનતા અને પવિત્રતાની ભાવના શ્રીસંઘના અંતરમાં ખૂબ દઢમૂળ થયેલી હોવા છતાં, એની ઉપરનાં સ્થાપત્યોની સંખ્યા બહુ મર્યાદિત હતી, એટલું જ નહીં, ભગવાન ઋષભદેવનું મુખ્ય જિનમંદિર સુધાં, આ પહેલાં સૂચવ્યા પ્રમાણે, લાકડાનું (અથવા જેના બાંધકામમાં લાડાને ઉપગ ઘણું મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હશે એવું) બનેલું હોવાનું મંત્રીશ્વર ઉદયનના અંતિમ જીવનને લગતી (ચૌદમા ઉદ્ધારની) એક કથા ઉપરથી પણ જાણી શકાય છે. ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર પ્રાચીન શિલ્પ-સ્થાપત્યના અવશે નહીં મળવાનું કારણ જણાવતાં કર્નલ જેમ્સ ટેડે લખ્યું છે કે, “જેન સંઘના બે મુખ્ય પક્ષે (તપગચ્છ અને ખરતરગચ્છ) વચ્ચે, આ તીર્થની બાબતમાં, અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. એટલે જ્યારે જે ગચ્છનું વર્ચસ્વ પ્રબળ થતું, તે ગ૭ તરફથી બીજા ગરછના કેઈ ને કેઈ સ્થાપત્યને નુકસાન પહોંચાડવામાં આવતું. આને પરિણામે, સમય જતાં, આવા પ્રાચીન શિલાલેખ અને અવશેષે નામશેષ થઈ ગયા.૨૮ કર્નલ ટેડના આ કથનને કેટલું વજૂદ આપવું એ વિચારણીય છે. કારણ કે, એને કંઈક વજૂદ આપવા ગ્ય લેખવામાં આવે તો પણ, સેલંકીયુગ પહેલાં એ તીર્થ ઉપર દેવમંદિર વગેરે સ્થાપત્યે બહુ મર્યાદિત સંખ્યામાં હતાં, અને, જીર્ણોદ્ધાર તથા સમારકામને કારણે, એમાં, સમયે સમયે, ક્યારેક નાના તે ક્યારેક મોટા, ફેરફાર થતા જ રહ્યા છે અને એથી એની પ્રાચીનતા પણ ઢંકાતી રહી છે, એ હકીકત પણ આ બાબતમાં ધ્યાનમાં લીધા વગર ચાલે એમ નથી; અને આ હકીક્ત તરફ ધ્યાન આપવાથી કર્નલ ટોડના આ લખાણમાં આક્ષેપ બહુ જ હળવે થઈ જાય છે, Page #63 -------------------------------------------------------------------------- ________________ २४ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ આ તીર્થની પ્રાચીનતાનું સૂચન કરતે એક સૌથી પ્રાચીન કહી શકાય એ શિલાલેખી પુરાવો વિક્રમની અગિયારમી સદી એટલે પ્રાચીન તે મળે જ છે; અને અત્યારે પણ એ આ તીર્થમાં બિરાજમાન કરવામાં આવેલ એક પ્રતિમા ઉપર સારી રીતે સચવાયેલ છે. આ મૂર્તિ ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીની છે, અને તે વિ. સં. ૨૦૩૨માં પ્રતિષ્ઠિત થયેલ નૂતન જિનાલયમાં, ૩૯ભા નંબરની દેરીમાં, પધરાવવામાં આવી છે. આ મૂર્તિ ઉપરના ત્રણ લીટીના અને ત્રણ શ્લોકના આ શિલાલેખનો ભાવ એ છે કે, વિદ્યાધર કુળના શ્રી સંગમસિદ્ધ નામના એક મુનિવરે, અંતિમ સંલેખના (આજીવન અનશન)નું વ્રત સ્વીકારીને અને ૩૪ દિવસ સુધી એનું સ્વસ્થતાપૂર્વક પાલન કરીને, વિવે સં. ૧૦૬૪ના માગસર વદિ બીજ અને સોમવારે સ્વર્ગગમન કર્યું, તે નિમિત્તે શ્રી પંડરીકસ્વામીનું આ ચૈત્ય (બિંબ) ભરાવવામાં આવ્યું છે. શ્રી શત્રુંજય તીર્થ ઉપરથી અત્યાર સુધીમાં મળેલા શિલાલેખોમાં આ શિલાલેખ (પાષાણ પ્રતિમાલેખ) સૌથી પ્રાચીન છે. આ શિલાલેખ ઉપરાંત પાષાણની પ્રતિમા ઉપરન, ધાતુ પ્રતિમા ઉપર અથવા પગલાં યા બીજા કેઈ સ્થાન કે સ્થાપત્ય ઉપર કતરેલો બીજે કઈ આથી વધુ પ્રાચીન લેખ મળી આવે તો તે આ તીર્થની પ્રાચીનતા ઉપર વધારે ઐતિહાસિક પ્રકાશ પાડી શકે. આગળ સૂચવ્યું તેમ, આ તીર્થનાં સિદ્ધગિરિ અને સિદ્ધાચલ એવાં નામ પણ પ્રસિદ્ધ છે. શ્રી સંગમસિદ્ધ મુનિવરે, પિતાની અંતિમ આરાધનારૂપ મારણાંતિક સંલેખના કરવા માટે, જેમ આ તીર્થભૂમિની પસંદગી કરી હતી, તેમ મહામંત્રી વસ્તુપાલના સમયમાં પણ, પિતાના સાધુધર્મથી ચલિત થયેલા એક મુનિવરને પિતાની ભૂલને ખ્યાલ આવ્યો ત્યારે, એ પણ, અંતિમ અનશન કરીને દેહમુક્તિ મેળવવા માટે, શ્રી સિદ્ધગિરિ ઉપર જ ચાલ્યા ગયા હતા. આવા આવા પ્રસંગે ઉપરથી જોઈ શકાય છે કે આવી ઉત્કટ અંતિમ આરાધના કરીને પિતાના આત્માનું કલ્યાણ કરવા માટે જે સ્થાનની પસંદગી કરવામાં આવતી હોય એ સ્થાન જૈન સંઘને મન કેટલું બધું પવિત્ર હોવું જોઈએ ! મહામંત્રી વસ્તુપાળ, પાછલી અવસ્થામાં એમની તબિયત અસ્વસ્થ હતી તે વખતે, શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ જવા, મોટા પરિવાર સાથે, નીકળ્યા હતા. પણ ભાલમાં આવેલ અંકેવાળિયા ગામે તેઓની માંદગી વધી જતાં તેઓ ત્યાં જ સ્વર્ગવાસી થયા હતા. તેમના મૃતદેહને ત્યાં જ અગ્નિસંસ્કાર કર્યા પછી તેજપાળ વગેરે એમના અસ્થિને શ્રી શત્રુંજય ગિરિ ઉપર લઈ ગયા હતા અને એ અસ્થિને ત્યાં પધરાવીને તે સ્થાને ભગવાન ઋષભદેવને સ્વર્ગારોહણ પ્રાસાદ બનાવ્યો હતો; અને એમાં બે બાજુ નમિ અને વિનમિ વિદ્યાધરોની અને વચ્ચે ભગવાન ઋષભદેવની કાઉસગ્ગ મુદ્રાવાળી પ્રતિમા પધરાવી હતી. આ પ્રસંગ પણ આ તીર્થસ્થાનની પવિત્રતાની સાક્ષીરૂપ બની રહે એ છે.૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ ચોથા પ્રકરણની પાદનો १. (i) बंभ्रम्यते कथं धर्म-वाञ्छया सर्वदिङ्मुखम् । छायाऽपि पुण्डरीकाद्रेः, स्पृश्यतामितरैरलम् ॥ १७ ॥ नास्त्यतः परमं तीर्थ, धर्मो नातः परो वरः । शत्रुञ्जये जिनध्यानं, यजगत्सौख्यकारणम् ॥ २० ॥ त्रिधार्जितं कुलेश्याभिः, पापमापत्प्रदं जनाः । स्मृत्याऽपि पुण्डरीकाद्रेः, क्षिपन्त्यपि सुदारुणम् ॥ २१ ॥ सिंहव्याघ्राहिशबर-पक्षिणोऽन्येऽपि पापिनः । दृष्ट्वा शत्रुञ्जयेऽर्हन्तं, भवन्ति स्वर्गभाजिनः ॥ २२ ॥ मुमुक्षवो योगिनोऽत्र, विद्याधरनरोरगाः । कंदरासु पवित्रासु, ध्यायन्त्यर्हन्मयं महः ॥ ३७ ।। परस्परं विरुद्धा ये, सत्वा आजन्मतोऽपि ते । त्यक्तवैरा रमन्तेऽत्र, जिनाननविलोकिनः ॥ १८ ॥ -शत्रु-यभाडात्म्य, सर १. (ii) अन्यतीर्थेषु यद् यात्रा-शतैः पुण्यं भवेन् नृणाम् । तदेकयात्रया पुण्यं, शत्रुञ्जयगिरौ स्फुटम् ॥ ३०॥ - सियो , पृ० १३ (आया ३०). (iii) आनन्दानम्रकप्रत्रिदशपति शिरस्फारकोटीरकोटी प्रेशनमाणिक्यमालाशुचिरुचिलहरीधौतपादारविन्दम् । आद्यं तीर्थाधिराज भुवनभयभृतां कर्ममर्मापहारं, वन्दे शत्रुञ्जयाख्यक्षितिधरकमलाकण्ठशृङ्गारहारम् ॥१॥ –શત્રુંજયમંડન ઋષભજિનસ્તુતિ. (iv) जे किंचि नामतित्थ, सग्गे पायाले माणुसे लोए । तं सव्वमेव दिटुं, पुंडरिए वंदिए संते ॥ -शत्रुय सधु ४८५, १० १०. (v) असंखा उद्धारा, असंख पडिमाओ चेइअ असंखा । जहिं जाया जयउ तयं, सिरिसत्तुंजयमहातित्थं ॥ २४ ॥ जं कालयसरि पुरो, सरई सुदिट्ठी सया विदेहे पि । इणमिअ सक्केणुत्तं, तं सत्तुंजयमहातित्थं ॥३०॥ जल-जलण-जलहि-रण-वण-हरि-करि-विस-विसहराइदुटुभयं । नासह जं नाम सुई, तं सत्तुंजयमहातित्थं ॥ ३७॥ -सित्तु ४४पो. ४ - Page #65 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ नवनवई पुव्वाई, विहरंतो आगतो अ सित्तुंजे। उसभी देवेहिं, समं समोसढो पढमतिथ्थम्मि ॥ --સિત્તેજકપો, ભા૧, પૃ. ૪૫ (શુભશીલ ગણિકૃત ટીકા). ૩. (1) યાત્રા નવાણું અમે કરીએ, ભવ ભવ પાતિકડાં હરીએ; તીર્થ વિના કહે કેમ તરીએ ? વિવેકી વિમલાચલ વસીયે. –વીરવિજ્યજીકૃત શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, ગા૦ ૧૧. (ii) યાત્રા નવાણું કરીએ, વિમલગિરિ યાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણું વાર શેત્રુ જાગિરિ, ઋષભ નિણંદ સમોસરીએ. વિમલગિરિ યાત્રા નવાણું કરીએ. –પદ્મવિજ્યજીત શ્રી સિદ્ધાચલજીનું સ્તવન, ગા૦ ૧. ૪. (i) તે સુમધ, હાર્મિકાઃ | મુનિ મહાઈ, રાશ્વતઃ સમઃ | -સિત્તેજક, ટીકા, ભા૧, પૃ. ૩૫, શ્લોક ૨ (શુભશીલ ગણિવિરચિત). (ii) પ્રાયે એ ગિરિ શાશ્વત, રહેશે કાળ અનંત; શત્રુંજય મહાતમ સુણ, નમે શાશ્વત ગિરિ સંત. (૨૩) –વીરવિજયજીકત શ્રી સિદ્ધાચલનાં ૨૧ ખમાસણના દુહા. (iii) આદિ અંત નહિ જેહને, કઈ કાલે ન વિલાય; તે તીથેશ્વર પ્રણમિયે, શાશ્વતગિરિ કહેવાય. (૯૭) –કલ્યાણસાગરસૂરિના શિષ્ય (પુણ્યમંદિર ?) કૃત શ્રી સિદ્ધગિરિજીના ૧૦૮ દુહા. ओसप्पिणीइ पढम, सिद्धो इह पढमचक्कि-पढमसुओ । पढमजिणस्स य पढमो, गणहारी जत्थ पुंडरीओ ॥ चित्तस्स पुण्णिमाए, समणाणं पंचकोडिपरिवरिओ । णिम्मलजसपुंडरीअं, जयउ तं पुंडरीयतित्थं ॥ -સિત્તેજક, ગા. ૧૨-૧૩ (ભા. ૧, પૃ. ૧૦૪). ૬. (i) વીશ કેડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ; એમ અનંત મુગતે ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ. (૯) –વીરવિજયજીકૃત શ્રી સિદ્ધાચલનાં ૨૧ ખમાસણના દુહા. (ii) અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવને પાર; તે સિદ્ધાચલ પ્રણમિચે, લહિયે મંગળમાળ. (૫) કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; . તે તીર્થેશ્વર પ્રભુમિયે, સિદ્ધક્ષેત્ર સમ ચિત્ત. (૮૯). -કલ્યાણસાગરસૂરિના શિષ્ય (પુણ્યમંદિર ?) કૃત શ્રી સિદ્ધગિરિજીના ૧૦૮ દુહા. ' ૭ શ્રેણી જાવડશા, બાહડ મંત્રી, શ્રેષ્ઠી સમરાશા તથા શ્રેષ્ઠી કર્માશાએ ચાર પુણ્યશાળી Page #66 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા ૮. કૈં. ધર્માત્મા મહાપુરુષોએ કરાવેલ અનુક્રમે ૧૩-૧૪-૧૫-૧૬મા દ્વારા; નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીથી લઈને તે શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આદિના પ્રયાસેાથી, વિ સં ૧૭૦૭થી લઈને તે વિ॰ સં॰ ૧૯૮૪ સુધીમાં, પાલીતાણા રાજ્ય સાથે કરવામાં આવેલા રખાપાના પાંચ કરારા તેમ જ વચ્ચે વચ્ચે આ તીર્થની યાત્રાની આડે આવેલ અવરાધેાને તથા પાલીતાણા રાજ્ય સાથેના ઝઘડાઓને દૂર કરવા માટે સમયે સમયે થતા રહેલા પ્રયત્ના જૈન સંધની આ તીર્થની સાચવણી માટેની તેમ જ એની યાત્રાને ચાલુ રાખવાની ચિંતા અને પ્રવૃત્તિના ખ્યાલ આપે છે. ( આ ઘટનાઓની વિગતા આ પુસ્તકનાં ૯ થી ૧૨ સુધીનાં પ્રકરણેામાં આપવામાં આવેલ હકીકતા ઉપરથી જાણી શકાશે. ) આ તીર્થના પ્રભાવ શ્રી ધર્મ ધોષસૂ રિપ્રણીત ‘ સત્તુ ંજકપ્પા' ગ્રંથ ઉપરની શ્રી શુભશીલણકૃત ટીકામાં પણ વિસ્તારથી વર્ણવવામાં આવ્યા છે, જેમાંની ઘેાડીક ગાથાઓ અહીં આપવામાં આવે છે जं लहइ अन्नतित्थे, चरणेन तवेण बंभचेरेण । तं लहइ पयत्तेणं सेतुंज गिरिम्मि निवसतो ॥ २ ॥ अट्ठाषय सम्मेए, चंपा पावाइ उज्जितनगे य । वंदित्ता पुण्णफलं, सयगुणियं होइ पुंडरीए ॥ ८ ॥ —સિત્તુ જકષ્પા, ભા॰ ૧, પૃ૦ ૨૨૯. कंतार चोर सावय, समुद्दा दारिद्द रोगरिउरुद्दा । मुच्चति अविग्घेणं, जे सेत्तुजं धरंति मणे ॥ ચતુર્વિધ સ ́ધને માટે તીર્થ યાત્રા એ આત્મસાધનાનું એક સમર્થ સાધન છેક પ્રાચીન કાળથી માનવામાં આવેલું છે. અને તેથી વ્યક્તિ તેમ જ વ્યક્તિઓના સમૂહેા, એટલે કે યાત્રાસંધા, પણ ભૂતકાળમાં તી યાત્રા કરતા રહ્યા છે અને અત્યારે પણ કરે છે. શ્રેષ્ઠી જાવડશા, મહારાજા સ’પ્રતિ, મહારાજા સિદ્ધરાજ જયસિંહ, મહારાજ કુમારપાળ વગેરે રાજવીઓ તેમ જ બાહુડ મંત્રી, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળ, શ્રેષ્ઠી જગડુશા, શ્રેષ્ઠી સમરાશા, શ્રેષ્ઠી કર્માશા, શ્રેષ્ઠી વર્ધમાન–પદ્મસિંહ વગેરે અનેક શ્રેષ્ઠીઓએ કાઢેલ તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજયના યાત્રાસધાના ટૂંકાં તેમ જ લાંબાં યાત્રાવણૅના પ્રાચીન તેમ જ અર્વાચીન ગ્રંથામાં સચવાઈ રહેલાં છે, જેમાંના કેટલાંકના નામ આ પ્રમાણે છે— (i) શ્રી મેરુતુ ંગસૂ રિવિરચિત પ્રશ્નચિંતામણિ, (ii) પુરાતનપ્રા ધસ’ગ્રહ. (iii) શ્રી રાજશેખરસૂ કૃિત પ્રબંધકાશ ( ચતુર્વિં શતિપ્રશ્નધ ). (iv) શ્રી પ્રભાચંદ્રસૂ કૃિત પ્રભાવકચરિત્ર. (v) શ્રી જિનપ્રભસૂ રિવિરચિત વિવિધતીર્થંકલ્પ. (vi) શ્રી ઉદયપ્રભસૂ કૃિત સંસ્કૃતકીતિ કલ્લોલિની. (vii ) શ્રી જિનહષ્કૃત વસ્તુપાલચરિત્ર. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૦. રિ ૧૧. શેઠ આ૦ કલની પેઢીને ઇતિહાસ (viii) શ્રી ઉદયપ્રભસૂ રિકૃત સંઘપતિચરિત્ર અમરનામ ધર્માલ્યુદય કાવ્ય. (ix) શ્રી કક્કસૂ રિવિરચિત નાભિનંદનજિદ્વારપ્રબંધ. (1) પં. શ્રી વિવેકધીરગણિકૃત શ્રી શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ. (i) સર્વાનંદસ્ રિકૃત જગડ્રચરિત. (iii) શ્રી અમરસાગરસૂરિકૃત વર્ધમાનપદ્મસિંહશ્રેષ્ટિચરિત્ર. मित्थात्वगरलोदूगारः, सम्यग्दृष्टिसुधारसः । पूर्वो इस्वः परो दीर्धी नाभिनन्दनवन्दने ॥ –સૂક્તમુક્તાવલી, અ૦ ૬૬, ૦ ૮. શ્રી શીલવિજયજીએ વિ. સં. ૧૭૪૬માં રચેલ “તીર્થમાળા માં ગિરિરાજ શત્રુ જ્ય ઉપર ત્રણ છાસઠ દેરાં હોવાનું નીચે મુજબ લખ્યું છે— સર્વ થઈ ત્રણસય છાસટ્ટ, ગઢ ઉપર દેરા ગુણ હટ્ટ; ભરતે ભરાવી મણીમે જેહ, ધનુષ પાંચશે ઉંચી દેહ. –ઢાળ પહેલી, ચોપાઈ ૮. વિ. સં. ૧૯૭૨માં છપાયેલ “શ્રી સિદ્ધાચળનું વર્તમાન વર્ણન” (પૃ. ૧૦૬)માં ગિરિરાજ ઉપરનાં દેરાં, દેરી તથા પ્રતિમા વગેરેની સંખ્યા આ પ્રમાણે જણાવવામાં આવી છેઃ દેરાં ૧૨૪, દેરીએ ૭૩૯, પાષાણની પ્રતિમાઓ ૧૧૪૭૪, પગલાં જેડી ૮૯૬૧. આ બાબતમાં વિશેષમાં આ પુસ્તક (પૃ. ૧૦૭)માં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે– શ્રી શેત્રુંજય તીર્થરાજની મોટી નવ ટુંકમાં ઉપર મુજબ દેહેરાં અને દેહેરીઓ ઉપરાંત નાના ગેખ ઘણાં છે; તેમજ કોઠામાં બતાવેલ પ્રતિમાને કુલ આંકડો ખાસ નાની મોટી પાષાણની જ પ્રતિમા જાણવી. ચાર સહસ્ત્રકુટની ચાર હજાર ભેગી સમજવી. તદુપરાંત ધાતુની પ્રતિમા, સિદ્ધચક્રજી, અષ્ટમંગલિકજી, ઍ, શ્રી કાર, પતરાં, દેવ, દેવીઓ, શેઠ, શેઠાણીએ, અને આચાર્યો-મુનિરાજ વિગેરેની પણ પ્રતિમા–મૂર્તિઓ ઘણું છે.” શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની યાદી પ્રમાણે સને ૧૯૫૨-૫૩માં ગિરિરાજ ઉપર મોટાં દેરાસર ૧૦૮, દેરીઓ ૮૭૨, પાષાણની પ્રતિમાઓ ૯૯૯૧ અને ધાતુની પ્રતિમાઓ ૬૬૬ વિદ્યમાન હતાં. તીર્થાધિરાજ શત્રુંજયને તથા આદિ દેવ ભગવાન ઋષભદેવને પ્રભાવ જૈન સંઘ ઉપર છેક પ્રાચીન કાળથી એટલો બધો રહ્યો છે કે તેથી, જેમ એ મહાતીર્થની યાત્રાએ જનાર ભાવિક જનની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે, તેમ એ તીર્થાધિરાજ અને એ દેવાધિદેવને મહિમા વર્ણવતી કૃતિઓ પણ વધુ ને વધુ રચાતી જ રહી છે. જે કૃતિઓ છપાઈ ગઈ છે, તે ઉપરાંત હજી પણ પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, રાજસ્થાની, હિંદી વગેરે ભાષાઓમાં રચાયેલી કૃતિઓ સેંકડોની સંખ્યામાં હસ્તલિખિત રૂપમાં ભંડારોમાં સચવાયેલી ૧૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ તથાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા છે. એટલે જ્યારે આવી મુદ્રિત કૃતિઓની પૂરી યાદી અહીં આપવાનું મુશ્કેલ જણાય છે, તે પછી બધી અમુદિત કૃતિઓની યાદી આપવાની તે વાત જ શી કરવી ? આમ છતાં આ તીર્થને મહિમા વર્ણવતી, ભલે મર્યાદિત સંખ્યાની પણ, કૃતિઓની યાદી અહીં આપી શકાય એટલા માટે મુખ્યત્વે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ', જૈન ગૂર્જર કવિઓ'“શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન” એ ગ્રંથના આધારે, તેમ જ કેટલાક પૂજ્ય મુનિવરને પૂછીને આવી કૃતિઓ સંબંધી જે યાદી તૈયાર થઈ શકી છે, તે અહીં સાભાર રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે– આત્મરંજન ગિરિરાજ શત્રુંજય–પ્રનેમચંદ જી. શાહ, સં. ૨૦૩૧. ઋષભદેવચરિત્ર-કર્તાઃ શ્રી વર્ધમાનસૂરિ, સં. ૧૧૬૦. ઋષભપંચાશિકા–કવિ ધનપાલ (૧૧મી સદી). ઋષભરાસ-કર્તા: શ્રી ગુણરત્નસૂરિ, સં. આશરે ૧૫૦૦. ઋષભશતક-કર્તા : શ્રી હેમવિજયજી, સં. ૧૬પ૬. ઋષભસ્તવન–કર્તાઃ શ્રી સંઘવિજયજી, સં. ૧૬૭૦. કલ્યાણસાગરસૂરિના શિષ્યના ૧૦૮ દુહા. જય શત્રુંજય–લે, શ્રી સાંકળચંદ શાહ, સં. ૨૦૨૬ પછી. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટૂંક પરિચય)–લે શ્રી મધુસૂદન ઢાંકી, સં. ૨૦૩૧. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ– રતિલાલ દીપચંદ દેસાઈ, સં. ૨૦૩૪. તીર્થાધિરાજ શત્રુંજયયાત્રા માતા–પ્ર. શ્રી જૈનાનંદ પ્રેસ, સં. ૨૦૨૭. નવાણ અભિષેક પૂજા–કર્તાઃ પં. શ્રી પદ્મવિજયજી, સં. ૧૮૫૧. નવાણુપ્રકારી પૂજા–કર્તાઃ પં. શ્રી વીરવિજયજી, સં. ૧૮૮૪. નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ-કર્તાઃ શ્રી કકસૂરિ, સં. ૧૩૯૩. વિમલાચલસ્તવનકર્તા શ્રી ક્ષેમકુશળ, સં. ૧૭૭ર પહેલાં. વીરવિજયજીકૃત દુહા, આશરે ૧૯મી સદીના અંત ભાગમાં. Shatrunjaya and Its Temples-- James Burgess, A. d. 1869. શત્રુંજય ઉદ્ધાર રાસ--કવિ શ્રી નયસુંદર, સં૦ ૧૬૩૮. શત્રુજય કલ્પકથા–કર્તાઃ પં. શ્રી શુભશીબ ગણિ, સં. ૧૫૧૮. શત્રુંજય ગિરિરાજ દર્શન–લેપંશ્રી કંચનસાગરજી, સં. ૨૦૩૬. શત્રુંજય ગિરિરાજ સ્તવનાદિ સંગ્રહ–સં૦ ૫૦ શ્રી કનકવિજયજી. શત્રુંજય ગિરિરાજ સ્પર્શના–લે. મુનિ શ્રી નિત્યાનંદવિજયજી, સં. ૨૦૩૨. શત્રુંજય ચૈત્ય પરિપાટી–શ્રી જયમશિષ્ય (હસ્તલિખિત). Page #69 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ શત્રુજ્ય ચૈત્ય પરિપાટી (પ્રવાડી)-કવિ ખમે. શત્રુંજય તીર્થ) ચૈત્ય પ્રવાડી–શ્રી સોમપ્રભ ગણિ (હસ્તલિખિત). શત્રુંજય તીર્થકલ્પ (વિવિધ તીર્થકલ્પ અંતર્ગત)-કર્તા શ્રી જિનપ્રભસૂ રિજી, સં૦ ૧૩૮૫. શત્રુંજય તીર્થ દર્શન–લે, શ્રી ફૂલચંદ હ. દોશી, સં. ૨૦૦૨. શત્રુંજય તીર્થ પરિપાટી-કર્તાઃ શ્રી દેવચંદ્રજી, સં. ૧૬૫. શત્રુંજય તીર્થમાલા-કર્તાઃ પં. શ્રી અમૃતવિજયજી, સં. ૧૮૪૦. શત્રુંજય તીર્થમાલા-કર્તાઃ શ્રી વિનીતકુશલ, સં. ૧૭૭૨. શત્રુંજય તીર્થમાલા રાસ ઉદ્ધારાદિક સંગ્રહ–પ્ર. નિર્ણયસાગર પ્રેસ. શત્રુંજય તીર્થ રાસ–કર્તાઃ શ્રી જિનહર્ષ ગણિ, સં. ૧૭૫૫. શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ–કર્તાઃ શ્રી વિવેકધીર ગણિ, સં. ૧૫૮. શત્રુંજય તીર્થોદ્ધાર રાસ–કર્તા: શ્રી સમયસુંદર ગણિ, સં. ૧૬૮૬. શત્રુંજય તીર્થોદ્ધાર સંગ્રહ–સં. શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, સં. ૨૦૦૦. શત્રુંજય દીગ્દર્શન–લે શ્રી દીપવિજયજી, સં. ૨૦૦૩. શત્રુંજય ઠાત્રિશિકા (બત્રીશી)–કર્તાઃ આ૦ શ્રી જયશેખરસૂરિ. શત્રુંજયની ગૌરવગાથા–કર્તાઃ પં. શ્રી સદ્ગવિજયજી, સં. ૨૦૩૫. શત્રુંજયને વર્તમાન ઉદ્ધાર–પ્રન્ટ જેન આત્માનંદ સભા, સં. ૧૯૯૨. શત્રુજ્ય પરિપાટી-કર્તાઃ શ્રી ગુણચંદ્ર, સં૦ ૧૭૬૮. શત્રુંજ્ય પર્વતનું વર્ણન. શત્રુંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા ભાગ-૧ અને ભાગ–૨–લે શ્રી દેવચંદ દામજી કુંડલાકર, “જૈન” કાર્યાલય, ભાવનગર, સં. ૧૯૮૫. શત્રુંજય મહાતીર્થ ગુણમાલા–સં. શ્રી મહિમાવિજયજી, સં. ૨૦૦૯. શત્રુંજય મહાતીર્થ મહાભ્યસાર–પ્ર૦ વિદ્યાશાળા, અમદાવાદ. શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ–સં. શ્રો કપૂરવિજયજી મહારાજ, સં. ૧૯૭૦. શત્રુંજ્યમંડન આદિનાથ સ્તવનકર્તાઃ શ્રી સમરચંદ્ર, સં. ૧૬૦૮. શત્રુંજય માહા –કર્તાઃ શ્રી ધનેશ્વરસૂરિ, સં૦ ૪૭૭. શત્રુંજય માહાભ્ય–ગુજરાતી (હસ્તલિખિત). શત્રુજ્ય માહાભ્ય રાસ–ર્તા: શ્રી સહજકીર્તિ, સં. ૧૬૮૪. શત્રુંજય માહાતલેખકર્તાઃ પં. શ્રી હંસરત્ન ગણિ, સં. ૧૭૮૨. શત્રુંજય લધુ કલ્પ–(સારાવલી પન્નાની ગાથારૂપ), પૂર્વશ્રતધર પ્રણીત. Page #70 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા શત્રુંજય સૌરભ યાને શ્રી જિન તીર્થ દર્શન–પ્રકા, શ્રી શાહ જયન્તિલાલ પ્રભુદાસ, સં. ૨૦૧૫. (વીર સંવત ૨૪૮૫). શત્રુંજય સ્તવન–સાધુ કીરતિ. શત્રુંજય સ્તવના–આદિનાથ વિનતિરૂપ– કર્તાઃ શ્રી પ્રેમવિજયજી (૧૭મી સદી). સમરારાસુ–કર્તા : શ્રી અભ્યદેવસૂરિ (આ»દેવસૂરિ), સં. ૧૩૧૧. સિનું જકપ–કર્તાઃ શ્રી ધર્મષર્ રિ, ટીકાકાર પં. શ્રી શુભશીલ ગણિ, ટીકા સં. ૧૫૧૮. સિદ્ધગિરિરાજ યાત્રાવિધિ-પ્ર. શ્રી વોરા મૂલજીભાઈ, સં. ૧૯૯૯ સિદ્ધાચલ ગિરનાર સંધ–કર્તાઃ પં. શ્રી વીરવિજયજી, સં. ૧૯૦૫. સિદ્ધાચલનું વર્તમાન વર્ણન–લે શ્રી ગુલાબચંદ શામજી કારડીયા, સં. ૧૯૭૨ નીચેના ગ્રંથોમાંથી પણ શ્રી શત્રુંજય મહાતીર્થ સંબંધી વર્ણન તથા પ્રશસ્તિ મળી શકે એમ છે— કુમારપાલચરિત–કર્તા : શ્રી સંમતિલકલ્સ રિ, સં. ૧૪૨૪. કુમારપાલચરિત (પ્રાકૃત)–કર્તાઃ શ્રી હરિશ્ચંદ્ર કુમારપાલચરિત્ર–કર્તા: શ્રી ચારિત્ર્યસુંદર, સં. ૧૪૮૪ અને સં. ૧૫૦૭ની વચ્ચે. કુમારપાલચરિત્ર–કર્તા : શ્રી જયસિંહસૂરિ, સં. ૧૪૨૨. કુમારપાલપ્રતિબેધ–કર્તાઃ શ્રી સમપ્રભાચાર્ય, સં. ૧૨૪૧. ' કુમારપાલપ્રતિબધપ્રબંધકર્તાઃ અજ્ઞાત, સં. ૧૪૧૫. કુમારપાલપ્રબંધકર્તા શ્રી જિનમંડન, સં. ૧૪૯૨. કુમારપાળરાસ-કવિ શ્રી ઋષભદાસ, સં. ૧૬૭૦. કુમારપાળરાસ (ચરિત્ર)–કર્તાઃ શ્રી જિનહર્ષ, સં. ૧૭૪ર.. કુમારપાળરાસ-કર્તા : શ્રી દેવપ્રભ ગણિ, સં. ૧૫૪૦ પહેલાં. ' કુમારપાળરાસ-કર્તા: શ્રી હીરકુશળ, સં. ૧૬૪૦. ચતુર્વિશતિપ્રબંધ-કર્તા: શ્રી રત્નશેખરસૂરિ, સં. ૧૪૦૫. - જૈન તીર્થ સર્વ સંગ્રહ– શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, સં. ૨૦૧૦. ધર્માલ્યુદય કાવ્ય અપરનામ સંધપતિ ચરિત્ર–કર્તા: શ્રી ઉદયપ્રભસૂરિ, વિ. સં. ૧૨૭૯-૮૦ આસપાસ. પ્રબંધચિંતામણિકર્તા શ્રી મેરૂતુંગસૂરિ, સં. ૧૩૬૧. પ્રભાવક ચરિત–કર્તા: શ્રી પ્રભાચંદ્રસૂરિ, સં. ૧૩૨૪. પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨–સં. શ્રી જિનવિજ્યજી, સં. ૧૯૭૮ વસ્તુપાલચરિત્ર–કર્તાઃ શ્રી જિનહર્ષ, સં. ૧૭૮૩, Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શેઠ આટકની પેઢીને ઇતિહાસ શાંતિદાસ અને વખતચંદ શેઠને રાસ–કર્તા : શ્રી ક્ષેમવદ્ધન, સં. ૧૮૭૦. સુકૃતકાતિ કલ્લેલિની–કર્તા : શ્રી ઉદયપ્રભસૂરિ. હિંદુસ્તાનનાં જૈન તીર્થો–સં. શ્રી સારાભાઈ મણિલાલ નવાબ, સં. ૨૦૦૦. આ યાદી રચના સંવતના કાળક્રમ પ્રમાણે તૈયાર કરવાને બદલે અકારાદિ ક્રમે બનાવવામાં આવી છે. અને એમાં “શ્રી ’ને ધ્યાનમાં લીધા વગર વિક્રમ ગોઠવવામાં આવેલ છે. તપાસ કરતાં જેટલી કૃતિઓની રચના સંવત મળી તેને નિર્દેશ પણ જે તે કૃતિ સાથે કરવામાં આવ્યા છેથોડીક કૃતિઓ એવી છે કે જેને રચનાસંવત મળી શક્યો નથી. ઇતિહાસયુગ પહેલાં (પ્રાગૈતિહાસિક સમયમાં) શત્રુંજયને નીચે મુજબ બાર ઉદ્ધાર થયા છે ઉદ્ધાર-૧–ભગવાન શ્રી ઋષભદેવસ્વામીના શાસનમાં શ્રી ભરત ચક્રવતીએ કર્યો. ઉદ્ધાર-ર—સૌધર્મ ઇંદ્રની પ્રેરણાથી શ્રી ભરત ચક્રવતીના વંશમાં થયેલ આઠમા રાજા શ્રી દંડવીયે કર્યો. ઉદ્ધાર–૩–શ્રી તીર્થકર દેવના ઉપદેશથી ઈશાન (દંડવીર્યના પછી સો સાગરોપમ જેટલે કાળ ગયા બાદ) કર્યો. ઉદ્ધાર–૪–ત્રીજા ઉદ્ધાર પછી ક્રોડ સાગરોપમ કાળ બાદ મહેન્દ્ર ઇદે કર્યો. ઉદ્ધાર-પ–-ચોથા ઉદ્ધાર પછી દશ ક્રોડ સાગરોપમ કાળ બાદ પાંચમા દેવલોકના ઈંદ્ર કર્યો. ઉદ્ધાર-૬–પાંચમા ઉદ્ધાર પછી લાખ ફોડ સાગરોપમ કાળ બાદ ભવન નિકાયના ઈંદ્રોએ કર્યો. ઉદ્ધાર-૭–શ્રી અજિતનાથ ભગવાનના શાસનમાં સગર ચક્રવતીએ કર્યો. ઉદ્ધાર–૮–શ્રી અભિનંદન સ્વામીના શાસનમાં વ્યંતરોએ કર્યો. ઉદ્ધાર–૯–શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શાસનમાં ચંદ્રયશા રાજાએ કર્યો. ઉદ્ધાર–૧૦–શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં ચક્રધર રાજાએ કર્યો. ઉદ્ધાર–૧૧–શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં, પિતાના લઘુ બંધુ શ્રી લક્ષમણજી સાથે રહીને, શ્રી રામચંદ્રજીએ કર્યો. ઉદ્ધાર–૧૨–શ્રી અરિષ્ટનેમિનાથને શાસનમાં પાંચ પાંડવોએ કર્યો. ઈતિહાસ-યુગમાં થયેલ ચાર ઉઠારોની યાદી આ પ્રમાણે છે– ૧. શ્રી મહાવીરદેવના શાસનમાં વિ. સં૧૦૮ વર્ષમાં મધુમતીનિવાસી જાવડ શ્રેષ્ઠીએ, આચાર્યશ્રી વજીસ્વામીના સાન્નિધ્યમાં કર્યો (તેરમે ઉદ્ધાર). ૨. ઉદયન મંત્રાના પુત્ર બાહડ મંત્રીએ વિસં. ૧૨૧૧માં (મતાંતરે સં. ૧૨૧૩માં), કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સાનિધ્યમાં, કર્યો (ચૌદમો ઉદ્ધાર). ૩, પાટણના શ્રેષ્ઠી દેશળશાના પુત્ર સમરસિંહે (સમરાશાએ) વિસં. ૧૩૭૧માં, આચાર્યશ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં, કર્યો (પંદરમો ઉદ્ધાર). ૧૪. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા ૪. ચિત્તોડના મંત્રી કર્માશાએ વિ. સં. ૧૫૮૭માં, આચાર્ય રત્નાકરસૂરિજીની નિશ્રામાં, કર્યો (સેળ ઉદ્ધાર ). આ રીતે પ્રાગ ઈતિહાસકાળના બાર અને ઇતિહાસકાળના ચાર મળીને કુલ સોળ ઉદ્ધાર થયાની વાત જેમ પ્રાચીન ગ્રંથમાં સચવાયેલી છે, તેમ જૈન સંઘમાં પણ ગિરિરાજના સોળ ઉદ્ધાર થયાની વાત જ ઘણે મોટે ભાગે માન્ય અને પ્રચલિત થયેલી છે. આમ છતાં પં. શ્રી વિવેકધીર ગણિએ વિ. સં. ૧૫૮૭માં રચેલ અને મંત્રી કર્માશાએ કરાવેલ ગિરિરાજના છેલ્લા (સોળમાં) ઉદ્ધારની વિગતો આપતા “શ્રી શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ” નામે કાવ્યમાં પ્રથમ ઉલ્લાસના એકથી છ સુધીના લેકમાં ૧૮ ઉદ્ધારની નામાવલિ આપી છે. તેમાં સમરાશાએ કરાવેલ (પંદરમાં) ઉદ્ધારની ગણના અઢારમા ઉદ્ધાર તરીકે કરવામાં આવી છે. એટલે મંત્રી કર્માશાએ કરાવેલ ઉદ્ધાર ક્રમાંક ૧૯મો થાય છે. આ રીતે આ યાદીમાં જે ત્રણ વધુ ઉદ્ધાર નંધ્યા છે, તે આ પ્રમાણે છે: (૧) સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમ રાજાએ કરાવેલો. (૨) આ૦ ધનેશ્વરસૂરિના ઉપદેશથી શિલાદિત્ય રાજાએ કરાવેલ. અને (૩) મહામંત્રી વસ્તુપાલે કરાવેલ. ૧૫. શ્રેષ્ઠી જાવડશાએ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારના ક્રમ પ્રમાણે તેર અને ઈતિહાસયુગને પહેલે ઉદ્ધાર વિ. સં. ૧૦૮ની સાલમાં કરાવ્યાની કથા શ્રી ધનેશ્વરસૂરિવિરચિત “શ્રી શત્રુંજયમાહાસ્ય' નામક સંસ્કૃત ગ્રંથમાં વિસ્તારપૂર્વક નોંધાયેલી છે, જેને સાર આ પ્રમાણે છે – કાંપિલ્યપુર નામે એક નગર. એ નગર પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્રમાં ગિરિરાજ શ્રી શત્રુંજ્યની નજીકમાં કેઈક સ્થાને આવેલું હતું. એમાં ભાવડ નામે એક શ્રેષ્ઠી રહે. શ્રેષ્ઠી ભાવડશા જેવા વ્યાપારમાં નિપુણ હતા, તેવા જ ધર્મપરાયણ હતા. એમની પાસે પુષ્કળ ધન હતું. એમની પત્નીનું નામ ભાવલા હતું. તે પણ શીલવતી અને ધર્માનુરાગી હતી. તેમને બધી જાતની સુખ-સંપત્તિ હતી, પણ ભાગ્યે એમને સવાશેર માટીની (સંતાનની) ભેટ આપવાનું બાકી રાખ્યું હતું. કાળચક્ર ફર્યું અને, દિવસ રાતમાં પલટાઈ જાય તેમ, શ્રેષ્ઠી ભાવડશા ઉપર સમયના વારાફેરા એવી કમનસીબી લઈને આવ્યા કે ધીરે ધીરે, જાણે એમની લક્ષ્મીને પગ આવ્યા હોય એમ, એ એમના ઘરમાંથી અદશ્ય થઈ ગઈ! પતિ-પત્ની લક્ષ્મીની ચંચળતાને જાતઅનુભવ કરી રહ્યાં, પણ એથી તેઓ ન હતાશ થયાં, ન વિચલિત થયાં, અને પિતાની ધર્મસાધનાને બરાબર વળગી જ રહ્યાં, એટલું જ નહીં, એમાં વધારે કરતાં ગયાં. એક દિવસની વાત છે. આ ધમી ના આંગણે બે મુનિવરો વહેરવા આવી પહોંચ્યા. શ્રાવિકા ભાવલાએ ખૂબ ઉલ્લાસથી ગોચરી વહેરાવી અને, મુનિવરોની સરળતા જોઈને, ટૂંકમાં પોતાની દુઃખકથા કહી અને વધારામાં પિતાને સંપત્તિ ફરી ક્યારે મળશે તે પૂછ્યું. | મુનિવરે સાચા ત્યાગી, સંયમી અને બધી જાતની આસક્તિથી મુક્ત હતા. પણ સાથે સાથે તેઓ વિચક્ષણ અને સમયના જાણકાર હતા. એમણે, જૈન શાસનને થનાર ભાવી લાભને વિચાર કરીને, એ બહેનને કહ્યું : “બહેન ! તમે પૂછથી એવા સવાલના જવાબ આપવાનું શ્રમણ-સંતેને ક૯પે નહીં. પણ તમારા કબથી ભવિષ્યમાં શાસનને ઉદ્યોત થવાને છે, તેથી અમે તમને કહીએ છીએ કે, આજે એક ઘડી વેચાવા આવશે, તેને તમે ખરીદી લેજો. એના પગલાંથી તમને ધનની પ્રાપ્તિ થશે.” આટલું કહીને મુનિવરે ધર્મલાભ આપી વિદાય થયા. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ | મુનિવરેના કહેવા મુજબ એક ઘડી વેચાવા આવી; પિતાની પત્નીના કહેવાથી ભાવડશાએ તે ખરીદી લીધી. સમય જતાં એ ઘડીએ એક વછેરાને જન્મ આપે. એ ઉત્તમ લક્ષણેથી અંકિત હતો. એ ત્રણેક વર્ષનો થયો ત્યારે તપન નામના રાજાએ એને ત્રણ લાખ જેટલું દ્રવ્ય આપીને ખરીદી લીધે. શ્રેષ્ઠી ભાવડશા ઘોડાને પારખુ હતા. એટલે આ લક્ષ્મીના બળે તેઓ ઘેડાના સોદાગર બની ગયા. અને એક સમયે ઉત્તમ કેટીના સંખ્યાબંધ (૨૧) અધોને એમણે એવા કેળવ્યા કે જેનાર એને બે ઘડી જોઈ જ રહે ! તે સમય પરદુઃખભંજન રાજા વીર વિક્રમને હતા. એ જે ઉદાર હતા, તેવો જ વિચક્ષણ હતો. તે પોતાની ચતુરંગી સેનાને હંમેશા સજજ રાખતે અને એમાં ઉત્તમ કટિના અશ્વોને વસાવવાને એને શોખ હતો. ભાવડશાએ ઉજ્જયિની નગરીમાં જઈને પિતાના ઉત્તમ અશ્વો સમ્રાટ વિક્રમને ભેટ આપી દીધા. અને જ્યારે વિક્રમ રાજાએ પ્રસન્ન થઈને એનું મૂલ્ય લેવા કહ્યું ત્યારે ભાવડશાએ લાગણી અને વિવેકપૂર્વક કહ્યું : “આપ તે આખા દેશને રક્ષક છે અને આખી પ્રજાનું ભલું કરનાર છે. તે આપના કાર્યમાં મારી આ નમ્ર ભેટ સ્વીકારીને મને ઉપકૃત કરશે. મારે અશ્વોનું મૂલ્ય લેવાનું નથી.” ભાવડશાની વાત વિકમ ૨જાના અંતરને સ્પર્શી ગઈ. એ વખતે તે તેઓ ચુપ રહ્યા, પણ પૈડા દિવસ પછી સમ્રાટે એને રાજસભામાં બોલાવીને એનું ખૂબ બહુમાન કર્યું અને શત્રુંજયની નજીકમાં આવેલ મધમતી (મહુવા) નગરી અને એની આસપાસનાં બાર ગામ ભેટ આપીને એનું રાજવીપણું એને અર્પણ કર્યું'. ભાવડશા સમ્રાટની આજ્ઞા લઈને પિતાના નગર પાછા ફર્યા અને તે પછી તેઓ કાંપત્યપુર છોડીને મધુમતીમાં રહેવા લાગ્યા. એમને ભાગ્યને સૂર્ય વધુ ને વધુ પ્રકાશમાન થતા જતા હતા. સમય જતાં આ શેઠ-શેઠાણીને સંતાનની જે ખામી લાગ્યા કરતી હતી, તે પણ દૂર થઈ અને એમને ત્યાં એક લક્ષણવતા પુત્રને જન્મ થયો. એનું નામ એમણે જાવડ રાખ્યું. જાવડશા મોટી ઉંમરના થયા ત્યારે શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલ ઘેટી ગામના શ્રેષ્ઠી શરની સુપુત્રી સુશીલા સાથે એમનાં લગ્ન કરવામાં આવ્યાં. સુશીલા પણ એના નામને અનુરૂપ સુશીલ અને ધર્માનુરાગી સજારી હતી. દિવસ આથમે અને ખીલેલું કમળ બિડાઈ જાય તેમ આયુષ્યને દર પૂરે થયો અને શ્રેષ્ઠ ભાવડશા તથા શેઠાણી ભાવલા આ દુનિયામાંથી વિદાય થયાં. મધુમતી અને ૧૨ ગામના રાજવીપદની જવાબદારી શ્રેષ્ઠી જાવડશા સંભાળવા લાગ્યા. સાથે સાથે એમને વહાણવટા વગેરેને વ્યવસાય તે ચાલુ જ હતા. વળી ગિરિરાજ શત્રુંજય મહાતીર્થની સંભાળ રાખવાની જવાબદારી પણ એમના ઉપર જ હતી. - સૌરાષ્ટ્રની નજીકનો એક દેશ. ત્યાં પ્લેચ્છો (મેગલ)નું રાજ્ય. ત્યાંના રાજાએ જાણ્યું કે ભારતના સૌરાષ્ટ્ર વગેરે દેશોમાં અઢળક ધન પડયું છે, એટલે ધન મેળવવાના લેભથી પ્રેરાઈને એણે સૌરાષ્ટ્રમાં દરિયા મારત પિતાનું લશ્કર ઉતાર્યું અને મધુમતી નગરી વગેરે સ્થાન પર હુમલો કર્યો. જાવડશાએ એને સામને તે પૂરેપૂરો કર્યો, પણ લશ્કર એાછું એટલે અંતે તેઓ હારી ગયા. બ્લેક રાજા અઢળક ધન તેમ જ અનેક દાસ-દાસીઓને લઈને પિતાના દેશ તરફ રવાના થયો, એટલું જ નહીં, પણ એ પિતાની સાથે શ્રેષ્ઠી જાવડશા અને એનાં પત્નીને પણ કેદ કરીને લે ગયે. શ્લેચ્છ દેશમાં પણ જાવડશા પોતાની બુદ્ધિના બળે અને ધર્મના પ્રતાપે રાજા અને પ્રજા બંનેમાં માનતા થઈ પડ્યા. અને વેપાર ખેડીને એ પણે ધત પશુ ઘણું ભેગું કર્યું. ત્યાંના બાદશાહના તે Page #74 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા ૩૫ એ અંગત સલાહકાર જ થઈ ગયા હતા. આ બધું છતાં એમને વારે વારે પિતાનું વતેને યાદ આવ્યાં કરતું હતું. વળી પિતાના પ્રાણપ્યારા તીર્થ શત્રુંજયની સાર-સંભાળ કેવી લેવાતી હશે એની પણ ચિંતા એમને સતાવ્યા કરતી હતી. આ રીતે કેટલીક વખત પસાર થયા પછી એમના જાણવામાં આવ્યું કે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો કબજો અરીઓએ લઈ લીધો છે અને એના ઉપર તે માંસ-મદિરાની મહેફીલ મંડાય છે ! આથી તીર્થની યાત્રા બંધ થઈ ગઈ છે. જિનાલય ધ્વસ્ત થઈ ગયું છે અને એની આશાતનાને કોઈ પાર રહ્યો નથી. આ સમાચાર જાણીને એમને રોમરોમમાં હારે વીંછીના ડંખ જેવી વેદના જાગી ઊઠી અને એમની ઊંઘ હરામ થઈ ગઈ. એમને પોતાની જાત ઉપર પણ ધિક્કાર આવ્યો કે હું કેવી કુપુત્ર અને કમનસીબ કે પિતાએ સેપેલ રાજ્ય અને તીર્થની પણ સાચવણી ન કરી શક્યો ! એમને તે રાત-દિવસ એમ જ થયા કરતું કે અહીંથી ક્યારે વતનમાં પહોંચે અને કયારે પરમ પાવન એ તીર્થને ઉદ્ધાર કરું. પણ એમણે જોયું કે, પરદેશમાં ઉતાવળ કરવાથી કામ પતે એમ ન હતું. એટલે એમણે, ધીરજપૂર્વક, યેગ્ય સમયની રાહ જોવાનું મુનાસિક માન્યું. સદ્દભાગ્યે એમને આવી તક મળી ગઈ. ત્યાંના બાદશાહ ઉપર કઈક એવી મુશ્કેલી આવી પડી કે જેમાંથી બચી જવાને માર્ગ પિતાના અનેક સલાહકારોમાંથી કેઈએ ન સૂચવ્યું. છેવટે એમને જાવડશાની સલાહ લેવાનો ખ્યાલ આવ્યું. એમણે એમની સલાહ લીધી, અને એ સલાહથી એમની મુશ્કેલી દૂર થઈ ગઈ. આથી બાદશાહ ખૂબ પ્રસન્ન થયા અને પોતાને જે કંઈ જોઈતું હોય તે માગી લેવા એણે જાવડશાને આગ્રહ કર્યો. પણ એ શાણ શ્રેષ્ઠીએ અહીં મારે કોઈ વાતની ખામી નથી એમ કહી કશું માગવાની ના કહી. પણ જ્યારે બાદશાહે આ માટે ખૂબ આગ્રહ કર્યો ત્યારે એમણે, હવે રાજને પિતાના મનની વાત કહેવાને સમય પાકી ગયું છે એમ માનીને, પિતાને પિતાના વતન પાછા ફરવાની અનુમતિ આપવાની માગણી કરી. બાદશાહ શાણે હતા. એ જાવડશાની લાગણીને સમજી ગયે અને તરત જ એણે એમની માગણીને સ્વીકાર કર્યો, એટલું જ નહીં, એમની બધી સંપત્તિ, રાજ્ય મારફત, એમના વતન પહોંચતી કરવાની જવાબદારી પણ લીધી. શ્રેષ્ઠી જાવડશાના પાછા આવવાના સમાચારથી મધુમતી નગરી અને આખા પરગણમાં આનંદ આનંદ છવાઈ ગયો. બધાંએ એમનું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું. પણ નવડશાના મનને હજી પણ ચેન ન હતું. એમના મનમાં તે એક જ ભાવના રમતી હતી કે ક્યારે તીર્થાધિરાજને ઉદ્ધાર થાય, કયારે દેવાધિદેવની ફરી પ્રતિષ્ઠા થાય અને કયારે એની યાત્રા કરી ચાલુ થાય, એવી પુણ્યક તેઓએ પોતાની બધી શક્તિ અને સંપત્તિ એકત્ર કરીને અરીઓને ગિરિરાજના પહાડ ઉપરથી દૂર કરી આખા પહાડને દૂધ અને પવિત્ર જળથી ધોવરાવીને તીર્થની આશાતના દૂર કરી અને અઢળક ધને ખચીને દેવાધિદેવ ભગવાન ઋષભદેવના ભવ્ય જિનાલયનું ટૂક વખતમાં જ નવનિર્માણ કરાવ્યું. આ રીતે આ તીર્થની આશાતના દૂર થઈ અને જિનપ્રાસાદ તૈયાર થઈ ગયો એટલે જૈન શાસનના તે સમયના મહાન પ્રભાવક મડાપુરુષ વજીસ્વામીના સાંનિધ્યમાં એની પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી કર્યું. એમાં પધરાવવા માટે જાવડશાએ તક્ષશિલામાં બાહુબલિએ ભરાવેલ ભગવાન ઋષભદેવનું બિંબ, ચકેશ્વરી દેવીની સહાયથી, મેળવ્યું હતું. પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે ગામેગામના સંઘોને આમંત્રણ પત્રિકાઓ મેકલવામાં આવી. તીર્થાધિરાજની યાત્રાની મુક્તિના આ શુભ સમાચાર સાંભળીને ચતુર્વિધ સંઘ ખૂબ હર્ષ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ અનુભવી રહ્યો અને આ મહત્સવમાં ભાગ લેવા માટે અનેક ગામોના સંઘો પાલીતાણામાં સમયસર પહોંચી ગયા. ચારે કોર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રવર્તી રહ્યું. નગરમાં જાણે માનવ મહેરામણ હિલોળા લેવા લાગ્યું. પ્રતિષ્ઠાને સર્વઆનંદકારી દિવસ આવી પહોંચે. બધા સંઘે ગિરિરાજ ઉપર સમયસર પહોંચી ગયા અને શુભ મદ આદિ દેવ ભગવાન ઋષભદેવના જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રેષ્ઠી જાવડશા અને શેઠાણી સુશીલાના હર્ષની આજે કઈ અવધિ ન હતી. તેઓ અસીમ ઉલ્લાસમાં તરબોળ બનીને શિખર ઉપર ધજદંડ ચડાવવા જિનપ્રાસાદની ઉપર ગયાં. સંધ પણ એમની સાથે ગયે. ધજાદંડ ચડાવીને તેઓ એવાં ભાવવિભોર અને રોમાંચિત બની ગયાં હતાં કે દિન-દુનિયા અને પિતાના જીવનને પણ ખ્યાલ વીસરીને તેઓ આનંદ-સમાધિમાં લીન થઈ ગયાં હતાં અને એમના રોમરોમમાંથી પરમાત્માએ કરેલ ઉપકારના ધબકારા ગાજી રહ્યા હતા. તેઓ પરમાત્માના સ્મરણમાં એવાં એકાગ્ર થઈ ગયાં હતાં કે એમને નીચે ઊતરવાને પણ ખ્યાલ જ ન રહ્યો. સંધ ધીરે ધીરે નીચે આવી ગયો અને શ્રેષ્ઠીયુગલ નીચે આવી પહોંચે એટલે એમનું બહુમાન કરવાની ધન્ય ક્ષણની રાહ જોઈ રહ્યો. પણ મિનિટ ઉપર મિનિટ વીતવા છતાં શ્રેષ્ઠીયુગલ નીચે ન આવ્યું, ત્યારે સંધના મોવડીઓ એમને નીચે બેલાવી લાવવા ફરી જિનપ્રાસાદની ઉપર ગયા. ત્યાં એક અલૌકિક દૃશ્ય જોઈને તેઓ બધા સ્તબ્ધ થઈ ગયા. તેઓએ જોયું કે, શ્રેષ્ઠી જાવડશા અને સુશીલા શેઠાણી, જિનપ્રાસાદના શિખરની પાસે જ, પ્રભુને વંદન કરવાની મુદ્રામાં, સ્વર્ગવાસી થઈ ગયાં હતાં ! એમની પવિત્ર કાયાને અને દિવ્ય ભાવનાને વંદના કરી શ્રીસંઘ કૃતાર્થ થયે ! આ છે શ્રેષ્ઠી જાવડશાના તેરમા ઉદ્ધારની ટૂંકી ધર્મ કથા. નેધ–(૧) જાવડશાએ કરાવેલ શત્રુંજયના ઉદ્ધારની કથા કેટલાક ફેરફાર સાથે આ૦ શ્રી ધર્મ ઘોષસૂરિ રચિત “સિતું જક” ઉપરની શ્રી શુભશીલ ગણિએ રચેલ સવિસ્તર ટીકામાં વિસ્તારથી આપવામાં આવી છે. તેમાં ઉદ્ધાર કરાવનારનું નામ જાવડના બદલે જવડિ આપવામાં આવ્યું છે. વિવિધ તીર્થકલ્પ'માંના શ્રી શત્રુંજય તીર્થ કલ્પ'માં પણ જાવડના બદલે જાવડિ નામ મળે છે. (૨) કર્નલ જેમ્સ ટોડે પણ એમના “Travels in Western India' નામના પુસ્તકમાં (પૃ. ૨૮૦-૮૧) શત્રુંજયના તેરમો ઉદ્ધારક તરીકે જાવડશાને ઉલ્લેખ કર્યો છે અને એ ઉદ્ધારને સમય વિક્રમાદિત્ય પછી એક સે વર્ષ થયાનું નોંધ્યું છે. પણ આ પુસ્તકમાં કર્નલ ટેડે ખાસ વાત તે એ લખી છે કે જાવડશા કાશ્મીરના વેપારી હતા. પણ એમણે આ વાતને કેાઈ આધાર ટાંક્યો નથી. ("...the thirteenth by Javadasah, a merchent of Kashmir, one hundred years after Vikramaditya.”) (૩) જેમ્સ બર્જેસે એમના “Shatrunjaya and its Temples' નામે પુસ્તકના (પૃ. ૨૬, ક. ૧)માં જાવડશાએ તેરમે ઉદ્ધાર સંવત ૧૦૧૮માં કર્યો હોવાનું નોંધ્યું છે. (“..a Jain account obtained on the spot states that this temple was built by Javadasa in Samvat 1018 ( A. D. 961 ) being its thirteenth Uddhara or restoration, and it is there to the present day.'”) Page #76 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા ૩૭ શ્રી બર્જે સે તેરમા ઉદ્ધાર સં૰૧૦૧૮માં થયાની વાત, તેઓની શત્રુ ંજયની મુલાકાત વખતે, તેને કાઈએ મોઢામાઢ આપેલી માહિતીના આધારે લખી હેાવાનું એમના ઉપર ટાંકેલ લખાણમાં નાંખ્યું છે, તે જોઈ શકાય છે. પણ આમાં ખાસ ધ્યાન ખેંચે એવી વાત તા એ છે કે એમણે પોતાના આ લખાણથી છએક લીટી પહેલાં જ, કલ જેમ્સ ટાડના મત ટાંકીને, જાવડશાએ તેરમા દ્વાર વિક્રમાદિત્ય પછી એકસેા વર્ષે કરાવ્યાનું નોંધ્યુ છે. આના અર્થ કંઈક એવા થાય છે, કે તેરમા ઉદ્ધારના સમય અંગેની કલ ટાડની તથા પોતાની માહિતી વચ્ચે જે નવસા વર્ષને ફેર રહેવા પામ્યા છે, તેનું નિરાકરણ કરવાની જરૂર એમને નહી' લાગી હાય, અથવા તા, એમનુ ધ્યાન જ એ તરફ નહીં ગયુ. હાય. ૧૬. (i) પુંડરીચયતતે । સે થાયવાપુત્તે... ...એળેવ વૃંદરીપ પત્રપ તેનેય उवागच्छर २ पुंडरीयं पव्त्रयं सणियं २ दुरूहति... ...નાવાએવામાં જીવન્તે । --જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર, સૂ॰ ૫૫ (આગમાય સમિતિ ), પુત્ર ૧૦૮ A, (ii) तरणं से सुप अणगारे अन्नया कयाइं तेणं अणगारसहस्सेणं सद्धिं संपरिયુકે... ...નેશૈવ öffપ વવપ નાય સિદ્ધે । —જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર ( આગમેદય સમિતિ ), પત્ર ૧૦૮ B. (iii) સેતુ', ૧૨-...તું તે; વહુ TM લેવાનુપ્પિયા ! રૂમ પુષ્યદિય મત્તવાળ परिवेत्ता सेत्तुं पव्वयं सणियं सणियं दुरूहित्तप... ...जेणेव सेत्तुंजे फव्वए तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेत्तुंज पव्वयं दुरुहंति २ जाव कालं अणवखमाणा विहरंति । —જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર, સૂ૦ ૧૩૦ (સ્માગમેદય સમિતિ ), પુત્ર ૨૨૬ B. ૧૭. (i) નન્હા પદમો વો તદ્દા સબ્વે અરુ પ્રાચળા મુળચળતા મસૌનાसाइं परियाओ सेतुंजे मासियाए संलेहणाए सिद्धी । —અન્તકૃશાંગસૂત્ર, સૂ૦ ૩ (આગમાઘ્ય સમિતિ ), પત્ર ૩ B. (ii) छ अज्झयणा एकगमा बत्तीसओ दाओ वीसं वासा परियातो चोहस सेतुंजे सिद्धा । (iii) સેસ નાનોયમસ્ત નાવ સેત્તાને સિદ્ધે । —અન્તકૃશાંગસૂત્ર, સૂ૦ ૪ (આગમેાય સમિતિ ), પત્ર ૩ B, ૧૮. (iv) સેમ તે ચૈવ સેત્તુને ત્તિન્દ્ર નિવવેવા | —અન્તકૃશાંગસૂત્ર, સૂત્ર ૭ ( આગમાધ્ય સમિતિ ), પત્ર ૧૪ B, से बेमि जे अईया जे य पडुपन्ना आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्खति एवं भासंति एवं पण्णविंति एवं परुविति... | —આચારાંગસૂત્ર, શ્રુ॰ ૧, અ॰ ૪, ૩૦ ૧. -અન્તકૃશાંગસૂત્ર, સૂ૦૫ ( આગમાય સમિતિ ), પુત્ર ૪ A તથા સૢ૦ ૮, પત્ર ૧૪ B. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિના શિષ્ય ગૌતમ અણગાર માસિક સંલેખના વડે શત્રુંજય ગિરિ ઉપર કાળધર્મ પામીને મેક્ષે ગયા હતા, તેને ઉલેખ આ પ્રમાણે મળે છે– ...ततेणं से गोतमअणगारे अण्णया कताई जेणेव अरहा अरिटणेमी...तहा थेरेहिं सद्धि सेत्तुंजए पव्वए दुरूहति, मासियाए सलेहणाए बारस वरि. साई परियाओ० जाव सिद्धे ।। -અન્તકૃશાંગસૂત્ર, સૂ૦ ૩ (આગોદય સમિતિ), પત્ર ૩ B. શ્રી ધનેશ્વરસૂરિકૃત “શ્રી શત્રુંજયમાહાત્મ', શ્રી ધર્મઘોષસૂ રિરચિત અને શ્રી શુભશીલ ગણિકૃત વૃત્તિયુક્ત “સિત્તેજક –આ બે ગ્રંશેમાં તે મુમુક્ષુ આત્માઓએ શ્રી શત્રુંજય ઉપર કરેલી સાધનાની અનેક કથાઓ સચવાયેલી છે; ઉપરાંત જૈન સાહિત્યમાંના ઉપદેશાત્મક તેમ જ ચરિત્રાત્મક બીજા ગ્રંથોમાં પણ આવી ઘટનાઓ નોંધાયેલી મળે છે. પ્રભાવકચરિત્ર'માં આ સંવત વિ.સં. ૧૨૧૩ જણાવ્યું છે, ત્યારે પ્રબંધચિંતામણિ તથા કુમારપાલપ્રતિબોધપ્રબંધ” નામે એક અજ્ઞાતકર્તક કૃતિમાં વિ. સં. ૧૨૧૧ બતા છે. આની વધુ માહિતી માટે જુઓ પાંચમાં પ્રકરણની પાંચમી પાદનોંધ. પાદનોંધ નં. ૨૧માં સૂચવેલ ત્રણ ગ્રંથે ઉપરાંત “સિત્તેજક 'ની ટીકામાં પણ બાહડ મંત્રીએ કરાવેલ ઉદ્ધારની કથા આપવામાં આવી છે. ૨૫. બાહડ મંત્રીએ કરાવેલ ૧૩માં ઉદ્ધારની કથા ખૂબ હૃદયસ્પર્શી અને ધર્મભાવનાને જાગૃત તથા પુષ્ટ કરે એવી છે. આ કથા પાંચમા પ્રકરણની છઠ્ઠા નંબરની યાદને ધમાં આપવામાં આવી છે. આ ઉદ્ધાર થયે ત્યાં સુધી તે ગિરિરાજ ઉપર બહુ જ ઓછી સંખ્યામાં દેવમંદિરે હતાં. અને આ પર્વતના બીજા શિખર ઉપર નવ ટૂંકરૂપે દેવમંદિરોને જે અસાધારણ વિભવ રચાયો તે તે આ ઉદ્ધાર થયા પછીના સમયમાં જ. એક હજાર વર્ષ કરતાં પણ લાંબા સમય દરમ્યાન આ તીર્થ ઉપર આવતી રહેલી આપત્તિઓની વિગતો ઉપલબ્ધ નથી. આમ છતાં જ્યારે સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મનું વર્ચસ્વ હતું ત્યારે એ ધર્મના અનુરાગીઓ તરફથી આ તીર્થ ઉપર ઉપદ્રવ થયાની હકીકત કેટલાક પ્રમાણમાં જાણવા મળે છે, જે પાદનોંધ નંબર ૨૬માં આપવામાં આવેલ છે. ૨૬. (1) વાત તીર્થ, guenifમધું ઘરFા ज्ञात्वा धनेश्वराचार्यों वल्लभीनगरे ययौ ॥ शिलादित्यनृपं तत्र, प्रबोध्य सूपदेशतः । जित्वा बौद्धांश्च सिद्धादि, तीर्थ शीघ्रमवालयत् ॥ Page #78 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા विक्रमार्कान्नृपावर्षे, सप्तसप्तचतुर्मिते । शिलादित्यनृपो जैन-धर्मकर्ताऽभवद्वरः ॥ ક, શુભશીલગણિકૃત ટીકા, ભાગ ૨, પૃ. ૧૧૭, (ii) ફિસ્ટાફલ્યગૃજ જ્ઞાન, પૂજાતિ મfજાતઃ शत्रुञ्जये च ऋषभ-स्तैर्बुद्धोकृत्य पूजितः ॥ शत्रुञ्जये जिनाधीशं, भवपञ्जरभञ्जनम् । कृत्वा प्रवेताम्बरायत्तं, यात्रां प्रावर्तयन्नृपः ॥ –પ્રબંધકોશ, મલવાદિપ્રબંધ, લેક ૨૬, ૨૮, પૃ. ૨૨-૨૩. ૨૭, કેપ્ટન લી ગ્રાન્ડ જેકેબે પાલીતાણા નામને “બૌદ્ધધર્મનાં ત્રિપિટકે જેમાં રચાયાં છે તે પાલી ભાષાનું સ્થાન”—એ મતલબને પોતાને અભિપ્રાય આપતાં લખ્યું છે કે – “ The very name of the place, Palitana, or the place of the Palee language, chiefly devoted to them, or to Buddhistical writings, betokens a very ancient period.” --The Palitana Jain Case, p. 18. કર્નલ ટેડે એમના “Travels in Western India” નામે પુસ્તક (પૃ. ૨૭૫)માં “પાલીતાણ”ને અર્થ “પલ્લીનું રહેઠાણ(“The dwelling of the Palli”) એવો કર્યો છે. આગળ જતાં (પૃ. ૨૯૫માં) આ નામ અંગે તેઓએ વધારામાં લખ્યું છે કે, “પલીનું નિવાસસ્થાન આ પર્વતની નજીકમાં જ છે. આ નામમાં શું મહત્ત્વ છે ? એ અંગે હું ઘણા વખતથી આશા રાખી બેઠો હતો કે જ્યાં પહેલી નામની વ્યક્તિએ પોતાના નામ અને પિતાના ધર્મને પ્રચાર કર્યો હતો, તેને મને અહીં ખલાસો મળશે. આ પહેલી ઇન્ડસિથિયાની ગલાતી અથવા કેટ્ટી નામની ભ્રમણશલ જ્ઞાતિને હશે. પણ અહીં મને આવું કંઈ મળ્યું નથી... ...આના બદલે મને એમ કહેવામાં આવ્યું કે, આ નામને સંબંધ પાદલિપ્ત નામના એક મંત્રના મોટા જાણકાર જૈન આચાર્ય સાથે છે. ... ... ... પાલીતાણું ગામના નામ અંગે વિદ્વાન આચાર્યોએ પાદલિપ્તસૂરિ સાથે જે કંઈ સંબંધ જોડ્યો છે, તે બાલિશ અને અસંતોષકારક છે; અને હું જરા પણ ખમચાયા વગર એ વાતને ઇન્કાર કરું છું.” (...the abode of the Palli is in contact with the mount.“ What's in a name?” I had long indulged the most sanguine expectations, that on the spot where the Palli had perpetuated his name and his faith, I should supply one of the many desiderata regarding this nomadic race, the Galatae or Kettae of Indo-Scythia ... ... ... instead... ...I was referred to a mighty magician named, Padalipta... ... ... we are thus far constrained to follow the truth of the Mahatma, as expounded by the Page #79 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ learned Acharyas, puerile and unsatisfactory... ...but, ... ... I do not hesitate utterly to reject old Padalipta and his unguents, with whatever magical power he may have possessed, to deny that his name could have been the foundation for that of this abode of Palli.) ઉપર કર્નલ ટેડે ‘મહાત્મા’ (Mahatma)નો ઉલ્લેખ કર્યો છે, તે શ્રી ધનેશ્વરસૂરિવિરચિત “શ્રી શત્રુંજયમાહાતમ્ય’નું સૂચન કરે છે. આ ગ્રંથમાં તેમ જ બીજા અનેક ગ્રંથમાં પાલીતાણાની સ્થાપના પાદલિપ્તસૂરિને સ્મરણ નિમિત્ત, એમના નામ ઉપરથી, કરવામાં આવી હતી તે સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું છે. આમ છતાં ક્યારેય ક્યારેક અંગ્રેજ સંશોધકે અમુક નામ અને કેવી વિચિત્ર અને વિલક્ષણ કલ્પના કરી બેસતા હતા અને આપણી પરંપરાગત માન્યતાને ઇનકાર કરતા હતા, તેને આ પણ એક નમૂનો છે. પાલીતાણુની સ્થાપના પાદલિપ્તસૂરિના નામ ઉપરથી, એમના શિષ્ય નાગાર્જુન નામના યોગીએ કરી હતી, એના જૈન સાહિત્યમાં અનેક પુરાવાઓ સચવાયા છે, જેમાંના કેટલાક આ પ્રમાણે છે – (i) તતઃ શરૂ કર્થ મા, પવિતરિયુન્ ! विस्तरात् स्नात्रपूजादि, नागार्जुनो व्यधात्तमाम् ॥ प्रासादं जर्जरं दृष्ट्वा, नागार्जुनस्तदादरात् । उद्दधार गुरोर्नाम, ददौ कुर्वन् महोत्सवम् ॥ उद्धारो विदधे पाद-लिप्तेन गुरुणा किल । અગ્રાય તિ રથાનિં, તારયત જ નામઃ || पादलिप्तकसंज्ञं च, पुरं नागार्जुनस्ततः । वासयित्वा गुरोर्नाम्ना, जिनागारमचीकरत् ॥ -સિતુજક, શુભશીલ ગણિત ટીકા, ભાગ ૨, પૃ. ૮૫. (i) તે નાનાર્જુન, તેના પિતા' કુt Tણં ત5 –પ્રબંધકોશ, પાદલિપ્તાચાર્ય પ્રબંધ, પૃ૦ ૧૩. (iii) तीए पभावओ सो, वंदइ उज्जितमाइसु जिणिंदे । पालित्ताणं च पुरं, संठावइ सरिनामेणं ॥ —ધર્મરત્નપ્રકરણ, સુખબધા ટીકા, ગાથા ૨૮નું વિવેચન. All that is most celebrated for antiquity or sanctity, is contained in this court : but sectarian animosities, the ambition to be regarded as founders, and the bigotry of other creeds, have all conspired to deface the good works which Faith had planted on this holy mount. It is notorious, that sectarian Page #80 -------------------------------------------------------------------------- ________________ ગિરિરાજ ઉપરની વિ. સં. ૧૦૬૪ ના લેખવાળી ગણધર પુંડરીકસ્વામીની સૌથી પ્રાચીન પ્રતિમા (જુએ, પૃ. ૨૪, ૪૨ ) આ પ્રતિમા ઉપરના લેખની છબી ( જુઓ, પૃ. ૪૨ ) जीवादिदेवस्यायुधमाकालीन Page #81 -------------------------------------------------------------------------- ________________ "શ્રી શથરાગરસૂરિ ********* રોઠ શાન્તીદાસ આચાર્ય શ્રી રાજસાગરસૂરિજી તથા નગરશે શાંતિદાસ ઝવેરી ( જુએ, પૃ. ૫૫, ૬૧, ૮૫ થી ૮૯ તથા પ્રસ્તાવના પૃ. ૧૫ ) Page #82 -------------------------------------------------------------------------- ________________ ચંચળી જૈન ઉપય હે..પતિના વા અને મ પાલીતાણા શહેરમાં, મેટા દેરાસરની નજીકમાં આવેલ નગરશેઠ શાંતિદાસ ઝવેરીની મેડીનું સ્થાન; અહી gi ચળબેન જૈન ઉપાશ્રય " નામના બહેનેાના ઉપાશ્રયની નવી ઈમારત વિ. સ. ૨૦૧૪ માં, બાંધવામાં આવી છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ . 8"कापरसपरामोकामावर १पडमा २ एपम्पोमाता3 रायो सयजनाल ४ रानगरामधारा ४ोकलानरममा जापागणाती पायोपानाभायाल ৬ মিলিন্দাবত' ও ভোলানাথ बोजाता ( সালাদ पासुमापनि एसोजॉजालाराण टको भागमागमा શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વિ. સં. ૧૭૮૭માં મજદ હોવાને પુરાવો. શ્રી સિદ્ધાચલજી તીર્થની વિ. સં. ૧૭૮૭ની ખાતાવહીમાંનાં ખાતાંઓની યાદી. આ યાદીની છેલ્લી લીટીમાં પેઢીનું ખાતું ૯મે પાને હોવાનું નોંધ્યું છે. (नुमओ, पृ. १०७) Page #84 -------------------------------------------------------------------------- ________________ :.9mantHIRIRLHamrut साडेन • पात्र २४ पाक amam पाल २४ पाप पार पाएन 22211 -1-11-1 " पाठे उतारा पाने १५० पोर्ग १४ पाई १४ापानु १। पाटा धागा री Ram વિ. સ. ૧૭૮૭ ની ખાતાવહીમાં ૯મે પાને આણંદજી કલ્યાણજી, શ્રી રાજનગરના ખાતામાં ખતવેલી રકમે ( જુઓ, પૃ. ૧૭) Page #85 -------------------------------------------------------------------------- ________________ ২০১9ালনাবলীলাবাইলে झोटानागापालहकार तथा माईयो उपरयो तदिासानी पीउकादाय माजीओणीशामादा नालारणमातारलनावारनामामा पनि उपना भावालानालाकारकाप्रोकारका तंत्रापाले पाय पायी लावाय पाटका जरामपाल पामोररीनाटक १४ानन 4m मनपरस रापम नानजर लम मानायांना વિ. સં. ૧૭૯૧ના શ્રી સિદ્ધાચલજીના રેજિમેળમાં લખેલ કે ઈ કરારની બીજી લીટીમાં साए।१७ स्यानुनम छे. (मी पृ. १०८) Page #86 -------------------------------------------------------------------------- ________________ છે , શ્રેષ્ઠી નારાયણની વિ. સં. ૧૧૩૧ ની મૂર્તિ (શ્રી પુંડરીકસ્વામીની વિ. સં. ૧૦૬૪ની પ્રતિમા પછી પ્રાચીનતામાં આ મૂર્તિની ગણતરી થાય છે. ) અત્યારે આ મૂર્તિ શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરમાં પ્રવેશદ્વારની પાસે રાખવામાં આવી છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ __ +ी पपिजरो जुन्नडुंगररिकीन्योभुमीटुउभाशपउउपस्टेिशपत्या सुधीमारेरामपुरेपलेरालापीरेयाप्पत्रपटरजीयेमुण्डष्प પેઢીના દફતરની ચીવટભરી સાચવણીનો પુરાવો ( જુઓ. પ્ર. ૧૦૫, ૧૧૬ ) "संवतानाववैवस टपट्ने संघसमसमलिकरीने तषामुळे नेहाथायोलनाचोकम पकोइएदेश सरकखानयां में नजोकदाचित देरासरनों को एक रातोतिर्थतथा समसघनोपुर निसमस्त संघदेशावरनाला मतीनेएरीतेलघार्यु नेचोकम धोबलातधापीपलानीसा हा? दरातयात्रहितधावपश्चि नादशेनको टेरासरकरावेनेने समस संघनो गुन महिने Raना चैन पदापरले હાથીપોળમાં નવું દેવું નહીં બંધાવવાને વિ. સ. ૧૮૬૭ શ્રીસંધને આદેશ ફરમાવતા લેખ ( જુઓ, પૃ. ૬૪). Page #88 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા zeal, amongst persons of similar faith, is more destructive than the hatred of those of dissimilar creeds; and here, from the mouths of learned Jains, whose universal law is to hurt no sentient being', I became acquainted with the fact, that the wars of their two chief sects, the Tup-gacha and Khartragacha, did more than the Islamites to destroy all records of the past; for 'when the Tup has had the ascendancy, they tore down the inscribed tablets of the Khartras, and replaced them by their own, which again were broken into fragments, when, during the reigh of Sid Raj, the Khartras had power.' -Travels in Western India, p. 284. સેંધ-કર્નલ જેમ્સ ડે પિતાના ઉપરના લખાણમાં પતે જ સૂચવ્યું છે કે, એમને બે ગચ્છા વચ્ચેના ઝઘડાને કારણે પાલીતાણાના ગિરિરાજ ઉપરના પ્રાચીન સ્થાપત્યને, ખાસ કરીને શિલાલેખોને, નુકસાન પહોંચ્યાની હકીકત વિદ્વાન જૈન સાધુઓ પાસેથી જાણવા મળી હતી; પણ જે સાધુઓએ આવી માહિતી આપી હોય તેઓએ અમુક ગરછ તરફ પક્ષપાત બતાવીને સત્યથી વેગળી માહિતી આપી હોય એવું કેમ ન બન્યું હોય ? જાણીતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ કર્નલ ટોડના આ કથનને ધ્યાનમાં લેવા જેવું માનીને, એમણે સંપાદિત કરેલ, શત્રુજ્યતીર્થોદ્ધારપ્રબંધ'ના उपोधात (५०.२६)मा प्रयुछे, “भारतहितैषी इस सज्जन पुरुष के कथन में बहुत कुछ सत्यता है, ऐसा मैं अपने अन्यान्य अनुभवों से कह सकता हूं।... ... ... ...ऐसा ही निन्ध कृत्य, संकुचित विचार वाले क्षुद्र मनुष्यों द्वारा, टाड साहब के कथनानुसार, शिलालेखों के विषय में भी किया गया हो तो उस में आश्चर्य नहीं । चाहे कुछ भी हो, परन्तु इतना तो सत्य है कि, शर्बुजय के मन्दिरों की ओर देखते, उन की प्राचीनता सिद्ध करने वाले प्रामाणिक साधन हमारे लिये बहुत कम मिलते हैं।" કર્નલ ટેડને આ મતની સામે તેઓ, શત્રુંજય ઉપર પ્રાચીન અવશેષે કેમ નથી भगतi ?-मेने। मुदा ४२तां, मे पोधात (५० २५-२६)मा ४ छ , "कारण यह है कि यहां पर जितने पुराणे मन्दिर हैं उन सब का अनेक बार पुनरुद्धार-संस्कार हो गया है। उद्धार कर्ताओं ने उद्धार करते समय, प्राचीन कारीगरी, बनावट और शिलालेखों आदि की रक्षा तरफ बिलकुल ही ध्यान. न रक्खा। इस कारण, पुरातत्त्वज्ञ की दृष्टि में, इन में कौनसा भाग नया और कौनसा पुराणा है, यह नहीं ज्ञात. होता।" Page #89 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ની પેઢીને ઇતિહાસ શ્રીમાન જિનવિજ્યજીનું આ કથન શત્રુજ્ય ઉપર પ્રાચીન સ્થાપત્યના અવશેષો નહીં મળવાના કારણને બુદ્ધિગમ્ય અને માની શકાય એવો ખુલાસે આપે છે, એ જોઈ શકાય છે. વળી, કર્નલ ટોડના કથનના અનુસંધાનમાં, એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, જેમ કેઈ સ્થાપત્યની પ્રાચીનતાને સમજવા કે પુરવાર કરવા માટે શિલાલેખ એ ઉત્તમ અને અકાટ સાધન લેખાય છે તેમ, કોઈ સ્થાપત્યને શિલાલેખ ખોવાઈ ગયો હોય કે ભૂંસાઈ ગયો હોય તે છેવટે, પુરાતત્ત્વવિદ્યાના નિષ્ણાત ઈમારતનું શિલ્પકામ જોઈને પણ એની પ્રાચીનતા કે અર્વાચીનતાને, મોટે ભાગે, યથાર્થ નિર્ણય કરી શકે છે. ઉપર “કર્નલ ટેડના આ કથનને કેટલું વજૂદ આપવું એ વિચારણીય છે” એમ જે સૂચવવામાં આવ્યું છે તેનું એક અને મુખ્ય કારણ આ જ છે. આ શિલાલેખ આ પ્રમાણે છે– [1] મધુસુવિચ પુveીવા જ મી. ध्यात्वा शत्रुजये शुद्धयत्सल्लेस्या(श्या)ध्यानसंयमैः ॥ श्रीसंगमसिद्धमुनिर्विद्याध [2] रकुलनभस्तलमृगांकः । दिवसैश्चतुर्भिरधिकैर्मासमुपोष्याचलितसत्त्वः ॥ धर्षसहस्रे षष्टयाचतुरन्वितयाधिके दिवमगच्छत् । [3] સોમનિ પ્રિયામાને દિતલામ | अम्मैयकः शुभं तस्य श्रेष्ठिरोधैर्यकात्मकः । पुण्डरीकपदासंगि चैत्यमेतदचीकरत् ॥ આ પ્રસંગની કથા પાંચમા પ્રકરણની આઠમા નંબરની પાદોંધમાં આપવામાં આવી છે. મહામંત્રી વસ્તુપાળને સ્વર્ગવાસ થયાના બે સંવત મળે છે. એક વિસં. ૧૨૯૬ અને બીજો વિ. સં. ૧૨૯૮. વિ. સં. ૧૨૯૬ને ઉલેખ “વસંતવિલાસ' નામના કાવ્યમાં આપવામાં આવેલ છે. આ કાવ્યની રચના ચંદ્રગચ્છીય શ્રી હરિભદ્રસૂરિના પટ્ટધર અને મહામંત્રી વસ્તુપાલના સમકાલીન બાલચંદ્રસૂરિએ કરેલ છે. આ કાવ્યમાં મહામંત્રી વસ્તુપાલનાં ધર્મ કાર્યોની પ્રશસ્તિ કરવામાં આવેલ છે. વળી, આ કાવ્યના ચૌદમા સર્ગના સાડત્રીસમા શ્લોકમાં વસ્તુપાળના સ્વર્ગવાસની સાલ આપવા ઉપરાંત મહિને, તિથિ અને વાર પણ આપવામાં આવેલ છે. આ ઉલ્લેખ પ્રમાણે વસ્તપાળનો સ્વર્ગવાસ વિસં. ૧૨૯૬ માહ શુદિ પાંચમ (વસંતપંચમી) ને રવિવારના રોજ થર્યો હતે. વળી આ કાવ્યના ચૌદમા સર્ગના એકાવનમાં કલાકમાં જણાવ્યા મુજબ, મહામંત્રીને સ્વર્ગવાસ, અંકેવાળીઆ ગામમાં કે બીજા કોઈ સ્થાનમાં નહીં પણ. ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર જ થયે હતો. કવિ બાલચંદ્રસૂરિએ આ કાવ્યની રચના કયારે કરી હતી એને સંવત તે કાવ્યમાં નેણે નથી; પણ કવિએ આ કાવ્યની ૩૦. - ૩૧. Page #90 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા રચના, મહામંત્રી વસ્તુપાળના પુત્ર જેત્રસિંહ (જયંતસિંહ)ની વિનંતિથી કરી હતી, એટલે આ કાવ્યને સમય વિક્રમની તેરમી સદીને છેક અંત ભાગ કે વધુમાં વધુ ચૌદમી સદીને. પહેલો દસ ગણી શકાય. આ રીતે વસ્તુપાળના સ્વર્ગવાસના સમય અને સ્થળ સંબંધી સૌથી પહેલા અને એકાદ દાયકા જેટલા ટૂંકા સમયાંતરવાળો ઉલેખ આ કાવ્યમાં જ થયેલ હોવાથી એને પ્રમાણભૂત ગણવાનું મન થાય એ સ્વાભાવિક છે. આની સાથે સાથે એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે, આ કાવ્યમાં મહામાત્ય વસ્તુપાળના સ્વગમનના સમય અને સ્થળ સંબંધી ઓટલે સ્પષ્ટ ઉલલેખ કરવામાં આવ્યો હોવા છતાં, મંત્રીશ્વરના સ્વર્ગારોહણની સ્મૃતિમાં, શત્રુંજયતીર્થ ઉપર સ્વર્ગારોહણુપ્રાસાદ બનાવવામાં આવ્યા સંબંધી કશો જ ઉલ્લેખ એમાં કરવામાં આવે નથી; જ્યારે કેટલાક ગ્રંથોમાં સ્વર્ગારોહણપ્રાસાદ બનાવ્યા સંબંધી સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં, કેટલીક તીર્થમાળાઓના કર્તાઓએ તે, પિતે સ્વર્ગારોહણપ્રાસાદનાં દર્શન કર્યાનું પણ પિતાની તીર્થમાળાઓમાં નોંધ્યું છે. મોટે ભાગે વસ્તુપાળના સ્વર્ગવાસની સાલ વિ. સં. ૧૨૯૮ની માનવામાં આવે છે અને તેને પ્રબંધકેશ”, “પુરાતનપ્રબંધસંગ્રહ” તથા “શ્રી વસ્તુપાલચરિતને આધાર છે. પ્રબંધકોશ'માં આ પ્રસંગને ઉલ્લેખ (પૃ. ૧૨૭-૧ર૯માં) આ પ્રમાણે છે – अथ विक्रमादित्यात १२९८ वर्ष प्राप्तम् । श्रीवस्तुपालो ज्वररुक्लेशेन હિતાઃ [તer] તેનારું સપુત્ર પુત્રે જ 17સામતિ-વસ્તા! श्रीनरचन्द्रसूरिभिर्मलधारिभिः संवत् १२८७ वर्षे भाद्रपदवदि १० दिने दिवंगमसमये वयमुक्ताः-मन्त्रिन् ! भवतां १२९८ वर्षे स्वर्गारोहो भविष्यति। तेषां च वचांसि न चलन्ति, गी:सिद्धिसम्पन्नत्वात् । ततो वयं श्रीशत्रुञ्जयं જfમામ ઉષા .. .. ... અથ વાહ થતુપાડા મથાસ્ટિગાર્જ यावत्प्राप, तत्र शरीरं बाढमसहं दृष्ट्वा तस्थौ। ... ... इति भणन्नेवा. તમિતિ દ્વારના ૯મૃદૂર વસ્તુપાત્રદા .. . તતત્તેજઃपाल-जयन्तसिंहाभ्यां मन्त्रिदेहस्य शत्रुञ्जयैकदेशे संस्कारः कृतः। संस्कारभूम्यासन्नः स्वर्गारोहणनामा प्रासादो नमि-विनमियुतऋषभसनाथः વિતઃ | આ ઉલ્લેખ પ્રમાણે અંકેવાળિયા ગામમાં મંત્રીશ્વરને સ્વર્ગવાસ થયા બાદ એમના મૃતદેહને ગિરિરાજ શત્રુંજય ઉપર લઈ જઈને ત્યાં તેને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. અને એ અગ્નિસંસ્કારની ભૂમિની પાસે સ્વર્ગારોહણ નામે જિનપ્રાસાદ બનાવીને તેમાં નમિ-વિનમિયુક્ત શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા પધરાવવામાં આવી હતી. પુરાતનપ્રબંધસંગ્રહમાં (પૃ૦ ૬૮માં) આ પ્રસંગ આ રીતે નેધાયેલ છે– संवत् १२९८ वर्षे जातकेनायुषोऽन्तं परिज्ञाय नृपं मुत्कलापयामास Page #91 -------------------------------------------------------------------------- ________________ ४४ શેઠ આ૦ કની પેઢીના તિહાસ ધ્રુવ ! શયતાનું,ચસ્વામિનઝળ સ્થૂળ વાતઃ ।રાના- ૢ મંત્રિન ! कथमेतत् ? | देवसेवायै यास्यामि । मन्त्री अंकेवालिआग्रामे गतः । गुरवस्तत्रोक्ताः - भगवन् ! मेऽनशनं प्रयच्छत । तत्र तेजःपालानुमत्या गुरुभिरनशनं प्रदत्तम् । मन्त्री क्षमित क्षामणापूर्व पश्च परमेष्ठिनः स्मरन् स्वर्ग गतः । संस्कारादनु तेजः पालेनास्थीनि श्रीशत्रुञ्जये प्रहितानि । तत्र स्वर्गारोहणप्रासादः कारितः । આ ઉલ્લેખ પ્રમાણે મંત્રીના મૃત દેહનો અગ્નિસ`સ્કાર ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર નહીં, પણ અંકેવાલિઆ ગામમાં જ કરવામાં આવ્યા હતા અને તે પછી એમના આસ્થને ગિરિરાજ ઉપર લઈ જઈને ત્યાં એના ઉપર સ્વર્ગારહણુપ્રાસાદ બનાવવામાં આવ્યા હતા. તીર્થાધિરાજની પવિત્રતાની દૃષ્ટિએ તેમ જ એની આશાતનાના દાષ ન લાગે એ દૃષ્ટિએ પણ મંત્રીના મૃત દેહને ત્યાં લઈ જઈને ત્યાં એને અગ્નિસંસ્કાર કરવાને બદલે એમના અસ્થિને કાઈક સ્થાને પધરાવીને એના ઉપર સ્વર્ગારાણુપ્રાસાદ બનાવવાની વાત વધારે ઉચિત અને માનવા યોગ્ય લાગે છે. ‘ પ્રબંધચિ’તામણિ ’માં તેના સ્વર્ગવાસ અંકેવાળિયા ગામમાં થયાને તેમ જ એમના અગ્નિસ`સ્કારની ભૂમિ ઉપર સ્વર્ગારાહણુપ્રાસાદ બનાવ્યાના ઉલ્લેખ તા છે, પણ એમાં ન તા સ્વ^વાસની સાલના નિર્દેશ છે કે ન તો સ્વર્ગારાહપ્રાસાદ ગિરિરાજ ઉપર બનાવ્યાના નિર્દેશ છે. આ પ્રસંગના ઉલ્લેખ આ ગ્રંથમાં (પૃ॰ ૧૦૫માં) આ રીતે સચવાયેલા છે— આવાઝીયાપ્રામે.. ..... नमोऽर्हद्भ्यो नमोऽर्हदभ्य इत्यक्षरैः समं परिहृतसप्तधातुबद्धशरीरः स्वकृतकृतोपमसुकृतफलमुपभोक्तु स्वर्लोकमलंचकार । तत्संस्कारस्थानेऽनुजश्रीतेजः पाल - सुतजैत्रसिंहाभ्यां श्रीयुगादिदेवदीक्षावस्थामूर्त्तिनालंकृतः स्वर्गारोहणप्रासादोऽकारि । વળી શ્રી જિનહ ગણિવિરચિત શ્રી વસ્તુપાલચરિત 'માં, પ્રસ્તાવ ૮, શ્લોક ૫૪૨, ૫૭૫, ૫૮૫ થી ૫૮૮માં, આ પ્રસંગનું જે વર્ણન આપવામાં આવ્યું છે, તે ‘ પ્રબંધકાશ ’ના વનને જ મળતું છે. અર્થાત્ મહામંત્રીના સ્વર્ગવાસ વિ સં૰ ૧૨૯૮માં થયા હતા; એમના મૃત દેહને શત્રુંજયગિર ઉપર લઈ જઈને એને અગ્નિ સસ્કાર કરવામાં આવ્યા હતા અને એમના અગ્નિસ`સ્કારના સ્થાને સ્વર્ગારાહણુપ્રાસાદની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત આમાં વધારામાં એમ પણ જણાવવામાં આવ્યુ` છે કે તે વખતના ચૌલુકય રાજવી વિસલદેવની આજ્ઞાથી આ વાલિ ગામ જિનપૂજાને માટે ભેટ આપવામાં આવ્યું હતું. આ ઉલ્લેખ આ પ્રમાણે છે— तत्र श्रीजिनपूजायै, चौलुक्येश्वरशासनात् । तेनार्कपालिकग्रामो देवदाये कृतस्ततः ॥ ५८८ ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા ૪૫ ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર કયા સ્થાને આ સ્વર્ગારહણ પ્રાસાદની રચના કરવામાં આવી હશે, તે સ્થાન સંબધી ચોક્કસ નિય થઈ શકે એવી સ્થિતિ અત્યારે નથી. કારણ કે, આ જિનપ્રાસાદના કાઈ પણ પ્રકારના અવશેષો આજે જોવામાં આવતા નથી. આમ છતાં આ સ્થાન કયું હાઈ શકે એ સબધી એક જિજ્ઞાસુએ જે કલ્પના કરેલ છે તે તથા એક વિદ્વાને અભ્યાસ કરીને જે નિર્ણય કરેલ છે, તે અહીં રજૂ કરવાં ઉચિત લાગે છે. : (i) - ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના માસિક મુખપત્ર · જૈન ધર્મ પ્રકાશ ’ના વિ॰ સ′૦ ૧૯૭૪ના જેઠ માસના અંકમાં આ સ્થાન સંબંધી ચર્ચા કરતા એક નાના લેખ પ્રગટ થયા છે, તેમાં જણાવવામાં આવ્યુ` છે કે— tr ડુંગર ઉપર મૂળનાયકજીના દેરાસરજીના ઉત્તરાદા કરાની સામે અને રાયણ પગલાંની પાસે પથ્થરમાં કારેલી જાળીવાળું નાનું એક દેરાસર હાલ ઊભું છે. તે ઉગમણા બારનુ` છે. તેમાં આસપાસ નિમ તથા વિનમિ તથા વચ્ચે કાયાત્સર્ગ ધ્યાને ઊભેલી શ્રી આદીશ્વર દાદાની મૂતિ છે. આ સિવાય આખા ડુંગર ઉપર આવું ખીજુ` કાઈ સ્થળ નથી. મૂળનાયકના દેરાસરજીના પશ્ચિમ તરફના ઉત્તરાદા કરા અને આ દેરાસરચ્છ વચ્ચે ફુટ-—નું અંતર છે. ઉપરની તમામ હકીકતથી સિદ્ધ થાય છે કે મહાન જૈન મંત્રી વસ્તુપાળના દેહને ડુંગર ઉપર દાદાના દેરાસરની નજીક અગ્નિસંસ્કાર કરવામાં આવેલા અને તે જગા ઉપર તેમના ભાઈ તથા પુત્રે વર્ગરાહણુ નામનું ઉપર જણાવેલુ. દેરાસર બંધાવેલુ....' આ લેખમાં સૂચવ્યા મુજબનું દેરાસર નજરે જોતાં પહેલી જ દૃષ્ટિએ મનમાં એવા ખ્યાલ ઊભા થાય છે કે, સ્વર્ગારાહણુપ્રાસાદનું સ્થાન આ ન જ હેાઈ શકે. કારણ કે, (૧) જેને દેરાસર કહેવામાં આવે છે એ દેરાસર નહી પણ દેરી છે અને એમાં બિરાજમાન કરવામાં આવેલી ત્રણેય પ્રતિમા નાના કદની છે. (૨) પ્રતિમા નાના કદની હાવા અંગેના વાંધા જતા કરીએ તાપણુ આ દેરાસર એવું મેાટુ નથી કે જેને જિનપ્રાસાદ (સ્વર્ગારાપ્રાસાદ ) જેવું મેટું નામ આપી શકાય; ખરી રીતે તા એને ઘેરી કહી શકાય એવું જ એ સ્થાન છે. (૩) આ છે ઉપરાંત સૌથી મેાટા વાંધા તો એ છે કે, મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના મુખ્ય જિનપ્રાસાદની પાછળના ભાગમાં, પદરેક ફૂટના અંતરે, કોઈ પણ વ્યક્તિના મૃત દેહને અગ્નિસ સ્કાર કરવામાં આવે એ કાઈ રીતે સંભવિત લાગતું નથી; પણ ઊલટુ એથી તેા તીર્થની આશાતના થવાના જ પ્રસંગ ઊભા થાય છે. એટલે આ લખાણમાં આ સ્થાન અંગે જે કલ્પના કરવામાં આવી છે તે કાઈ રીતે માની શકાય એવી નથી. (ii) જાણીતા પુરાતત્ત્વવિદ શ્રીયુત મધુસૂદનભાઈ ઢાંકીએ અવલાકન તથા અભ્યાસ કરીને, ‘તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય ' (ટૂંક પરિચય ) નામે એક નાની પણ પ્રમાણભૂત તથા સચિત્ર પુસ્તિકા લખી છે અને એમાં શત્રુ ંજય તીર્થ અંગેની મુખ્ય મુખ્ય જાણવા " Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ જેવી બાબતાના પિરચય તેમણે આપ્યા છે. આ પુસ્તિકા શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢી તરફથી પ્રગટ કરવામાં આવી છે. આ પુસ્તિકામાં (પૃ૦ ૫૬માં) સ્વર્ગારાહણુપ્રાસાદ 'ના સ્થાન અંગે પેાતાના નિર્ણય રજૂ કરતાં શ્રીયુત ઢાંકીએ આ પ્રમાણે લખ્યું છે— “ અગાઉ મેાતીશાની ટ્રકને સ્થાને મંત્રી તેજપાળે પેાતાની પત્ની અનુપમાદેવીના નામથી બંધાવેલ ‘અનુપમા-સરાવર ' હતું; પાલા કાળમાં તે ‘કુંતાસર ' નામથી ઓળખાતું. ( આ સરાવરની પાળે, મંત્રીશ્વર વસ્તુપાળની અગ્નિદાહભૂમિ પર, મંત્રી તેજપાળે ‘સ્વર્ગારાહણુપ્રાસાદ' બધાવી તેમાં નામ-વિનમિ સમેત ભગવાન ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરેલી ).” શ્રીયુત ઢાંકીએ સ્વર્ગારોહણુપ્રાસાદના સ્થળ અંગે પોતાના જે નિય ઉપર આપ્યા છે, તે પ્રાચીન તીર્થમાળાના આધારે આપ્યા હાવા જોઇએ, એમ કેટલીક પ્રાચીન તીર્થં માળાએ જોતાં જણાઈ આવે છે. આવા ત્રણ આધારે આચાર્ય શ્રી વિજયધસૂરિ ( કાશીવાળા)એ સંપાદિત કરેલ ‘પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ' ભાગ પહેલામાંથી મળી આવે છે, જે આ પ્રમાણે છે- (૧) ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રના શિષ્ય પ૰ શ્રી દેવચંદ્રજીએ રચેલ શત્રુ ંજયતીર્થં પરિપાટી ’ની ખીજી ઢાળની છઠ્ઠી કડી ( પૃ૦ ૪૧ )માં સ્વર્ગારાહણુપ્રાસાદના સ્થાનનું સૂચન આ રીતે કરવામાં આવ્યુ છે—— બિહુરૂપે ઋષભ નમુ... એ સરગારેાહિણી નાંમ કિ, ચેારી રાજીમતીતણી એ દીઠી અતિ અભિરામ ક. આ૦ ૬ આ પરિપાટીની રચનાના સંવત તા અને અંતે આપવામાં આવ્યા નથી, પણ આ તીર્થયાત્રા શ્રી દેવચંદ્રજીએ વિ॰ સ૦ ૧૬૯૬માં કરી હતી તેથી, ઉપરની કડીમાં સૂચવ્યું છે તેમ, તે વખતે—એટલે કે સ્વર્ગારાહપ્રાસાદની રચના થયા પછી ચારસે વર્ષે પણ, તેમનાથની ચેરી તરીકે જાણીતા દેરાસરની નજીકમાં જ, સ્વર્ગારાહણુપ્રાસાદ વિદ્યમાન હતા એમ જાણી શકાય છે. (૨) એક અજ્ઞાતકતૃક ‘શત્રુંજય-ચૈત્ય-પરિપાટી ’માં એ કડીઓ ( પૃ૦ ૧૫૫ )માં આ વાતના આ પ્રમાણે ઉલ્લેખ મળે છે હિવ અણુપમસરપાલિ વેશ્યાવસહી જિષ્ણુ નમૂ; સરગારાહ નિહાલિ ત્રિહુરૂપે સિરિ રિસહજિષ્ણુ. ૭. સરહપાલિRsિ* સરહપાલિહિ.સરગાહ ત્રિહરૂપે, સિરિરિસહજિષ્ણુ નમવનમિખેચરહિ સેવીય. ૧૭. આ ઉપરથી એમ જાણવા મળે છે કે, આ સ્વર્ગારોહણુપ્રાસાદ અનેાપમા સરોવરને કિનારે બનાવવામાં આવ્યા હતા અને એમાં નમિ-વિનમિ નામે વિદ્યાધરાની મૂર્તિ એ સાથે ભગવાન ઋષભદેવની મૂર્તિ પધરાવવામાં આવી હતી. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૭ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા (૩) વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં થયેલ કવિ ખીમાએ રચેલ “શત્રુંજયચૈત્ય-પરિપાટી ની આઠમી ચોપાઈમાં આ વાતનો નિર્દેશ આ રીતે કરવામાં આવ્યું છે— તિહાં ડાઈ અનેપમશર અછઈ સ્વર્ગારોહણ વંદૂ પછઈ; વાધિણિ ખૂિ હિલઈ બારિ આગલિ પુહતુ પેલિ પગારિ. ૮. આ ત્રણેય ઉલેખ પ્રમાણે, વાઘણપોળની બહારના ભાગમાં, અનેપમાં સરોવરના કિનારા પાસે જ, સ્વરહિણપ્રાસાદ બનાવવામાં આવ્યો હતો, જે તે વખતે નેમિનાથની ચેરીના દેરાસરની નજીક જ હશે. વળી, શ્રી દેવવિમલ ગણિએ સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં રચેલ “હીરસૌભાગ્ય” કાવ્યમાં જ્યાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીએ શ્રી શત્રુંજયનાં દેરાસરનાં દર્શન કર્યાનું લખ્યું છે, એમાં (સર્ગ ૧૬, શ્લેક ૪૬માં) પણ સ્વર્ગારોહણપ્રાસાદનું નામ મળે છે. ઉપર ટાલ શ્રી દેવચંદ્રજીની પરિપાટીની કડીમાં તથા અજ્ઞાતકર્તક પરિપાટીની કડીમાં ભગવાન ઋષભદેવની પ્રતિમાનું “ત્રિહુરૂપે”—ત્રણ રૂપમાં-દર્શન કર્યાનું લખ્યું છે, તેની કથા આનંદ અને ભક્તિભાવ ઉપજાવે એવી છે. આ કથાને ભાવ સંક્ષેપમાં એ છે કે, રાજા ઋષભદેવે દીક્ષા લેવાની પૂર્વતૈયારી રૂપે, એક બાજુ વાર્ષિક દાન આપ્યું અને બીજી બાજુ પિતાનું રાજ્ય પિતાના એક પુત્રને વહેંચી આપ્યું; તે પહેલાં કચ્છ અને મહાકરછના પુત્રો નમિ અને વિનમિ, રાજા ઋષભદેવની આજ્ઞાથી. પરદેશ ગયા હતા એટલે એમને રાજ ઋષભદેવ પાસેથી કશી જ સંપત્તિ કે જમીન ભેટ મળી ન હતી. તેઓ પરદેશથી પાછા આવ્યા, ત્યારે એમણે જાણ્યું કે રાજા ઋષભદેવ તે, પિતાના સર્વસ્વ ત્યાગ કરીને, આત્મસાધનામાં લીન થઈ ગયા છે. પણ સાવ ભેળા સ્વભાવના નમિ-વિનમિને તે ભગવાન પાસેથી પિતાને ભાગ મેળવવો જ હતું, એટલે તેઓ ધ્યાનમૌનમાં રહેલ ભગવાનની પાસે જઈને યાચના કરવા લાગ્યા. પણ ભગવાન તે ન કશું બેલે કે ન ચાલે. પણ એ બેય જણા તે, તલવારની ધારની જેમ, પૂરા ભક્તિભાવથી ભગવાનની સેવા કરવા લાગ્યા. આથી ભગવાને તે પ્રસન્ન ન થયા, પણ પ્રભુના સેવક નાગરાજ ધરણેન્દ્ર એમના ઉપર પ્રસન્ન થઈને, એમને ખેચરી વિદ્ય: આપીને, એમને વિદ્યાધરની ઋદ્ધિ-સિદ્ધિ આપી. નમિ-વિનમિની તલવારની ધાર જેવી સેવાની યાદમાં જ્યાં પણ ભગવાન ઋષભદેવની પ્રતિમાની આસપાસ નમિ-વિનમિ વિદ્યાધરની મૂર્તિઓ મૂકવામાં આવે છે, ત્યાં ભગવાનની બને બાજુ તલવારનું શિ૯૫ કાતરવામાં આવે છે. આ તલવારનું પાનું એટલુ ચકચકિત કલ્પવામાં આવે છે કે એ બન્નેમાં ભગવાનની પ્રતિમાનાં પ્રતિબિંબ પડે છે; અને તેથી ભગવાનનાં ત્રણ રૂપ જોવા મળે છે. “ત્રિહરૂપ ”ને આ ભાવ છે. (“જૈન ધર્મ પ્રકાશ”ના ઉપર ટાંકવામાં આવેલ લખાણમાં રાયણુપગલાં પાસેની દેરીમાં નમિવિનમિની મૂર્તિઓ યુક્ત ભગવાન ઋષભદેવની ઊભી પ્રતિમા હોવાનું લખ્યું છે, એમાં બે ઊભી તલવારોનું શિલ્પ પણ કરવામાં આવ્યું છે.) Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર તીર્થધામની પ્રભાવના અને જાહોજલાલીમાં આંતરિક અને બાહા એમ બંને પ્રકારનાં નિમિત્તોથી અભિવૃદ્ધિ થવા પામે છે. આંતરિક કારણું તે, જનસમૂહની જે તે તીર્થધામ પ્રત્યેની આસ્થા અને ભક્તિ; અને બાહ્ય કારણ છે, જે તે તીર્થસ્થાનની સાચવણુ માટેની વ્યવસ્થા તથા યાત્રાળુઓની સારી રીતે રક્ષા કરી શકે અને સગવડ સાચવી શકે એ વહીવટ. બીજાં બીજાં કાર્યો કે ક્ષેત્રેની વ્યવસ્થા કરતાં તીર્થસ્થાનને તેમ જ કોઈ પણ ધાર્મિક ક્ષેત્રને વહીવટ સંભાળતા વ્યવસ્થાતંત્રમાં મોટા અને પાયાને તફાવત એ હોય છે કે, ધાર્મિક બાબતોને લગતું વ્યવસ્થાતંત્ર ભાવનાશીલતા, ભક્તિપરાયણતા અને ધર્માનુરાગથી સુરભિત હેવું જોઈએ. આવું ગુણિયલ વ્યવસ્થાતંત્ર જ યાત્રાળુ ભાઈઓ-બહેનની ધર્મભાવનાને સરખી રીતે ન્યાય આપીને એમને વધારે પ્રમાણમાં આકર્ષી શકે અને તીર્થના મહિનામાં વધારો કરી શકે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તરફની જેન સંઘની શ્રદ્ધા-ભક્તિ તે એક પ્રાચીન કાળથી જીવતરૂપે ચાલી આવે છે. કેઈ અઘારણ સંકટને કારણે ક્યારેક આ મહાતીર્થની યાત્રા કરવાનું, અમુક વખત માટે, સ્થગિત કરી દેવું પડ્યું હોય તેવા સમયમાં પણ શ્રીસંઘની ભાવના તે આ તીર્થની યાત્રા કરવાની જ હોય છે; અને યાત્રા કરવાના સગે વહેલામાં વહેલા ઊભા થાય એ માટે દરેક પ્રકારના પ્રયત્ન પૂરી નિષ્ઠાથી કરવામાં આવે છે.' પ્રાચીન કાળમાં આ તીર્થની યાત્રાએ નાના-મોટા અનેક સંછે તેમ જ એકલવાયાં ધર્માનુરાગી ભાઈઓ-બહેને દૂરથી તથા નજીકથી આવતાં રહેતાં હતાં. પણ વાહનવ્યવહારની ઓછી સગવડવાળા અને ચેર-ડાકુઓના વધારે ભયવાળા એ યુગમાં યાત્રા કરવા નીકળવું એ બહુ મુશ્કેલ લેખાતું, તેથી યાત્રાળુઓની સંખ્યા મર્યાદિત રહેતી. વળી, સેંલકી યુગ પહેલાં શ્રી શત્રુંજય તીર્થ ઉપરનાં સ્થાપત્યોની સંખ્યા પણ મર્યાદિત હતી, એટલે એ તીર્થની સંભાળ અને એના યાત્રાળુઓની સગવડ માટે મર્યાદિત વ્યવસ્થાતંત્રથી પણ કામ ચાલી રહેતું હતું. પણ ત્યારબાદ સોલંકી યુગમાં અને તે પછીના સમયમાં ગિરિરાજ ઉપર નાનાં-મોટાં દેવમંદિરની તેમ જ યાત્રાળુઓની સંખ્યામાં Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર ઝડપથી વધારો થવા લાગે, એટલે પછી એનું વ્યવસ્થાતંત્ર પણ ખૂબ કાબેલ, કુશળ અને કાર્યદક્ષ હોય એ જરૂરી થઈ પડ્યું. ગુજરાતમાં સોલંકી રાજ્યશાસનની શરૂઆત થઈ તે પહેલાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ કોણ સંભાળતું હતું અને એ કેવી રીતે ચાલતું હતું, એની નિશ્ચિત માહિતી આપી શકે એવી આધારભૂત સામગ્રી ઉપલબ્ધ નથી. ફક્ત વિક્રમ સંવતના પહેલા-બીજા સૈકામાં પ્રાચીન મધુમતી (વર્તમાન મહુવા) નગરીના શ્રેષ્ઠી ભાવડશા અને એમના પુત્ર શ્રેષ્ઠી જાવડશા આ તીર્થને વહીવટ સંભાળતા હતા અને ઇતિહાસ-યુગમાં આ તીર્થને પહેલે ઉદ્ધાર (ઉદ્ધારના ક્રમ મુજબ તેરમે ઉદ્ધાર) શ્રેષ્ઠી જાવડશાએ કરાવ્યું હતા, એટલી કથારૂપ માહિતી જૈન સાહિત્યમાં (“શ્રી શત્રુંજય માહાસ્ય’, ‘સિત્તેજ કરું, વગેરે અનેક ગ્રંથોમાં) સચવાઈ રહી છે. આ કથા ચેથા પ્રકરણની ૧૫મી પાદોંધમાં વિસ્તારથી આપવામાં આવી છે. સોલંકી યુગને ગુજરાતના ઈતિહાસના સુવર્ણયુગ તરીકેનું ગૌરવ અપાવનાર બે ગુર્જરપતિ મહારાજા જયસિંહ સિદ્ધરાજ અને મહારાજા કુમારપાળ તથા એ બને ઉપર પ્રભાવ પાડીને એમની પાસે પ્રજાકલ્યાણનાં અને ધર્મ પ્રભાવનાનાં અનેક સત્કાર્યો કરાવનાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનાં નામે ખૂબ જાણીતાં છે. ગુર્જર સામ્રાજ્યના સમ્રાટ કે ચક્રવર્તી સમા આ બન્ને રાજવીઓએ શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી, એટલું જ નહીં, એ મહાતીર્થના નિભાવ માટે સારી એવી ભેટ પણ ધરી હતી. ઉપરાંત, મહારાજા કુમારપાળે તો આ તીર્થની યાત્રા, સંધ સાથે, કરવાને લહાવે પણ લીધું હતું, અને ગિરિરાજ ઉપર જિનમંદિર પણ બનાવરાવ્યું હતું. આ બને ગૂર્જરપતિઓના શાસનકાળ દરમિયાન અનેક શક્તિશાળી જેન રાજપુરુષે તથા શ્રેષ્ઠીઓએ રાજ્યસંચાલનમાં ઘણું મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અને એમને હાથે જિનમંદિર, ઉપાશ્રયે, યાત્રાસંઘે વગેરે ધર્મશાસનની પ્રભાવનાનાં અનેક કાર્યો થયાં હતાં, તેથી એમની કીતિ ચોમેર ફેલાઈ ગઈ હતી. આ ઉપરથી એમ જરૂર સમજી શકાય કે, આ સમયમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ, ગુજરાતના તે સમયના પાટનગર પાટણના જૈન સંઘ અને પાટણના શ્રેષ્ઠીઓ હસ્તક હોવો જોઈએ. શ્રેષ્ઠી જાવડશાએ ઈતિહાસકાળમાં, વિ. સં. ૧૦૮ના અરસામાં, આ તીર્થને તેરમે ઉદ્ધાર કરાવ્યો તે પછી લગભગ અગિયારસે વરસે, વિ. સં. ૧૨૧૧ની સાલમાં, વાવૃદ્ધ મંત્રીશ્વર ઉદયન મહેતાના મોટા પુત્ર બાહડ મંત્રીએ આ તીર્થને ૧૪ ઉદ્ધાર કરાવ્યું હતું એ વાતનો સામાન્ય નિર્દેશ ચેથા પ્રકરણમાં (પૃ. ૨૨) કરવામાં આવ્યું છે. આ પ્રસંગને લગતી એક કથા પણ, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે કાળે પાટણના Page #97 -------------------------------------------------------------------------- ________________ A શેઠ આ કરની પેઢીને ઇતિહાસ જૈન સંઘ હસ્તક લેવાની વાતનું જ સમર્થન કરે છે. આ તીર્થને વહીવટ પાટણ સંઘના હાથમાં હતો અને એક બીજે પણ વધારે સબળ પુરાવે મળે છે. બાહડ મંત્રીએ વિસં. ૧૨૧૧માં શ્રી શત્રુંજય તીર્થને ચૌદમો ઉદ્ધાર કરાવ્યું તે પછી, બે દાયકા બાદ જ, ગુજરાત એવી ઘેરી રાજદ્વારી અનિશ્ચિતતામાં અટવાઈ ગયું કે, એની શક્તિ ઉત્તરોત્તર વધુ ને વધુ ક્ષીણ થતી ગઈ, એટલું જ નહીં, કેટલાક દાયકા માટે સત્તાનું કેન્દ્ર પાટણના બદલે ધોળકા બન્યું. આ પછી ડાક દાયકા બાદ પિતાની લેહીતરસી જેહાદને લીધે “ખૂની” તરીકેની અપકીતિ પામેલા, અલ્લાઉદ્દીન ખીલજીના સિન્થ ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર મોટું આક્રમણ કર્યું અને ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ પણ આ આક્રમણમાંથી બચવા ન પામ્યું. એનાં મંદિર અને મૂર્તિ બને ખંડિત થયાં. આ દુર્ઘટનાથી જૈન સંઘમાં હાહાકાર પ્રવતી ગયે. આ દુર્ઘટના વિ. સં. ૧૩૬લ્માં બની; એટલે બાહડ મંત્રીના ઉદ્ધાર પછી, ૧૫૮ વર્ષ બાદ જ શત્રુંજય તીર્થને ફરી ઉદ્ધાર કરાવવાની જરૂર ઊભી થઈ. - શ્રી શત્રુંજય તીર્થને ભંગ થયાની આ વાત છે, પવનવેગે, ગુજરાત-સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતની બહારના જૈન સંઘેમાં પણ પહોંચી ગઈ હતી; છતાં એને તરત જ ઉદ્ધાર કરાવીને અને વહેલામાં વહેલી તકે એની ફરી પ્રતિષ્ઠાને ઉત્સવ ઊજવીને તીર્થોધિરાજની યાત્રા ફરી શરૂ કરાવવા પ્રયત્ન કરવાની ભાવના તે તે વખતના પાટણના ઓસવાળ વંશના શ્રેષ્ઠી દેશળશાના અંતરમાં જ જાગી હતી. અથવા એમ કહેવું જોઈએ કે, આ તીર્થને સત્વર ઉદ્ધાર કરવાની સમસ્ત શ્રીસંઘની ભાવનાને ચરિતાર્થ કરવાનું પુણ્ય સાધન બનવાનું સૌભાગ્ય શ્રેષ્ઠી દેશળશાને લાધ્યું હતું. દેશળશાના પુત્ર સમરસિંહ ભારે કુશળ, સાહસી અને સુલતાન–બાદશાહના રાજ્યશાસનમાં પણ ઘણી લાગવગ ધરાવનાર બાહોશ રાજપુરુષ હતા, અને ધાર્યું કામ પાર પાડવાની શક્તિ અને સૂઝ એમનામાં હતી. ઉપરાંત દિલ્હીના બાદશાહના ગુજરાતના સૂબા અલપખાન સાથે સમરસિંહને દસ્તીને ગાઢ સંબંધ હતો અને એ એની પાસે ધાર્યું કામ કરાવી શકે એમ હતા. એટલે એમને શત્રુંજયના ઉદ્ધારના કાર્યમાં કઈ પણ જાતની મુશ્કેલી ઊભી થાય એવો ભય લાગતે ન હતો. શ્રેષ્ઠી દેશળશાને તો શત્રુંજય તીર્થનો ભંગ થયાની વાત જાણીને પ્રાણુત કષ્ટ જેવી વેદના થઈ. એમણે તે વખતે પાટણમાં બિરાજતા આચાર્ય શ્રી સિદ્ધસૂરિજીને શ્રી શત્રુંજય ગિરિને ઉદ્ધાર કરાવવાની પોતની ભાવના દર્શાવીને એ માટે અનુજ્ઞા માગી. આ પછી તીર્થને ઉદ્ધાર કરાવવાની બધી જવાબદારી સમરસિંહે ઉલ્લાસથી સંભાળી લીધી, અને એ માટેનું બાદશાહી ફરમાન પણ અલપખાન મારફત મેળવી લીધું. આ પ્રસંગે શ્રી યુગાદિદેવ આદીશ્વર ભગવાનની નવી પ્રતિમા ઘડાવવાની વાત આવી ત્યારે સમરસિંહે Page #98 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય (૨) વહીવટ અને વિસ્તાર પાટણના સંધ ભેગા કરી પૂછ્યું કે, મહામત્રી વસ્તુપાળે આવી પ્રતિમા બનાવવા માટે મેળવેલી આરસની મેાટી શિલા ( લહી) ભેાંયરામાં સાચવી રાખવામાં આવી છે, તેના ઉપયાગ નવી પ્રતિમા ઘડાવવામાં કરવા કે નવી શિલા લાવવી ? સંઘે નવી શિલા મેળવવાને આદેશ આપ્યા; અને સમરિસંહે એ માન્ય રાખ્યા. આ પ્રસંગ ઉપરથી પણ એમ નક્કી થાય છે કે, શ્રી શત્રુંજયના વહીવટ એ સમયમાં પાટણના સધના હાથમાં જ હતા. પછી એમણે એવી કુનેહ અને ઝડપથી આ કામ કર્યું કે ફક્ત બે વર્ષ પછી જ, વિ॰ સ’૦ ૧૩૭૧માં, આ જિનપ્રાસાદ નવેસરથી 'ધાઈ ને તૈયાર થઈ ગયા, એટલે પછી શ્રેષ્ઠી દેશળશા, આચાર્ય મહારાજ શ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં, મેાટો સંઘ લઈને પાલીતાણા પહેાંચ્યા અને ત્યાં ખૂબ માટા ઉત્સવ સાથે, વિ॰ સ૦ ૧૩૭૧ના માહ સુદ ૧૪ ને સામવારના રાજ, આ તીર્થની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે પંદરમા ઉદ્ધાર તરીકે વિખ્યાત અનેલ છે. આ ઉપરથી પણ લાગે છે કે, જોકે આ તીર્થ પ્રત્યે ઊંડી ભક્તિ તા આખા દેશના જૈન સઘ ધરાવતા હતા, પણ એની રક્ષા કરવાની અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી તા તે કાળે પાટણના સધ જ નિભાવતા હતા. વળી ભાવનગરથી પ્રગટ થતા ‘જૈન ’ સાપ્તાહિકના કાર્યાલય તરફથી વિ॰ સ ૧૯૮૫માં પ્રગટ કરવામાં આવેલ · શ્રી શત્રુજય પ્રકાશ ' નામે પુસ્તકમાં આ અરસાના શ્રી શત્રુ ંજય તીર્થીના વહીવટ સ`ખધમાં જણાવવામાં આવ્યુ છે કે— “ સવત ૧૩૬૯માં મ્લેચ્છ સેના ડુઇંગર ઉપર અઢળક લક્ષ્મી પથરાયેલી છે તેમ સાંભળી ચઢી, પરંતુ કઈ ન મળવાથી ખાલી ઊભેલાં દેશની છૂટીછવાઈ ભાંગફાડ કરીને ચાલી ગઈ. શ્રી સિદ્ધાચળની મુખ્ય દેખરેખ અણુહીલપુરના સંધમાં હોવાથી ત્યાં આ ખબર મળતાં અણુહીલપુરમાં બિરાજતા આચાર્ય શ્રી સિદ્ધસૂરિએ ત્યાંના શેઠ દેસલશાને આ વાતથી વાકેફ કર્યા. દેસલશાહ વૃદ્ધાવસ્થાને લીધે અણહીલપુરમાં રહેતા; જ્યારે તેના પુત્ર સમરાશા (સમરસિ') દિલ્લીમાં રહેતા (પૃ૦ ૮૩), ....સમરાશાના ઉદ્ધાર પછી તીર્થની વ્યવસ્થા દેશલશાને સાંપાણી. તેઓ અણુહીલપુરમાં રહીને તી વ્યવસ્થા સભાળવા ઉપરાંત સંઘસહવત માન યાત્રાર્થે આવીને જાતે તપાસ કરી જતા (પૃ૦ ૮૭). “સમરાશાના ઉદ્ધાર પછીના આ આખા સકામાં દિલ્લીની ગાદી ઉપર અનેક રાજ પલટા થવાથી મારે તેની તલવાર ' જેવું ચાલતું હતું. . આ અશાંતિયુગ વચ્ચે તીની વ્યવસ્થા સમરાશાના વંશજો સંભાળતા હતા. પરંતુ તે પછી સ’૦ ૧૪૬૮માં અહમદશાહ સુલતાને અમદાવાદ વસાવી ગુજરાતનું પાયતખ્ત ત્યાં સ્થાપ્યું, એટલે પાટણના વ્યાપાર પડી ભાંગવાથી વસ્તીનેા માટો ભાગ અમદાવાદ તથા ખંભાત વસવાટ માટે જવા લાગ્યા, તેમ જ સમરાશાના વંશજ સાજણુશાને પણ પાતાની પેઢી ખભાત ફેરવવા ઇચ્છા થઈ, ܕ Page #99 -------------------------------------------------------------------------- ________________ પર શેઠ આ કરની પેઢીના ઇતિહાસ તેથી તેમના પાસે રહેલા શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અણુહીલપુર પાટણના શ્રીસ`ઘને સભાળી લેવા જણાવ્યું. એટલે આચાર્ય શ્રી વિજયરાજસૂરિના નેતૃત્વ નીચે સ`ઘે મળીને પાટણ, રાધનપુર અને ખંભાતના આગેવાનાની એક કમિટી ફૂટીને તેને વહીવટની સાંપણી કરી અને સ્થાનિક સભાળ માટે અણુહીલપુરથી આચાર્યશ્રીએ પાતાના શિષ્યને પાલીતાણા રાકવા. (પૃ૦ ૮૮, ૮૯).” આ ઉપરથી જોઈ શકાય છે કે, બાહય મંત્રીએ શ્રી શત્રુંજય ગિરિના ઉદ્ધાર કરાવ્યા ત્યારે, શ્રી સમરાશા ઓસવાલે કરાવેલા ઉદ્ધાર વખતે અને ત્યાર પછી લગભગ એક સકા સુધી શ્રી શત્રુ...જય તીર્થના વહીવટ પાટણના સંઘના હાથમાં એટલે કે પાટણના શ્રેષ્ઠીઓના હાથમાં હતા. બાહુડ મંત્રીએ, તીર્થાધિરાજના ચૌદમા ઉદ્ધાર વિ॰ સં૦ ૧૨૧૧માં (મહારાજા કુમારપાળ અને કલિકાલસĆજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અસ્તિત્વકાળમાં) કરાવ્યા હતા અને સમરાશાએ કરાવેલ પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા વિ॰ સ૦ ૧૩૭૧માં થઈ હતી. આ બે ઉદ્ધારાની વચ્ચેનું સમય-અંતર ૧૬૦ વર્ષ જેટલું છે. અને કલિકાલસર્વજ્ઞ હેમચ‘દ્રાચાયના વિ॰ સ૦ ૧૨૨૯માં અને મહારાજા કુમારપાળના વિ॰ સ૦ ૧૨૩૦માં સ્વર્ગવાસ થયા પછી ગુજરાત ઉપરની સાલ'કી યુગની સત્તા કેવળ નબળી પડવા લાગી હતી, એટલું જ નહીં, એ આથમવા પણ લાગી હતી. અને ત્રણેક દાયકા માટે ગુજરાતના પાટનગર તરીકેનું કેન્દ્ર અણહીલપુર પાટણથી હટીને, વાઘેલાએના રાજ્ય-શાસનમાં, ધોળકા નગરમાં બદલાઈ ગયુ. હતું; અને ગુજરાતના મહામંત્રી તરીકેની જવાબદારી વસ્તુપાળ સભાળતા હતા. આ અરસાની એક કથા જૈન સાહિત્યમાં સચવાઈ રહી છે, તે ઉપરથી કંઈક એવા અણુસાર મળે છે કે, ધેાળકાના શાસન દરમિયાન, શ્રી શત્રુ જય ગિરિના વહીવટની જવાબદારી મહામંત્રી વસ્તુપાળ ( અર્થાત્ ધાળકાના શ્રીસંઘ ) સંભાળતા હતા. આ પછી વળી પાછેા શત્રુજયના વહીવટ એકાદ સૈકા માટે પાટણના સઘ કે શ્રેષ્ઠી દેશળશાના વંશજો સભાળતા હતા. પછી, ઉપર સૂચવ્યુ. તેમ, એ વહીવટ સ‘ભાળવાની જવાખદારી પાટણ, ખ’ભાત અને રાધનપુરના સાના આગેવાનાની કમિટીને સોંપવામાં આવી હતી. · જૈન પર‘પરાના ઇતિહાસ' ભાગ ત્રીજા (પૃ૦ ૨૫૭)માં જણાવ્યા પ્રમાણે શ્રી શત્રુજયના વહીવટ, કેટલાક વખત માટે, રાધનપુરના મસાલિયા કુટુંબ હસ્તક પણ રહ્યો હતા. આ કુટુબની એક ધર્મશાળા પણ પાલીતાણામાં છે. શ્રી સમરાશાહના (પંદરમા) ઉદ્ધાર વિ॰ સ૦ ૧૩૭૧માં થયા તે પછી શ્રી શત્રુ જયને વહીવટ તા, ઉપર જણાવ્યા મુજખ, ત્રણ શહેરાના સ`ઘા દ્વારા સયુક્તપણે ચાલતા રહ્યો Page #100 -------------------------------------------------------------------------- ________________ તથધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર હશે; પણ આ વ્યવસ્થા કેટલે વખત ચાલુ રહી અને એમાં ક્યારે કેવી જાતને ફેરફાર થયે, એની ચોક્કસ માહિતી કે નેંધ મળતી નથી. એટલે તીર્થાધિરાજને વહીવટ સંભાળવાની આવી જ કેઈ વ્યવસ્થાથી તે વખતે કામ ચાલતું હશે એવું અનુમાન થઈ શકે છે. પણ આ અરસામાં તીર્થની રક્ષા તથા સારસંભાળ અંગે જરૂરી ગોઠવણ તે કરવામાં આવી જ હશે, તે છતાં તીર્થના ખંડનને બનાવ બન્યો હતો. શ્રી સમરાશાહે વિ. સં. ૧૩૭૧માં તીર્થને ઉદ્ધાર કરાવ્યો, તે પછી ફરી પાછા કેઈક સમયે મુસલમાનેએ તીર્થ ઉપર આક્રમણ કરીને તીર્થને નુકસાન પહોંચાડ્યું અને મૂળનાયક ભગવાનની પ્રતિમાને પણ ખંડિત કરી. આ ભાંગફોડ ક્યા વર્ષમાં થઈ એ ચેકકસ જાણવા મળતું નથી. પણ આ નુકસાન એવું મોટું હતું કે જેથી મંદિરને (તીર્થને) ઉદ્ધાર કરાવીને ફરી પ્રતિષ્ઠા કરાવવી પડે. પણ આ સમય દરમિયાન મુસલમાન શાસકોએ, પિતાની જેહાદ જેવી રીત-રસમોથી, ભય અને બિનસલામતીની એવી લાગણી ઊભી કરી હતી કે જેથી જૈન સંઘ તરત જ શરૂ કરવા જેવું આ કાર્ય પણ સમયસર હાથ ધરી શક્યો ન હતો; અને કેટલાક ભાવિક યાત્રિકે, જોખમ ખેડીને પણ, એ તીર્થની યાત્રાએ છૂટાંછવાયાં જતાં અને ખંડિત પ્રતિમાનાં દર્શન કરીને યાત્રા કરવાની પિતાની ભાવના પૂરી કરતાં. આ રીતે જેઓ ધર્મભાવનાથી પ્રેરાઈને યાત્રા માટે સાહસ ખેડતાં એમની પાસેથી યાત્રા કરવા માટે ૧, ૨, ૫ કે ૧૦ રૂપિયા અને, ક્યારેક તે, સોનામહોર સુધ્ધાં વસૂલ કરવામાં આવતી અને યાત્રિકોને લાચાર બનીને એ આપવી પણ પડતી.૧૦ એક રીતે કહીએ તે, તીર્થાધિરાજનાં યાત્રિકે માટે (અને બીજાઓ માટે પણ) આ સમય આતંક, અરાજકતા અને ઘણી કનડગત વચ્ચે યાત્રા કરવાનું મુશ્કેલીભર્યો સમય હતો. આ રીતે સમરાશાહના ઉદ્ધાર પછી બે સિકા જેટલું લાંબે ગાળો અનિશ્ચિતતામાં નીકળી ગયો; તેમાંય આ સમયના છેલ્લા કેટલાક દસકા તે આ તીર્થ અને આ તીર્થનાં યાત્રિકો માટે વિશેષ કપરા હતા, અને હવે આ તીર્થના ઉદ્ધારને સમય પાકી ગયા હોય એમ લાગતું હતું. વિક્રમના સોળમા સૈકા દરમિયાન કોઈક સમયે, આ તીર્થ ઉપર આક્રમણ કરીને, મુસલમાને એ ત્યાં ઘણી ભાંગફોડ કરી હતી, એટલું જ નહીં પણ, ઉપર સૂચવવામાં આવ્યું છે તેમ, મૂળનાયક ભગવાન ઋષભદેવની પ્રતિમાને પણ ખંડિત કરી હતી, તેથી શ્રીસંઘ ખૂબ ચિંતામાં મુકાઈ ગયો હતો. આવી ચિંતાકારક સ્થિતિમાં ચિત્તોડના શ્રેષ્ઠી કર્મશાહનું ધ્યાન આવી અતિ શોચનીય પરિસ્થિતિ તરફ ગયું એટલે એમને આ તીર્થને સત્વર ઉદ્ધાર કરાવવાની જરૂર લાગી. એમનું મરમ જાણે આ ચિંતાથી વ્યાપ્ત થઈ ગયું અને તેઓ આ કાર્ય પૂરું કરવાના પ્રયત્નમાં તન-મન-ધનથી પરોવાઈ ગયા. ગુજરાતના (ચાંપાનેરના) સુલતાન બહાદુરશાહ સાથેના સારા સંબંધને કારણે, એમણે Page #101 -------------------------------------------------------------------------- ________________ પ૪ શેઠ આ૦ કરની પઢીને ઇતિહાસ શત્રુંજયને ઉદ્ધાર કરવાની અનુમતિ આપતું બાદશાહી ફરમાન પણ મેળવ્યું. તે પછી એમણે આ ઉદ્ધાર કરવાની અનુજ્ઞા કઈ શહેરના સંઘ પાસેથી મેળવ્યાને ઉલ્લેખ નથી મળતો, કે જે સંઘ ગિરિરાજ શ્રી શત્રુંજયને વહીવટ સંભાળતે હેય. શ્રેષ્ઠી કર્મશાહ ચાંપાનેરથી ખંભાત જઈને પિતાના ગુરુ ઉપાધ્યાય શ્રી વિનયમંડન પાઠકને શત્રુંજયના ઉદ્ધારની બાદશાહી અનુમતિ મળ્યાની વાત કરે છે અને, એમની પાસેથી આ કામ જલદી શરૂ કરવાને આદેશ મેળવીને, પાલીતાણું પહોંચીને ઉદ્ધારના કામની શરૂઆત કરાવે છે. બાદશાહ બહાદુરશાહ વિ. સં. ૧૫૮૩ના ભાદ્રપદ માસમાં ગાદીએ બેઠે હતે અને કર્માશાહે કરાવેલા ૧૬મા ઉદ્ધારની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૮૭માં વૈશાખ વદિ ૬ ને રવિવારના રોજ કરાવવામાં આવી હતી;૧૧ એ ઉપરથી લાગે છે કે, મંત્રી કમશાહે આ ઉદ્ધારનું કામ, શ્રેષ્ઠીવર્ય સમરાશાહના પંદરમો ઉદ્ધારની જેમ, ખૂબ ઝડપથી, બે-ત્રણ વર્ષમાં જ પૂરું કરાવ્યું તેવું જોઈએ.૧૨ આ દરમિયાનમાં, આ ઉદ્ધારથી એક સિકા કરતાં પણ વધુ સમય પહેલાં, બાદશાહ અહમ્મદશાહ વિ. સં. ૧૪૫૪માં ગુજરાતની ગાદી પર બેઠે હતો અને એણે વિ. સં. ૧૮૬૮માં ૧૩ પિતાના નામથી, સાબરમતી નદીને કિનારે, નવું નગર અમદાવાદ વસાવીને, અણહિલપુર પાટણના બદલે, એને ગુજરાતની રાજધાની બનાવ્યું હતું. આમ છતાં, અમદાવાદની સ્થાપના અને શ્રેષ્ઠી કમ્મશાહના ઉદ્ધાર વચ્ચેના ૧૧૯ વર્ષ જેટલા લાંબા સમય દરમિયાન શત્રુંજયને વહીવટ અમદાવાદના જૈન સંઘે કે બીજા કયા શહેરના સંઘે સંભાળ્યું હતું, એની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થતી નથી. આ પછીને સમય એટલે કે કર્મશાહના ઉદ્ધારના સે ળમી સદીના અંત ભાગથી શરૂ કરીને તે અઢારમી સદીના દેઢેક દસકા સુધીને આશરે સવા વર્ષ જેટલો સમય, ભારતવર્ષના ઈતિહાસમાં, એકંદરે સુખ-શાંતિને ગણી શકાય એ સમય હતે ૧૪ અને ધર્મઝનૂની ઔરંગજેબ દિલ્લીની ગાદીએ બેઠે તે પછી ફરી પાછી પ્રજાની સુખ-શાંતિને ભંગ થયો હતો. સુખ-શાંતિના આ સમય દરમ્યાન, જૈન સંઘના પ્રભાવક આચાર્ય જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી વગેરે શ્રમણભગવતે, અન્ય ધર્મોના ગુરુઓ, દેશના વગદાર અગ્રણીઓ તથા ભારતસમ્રાટ અકબર વગેરે બાદશાહો વચ્ચેના સારા સંબંધને લીધે, જૈન શાસનની વિશેષ પ્રભાવના થઈ હતી તથા પ્રજાની ભલાઈનાં અનેક કાર્યો પણ થયાં હતાં. આ અરસામાં જેમ શ્રી શત્રુંજય વગેરે જૈન તીર્થોનાં માલિકી-હક્કોનાં અનેક બાદશાહી ફરમાને જૈન સંઘને મળ્યાં હતાં તથા અહિંસા-અમારિ-પ્રવર્તનનું ધર્મકાર્ય સારા પ્રમાણમાં થયું હતું, તેમ દેશની હિંદુ પ્રજાને અન્યાય અને પીડા કરનાર જજિયાવેરી પણ નાબૂદ થયો હતો. ૧૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫૫ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર | વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્થના પહેલા દસકા આસપાસથી અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રભાવ દિલ્લી અને ગુજરાતના શાસકે ઉપર, જેના સંઘમાં તેમ જ પ્રજામાં, ધીમે ધીમે, વિસ્તરવા લાગ્યો હતે; અને એમની ધર્મ માટેની ધગશ, કાર્યકુશળતા, બાહોશી અને રાજદ્વારી કુનેહને લીધે તેઓ ભારતના જૈન સંઘના મુખ્ય અગ્રણી બન્યા હતા. અને મુગલ રાજશાસક પાસે પણ એમનું ઘણું ચલણ હતું. એ રીતે અમદાવાદના જૈન સંઘનું સ્થાન જૈન શાસનમાં આગળ પડતું થતું જતું હતું અને એની ખ્યાતિ “જૈનપુરી” અને “રાજનગર તરીકે વિસ્તરવા લાગી હતી. એટલે, જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી વગેરે શ્રમણ ભગવંતના જ્ઞાન અને ચારિત્રથી પ્રભાવિત થઈને, સમ્રાટ અકબર તથા બીજા મુગલ સમ્રાટે એ જૈન સંઘને કરી આપેલ શ્રી શત્રુંજય વગેરે તિર્થોનાં માલિકી-હક્કોનાં ફરમાનેની સાચવણી અને એના અમલની દેખભાળ કરતાં રહેવાની જવાબદારી અમદાવાદના શ્રીસંઘે તથા મુખ્યત્વે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ તેમ જ એમના ઉત્તરાધિકારીઓએ સંભાળી લીધી હતી.૧૭ આ રીતે, કેમે ક્રમે, સમય જતાં, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ પણ અમદાવાદ શહેરના શ્રીસંઘના હસ્તક આવત ગયે. આ સમય દરમિયાન અમદાવાદ ગુજરાતનું પાટનગર બન્યાને બેએક સિકા વીતી ગયા હતા. આ બાબતમાં વિશેષ નોંધપાત્ર બીના એ છે કે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અમદાવાદના સંઘના હાથમાં આવી ગયા પછી એ વ્યવસ્થિત, સ્થિર અને વહીવટનું સ્થાન બદલાવવાની ચિંતાથી સર્વથા મુક્ત બન્યા હત; અને આમ થવાનું કારણ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, એમના ધર્મપ્રભાવક ઉત્તરાધિકારીઓ અને અમદાવાદના સંઘના ધર્મસેવા-પરાયણ અગ્રણીઓની તીર્થરક્ષા માટેની ધગશ અને નિષ્ઠાભરી કામગીરી જ કહી શકાય. અલબત્ત, આમાં ભારતના જૈન સંઘે અને એમના અગ્રણીઓના વિશ્વાસ અને ઉદાર સહકારને ફાળ પણ સેંધપાત્ર કહી શકાય એવો છે જ, એમાં શક નથી. - આ બધી માહિતી ઉપરથી, સોલંકીયુગથી શરૂ કરીને તે અત્યાર સુધી, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ કયાં કયાં શહેરેએ સંભાળે, એનું તારણ કાઢીએ તો, કંઈક એવું અનુમાન થઈ શકે છે કે, છેલ્લાં આશરે એક હજાર વર્ષ દરમિયાન, જે શહેર ગુજરાતનું પાટનગર બનવાનું ગૌરવ ધરાવતું હતું એ, મોટે ભાગે, ગિરિરાજ શત્રુંજયના વહીવટની જવાબદારી સંભાળતું હતું. જે અરસામાં, અર્થાત્ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં, શ્રી શત્રુંજય તીર્થની સંભાળ રાખવાની તથા તીર્થના યાત્રિકો માટે પાલીતાણા શહેરમાં જરૂરી સગવડ કરી આપવાની જવાબદારી અમદાવાદ શહેરના જૈન સંઘના અગ્રણીઓના હાથમાં આવવાની શરૂઆત થઈ, તેના કેટલાંક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના ગોહિલવાડ વિભાગના ગારિયાધાર-પાલીતાણા પરગણા ઉપર ગોહિલ વંશના રાજવીઓનું શાસન સ્થિર થવા લાગ્યું હતું. આમ થવાથી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ પહેલાંના સમયમાં આ વિભાગ ઉપર ગાયકવાડની રાજસત્તાનું કેટલુંક આધિપત્ય હતું, તેમ જ ભાવનગરના ગોહિલ રાજવીઓનું જે કંઈ ચલણ હતું, એને પણ અંત આવ્યું હતું. આમ છતાં પાલીતાણા રાજ્ય ગાયકવાડ સરકારનું ખંડિયા રાજ્ય હતું.૮ અને તેથી એને ગાયકવાડ સરકારને, ઘણું કરીને, દર વર્ષે આઠેક હજાર રૂપિયા ખંડણી તરીકે, ઈસ્વી સનની ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી, આપવા પડતા હતા, એવા પુરાવા મળે છે. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં એકંદર રીતે શ્રી શત્રુંજય તીર્થ અને પાલીતાણા શહેર અંગે ઊભી થતી મુશ્કેલીને નિકાલ લાવવાની બાબતમાં, એક જ રાજસત્તાની સાથે વાતચીત અને વાટાઘાટ કરવાની જરૂર રહેવાથી, જૈન સંઘને માટે, એ કામ કંઈક સરળતાવાળું બની ગયું હતું. એટલે જ્યારે જ્યારે આવો કોઈ પણ પ્રશ્ન કે પ્રસંગ ઊભે. થતા ત્યારે શ્રી રાજનગર-અમદાવાદના શ્રીસંઘના આગેવાને, અન્ય સ્થાનના શ્રીસંઘે અને વગદાર અગ્રણીઓનો સહકાર લઈને, શરૂઆતમાં ગારિયાધારમાં રહેતા અને પછીથી પાલીતાણા આવીને વસેલા ગોહેલ રાજવીઓ સાથે વાટાઘાટ કરીને એનો નિકાલ કરવા પ્રયત્ન કરતા; અને એમાં એમને એકંદરે સફળતા પણ મળતી. - શ્રી શત્રુંજય તીર્થ અને એ તીર્થનાં યાત્રાળુઓની રક્ષા કરવાના પાલીતાણું રાજ્ય અને જૈન સંઘ વચ્ચે થયેલ રખોપાના કરારના જે દસ્તાવેજો સચવાઈ રહ્યા છે, તેમાં સૌથી જૂની દસ્તાવેજ વિસં. ૧૭૦૭નો એટલે આજથી (વિ. સં. ૨૦૩૬માં) આશરે સવા ત્રણ વર્ષ જેટલો જૂનો છે. આ કરાર એક બાજુ તે વખતની રાજધાની ગારિયાધારમાં રહેતા પાલીતાણુના રાજવી ગોહેલ કાંધાજી અને બીજી બાજુ સમસ્ત જૈન સંઘ વતી નગરશેઠ શ્રી શાંતિદાસ સેસકરણ ઝવેરી અને શેઠશ્રી રતન તથા સૂરા નામે બે ભાઈઓ વચ્ચે વિ. સં. ૧૭૦૭ના કારતક વદિ ૧૩ ને મંગળવારના રોજ થયે હતો.૧૯ આ દસ્તાવેજ ઉપરથી પણ એ સ્પષ્ટ થાય છે કે, વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધ અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓ હસ્તક આવી ગયે હ; અને એમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને ફાળો ઘણું મહત્ત્વનો હતો. આ પછી, જેમ જેમ સમય વીતતે ગમે તેમ તેમ, શ્રી શત્રુંજય તીર્થના વહીવટની જવાબદારી, બીજા કેઈ સ્થાનના જૈન સંઘ પાસે જવાને બદલે, અમદાવાદના સંઘના અગ્રણીઓ પાસે જ વધારે સ્થિર અને દઢ થતી ગઈ; અને સમય જતાં, આ વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યો, જે અત્યારે પણ એ નામથી જ ચાલી રહ્યો છે. આની વિગતો હવે પછીના (છઠ્ઠા) પ્રકરણમાં આપવામાં આવી છે, Page #104 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્ર‘જય (૨) વહીવટ અને વિસ્તાર એક ખુલાસા “ટોડ રાજસ્થાન ” ( Annals of Rajasthan ) નામે ઐતિહાસિક ગ્રંથના વિખ્યાત લેખક અને રાજસ્થાનના પોલિટિકલ એજન્ટ ક લ જેમ્સ ટોડે “ Travels in Western India ' (પશ્ચિમ ભારતનો પ્રવાસ) નામે ગ્રંથ લખ્યા છે.૨૦ એમાં તેએએ શ્રી શત્રુંજય તી અને પાલીતાણા શહેરનો પ્રવાસ કરેલા તેનુ' વર્ણન ૧૪મા પ્રકરણમાં (પૃ૦ ૨૭૪-૩૦૨) કર્યું" છે. આ વનમાં (પૃ૦ ૨૯૩-૨૯૪) તેઓએ એ વખતે શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ કાણુ સભાળતુ હતુ, એ અંગેની જે માહિતી આપી છે, તે આ પ્રમાણે છે— "The temporalities of Adnath are managed by a committee of wealthy lay-votaries from the chief cities, as Ahmedabad, Baroda, Puttun, Surat etc. These nominate resident and ambulatory agents, who receive the offerings of the devout, carry them to account, and note the disbursements for repairs, daily oblations of frankincense or saffron, the feeding of the sacred pigeons, the animals whose lives have been redeemed from sacrifice, or worn-out kine, which find pension and pasture within the holy precincts." અર્થાત્ “ આદિનાથનાં દેરાસરાની મિલકતની વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, પાટણ, સૂરત વગેરે મુખ્ય શહેરાના ધનવાન ગૃહસ્થ ભક્તોની કમિટી સ'ભાળે છે. આ કમિટી માણસાની નિમણૂક કરે છે, જે સ્થાનિક અને સમયે સમયે બદલાતા રહેતા ભક્તોએ આપેલી ભેટા સ્વીકારે છે, તેની ચાપડામાં નોંધ કરાવે છે, અને સમારકામના, ધૂપના અને કેસરના ખર્ચની ચુકવણીની નાંધ રાખે છે; પવિત્ર કબૂતરાને ચણ નાખે છે, ખલિદાન થતાં બચાવી લેવામાં આવેલ પશુઓને, ઘરડી ગાયાને ખવરાવે છે અને એ પવિત્ર સ્થળની હદમાં એમને સાચવવાની અને ચરાવવાની વ્યવસ્થા કરે છે.” ૧૭ કલ જેમ્સ ટોડે પોતાના પ્રવાસ તા. ૧-૬-૧૮૨૨ના રાજ શરૂ કર્યાં હતા અને શ્રી શત્રુંજય તી અને પાલીતાણા શહેરની મુલાકાત એમણે તા. ૧૭-૧૧-૧૮૨૨ના રાજ લીધી હતી. આ વખતે તે શ્રી શત્રુ'જય તીથને વહીવટ શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીના નામથી જ ચાલતા હતા, એટલું જ નહીં, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કેપ્ટન આર. ખાનવેલની દરમિયાનગીરીથી, પાલીતાણા રાજ્યને, રખેાપાના, વાર્ષિક રૂ. ૪૫૦૦/-આપવાના દસ વર્ષના ખીને કરાર, તા. ૮-૧૨-૧૮૨૧ના રાજ, જૈન સંઘની વતી શેઠ આણંદજી કલ્યાણજીએ જ કર્યાં હતા. વસ્તુસ્થિતિ આવી હાવા છતાં, કર્નલ જેમ્સ ટોડને શ્રી શત્રુ ંજય તીના વહીવટ, ઉપર નાંધ્યું' તેમ, “ અમદાવાદ, વડાદરા, પાટણ, સૂરત વગેરે મુખ્ય શહેરાના ધનવાન ગૃહસ્થ ભક્તો સભાળે છે” એવી < Page #105 -------------------------------------------------------------------------- ________________ મજાન -મન - ------ --im mi r , ૫૮ શેઠ આર કટની પેઢીને ઇતિહાસ માહિતી જેણે આપી હશે, અથવા કયા આધારે આપવામાં આવી હશે, કે એમણે કેવી રીતે સેંધી હશે, એવો સવાલ સહેજે થાય છે. : , પાટણની પડતી શરૂ થઈ ત્યારે શ્રી શત્રુંજય તીર્થને વહીવટ, આગળ સૂચવવામાં આવ્યું છે. તેમ, આચાર્ય શ્રી વિજયરાજસૂરિની સલાહ મુજબ, પાટણ, ખંભાત અને રાધનપુર શહેરનાં જૈન સંઘના આગેવાને સંયુક્તપણે સંભાળતા હતા, એ વાત તે વિક્રમના પંદરમા સિકાના અંત ભાગને લગતી છે અને કર્નલ ટેડે તે શ્રી શત્રુંજય તીર્થની મુલાકાત છેક, વિક્રમની ઓગણીસમી સદીના અંતભાગમાં (ઈ. સ. ૧૮૨૨=વિ. સં. ૧૮૭૮માં લીધી હતી, એટલે એમને મળેલી અને એમણે પિતાના પ્રવાસવર્ણનમાં નેધેલી, આ તીર્થને વહીવટ ગુજરાતનાં જુદાં જુદાં શહેરના ધનવાન આગેવાને સંભાળતા હોવાની વાત નિરાધાર છે, એ સ્પષ્ટ છે. વળી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પદ્ધતિસરનું (કાયદેસરનું) બંધારણ સૌથી પહેલાં, કર્નલ ટેડની પાલીતાણાની મુલાકાત પછી ૫૮ વર્ષે એટલે કે ઈ. સ. ૧૮૮૦ની સાલમાં ઘડાયું હતું, એટલે આ બંધારણમાં કરવામાં આવેલ જુદાં જુદાં શહેર–પ્રદેશના સ્થાનિક પ્રતિનિધિઓની નિમણુકની જોગવાઈને અનુલક્ષીને કર્નલ ટેડે આ પ્રમાણે લખ્યું "હાય એ પણ બનવા જોગ નથી. સંભવ છે, કદાચ વિક્રમની પંદરમી સદીમાં શ્રી શત્રુ. જય તીર્થનો વહીવટ જુદાં જુદાં શહેરેના વગદાર જૈન આગેવાને સંભાળતા હોવાનો ઉલ્લેખ ક્યાંકથી વાંચીને એમણે આ પ્રમાણે લખી દીધું હોય અથવા તો આ તીર્થની સાચવણી સમસ્ત જૈન સંઘ કરે છે, એવા મતલબની માહિતી એમને આપવામાં આવી હોય અને એના ઉપરથી એમણે આ પ્રમાણે લખ્યું હોય. એ ગમે તેમ હોય, પણ શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ બાબતમાં કર્નલ ટેડે આપેલ આ હકીકત વસ્તુસ્થિતિથી જુદી અને કંઈક ભ્રમ ઊભો કરે એવી છે, એટલું નિશ્ચિત છે. નિર્ણાયક સમય વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધનો સમય શ્રી શત્રુંજય તીર્થના વહીવટની દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર અને નિર્ણાયક હતું, તેની મુખ્ય મુખ્ય વિગતો આ પ્રમાણે છે– - (૧) પાલીતાણા પરગણું ગોહિલવંશની રાજસત્તા નીચે આવી ગયું હતું, અને એની રાજધાની ગારિયાધારમાં હતી. : : (ર) ભાવનગર રાજ્ય અને ગાયકવાડ સરકારની આ પરગણા ઉપરની હકૂમતમાં જે દખલગીરી હતી, એને માટે ભાગે અંત આવ્યો હત–માત્ર પાલીતાણું રાજ્ય ગાયકવાડ સરકારને દર વર્ષે અમુક રકમની ખંડણી આપવી પડતી હતી, એટલા પૂરતી આ દખલગીરી ચાલુ રહી હતી, Page #106 -------------------------------------------------------------------------- ________________ ર) તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર ૫૯ (૩) શ્રી શત્રુંજય તીર્થને વહીવટ અમદાવાદ શહેરના સંઘના અગ્રણીઓના હાથમાં આવી ગયો હતો. આવી અનુકૂળ પરિસ્થિતિનું સર્જન થવાને કારણે શ્રી શત્રુંજય તીર્થના વહીવટમાં એકંદર સ્થિરતા અને નિશ્ચિતતા આવી ગઈ હતી. અને એ રીતે સવાસ-દસે વર્ષ સુધી શાંતિથી બધે કારોબાર ચાલતો રહ્યો હતો. આ પછી પણ તીર્થાધિરાજના વહીવટની બાબતમાં ડીક વિશેષ અનુકૂળતા થાય એવા બે પ્રસંગ બન્યા, તે આ પ્રમાણે છે.... - વિક્રમની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં (સને ૧૮૦૮ની સાલમાં), એક બાજુ કર્નલ વૈકરના સેટલમેન્ટ પ્રમાણે કાઠિયાવાડમાં અંગ્રેજ રાજસત્તાના અમલની શરૂઆત થઈ તો બીજી બાજુ, ગોહેલ રાજવી પૃથ્વીસિંહના વખતમાં, આ પરગણાની રાજધાની ગારિયાધારથી બદલીને પાલીતાણા શહેરમાં સ્થાપવામાં આવી અને વધારામાં, આ અરસામાં, આ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી જ ચાલવા લાગ્યો હતે. આમ થવાને લીધે, જ્યારે જ્યારે શ્રી શત્રુંજય તીર્થનો વહીવટની બાબતમાં પાલીતાણું રાજ્ય સાથે જૈન સંઘને એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વાંધો પડ કે ઝઘડે ઊભે થતી ત્યારે, પહેલાં તે રાજ્ય સાથે વાટાઘાટો ચલાવીને એને નિકાલ લાવવા પ્રયત્ન કરવામાં આવતે; પણ જ્યારે એવા પ્રયત્નનું ધાર્યું પરિણામ ન આવતું અને એ નિષ્ફળ જતા, ત્યારે અંગ્રેજ સરકારને દરમિયાનગીરી કરવાની વિનંતી કરવામાં આવતી. આવી વિનંતી, મોટે ભાગે તે, જૈન સંઘ તરફથી જ થતી છતાં, ક્યારેક ક્યારેક, પાલીતાણાના દરબારશ્રી તરફથી પણ આવી દરમિયાનગીરીની માગણી કરવામાં આવતી. આ હકીકતની સાક્ષી અંગ્રેજ સરકારના પ્રતિનિધિની દરમિયાનગીરીથી સધાયેલ સંખ્યાબંધ સમજૂતીએ, સમાધાનો અને કરારના દસ્તાવેજો પૂરે છે. સને ૧૮૨૧માં (વિ. સં. ૧૮૭૮માં) પાલીતાણા રાજ્યને, રપ નિમિત્તે વાર્ષિક રૂ. ૪૫૦૦/ આપવાને, દસ વર્ષની મુદતને, બીજે કરાર, જૈન સંઘની વતી, શેઠ આણંદજી કલ્યાણજીની પિઢી અને પાલીતાણાના દરબાર ગોહેલ કાંધાજી વચ્ચે, તે વખતના કાકિયાવાડના પિલિટિકલ એજન્ટ કેપ્ટન આર. ખાનવેલની દરમિયાનગીરીથી જ થયે હતા. (આ અસલ દસ્તાવેજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદના દફતરમાં સુરક્ષિત છે, અને એની છબી આ પુસ્તકમાં આપવામાં આવી છે.) આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે, શ્રી શત્રુંજય તીર્થની બાબતમાં પાલીતાણા રાજ્ય અને શ્રી જૈન સંઘ વચ્ચે અર્થાત્ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે ક્યારેક ક્યારેક મતભેદ કે ફૂલેશનું નિમિત્ત ઊભું થયા કરતું હતું.(આ અંગેની નેંધપાત્ર વિગતો પાલીતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા” એ નામે અગિયારમા પ્રકરણમાં આપવામાં આવી છે.) Page #107 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ વહીવટની સ્થિરતાનુ પરિણામ ઉપર સૂચવ્યુ' તેમ, શ્રી શત્રુંજય તીર્થના વહીવટ અમદાવાદના જૈન મહાજનેાના હાથમાં આવ્યા પછી તીર્થના વહીવટ અને વિસ્તાર અંગે જે આવકારદાયક સ્થિતિનુ નિર્માણ થયું, તે મુખ્યત્વે નીચે મુજમ ગણાવી શકાય—— ૬૦ (૧) વિ૰ સ’૦ ૧૫૮૭માં શ્રેષ્ઠી કર્માશાએ આ તીર્થના સેાળમા ઉદ્ધાર કરાવ્યા તે પછી, તીની સાચવણી અને દેખરેખની એવી સારી વ્યવસ્થા થઈ કે, જેને લીધે, લગભગ સાડા ચારસો વર્ષ જેટલા લાંબે સમય વીતી જવા છતાં, એના ઉદ્ધાર કરાવવાની જરૂર હજી સુધી(વિ૦ સ’૦૨૦૩૬ સુધી) ઊભી નથી થઈ. અલબત્ત, વિ॰ સ’૦ ૧૬૫૦માં, ખંભાતના શ્રી તેજપાલ સેનીએ આ તીમાં કેટલુંક જાદ્ધારનું કામ કરાવ્યુ. હતું,૨૨ પણ એ કામ જીણોદ્ધારની તાત્કાલિક જરૂરિયાત પૂરતુ હાવાથી એની ગણના તીના સ્વતંત્ર ઉદ્ધાર તરીકે કરવામાં નથી આવતી. એટલે આ તીના ઉદ્ધારાની સખ્યાના અંક અત્યાર સુધીમાં ૧૬થી આગળ નથી વધ્યા—શ્રેષ્ઠી કર્માશાના ઉદ્ધાર એ આ તીના છેલ્લા-સાળમા ઉદ્ધાર હતા એ જાણીતુ છે. આ પરિસ્થિતિની સામે બાહુડ મ`ત્રીએ વિ॰ સ૦ ૧૨૧૧ની સાલમાં કરાવેલ ૧૪મા, વિ॰ સ૦ ૧૩૭૧ની સાલમાં પાટણના શ્રેણી સમરાશાહે કરાવેલ ૧૫મા અને વિ॰ સ૦ ૧૫૮૭મા મત્રી કર્માશાએ કરાવેલ ૧૬મા ઉદ્ધાર વચ્ચેના ગાળાની સરખામણી કરવા જેવી છે. વિ॰ સં૦ ૧૨૧૧થી વિ॰ સ૦ ૧૫૮૭ સુધીમાં થયેલ ત્રણ ઉદ્ધારા વચ્ચેના ૩૭૬ વર્ષના ગાળા જોઈ એ તા, દર દોઢસા-ખસેા વર્ષે આ તીથૅના ઉદ્ધાર કરાવીને એમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની નવી પ્રતિમા પધરાવવાની અને ફરી પ્રતિષ્ઠા કરાવવાની જરૂર ઊભી થતી જ રહી છે. પણ છેલ્લાં સાડા ચારસા વર્ષ દરમિયાન આમ કરવાની જરૂર ઊભી નથી થઈ, તેમાં, અમુક પ્રમાણમાં, રાજદ્વારી આક્રમણખારીના અભાવના પણ કાળેા છે; અને વિશેષ ફાળા આ તીર્થની રક્ષા માટે અમદાવાદ શ્રીસ`ઘના મેવડીએ દાખવેલી સતત જાગૃતિ અને ચીવટના છે એમ કહેવુ' જોઈ એ. (૨) આ તીથૅના વહીવટ અમદાવાદના જૈન આગેવાનના હાથમાં આવ્યા. પછી એમાં એક પ્રકારની સ્થિરતા આવી હતી; સાથે સાથે એમાં તે, જરૂરિયાત પ્રમાણે, એવી રીતે ફેરફાર પણ કરતા રહ્યા હતા કે જેથી નવી પરિસ્થિતિને ખરાખર રીતે ન્યાય આપીને તીના હિતની અને એની પવિત્રતાની પૂરેપૂરી રક્ષા થઈ શકે. અને જ્યારથી આ કાય શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યુ અને પેઢીનેા કારોબાર વ્યવસ્થિતપણે અને સૌને સંતાષ થાય એ રીતે ચાલતા રહે એ માટે એનુ સ્વતંત્ર બંધારણ ઘડવામાં આવ્યું અને એમાં પણ, સમયે સમયે, જરૂરિયાત પ્રમાણે, ફેરફારા કરવામાં આવ્યા, ત્યારથી તા આ કામ વિશેષ પદ્ધતિસર અને વ્યવસ્થિત રૂપમાં ચાલી રહ્યું છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ર) વહીવટ અને વિસ્તાર (૩) અમદાવાદના શ્રીસંધના હાથમાં આ તીર્થના વહીવટ આવ્યા પછી, કાઇ આવકારપાત્ર ભવિતવ્યતાના યાગ કહેા કે ગમે તે કહેા, પણ આ તીર્થના ઉત્તરાત્તર વિસ્તાર થતા જ રહ્યો છે, અને હજી પણ તીના વિસ્તારની આ પ્રક્રિયા ચાલુ છે.૨૪ વિક્રમની સત્તરમી સદીના પૂર્વાધ સુધી તેા આ તીર્થ ઉપર એક માત્ર દાદાની-શ્રી આદીશ્વર ભગવાનની–જ ટૂક હતી; અને એમાં પણ સગાળપાળથી લઈને તે રતનપાળ સુધીમાં અત્યારે છે એટલાં બધાં નાનાં-મોટાં જિનમંદિરો ન હતાં, પણ એછાં જ જિનમદિ હતાં.૫ ઉપરાંત, નવ ટૂકે! જેના ઉપર વસી છે તે બીજા શિખર ઉપર પણ થાડાંક જ પ્રાચીન જૈન દેવસ્થાનાનાં સ્થાપત્યેા હતાં.૨૧ આ રીતે વિક્રમની સત્તરમી સદીના પૂર્વાધ સુધી આ તીર્થના વિસ્તાર મર્યાદિત હતા, એ સ્પષ્ટ છે. પણ વિક્રમની સત્તરમી સદીના પૂર્વાના છેલ્લા દસકામાં હીરવિજયસૂરિજીના શાસનકાળનાં છેલ્લાં વર્ષો દરમિયાન, આ ખૂબ સાનુકૂળ અને આવકારપાત્ર ફેરફાર થવાની શરૂઆત થઈ. સૌથી મેાટી વાત તેા, મેાગલ શહેનશાહ અકબર તરફથી શ્રી શત્રુ ંજય તીર્થ (તેમજ અન્ય કેટલાંક તીસ્થાના) ઉપરના માલિકી હક્કનું ફરમાન જૈન સઘને આ સમયમાં જ મળ્યું હતુ; એટલું જ નહી. પણ, અન્ય શ્રમણ ભગવંતા તથા ખાસ કરીને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના રાજકીય પ્રભાવ અને ચીવટભર્યા અવિરત પ્રયાસને લીધે, જહાંગીર, શાહજહાં, મુરાદમક્ષ અને ઔર ગજેબ જેવા મુગલ શહેનશાહાએ એ ફરમાનને તાજુ કરી આપ્યું હતુ, એ છે. માગલ શહેનશાહેાએ આ તીથ અંગે તેમ જ અન્ય જૈન તીર્થો અંગે તેમ જ અમારિ– અહિંસાની ઘેાષણાની બાબતમાં બતાવેલી આવી કૂણી લાગણીનું પિરણામ દ્વગામી, આ તીર્થં ઉપરનાં મુસ્લિમ આક્રમણાને ખાળનારું અને તીને પૂરી રીતે સુરક્ષિત બનાવનારું આવ્યું એ દેખીતુ છે, એટલે કે જગદ્ગુરુ શ્રી તીર્થની પરિસ્થિતિમાં બીજી બાજુ, આ તીર્થના વિસ્તારની શરૂઆત પણ આ સમયમાં એવા મેાટા પાયા પર થઈ કે, એક કાળે, માટે ભાગે, ખાલી લાગતું આ તીર્થનું બીજું શિખર પણુ, અઢીસે વર્ષ જેટલી સમયાવધિમાં, સે'કડા કળામય તથા સાદાં અને આલિશાન તેમ જ નાનાં જિનમન્દિરાથી શાભાયમાન નવકાનું ધામ બની ગયું, એટલું જ નહી, કુંતાસર જેવી ખૂબ ઊ’ડી ખાઈની પૂરણી કરીને એના ઉપર પણ એક ખૂબ વિશાળ ટૂંકની (માતીશા શેઠની ટૂંકની) રચના કરવામાં આવી. આ નવ ટૂકેમાં સૌથી પહેલી ટૂક બની તે સવા સામાની ચૌમુખજીની ટૂંક. નવ ટૂંકમાં આ ટ્રક જેમ સૌથી પ્રાચીન છે, તેમ વિશાળતા અને ભવ્યતામાં પણ એ સૌથી ચડિયાતી અને પ્રથમ પક્તિમાં આવે એવી છે. આ નવ ટૂકાની સ્થાપના ક્રમે ક્રમે કયારે થઈ તે નીચેની હકીકત ઉપરથી જાણી શકાશે— Page #109 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ : (૧) સવા સામાની (ખરતરવસીની) અથવા 'ચામુખજીની ટૂંક, વિ॰ સ’૦ ૧૬૭૫માં (બીજી ટ્રક; અમદાવાદ). (૨) છીપા વસીની ટૂંક, વિ॰ સં૦ ૧૭૯૧માં (ત્રીજી ટૂંક; ભાવસાર ભાઈ એની). (૩) પ્રેમવસી – પ્રેમચંદ માદીની ટૂંક, વિ॰ સં૰ ૧૮૪૩માં (સાતમી ટૂંક; અમદાવાદ).૨૭ (૪) હેમવસી – હેમાભાઈ શેઠની ટ્રંક, વિ॰ સ૦ ૧૮૮૬માં (છઠ્ઠી ટૂંક) અમદાવાદ). (૫) ઉજમફઈની – નંદીશ્વર દ્વીપની ટ્રક, વિ૦ સ’૦ ૧૮૯૩માં (પાંચમી ટૂંક; અમદાવાદ). (૬) સાકરવસી – સાકરચંદ પ્રેમચંદની ટ્રક, વિ॰ સ’• ૧૮૯૩માં ( ચેાથી ટ્રૅક; અમદાવાદ). (૭) બાલાવસી–ખાલાભાઈની દૂક, વિ॰ સ’૦ ૧૮૯૩માં (આઠમી ટૂંક; ઘોઘા). (૮) માતીશાની દૂક, વિ॰ સ`૦ ૧૮૯૩માં (નવમી ટૂંક; મુખઈ). (૯) નરશી કેશવજીની ટૂંક, વિ॰ સ્૰ ૧૯૨૧માં (પહેલી ટૂંક; મુ`બઈ). ઉપર નાંધેલ નવ ટૂંકીની સ્થાપનાને લગતી માહિતીનું પૃથક્કરણ કરતાં જાણી શકાય છે. કે— ૬૨ (૧) આ નવ ટૂંકામાં સવા સામાની ટૂકની સ્થાપના સૌથી પહેલાં-વિ॰ સ૦ ૧૯૭૫માં –અને નરશી કેશવજીની ટ્રેકની સ્થાપના સૌથી છેલ્લે –વિ॰ સ’૦ ૧૯૨૧માંથઈ હતી. આ રીતે વિસ૰૧૬૭૫ થી ૧૯૨૧ સુધીના ૨૪૬ વર્ષના ગાળામાં નવ ટૂંકાની સ્થાપના થઈ હતી; અને આ બધા સમય દરમિયાન શ્રી શત્રુંજય તીર્થના વહીવટ શરૂઆતમાં અમદાવાદનાં જૈન સઘના અગ્રણીઓ હસ્તક અને પાછળથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક હતા, (ર) આ નવ ટૂકેમાં જૂનામાં જૂની સવા સામાની ફ્રેંક (સ્થાપના વિસ' ૧૬૭૫) સહિત પાંચ ટૂંકો અમદાવાદના શ્રેષ્ઠીએ તથા ઉજમફઈ એ બધાવી હતી. (૩) જે વર્ષામાં (વિ॰ સ′૦ ૧૮૯૩માં) શ્રી મેાતીશા શેઠની ટ્રકની રચના થઈ, એજ વર્ષમાં ચાથી (નં૦:૬), પાંચમી (નં૦ ૫) અને આઠમી (ન′૦ ૭)-એમ એકીસાથે ખીજી ત્રણ ટૂકાની પણ રચના થઈ હતી, એ ખીના પણ ધ્યાન ખેચે એવી છે, ભાતા-તલાટી : ભાતાની શરૂઆત ગિરિરાજ શત્રુજયની યાત્રા કરનાર યાત્રિકોને ભાતા-તલાટીમાં આપવામાં આવતા ભાતા-નાસ્તાની શરૂઆત સવાસેા વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં થઈ હતી, એની ભક્તિભાવને જાગ્રત કરે એવી ધકથા ટૂંકમાં આ પ્રમાણે છે— એક વાર મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ યાત્રા કરીને પાછા ફરતા હતા, ત્યારે તલાટીએ ઊતરીને એમણે જોયુ કે, તાપથી તપેલાં અને તરસ્યાં થયેલાં યાત્રિકા ભાતાઘરની નજીકની સતી વાવ પાસેની પરખમાંથી પાણી પીતાં હતાં. આ જોઈ ને એ લાગણી Page #110 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૨) વહીવટ અને વિસ્તાર શીલ મુનિવરને થયું કે, યાત્રા કરીને થાકેલાં યાત્રિકોને કંઈક ભાતું આપવામાં આવે, તે વાપરીને પછી તેઓ પાણી પીવે એવી વ્યવસ્થા થાય તે કેવું સારું ! અને એ મુનિરાજની આ ભાવના એવી ઉત્કટ હતી કે એમના ઉપદેશને ઝીલીને રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાએ તળાટમાં ભાતું આપવાના પુણ્યકાર્યની તરત શરૂઆત કરી. શરૂઆતમાં અહીં ભાતામાં શું આપવામાં આવતું હશે તે અંગે મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ (ત્રિપુટીએ) લખેલ જૈન તીર્થોને ઈતિહાસ” નામે મોટા અને માહિતીપૂર્ણ ગ્રંથમાં (પૃ. ૪૫) જણાવવામાં આવ્યું છે કે, “ભાતામાં શરૂઆતમાં ચણા અપાતા; પછી શેવ-મમરા અપાતા.” વળી, મેઢામોઢ મળતી માહિતી પ્રમાણે, કેટલોક વખત ઢેબરાં અને દહીં પણ આપવામાં આવતાં હતાં. અને છેલ્લા કેટલાય દાયકાથી તે લાડવો અને ગાંઠિયા અને ક્યારેક ક્યારેક તે, ભાતું વહેંચનારની સંઘભક્તિની ઉચ્ચ ભાવના મુજબ, બીજી બીજી મીઠાઈઓ પણ આપવામાં આવે છે. ઉપરાંત, કેઈ. કેઈ વાર, ચા-કેફી અને સાકરિયા પાણી પણ, ભાતાની સાથે, આપવામાં આવે છે. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ આ તીર્થસ્થાનમાં ભાતું આપવાને મહિમાં સતત વધતે જ ગયો છે, એ વાત એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, ભાતું આપવાની બધીચોમાસા સિવાયના આઠ મહિનાની-તિથિએ નોંધાઈ ગઈ છે. (શ્રી શત્રુંજય ઉપરાંત કેટલાંક બીજા જૈન તીર્થોમાં પણ ભાતું આપવામાં આવે છે.) ' મુનિવર્ય શ્રી કલ્યાણવિમળજીની પ્રેરણાથી ભાતું આપવાનો પ્રારંભ ક્યા વર્ષથી થયે એ તે જાણી શકાયું નથી, પણ પાલીતાણામાં તલાટી માર્ગ ઉપર, નાહર બિલ્ડિંગ અને પાંચ બંગલાવાળી ધર્મશાળાની વચ્ચે, આપણા ડાબા હાથે, શ્રી કલ્યાણવિમળાજીની તથા હર્ષવિમળજી અને ગજવિમળની ચરણપાદુકાઓવાળી સમાધિસ્થાનની છત્રી આવે છે; એના ઉપર વિ. સં. ૧૯૧૨ને લેખ છે. એ ઉપરથી એટલું તે નિશ્ચિત થાય જ છે કે, ભાતું આપવાની શુભ શરૂઆત વિસં. ૧૯૧૨ પહેલાં એટલે આજથી (વિ. સં. ૨૦૩૬ના વર્ષથી) એાછાંમાં ઓછાં સવાસો વર્ષ પહેલાં તે થઈ જ હતી. આ કાર્યની પ્રેરણા આપનાર મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી અને એ પ્રેરણાને ઝીલનાર રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદા શ્રીસંઘ ઉપર કેટલો મોટો ઉપકાર કરી ગયા છે !૨૮ શરૂઆતમાં યાત્રિકે સતી વાવની પાસેના ઓટલા ઉપર બેસીને ભાતું વાપરતાં હતાં. આ ઓટલાની પાસે એક મેટું વડનું વૃક્ષ હતું, તેથી બધાને છાંયડો મળી રહે. પણ, સને ૧૯૧૨-૧૩ની સાલ આસપાસ ક્યારેક, વાવાઝેડાથી, આ વડલે પડી ગયે; એટલે, યાત્રાળુઓ આરામથી બેસીને ભાતું વાપરી શકે તે માટે, શ્રેણી લાલભાઈ દલપતભાઈનાં ધર્મભાવનાશીલ માતુશ્રી ગંગાબાઈએ (ગંગામાએ), સને ૧૯૧૪ની સાલમાં, ભાતાઘરનું પાકું અને મોટું મકાન બંધાવી આપ્યું હતું. એ મકાન ઉપર આ પ્રમાણે લેખ મૂકવામાં આવ્યો હતે Page #111 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ ૩% શેઠ લાલભાઈના માતાજી ગંગાબાઈ સને ૧૯૧૪, અમદાવાદ 'મિસ્ત્રી મે. મા. સં: ૧૭૦ની સા.” થોડાંક વર્ષ પહેલાં (વિ. સં. ૨૦૨૬ની સાલમાં), આ મકાનમાં સારા પ્રમાણમાં ફેરફાર કરીને એને અદ્યતન સુવિધાથી યુક્ત બનાવવામાં આવ્યું છે, જેથી હવે યાત્રિકે, જમીન પર બેસીને ભાતું વાપરવાને બદલે, ખુરશી ઉપર બેસીને ટેબલ ઉપર ભાતું વાપરે છે. યાત્રિકને આપવામાં આવતા ભાતાની શરૂઆતને પણ આ તીર્થના સતત થઈ રહેલા વિકાસના એક અંગરૂપ જ લેખવી જોઈએ. આ ઉપરથી એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, આ તીર્થને વહીવટ અમદાવાદના સંઘના હાથમાં અને સમય જતાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના હાથમાં આવ્યા પછી, આ તીર્થ દિવસે દિવસે વધારે જાહોજલાલ થતું ગયું અને એના હકોમાં વધારો થવાની સાથે સાથે એ હક્કોની સાચવણીની ગોઠવણ પણ બરાબર થઈ હતી. એક વિશિષ્ટ ઠરાવ આ પછી તે ગિરિરાજ ઉપર મંદિર કે દેરી કરાવવાની અથવા છેવટે જિનપ્રતિમા પધરાવવાની માગણીમાં ઉત્તરોત્તર બહુ વધારે થવા લાગે, એટલું જ નહીં, ખુદ હાથીપિળમાં જ દેરું કે દેરી કરાવવાની માગણું પણ એટલા મોટા પ્રમાણમાં વધી ગઈ હશે કે જેથી, વિસં. ૧૮૬૭ના ચિત્રી પૂનમના પર્વ દિને, પાલીતાણામાં, જુદાં જુદાં સ્થાના સંઘને એકત્ર મળીને, હવેથી હાથીપળમાં કેઈએ પણ મંદિર નહીં બંધાવવું અને જે કોઈ બંધાવે તો એ તીર્થ અને સંઘને ખૂની ગણાય, એ નીચે મુજબને આકરો અને વિશિષ્ટ પ્રકારનો ઠરાવ કરવાની ફરજ પડી હતી– | સંવત ૧૮૯૭ના વર્ષે ચિત્ર સૂદ ૧૫ દને સંઘ સમસ્ત મલિ કરીને લખાવ્યું છે જે હાથીપાલના ચેક મધ્યે કેઈએ દેરાસર કરવા ન પામે અને જે કદાચિત દેરાસર જે કેઈએ કરાવે તો તિથી તથા સમસ્ત સંઘને પુનિ છે. સમસ્ત સંઘ દેશાવરના ભેલા મલીને એ રીતે લણાવ્યું છે. તે ચેક મળે આંબલી તથા પીપલાની સાહમાં દક્ષણ તથા ઉન્નર દિશે તથા પુર્વ પશ્ચિમ દિશે જે કઈ દેરાસર કરાવે તેને સમસ્ત સંઘને ગુનહિ છે સહિ છે સા ૧૮૬૭ના વર્ષે ચિત્ર સુદ Page #112 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર પ સમયના વહેવા સાથે શ્રી શત્રુ'જય મહાતીર્થના, ઉત્તરાત્તર, જેટલેા વિકાસ થતા રહ્યો છે, અને હજી પણ થઈ રહ્યો છે, એટલેા વિકાસ ખીજા કોઈ તીના ભાગ્યે જ થવા પામ્યા હશે. શ્રીસ ંધના અંતરમાં અતિ થયેલી આ મહાતીર્થ પ્રત્યેની પવિત્રતાની અને એના તરફની ઊંડી અને દૃઢ શ્રદ્ધા-ભક્તિની ઉત્કટ લાગણીનુ` જ આ સુપરિણામ છે, એ સ્પષ્ટ છે. આ તીર્થાધિરાજના ક્રમિક વિકાસની કથાનું સમગ્ર રૂપે દન-અવલોકન-પૃથક્કરણ કરીએ તા, એના આ પ્રમાણે ત્રણ તબક્કા કે યુગા સ્પષ્ટ રૂપે જાણવા મળે છે~ (૧) ગુજરાતમાં સાલકી (ચૌલુકય) વશની રાજસત્તાની શરૂઆત થઈ તે પહેલાંને યુગ. આ યુગ છેક પ્રાચીન-પ્રાગૈતિહાસિક સમયથી શરૂ થઈને સાલંકી યુગની શરૂઆત સુધીના સમયને આવરી લે છે. જોકે ખૂબ ખૂબ લાંબા સમયના અવધિને આવરી લેતા આ યુગમાં પણ આ ગિરિરાજની પ્રાચીનતા અને પવિત્રતા અંગે શ્રીસંઘ ભારે આસ્થા, ઊડી શ્રદ્ધા અને પૂરેપૂરી ભક્તિ ધરાવતા હતા, અને ગિરિવરની રજના સ્પર્શીને પાપવિમાચનકારી તથા પુણ્યના તેમ જ કની નિર્જરાના આંતરિક લાભ કરનાર માનતા હતા, છતાં એ વખતે એના ઉપર જિનમંદિરાનાં સ્થાપત્યેા માટી સંખ્યામાં ન હતાં; એની સખ્યા બહુ જ ઓછી હતી. (૨) ગિરિરાજની વિકાસકથાના બીજો યુગ તે સાલકી વશના ઉદયથી તે ગુજરાતમાંથી મુગલ રાજ્યસત્તાના અસ્ત થયા તે આશરે છસે વર્ષના સમય. આ સમય દરમિયાન આ મહાતીર્થંના નોંધપાત્ર વિકાસના પ્રારભ, મહામ`ત્રી ઉયનની લાકડાના જિનમદિરના સ્થાને પથ્થરનુ` મ`દિર બનાવવાની પ્રતિજ્ઞા એમના ધમી સુપુત્ર બાહડ મંત્રીએ પૂરી કરી અને વિ॰ સ૦ ૧૨૧૧ની સાલમાં આ તીર્થના ૧૪મા ઉદ્ધાર કરાવ્યા, ત્યારથી થયા. આ ઉદ્ધાર પછી દાદાની મુખ્ય ટૂકમાં બીજા પણ કેટલાંક નાનાં-મોટાં દેવમદિરો બન્યાં હતાં. શ્રેષ્ઠી સમરાશાએ વિ॰ સ૦ ૧૩૭૧માં કરાવેલા પંદરમે! ઉદ્ધાર અને શ્રેષ્ઠી કર્માશાના વિ॰ સ૦ ૧૫૮૭ના સાળમા ઉદ્ધાર તેમ જ ખ'ભાતના શ્રી તેજપાળ સાનીએ વિ॰ સ’૦ ૧૬૫૦માં કરાવેલ આ તીર્થના જીર્ણોદ્ધાર પણ આ બીજા તબક્કા દરમિયાન જ થયા હતા. અને એ રીતે આ તીર્થના ત્વરિત અને વ્યાપક વિકાસના યુગને અરુણેાય થયા હતા. (૩) આ વિકાસકથાના ત્રીજો યુગ મુગલ તથા મુસ્લિમ સલ્તનતના મધ્યાહ્ન અને અસ્તાચળના સમયથી શરૂ થઈને છેક વમાન કાળને સ્પર્શે છે. આશરે ચારસો વર્ષ જેટલા લાંખા સમય દરમિયાન જેમ દાદાની મુખ્ય ટૂક ધરાવતું ગિરિરાજનું શિખર જિન ટ્ Page #113 -------------------------------------------------------------------------- ________________ હૃદ શેઠ આકની પેઢીના ઇતિહાસ મદિરાનાં વધારે સ્થાપત્યેાથી શાભાયમાન બન્યુ હતુ, તેમ એ ગિરિવરનુ` વધારે ઊંચુ ખીજુ` શિખર. નવ ટૂંકામાંનાં નાનાં-મોટાં સેકડો જિનમદિરાથી ખૂબ સમૃદ્ધ બન્યું તે પણુ આ સમય દરમ્યાન જ. આમાંના કેટલાક જિનપ્રાસાદો તે ગગનચૂમી અને શિલ્પસ્થાપત્ય-કળાના ઉત્તમ નમૂનારૂપ બનેલા છે. વળી, ગિરિરાજનાં આ બે શિખરા વચ્ચે આવેલી અને કુંતાસરને નામે ઓળખાતી ઊડી ખાઈને પૂરીને એના ઉપર માતીશા શેઠે ખૂબ વિશાળ અને મનમાહક ટ્રકની રચના કરાવી હતી. આ. ટૂંક શ્રી માતીશા શેઠે તથા એમની સાથે સબંધ ધરાવતી જુદી જુદી ધર્મ ભાવનાશીલ વ્યક્તિઆએ મળીને બનાવેલ નાનાં-મોટાં સેાળ જિનાલયેા તેમ જ ૧૨૩ જેટલી દેરીઓથી ખૂબ રમણીય અને સમૃદ્ધ ખનેલી છે. આ ટૂંકની રચના પણ ગિરિવરના વિકાસના આ ત્રીજા યુગ દરમ્યાન જ થયેલ છે. મૂર્તિ આનું ઉત્થાપન અને પુન:સ્થાપન જ્યારે જુદાં જુદાં ગામાના સ`ઘેાએ પાલીતાણામાં ભેગા થઈને, ઉપર (પૃ૦ ૬૪માં) સૂચવવામાં આવ્યુ છે તેમ, હાથીપાળની અંદર નવીન દેરુ કે ઘેરી ખનાવવા સામે પ્રતિબ’ધ મૂકયો, ત્યારે પણ શ્રીસંઘની ભાવના તેા હાથીપાળમાં, દેરું કે દેરી ન બનાવી શકાય તે છેવટે, એકાદ નાની-માટી જિનપ્રતિમાને પધરાવવાની તા રહેતી જ હતી. અને આ ભાવના સફળ બનાવવાના પ્રયાસરૂપે, દાદાની ટૂંકમાં જ્યાં કચાંય પણ ખાલી જગ્યા દેખાઈ ત્યાં, આશાતના થવાના કે શિલ્પશાસ્ત્રના નિયમના ભંગ થવાના વિચાર કર્યા વગર, ઠેર ઠેર સેંકડો જિનપ્રતિમાએ પધરાવવામાં આવી હતી. આમ થવાને લીધે, આશાતના તેમ જ શિલ્પશાસ્ત્રના નિયમના ભંગ થવા ઉપરાંત, દાદાની ટૂંકની મનેાહરતામાં પણ ખામી આવી જવા પામી હતી. આ ખામીને દૂર કરવાની દૂરદેશી વાપરીને, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા, વિ॰ સં૦ ૨૦૨૦-૨૧ની સાલમાં, દાદાની ટ્રકમાંથી નાની-મોટી ૫૦૦ કરતાં પણ વધુ જિનપ્રતિમાઓનું ઉત્થાપન કરાવવામાં આવ્યું હતું. આ પ્રતિમાઓને પુનઃપ્રતિષ્ઠિત કરવા માટે દાદાની મુખ્ય ટ્રકમાં-રતનપાળમાં જ, એ-ખારાના નામે ઓળખાતા વિશાળ પ્રાંગણમાં, એકાવન દેરીએ તથા મુખ્ય દેરાસર મળીને કુલ બાવન જિનાલય ધરાવતા એક સુંદર નૂતન જિનપ્રાસાદની રચના કરવામાં આવી હતી. અને એમાં તથા નવા આદીશ્વરજી, સીમંધરસ્વામીજી, પુ'ડરીકસ્વામીજી, ગાંધારિયા ચામુખજી તેમ જ દાદાના દેરાસર ઉપરના ભાગેામાં—એમ જુદે જુદે સ્થાને મળીને, કુલ ૫૦૪ જેટલી જિનપ્રતિમાઓની ફી પ્રતિષ્ઠા, વિ॰ સ૦ ૨૦૩૨ના માહ શુદિ સાતમ, તા. ૭–૨–૧૯૭૬ ને શનિવારના રાજ, મેાટા ઉત્સવ સાથે કરવામાં આવી હતી.૨૮ આ રીતે દાદાની ટૂકમાંથી આ પ્રતિમાનુ ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનામાં બિરાજમાન ફરવાથી, દાદાના મુખ્ય દેરાસરનું પ્રાચીન શિલ્પ પ્રગટ્ થવાને કારણે તેમ જ કેટલાંક Page #114 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર સ્થાનમાં જગ્યા ખુલ્લી થઈ જવાને કારણે, દાદાની ટૂક વિશેષ શોભાયમાન બની છે, એમ કોઈને પણ લાગ્યા વગર નહીં રહે. ગિરિવર ઉપરની શિલ્પ-સમૃદ્ધિને આ ત્રીજા યુગમાં થયેલ વિકાસ એટલે ઝડપી હતે તેટલે જ વ્યાપક પણ હતું, એ વાત ઉપર વર્ણવવામાં આવેલ હકીક્ત ઉપરથી સહેજે સમજાઈ જાય છે. આભચા શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર આશરે ૧૦૦૦ જેટલાં નાનાં-મોટાં જિનમંદિરોની રચનાથી તેમ જ લગભગ અગિયાર હજાર જેટલી ધાતુની તેમ જ પાષાણની જિનપ્રતિમાઓ તેમાં પધરાવવામાં આવેલ હોવાથી, આ અદ્દભુત અને ખૂબ શિલ્પ-સમૃદ્ધ બનેલ ગિરિરાજને મંદિરની નગરી” એવું ગૌરવવંતુ અને અપૂર્વ બિરુદ આપવામાં આવ્યું છે તે બિલકુલ યથાર્થ છે. આ તીર્થધામને આવું સાર્થક બિરુદ આપનાર મહાનુભાવે તથા અન્ય વિદેશી તેમ જ દેશી પ્રવાસીઓએ, આ સ્થાનના શિલ્પ-સ્થાપત્ય અને કળા-વૈભવથી પ્રભાવિત થઈને, એની મુક્ત મને જે પ્રશસ્તિ કરી છે, તેમાંની કેટલીક અહીં નેધવી ઉચિત લાગે છે, જે આ પ્રમાણે છે– કેટલીક મહત્વની પ્રશસ્તિઓ * જેમ્સ ટેડ આ તીર્થને મહિમા વર્ણવતાં લખે છે કે— પાલીતાણાથી પર્વતની તલાટી સુધીને માર્ગ વડના ભવ્ય વૃક્ષે વચ્ચેથી પસાર થાય છે, જે પૂજા માટે એકત્ર થતા વિશાળ સંઘને પવિત્ર છાંયડે આપે છે. (પૃ૦ ૨૮૧). હવે આપણે ઠીક ઠીક ઊંચાં પગથિયાં ચડીને અને પુંડરીકસ્વામીના દરવાજાના નામે ઓળખાતા કમાનવાળા માગે થઈને, પવિત્રમાં પણ પવિત્ર સ્થાને પહોંચી જઈએ છીએ, જે આપણને આદિનાથ ભગવાનના મંદિરની સામે લઈ જાય છે (પૃ. ૨૮૪). ભગવાન આદિનાથનું મંદિર જેકે એક ભવ્ય ઈમારત છે, છતાં એ, દેખાવ કે (શિલ્પની) સામગ્રીની દષ્ટિએ, આબૂનાં મંદિરે જેવું શિલ્પ-સૌન્દર્ય ધરાવતું નથી. ગભારો ઘુમ્મટવાળી છત ધરાવતે વિશાળ ચોરસ ખંડ છે. એ જ રીતે સભામંડપ એટલે કે બહારનો ખંડ પણ ઘુમ્મટવાળે છે. સ્વચ્છ સફેદ આરસમાંથી બનાવેલી પરમાત્માની પ્રતિમા વિરાટ કદની છે. અને તે ચાલુ ધ્યાનમુદ્રામાં (પદ્માસનમુદ્રામાં) બિરાજેલી છે અને એના હાથ અને પગની પલાંઠી વાળેલી છે (પૃ૦ ૨૮૫). ખાસ મહત્સવના અવસરે ભારતના # અહીં આપવામાં આવેલ, અંગ્રેજી ભાષાની, પાંચે પ્રશસ્તિઓનું મૂળ અંગ્રેજી લખાણ આ - પ્રકરણની પાદોંધમાં આપવામાં આવ્યું છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ દરેક પ્રદેશમાંથી યાત્રિકે અહીં ઠલવાય છે. આ જનસમૂહને “સંઘ” કહે છે, અને ક્યારેક તે એની સંખ્યા વીસ હજાર જેટલી થઈ જાય છે (પૃ. ૨૯૬).૩૦ –ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા. ગુજરાતના ઈતિહાસ અને સાહિત્યના સહદય અને પ્રેમી વિદ્વાન શ્રી એલેકઝાંડર કિન્લોક ફાર્બસ લખે છે – એક ગલી પછી બીજી ગલી, અને એક એક પછી બીજે ચેક, એ પ્રમાણે જૈન ધર્મનાં દેવાલય તેઓના ભવ્ય કેટ સહિત વિસ્તાર પામ્યાં છે, તે અદ્ધ હેલ જેવાં, અદ્ધ કટ જેવાં, એકાત અને મહિમાવાન્ પર્વત ઉપર દેદીપ્યમાન આરસપહાણનાં બાંધેલાં, અને સ્વર્ગના મહાલય સમાન, છેક ઊંચે હવામાં મૃત્યુલેકને પગ દેવાને દુર્લભ, એવાં છે. પ્રત્યેક ચિત્યના ગભારામાં અજિતનાથની, આદિનાથની અથવા કેઈ બીજા તીર્થકરની એક અથવા વધારે મૂર્તિઓ છે. તેને, ઉદાસીન વૃત્તિ ધારણ કરેલે, આરસપહાણની મૂર્તિને આકાર, રૂપેરી દિવિના ઓછા અજવાળાથી ઝાંખે દૃષ્ટિએ પડે છે, અગરબત્તીની સુગંધ હવામાં હેકી રહે છે, અને ચકચકિત ફરસબંધી ઉપર ભક્તિમાન સ્ત્રીઓ, સોનાના શૃંગાર સજેલી અને વિચિત્ર રંગનાં વસ્ત્રથી ઝઘઝઘાટ મારતી, એકસ્વરી પણ મધુર સ્તવન ભણતી એવી, ઉઘાડે પગે પણ ધીમે ધીમે પ્રદક્ષિણું કરે છે. શત્રુંજય, ખરેખાત પૂર્વ ભણીની અદ્દભુત કથાના એક કલ્પિત ડુંગરની ઘટિત રીતે ઉપમા આપી શકાય એવે છે. એના રહેવાસિયે જાણે એકાએક આરસનાં પુતળાં બની ગયેલાં હોય, પણ તે ઉપર આવીને અપ્સરાના હાથ, સર્વ સ્વચ્છ અને ચકચક્તિ રાખતા હોય, અને સુગંધીવાળા પદાર્થોના ધૂપ કરતા હોય તેમ જ તે અપ્સરાના સુસ્વર, દેવનાં શંગારિક ગીત ગાઈને હવાને ભરી દેતા હોય એવો ભાસ થાય છે. શત્રુંજય ઘણું જ પ્રાચીન અને જૈન ધર્મનું અતિ પવિત્ર ધામ છે. સર્વ તીર્થ કરતાં એ અગ્રેસર ગણવામાં આવ્યું છે, અને જેને નિરંતર નિવૃત્તિ સાથે સંબંધ થાય છે, તેનું એ સુખસ્થાન ગણાય છે. વળી તે મુમુક્ષુઓનું મહામંદિર મનાય છે, અને અંગ્રેજોના પવિત્ર અનાની પિઠે દુનિયાના નાશની વેળાએ પણ એને નાશ થવો સળે નથી એમ કહેવાય છે.૩૧ –રાસમાળા (ગુજરાતી ભાષાંતર, ત્રીજી આવૃત્તિ), પૃ. ૫૬. વિખ્યાત પુરાતત્વવેત્તા શ્રી જેમ્સ ફરગ્યુસન શ્રી શત્રુંજય તીર્થનું નિરીક્ષણ કરીને કેટલા બધા પ્રભાવિત થયા હતા, તે એમના નીચેના ઉદ્દગારો ઉપરથી પણ જાણું શકાય છે– દેખાવડા મંદિર ઉપર અત્યારે ધનની મોટામાં મોટી રકમ ઉદારતાથી ખરચાઈ રહી છે. હવે નવાં મંદિરે અને નવી દેરીએથી એને (પહાડના શિખરને) ઢાંકી દેવામાં આવી રહ્યું છે. આ ઇમારતે કેવળ ભવ્યતામાં જ નહીં પણ સુંદરતા અને એમની Page #116 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર ૬૯ વિગતાની સુકુમારતામાં પણ જૂની ઇમારતની સ્પર્ધા કરે છે. અને એ બધાં મળીને સૌથી વધુ ધ્યાન ખેંચે એવુ' એક એવુ' (દેવદાનુ) જૂથ રચે છે કે જે બીજે કથાંય જોવા મળતુ નથી—આ હકીકત વધારે નોંધપાત્ર તા એટલા માટે છે કે આટલી બધી ઇમારતાને સમૂહ આ સદીની સમચ-મર્યાદામાં જ ઊભા કરવામાં આવ્યા છે. સ્થાપત્યવિદ્યાના તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ વિદ્યાર્થી ને માટે આ સ્થાન દુનિયા ઉપરનાં રસપ્રદ સ્થાનેામાંનું એક છે; કારણ કે ત્યાં એને, મધ્ય યુગમાં, વિવિધ પ્રકારની પ્રક્રિયાએથી, ખીજા કાઈ પણુ સ્થાન કરતાં વધારે માટા પાયા ઉપર અને વધારે કુદરતી રીતે ઊભાં કરવામાં આવેલાં દેવળા જોવા મળે છે. આપણે જ્યારે દૂર દૂરનાં સ્થાનેામાં, મકાનાના નકશા બનાવવાની અત્યારે પણ અનુસરવામાં આવતી પદ્ધતિઓનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે, અણુકેળવાયેલ હિંદુઓ શિલ્પકળાની મૌલિકતા અને સપૂર્ણતામાં કેટલી ઊં'ચી કક્ષાએ પહેાંચી શકે છે, કે જ્યાં મધ્ય યુગથી તે અત્યાર સુધીમાં યુરોપ પહોંચી શકેલ નથી.” ~~~હિસ્ટરી ઓફ આર્કિટેકચર, ભાગ ૨, પૃ૦ ૬૩૦, ૬૩૨ (સને ૧૮૬૭). વિશેષમાં શ્રી જેમ્સ ફરગ્યુસન લખે છે કે— “ પોતાનાં (જૈનોનાં) મદિરાની સમૂહ-રચના, કે જેને “ મ ંદિરની નગરીએ ’ કહી શકાય, એ જૈનોની એક વિશેષતા છે, અને ભારતના કોઈ પણ ધર્મના અનુયાયીઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં તે એનેા અમલ કરે છે. ......... ધર્માંમાંના કોઈ પણ ધ, શત્રુજય ઉપર છે એવા મદિરાના સમૂહ ધરાવતા નથી. ........એ દેવતાઓની નગરી છે, અને એમના માટે જ યાજાયેલી છે; માનવીના ઉપયેગ માટે એ અનેલ નથી, ........આ બધી વિશેષતાઓ, જાણીતાં લગભગ બધાં સ્થાનેા કરતાં વધુ નોંધપાત્ર પ્રમાણમાં પાલીતાણામાં જોવા મળે છે. અને (શિલ્પકળાની) શૈલિના અભ્યાસીને માટે તેા, લાંખા સમય-પટ ઉપર વિસ્તરતી આ વિશેષતાઓ, સભાગ્યરૂપ છે. આ દિશમાંનાં કેટલાંક તા ૧૧મી સદી જેટલા પ્રાચીન હેાઈ શકે; પણ ૧૪મી અને ૧૫મી સદીના મુસલમાન હુમલાખોરેએ બધાંય જૂનાં દેવળા ઉપર સિતમ ગુજાર્યો હતા; તેથી એના થાડાક અંશેા જ આપણી પાસે રહ્યા છે. ........શત્રુંજયનાં દિશમાં આકાર અને ચણતરની દરેક જાતની વિવિધતા છે. અને (મશિના) આ સમૂહ ઉપર નિબંધ લખવામાં આવે તા, એ શિલ્પવિષયક, પુરાતત્ત્વવિષયક અને પૌરાણિક કથાએવિષયક એક રસદાયક નિખધ બની રહે. ....માટુ· મદિર એક ઊંચા શિખરવાળી બે માળની પ્રભાવશાળી ઇમારત છે, અને એને નીચેના ભાગ ઘણી નાની દેરીએથી વીંટળાયેલા છે.’૩૨ —હિસ્ટરી ઓફ ઇન્ડિયન એન્ડ ઈસ્ટર્ન આર્કિટેકચર, પૃ૦ ૨૪-૨૮. ભારતીય પુરાતત્ત્વવિદ્યાના વિખ્યાત વિદ્વાન શ્રી જેમ્સ બર્જેસે આ તીની આ પ્રમાણે પ્રશસ્તિ કરી છે— Page #117 -------------------------------------------------------------------------- ________________ શેઠ આવકની પેઢીને ઇતિહાસ આ સ્થાનેથી જે દશ્ય નજરે પડે છે, તે ધ્યાનને વશ કરી લે એવું છે. એ વિશાળતામાં ખૂબ સુંદર છે; અને અજોડ ચિત્ર માટેની ભવ્ય ગોઠવણરૂપ છે માનવીની મહેનતમાં આપણે કેટલે પહોંચી શકીએ છીએ તે આ કાર્ય (દર્શાવે છે. ....પણ કાવ્યની અતિશક્તિને બાજુએ રાખીએ તે પણ, એ ખરેખર, અદભુત છે-એક અજોડ સ્થાન છેમંદિરની નગરી છે. કારણ કે, કેટલાક કુંડેને બાદ કરતાં, દરવાજાઓ (ગઢ)ની અંદરના ભાગમાં બીજું કશું જ નથી. આંગણું પછી આંગણામાં થઈને આગળ વધતે પ્રવાસી ભૂખરા રંગના ચૂનાની સુંવાળી ફરસંબંધી ઉપર થઈને, મંદિર પછી મંદિરની મુલાકાત લે છે––આ મંદિરમાંનાં મોટા ભાગનાં મંદિરે નજીક આવેલ ગોપનાથની ખાણમાંના પથ્થરોથી ચણેલાં છે, પણ થોડાંક મદિર આરસપહાણનાં બનાવેલાં છે –બધાં ઝીણવટથી કતરેલાં છે; અને કેટલાંકની સપ્રમાણતા ધ્યાન ખેંચે એવી છે. અને જ્યારે પ્રવાસી સ્ફટિકનાં ચક્ષુઓવાળી અને ચેખા વેત આરસપહાણમાંથી ઘડેલી મૂર્તિઓ પાસેથી પસાર થાય છે, ત્યારે એ પ્રતિમાઓ જાણે સેંકડે શાંત-એકાંત દેરીઓમાંથી એની સામે નિહાળ્યા કરતી હોય એમ લાગે છે! સાચેસાચ, દુનિયામાં આની બરોબરી કરી શકે એવું કોઈ સ્થાન નથી. વળી દરેક પ્રાંગણમાં, માગમાં, પ્રવેશદ્વારમાં અને ખંડમાં-બધાં સ્થાનમાંજે સ્વચ્છતા છે, તે પણ કંઈ ઓછો આહલાદ આપતી નથી. મહત્સવની મસમ સિવાય અહીં જે શાંતિ–નીરવતા-ચુપકીદી પ્રવર્તે છે, તે પણ ધ્યાન ખેંચે એવી છે. સવારના વખતે, કેટલીક ક્ષણ માટે, અવારનવાર, ઘંટારવ કે થોડા સમય માટે વગાડવામાં આવતા નગારાને ધ્વનિ તમને સાંભળવા મળે છે. અને પર્વદિવસેમાં મોટાં મંદિરમાં ગવાતાં સ્તવને તમારા કાને પડે છે. પણ, બપોર પછીના વખતે, મોટે ભાગે, એક મંદિરથી બીજા મંદિરની છત ઉપર ઝડપથી કૂદાકૂદ કરતાં કબૂતરનાં મેટાં ટેળાંઓના અવાજે જ ત્યાં સંભળાય છે. પોપટ, ખિસકોલીઓ, કબૂતરો તથા જંગલી કબૂતરો અને મોર બહારની દીવાલો ઉપર, અવારનવાર, જોવા મળે છે.”૩૩ –શત્રુજ્ય એન્ડ ઇટ્સ ટેમ્પસ, પૃ. ૧૮-૧૯. શ્રી હેન્રી કઝીન્સે શ્રી શત્રુંજય તીર્થની પ્રશંસા આ શબ્દોમાં કરી છે– બધા કદનાં અને બધી આકૃતિઓનાં સેંકડો મંદિરોથી છવાઈ ગયેલાં અને વચ્ચે વચ્ચે ખીણ ધરાવતાં આ શિખરેને લગભગ હવામાં બનાવેલા પવિત્ર નગર તરીકે જ વર્ણવી શકાય. એક બાબત જે મંદિરના આ સમૂહને, સપાટ મેદાનોમાં વસેલાં શહેરમાં બનેલા, આવા સમૂહથી જુદા પાડે છે, તે છે, કેવળ મંદિરની વચ્ચે જ નહીં પણ પર્વત ઉપર કેઈ પણ સ્થાને, કેઈ પણ જાતના વસવાટ-ઘરોને સર્વથા અભાવ. શહેરમાં અને એની આસપાસ બનેલ બધી પવિત્ર ઈમારતોના સમૂહ સાથે જોડાઈ ગયેલે રોજિંદા જીવન-વ્યવહાર અહીં એની ગેરહાજરીના કારણે ઊડીને આંખે વળગે છે. અને આ તેમ જ વાદળેથી સારી રીતે જુદી પડતી એની સ્થિતિ એને તરત જ Page #118 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર ૭૧ એવી આકર્ષકતા અને એવું ગૂઢ વાતાવરણ આપે છે કે જે એની પોતાની ખાસિયતરૂપ જ ગણાય. ટેનીસને જ્યારે એમ લખ્યું કે “અને હું ઉપર ચડ અને મેં સર્વશક્તિમાન પર્વતને તથા શિખર ઉપર ગઢવાળા નગરને જોયાં–ન માની શકાય એવા કળશેથી આકાશને વીંધતાં શિખરે” ત્યારે એમના ચિત્તમાં લગભગ આ જ (ચિત્ર) હશે.”૩૪ –આર્કિયોલેજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (સેમિનાથ એન્ડ અધર મેડિઈવલ ટેમ્પલ્સ ઓફ કાઠિયાવાડ) (૧૯૩૧), પૃ૦ ૭૩-૭૪. મહાકવિ ન્હાનાલાલ આ મહાતીર્થનો મહિમા, પોતાની આગવી લાક્ષણિક ઊર્મિલ શિલિમાં વર્ણવતાં કેવા ભાવવિભોર થઈ ગયા હતા, તે એમના શબ્દોમાં જોઈએ– આગલી સધ્યાએ તળેટીની એક વૃક્ષછાયામાં આ ભૂમિની મહેમાની માણેલે એક અતિથિ, કીડીને વેગે પણ સિંહના આત્મનિષ્ઠ પગલે, આ ગિરિરાજની કેડીએ ચડે છે—જાણે ફૂંકી ફૂંકીને પગલાં ભરતો ન હોય. તેજની પાંખો જેવું એનું પીળું તેજસ વસ્ત્ર છે, પદ્મપાંખડી સમા એના અડવાણું પાય છે, દેહના ને આત્માના આધાર સામે એને ધર્મદંડ છે, ધર્મના અરીસા સામે એને મુખચંદ્ર છે. એને દેહ આત્મનિષ્ઠ છે, આત્મા દેહનિષ્ટ છે. ઊંચે ને ઊંચે એને પ્રયાણમાગ છે—જાણે આભને આરે જઈને ઊભશે કે શું? કાલે સાયંકાળે એ તળેટીને અતિથિ હત; આજે મધ્યાહુને એ શિખરને મહેમાન થશે. સિદ્ધાચળે રહડી, તપશ્ચર્યા કરી, પછી તે અનેક સિદ્ધિ સિદ્ધિને પામેલા છે. આ સાધુ હતા સિદ્ધાચળે હડનારા તપશ્ચર્યાથી પ્રથમ સિદ્ધ. એમની પગલી પગલીએ સિદ્ધાચળ પવિત્ર થતો કે સિદ્ધાચળને સ્પશે સ્પશે એ પાવન થતા એ પણ હારે તે ઉકેલવાને એક ધમકાય હતો. એ સાધુવર કાંઈક શેલતા હતા........ “દિશાઓને શોધતા શોધતા તે રહડતા હતા. પર્વતની પ્રથમ ઘાટીએ રહડી રહ્યા. હાથીના કુંભસ્થળ શી બીજી ઘાટી એમણે હડવા માંડી. સિદ્ધાચળને શિખરે હારે ન હતા મન્દિર કે મુગટ, હારે ન હતા ધૂપ કે કેસર-ચંદનના સુગ. ગિરિરાજ સ્વયં કુદરતનું મહામન્દિર હતું, તરુવર મુગટ હતા, ગિરિફૂલડાં અને ગિરિૌષધિઓ ઢળતાં'તાં ધૂપકેસરના સુગન્ધ. એ હડતા જાય, ને વાતાવરણ નિર્મળું ને પારદર્શક થતું જાય. આદીશ્વર ભગવાનનું આજ મંદિર છે એ શિખરની ધારે જઈને સાધુવર ઊભા... ...બે હજાર પગલાંની ઊંચાઈએથી એ સાધુવરે પશ્ચિમ દિશામાં દષ્ટિ પરોવી. પ્રથમ તે એમણે દીઠી પગલાં નીચે ઢોળાતી, રૂપાની રેલ સમી, શત્રુંજય ગિરિરાજની ભગિની શત્રુંજી નદી. ચોકની ડુંગરીઓમાંથી નીસરી તાલધ્વજ તળાજિયા ડુંગરની પ્રદક્ષિણાએ જતી હતી.. ... એમણે વીતેલાં વર્ષોને જોયાં, સૈકાઓને જેયા, યુગપલટા જોયા, યુગયુગાન્તરને જોયા, મન્વન્તરને જોયા, અને સૌની પાછળ સૃજન-પ્રલયની મહાલીલાને જોઈ. સિદ્ધાચળને શિખરે ઉભેલા એ સાધુવરની આંખડીમાં વિરાટ આવીને ઊભે. અનંતા કાળ એમને અણુ-પરમાણુ થઈ રહ્યો. જન્મ-મરણની ભવભૂલભૂલામણી એમને Page #119 -------------------------------------------------------------------------- ________________ ७२ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ રાજમા સમી ભાસી, · નિર્વાણુ ’· મહાનિર્વાણ ’ પાકારતા સાવરે એ યુગયુગાન્તરના દર્શીનને દંડવત્ પ્રણામ કીધા. આભના દરવાજા એમને ઉઘડી ગયા. “ સજ્જના ! સિદ્ધાચળના એ પ્રથમ સિદ્ધદેવ ઋષભદેવજી. “એમણે પ્રથમ કીધું એ યુગયુગાન્તરનુ દર્શન તે પછી અનેક સાધુવાએ કીધુ છે, અને સિદ્ધાચળને શિખરે અનન્તા સિદ્ધદેવા થઈ ગયા છે. એ હતા યુગયુગાન્તરના પ્રથમ વટેમાર્ગુ. એમણે વાટ પાડી અને પુણ્યવાટે પુણ્યશાળીએ પરવાર્યા.” —પાલીતાણામાં, તા. ૧૪-૯-૧૯૩૬ના રોજ, આપેલ ભાષણના કેટલેાક અંશ, દિગંબર સંઘના રાષ્ટ્રવાદી અને સમભાવી વિદ્વાન શ્રી નાથુરામ પ્રેમીજીએ ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થની વિશેષતા વણુ વતાં કહ્યું છે કે— " पर्वत की चोटी के दो भाग हैं । ये दोनों ही लगभग तीन सौ अस्सी अस्सी गज लम्बे हैं और सर्वत्र ही मन्दिरमय हो रहे । मन्दिरों के समूह को टोंक कहते हैं। टोंक में एक मुख्य मंदिर और दूसरे अनेक छोटे छोटे मंदिर होते हैं। यहां की प्रत्येक टोंक एक एक मजबूत कोट से घिरी हुई है । एक एक कोट में कई कई दर्वाजे । इन में से कई कोट बहुत ही बडे बडे हैं । उन की बनावट बिलकुल किलों के ढंग की है। टोंक विस्तार में छोटी बडी हैं । अन्त की दशवीं टोंक सब से बडी है। उसने पर्वत की चोटी का दूसरा हिस्सा सब का सब रोक रक्खा है । " पर्वत की चोटी के किसी भी स्थान में खडे होकर आप देखिए, हजारों मन्दिरों का बड़ा ही सुन्दर, दिव्य और आश्चर्यजनक दृश्य दिखलाई देता है । इस समय दुनिया में शायद ही कोई पर्वत ऐसा होगा जिस पर इतने सघन, अगणित और बहुमूल्य मन्दिर बनवाये गये हों । मन्दिरों का इसे एक शहर ही समझना चाहिए । पर्वत के बहिः प्रदेशों का सुदूर व्यापी दृश्य भी यहां से बडा ही रमणीय दिखलाई देता है । " —‹ જૈનહિતૈષી ''ના કાઈ અંકમાં પ્રકાશિત અને શ્રી શત્રુ ંજયતીર્થાદ્વારપ્રબંધના ઉદ્દાત ( પૃ૦ ૧૭)માં ઉદ્ધૃત લેખના થાડા અંશ. કુટુ'ખભાવનાની કૂણી લાગણીઓના હૃદયસ્પશી સર્જક કવિવર બાટાદકરે આ તીને આ શબ્દોમાં પેાતાની ભાવાંજલિ આપી છે— આ પ્રાસાદો અનેરા કર દઈ કરમાં રાસ રગે રચીને, ઊભા દેવાંગનાનાં રસિક હૃદયનાં ઝીલવા ગાન હષૅ; ચિત્રોનું ને કલાનું, વિવિધ હૃદયના ભાવ ને વૃત્તિઓનું, સૌદર્યાનું, રસાનુ, ઉચિત ખચિત આ સગ્રહસ્થાન સાચું.” “ શાંતિના ધામ જેવા, સતત શરણુ દર્શને શાંતિ દેતા, ઊંચા યાગીશ્વરાએ અભિમત વરવા એ થકી ચાગ્ય માન્ય; ભૂલાયે વિશ્વ વેગે, અમર-હૃદયના ઉચ્ચ આનંદ આવે, ને માંઘી મુક્તિ કેરા પુનિત ચરણને સ્પર્શતાં હ વાધે.” —મેટાદકરની કાવ્યસરિતા, પૃ૦ ૧૯-૨૦, Page #120 -------------------------------------------------------------------------- ________________ પાંચમા પ્રકરણની પાદો ૧. વિ. સં. ૧૭૦૭ થી (ઈ. સ. ૧૬૫૧ થી) શરૂ કરીને તે વિ. સં. ૧૯૮૪ (ઈ. સ. ૧૯૨૮) સુધીના ૨૭૭ વર્ષ જેટલા લાંબા સમય દરમ્યાન, ખૂબ જહેમત લઈને, શત્રુંજય મહાતીર્થની તથા એના યાત્રિકોની સલામતી માટે, કરવામાં આવેલ રખેપાના પાંચ કરાર આ વાતના બેલતા પુરાવારૂપ બની રહે એવા છે. તેમાંય છેલે પાંચમો કરાર થયે તે પહેલાં સમસ્ત શ્રીસંઘે જે જાગૃતિ અને એકવાક્યતા દર્શાવી હતી, તે ખરેખર, બેનમૂન કહી શકાય તેવી હતી. આ પાંચે કરારની સવિસ્તર માહિતી આ પુસ્તકના દસમા પ્રકરણમાં આપવામાં આવી છે. २. तेन यथा श्रीसिद्धराजो रञ्जितः, व्याकरणं कृतम् , वादिनो जिताः । यथा च कुमारपालेन सह प्रतिपन्नम् । कुमारपालोऽपि यथा पञ्चाशवर्षदेशीयो राज्ये निषण्णः । यथा श्रीहेमसूरयो गुरुत्वेन प्रतिपन्नाः ।। –પ્રબંધકાશ, શ્રી હેમસૂરિપ્રબંધ, પૃ. ૪૭. ૩, મહારાજા સિદ્ધરાજ જયસિંહે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી અને તીર્થના નિભાવ માટે બાર ગામ પણ ભેટ આપ્યાં હતાં, તે સંબધી ઉલ્લેખ આ પ્રમાણે મળે છે– ततः पुरस्सरीकृत्य, गुरु जंगमतीर्थवत् । મિજાજમાત, સિદ્ સપરિવાર ર૭ || ईदृशे यदि तीर्थेऽस्मिन् , स्वयं न श्रीनिवेश्यते । તવા છેત્ય કર્થય, સુરક્રમવજિમિ રૂર છે विचार्येति नृपोऽगण्य-पुण्यपण्यसमीहया । રિવાર દ્વારા પ્રામ, શ્રીનારાર્થનાવૃત્તિ છે રૂરૂ છે ગુમન્ | –કુમારપાલભૂપાલચરિત્ર, સ૦ ૩. વળી મહારાજા સિદ્ધરાજની જેમ (રાજર્ષિ કુમારપાળની વતી અથવા એમની અનુમતિથી) બાહડ મંત્રીએ (વાડ્મટ મંત્રીએ) પણ, તીર્થના ચૌદમા ઉદ્ધાર વખતે, તીર્થની સાચવણી માટે, ૨૪ ગામ ભેટ આપ્યાને ઉલલેખ આ પ્રમાણે મળે છે– अवरुद्ध ततस्तीर्थात . तदीयतटभूतले । वाग्भटः स्थापयामास, निजनाम्ना नवं पुरम् ॥ ६४८ ॥ चतुर्विशतिमारामान , निर्माप्य परितः पुरम् । देवार्चनाकृते दत्वा, ग्रामानपि च तावतः ॥ ६५० ॥ – કુમારપાલભૂપાલચરિત્ર, સ૦ ૮. Page #121 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ આ ઉપરાંત શ્રી જિનહરખવિરચિત “કુમારપાળ રાજને રાસ” (પૃ. ૨૪૭)માં પણ ચોવીસ ગામ પૂજા ભણ” એમ કહીને ચોવીસ ગામ ભેટ આપ્યાની વાત નેધી છે. ૪. રાજર્ષિ કુમારપાળે કરેલ શ્રી શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા માટે જુઓ : (૧) કુમારપાલભૂપાલચરિત્રમ્, સર્ગ ૯, શ્લેક ૨૮૩ થી ૩૩૫. (૨) પુરાતનપ્રબંધસંગ્રહ, પૃષ્ઠ ૪૨-૪૩. (૩) પ્રબંધચિંતામણિ, પૃષ્ઠ ૯૨-૯૩. (૪) પ્રબંધકોશ, પૃષ્ઠ ૪૮-૪૯. ૫. બાહડ મંત્રીએ કરાવેલ ચૌદમા ઉદ્ધારની પ્રતિષ્ઠા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સાંનિધ્યમાં, જેમ વિ. સં. ૧૨૧૧ની સાલમાં, થયાના ઉલ્લેખો મળે છે, તેમ આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૧૩ અને ૧૨૧૪માં થયાના ઉલ્લેખ પણ મળે છે, જે આ પ્રમાણે છે– વિ. સં. ૧૩૦૧ની સાલમાં શ્રી જ્યસિંહસ્ર રિએ રચેલ “કુમાલપાલભૂપાલચરિત્ર'માં આ પ્રતિષ્ઠાને નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યું છે– श्रीविक्रमाच्छिवाक्षीदु-वत्सरे सहसः सिते । सप्तमेऽहनि शनौ वारे, निवेश्य प्रथमं जिनम् ॥ ६४२ ।। –કુમારપાલભૂપાલચરિત્ર, સ૦ ૮. આ ઉલેખમાં માત્ર પ્રતિષ્ઠાનું વર્ષ જ નહીં પણ એને મહિને, તિથિ અને વાર પણ આપેલ છે. અર્થાત વિસં. ૧૨૧૧ના માગશર સુદ સાતમ અને શનિવારના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ઉપરાંત અજ્ઞાતકતૃક “કુમારપાલપ્રતિબોધપ્રબંધ” (પૃ. ૬૧)માં, “પ્રબંધચિંતામણિ” (પૃ. ૮૭)માં અને શ્રી જિનહરખવિરચિત “કુમારપાળ રાજાને રાસ” (પૃ. ૨૪૬)માં પણ પ્રતિષ્ઠાનું વર્ષ વિ. સં. ૧૨૧૧ આપવામાં આવ્યું છે. તેમાંથી “કુમારપાળ રાજાને રાસને ઉલેખ આ પ્રમાણે છે – તુરત નિપા દેહ, દીપે તેજ દિણંદ લાલ રે; બાર ઈગ્યાર શનિવારે, બેઠા રિષભ જિણુંદ લાલ રે." ઉપરના ઉલલેખમાં સંવત ઉપરાંત પ્રતિષ્ઠાને વાર–શનિવાર પણ લખવામાં આવેલ છે. આ બાબતમાં વિમાસણ ઉપજાવે એવી વાત તો એ છે કે, આ જ ગ્રંથના પૃ૦ ૨૫૬માં બાહડ મંત્રીએ આ ઉદ્ધાર વિ. સં. ૧૨૧૪માં કરાવ્યા પણ ઉલ્લેખ થયેલ છે, જે આ પ્રમાણે છે – સંવત બાર ચઉત્તરે રે, મંત્રી બાહડદે સુવિચાર રે; શ્રી શત્રુંજય શોભતો રે, કીધે ચઉદે જિણે દ્વાર રે.” * પ્રભાવક ચરિત્ર” (પૃ. ૨૦૫)માં તથા પં. શ્રી વીરવિજયજી મહારાજ વિરચિત Page #122 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર નવાણું પ્રકારી પૂજમાં, પાંચમી પૂજમાં, આ પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૧૩માં થયાનું નોંધ્યું છે અને “સિત્તેજકપ ની શુભશીલગણિકૃત ટીકા (૫૦ ૭૮)માં ચૌદમા ઉદ્ધારની પ્રતિષ્ઠાનું વર્ષ વિ. સં. ૧૨૧૪ નોંધ્યું છે. આ બધા ઉલેખોમાં વિસં. ૧૨૧૩ની સાલમાં પ્રતિષ્ઠા થયાની વાત વિશેષ પ્રચલિત થઈ હોવા છતાં, આ પ્રસંગને નિર્દેશ આપતાં જૂનામાં જૂના વિ. સં. ૧૩૦૧માં રચાયેલા “કુમારપાલભૂપાલચરિત્ર'માં આપવામાં આવેલ સંવત, બે કારણેસર, વધારે માનવા લાયક ઠરે છેઃ એક તે, એમાં સંવત આપવા ઉપરાંત પ્રતિષ્ઠાનાં મહિને, તિથિ અને વાર પણ આપવામાં આવેલ છે. બીજું કારણ એ છે કે, આ વાતનું બીજ ગ્રંથાએ પણ, ઉપર સૂચવ્યું તેમ, સમર્થન કર્યું છે. બાહડ મંત્રીએ કરાવેલ ઉદ્ધાર એ, ખરી રીતે, તીર્થ ને કાઈ પણ પ્રકારને ભંગ થવાને કારણે નહોતે કરાવ્યું, પણ એમના પિતા મહામંત્રી ઉદયનની, ગિરિરાજ ઉપરના લાકડાના દેરાસરના સ્થાને પથ્થરનું દેરાસર કરાવવાની અંતિમ પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે જ કરાશે હતું. આ આખા પ્રસંગનાં પગરણ મહામંત્રી ઉદયનની પ્રતિજ્ઞાથી શરૂ થાય છે અને વિક સં. ૧૨૧૧ની સાલમાં થયેલ પાષાણના જિનપ્રાસાદની પ્રતિષ્ઠાથી એ પૂરે થાય છે. મહામંત્રી ઉદયનની ભાવના અને બાહડ મંત્રીની કાર્યવાહી–એ બેની વચ્ચે એક ત્રીજી વ્યક્તિ પણ એવી છે કે જે આ ધર્મકથા વાંચતાં આપણા હૃદય ઉપર અસર કરી જાય છે. આ ત્રીજી વ્યક્તિ તે, સાધુને વેષ ધારણ કરીને મહામંત્રીની સાધુનાં દર્શન કરવાની અંતિમ ભાવનાને પૂરી કરનાર, એક ભવાયા કામની વ્યક્તિ. આ ત્રણેય વ્યક્તિઓની કામગીરીને એક સળંગ કથારૂપે વાંચીએ તે ધર્મશીલતાથી ઊભરાતી શીલ અને સમર્પણની એક હૃદયસ્પર્શી ધર્મ - કથા વાંચવા મળે છે. મહામંત્રી ઉદયન અને સાધુને વેષ ધારણ કરનાર ભવાયાની કથાનાં બીજ પ્રબંધચિંતામણિ' (પૃ. ૮૭)માં સચવાયેલ છે, જેનું આલેખન આ રીતે થઈ શકે– ત્યારે ગુજરાત ઉપર મહારાજા કુમારપાળનું શાસન ચાલતું હતું; અને મંત્રીશ્વર ઉદયન મહેતા, પિતાની વૃદ્ધાવસ્થાને કારણે, રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયા હતા. એ અરસામાં, સોરઠમાં, જૂનાગઢ પાસેના એક નાના રાજ્યના સૂસર નામના કેઈ જાગીરદારે, ગૂર્જરપતિની આજ્ઞા માનવાને ઈન્કાર કરીને, પોતાની મરજી મુજબ વર્તન ચલાવવા માંડયું હતું. અણહિલપુર પાટણમાં મહારાજા કુમારપાળની રાજ્યસભામાં આ વાતની ચર્ચા થઈ ત્યારેગુજરાત રાજ્યના યોગક્ષેમની ખાતર–એનું ગૌરવ તથા વર્ચસ્વ ટકાવી રાખવા માટેએ માથાભારે જાગીરદારને દાબી દેવાનું અને જરૂર પડે તે એ માટે એની સામે યુદ્ધે ચડવાનું પણ નકકી કરવામાં આવ્યું. પણ આ યુદ્ધનું સેનાપતિપદ સ્વીકારવા, રખેને આમાં પાછા પડવાને વખત આવે એ આશંકાથી, કોઈ તૈયાર થતું ન લાગ્યું એટલે, છેવટે, રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ ઉદયન મંત્રીએ, દેશભક્તિથી પ્રેરાઈને, એ જવાબદારી સ્વીકારી અને મંગળ મુદ્દ, ચતુરંગી સેના સાથે, એ માટે પ્રયાણ કર્યું. કૂચ કરતાં કરતાં વચમાં વઢવાણ શહેર આવ્યું. સેનાએ ત્યાં પડાવ કર્યો. સેનાપતિ બનેલ ઉદયન મહેતાએ વિચાર્યું": એક તરફ મારી ઉંમર થઈ છે અને બીજી બાજુ જાનના Page #123 -------------------------------------------------------------------------- ________________ શેઠ આર કટની પિઢીને ઇતિહાસ જોખમથી ભરેલે યુદ્ધને અવસર છે; ન માલૂમ ક્યારે શું થાય? કદાચ મેતના મોંમાં સમાઈ જવાને પણ વખત આવે ! એટલે, સમરાંગણમાં પહોંચતાં પહેલાં, ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપર જઈને, યુગાદિદેવ શ્રી ઋષભદેવની યાત્રા કરી લેવી ઉચિત છે. અને મંત્રીએ તરત જ, પિતાના મન સાથે એ બાબતને નિશ્ચય કરી લઈને, પોતાના સાથીઓને એ વાતની જાણ કરી. વઢવાણથી બે માર્ગ જુદી જુદી દિશામાં ફંટાતા હતાઃ એક જૂનાગઢ તરફ જતો હતો અને બીજે પાલીતાણા તરફ. નાના સેનાપતિઓ સાથે સેનાને જુનાગઢ તરફ કૂચ કરવા એમણે આદેશ આપ્યું અને પોતે સમયસર યુદ્ધભૂમિ ઉપર પહોંચી જશે એમ કહીને, એમણે બીજી દિશામાં શ્રી શત્રુંજય તીર્થ તરફ પ્રયાણ કર્યું. અને ઝડપથી પાલીતાણા પહોંચીને તેઓ યાત્રા માટે ગિરિરાજ ઉપર ગયા મંત્રીશ્વર ભાવ-ભક્તિથી ભગવાન ઋષભદેવની પૂજા–સેવા કરીને, રંગમંડપમાં બેસીને, એકાગ્ર ચિત્ત ચૈત્યવંદન કરતા હતા, એવામાં કંઈક ખટખટખટ અવાજ થતા સાંભળીને એમની આંખો ખુલી ગઈ. જોયું તે, એક ઉંદર દીપકમાંથી સળગતી વાટ ખેંચી લઈને એક દરમાં પિસી રહ્યો હતો ! આ જોઈને મંત્રીશ્વરનું મન એ વિચારથી ઘણું ચિંતિત થઈ ગયું કે, આ રીતે ઉંદરો દીવાની સળગતી વાટ ખેંચી લઈને મંદિરમાં જ્યાં ત્યાં પેસતા રહે છે. ક્યારેક, દેવાધિદેવનું આ લાકડાનું મંદિર સળગીને ભસ્મ થઈ જાય ! અને, આવી અમંગળ શકયતાનું નિવારણ કરવા માટે, તરત જ એ વયેવૃદ્ધ મંત્રી પ્રવરે પ્રતિજ્ઞા કરી કે, જ્યાં સુધી ગિરિરાજ ઉપરના આ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું મંદિર ન બને ત્યાં સુધી મારે હમેશાં એકાસણુનું તપ કરવું. - શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને અને એના ઉદ્ધાર માટેની આવી પ્રતિજ્ઞા લઈને ઉદયન મહેતા, પવન જેવી ઝડપી ગતિએ, યુદ્ધના મેદાનમાં જઈ પહોંચ્યા. પહાડે પહાડ અથડાવા તૈયાર ખડા હોય એમ બન્ને પક્ષનાં સૈન્ય યુદ્ધ માટે જાણે થનગની રહ્યાં હતાં. પરિ. સ્થિતિની ગંભીરતાને વિચાર કરીને એમણે યુદ્ધ દરમિયાન સેનાની આગેવાની પિતે જાતે જ સંભાળી લીધી. દુશ્મન અને એની સેના પણ કંઈ ઓછાં ઊતરે એવાં ન હતાં. યુદ્ધનો આરંભ થયે અને બન્ને પક્ષો વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. પળવાર તે જય-પરાજય ત્રાજવે તોળાઈ રહ્યા હોય એમ પણ લાગ્યું. પરંતુ અંતે ગૂર્જર સેનાનો વિજય થયું. પણ આ વિજ્યનું મૂલ્ય ગુર્જર સેનાને બહુ ભારે ચૂકવવું પડયું હતું : મંત્રીશ્વર ઉદયન મરણતોલ ઘાયલ થયા હતા, એમના અંગ-અંગમાંથી લોહી વહી રહ્યું હતું, એમને સંભાળપૂર્વક ઊચકીને તત્કાળ શિબિરમાં લઈ જવામાં આવ્યા; અને સૈન્ય સાથેના કુશળ વધે એમની સારવાર શરૂ કરી. પણ બધાને લાગ્યું કે, આમાંથી એમના બચવાની કોઈ આશા ન હતી ! પણ તીર્થાધિરાજના જિનમંદિરના ઉદ્ધારની તેમ જ તે પહેલાં ભગુકચ્છના (ભરુચના) શકુનિકાવિહાર જિનાલયના ઉદ્ધારની પિતે કરેલી પ્રતિજ્ઞા એમને અંત સમયે ખૂબ બેચેન બનાવી રહી હતી. છેવટે લાગણીભરી વિનતીથી, પિતાની પ્રતિજ્ઞાની વાત એમણે પિતાના સાથીઓને કરી. સાથીએએ એ પ્રતિજ્ઞા એમના પુત્ર બાહડ મંત્રી તથા આંબડ મંત્રી પૂરી કરશે, એવી એમને ખાતરી આપી. પિતાની પ્રતિજ્ઞા પિતાના પુત્રો પૂરી કરશે એ જાણીને મંત્રીને પૂરાં સંતોષ અને શાંતિ Page #124 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુ‘જય (૨) વહીવટ અને વિસ્તાર - ૭૭ થયાં; આમ છતાં એમના અંતરમાં હ્રજી પણુ કાઈક ઇચ્છા અધૂરી રહ્યાના વિચાર ધેાળાઈ રહ્યો છે અને તેથી તેઓની દેહમુક્તિ થતી નથી, એમ એમના સાથીઓને લાગ્યું. એમના પૂછ્યાથી મંત્રીશ્વરે અંત સમયે સાધુ-મુનિરાજનાં દર્શન કરવાની પેાતાની ઇચ્છા એમને કહી બતાવી, સાથી વિચારમાં પડી ગયાઃ આ યુદ્ધના મેદાનમાં મુનિરાજ કર્યાંથી લાવવા ? પણ પછી સેના સાથેના એક ભવાયાને–નાટકિયાને (વંઠને) મુનિને વેશ પહેરાવીને તેઓ મંત્રી પાસે લઈ ગયા. મંત્રી ગુરુ મહારાજનાં અંતિમ દર્શન કરીને સુખપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. અને સાધુવેશના આવે! મહિમા જાણીને પેલા ભવાયા પણુ, પોતે લીધેલ સાધુવેશના ત્યાગ કરવાને બદલે, એ વેશને હમેશને માટે સ્વીકાર કરીને, પેાતાનું આત્મકલ્યાણ કરવા માટે, શ્રી ગિરનાર તીર્થમાં તપ કરવા ચાલ્યા ગયા. જેમ લાકડાના મંદિરના સ્થાને પાષાણનું મંદિર બનાવવાની મહામંત્રી ઉદયનની પ્રતિજ્ઞા એમની ઊંડી ધર્મભાવના અને તીર્થરક્ષાની ચિંતાની સાક્ષી પૂરે છે, તેમ એ મદિરની રચનાની કથા પણુ, બાહુડ મ`ત્રીની ઊંડી ધર્મશ્રદ્ધા, સમર્પ`ણુની ભાવના અને પ્રશાંત શૌર્યકથાને સંભળાવતી હાય એમ જ લાગે છે. ગિરિરાજ ઉપર લાકડાના જિનાલયના સ્થાને પાષાણુના જિનપ્રાસાદ બનાવવાની પેાતાના પિતાશ્રીની પ્રતિજ્ઞા અને આજ્ઞાની જાણ થતાં બાહડ મંત્રી પાતાની જાતને ધન્ય માનવા લાગ્યા અને પેાતાને એક અતિ મહામૂલે અવસર મળ્યા એમ સમજીને ખૂબ ઉલ્લાસ અનુભવી રહ્યા. એટલે એમણે આ કામ વહેલાંમાં વહેલી તકે પૂરું થાય એ માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્યાંના આશીર્વાદ અને મહારાજા કુમારપાળદેવની અનુમતિ મેળવીને એ કામ તાબડતાબ શરૂ કરાવવાના સંકલ્પ કર્યાં. નવીન જિનાલયની રચના માટે કુશળ શિલ્પીઓને રાકવામાં આવ્યા. અને ઇમારતના નકશા વગેરે તૈયાર થઈ જતાં, વિના વિલખે, બાંધકામ શરૂ કરાવવામાં આવ્યું. આ માટે જેમ પૈસાની કાઈ ખામી ન હતી, તેમ ભાવનાની પણ કોઈ ઊણપ ન હતી અને કામ પૂરું કરવામાં જરા પણ વિલંબ ન થાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હતી. સમય વીતતાં પાલીતાણાથી આવેલ કાસદે મદિરનું કામ પૂરું થયાના શુભ સમાચાર મંત્રીને આપ્યા. સમાચાર સાંભળી બાહડ મત્રો ભારે આહ્વાદ અને સ ંતાષ અનુભવી રહ્યા; અને, પેાતાની ખુશાલી વ્યક્ત કરવા માટે, એમણે સ ંદેશવાહકને કીમતી ભેટ આપી પ્રસન્ન કર્યો. પણુ, જાણે મ`ત્રીની ધર્મભાવના અને સમર્પણુ-ભાવનાની સચ્ચાઈની અગ્નિપરીક્ષા થવાની હાય એમ, તરત જ પાલીતાણાથી આવેલ ખીન્ન કાસદે એવા ખેનક સમાચાર આપ્યા કે તૈયાર થયેલ દેવપ્રાસાદને મુખ્ય ભાગ જમીનદેાસ્ત થઈ ગયા છે! આ સમાચાર હતાશ —નિરાશ બનાવી મૂકે એવા હતાં, છતા પણુ મંત્રી બાહડે એ સમાચાર પૂરી શાંતિ અને સ્વસ્થતાથી સાંભળ્યા, એટલું જ નહીં પણુ, આ સમાચાર લાવનાર કાસદને પહેલા સમાચાર લાવનાર કાસદ કરતાં વધારે પારિતોષિક આપ્યું! એમણે દીર્ઘદૃષ્ટિ અને શાણુપણુપૂર્ણાંક એવા વિચાર કર્યો કે, સારું થયું કે મારી હયાતિમાં અને પ્રતિષ્ઠા થયા પહેલાં જ આ મંદિર પડી ગયાના સમાચાર મને મળ્યા, જેથી હવે પછી હું એવું મજબૂત મદિર બંધાવી શકું કે જેને વાવાઝોડા વગેરેની કાઈ પણ જાતની માઠી અસર થવા ન પામે, મ ંત્રીનું મન Page #125 -------------------------------------------------------------------------- ________________ કેટ શેઠ આ કની પેઢીના તિહાસ નવું વધારે મજબૂત મંદિર ચણાવવા ખૂબ ઉત્સુક બની ગયુ. અને તેઓ તરત જ પાલીતાણા જઈ પહાચ્યા. ત્યાં જઈને મુખ્ય સ્થપતિ તેમ જ ખીજા શિલ્પીઓને એકત્ર કરીને એમણે એમની સાથે એ વાતની ચર્ચા કરી કે મંદિર એકાએક પડી જવાનું શું કારણ છે? મુખ્ય સ્થપતિ આનું કારણુ તા ાણુતા હતા, પણ એ કહેતાં એમને સાચ થતા હતા. બાહુડ મંત્રીને એ સમજતાં વાર ન લાગી અને એમણે તરત જ કહ્યું કે, આમ થવાનું જે કંઈ કારણુ હાય તે તમે વિના સંકા૨ે મને કહેા. મારે તે દેવાધિદેવનું ખુબ રળિયામણું અને કાળની સામે ટકી શકે એવું મજબૂત મદિર બંધાવીને મારા પૂજ્ય પિતાની આજ્ઞાનું પાલન કરવુ છે; સાથે સાથે મારા વન અને ધનને પણ કૃતાર્થ બનાવવું છે. મુખ્ય સ્થપતિએ ખુલાસેા કરતાં કહ્યું કે, “મંત્રીશ્વર ! જે મન્દિર પડી ગયુ. તે અમે ભમતીવાળુ' બનાવ્યું હતુ. અને આટલે ઊંચે ભમતીવાળું મદિર ખનાવવા જતાં ઝંઝાવાત કે વાવાઝોડા વખતે દેવપ્રાસાદમાં જે હવા ભરાઈ જાય છે, તેને બહાર નીકળવાની પૂરતી જગ્યા મળતી નથી, તેથી તે હવાના જોશને લીધે મંદિરના ભંગ થઈ જાય છે.” એના જવાબ આપતાં મંત્રીશ્વરે તરત જ કહ્યું : “ જો એમ છે તા હવે પછી જે જિનપ્રાસાદની રચના કરવાની છે, તે ભમતી વગર જ કરેા, જેથી અત્યારે કે ભવિષ્યમાં પણ એને કયારેય કુદરતી આફતને કારણે કશું પણ નુકસાન પહેાંચવા ન પામે.” સ્થપતિએ સંકોચપૂર્વક કહ્યું : “ આપનું કહેવું તેા સાચુ' છે, પણ ભમતી વગરનું દેરાસર કરવા જતાં, શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ, એમાં એક મેટા દાષ સેવવા પડે છે.” મંત્રી : “એવા શા દોષ છે ? ' સ્થપતિ ઃ “ એમાં મહાન દોષ એ છે કે જે વ્યક્તિ ભમતી વગરનું જિનાલય બધાવે છે, તેના વંશવેલા વધા નથી—તે નિઃસ ંતાન રહે છે ! ' મહામ`ત્રી : “ બસ, એટલુ· જ ? એહે!, એમાં આટલા બધા શા માટે સંકોચાએ કે મૂ ઝાએ છે? મહાતીર્થના આ મહાગિર ઉપર ધર્મના સ મંગલકારી સદેશે ફેલાવતું. મજબૂત જિનાલય બનતું હેાય તો, નિઃસંતાન રહેવું મને મજૂર છે. ધર્મના ભાગે મને સંતતિ મળે એવી કાઈ લાલસા મને સતાવતી નથી.' મત્રી બાહુડના આ જવાબ એ એમના જીવન સાથે એકરૂપ બની ગયેલ ધર્મશ્રદ્ધા, દેવસેવા, સમર્પ`ણુભાવના અને પિતૃભક્તિની કીર્તિગાથા બની રહે એવે છે. મંત્રીશ્વરની આ ભાવનાના પાયા ઉપર જે ઉત્તુંગ અને મજબૂત જિનપ્રાસાદ રચાયા, તેના કેટલાક અવશેષો તા અત્યારના જિનાલયમાં પણ વિદ્યમાન છે અને જાણે એ મંત્રીશ્વરની ધર્માંરુચિની કીતિ ગાથા સંભળાવી રહ્યા છે ! આપણા ધર્મપ્રશ'સક અને જ્ઞાનસાધક શ્રમણ ભગત્રાએ આ વિરલ ઘટના અંગે મંત્રી બાહુડની જે પ્રશસ્તિ કરી છે, તે પાવન કરે એવી હાવાથી તેના થાડાક આસ્વાદ લઈએ— (i) भ्रमतीयुते प्रासादे पवनप्रविष्टो न निर्यातीति स्फुटनहेतुं शिल्पिभिनिर्णीय भ्रमतीहीनेषु प्रासादेषु निरन्वयताकारणं ज्ञात्वा मदन्वयाभावे धर्मसंतानमेवास्तु | पूर्वोद्वारकारिणां श्रीभरतादीनां पंक्तौ नामाऽस्तु । —કુમારપાલપ્રતિબાધપ્રબંધ, પૃ॰ ૬૧. (ii) सभ्रमे प्रासादे पवनः प्रविष्टो न निर्यातीति स्फुटन हेतुं शिल्पिभि Page #126 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર निर्णीयोक्तम्, भ्रमहीने तु प्रासादे निरन्वयतां च विमृश्याऽन्वयाभावे धर्मसन्तानमेवास्तुः पूर्वोद्धारकारिणां श्रीभरतादीनां पंक्तौ नामास्तु । —પ્રાચિ’તામણિ, કુમારપાલાદિપ્રભધ, પૃ૦ ૮૭. (iii) નિર્મમય જ્ઞિનાવાસ: ધાર્યતે હૈં સ્થિતથા | परं कारयितुनैव सन्तानं નાયતેઽપ્રતઃ || बाहडः प्राह सन्तान वृद्ध्यालं मे चिरं ध्रुवम् । सन्तानेन न (च) को याति स्वर्गं शिवं च मानवः ॥ —સિત્તુ જકપ્પા, દ્વિતીય વિભાગ, બાહડાદ્દારપ્રબંધ, પૃ૦ ૭. (iv) પૂછ્યો મંત્રી શિલાવટાં કિમ પડ્યુ. જિનગૃહ એહ ।! દેવળ પવન વશે પડયું || મ ધરા મન સંદેહ || સુ॰ ૧૫ || હવે ચબા રા કરુ ભલે ।। પ્રૌઢા જિનપ્રાસાદ || નિશ્ચલ કહીયે ચલે નહી" || કરે ગગનથુ વાદ || સુ૦ ૧૬ | પણ એક દોષ મેટા અ છે || પાછળ ન હુવે સંતાન ॥ ઢાળ અડવાશીમી એ થઈ || કહિ જિનહરષ પ્રધાન || ૩૦ ૧૭ || ॥ ઢાળ ૮૯મી દુહા સુષ્ણેા શિલાવટ માહરા ॥ વચન કહ ફિકર નહી" મુજ સુત તણી || કર પ્રાસાદ પુત્ર અને પુત્રી ભ્રૂણી । જેહને કેડે હોય ॥ મરતા માતપિતા તણે || કેડે નાવે કાય ॥ ૨ ॥ મન રંગ ॥ ઉતંગ । ૧ ।। —શ્રી કુમારપાળ રાજાનેા રાસ, ઢા૦ ૮૮, ૮૯, પૃ૦ ૨૪૫, ૨૪૬. ૭. અલ્લાઉદ્દીન ખિલજીના સૈન્યે તીર્થાધિરાજ શત્રુંજયના ભંગ કર્યો ત્યારથી લઈને તે એ તીના ઉદ્ધાર કરીને, પંદરમા ઉદ્ઘાર તરીકે એ મહાતીર્થની પ્રતિષ્ઠા કરાવવામાં આવી ત્યાં સુધીની ઘટનાઓનું સવિસ્તર વર્ણન એક કાવ્યમાં કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભાષામાં, પદ્ય શૈલીમાં, રચવામાં આવેલ આ કાવ્યનું નામ શ્રી નાભિનદનજનાધારપ્રબંધ ' છે. એના કર્તા, જેએની નિશ્રામાં આ પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવવામાં આવ્યા હતા તે, ઉદ્દેશ ગચ્છના શ્રી સિદ્ધસૂરિજીના પટ્ટધર આચાર્યં શ્રી કક્કસૂરિ છે. આ કાવ્યની નોંધપાત્ર વિશેષતા એ છે કે, આ પ્રતિષ્ઠા પછી ૨૨ વર્ષે, વિ॰ સ૦ ૧૩૯૩ની સાલમાં જ, એની રચના થઈ હતી. એટલે આ કાવ્યની રચના કરનાર આચાર્યશ્રી પણુ આ મહાત્સવ પ્રસંગે ઉપસ્થિત હશે એમ માની શકાય. અને તેથી આ પ્રસંગનું વર્ણન કરતું આ કાવ્ય વિશેષ પ્રમાણભૂત કહેવાય. વળી, શ્રેણી સમરાશાએ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ઘાર કર્યો અને તેની પ્રતિષ્ઠાવિસ ૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ ८० શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ ૧૩૭૧ના માહ શુદિ ૧૪ ને સેામવારના રોજ કરાવી, એ સંબધી પ્રતિષ્ઠા-લેખ તા જોવામાં નથી આવતા, પણુ એ જ સાલ, એ જ તિથિ તથા એ જ વારે શ્રી શત્રુંજય ગિરિ ઉપર, જુદાં જુદાં સ્થાનામાં મૂકવામાં આવેલ અને આ ઉદ્ઘાર સાથે સંકળાયેલ વ્યક્તિઓના નામવાળા જુદી જુદી ત્રણ મૂર્તિ આના લેખો સચવાયેલા છે. આ ત્રણ લેખા · પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ ' નામે પુસ્તકમાં છપાયેલા છે. અને તે ઉપરથી તે લેખા પુરાતત્ત્વાચાર્ય શ્રો જિનવિજયજીએ સ`પાતિ કરેલ · પ્રાચીન જૈન લેખ સંગ્રહ ' ભાગ ખીજામાં ફ્રી છાપ્યા છે, જેના નંબર ૩૪, ૩૫, ૩૬ છે. પંદરમા ઉદ્ઘારની આ ઘટનાના આડકતરા શિલાલેખી પુરાવા સમા એ લેખા અહી આપવા ચિત છે. ૩૪મા લેખ એક દેવીની મૂતિ ઉપર કાતરેલા છે, જે આ પ્રમાણે છે (३४) ॥ र्द० ॥ संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे श्रीमदूकेशवंशे वेशद्गोत्रीय सा० सलषण पुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसंभवेन संघपति आसाधरानुजेन सा० लूणसीहाग्रजेन संघपति साधुश्रीदेसलेन पुत्र सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरा सा० सांगण प्रमुख कुटुंबसमुदायोपेतेन निजकुलदेवी श्रीचंडिका ( ? ) मूर्तिः कारिता । यावद् व्योम्नि चंद्रार्कौ यावन्मेरुर्महीतले । तावत् श्रीचंडिका ( १ ) मूर्तिः ... ... II (प्राचीन गुर्जर काव्यसंग्रह ) ૩૫મે લેખ સંધપતિ આસાધરની મૂર્તિ ઉપર કાતરેલા છે, તે આ પ્રમાણે છે— (३५) संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे श्रीमदुकेशवंशे वेसद्गोत्रे सा० सलषणपुत्र सा० आजडतनय सा० गोसल भार्या गुणमती कुक्षिसमुत्यन्नेन संघपति सा० आसाधरानुजेन सा० लूणसीहाग्रजेन संघपति साधु श्रीदेसलेन सा० सहजपाल सा० साहणपाल सा० सामंत सा० समरसीह सा० सांगण सा० सोम प्रभृतिकुटुंबसमुदायोपेतेन वृद्धभ्रातृ संघपति आसाधर मूर्तिः श्रेष्ठिमाठ ( ढ ? ) लपुत्री संघ० रत्नश्रीमूर्तिसमन्विता कारिता || आशाधरकल्पतरु... ... युगादिदेवं प्रणमति ॥ (प्राचीनगूर्जर काव्य संग्रह ) ૩૬મા લેખ ( જૂનાગઢના ) રાજવી શ્રી મહીપાલદેવની મૂર્તિ ઉપર આ પ્રમાણે अतरेला छे— (३६) संवत् १३७१ वर्षे माह सुदि १४ सोमे राणक श्रीमद्दीपालदेवमूर्तिः संघपति श्रीदेसलेन कारिता श्रीयुगादिदेवचैत्ये ॥ ( प्राचीनगूर्जर काव्यसंग्रह ) Page #128 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર જ્યારે શ્રેષ્ઠી સમરાશાએ કરાવેલ શત્રુંજય ગિરિરાજના ઉદ્ધારની જ સંવત, તિથિ અને વારવાળા અને એમના પિતાના તથા એમના કુટુંબીઓના નામોલ્લેખ ધરાવતા આવા ત્રણ પ્રતિમાલેખે મળતા હોય, ત્યારે એવી કલ્પના કરવી કે એવું અનુમાન કરવું ન તો અસ્થાને ગણુય કે ન તો નિરાધાર ગણાય કે, આ પ્રતિષ્ઠાને શિલાલેખ પણ છેતરાવીને યોગ્ય સ્થાને મૂકવામાં આવ્યું હશે; પણ ગમે તે કારણે તે સુરક્ષિત નહીં રહી શક્યો હોય. વળી આ સ્થાને અહીં એ જાણવું પણ ઉપયોગી થઈ પડશે કે, ઉપર સૂચવેલ ૩૬મા લેખ પછી ૩૭મે લેખ આ જ ગ્રંથમાં આ પ્રમાણે આપવામાં આવેલ છે (૩૭) संवत् १४१४ वर्षे वैशाख सुदि १० गुरौ संघपति देसलसुत सा० समरासमरश्रीयुग्मं सा० सालिग सा० सज्जनसिंहाभ्यां कारितं प्रतिष्ठितं श्रीककसरिशिष्यैः श्रीदेवगुप्तसूरिभिः । शुभं भवतु । (प्राचीनगूर्जरकाव्यसंग्रह) આ લેખ ઉપરથી એમ જાણી શકાય છે કે, શ્રેષ્ઠી સમરાશાએ વિસં. ૧૩૭૧માં કરેલ શ્રી શત્રુંજય મહાતીર્થના પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા પછી, ૪૩ વર્ષ, વિ. સં. ૧૪૧૪ના વૈશાખ વદિ ૧૦ ને ગુરૂવારના રોજ, સમરાશાના પુત્રો સાલિગ અને સજ્જનસિંહે પિતાના પિતા સમરાશા અને પિતાની માતા સમરશ્રીની મૂર્તિ શત્રુંજય ગિરિ ઉપર મુકાવી હતી. આ ચારે પ્રતિમાલેખે, દેશળશા અને સમરાશાના અસ્તિત્વ સંબંધી, ઉપર સૂચવ્યું તેમ, શિલાલેખી પુરાવા પૂરા પાડે છે, એ સ્પષ્ટ છે. પુરાતન પ્રબંધ સંગ્રહ” (પૃ. ૬૪)માં સચવાયેલ આ કથાને ભાવ આ પ્રમાણે છે– એક વાર મંત્રીશ્વર વસ્તુપાળ શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ ગયેલા. ત્યાં તીર્થની વ્યવસ્થાની તપાસ કરતાં એમના જાણવામાં આવ્યું કે, અહીંના વહીવટમાં દેવદ્રવ્ય ખવાઈ જાય છે. આથી તીર્થની ઘણું આશાતના થાય છે અને સંઘ બહુ મોટા દેષમાં પડે છે, માટે આને કંઈક બંદેબસ્ત કરવો જોઈએ. ધોળકા આવીને મંત્રીશ્વરે પોતાની આ ચિંતા પિતાના ગુર આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી તથા ઉદયપ્રભસૂરિજીને કરી અને આ વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સંપવા માટે એક તપસ્વી, વેરાગી, વૃદ્ધ મુનિવરની પસંદગી કરી અને એમને શ્રી શત્રુંજય ગિરિના વહીવટની દેખરેખ રાખવા માટે પાલીતાણા જવાની આજ્ઞા કરવાની આચાર્યશ્રીને વિનંતી કરી. આ વયોવૃદ્ધ મનિવરની અંતરની ઈછા તો, સંયમની નિર્મળ આરાધનાને માર્ગ છોડીને. આવી વહીવટી જવાબદારી લેવાની ન હતી; પણ છેવટે, ગુરુની આજ્ઞા શિરે ચડાવીને, તેઓ પાલીતાણ ગયા અને ગિરિરાજના વહીવટની ખૂબ ચીવટથી દેખભાળ કરવા લાગ્યા. આને લીધે પેલા માથાભારે ગુમાસ્તાઓ દેવદ્રવ્યનું ભક્ષણ કરતા હતા તે બંધ થઈ ગયું. Page #129 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ પણ આ વાત એમને કઈ રીતે ન રુચિ અને તેઓ આ મુનિરાજ પિતાને વશ થઈ જાય એવી યુક્તિઓ શોધવા લાગ્યા. “દગલબાજ દૂના નમે એ લેક્તિ પ્રમાણે, એમણે મુનિરાજની ખુબ ભાવથી એવી સેવા-ભક્તિ કરવા માંડી કે છેવટે તેઓ પિતાની સંયમ-સાધનામાં, ધીમે ધીમે, છૂટછાટ લેવા લાગ્યા ! બગભગત જેવા આ ભક્તોના કહેવાથી એમણે સાદાં, મેલાં અને જીર્ણ વસ્ત્રોને બદલે કીમતી વસ્ત્રો વાપરવા માંડ્યાં; આહાર-પાણીમાં પણ આ ભક્તોએ ખાસ તૈયાર કરેલ વસ્તુઓ વહારવા માંડી; અને છેવટે, આ માયાવી ભક્તોના મમતાભર્યો આગ્રહને વશ થઈને, એમણે પાદવિહારને બદલે પાલખીને ઉપયોગ કરવો પણ શરૂ કરી દીધો; અને જ્યારે તેઓ બહાર જતા ત્યારે એમની સાથે છડીદાર તથા જય જયકાર બોલનારાઓ પણ રહેવા લાગ્યા ! પછી તે, તીર્થની પેઢીના વહીવટની તપાસ રાખવાનું કામ તેઓ લગભગ ભૂલી ગયા કે એની સારી પેઠે ઉપેક્ષા કરવા લાગ્યા ! એટલે પછી પેઢીના પેલા જૂના અને રીઢા નેકરીને માટે તે હવે મન ફાવે તેમ દેવદ્રવ્યને ઉપયોગ કરવાને માગ ફરી પાછો ખુલે થઈ ગયે. મંત્રી વસ્તુપાળ તો એ સાધુ-મુનિરાજના ભરોસે તીર્થના વહીવટની બાબતમાં નચિંત થઈ ગયા હતા અને બધું બરાબર ચાલતું હશે એમ માનતા હતા. એવામાં એક વાર મંત્રીશ્વર ગિરિરાજની યાત્રાએ ગયા, ત્યારે કેટલાક માણસોને સામેથી જય જયકાર બોલાવતા આવતા એમણે જોયા. એમની સાથે એક પાલખી પણ હતી અને એમાં કઈક બેસેલ પણ હતું. એ જોઈને મહામંત્રીને કુતૂહલ થયું, એટલે એમણે પોતાની સાથેના માણસને આ બધું શું છે, એ બાબત પૂછપરછ કરી. એ માણસે ખુલાસો કરતાં કહ્યું કે, આ તે આ તીર્થના વહીવટની દેખરેખ રાખવા માટે આપે મોકલેલ વૃદ્ધ મુનિમહારાજ પાલખીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા છે. વાત સાંભળીને પોતે એક આત્મસાધક મુનિવરના પતનનું નિમિત્ત બન્યા, એ વિચારથી મહામંત્રીને બહુ જ દુઃખ થયું અને તેઓ ઊંડી ચિંતા અને વિમાસણમાં પડી ગયા. પણ એ વખતે કંઈ પણ બોલ્યા વગર એમણે, એ પાલખીવાળાઓને ઊભા રાખીને, અંદર બેઠેલા મુનિવરને વિધિપૂર્વક વંદના કરી. મંત્રીને આ રીતે સાવ અણધાર્યા જઈને એ મુનિવર ખુબ શરમાઈ ગયા. પિતે સેવેલ અતિચાર માટે એમને ઘણે પશ્ચાત્તાપ થયે. અને પછી, કંઈ પણ બોલ્યા વગર, તેઓ અનશન કરવા ગિરિરાજ ઉપર ચાલ્યા ગયા અને પછી ક્યારેય ક્યાંય દેખાયા જ નહીં! . પંડિત શ્રી ધીરવિમલ ગણીએ રચેલ “શત્રુતીર્થોદ્ધારપ્રબંધ'ના સંપાદક, જાણીતા પુરાતવાચાર્ય શ્રી જિનવિજયજીએ આ પુસ્તકના ઉપઘાત (પૃ. ૩૩૩૪)માં આ બાબતને નિર્દેશ કરતાં જણાવ્યું છે કે “समरासाह की स्थापित की हुई मूर्ति का मुसलमानों ने पीछे से फिर शिर तोड दिया। तदनन्तर बहुत दिनों तक वह मूर्ति वैसे ही खण्डित रूप में हीपूजित रही । कारण यह कि मुसलमानों ने नई मूर्ति स्थापन न करने दी महमूद बेगडे के बाद गुजरात और काठियावाड में मुसलमानोंने प्रजा को Page #130 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર बडा कष्ट पहुंचाया था । मन्दिर बनवाने और मूर्ति स्थापित करने की बात तो दूर रही, तीर्थस्थलों पर यात्रियों को दर्शन करने के लिये भी जाने नहीं दिया जाता था।" ૧૦. ઉપર સૂચિત પુસ્તકના ઉપઘાત (પૃ. ૩૪)માં આ સમયમાં શત્રુંજયની યાત્રા કેટલી મુશ્કેલ બની ગઈ હતી, તે અંગે જણાવવામાં આવ્યું છે કે ___“यदि कोई बहुत आजीजी करता था तो, उस के पास से जी भर कर रुपये ले कर, यात्रा करने की रजा दी जाती थी। किसी के पास से ५ रुपये, किसी के पास से १० रुपये और किसी के पास से एक असरफी-इस तरह जैसी आसामी और जैसा मौका देखते वैसी ही लंबी जबान और लंबा हाथ करते थे। बेचारे यात्री बुरी तरह कोसे जाते थे। जिधर देखो उधर ही बडी अंधाधुन्धी मची हुई थी । न कोई अर्ज करता था और न कोई सुन सकता था। कई वर्षों तक ऐसी ही नादिरशाही बनी रही और जैन प्रजा मन ही मन अपने पवित्र तीर्थ की इस दुर्दशा पर आंसु बहाती रही।" આ અંગે “સૂરીશ્વર અને સમ્રાટ” પુસ્તક (પૃ. ૧૫૦)માં સૂચવવામાં આવ્યું છે કે " सीमायाव्य 'ना त्तानु थन छ ?--' सिद्धाय तीर्थ ५२ यात्रा ४२वा જનાર પાસેથી પહેલાં દીનાર (સોનાનાણું), તે પછી પાંચ મહમુંબિકા અને તદનન્તર ત્રણ મહમું દિકા લેવાતી'; છેવટે અકબરથી આ કર દૂર થયો હતો.” ઉપરના લખાણમાં “હીરસૌભાગ્યકાવ્ય ને જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે મૂળ લેંકે તથા તેના ઉપરનું વિવેચન ખાસ જાણવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરવામાં આવે છે – यः पूर्व कलिकालकेलिकलनालीलालयश्रीजुषां म्लेच्छक्षीणभुजां वशंवदतया जज्ञे नृणां दुर्लभः । तिग्मज्योतिरखण्डचण्डिममहःसंदोहदूरीकृतज्योत्स्नारम्भविभावरीशविभवः सौगन्धिकानामिव । सौवर्णेन ततो बभूव भविकैर्लभ्योऽत्र गोशीर्षवजातः साधिकरूपकेण तदनु प्राप्यः कथंचिज्जनैः । साहिश्रीमदकब्बरेण यवनक्षोणीभुजा संमदासोऽपि श्रीविमलाचला मुनिमणेश्चके शयालः शये ॥ -हीरसोमाय भडाव्य, सग १४, रस २८२.२८3. આ બંને શ્લોક ઉપર કર્તાએ પોતે જ રચેલી ટીકાના આધારે આ બંને ગ્લૅકેને અર્થ સમજાવતાં પરમપૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી સુચનાશ્રીજી આ કાવ્યના અનુવાદમાં छे Page #131 -------------------------------------------------------------------------- ________________ ૪ રોઝ આ કની પેઢીના ઇતિહાસ “સૂર્યનાં તીક્ષ્ણ અને પ્રચંડ કિરાથી દૂર કરાયેલા ચન્દ્રના વૈભવની પ્રાપ્તિ જેમ ચન્દ્રવિકાસી કમલને દુલ`ભ હેાય, તેમ પૂવે શત્રુ ંજય પર્યંત ', કલિયુગને ક્રીડા કરવા માટેના ક્રીડામંદિરની શાભા ધારણ કરનારા મ્લેચ્છ રાજાઓને આધીન હેાવાથી, યાત્રિકાને દુર્લભ હતેા; ત્યાર પછી કેટલાક કાળે સુવર્ણના મૂલ્યી જેમ ચંદન સુલભ બને તેમ સાનૈયાના કરથી શત્રુંજય સુલભ બન્યા. ત્યાર બાદ મહમ્મદના સમયમાં પાંચ મુદ્રિકાના કરથી અને પછીથી મુસીબતે ત્રણુ મુદ્રિકાના કરથી યાત્રિાને સુલભ બન્યા. તેવા પ્રકારના દુષ્પ્રાપ્ય શત્રુ ંજય પતને અકબર બાદશાહે ધણા જ પૂર્ણાંક આચાર્ય દેવ હીરવિજયસૂ રિજીના કરકમલમાં સમર્પિત કર્યાં, અર્થાત્ કરમુક્ત કર્યાં. ॥ ૨૮૨ ૨૮૩ ॥ —હીરસૌભાગ્ય મહાકાવ્ય ( અનુવાદ્યુક્ત), ભાગ ૩, પૃ॰ ૬૦૬૬ ૦૭. કર્નલ જેમ્સ ટાડે પણ શ્રી શત્રુ ંજય તીર્થની યાત્રા કરવામાં યાત્રિકાને પડતી મુશ્કેલીનુ વર્ણન કરતાં કહ્યું છે કે~~ "The predatory Catti, whose roving bands for the last fifty years deterred the wealthy Srawucs, or Jain laity, from visiting this their Palestine, are now known only by name; whereas, in past days, it was a chance that the pilgrim found his journey concluded with a bird's-eye view of the sacred rock from some reiver's castle, there to languish until ransomed (p. 294). The tax levied by the Gohil chief on the pilgrims was formerly from one to five rupees each, according to their means and the distance they came, but I was told that it is now only one rupee, without regard to circumstances (pp. 300-301).” —Travels in Western India. અર્થાત્ લૂંટારું, કાઠીઓની જે રખડતી ટાળકીઓ, છેલ્લાં પચાસ વર્ષથી, ધનવાન જૈન શ્રાવકા કે અન્ય ગૃહસ્થાને તેઓના આ પેલેસ્ટાઈનની યાત્રા કરતાં અટકાવ્યા કરતી હતી, તે હવે નામરોષ થઈ ગઈ હતી. પણ ભૂતકાળમાં તો, યાત્રિક કાઈક લૂંટારાના ગઢમાંથી આ પવિત્ર ખડક (પહાડ) ઉપર ઊડતી નજર નાખીને પેાતાના પ્રવાસને પૂરા કરવા પામતા, એને એક દૈવયેાગ (લહાવા) લેખવામાં આવતા ! અને એ ગઢમાં એને ત્યાં સુધી પિલાયા કરવું પડતું હતુ, કે જ્યાં સુધી એ પેાતાને મુક્ત કરવા માટે બાનની રકમ (પૈસા) ન આપતા (પૃ૦ ૨૯૪). ... ..પહેલાંના વખતમાં ગાહેલ રાજવી યાત્રિકો પાસેથી જે કર (યાત્રાવેરા) ઉધરાવતા હતા તે, યાત્રિકાની સ્થિતિ અને તેઓ જેટલે દૂરથી આવતા તે મુજબ, યાત્રિક દીઠ, એકથી પાંચ રૂપિયા સુધીના રહેતા. પણ, મને કહેવામાં આવ્યા મુજબ, હવે, કાઈ પણ જતના ભેદભાવ રાખ્યા વગર, એક જ રૂપિયા લેવામાં આવે છે(પૃ૦ ૩૦૦-૩૦૧).” —ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. (નાંધ—કર્નલ જેમ્સ ટાડે જ્યારે (તા. ૧૭–૧૧-૧૮૨૨નારાજ) શ્રી શત્રુ ંજય Page #132 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય (૨) વહીવટ અને વિસ્તાર તીર્થની મુલાકાત લીધી તે પહેલાં (તા. ૯-૧૨-૧૮૨૧ના રોજ) તે, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ, કેપ્ટન આર. બાર્નવેલની દરમિયાનગીરીથી, પાલીતાણું રાજ્ય અને જૈન સંઘની વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે, વાર્ષિક રૂ. ૪૫૦૦ને રખેપાને બીજો કરાર થઈ ગયું હતું. એટલે પછી રાજ્ય કઈ પણ યાત્રિક પાસેથી, યાત્રાવેરા તરીકે, કોઈ પણ રકમ વસૂલ કરવાની હતી જ નહીં. તે પછી શત્રુંજયની જાત્રાએ આવતા દરેક યાત્રિક પાસેથી, પાલીતાણ રાજ્ય દ્વારા, યાત્રાવેરા તરીકે, એક રૂપિયે લેવાતો હોવાની ખોટી માહિતી કર્નલ જેમ્સ ટેડને કે, કેવી રીતે આપી હશે, એ સવાલ થયા વગર રહેતો નથી; કારણ કે, રખેપાના કરારને બરાબર અમલ થતા રહે અને રાજ્ય તરફથી, યાત્રિકને, યાત્રા કરવામાં, કેઈ પણ જાતની કનડગત વેઠવી ન પડે, એની પૂરી તકેદારી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી રાખવામાં આવતી જ હતી.) ૧૧. શ્રી કર્માશાએ કરાવેલ આ ઉદ્ધારના અનુસંધાનમાં, વિશેષમાં, એ જાણવું ઉપયોગી થઈ પડશે કે, કર્માશાએ ભરાવેલ ભગવાન ઋષભદેવની પ્રતિમાની આસપાસ પરિકર ગોઠવવામાં આવેલ ન હતું. એટલે કે, કેવળ પરિકર વગરની વિશાળ પ્રતિમાની જ એમણે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠાને સવિસ્તર શિલાલેખ પણ મૂળનાયક ભગવાનની પલાંઠી ઉપર તેમ જ આરસની જુદી શિલા ઉપર પણ કોતરવામાં આવેલ છે. પણ અત્યારે મૂળનાયક ભગવાનની આસપાસ જે સુંદર શિલ્પવાળું પરિકર મૂકવામાં આવેલ છે તે, આ પ્રતિષ્ઠા પછી ૮૩ વર્ષ એટલે કે વિ. સં. ૧૯૭૦માં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા એમના મોટા ભાઈ શ્રી વર્ધમાન શેઠે બનાવરાવ્યું હતું, જે વાત આ પરિકર ઉપર કોતરવામાં આવેલ શિલાલેખ ઉપરથી જાણી શકાય છે. એ શિલાલેખો આ પ્રમાણે છે– મૂળનાયકના પરિકરમાંની પદ્માસનસ્થ શ્રી શાંતિનાથજી તથા શ્રી નેમિનાથજીની મૂર્તિના મસ્તક પરનો સળંગ લેખ– ॥०॥ संवत् १६७ [0] श्री अहम्मदावाद वास्तव्य साधु सहसकरण सत सा० शांतिदास नाम्ना श्री आदिनाथ परिकरः कारितः प्रतिष्ठितश्च તો [શ્રી શાંતિનાથજીની મૂર્તિ ઉપર લેખ ] पातसाहि श्री अकब्बरभूपालदत्त षण्मासि अभयदान श्री हीरविजयसूरि पट्टभृत् पातसाह श्री अकबर [प्र] दत्त लब्धजयभट्टारक श्री विजयसेनसूरिभिः ॥ [ શ્રી નેમિનાથજીની મૂર્તિ ઉપરનો લેખ ]. મૂળનાયકના પરિકર પૈકીના ઉપરોક્ત શાંતિનાથજીની પદ્માસનસ્થ મૂર્તિની નીચેને લેખ ॥र्द० ॥ सा० शांतिदास नाम्ना श्री शांतिबिंबं कारितं प्रतिष्टितं च तपागच्छाधिराज भट्टारकपुरंदर श्री विजयसेनसूरिभिः ॥ श्री॥ મૂળનાયકના પરિકર પૈકીના ઉપરોક્ત શ્રી નેમિનાથજીની પદ્માસનસ્થ મૂર્તિની નીચે લેખ ॥०॥ सा० शांतिदास नाम्ना श्री नेमिनाथबिंबं कारितं प्रतिष्टितं च तपागच्छाधिराज भट्टारकचक्रवर्ति भट्टारक श्री विजयसेनसूरिभिः ॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ e} શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ મૂળનાયકની જમણી બાજુના પરિકરમાંની કાયાત્સર્ગસ્થ મૂર્તિની બાજુના લેખ— શ્રી પાર્શ્વનાથવિત્ર હ્રા॰ પ્ર૦ | મૂળનાયકની ડાખી બાજુના પરિકરમાંની કાયોત્સર્ગસ્થ મૂર્તિની બાજુના લેખ— श्री महावीरबिंबं का० प्र० । મૂળનાયકની જમણી બાજુના પરિકરમાંની કાયૅાત્સર્ગસ્થ મૂર્તિની નીચેને લેખ (1) सं० १६७० वर्षे श्री अहम्मदावादवास्तव्य श्री उ (ओ) सवालज्ञातीय वृद्धરાવીય સાદ (2) વછા માં વાડ઼ે નોરતે જીત ના सहसकरण भार्या सोभागदे सुतेन साह वर्द्धमान लघुभ्राता (3) सांतिदास नाम्ना भार्या सुरमदे सुत सा० पनजी प्रमुख कुटुंबयुतेन स्वमातुल सा० श्रीपाल प्रेरितेन ( 4 ) श्री आदिनाथपरिकरः प्रतिमाचतुष्कसहितः कारितः प्रतिष्टितश्च श्री तपागच्छे भट्टारक શ્રી ઢે[ વિમલત્તિ ]• મૂળનાયકની ડાબી બાજુના પરિકરમાંની કાર્યાત્સર્ગસ્થ મૂર્તિની નીચેના લેખ (1) પટ્ટાËારવૃત સાધુનિયોહાર મટ્ટારાન [શ્રી શ્રી ] (2) શ્રી આનંવન विमलसूरिपट्टकैरवाकर कलाधरोपमान ( 3 ) भ० श्री विजयदानस्ररिपट्टकर्णिकाયમાળસુત્રાળત્ત (4) षण्मासिक जंतुजयनाभयदान जीजिया श्री शत्रुंजयादि तीर्थकर मोचनस्फुरन्मान भट्टारक ( 5 ) [ हीरविज ] यसरि पट्ट पूर्वाचल - सहस किरणानुकारैः पातसाहपर्षत् प्राप्तजयवादैः श्री विजयदेवसूरि [भिः ] (6) श्री विजयसेनसूरिभिः यावत्तीर्थं तावन्नंदतात् परिकरः पंडित जयसकलगणिसमये ॥ ૧૨. જેમ શ્રેષ્ઠી સમરાશાએ કરાવેલ ગિરિરાજ શત્રુંજયના પ`દરમા ઉદ્ધારનુ સવિસ્તર, માહિતીપૂર્ણ અને પ્રમાણભૂત વર્ણન શ્રી કસૂરિએ, વિસ’૦ ૧૩૯૩માં રચેલ ‘નાભિનંદનજિનેશ્વારપ્રબંધ ’ નામે સંસ્કૃત કાવ્યમાં કરવામાં આવ્યું છે, તેમ મંત્રી કર્માશાએ કરાવેલ ગિરિરાજ શત્રુંજયના સેાળમાં ઉદ્ધારનું વર્ણન ૫ શ્રી વિવેકધીર ગણિએ રચેલ ‘ શત્રુ ંજયતીહારપ્રબંધ' નામે સંસ્કૃત કાવ્યમાં પૂરેપૂરી માહિતી સાથે કરવામાં આવ્યું છે. ખે ઉલ્લાસમાં રચવામાં આવેલ આ ઐતિહાસિક કાવ્યની અસાધારણ કહી શકાય એવી વિશેષતા એ છે કે, એની રચના આ સેાળમા ઉદ્ધારની પ્રતિષ્ઠા જે તિથિએ કરવામાં આવી, તેના ખીજા જ દિવસે-એટલે કે વિ॰ સં૦ ૧૫૮૭ના વૈશાખ વદ સાતમ ને સેામવારના રાજ જ કરવામાં આવી હતી. એટલે આ વનને આંખેદેખ્યા અહેવાલ જેવુ... વિશેષ આધારભૂત કે પ્રમાણભૂત માનવું જોઈએ. જેમ આ ઉદ્દારતા, ઉપર સૂચવ્યું તેમ, સાહિત્યિક પુરાવા સચવાઈ રહેલા છે, તેમ એનેા એક સબળ શિલાલેખી પુરાવે પણ સચવાઈ રહ્યો છે, તે વિશેષ આન ંદ ઉપજાવે એવી ખીના છે. જૈન સંઘમાં પેાતાની કાવ્યરચનાને લીધે ખૂબ વિખ્યાત બનેલા કવિવર Page #134 -------------------------------------------------------------------------- ________________ ૮૭ તીર્થાધિરાજ શ્રી શત્રુજય (૨) વહીવટ અને વિસ્તાર લાવણ્યસમયજીએ આ ઉદ્ધારને લગતી એક સંસ્કૃત પ્રશસ્તિ રચી હતી. જુદા જુદા છંદમાં ૪૪ કલેકામાં રચવામાં આવેલી આ પ્રશસ્તિની શરૂઆતમાં તેમ જ પાછળના ભાગમાં કેટલુંક ગદ્ય લખાણ પણ મૂકવામાં આવેલ છે. વિશેષ આનંદ તે એ જોઈને થાય છે કે, આ પ્રશસ્તિ અત્યારે પણ પૂરેપૂરી સચવાઈ રહેલી છે અને તેને દાદાના મુખ્ય દેરાસરના દ્વાર પરથી કાઢીને રતનપોળની અંદર, આપણી જમણી બાજુએ, ફરીથી ચેડવામાં આવેલ છે. આ પ્રશસ્તિ પુરાતત્વ.ચાર્ય શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહ”ના બીજ ભાગમાં (એપિઝાકિઆ ઇડિકા–૨/૪૨-૪૭માંથી ઉદ્દત કરીને) છાપવામાં આવી છે; ઉપરાંત તેઓએ સંપાદિત કરેલ “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'માં પણ (પૃ૦ ૭૧ ઉપર) પરિશિષ્ટરૂપે એ આપવામાં આવેલ છે. એની સાથે સાથે મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની પલાંઠી ઉપરને લેખ પણ આ પુસ્તકમાં છાપવામાં આવ્યો છે. આ શિલાલેખમાં જણાવ્યા મુજબ, આ પ્રશસ્તિનું લખાણ પં. શ્રી વિવેકધીર ગણિએ પિતાના હાથે લખ્યું હતું. સાત ઉદ્ધાર સંબંધી ખુલાસો આ પ્રશસ્તિની શરૂઆતના ભાગમાં લખવામાં આવ્યું છે કે, “ચિત્ર વાસ્તવ્ય રોડ જમાત-સપ્તમોત્તારની પ્રતિથિ આ લખાણમાં શ્રી લાવણ્યસમયજીએ શત્રુંજય તીર્થના કર્મશાએ કરાવેલ ઉદ્ધારને સાતમા ઉદ્ધાર તરીકે ઓળખાવેલ છે. જે કર્માશાને ઉદ્ધારને સાતમો ઉદ્ધાર કહેવામાં આવે છે, તે પહેલાં ગિરિરાજના છ ઉદ્ધાર થયા હતા એમ ફલિત થાય છે. આ વાત પ્રથમ દૃષ્ટિએ કંઈક નવતર લાગે એવી છે, પણ તેનું સમાધાન આ રીતે થઈ શકે એમ છે– શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ માં ( ઉલ્લાસ ૧, ક પાંચ-છમાં) કર્મશાના ઉદ્ધાર પહેલાં અઢાર ઉદ્ધારની જે યાદી આપી છે, તે ઉપરથી એ ફલિત થાય છે કે, કર્મશાને ઉદ્ધાર એ ઓગણીસમો ઉદ્ધાર હતે. આ ઓગણીસ ઉદ્ધારમાંથી પ્રાગ-ઇતિહાસકાળના બાર ઉદ્ધારને બાદ કરીએ તો, ઈતિહાસકાળમાં થયેલ સાત ઉદ્ધારને ઉલલેખ કરવાનું શ્રી લાવણ્યસમયજીને અભિપ્રેત હતું એમ સ્પષ્ટ લાગે છે. “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'માં ઇતિહાસકાળના જે સાત ઉદ્ધારે સૂચવવામાં આવ્યા છે, તે નીચે મુજબ છે – (૧) વિક્રમ રાજને. (૨) જાવડશાને. (૩) શિલાદિત્ય રાજાને. (૪) બાહડ મંત્રીને. (૫) વસ્તુપાળને. (૬) સમરાશાને. (૭) કર્મશાને. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે, “નાભિનંદનજિદ્વાર પ્રબંધમાં પણ શત્રુ. જયના સાત ઉદ્ધાર થયાનું લખ્યું છે, અને દરેક ઉદ્ધારનું સવિસ્તર વર્ણન પણ આપ્યું છે. આ વર્ણન એ ગ્રંથના અનુવાદના પૃ૦ ૧૪૪ થી ૧૬૧માં અને મૂળ ગ્રંથના ત્રીજા પ્રસ્તાવના લેક ૬૩ થી ૨૫૩માં આપવામાં આવેલ છે. આ સાત ઉદ્ધારની યાદી આ પ્રમાણે છે - (૧) ભરત ચક્રવતીને. (૨) સગર રાજાને. (૩) પાંડવોને. (૪) જાવડશાને. (૫) બાહડ મંત્રીને. (૬) સમરાશાને. (૭) કર્માશાને, Page #135 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ સાત ઉદ્ધારની આ બંને યાદીઓને સરખાવતાં એ જોઈ શકાય છે કે, એમાં પહેલાં ત્રણ ઉદ્ધાર કરનારના નામમાં ફરક છે. “શત્રુંજયતીર્થોદ્ધારપ્રબંધ'ની યાદીમાં પહેલા ત્રણ ઉદ્ધારો પણ ઇતિહાસકાળમાં જ થયેલા છે, જ્યારે “નાભિનંદનજિન દ્વારપ્રબંધ'માં જણાવ્યા મુજબ પહેલા ત્રણ ઉદ્ધારો ઇતિહાસ-કાળ પહેલાંના છે. ૧૩. “શત્રુજ્યતીર્થોદ્ધારપ્રબંધને અંતે આપવામાં આવેલ રાજાવલન કષ્ટક પ્રમાણે, અમદાવાદ શહેરની સ્થાપનાના સંવત અંગે આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યું છે: “૧૪૪ - व० अहिमदराज्यं व० ३२ । संवत् १४६८ वर्षे वैशाखवदि ७ रवौ पुष्ये अहि મારા સ્થાપના ! આ ઉ૯લેખ પ્રમાણે તે અમદાવાદની સ્થાપના વિ૦ નં૦ ૧૪૬૮ના વૈશાખ વદ સાતમ, ૨વિવાર, પુષ્ય નક્ષત્રના યુગમાં થઈ હતી એ સ્પષ્ટ છે. આમ છતાં અમદાવાદની સ્થાપનાની સંવત બાબતમાં ઇતિહાસકારમાં કેટલાક મતાંતરો પણ પ્રવર્તે છે. આની કેટલીક ચર્ચા શ્રી રત્નમણિરાવ ભીમરાવકૃત “ગુજરાતનું પાટનગર અમદ્દાવાદ” નામે પુસ્તકના પ્રકરણ ત્રીજમાં (પૃ. ૨૪ થી ૨૮માં) તથા શ્રી એમ. એસ. કેમિસેરિયેટકૃત “A History of Gujarat Vol. I ના નવમા પ્રકરણમાં (પૃ૦ ૯૧ થી ૯૨માં) કરવામાં આવી છે. ૧૪. મંત્રી કર્માશાએ કરાવેલ આ ઉદ્ધાર સોળમા ઉદ્ધાર તરીકે વિશેષ જાણીતા છે. આ ઉદ્ધાર પછી શ્રી શત્રુંજય ગિરિ ઉપર અવારનવાર સમારકામ જેવું જીર્ણોદ્ધારનું કામ તે થતું જ રહ્યું છે, પણ તે પછી ત્યાં એવું કઈ મેટું બાંધકામ કે સમારકામ કરવું નથી પડ્યું કે - જેને સ્વતંત્ર ઉદ્ધાર તરીકે સ્વીકારવામાં આવે. જૈન પરંપરાની માન્યતા પ્રમાણે, આ સોળમા - ઉદ્ધાર પછી સત્તરમો ઉદ્ધાર, છેક પાંચમા આરાના અંત ભાગમાં, શ્રી દુપસહસ્ર રિના ઉપદેશથી, વિમળવાહન રાજાને હાથે થશે અને તે આ અવસર્પિણી કાળના છેલ્લા એટલે કે સત્તરમા ઉદ્ધાર તરીકે ઓળખાશે. આ વાતને નિર્દેશ “શ્રી શત્રુંજ્યમાહા ના પંદરમા સર્ચના ૨૨૪મા શ્લોકમાં આ પ્રમાણે કરવામાં આવે છે गुरुदुःप्रसहादेशाद्राजा विमलवाहनः । विमलाद्राविहोद्धार, यात्रां चापि करिष्यति ॥ વસ્તુસ્થિતિ આવી હોવાથી મંત્રી કર્માશાએ કરાવેલ ઉદ્ધારની વિસં. ૧૫૮૭માં કરાવેલ પ્રતિષ્ઠાને અત્યારે (વિ. સં. ૨૦૩૬માં) લગભગ સાડાચારસો વર્ષ વીતી ગયાં હોવા છતાં, ગિરિરાજ ઉપરના દાદાના દેરાસરની વર્ષગાંઠ મંત્રી કર્માશાએ કરેલ પ્રતિષ્ઠાની તિથિએ જ, એટલે કે દરેક વર્ષની વૈશાખ વદિ છઠના રોજ જ, ઊજવવામાં આવે છે. ૧૫. વિક્રમની સત્તરમી સદીમાં જેમ શાસનપ્રભાવક જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી, એમના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિજી, શ્રી વિજયદેવસૂરિજી, ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર, ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્ર, આચાર્ય શ્રી જિનચંદ્રસૂ રિ, આચાર્ય શ્રી જિનસિંહસૂરિ, આચાર્ય શ્રી કલ્યાણસાગરસ રિ વગેરે મહાન શ્રમણ સંતે થઈ ગયા, તેમ વગદાર અને ધર્મ પ્રભાવક શ્રાવકરમાં અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, બિકાનેરના મંત્રી કર્મચંદ બરછાવત, જેસલમેરના - શ્રી પીરૂ શાહ, ભદ્રેશ્વરના શ્રેષ્ઠી વર્ધમાનશા તથા પદ્મસિંહા, આગરાના શ્રેષ્ઠી ઋષભદાસના i Page #136 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર સુપુત્રો શ્રી કુંવરપાલ (કુરપાલ) અને સોનપાલ વગેરે સંધમાં, પ્રજામાં અને રાજ્યમાં સમાન રીતે માન્ય બનેલા ધર્મપરાયણ શ્રેષ્ઠીઓ પણ થઈ ગયા. વળી પિતાને ઇસ્લામ ધર્મના ઝનૂનથી મુક્ત બનેલા મેગલ સમ્રાટ અકબર, જહાંગીર અને શાહજહાં જેવા શાણું, ઉદાર અને પ્રજાવત્સલ બાદશાહે પણ આ જ સદીમાં થઈ ગયા. ધર્મગુરુઓ, શ્રેષ્ઠીઓ અને બાદશાહે એ ત્રણે વચ્ચેના સુમેળને લીધે, એ સમયમાં, જેમ પ્રજાને ઠીક ઠીક ઉત્કર્ષ થવા પામ્યો હતો. તેમ અમારિ–અહિંસાનું પ્રવર્તન. શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હકોનાં ફરમાનેની પ્રાપ્તિ, જજિયા જેવા વેરાની તથા યાત્રાવેરાની નાબૂદી વગેરે સત્કાર્યોને લીધે ધર્મક્ષેત્રને અને જૈન સંઘને પણ અનેક પ્રકારે લાભ થયો હતો, આ રીત વિક્રમની સત્તરમી સદી એકંદર ધર્મ પ્રભાવક પુરવાર થઈ હતી એમ કહી શકાય, વળી અહીં એ પણ સેંધવું જોઈએ કે, ગિરિરાજ શત્રુંજયનું બીજું શિખર નાનાં-મોટાં સંખ્યાબંધ જિનાલયોથી સુશોભિત અને સમૃદ્ધ થવાની શરૂઆત થઈ, તે પણ આ સદીમાં જ, જેને આજે નવ ટૂંક કહેવામાં આવે છે, તેમાં સૌથી વિશાળ અને ઊંચું દેવાલય ધરાવતી સવા સોમાની અથવા ખરતર વસહીની ટ્રકના નામથી ઓળખાતી અને વર્તમાન ટ્રકના ક્રમમાં બીજી ગણાતી ટૂક પણ આ સદીમાં એટલે કે વિસં. ૧૬૭૫માં જ રચાઈ હતી. “ Jainism has produced in Gujarat in the course of centuries many distinguished religious guides and teachers whose names are held in high reverence by the community. But among its temporal magnates there is no name which can equal that of Shantidas Jawahari, who is said to have received, according to an old historical tradition, the title of Nagarsheth or 'Lord Mayor' of Ahmedabad in the early years of the seventeenth century. Without any connection with the official nobility of the Mughal Empire, Shantidas was able to exercise, by virtue of his business connections and his vast riches, an influence at the court of successive Mughal Emperors from the time of Jahangir to the accession of Aurangzeb which must have been envied by many an exalted amir or mansabdar of the Empire." --Studies in the History of Gujarat, p. 53. અર્થાત “જૈનધર્મ, સદીઓ દરમ્યાન, ઘણા વિશિષ્ટ ધાર્મિક માર્ગદર્શક અને ધર્મગુરુઓને ઉત્પન્ન કર્યા છે; અને જૈન કેમ એમના પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. પણ એના ગૃહસ્થ મહાપુરષોમાં એવી કોઈ વ્યક્તિ નથી થઈ કે જે શાંતિદાસ ઝવેરીની બરાબરી કરી શકે. જૂની એતિહાસિક માન્યતા પ્રમાણે, સત્તરમી સદીની શરૂઆતમાં, એમને અમદાવાદના નગરશેઠ અથવા “મેયર”ને ખિતાબ મળ્યું હતું, મેગલ સામ્રાજ્યના અધિકારી ઉમરા ૧૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ 3 શેઠ આવકની પેઢીના ઇતિહાસ સાથે કાઈ પણ જાતના સંબંધ ન હેાવા છતાં, શાંતિદાસ, પેાતાના વ્યાપારી સંબંધા અને પેાતાની વિશાળ સંપત્તિના કારણે, જહાંગીરથી લઇને ઔરંગઝેબ સુધીના એક પછી એક મેગલ બાદશાહેાના દરબારમાં પોતાને પ્રભાવ પાડી શકયા હતા, કે જેની સામ્રાજ્યમાં ઊંચે દરજ્જો ધરાવતા ઘણા અમીરા અથવા મનસબદારાને અદેખાઈ આવી હાવી જોઈએ.” ~~~સ્ટડીઝ ઇન ધી હિસ્ટરી ઓફ ગુજરાત, પૃ૦ ૫૩. શ્રી એમ. એસ. કામિસેરિયેટ ઉપરના ફકરામાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી મેાગલ બાશાહે ઉપર કેવા પ્રભાવ ધરાવતા હતા તેનું ટૂંકમાં, પણ જે સચોટ અને બર્દૂ જેવું વર્ણન કર્યું છે, તેમાં રહેલ વાસ્તવિકતાનું દર્શન કરાવતી, તેઓએ બધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની ભવ્ય અને કરુણ કથા ખાસ જાણવા જેવી હાઈ અહીં એ ટૂંકમાં રજૂ કરવી ઉચિત છે— નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ઉપર ખૂબ આસ્થા હતી, કારણ કે, એક દંતકથા પ્રમાણે, સૂરતમાં, એક સાધુ મુનિરાજે પોતાના શાંતિદાસ નામના ભક્તને માટે સાધેલ ચિંતામણિ પાર્શ્વનાથના મંત્ર, અકસ્માત અને સાવ અણુધારી રીતે, અમદાવાદના આ શાંતિદાસને પ્રાપ્ત થયા હતા અને એના પ્રતાપે તેએ અઢળક સંપત્તિ મેળવી શકયા હતા. એટલે જ્યારે એમના મેટાભાઈ શ્રી વર્ધમાન શેઠ તથા એમણે પોતે કાઇક ધર્મનું એવું કામ કરવાને વિચાર કર્યા કે જેથી પોતાનું જીવન તથા ધન કૃતાર્થ થાય અને સાથે સાથે એનાથી સંધને પણ હમેશાં લાભ થતા રહે ત્યારે, આ બાબતમાં શું કરવું એ સંબધીવિચાર કરીને, છેવટે, એમણે અમદાવાદમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ખૂબ વિશાળ અને ભવ્ય જિનાલય બંધાવવાનું નક્કી કર્યું; અને એ માટે બાદશાહ જહાંગીર પાસેથી જમીન પણ મેળવી લીધી. આ જમીન અમદાવાદના અત્યારે સરસપુરના નામથી જાણીતા પરાના તે વખતે ખીખીપુર નામે ઓળખાતા વિભાગમાં પસંદ કરવામાં આવી હતી. આ દેરાસરનું બાંધકામ વિ॰ સં ૧૬૭૮માં શરૂ કરવામાં આવ્યું હતુ. અને, ચારેક વર્ષની કામગીરીને અંતે, એક આલિશાન જિનાલય તૈયાર થઈ ગયું હતું, એટલે પછી વિ॰ સં૦ ૧૬૮૨ની સાલમાં, ખૂબ વિશાળ પાયા ઉપર, એને પ્રતિષ્ઠા-મહેાત્સવ ઊજવવામાં આવ્યા હતા. આ જિનાલય બંધાયા પછી બારેક વર્ષે, સને ૧૬૩૮ (વિ૦ સ’૦ ૧૬૯૪ )માં, જર્મન પ્રવાસી મેન્ડેલસ્લાએ એની મુલાકાત લીધી હતી; અને એની સુંદરતા અને ભવ્યતાથી એ ખૂબ પ્રભાવિત થયા હતા. એનું વર્ણન કરતાં તેઓએ લખ્યુ` હતુ` કે— "The principal mosque of the Banyas' was in all its pristine splendour and without dispute one of the noblest structures that could be seen. ... ...It was then new, for the Founder, who was a rich Banya merchant, named Shantidas, was living in my time. It stood in the middle of a great court which was enclosed by a high wall of freestone. All about this wall on the inner side was a gallery, similar to the cloisters of the monasteries in Europe, Page #138 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર લે with a large number of cells, in each of which was placed a statue in white or black marble. ... ...Some of the cells had three statues in them, namely, a large one between two smaller ones. At the entrance to the temple stood two elephants of black marble in lifesize and on one of them was seated an 'effigy of the builder. The walls of the temple were adorned with figures of men and animals. At the further end of the building were the shrines consisting of three chapels divided from each other by wooden rails. In these were placed marble statues of the Tirthankars with a lighted lamp before that which stood in the central shrine.” —Mandelslo's Travels in Western India, pp. 24-25. અર્થાત્—“ વાણિયાનું મુખ્ય દેવાલય એની પુરાતન ભવ્યતાથી સભર હતુ, અને જે સ્થાપત્ય (એ વખતે) જોઈ શકાતાં હતાં એમાં, નિઃશંકપણે એ સર્વોત્તમ હતું. એ વખતે એ નવું બનેલું હતું, કારણ કે, હું ત્યાં ગયા એ વખતે એની સ્થાપના કરનાર શાંતિદાસ, જે ધનવાન વાણિયા અને વેપારી હતા, તે હયાત હતા. એ મંદિર વિશાળ આંગણાની વચ્ચે ખડું હતું; અને એની ચારે તરફ સાદા પથ્થરની ઊંચી દીવાલ બનાવવામાં આવી હતી, આ દીવાલની અંદરના ભાગમાં ચામેર, યુરાપના ક્રિશ્ચિયન મઠામાં હોય છે એવી, ધણી આરડીએ (દેરીઆ ) હતી. અને દરેક દેરીમાં સફેદ અથવા શ્યામ આરસની મૂર્તિ હતી. કેટલીક દેરીઓમાં તેા બે નાની મૂર્તિ એની વચ્ચે એક મેાટી મૂર્તિ— એમ ત્રણ મૂર્તિ એ હતી. મંદિરના પ્રવેશદ્વારની બન્ને બાજુએ, કાળા આરસમાંથી ઘડેલ, પૂરા કદના, બે હાથી મૂકેલા હતા. અને એમાંના એક ઉપર મંદિર બંધાવનારની પ્રતિમા એસારવામાં આવી હતી. મદિરની દીવાલા માનવીએ અને પશુઓનાં શિલ્પાથી સુશોભિત કરવામાં આવી હતી. આ ઈમારતના દૂરના છેડે, લાકડાના કઠેડાથી જુદી પાડેલી, ત્રણ દેવકુલિકાઓ હતી; અને એમાં તીર્થંકરાની આરસની પ્રતિમા બિરાજમાન કરેલી હતી; અને વચ્ચેની દેવકુલિકામાં પધરાવેલ પ્રતિમાની સામે દીપક પ્રગટાવવામાં આવ્યા હતા.” મેન્ડેલસ્લાઝ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા, પૃ૦ ૨૪૨૫. ... ... પ્રતિષ્ઠા થયા પછી બે દાયકા કરતાં પણુ ઓછા વખતમાં જ આ મન્દિર ખ ંડિત થયું અને, સમયના વહેવા સાથે, એ નામશેષ બની ગયું, એવી સ્થિતિમાં શ્રી મેન્ડેલસ્લાએ આ વિશાળ જિનપ્રાસાનું પ્રત્યક્ષ અવલાકન કરીને કરેલુ આ વર્ણન એની ભવ્યતા, વિશાળતા અને સુંદરતાની સાક્ષી પૂરતા દસ્તાવેજી લેખ જેવું મહત્ત્વનું બની ગયુ' છે, એમાં શક નથી. દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી પદરેક વર્ષે, વિ॰ સં૦ ૧૬૯૭માં, એની લાંખી પ્રશસ્તિ રચવામાં આવી હતી. છએક દાયકા પહેલાં તા આ પ્રશસ્તિની નકલ એક જ્ઞાનભંડારમાંથી, પુરાતત્ત્વાચા શ્રી જિનવિજયજીને મળી હતી; અને એના ઉપયોગ શ્રી રત્નમણિરાવ ભીમરાવે Page #139 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ એમના “ગુજરાતનું પાટનગર અમદાવાદ ”નામે પુરતકમાં કર્યો હતે; ઉપરાંત શ્રી એમ. એસ. કેમિસેરિયેટ પણ એમના “સ્ટડીઝ ઇન હિસ્ટરી ઓફ ગુજરાત” અને “હિસ્ટરી ઓફ ગુજરાત ” ભાગ બીજે–એ નામે પુસ્તકમાં કર્યો હતો. પણ પછીથી ૮૬ થકની એ પ્રશસ્તિ એવી રીતે ખોવાઈ ગઈ છે કે હજી સુધી એ ઉપલબ્ધ થઈ શકી નથી. આમ છતાં, સદ્ભાગ્યે, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ૦ ૫૬૯માં કરવામાં આવેલ એક નેધ ઉપરથી એમ જાણવા મળે છે કે, આ પ્રશસ્તિની એક અશુદ્ધ નકલ રોયલ એશિયાટીક સોસાયટીની મુંબઈ શાખામાં સચવાયેલી છે. તેને નંબર “વે નં. ૧૫૬” છે. તેની નકલ મેળવવાને પ્રયત્ન ચાલુ છે, અને તે મળી જશે એવી આશા છે. આ પ્રશસ્તિની રચના થયા પછી ચારેક વર્ષે શાહજાદે ઔરંગઝેબ ગુજરાતને સૂબો નિમાયે. જેન સંધનું આ ભવ્ય મંદિર એ ધર્મઝનૂની રાજકુમારની આંખે ચઢી ગયું અને એણે એ મંદિરને ખંડિત અને અપવિત્ર કરીને તેમ જ એની અંદર એક ગાયને વધ કરાવીને એને મજિદમાં ફેરવાવી નાંખ્યું. અને એમાં મહેરાબો ગોઠવીને એને મરિજદનું પૂરેપૂરું રૂપ આપવા સાથે એની અંદર ફકીરને પણ વસાવ્યા. “મિરાત-ઈ-અહમદી ”માં જણાવ્યા મુજબ, ઔરંગઝેબે આ મજિદને “કૌવત-અલ-ઈસ્લામ” (ઇસ્લામની તાકાત) એવું ગુમાનસૂચક નામ પણ આપ્યું હતું. આ બનાવ વખતે અમદાવાદમાં કોમી હુલ્લડ પણ થયું હતું અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી અને જૈન સંઘને દુઃખની કોઈ અવધિ રહી ન હતી. જિનાલયની આ ભાંગફેડ વખતે કેટલીક પ્રતિમાઓને કુનેહપૂર્વક બચાવીને ઝવેરીવાડમાં લઈ આવવામાં આવી હતી. શ્રી શાંતિદાસ શેઠની હયાતિમાં જ આ દુર્ઘટના બની હતી અને તેઓનું દિલ્લી દરબારમાં સારું એવું ચલણ હતું. આમ છતાં એમણે, કેટલેક વખત શાંત રહેવામાં જ શાણપણ માન્યું અને ત્રણેક વર્ષ બાદ એ અંગે બાદશાહ શાહજહાંનું ધ્યાન દોરીને પિતાને ન્યાય આપવાની માગણી કરી. આ કાર્યમાં અમદાવાદના મુલ્લાં અબ્દુલ હકીમે પણ શ્રી શાંતિદાસ શેઠને સારી સહાય કરી હતી. પિતાને આ વાતની જાણ થતાં તરત જ બાદશાહ શાહજહાંએ શાહજાદા ઔરંગઝેબને સૂબા તરીકે તરત જ દૂર કર્યો અને એ જિનપ્રાસાદ શ્રી શાંતિદાસને સુપરત કરવાનું શાહી ફરમાન સને ૧૬૪૮ (વિ. સં. ૧૭૦૪)માં આપ્યું. એમાં મંદિરમાં જે કંઈ ભાંગફોડ થઈ હોય તે રાજ્યના ખચે સમી કરાવી આપવાનું, ફકીરોને હાંકી કાઢવાનું અને મહેરાબાને દૂર કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ રીતે આ જિનાલય પાછું મળ્યું એ કેવળ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પ્રભાવને કારણે જ, એમાં શક નથી. પણ, કમનસીબે, મસ્જિદમાં ફેરવાઈ ગયેલ અને ગાયના વધથી અપવિત્ર થયેલ એ સ્થાનમાં ફરીથી જિનમંદિર ચાલુ ન થઈ શકયું ! જે એ ફરી ચાલુ થયું હોત તે, એ જૈન સંઘને માટે ગૌરવરૂપ અને નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની કાર્યશક્તિ અને ધર્મ ભક્તિ સંબંધી એક અમર કીર્તિગાથારૂપ બની રહેત, એમાં શક નથી. ઔરંગઝેબે સને ૧૯૪૫ (વિ. સં. ૧૭૦૧)માં આ જિનપ્રસાદને ખંડિત અને ભ્રષ્ટ કરીને એને મસ્જિદમાં ફેરવી નાખે, ત્યાર પછી ૨૧ વષે, સને ૧૬૬૬ (વિ. સં. ૧૭૨૨)માં એમ. ડી. થેલેનેટે (M. D. Theyenot) નામે એક ફ્રેંચ મુસાફરે અમદા Page #140 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર વાદનાં સ્થાપત્યોની મુલાકાત લીધી હતી, એમાં ચિંતામણિના જિનપ્રાસાદના ભગ્ન અવશેષ જઈને, એનું વર્ણન કરતાં, એમણે લખ્યું હતું કે “Ahmedabad being inhabited also by a great numbers of heathens, there are Pagods or idol-temples in it. That which was called the Pagod of Santidas was the chief, before Aurangzeb converted it into a mosque. When he performed that ceremony he caused a cow to be killed in the place, knowing very well that, after such an action, the gentiles, according to their law, could worship no more therein. All round the temple there is a cloister furnished with lovely cells, beautified with figures of marble in relief, representing naked women sitting after the oriental fashion. The inside roof of the mosque is pretty enough and the walls are full of the figures of men and beasts; but Aurangzeb, who hath always made a show of an affected devotion, which at length raised him to the throne, caused the noses of all these figures, which added a great deal of magnificence to that mosque, to be beat off.” ---Studies in the History of Gujarat, p. 57. અર્થાત–“ અમદાવાદમાં ધણુ મૂર્તિપૂજક (યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મથી જુદા ધર્મના અનુયાયીઓ) પણ વસતા હેવાથી એમાં પેગડા કે મૂતિઓવાળાં મંદિરે છે. એમાં, જે મંદિર શાંતિદાસના મંદિર તરીકે ઓળખાતું હતું તે, ઔરંગઝેબે એને મરિજદમાં ફેરવી નાખ્યું તે પહેલાં, બધાંમાં મુખ્ય હતું. જ્યારે એણે આ વિધિ કર્યો ત્યારે એણે એ સ્થાનમાં એક ગાયની કતલ કરાવી હતી, કારણ કે, એ બરાબર જાણતા હતા કે, આવું કૃત્ય કર્યા પછી એ અનાર્યો (જૈન), એમના નિયમ મુજબ, એમાં પૂજા નહીં કરી શકે. મંદિરની ચારે બાજુ સુંદર એારડીએ (દરી) ધરાવતા મઠ (એક) હતા. અને આરસની કલાકતિઓથી એ દેરીઓ શોભાયમાન લાગતી હતી. આ કલાકૃતિઓ પૌરા પદ્ધતિમાં બેઠેલી (પલાંઠી વાળેલી), નગ્ન સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરતી હતી. (થેનેટે પણ, મેન્ડેલઑની જેમ, તીર્થકરોની, પદ્માસનસ્થ પ્રતિમાઓને, ભૂલથી નગ્ન સ્ત્રીઓની બેઠેલી મૂર્તિઓ માની લીધી હતી.) મંદિરની અંદરની છત ખૂબ સુંદર છે અને એની દીવાલો માનવીઓ અને પશુઓનાં શિથી ભરેલી છે. પરંતુ ઔરંગઝેબ, કે જેણે હમેશાં દાંભિક ધર્મશ્રદ્ધાને દેખાવ કર્યો હતો અને એને લીધે છેવટે જે સિંહાસને બેસી શક્યો હતો, એણે મંદિરની ભવ્યતામાં ઘણે બધે વધારે કરતી આ આકૃતિઓનાં નાક ખંડિત કરાવી નાખ્યાં હતાં.” -સ્ટેડિઝ ઈન ધી હિસ્ટરી ઓફ ગુજરાત, પૃ. ૫૭. આ મંદિર ખંડિત થયું એ પહેલાં જર્મન પ્રવાસી શ્રી મેન્ડેલરલેએ એની મુલાકાત Page #141 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પઢીને ઈતિહાસ લઈને કરેલું એનું વર્ણન જેમ એ જિનાલયની ભવ્યતાને ખ્યાલ આપે છે, તેમ ફ્રેંચ પ્રવાસી શ્રી થેવેનટે, એ જિનાલયના ભગ્ન અવશેષોનું અવલોકન કર્યા પછી, કરેલ આ વન પણ. આ જિનાલયની ઉરચ કેટીના શિ૯૫-સ્થાપત્યની કલાને સમજવા માટે એટલું જ મહત્વનું છે. સને ૧૬૩૮થી ૧૬ ૬૬ સુધીના અઠ્ઠાવીસ વર્ષ જેટલા, પ્રમાણમાં, ટૂંકા કહી શકાય એવા ગાળામાં, બે વિદેશી પ્રવાસીઓએ પોતે નિહાળેલ ગુજરાતનાં અને ખાસ કરીને અમદાવાદ શહેરના વિશિષ્ટ સ્થાપત્યની જે પ્રવાસ કરી હતી, એમાં ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદની એમણે આવી પ્રશંસાત્મક નોંધ કરી, એને એક સુયોગ જ લેખો જોઈએ. એ બન્ને પ્રવાસી મહાનુભાવોની આ ધેનું જેમ સાંસ્કૃતિક મૂલ્ય છે, તેમ એનું ઐતિહાસિક મૂલ્ય પણ છે, એ કહેવાની જરૂર નથી. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીની રાજક્ત વર્ગ અને પ્રજામાં પ્રવર્તતી પ્રભાવકતાને વિશેષ ખ્યાલ તે એ હકીકત ઉપરથી. પણ આવી શકે છે કે, વિ. સં. ૧૭૦૧ની સાલમાં, શ્રી ચિંતામણિના દેરાસર જેવા ધર્મસ્થાનને નષ્ટ-ભ્રષ્ટ કરનાર, ખુદ ઔરંગઝેબે જ, જ્યારે એ બાદશાહ થયે ત્યારે (સંવત ૧૭૧૫ની સાલમાં ), શત્રુજ્ય વગેરે તીર્થોની માલિકીનું પિતાના પૂર્વજોએ આપેલ ફરમાન નગરશેઠ શ્રી શાંતિદાસને જારી કરી આપ્યું હતું. આ ફરમાન અત્યારે પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે સુરક્ષિત છે. ૧૭. મેગલ સમ્રાટ અકબર, જહાંગીર, શાહજહાં, મુરાદાબક્ષ અને ઔરંગઝેબ—એ પાંચે બાદ શાહએ શ્રી શત્રુંજય તીર્થ વગેરેના માલિકીહક્કો શ્રીસંઘને અર્પણ કર્યા એ સંબંધી કલ નવ ફરમાન ઉપલબ્ધ થયાં છે. તેમાં એક બાદશાહ અકબરનું, બે બાદશાહ જહાંગીરનાં. બે બાદશાહ શાહજહાંનાં, બે મુરાદબક્ષના અને બે ઔરંગઝેબનાં છે. આમાંનાં સાત ફરમાને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે અને બાકીનાં બે ફરમાનેમાંનું એક પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ લખેલ “સૂરીશ્વર અને સમ્રાટ' પુસ્તકમાં આપવામાં આવેલ છે અને બીજું કરમાન શ્રી એમ. એસ. કેસિસેરિયેટે લખેલ “Imperial Mughal Farmans in - Gujarat માં છાપવામાં આવ્યું છે. આ બધાં ફરમાનેના ફોટા અને એને અનુવાદ આ પુસ્તકના “શ્રી શત્રુંજય મહાતીર્થ સંબંધી બાદશાહી ફરમાન ” નામે તેરમા પ્રકરણમાં આપવામાં આવેલ છે. 92. "The Chieftain of Palitana and his possession are tributary to the Gaekvar, not to the British Government." –R. Barnewell, D. 20–12–1820. (પેઢીનું દફતર ૧૩, ફાઈલ નં. ૧૧૪) ૧૮. પાલીતાણું રાજ્ય સાથે વિ. સં. ૧૭૦૭ની સાલમાં રખેપાને પહેલે કરાર કરવામાં ન આવ્યો, તેમાં પણ નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ જે દૂરંદેશી વાપરીને અગમચેતી દાખવી હતી, તે ખાસ ધ્યાન ખેંચે એવી તેમ જ એમની ભવિષ્યને પારખવાની શક્તિને ખ્યાલ આપે Page #142 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર પ એવી છે. જે વખતે આ કરાર કરવામાં આવ્યા તે સમયે, તેઓની પાસે, માગલ બાદશાહેાએ આપેલાં શત્રુ જયની માલિકીના હક્કો જૈન સંધને અર્પણ કરવા સંબંધી અનેક ફરમાને હતાં જ. આમ છતાં રાજસત્તા માટેના આંતર વિગ્રહને કારણે મેાગલ સલ્તનત નબળી પડતી જતી હતી, તે તે સ્પષ્ટ રૂપે જોઈ શકળ્યા દ્વૈતા. વળી, વિ સ` ૧૭૦૧માં શાહજાદા ઔર ગઝેબે અમદાવાદના શ્રી ચિ'તામણિ પાર્શ્વનાથના દેરાસરની જે કારમી ખેહાલી કરી હતી તેની ઘેરી અસર પણ એમના મન ઉપર પડેલી હતી જ. આ બધાં કારણાને લીધે તેઓની વેધક દૃષ્ટિએ સમયનાં એ એંધાણુ પારખી લીધાં હતાં કે, ભવિષ્યમાં આ ફરમાના તીર્થની સાચવણીમાં ભાગ્યે જ ઉપયેાગી થઈ શકવાનાં છે. અને તીર્થાધિરાજ શત્રુ ંજય તથા તેના યાત્રિકાનું હિત સાચવવાની વૃત્તિ તે એમના રામરામમાં ભરી હતી. એટલે પાલીતાણા રાજ્ય સાથે વિ॰ સ૦ ૧૭૦૭ના રખેાપાના પહેલે કરાર કરીને એમણે પેાતાની આ લાગણીને અમલીરૂપ આપ્યું હતું, એમ કહેવું જોઈએ. ' ૨૦. આ ગ્રંથને શ્રી ગેાપાલ નારાયણુ બહુરાએ કરેલા ‘પશ્વિમી માતાજી યાત્રા ’ નામે હિંદી અનુવાદ જોધપુરના રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન તરફથી, ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા 'ના ગ્રંથાક ૮૦ તરીકે, ઈ॰ સ૦ ૧૯૬૫ની સાલમાં, બહાર પડેલ છે. એની કિંમત રૂ. ૨જી રાખવામાં આવેલ છે. ૨૧. કડ ટાડે પોતાના આ પુસ્તકના પૃ૦ ૨૯૫માં એક ખાસ જાણવા જેવી માહિતી એ આપી છે કે: “ Hema Bhye, a rich banker of Ahmedabad, recently presented a crown of massive gold, studded with large sapphires, valued at a sum equivalent to £3,500." અર્થાત્ કલ ટાડે શ્રી શત્રુ ંજય તીર્થની મુલાકાત લીધી તે અગાઉ, થાડા વખત પહેલાં, અમદાવાદના ધનવાન શરાફ ( નગરશેઠ ) શ્રી હેમાભાઈએ મેટાં મેટાં પન્નાંથી મઢેલા સેાનાના, આશરે ૩૫૦૦ પાઉંડની કિ`મતના, ભારે મુગટ તીર્થને ભેટ ધર્યા હતા. ૨૨. ખંભાતના સાની તેજપાલે કરાવેલ આ દ્વાર સંબંધી જુદા જુદા છંદમાં રચાયેલ સડસડ શ્લાક જેટલા મેાટા શિલાલેખ અત્યારે પણુ સચવાઈ રહેલ છે અને તે દાદાના દેરાસરમાં જતાં રતનપેાળની નીચેના ભાગમાં જમણી તરફ ચેડવામાં આવ્યા છે. આ શિલાલેખમાં સુધર્માસ્વામીથી લઈને તે છેક વિજયસેનસ રિ સુધીની પાટપર પરામાં થયેલ મુખ્ય મુખ્ય આચાર્યની નામાવિલ આપવા ઉપરાંત જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિએ લીધેલી ખાદશાહ અકબરની મુલાકાતના અને તેથી જૈન સ'ધને તથા સામાન્ય પ્રજાને થયેલ લાભના પણ સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યા છે. આ જીર્ણોદ્વાર પછી દાદાના મુખ્ય દેરાસરની પ્રતિષ્ઠા પણુ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના હાથે જ થઈ હતી. ઉપરાંત તેમાં તેજપાલ સેાનીની વવંશપર'પરા પણ આપવામાં આવેલ છે. આ લેખ શ્રી શત્રુંજય તીર્થને લગતા લેખામાં સૌથી મેાટા અથવા તા સૌથી મેાટા લેખમાંના એક કહી શકાય એવા છે; અને તે એક એક પુક્તિમાં ૪૦ થી પુ૰ અક્ષરા ધરાવતી ૮૭ લીટીઓમાં કેતરવામાં આવેલ છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ શેઠ આઠ કહની પેઢીને ઇતિહાસ ૨૩. અહીં એ વાત ખ્યાલમાં રાખવાની છે કે, બાહડ મંત્રીએ કરાવેલ શત્રુંજય તીર્થના ૧૪મા ઉદ્ધાર વખતે મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની નવી મૂતિ ભરાવવી નહોતી પડી, પણ પહેલાંના લાકડાના જિનાલયમાં જે મૂ તિ હતી તેની જ પ્રતિષ્ઠા કરાવી હતી, કારણ કે આ ઉદ્ધાર કઈ જાતની ભાંગફેડને કારણે કરવો નહતો પડયો, પણ લાકડાના મંદિરના સ્થાને પથ્થરનું મંદિર બનાવવા માટે જ કર્યો હતો. ૨૪. ગિરિરાજની જયતલાટીના ઉપરના ભાગમાં બંધાયેલ “ધનવસહીની ટૂક', જે “બાબુના દેરાસર” તરીકે વિખ્યાત બનેલ છે, તેનું વિશાળ અને સુંદર જિનાલય મુર્શિદાબાદનિવાસી રાય ધનપતસિંહજી તથા લખપતસિંહજી–એ બે ભાઈઓએ એમની માતા મહેતાબકુંવરના શ્રેિય નિમિત્તે બંધાવરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા વિસં. ૧૯૫૦ના માહ શુદિ દશમના રોજ કરવામાં આવી હતી. આ ટ્રકની ગણતરી પણ તીર્થાધિરાજના ચાલુ રહેલ વિકાસમાં જ કરી શકાય. પણ, એ વાતને બાજુએ રાખીએ અને, છેલ્લા બેએક દાયકા દરમ્યાન પણ થયેલ વિકાસને વિચાર કરીએ તે, બાબુના દેરાસરની સામે, ૧૦૮ તીર્થોની દેરીઓ સાથે સમવસરણ મંદિરના નામે, બની રહેલ મોટે જિનપ્રાસાદ, ઘેટીની પાગે બનેલ ત્રણ નવાં જિનાલયો વગેરે પણ આ વાતની સાક્ષી પૂરે છે. વળી પાલીતાણું શહેરથી તે તળાટી સુધીના એકાદ માઈલ જેટલા લાંબા માર્ગમાં બનેલ શ્રી કેસરિયાજીનગરનું ભંયરા તથા બે માળવાળું આલિશાન જિનાલય તેમ જ કેટલીક ધર્મશાળાઓ વગેરેમાં બનેલ નાનાં-મોટાં દેરાસરો પણ તીર્થના સતત થઈ રહેલ વિકાસનું જ સૂચન કરે છે. ૨૫. ગિરિરાજ ઉપર વાઘણપોળમાં પેસતાં, ડાબા હાથે, શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર આવે છે, કે જ્યાં યાત્રિકે ચૈત્યવંદન કરે છે, તે પણ વિક્રમની ઓગણીસમી સદીના ઉત્તરાઈમાં (વિ. સં. ૧૮૬૦માં) જ બનેલું છે, વળી વાઘણપોળથી હાથીપેળ સુધીમાં, જમણી તથા ડાબી બને બાજુ, બનેલ સંખ્યાબંધ જિનમંદિરોમાંના મોટા ભાગનાં જિનમંદિરે વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં, અઢારમી સદીમાં, એગણીસમી સદીમાં તથા વીસમી સદીની શરૂઆતમાં સુધ્ધાં બનેલ છે. (જુઓ, શ્રી મધુસૂદન ઢાંકીએ લખેલી “તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ટૂંક પરિચય” નામે પુસ્તિકા, પૃ. -૧૩.) ૨૬. નવ ટૂક ધરાવતા, શ્રી શત્રુંજય ગિરિના બીજા શિખર ઉપર તે પ્રાચીન જૈન સ્થાપત્યે સાવ ગણ્યાંગાંઠાં જ હતાં. આ અંગે શ્રી મધુસૂદન ઢાંકી ઉપર સૂચિત પુસ્તિકામાં લખે છે કે – “ખરતરવસી ટ્રકમાં પ્રવેશતાં શ્રી શાંતિનાથ ભગવાન અને મરુદેવી માતાનાં પ્રાચીન સ્થાને આવે છે. શાંતિનાથ ભગવાનનું વર્તમાન મંદિર તે ચૌદમા શતકનું છે. અને મરુદેવીનું મંદિર પણ વર્તમાન સ્વરૂપે પાશ્તા કાળનું છે. પણ બને સ્થાને ઉલેખ સોલંકીકાલીન સાહિત્યમાં મળતું હોઈ એ મંદિરો અસલમાં વિશેષ પ્રાચીન હોવાં જોઈએ.” (પૃ૦ ૧૪). “મેદીની ટૂકથી નીચે પિસે જેટલાં પગથિયાં ઊતરતાં ખડક પર કંડારેલ “અદભુત આદિનાથ”ની બાર હાથ ઊંચી મૂર્તિ આવે છે. આની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં.૧૬૮૬ (ઈ. સ. ૧૬૩૦)માં ધરમદાસ શેઠે કરાવી છે. આ પ્રતિમાને જિનપ્રભસૂરિએ “પાંડવકારિત ઋષભ” તરીકે અને ચૈત્યપરિપાટીકારોએ “સ્વયંભૂ આદિનાથ', “અદભુત આદિનાથ' વગેરે શબ્દથી ઉલ્લેખ કરેલે હેઈ, તે પ્રાચીન છે” (પૃ. ૧૭). Page #144 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર આદિનાથ ભગવાનની લેકમાં “અદબદનાથ” તરીકે ઓળખાતી આ પ્રતિમા, એની વિશાળતાને કારણે, “અદ્દભુત આદિનાથ”ના નામથી ઓળખાય એ સ્વાભાવિક છે. અને જ્યારે આ પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં. ૧૬૮૬માં થયાનો ઉલ્લેખ મળવા ઉપરાંત, શ્રી જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૮૯માં રચેલ “વિવિધતીર્થ કલ્પ” અંતર્ગન અને વિ૦ સં૦ ૧૩૮૫માં રચેલ “શત્રુંજયતીર્થકલ્પ ”માં પણ આને ઉલેખ મળતો હોય તે, આ પ્રતિમા એના કરતાં પણ પહેલાંના સમયની છે એ નિશ્ચિત થાય છે. અદ્દભુત આદિનાથ” તરીકે ઓળખાતી આ વિશાળ પ્રતિમા શ્રી ઋષભદેવ ભગવાનની જ હોવા છતાં, કર્નલ જેમ્સ ટેડે એમના “ Travels in Western India” નામે પુસ્તક (પૃ૦ ૨૮૮)માં એને “આદિ-બુદ્ધનાથજી” તરીકે ઓળખાવીને એને બૌદ્ધધર્મ સાથે સંબંધ દર્શાવતાં લખ્યું છે કે, “ About half-way up stands the statue of Adi-Budha-Nathji, or the First Divine Budha', of amorphous proportions. ... ... This name affords another proof of the identity of the impersonations of Buddha and the Jineswars; indeed, my authorities recognized no difference between Arbudha and Ad-nath, the First Intelligence and First Divinity, though Europeans have contrived to puzzle themselves on the subject.” અર્થાત “ઉપરના ભાગે અડધું ચડીએ, ત્યાં આદિ-બુદ્ધનનાથજીની એટલે કે “પહેલા દિવ્ય બુદ્ધ ની, સપ્રમાણતા વગરની મૂર્તિ ખડી (બેઠી) છે. ... ... આ નામ બુદ્ધ અને Corautleil Bulqizal (Impersonations ) 2222 314cfal 212241491 (Identity )au બીજો પુરાવો પૂરો પાડે છે. સાચે જ, મારી પાસે જે પુરાવાઓ છે તે, આરબુદ્ધ (કે અરબુદ્ધ, એ જે હોય તે, પણ આ શબ્દને ભાવ સમજાતું નથી; એમાં કંઈ અશુદ્ધિ તે નહીં હોય, એવી શંકા પણ જાગે છે.) અને આદ-નાથ–પ્રથમ બુદ્ધિમત્તા” અને “પ્રથમ દિવ્યતા વચ્ચે કશા ભેદને સ્વીકારવાનો ઇન્કાર કરે છે–જો કે આ વિષયમાં યુરોપિયનેએ એવી શોધ કરી છે કે જેથી તેઓ પોતે જ દુવિધામાં પડી ગયા છે !” (નોંધ-ચેથા પ્રકરણની ૨૭મી પાદનોંધમાં સૂચવ્યા પ્રમાણે, જેમ કર્નલ કેડે કરેલ પાલીતાણા”ને “પલીનું સ્થાન” એ અર્થ આપણે સ્વીકારી શકતા નથી, તે જ રીતે “અદ્ભુત આદિનાથ ” આદિબુદ્ધનનાથજી” એવો જે અર્થ એમણે કર્યો છે અને સાથે સાથે બુદ્ધ અને જિનેશ્વર વચ્ચે એકસરખાપણું હોવાની જે વાત એમણે અહીં કરી છે, તે પણ, વાસ્તવિકતાથી વેગળી હોવાથી, આપણાથી સ્વીકારી શકાય એવી નથી. (ખરી રીતે તે, આવું કથન કરીને તેઓ શું કહેવા માગે છે, તે જ અસંદિગ્ધ અને સ્પષ્ટ રૂપમાં સમજવું મુશ્કેલ લાગે છે.) ૨૭. શ્રી પ્રેમવસી તરીકે જાણીતી આ સાતમી ટૂક બંધાવનાર શ્રેણી શ્રી પ્રેમચંદ લવજી મેદી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ અમદાવાદના હોવાનું શ્રી શત્રુંજય તીર્થને પરિચય લખનાર બધા લેખકેએ સ્વીકાર્યું છે; આમ છતાં કર્નલ જેમ્સ ટોડને તેઓ વડોદરાના રહેવાસી હોવાની માહિતી આપવામાં આવી હોવી જોઈએ, એથી જ એમણે લખ્યું છે કે “We must now quit this shrine, and proceed to the next division of the mount, called, after the rich corn-factor of Baroda, PREM MOODI-CA-TOOK.” –Travels in Western India, p. 280. અર્થાત–“હવે આપણે આ પવિત્ર સ્થાનને છોડીને પર્વતને અન્ય વિભાગ કે જે, વડોદરાના ધનવાન અનાજના આડતિયાના નામ ઉપરથી, પ્રેમ મોદીની ટૂકને નામે ઓળખાય છે, એ તરફ આગળ વધવું જોઈએ.” –ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઈન્ડિયા, પૃ૧ ૨૮૮. શ્રી શત્રુંજય તીર્થની તલાટીમાં ભાતાની શરૂઆત કરવાની પ્રેરણા આપનાર પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ તથા એમની પ્રેરણાને ઝીલીને ભાતું આપવાની શરૂઆત કરનાર રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાના જીવન સંબંધી માહિતી મેળવવા માટે બનતે પ્રયાસ કરતાં, જે ડી માહિતી મળી શકી છે, તે આ પ્રમાણે છે– | મુનિરાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજ મુનિરાજ શ્રી દાનવિમળજીના શિષ્ય અને મુનિરાજ શ્રી દયાવિમળજીના ગુરભાઈ થતા હતા. એમને પંન્યાસ પદવી આપવામાં આવી હતી. તેઓનું આયુષ્ય લગભગ ૮૦ વર્ષ જેટલું દીધું હતું. તેઓશ્રીએ શ્રી શત્રુંજય તીર્થની પવિત્ર છત્રછાયામાં, પાલીતાણું શહેરમાં, કાયમને નિવાસ અથવા વૃદ્ધવાસ કર્યો હતો, એમ લાગે છે. ગિરિરાજ ઉપર ચડતાં, બાબુના દેરાસરની જમણી બાજુ, એક દેરી બનેલી છે; તેમાં સરસ્વતી દેવીની મૂર્તિ પધરાવવામાં આવેલ છે. આ દેરી પન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિમળજી મહારાજના સદુપદેશથી, શ્રાવક ભાઈઓએ, વિ. સં. ૧૮૬૦ની સાલમાં, બનાવરાવી આપી હતી. અને પંન્યાસ શ્રી કલ્યાણવિમળજી મહારાજ હમેશાં એમાં ધ્યાન કરવા બેસતા હતા અને નિત્ય આયંબિલનું તપ કરતા હતા. એમના ઉપદેશથી રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાએ ગિરિરાજના યાત્રિકોને, તલાટીમાં, ભાતું આપવાની શુભ શરૂઆત વિ. સં. ૧૮૮૦ની સાલમાં, માગસર સુદ ૧૩થી, ચણા-મમરાથી, કરી હતી. એટલે ભાત આપવાની આ અતિ અનુમોદનીય તેમ જ અનુકરણીય પ્રવૃત્તિને મંગળ પ્રારંભ થયો, એ વાતને અત્યારે (વિ. સં. ૨૦૩૬ની સાલમાં) દઢસો વર્ષ કરતાં પણ વધુ વખત થ... પંન્યાસ શ્રી કલ્યાણવિમળજી મહારાજ, પાલીતાણામાં, વિ૦ સં૦ ૧૯૧૦ના ફાગણ વદિ આઠમના રોજ, કાળધર્મ પામ્યા હતા. અને વિ. સં. ૧૯૧૨ની સાલમાં, એમના અગ્નિસંસ્કારના સ્થાને સમાધિમંદિરરૂપે દેરી બનાવીને, અને એમાં એમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરીને શ્રીસંઘે એમના પ્રત્યે પિતાની કૃતજ્ઞતાની લાગણી દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમની પાદુકાની સાથે મુનિરાજ શ્રી હર્ષવિમળની પાદુકા પધરાવવામાં આવી છે; તે એમના ગુરુભાઈ થતા હતા. Page #146 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર રાયબાબુ સીતાબચંદજી નાહરના દાદાને નામ વગેરે અંગે માહિતી મેળવવાને પ્રયાસ કરતાં, કેટલીક જાણકારી આ પ્રમાણે મળી છે; બાબૂ શ્રી વિજયસિંહજી નાહર પૂર્વ ભારતના અને કલકત્તાના જૈન સંઘના અત્યારે એક વગદાર અને બાહોશ અગ્રણી ગણાય છે; અને તેઓ આપણે દેશના સક્રિય રાજકારણમાં પણ પૂરો રસ ધરાવે છે. એમના પિતા સદ્ગત બાબું પૂરણચંદજી નાહર જૈન ઇતિહાસ અને પુરાતત્વના અભ્યાસી હતા અને એમણે પુરાતન સામગ્રીને ઘણે મોટો સંગ્રહ કર્યો હતો, અને જૈન શિલાલેખ સંગ્રહના ત્રણ મોટા ગ્રંથનું સંપાદન પણ કર્યું હતું. તેમના પિતાનું નામ બાબૂ સીતાબચંદજી નાહર હતું. બાબુ સીતાબચંદજીના પિતા તે બાબૂ ગુલાબચંદજી નાહર; અને બાબૂ ગુલાબચંદજીના પિતાનું નામ હતું બાબુ ઉત્તમચંદ્રજી નાહર. આ રીતે બાબૂ ઉત્તમચંદજી નાહર બાબૂ સીતાબચંદજી નાહરના દાદા થાય, કે જેમના નામથી શત્રુંજયની તલાટીમાં ભાતું આપવાની શરૂઆત થઈ હતી. આ અંગે બાબૂ શ્રી વિજયસિંહજી નાહરનું કહેવું એવું છે કે, બાબુ ઉત્તમચંદજી નાહર માત્ર સત્તર વર્ષ જેટલી નાની ઉંમરે જ ગુજરી ગયા હતા, અને ગિરિરાજ શત્રુંજયની યાત્રા પણ એમણે ભાગ્યે જ કરી હશે. તેથી આ ભાતાની શરૂઆત એમનાં ધર્માનુરાગી ધર્મપત્ની શ્રી મયાકુંવરે કરાવીને એની સાથે એમના સ્વર્ગસ્થ પતિ બાબુ ઉત્તમચંદજી નાહરનું નામ જોડાવ્યું હોવું જોઈએ. (બાબું ઉત્તમચંદજીના પિતાનું નામ બાબૂ ખગસિંહ હતું. બાબુ ઉત્તમચંદજીના પત્નીએ બાબૂ ગુલાબચંદજી નાહરને અને બાબૂ ગુલાબચંદજીનાં પત્નીએ રાયબાબૂ સીતાપચંદજી નાહરને દત્તક લીધા હતા. આ નાહર કુટુંબનું વતન અજિમગંજ હતું.) આના અનુસંધાનમાં નીચેની હકીકત જાણવી ઉપયોગી થઈ પડશે— (૧) બાબુ ઉત્તમચંદજી નાહરનાં ધર્મપત્ની શ્રી મયાકુંવર અજીમગંજના શ્રી સુમતિનાથ જિનાલયની, વિ. સં. ૧૯૧૩ના વૈશાખ સુદિ પાંચમે, પ્રતિષ્ઠા કરાવી હતી. (૨) એ જ વર્ષમાં, જેઠ વદિ ૧૧ના દિવસે, એમણે ગિરિરાજ શત્રુંજય ઉપર, દાદાના જિનપ્રાસાદના ઉપરના મજલે. જિનપ્રતિમા પધરાવી હતી. આ બંને પ્રતિકાઓના લેખે બાબું પૂરણચંદુજી નાહરના “જૈન લેખ સંગ્રહ”ના પહેલા ભાગના પૃ૦ ૧માં તથા પૃ૦ ૧૬૪માં (લેખ નં. ૬૯૯) છપાયેલ છે. (૩) પાલીતાણામાં જે ધર્મશાળા “ નાહર બિલ્ડિંગ”ના નામથી જાણીતી છે, તે રાયબાબુ સીતાબચંદજી નાહરે ઈસ્વી સન ૧૯૧૧ (વિ. સં. ૧૯૬૭)માં બંધાવી હતી. ૨૯. આ પ્રતિષ્ઠા-મહોત્સવને સવિસ્તર અને સચિત્ર અહેવાલ “તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલા પ્રતિષ્ઠાને અહેવાલ” નામે આ પુસ્તકના લેખકે લખેલ છે; અને તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવેલ છે. તેની કિંમત પંદર રૂપિયા છે. 30. The road from Palithana to the foot of the mount is through an avenue of noble Burr trees, affording a sanctified shade to the vast concourse which flocks to worship (p. 281 ). ... ... We now approached the holy of holies, by a considerable flight of steps, leading through an archway, called the portal of Pundaric, which brought us in front of the shrine of Adnath (p. 284 ). .... Page #147 -------------------------------------------------------------------------- ________________ 400 શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ Although the shrine of Adnath is an imposing edifice, it possesses none of the architectural beauty of the shrines of Aboo, either in form of material. The sanctum is a large square chamber, with a vaulted roof; a SOWA-MUNDUFF, or external vestibul, likewise vaulted. The statue of the god, of colossal size, is of pure white marble, and in the usual sitting, contemplative postur, the hands and legs crossed (p. 285). ... ... On particular festivals, immense bodies of pilgrims pour into the peninsula from every part of India. These congregations are termed SUNGS, and sometimes amount to twenty thousands. (p. 296). -Travels In Western India. 34. Street after street, and square after square extend these shrines of the Jaina faith, with their stately enclosures, half palace, half fortrees, raised in marble magnificence, upon the lonely and majestic mountain, and, like mansions of another world, far removed in upper air from the ordinary tread of mortals. In the dark recesses of each temple, one image or more of Adinatha, of Ajita, or of some other of the Tirthankaras, is seated, whose alabaster features, wearing an expression of listless repose, are rendered dimly visible by the faint light shed from silver lamps; incense perfumes the air, and barefooted, with noiseless tread, upon the polished floors, the female votaries, glittering in scarlet and gold, move round and round in circles, chanting forth their monotonous, but not unmelodious, hymns. Satrunjaya indeed might fitly represent one of the fancied hills of eastern romance, the inhabitants of which have been instantaneously changed into marble, but which fairy hands are ever employed upon, burning perfumes, and keeping all clean and brilliant, while fairy voices haunt the air in these voluptuous praises of the Devas. ... ... Shutroonjye is one of the most ancient and most sacred shrines of the Jain religion. It is described as the first of places of pilgrimage, the bridal hall of those who would marry everlasting rest: like our own sacred Iona, it is not destined to be destroyed even at the end of the world, -Forbes, Ras Mala, Vol. I, pp. 7, 8. Page #148 -------------------------------------------------------------------------- ________________ 904 તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૨) વહીવટ અને વિસ્તાર 32. The fashionable shrine, on which at the present day the greatest amount of wealth is lavished. It is now being covered with new temples and shrines which rival the old buildings not only in splendour, but in the beauty and delicacy of their details, and altogether form one of the most remarkable groups to be found anywhere-the more remarkable, if we consider that the bulk of them were erected within the limits of the present century. To the philosophical student of architecture it is one of the most interesting spots on the face of the globe, inasmuch as he can there see the various processes by which cathedrals were produced in the middle ages, carried on on a larger scale then anywhere else, and in a more natural manner. It is by watching the methods still followed in designing buildings in that remote locality that we become aware how it is that the uncultivated Hindu can rise in architecture to a degree of originality and perfection which has not been attained in Europe since the middle ages. --History of Architecture ( ed. 1867), vol. II, pp. 630, 632. The grouping together of their temples into what may be called “ Cities of Temples” is a peculiarity which the Jains have practised to a greater extent than the followers of any other religion in India. ... Neither of these religions, however, possess such a group of temples, for instance, as that at Satrunjaya, or Palitana. ... ... It is a city of the gods, and meant for them only, and not intended for the use of mortals. ... ... All these peculiarities are found in a more marked degree at Palitana than at almost any other known place, and, fortunately for the student of the style, extending over a considerable period of time. Some of the temples may be as old as the 11th century, but the Moslim invaders of 14th and 15th centuries made sad havoc of all the older shrines, and we have only fragments of a few of them. ... ... Among the Satrunjaya temples there is every variety of form and structure, and a monograph on this group, fully illustrated, would be of great architectural, antiquarian, and mythological interest. ... ... The Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ great temple is an imposing two storeyed building with a lofty spire, and with its base surrounded by many small shrines. -History of Indian and Eastern Architecture, Vol. II, 24-28. 33. The view that presents itself from this point may well arrest the attention. It is magnificent in extent; a splendid setting for the unique picture this work of human toil we have reached. But apart from the poetical exaggeration of this, it is truly a wonderful-a unique place-a city of temples,-for, except a few tanks, there is nothing else within the gates. Through court beyond court the visitor proceeds over smooth pavements of grey chunam, visiting temple after temple-most of them built of stone quarried near Gopnath, but a few of marble;-all elaborately sculptured, and some of striking proportions. And, as he passes along, the glassy-eyed images of pure white marble, seem to peer out at him from hundreds of cloister cells. Such a place is surely without a match in the world: and there is a cleanliness withal about every square and passage, porch and hall, that is itself no mean source of pleasure. The silence too, except at festival seasons, is striking; now and then in the morning you hear a bell for a few seconds, or the beating of a drum for a short a time, and on holidays, chaunts from the larger temples meet your ear, but generally during the after part of the day the only sounds are those of vast flocks of pigeons that rush about spasmodically from the roof of one temple to that of another. Parroquets and squirrels, doves and ringdoves, and peacock are occasionally met with on the outer walls. -Satrunjaya And Its Temples, pp. 18-19. 38. These tops, with the intervening valley, now covered with hundreds of temples of all sizes and designs, might almost be described as a sacred city in mid air. ...... The one thing that removes this collection of temples from others of its kind, as found in the cities of the plains, is the total absence of dwellings of any kind, not only among the temples but anywhere upon the hill. Everyday life, which is so wedded to all collections of sacred buildings ... Page #150 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ર) વહીવટ અને વિસ્તાર ૧૦૩ in and about the towns, is here conspicuous by its absence; and this it is, together with its thoroughly isolated position among the clouds, that at once gives it that charm and mysterious air which is so peculiarly its own. Tennyson might almost have had it in mind when he wrote: And I rodo on and found a mighty hill, And on the top a city walled: the spires Prick'd with incredible pinnacles into heaven.' -Archaeological Survey of India, (Somanatha and other mediaeval Temples in Kathiawad) (Ed. 1931) pp. 73-74. Page #151 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘની પ્રતિનિધિ સંસ્થા છે. એનું નામ કોઈ વ્યક્તિવિશેષના નામ ઉપરથી નથી પડયું, પણ શ્રીસંઘનું નામ અને કામ સદા આનંદકારી અને કલ્યાણકારી જ હોય, એવી ભાવનાને ધ્યાનમાં લઈને, “આનંદ” અને “કલ્યાણ” એ બે શુભસૂચક ભાવાત્મક શબ્દોના જોડાણથી જવામાં આવ્યું છે.' પેઢી સંબંધી માહિતી ધરાવતી સાહિત્યિક તથા બીજી જે કંઈ સામગ્રી અત્યારે ઉપલબ્ધ છે, તે તપાસતાં આવું નામકરણ કોણે, ક્યારે કર્યું હતું, અર્થાત આ નામ કોણે સૂચવ્યું હતું અને ક્યારે સૂચવ્યું હતું અને એની શરૂઆત ક્યા શહેરની શ્રીસંઘની પેઢી તરીકે થઈ હતી, એની આધારભૂત માહિતી મળી શકી નથી. આમ છતાં, આ બાબતમાં કંઈક એવું અનુમાન જરૂર કરી શકાય એમ છે કે, અમુક આચાર્ય મહારાજ કે સાધુમુનિરાજેની ભલામણથી અથવા જૈનપુરી શ્રી રાજનગર-અમદાવાદના શ્રીસંઘના અગ્રણીઓએ અંદરોઅંદર વિચારણા કરીને, અમદાવાદના જૈન સંઘની પેઢીને માટે આવા, સમય જતાં ખૂબ લોકપ્રિય થયેલા, નામનો સ્વીકાર કર્યો છે જોઈએ. આ નામ આશરે અઢીસે વર્ષ જેટલું પ્રાચીન તો છે જ, એમ આધારભૂત રીતે કહી શકાય એવી પુરાવારૂપ સામગ્રી ઉપલબ્ધ થઈ છે, જેને નિર્દેશ આગળ કરવામાં આવશે. આ નામ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં કેટલું લોકપ્રિય થઈ પડ્યું છે, તે બે બાબતો ઉપરથી પણ જાણી શકાય છે. એક તે શ્રીસંઘના હિતને સ્પર્શત કઈ પણ ધાર્મિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે શ્રીસંઘને ખ્યાલ, સૌથી પહેલાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફ જાય છે; અને, મોટે ભાગે, પેઢીની દોરવણી મુજબ જ એ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે–પેઢીએ એની, અઢીસો વર્ષ કરતાં પણ વધુ લાંબા સમયપટને સ્પર્શતી, તીર્થરક્ષા અને સંઘરક્ષાની અખંડ તેમ જ શાણપણ અને દીર્ધદષ્ટિભરી કાર્યવાહીથી શ્રીસંઘના અંતરમાં આવું આદરભર્યું સ્થાન મેળવ્યું છે.' આ નામ શ્રીસંઘમાં વિશેષ આવકારને પાત્ર બન્યું, એને બીજે બોલતે પુરાવો એ છે કે, કેટલાંક શહેરેના સંઘએ, પોતાના સંઘની પેઢીનું, સમસ્ત શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢીની શાખા તરીકે એની સાથે જોડાણ કર્યું નહીં હોવા છતાં, પિતાના શહેરની શ્રીસંઘની પેઢીનું નામ “શેઠ આણંદજી કલ્યાણજીની Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા પેઢી” જ રાખ્યું છે. દાખલા તરીકે, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, વઢવાણ શહેર, જોરાવરનગર, ધ્રાંગધ્રા, લીંબડી, બોટાદ શ્રીસંઘની પેઢીનું નામ તેમ જ ગુજરાતમાં વિરમગામ, ઉપરિ. યાળા તીર્થ વગેરે સ્થાનના સંઘની પેઢીનું અને રાજસ્થાનમાં કાપરડાની પેઢીનું નામ પણ શેઠ આણંદજી કલ્યાણજી જ રાખવામાં આવેલ છે; અને કઈ કઈ સ્થાનના શ્રીસંધની આ નામની પેઢી તો સે-સવા વર્ષ કરતાં પણ વધારે જૂની છે. વળી, કઈ કઈ તીર્થસ્થાનને વહીવટ સંભાળતી પેઢીનું નામ આ આખા નામમાંથી અમુક અંશ લઈને પાડવામાં આવ્યું હોવાના દાખલા પણ મળે છે; જેમ કે, વિખ્યાત આબુ તીર્થનો વહીવટ કરતી પેઢીનું નામ શ્રી કલ્યાણજી પરમાનંદજી અને કચ્છના સુપ્રસિદ્ધ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થનો વહીવટ સંભાળતી પેઢીનું નામ વર્ધમાન કલ્યાણજી રાખવામાં આવ્યું છે. એમ લાગે છે કે, “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામ કેઈક એવા શુભ ચોઘડિયે સૂચવવામાં કે રાખવામાં આવ્યું હતું કે, જેથી એ જેમ લેહચાહનાનું વધુ ને વધુ અધિકારી બન્યું, તેમ શ્રીસંઘના વ્યાપક વહીવટનું પ્રતીક બનવાની સાથે સાથે ચિરસ્મરણીય પણ બની શક્યું. આ નામની શરૂઆત અમદાવાદ શહેરના શ્રીસંઘની પેઢીથી થઈ હોવી જોઈએ અને એ નામ આશરે અઢીસો વર્ષ જેટલું જૂનું છે, એ હકીકત નીચેના આધારેથી પુરવાર થઈ શકે છે– પેઢીએ પિતાનું જે દફતર સાચવી રાખ્યું છે, તેને જંગી કહેવું પડે એટલું વિશાળ છે. આમાં આશરે સાડાત્રણસો વર્ષ જેટલા જૂના દસ્તાવેજોથી લઈને છેક વર્તમાન સમયના દસ્તાવેજોને, હિસાબના અઢી વર્ષ જેટલા જૂના ચોપડાઓને, દઢ વર્ષ જેટલી જૂની ફાઈલોનો અને વહીવટદાર પ્રતિનિધિઓની મીટિગ તથા સ્થાનિક પ્રતિનિધિઓની સભા નાં એક વર્ષ જેટલા જૂના પ્રોસિડિગ (કાર્યવાહી)નાં રજિસ્ટરોનો સમાવેશ થાય છે. વળી આ સામગ્રી જેમ વિપુલ છે, તેમ એની સાચવણી એકંદરે વ્યવસ્થિત કહી શકાય એવી છે. આટલી વિપુલ સામગ્રીને વ્યવસ્થિત રીતે સાચવી રાખવાનું કાર્ય કંઈ જેવું તેવું ન ગણાય. આ દફતર કેટલું વ્યવસ્થિત છે, તે એક જ દાખલા ઉપરથી પણ જાણી શકાય એમ છે. ક્યારેક જરૂર પડી ત્યારે, ગિરિરાજ શત્રુંજય ઉપરની સવા સમજની ચામુખજીની ટૂકને લગતા અમુક હિસાબને વિ. સં. ૧૭૮૭થી તે વિ. સં. ૧૮૯૦ સુધીનો-૧૦૩ વર્ષને-ઉતારો તૈયાર કરવામાં આવ્યો હતો, જે પેઢીના દફતરમાં અત્યારે પણ મોજૂદ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૬ શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ ઉપર સૂચવ્યું તેમ, પેઢી પાસે અઢીસો વર્ષના જે હિસાબી ચોપડા સચવાયેલા છે, તેમાં સૌથી જૂને ચેપડે પાલીતાણાના પોટલા નં. ૧ માં ૧ નંબરને ચે પડે છે; અને તે ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળતી પાલીતાણાની પેઢીને અર્થાત્ કારખાનાને છે, એમ એના ઉપર ચડેલ ચિઠ્ઠી ઉપરથી જાણી શકાય છે. તીર્થસ્થાનને વહીવટ સંભાળતી પેઢીને શ્રીસંઘ મોટે ભાગે, કારખાનાના નામથી ઓળખે છે, તે સુવિદિત છે અને આ પ્રથા આજે પણ ક્યાંક ક્યાંક જોવામાં આવે છે. આ ચેપડે વિ. સં. ૧૭૭૭ તથા ૭૮ ની સાલને રોજમેળ છે; અને એનાં ૭૪ થી ૨૧૩ સુધીનાં પાનાં જ બચ્યાં છે. અને એમાં વિ. સં. ૧૭૭૭ના માહ સુદિ ૧૫ થી વિસં. ૧૭૭૭ના અષાડ સુદિ ૧ સુધીનું તથા પાના ૨૦૫ થી વિ. સં. ૧૯૭૮ ના અષાડ સુદિ ૨ થી (પાના ૨૧૩ સુધીમાં) વિ. સં. ૧૭૭૮ ના અષાડ સુદિ ૯ સુધીનું નામું લખવામાં આવ્યું છે. આ ચોપડામાં નેધ્યા મુજબ, એ વખતમાં, નવું વર્ષ કારતક સુદિ ૧ થી નહીં પણ અષાડ સુદિ બીજથી શરૂ કરવામાં આવતું હતું, એમ જાણવા મળે છે.* આ એક નંબરના પિટલામાં બે નંબરનો ચોપડે વિ. સં. ૧૭૮૧થી ૧૭૮૪ સુધીના આવરાને છે. એમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામે કઈ રકમ જમે કે ઉધાર કરેલી જેવા ન મળી, પણ એ ચેપડા ઉપર, એની ઓળખાણ માટે, જે ચિઠ્ઠી ચાડવામાં આવેલ છે, એના ઉપર ઝીણુ અક્ષરમાં “શેઠ આણંદજી કલ્યાણજી” એવું નામ લખેલું છે. આ અક્ષરે, આ ચેપડામાંના અક્ષરેથી તેમ જ તે વખતના ચાલુ અક્ષરોથી મોડમાં જુદા પડે છે, અને પાછળના સમયના હોય એમ લાગે છે. આમ છતાં આ ચિઠ્ઠીમાંના પેઢીના નામનું સૂચન કરતા લખાણ ઉપરથી તેમ જ ખાસ કરીને ચોપડાઓની વર્ષવાર અને શાખાવાર યાદી જે રજિસ્ટરમાં આપવામાં આવી છે, તે ઉપરથી પણ આ પડે પાલીતાણાને છે એમ નક્કી થઈ શકે છે. સૌથી જૂનો પુરાવો આ પિટલામાંને ૩ નંબરને ચોપડા વિ. સં. ૧૭૮૭ની સાલનો રોજમેળ છે. પણ એનાં ૮૬ થી ૯૭ અને ૧૮ ૬ થી ૧૯૭ સુધીનાં પાનાં જ સચવાયાં છે; તે સિવાય નાં પાનાં ગૂમ થઈ ગયાં છે. પણ આ રીતે અધૂરા સચવાયેલ ચેપડાના ૮૬, ૮૮, ૯૦, ૯૯ તથા ૧૯૪ –એ પાનાંઓમાં “શેઠ આણંદજી કલણ” ના નામે રકમ જમે કે ઉધાર કરેલી જોવામાં આવે છે. આ રીતે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ સૌથી પહેલાં આ ચેપડામાં નેધેલું મળે છે. આ પિોટલામાંને ૪ નંબરને ચોપડે વિસં. ૧૭૮૭ની સાલનો આવરે છે; અને એમાં પણ અનેક પાનાંઓમાં “શેઠ આણંદજી કલાણ”ના નામે રકમ જમે કે - WWW.jainelibrary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણ ધ્રુજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા ૧૦૭ ઉધાર કરવામાં આવી છે. આ આવરાની ખતવણી આ એક નખરના પોટલામાંના સાતમા નંબરના ખાતાવહીના ચેાપડામાં કરવામાં આવી છે. આ સાતમા નંબરના ખાતાવહીના ચાપડાના નવમા પાને એક ખાતું છે, તેને શેઠ આણુદાજી કાલાણુ ખાતુ શ્રી રાજનગરા ’ એવું નામ આપવામાં આવ્યું છે. રાજનગર એ જૈનપુરી અમદાવાદ શહેરનું સૂચન કરતું નામ છે એ જાણીતુ છે; અને આવું નામ પડયું તેની પાછળના ધ્વનિ ‘ શ્રી જૈન શાસનના સ`ઘનું પાટનગર ' એવા કઈક હોય એમ લાગે છે.પ આ સાતમા નખરના ચોપડામાંના આ ખાતા ઉપરથી એટલું નિર્વિવાદપણે નક્કી થાય છે કે, શેઠ આણંદજી કલ્યાણુજીના નામની પેઢી શરૂઆતમાં અમદાવાદમાં કામ કરતી હતી; અને શ્રી શત્રુંજય તીના વહીવટ કરતી પાલીતાણાની પેઢી સાથે એને સંબંધ હતા. જે પાલીતાણાની જેમ અમદાવાદ સંઘના પણ આ વર્ષના હિસાબના ચાપડા મળી શકથા હાત તા, આ ખાખતની વધુ ચાકસાઈ થઈ શકી હોત; પણ એ ચાપડા નથી મળી શકયા તેથી પણ આ હકીકતમાં કશે! ફરક પડતા નથી. ઉપરાંત આ સાતમા નખરના વિ॰ સ’૦ ૧૭૮૭ની ખાતાવહીના ચાપડાના ચેાથે પાને ‘શ્રી રાજનગરા ખાતા શેઠ અકારો કાલાણુ ખાતે ' એ નામનુ એક ખાતુ છે; અને ચાર નંબરના વિ॰ સ’૦ ૧૭૮૭ના આવરામાં જ્યાં જ્યાં આ ખાતાવહીમાં જમે કે ઉધાર કરેલી રકમા જમે કે ઉધાર કરવામાં આવી છે, ત્યાં આ ખાતાનું નામ શ્રી અમદાવાદ શેઠ અકારો કાલાણુ ખાતે ’ એ પ્રમાણે નેાંધવામાં આવ્યુ છે. આ ઉપરથી પણ એ નક્કી થઈ શકે છે કે, ‘રાજનગર' અને ‘અમદાવાદ' એક જ શહેરનાં બીજાના પર્યાય તરીકે પહેલાં પણ એના ઉપયાગ થતા હતા અને નામ છે; અને એકઅત્યારે પણ થાય છે. વળી આ સાતમા નંબરના ખાતાવહીના ચાપડાના ૧૫મા પાને પણ ‘ શેઠ આણુદાજી કાલણુ' નામનું ખાતુ છે. અને એમાં પહેલા નખરના પોટલામાંના છ નબરના વિ૦ સ’૦ ૧૭૮૮ના રાજમેળમાં આ ખાતામાં જમે કે ઉધાર કરેલ રકમા ખતવવામાં આવી છે. વધુ પુરાવા આ એક નખરના પોટલામાંના પાંચ નબરને ચાપડા વિ॰ સ`૦ ૧૭૮૮ તથા ૧૭૮૯ની સાલના આયા છે. આ ચાપડામાં પણુ, કેટલેક ઠેકાણે, શેઠ આણુ ધ્રુજી ક્લ્યાણુજીના નામે રકમેા જમે કે ઉધાર કરવામાં આવી છે; જુએ પાના નંબર ૨, ૪૫, ૫૭-૬૦, ૬૫, ૬૮, ૮૪, ૮૫, ૮૮, ૮૯, ૯૯, ૧૧૩, ૧૪૬, ૧૪૭, ૩૦૯, ૩૫૩, ૪૪૬.૬ આ ઉપરાંત જમે કે ઉધાર કરેલા બીજા કાઈ નામના ખાતાના પેટામાં અથવા એ ખાતાની વિગતમાં પણુ, કેટલેક ઠેકાણે, શેઠ આણુજી કલ્યાણજીની પેઢીનુ નામ મળે છે; જુઓ પાના નંબર ૨૫, ૬૭, ૮૩, ૧૧૯, ૧૩૬, ૧૪૨, ૧૪૩, ૧૪૬, ૧૫૧, ૧૬૩, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ ૧૬૪, ૧૯૮. આમાં ૧૪૯મા પાન, જર્મમાં બીજા ખાતાના પેટમાં પેઢીનું નામ અને ઉધારમાં પેઢીના નામનું ખાતું-એમ બન્ને પ્રકાર જોવા મળે છે. - પાલીતાણાના ચેપડાના બે નંબરના પિટલામાંનો એક નબર પડે વિ. સં. ૧૭૯૧ની સાલને રોજમેળ છે. એમાં પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામે રકમો જમે તથા ઉધાર કરેલી મળે છે. ઉપરાંત, આ ચોપડાના છેલ્લા પાને અમુક કડિયાએ શ્રી શત્રુંજય તીર્થમાં કંઈક કામ કરી આપવાનું રાખેલું, તેના કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીનું, શેઠ મલુકચંદ કસ્તુરચંદનું તથા શા મીઠા વિઠલદાસનું નામ આવે છે. એક સવાલ : આ પિટલામાંનો બે નંબરને ચોપડે વિસં. ૧૭૯૧ના એક નંબરના ચેપડાની ખાતાવહીન છે. એના પહેલા પાને આ ચેપ શ્રી સિદ્ધાચળજીના કારખાનાને હોવાનું લખ્યું છે. આ ચોપડાને ૩૧૫મા પાને “શેઠજી અણદજી કલણજી સુરત શ્રી ” નામના ખાતામાં કેટલીક રકમની નેંધ કરેલી છે. આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, શું સુરતમાં આ નામની પેઢી હશે અથવા અમદાવાદની પેઢીની સુરતમાં શાખા હશે? વળી, પહેલા પિટલામાને ૮ નંબરને ચેપડો વિ. સં. ૧૭૯૦ની ખાતાવહી હોવાનું લખ્યું છે. આ ચોપડામાં પણ ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, એના ૬૬માં પાને એક ખાતું “શેઠ આણંદજી કલણજી” ના નામનું અને બીજું ખાતું “બાબત શ્રી સુરતનું શેઠ આણંદજી કલણ” એ નામનું છે. આ ઉપરથી સહેજે સવાલ થાય છે કે, શું એ વખતે સુરતમાં આ નામની કઈ સંઘની પેઢી હશે? આ સવાલને ખુલાસો મેળવવા સુરત પત્ર લખીને કેટલીક પૂછપરછ કરી હતી, પણ ત્યાંથી કશે ખુલાસે મેળવી શકાયો નથી. પાલીતાણુને વહીવટ કયા નામથી ચાલતો હતો? આ અરસામાં એટલે કે વિક્રમની અઢારમી સદીનાં છેલ્લાં ૨૦-૨૫ વર્ષ દરમિયાન શ્રી શત્રુંજય તીર્થને કારોબાર પાલીતાણામાં કયા નામથી ચાલતું હશે?–એના ખુલાસાપે જે જૂનામાં જૂની માહિતી પેઢીને દફતરમાંથી મળે છે, તે પાલીતાણાના ચોપડાના એક નબરના પિોટલામાં જ સચવાયેલી છે, જે આ પ્રમાણે છે – - આ પિટલામાંનો પાંચમા નંબરનો ચોપડે વિ. સ. ૧૭૮૮ અને ૧૭૮નો આવરો છે. આ ચેપડાને પહેલા પાને આ ચેપડે કોને છે, એ અંગે લખ્યું છે કે-સંવત ૧૭૮૮ના વરખે સરવણ સુદ ૫, વરાશને, શ્રી સીધાચલજીની ચાપડી કરખનની.” વળી એના ૮૫માં પાને, જ્યાં વિ. સં. ૧૭૮૯ની સાલ શરૂ થાય છે ત્યાં પણ, આ ચોપડો કેને છે તે માટે આ પ્રમાણે લખાણ મૂકવામાં આવ્યું છેઃ Page #156 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા ૧૦૮ સ્વાસ્તા શ્રી સંવત ૧૭૮–ા વરખે મતી કરતગ શુદ ૧ વરા શને શ્રી સીધાચળજીના કારખાનાની પડી છે શ્રી રાખવદેવ પરભુજી.” આ પોટલામાંના આઠ નંબરના ચોપડાના ર૭મે પાને વિ. સં. ૧૭૯૦ની સાલ શરૂ થાય છે, તેની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે-“સંવત ૧૭૯૦ના વરખે મતી કરતગ શુદ ૧ વારા શનેઉ શ્રી ગઉતમ સ્વમની લબધ શ્રી રીખવઢવજી પરભુજી શ્રી સીધાચલજીના કારખનની ચોપડી.” પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીના નામની શરૂઆત પાલીતાણામાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળતા કારખાનાની કાર્યવાહી શેઠ આણંદજી કલ્યાણજીના નામથી ક્યારથી શરૂ થઈ તેની તપાસ કરતાં પાલીતાણાના ચેપડાના છ નંબરના પિટલામાંના બે નંબરના વિ. સં. ૧૮૦૫ના રોજમેળના ચોપડાના પહેલે પાને તેમ જ ત્રણ નંબરના વિ. સં. ૧૮૦૫ની ખાતાવહીના ચોપડાના પણ પહેલે પાને ચોપડાની ઓળખને લગતું જે લખાણ આપવામાં આવ્યું છે, તેના ઉપરથી એટલું નક્કી થઈ શકે છે કે, વિ. સં. ૧૮૦૫ની સાલથી પાલીતાણામાં પણ શેઠ આણંદજી કલ્યાણજીનું નામ શરૂ થયું હતું. આ લખાણ આ પ્રમાણે છે: “શ્રી સંવાતા ૧૮૦૫ના કરતગ સુદ ૧ વારા ભુમે આ ચેપડા શ્રી સીધચાલાજીના કારખાનાને છે શેઠજી આણંદજી કલાણાજી મારફતા દેસી સમાતાદાસ માલુકચંદની.” વિ. સં૧૮૦૫ની ખાતાવહીના ત્રણ નંબરના ચેપડાના પહેલે પાને પણ આવું જ લખાણ છે. પાલીતાણાના કારખાનાના ચોપડાઓમાં, અગાઉ જણાવ્યું તે મુજબ, જેમ રાજનગરના શેઠ આણંદજી કલ્યાણજીના નામનું ખાતું જૂનામાં જૂનું વિ. સં. ૧૭૮૭ના ચોપડામાં મળે છે, તેમ પાલીતાણાની પેઢીમાં શેઠ આણંદજી કલ્યાણજીનું નામ શરૂ થયું તેને સૌથી જને પુરા, ઉપર સૂચવેલ વિ. સં. ૧૮૦૫ના ચેપડામાં મળે છે. એટલે અમદાવાદ પછી ૧૮ વર્ષે પાલીતાણુના કારખાનાનો કારોબાર પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી શરૂ થયે હતો એમ જાણી શકાય છે. આ લખાણમાં “મારફત દેસી સમાતાદાસ માલુકચંદ” એમ લખ્યું છે, એનો અર્થ શું સમજ તેને સ્પષ્ટ ખ્યાલ આવતા નથી; સંભવ છે, એ નામ, પેઢીનો વહીવટ જેમની દેખરેખ નીચે ચાલતો હોય એ સદગૃહસ્થનું હેય. આમાં સમાતાદાસ લખ્યું છે તે સુમતિદાસ હશે એમ લાગે છે. વિસં. ૧૮૦૬, ૧૮૦૭, ૧૮૦૮ અને ૧૮૦૯ત્ની સાલના કઈ કઈ ચેપડામાં પણું ઉપર પ્રમાણે (શેઠજી આણંદજી કલ્યાણજી, મારફત સુમતિદાસ મુલકચંદ) નામ લખેલ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પાલીતાણાના ચોપડાના ૧૧મા નંબરના પિટલામાને પહેલા નંબરનો ચોપડો વિ. સં. ૧૮૧૪ની સાલની ખાતાવહી છે. આ ચેપડાના ત્રીજા પાને અમુક વ્યક્તિઓએ પિતાની દુકાન રૂ. પ૦) થી શેઠ આણંદજી કલ્યાણજીની પાસે ગેરે મૂક્યા પેઢીના નામે લખી આપેલ દસ્તાવેજ છે. આ દસ્તાવેજ વિસં. ૧૮૧૫ની સાલન છે. આ દસ્તાવેજ ક્યા ગામને છે તે એમાં નથી લખ્યું; પણ આ ચેપડે પાલીતાણુનો છે, એટલે એવું અનુમાન થઈ શકે કે, આ દસ્તાવેજ પાલીતાણાની કોઈ દુકાનને લગતા હશે. આ ઉપરથી એમ નકકી થઈ શકે છે કે, આ અરસામાં પાલીતાણને વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીના નામથી થવા લાગ્યો હતો. આ અગિયારમાં પોટલામાંના નં. ૧/૧, નં. ૩ અને નં. ૪/૧ના ચોપડાના શરૂઆતના પાને “શ્રી સીધાચલજી કારખાનાના ચોપડે છે. મારફત શેઠ શ્રી આણંદજી કલાણજી લી શાવક નાથુ જીવણદાસ તરફથી ” એવું કંઈક લખ્યું છે. આ નોંધમાં વહીવટ કરનારના નામની આગળ “મારફત” અને પાછળ “તરફથી” એમ બને શબ્દ મૂકેલા છે. અહીં વહીવટ સંભાળનારનું નામ સુમતિદાસ મલુકદના બદલે નાથુ જીવણદાસ કે એને મળતું આપ્યું છે, તેથી એમ લાગે છે કે આ પેઢીને વહીવટ સંભાળનાર જ્યારે બદલાતા હશે ત્યારે એમનું નામ લખવામાં આવતું હશે. પણ પાલીતાણાને (શ્રી શત્રુંજય તીર્થને) વહીવટ સંભાળનાર પેઢીનું આણંદજી કલ્યાણજીનું ખેચે ખું, અર્થાત્ કઈ પણ વ્યક્તિના નામ સાથે “મારફત” કે “તરફ” જેવા ઉલ્લેખ વગરનું, નામ આ પિટલાના ચાર નંબરના ચોપડાના પહેલે પાને લખેલું મળે છે, જે આ પ્રમાણે છે: શંવત ૧૮૧૫ના વરખે, શરાવણ સુદ ૭ વાર ભમે એ ચોપડે ખાતાને શ્રી શીધાચળજીના ભંડાર છે. નામ શેઠજી આણંદજી કલાણજીનું લખાઅ છે શ્રી પાલીતાણે લખે છે.” એ જ રીતે પાલીતાણાના પિટલ ન. ૨૪માના ચાર નંબરના ચોપડામાં, પૂજાના પહેલે પાને, લખ્યું છે કે, “શ્રી પલટણ શેઠશ્રી અણદજી કલાણજીન ચપડો સંવત ૧૮૪૪ કરતગ સુદ ૧ વર શનેઉ”—આ રીતે આ ચેપડામાં પાલીતાણાની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજીનું લખ્યું છે તે સ્પષ્ટ દેખાય છે. આ પોટલામાંના પાંચ નંબરના વિ. સં. ૧૮૪૩ની ખાતાવહીના ચોપડામાં પણ પૂજાના પાને ઉપર પ્રમાણે જ પેઢીનું નામ લખ્યું છે. તારણ પાલીતાણાના ચોપડાઓમાં મળતી માહિતી ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજીની Page #158 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા ૧૧૧ પેઢીના નામ અંગે તારણરૂપ જે નિર્ણય થઈ શકે છે, તે આ પ્રમાણે છે – (૧) પાલીતાણુના વિ. સં. ૧૭૮૭ના ચોપડામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું અમદાવાદનું નામ સૌથી પહેલું મળે છે. (૨) શ્રી શત્રુંજય ગિરિરાજને વહીવટ સંભાળતા પાલીતાણાના શ્રી સિદ્ધાચલજીના કારખાનાને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી ઓળખાવવાની શરૂઆત વિસં. ૧૮૦૫થી એટલે કે પાલીતાણાના ચોપડામાં અમદાવાદની આણંદજી કલ્યાણજીની પિઢીનું નામ જ્યારથી મળે છે, ત્યારથી ૧૮ વર્ષ પછી થઈ; પણ એમાં “મારફત કે તરફ અમુક વ્યક્તિ” એટલે વધારાનો ઉલ્લેખ કરવામાં આવતા હતા. (૩) અને છેવટે, “મારફત કે તરફ અમુક વ્યક્તિ” એવા કોઈ પણ જાતના ઉલ્લેખ વગર, પાલીતાણાને વહીવટ સંભાળનાર સંસ્થાનું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એવું ચોખે-ચોખું નામ, દસ વર્ષ પછી, વિ. સં. ૧૮૧૫ની સાલથી મળે છે. આ પુરાવાને આધારે એમ પણ નકકી કરી શકાય છે કે, અમદાવાદ સંઘની પેઢી શેઠ આણંદજી કલ્યાણજી નામથી વિ. સં. ૧૭૮૭ પહેલાં પણ કામ કરતી હતી. ખરેખર, આ નામ વિ. સં. ૧૭૮૭થી પણ કેટલું જૂનું હશે, એ નક્કી કરવા માટે બીજા સાધનોની જરૂર રહે છે. પણ એવું કંઈ સાધન ન મળી આવે તેય આ નામ અઢીસો વર્ષ જેટલું પ્રાચીન તો છે જ, એ વાત નિર્વિવાદ છે. શ્રી શત્રુંજય મહાતીર્થના ચોપડામાં સચવાયેલા આ પુરાવાઓનું મહત્ત્વ દસ્તાવેજી પુરાવા જેવું જ છે, એમાં શંકા નથી. વળી આ પુરાવાઓ ઉપરાંત બીજા પણ કેટલાક પુરાવાઓ એવા મળે છે કે જે, આ બાબતમાં, નક્કર દસ્તાવેજી પુરાવાઓની ગરજ સારે છે, જે આ પ્રમાણે છે– - બીજા નક્કર પુરાવા શ્રી સિદ્ધાચલજી તીર્થને વહીવટ પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળતી હતી, એને જૂનામાં જૂને દસ્તાવેજી પુરા પાલીતાણાના દસ્તાવેજોમાંના સાત નબરની ફાઈલમાંના બે દસ્તાવેજો રૂપે સચવાયેલ છે. આ બન્ને દસ્તાવેજો પાલીતાણાના દરબાર ગેહેલ ઉન્નડજી તથા કુંવર બાવાજીએ કરી આપ્યા છે, અને બન્નેમાં એમની સહીઓ છે. આમાંને એક દસ્તાવેજ વિ. સં. ૧૮૩૩ને છે અને એની અંદર શેઠ આણંદજી કલ્યાણજીનું નામ છે. અને બીજે દસ્તાવેજ વિ. સં. ૧૮૬ન્ને છે. અને એ શેઠ આણંદજી કલ્યાણજીને લખી આપે છે. આ દસ્તાવેજો શાને લગતા છે તે સમજાતું નથી, પણ આ દસ્તાવેજો ગમે તે બાબતના હોય, પણ અહીં મુખ્ય વાત લગભગ ૨૦૦ વર્ષ કરતાં પણ વધુ જૂના દસ્તાવેજોમાં શેઠ આણંદજી કલ્યાણજીનું નામ નોંધેલું મળે છે, એ છે, Page #159 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ આ ઉપરાંત અહીં આ બાબતમાં બીજા એક દસ્તાવેજને પણ નિર્દેશ કરવા જેવો છે. આ દસ્તાવેજ સને ૧૮૨૧ એટલે કે વિસં. ૧૮૭૮ને છે. તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ આર. ખાનવેલની દરમિયાનગીરીથી જૈન સંઘ અને પાલીતાણાના દરબાર વચ્ચે રખેપાની બાબતમાં એક કરાર થયું હતું, જે રોપાને લગતે બીજો કરાર ગણાતા હતા. આ કરાર મુજબ જૈન સંઘે પાલીતાણાના દરબારને, દસ વર્ષ સુધી, દર વર્ષે રૂ. ૪૫૦) આપવાના હતા. આમાં રૂ. ૪૦૦૦) દરબારના, રૂ. ૨૫૦] રાજગરના અને રૂ. ૨૫૦) ભાટસમસ્તના મળીને રૂ. ૪૫૦૦ નક્કી કર્યા હતા. જેન સંઘની વતી આ કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીને સામેલ કરવામાં આવેલ હતા. કરારની શરૂઆત આ પ્રમાણે થાય છે : “લી. ગોહેલ શ્રી કાંધાજી તા. કુંવર ને ઘણજી જત શેઠ આણંદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણું જત સાવકને સંઘ તથા પરચૂરણ આદમી પાલીતાણે જાત્રાને આવે છે તે ઉપર અમારી રખોપાની લાગત છે.” આ પછી આ કરારની વિગતો આપવામાં આવી છે, પણ એની ચર્ચા અહીં નહીં કરતાં રખોપાના કરારને લગતા દસમાં પ્રકરણમાં કરવામાં આવી છે; અહીં તે એટલું જ જણાવવાનું છે કે, સને ૧૮૨૧ના આ કરારમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પાલીતાણાના રહેવાસી તરીકે નામ આપવામાં આવ્યું છે. આ કરાર વિસં. ૧૮૭૮ના માગસર સુદિ ૧૫, તા. ૯-૧૨-૧૮૨૧ ના રોજ કરવામાં આવ્યો હતો. આ કરારને અંગ્રેજી અનુવાદ “The Palitana Jain Case” નામે અંગ્રેજી પુસ્તકના ૧૧૧-૧૧૨માં પાને અને ગુજરાતી ભાષાને મૂળ આખે કરાર, આ પુસ્તકને ગુજરાતી અનુવાદ પાલીતાણા જૈન પ્રકરણ” નામે બહાર પડે છે, તેમાં આપવામાં આવ્યું છે. આ બંને પુસ્તકે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રગટ કરવામાં આવ્યાં છે. આ કરારને અસલ દસ્તાવેજ તથા, આ કરાર મુજબ, દરબારશ્રીને પૈસાની ચૂકવણી કરવામાં આવી તેની વિ. સં. ૧૯૧૬ની સાલ સુધીની પહોંચ પણ શેઠ આણંદજી કલ્યાણજીના નામની સચવાયેલી છે. પાલીતાણા રાજ્યના દફતરમાંથી મળતી માહિતી શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણું રાજ્યમાં આવેલું હતું અને પાલીતાણા રાય સાથે, એક યા બીજા કારણે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, પત્રવ્યવહારરૂપે, કેઈ મુદ્દા અંગે ફરિયાદરૂપે કે એવી જ કઈ બાબતને કારણે, સતત સંપર્કમાં રહેવું પડતું હતું. એટલે જે જૂના પાલીતાણું રાજ્યનું દફતર જોવા મળી શકે તે એમાંથી પણ પેઢી કેટલી પ્રાચીન છે એના કેટલાક વધુ પુરાવા મળી શકે, પણ હવે એ બનવું અશક્ય નહીં તે પણ અતિ મુશ્કેલ તો છે જ. આમ છતાં, પાલીતાણાના ઠાકોર સાથે છેલ્લે છેલ્લે સને ૧૯૨૬ની Page #160 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા ૧૧૩ સાલમાં રખોપાની રકમનું જે સમાધાન થયું, તે પહેલાં જૈન સંઘની વાત સચોટ રીતે રજૂ કરવા માટે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી, “The Palitana Jain Case” નામે અંગ્રેજીમાં અને પાલીતાણા જૈન પ્રકરણ” નામે ગુજરાતીમાં પ્રગટ કરવામાં આવેલ પુસ્તકમાં જે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તેમાં પાલીતાણા દરબાર તરફથી એક મુદ્દો એ રજૂ કરવામાં આવ્યો હતો કે જે ઉપરથી પાલીતાણા રાજ્યના દફતરમાં વિ. સં. ૧૮૪૧ માં (સને ૧૭૮૫ માં) શેઠ આણંદજી કલ્યાણજીનું ખાતું લખેલું મળે છે. પાલીતાણાના દરબાર તરફથી પિતાને હક સાબિત કરવા માટે જે દાખલાઓ રજૂ કરવામાં આવ્યા હતા, એમાં એક દાખલે આ રીતે ટાંકવામાં આવ્યો હત– આ વાત નીચેની રકમો રજૂ કરીને બતાવે છે. પહેલું જૂના ચોપડામાં દાખલ કરેલી રકમે. * “[ P] સંવત ૧૮૩૫-૧૮૪૬ ની ખરડા ખાતાવહીને પ૮ મે પાને સંવત ૧૮૪૧ (સને ૧૭૮૫) નું આણંદજી કલ્યાણજીનું ખાતું. આ ખાતાને મથાળે “પરતાપગઢ દેવાલીયાના જાત્રાળુ લેકે સંબંધી” એવું લખેલું છે અને ૨૧ દેહેરીઓની જામી ૮૦૦ ઉધારી છે. દેરી ૨૧ ના ચુકાવીને કર્યો છે.” (પાનું ૩૧-૩૨) " જેકે દેરી માટે પિતાને ચૂકવવામાં આવેલ રકમની દરબારશ્રી તરફથી ઉપર મુજબ જે રજૂઆત કરવામાં આવેલી હતી, તે બાબત સાચી નહીં હોવાનું શેઠ આણું. દજી કલ્યાણજીની પેઢી તરફથી, પિતાના જવાબમાં જણાવવામાં આવ્યું હતું; તોપણ, આ બાબતના સાચા-ખેટાપણામાં ઊતર્યા વગર પણ, આ ઉતારા ઉપરથી એટલું તો નકકી થઈ જ શકે છે કે, તે વખતે શેઠ આણંદજી કલ્યાણજીનું નામ પાલીતાણ દરબારના ચેપડામાં પણ સેંધાયેલું મળે છે, જે સને ૧૮૨૧ (વિ. સં. ૧૮૭૮) ના પાના કરારમાંના પેઢીના નામે લેખ કરતાં પણ જૂનું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા પ્રકરણની પાદનોંધા ૧. "The nominal plaintiff is Anandji Kallianji; but this is not the name of any person. It is the fictitious name (signifying joy and prosperity), of a firm, which is managed by the leaders of the Jain community in Western India, and which has been established for many years in order to carry on all matters of business connected with the temples sacred to the Jain Religion on the Shatrunjay Hill.” —E. T. Candy Acting Judicial Assistant to the Political Agent in Kattywar The Palitana Jain Case, p. 1. અર્થાત્ નામમાત્રના વાદી તરીકે આણુ છ કલ્યાણજીનું નામ છે; પરંતુ આ નામ કાઈ વ્યક્તિનું નથી; એ એક પેઢીનુ કલ્પિત નામ છે (એ આનંદ અને આબાદીનું સૂચન કરે છે). એની સ્થાપના, ઘણાં વર્ષ પહેલાં, શત્રુંજય પર્યંત ઉપરનાં જૈન મદિરાના વહીવટને લગતી બધી બાબતાનું સંચાલન કરવા માટે, કરવામાં આવી હતી; અને એને વહીવટ પશ્ચિમ ભારતના જૈન સમાજના અગ્રણીએ સભાળે છે.” —ઈ. ટી. કેન્ડી કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટના એકટીંગ જ્યુડિશિયલ આસિસ્ટન્ટ, ધી પાલીતાણા જૈન પ્રેસ, પૃ૦ ૧. ૨. જ્યારે કાઈ પણ જૈન તીર્થં તેમ જ કાઈ પણ ગામ કે શહેરનું જિનમદિર મુશ્કેલીમાં આવી પડતું, અને એવા વખતે એવી મુશ્કેલીનું નિવારણ કરવાનું કામ જે તે સ્થાનના જૈન સંઘને કપરુ કે પેાતાની શક્તિ બહારનું લાગતું, ત્યારે એનું ધ્યાન, માટે ભાગે, શેઠ આણુ છ કલ્યાણજીની પેઢી તરફ જતું હતું. રાજસ્થાનના આપણા જાણીતા તીર્થં ધાણેરાવની નજીકમાં આવેલ ગઢમેાળ ગામના જિનાલયની આશાતના દૂર કરાવીને અને એના ઉપર આવી પડેલ સંકટનું નિવારણ કરાવીને શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીએ જે રીતે એના જીર્ણોદ્ધાર કરાવી આપ્યા હતા, એ કથા આ વાતની સાક્ષીરૂપ બની રહે એવી છે. આ આખા પ્રસંગ પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે લખેલ “ શાસનસમ્રાટ ' નામે પરમપૂજ્ય આચા મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ચરિત્રમાં ( પૃ૦ ૧૫૦-૧૫૨માં ) વિસ્તારથી આપવામાં આવેલ છે; તે જાણવા જેવા હેાવાથી અહી એને સાર આપવામાં આવે છે— એક દિવસ તેરાપથી મુનિએ ગઢખેાળ એટલું જ નહીં, એમણે મૂતિ અને અને, જાણે આટલું ઓછુ. હાય એમ, વિ॰ સં॰ ૧૯૬૭ની સાલની આ વાત છે. ગામમાં આવ્યા અને ત્યાંના જિનમદિરમાં ઊતર્યા, મૂર્તિ પૂજાનો વિરોધ કરતી વાતા કહેવા માંડી; Page #162 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણુજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા ૧૧૫ મૂર્તિમાં કશી શક્તિ નથી અથવા એ પેાતાને પણ બચાવ કરી શકતી નથી, એ બતાવવા તેઓએ મૂતિ ઉપર ખીલા સુધ્ધાં ઢાકથા ! આ જોઈને ત્યાંના ધર્મશ્રદ્ધાવાન શ્વેતાંબર મૂિ પૂજક ભાઈઓના દુ:ખનેા પાર ન રહ્યો. પણ, એમની સંખ્યા અને શક્તિ ઓછી હાવાથી, તેઓ આવા અધાર્મિક કૃત્યની સામે પણ ન કઈ પગલાં ભરી શકયા, ન વિરાધ ઉઠાવી શકયા ! પણ આ દુર્ધટનાથી એમને એટલા ↑ડા આઘાત લાગ્યા હતા કે, એને માટે કઈક પણ ઇલાજ કર્યા વગર એમને જપ વળે એમ ન હતા. છેવટે એમણે પેાતાના સંધની આ દુ:ખકહાની ઘાણેરાવ વગેરે ગામેાના. જૈન સંઘના અગ્રણીઓને કરી. ધાણેરાવ સંધના અગ્રણીઓને પણ આ વાત ખૂબ અસહ્ય લાગી, એટલે તેઓ ગઢખેાળના સંધના ભાઈઓની સાથે, આ વાતથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને માહિતગાર કરવા તેમ જ આ માટે પૂરતી સહાય મેળવવા, અમદાવાદ આવ્યા અને તરત જ પેઢીના બે અગ્રણીઓ શેઠશ્રી લાલભાઈ ક્લપતભાઈ તથા શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈને મળ્યા. પણ એમની સાથેની વાતચીતથી એમને પૂરતા · સતાષ ન થયા તેથી તેમ જ આ ઘટનાની સામે સત્વર પગલાં ભરવામાં આવે એ આશયથી, એમણે પેાતાના ગામના દેરાસરની વીતકકથા પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને વિસ્તારથી કહી અને આ માટે પૂરતી સહાય કરવા દર્દભરી વિનંતિ કરી. આ ઘટનાની વિગતા સાંભળીને આચાય મહારાજ પણ ક્ષણુભર જાણે સ્તબ્ધ બની ગયા : દેવાધિદેવના દેરાસર ઉપર આ કેવા કારમા સિતમ વરસી ગયા હતા ! એનું નિવારણ કરવાના પ્રયાસ પળનાય વિલંબ વગર શરૂ કરવાને એમણે નિશ્ચય કર્યાં અને રાજસ્થાનથી આવેલા ભાઈઓને એવી હૈયાધારણુ આપી કે જેથી એમનું દુભાયેલુ` ચિત્ત શાતા અનુભવી રહ્યું. પછી આચાર્ય ભગવતે શ્રી લાલભાઈ શેઠ તથા શ્રી મનસુખભાઈ શેઠ સાથે આ ખાખત અંગે, ગંભીરપણે, વિચારણા કરીને આ માટે બાહેાશ અને ધર્મની ઊંડી ધગશવાળા વકીલને મેકલવાની તથા ખીજી પણ એવી પાકી ગાઠવણુ કરી કે, છેવટે આ જિનાલયને ઉદ્ધાર થયા, ગઢમાળના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને પૂરી ન્યાય મળ્યા અને, ગઢમાળ ગામ ઉદયપુર રાજ્યની હકૂમતમાં હેાવાથી, ઉદયપુરના મહારાણા શ્રી કુંતેહસિંહજીએ એવી રાજઆજ્ઞા ફરમાવી કે, કાઈ પણ તેરાપથી શખ્સ મદિરમાં પ્રવેશ કરવા નહીં; તેરાપથી સાધુએ મદિરમાં ઊતરવું નહી. આ હુકમની વિરુદ્ધ જે વર્તશે તે રાજ્યના ગુનેગાર ગણાશે અને તેને સખ્ત નશીયત કરવામાં આવશે.’’ શેઠ આણંદજી કલ્યાણની પેઢીએ જેમ ભૂતકાળમાં જિનમદિર, તીર્થ અને ધર્મની રક્ષાની આવી કામગીરી બજાવી છે, તેમ વર્તમાન કાળમાં પણ આપણા તી, સંધ અને ધર્મી ઉપર આવી પડતા આક્રમણ પ્રસંગે આપણા સંઘનું ધ્યાન મુખ્યત્વે પેઢી તરફ જાય છે; અને આવા સંકટના પ્રસંગે પેઢી તન-મન-ધનથી એનું નિવારણ કરવાના કામમાં લાગી જાય છે અને એમાં જરા પણ કચાશ રહેવા ન પામે એની પૂરી સાવધાની રાખે છે. આ કામ એ એવી અગમચેતી અને ઊંડી સૂઝ-સમજણપૂર્વક જ કરે છે, કે જેથી એને એમાં માટે ભાગે સફળતા જ મળે છે, અને પાછા પડવાને વખત જવલ્લે જ આવે છે, Page #163 -------------------------------------------------------------------------- ________________ ' શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ ઉતારાના મથાળાનું લખાણ આ પ્રમાણે છે– શ્રી પવિત્ર શેત્રુજા ડુંગર ઉપર શ્રી. ચોમુકજીની ટુકમાં સ ૧૭૮૭થી સ. ૧૮૯૦ સુધીમાં રીપેર કામ કરેલ તેનાં ખાતા વગેરે બાબત વાર નીચે મુજબ.” વિ. સં. ૧૭૮૭-૮૮ની સાલના નામની નોંધ આ પ્રમાણે કરેલ છે— - “ખા. પા. પ૦-૫૭. શ્રી. મુકજીની ટુકના નવા દેરા ખાતે પછાપા” આ પછી વિ. સં. ૧૭૯૯ના ખર્ચને જે ઉતારો આપે છે, એની સાથેના લખાણ ઉપરથી એવું જાણવા મળે છે કે, ૧૦૩ વર્ષ જેટલા લાંબા સમયને આ ઉતારો. વિ સં. ૧૮૭૫ની સાલમાં “મેટા કેસ” નામે ઓળખાતા કઈ કેસમાં રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો, જે આ પ્રમાણે છે– સં. ૧૭૯ ખા. પા. ૮. ગોખલા ખાતુ ૭૫૧. આ. પા. ૨૪૧ મેં બઈ મેલી દીવ બંદરની દેરડી. નવી કરાવી ચેમુખજી પાસે તે રકમ સં. ૧૮૭૫નાં મોટા કેસમાં રજુ થયેલ છે તથા. ૧૨૫ આ. પા. ર૭૨મેં જમે કરેલ છે તે ઉપર પણ મોટા કેસમાં રજુ કર્યાની સહી છે.” એ જ રીતે વિસં. ૧૮૧૦ને ઉતારે આ પ્રમાણે લખે છે– . . “સં. ૧૮૧૦ ખા. પા. નથી. સવા સોમજીને મુખ ખાતુ પરચુરણ રકમાં ૨૩૦૧ શ્રી સવા સોમજીના ચેમુખ ખાતે. આ. પા. ૫૯ મેં સં. ૧૮૦૯ના આ શુદ. - ૯ થી સં. ૧૮૧૦ના ફાગણ વદ. ૨ સુંધી કારીગર તથા માલીના ખર્ચના ઉધારેલા છે તે રકમ સં. ૧૮૭૫નાં મોટા કેસમાં રજુ કર્યાની સહી છે. તા. ૧૫૩ આ. પા. ૭૮ મેં સવા સોમજીના મુખ ખતે સલાટ વગેરેની મજુરીનાં ઉધારેલાં છે તે રકમ ઉપર પણ સં. ૧૮૭૫નાં કેસમાં રજુ કર્યાની સહી છે.” - આ રીતે બીજા કેટલાંક વર્ષોની રકમો પણ કેસમાં રજૂ કરવામાં આવ્યાનું લખ્યું છે. તો કેટલાંક વર્ષોની રકમો આ ઉતારામાં લખવામાં આવેલ હોવા છતાં એ કેસમાં રજૂ કરવામાં આવ્યા સંબંધી નોંધ કરવામાં આવી નથી. આ ઉતારે વિ. સં. ૧૭૮૭ થી વિ. સં. ૧૮૯૦ સુધીને હેવાનું એના મથાળે લખેલું હોવા છતાં, આમાં છેલી રકમ વિસં. ૧૮૮૫ની સાલની આ પ્રમાણે ઉતારવામાં આવેલ છે– સં. ૧૮૮૫ ખા. પા. ૧૦૧. શ્રી ચામુખજીના ઉતારાનું તળીયા ખાતું છે. ૧૦૧૧ના મુખજીના ઉતારાના તળીયા ખાતે. બાબતે ચેમુખજી મધે ગોઠીના ઉતારા પાસે તળીયું તેના ખર્ચનાં તે શ્રી કારખાનાં ખાતે ઉધાર.” આ લખાણમાં અમુક અમુક રકમ મેટા કેસમાં રજૂ કર્યાનું લખ્યું છે, તે ઉપરથી એમ લાગે છે કે તે વખતે કોઈ કેસ ઊભે થે હશે. આ કેસ શી બાબતને લગતા હતા. તે જાણી શકાયું નથી. Page #164 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા . ૪. આ ચેપડાના ૨૦૩ પછીના (૨૦૪મા પાનાને અંક લખવો રહી ગયું છે; અને તેની પછી ૨૦૫મું પાનું શરૂ થાય છે, એટલે આ અંક વગરનું પાનું ૨૦૪ જ સમજવાનું છે.) પાનામાં વિસં. ૧૭૭૭ના અષાડ સુદિ ૧નું નામું લખેલું છે. અને તે પછીના ૨૦૫માં પાને, અષાડ સુદિ રને ગુરુવારે વિ. સં. ૧૭૭૮ની સાલ શરૂ થતું હોવાનું લખ્યું છે. આ લખાણ દુર્વાય અને અશુદ્ધ છે, એટલે એને ઉકેલવા પ્રયત્ન કરતાં, એ લખાણ કઈક આ પ્રમાણે હેય એમ લાગે છે– “સાવાતા ૧૭૭૮ના વરખે અસડી સુદ ૨ વાર ગાર, શ્રી ગતામાં સામેની લાભધી, ધાના સાલી ભાદારાના રધી, શ્રી કાવાને સેઠના ભાગ્ય, શ્રી બાહુબાલાની બળા, શ્રી ભરાતા ચાકારાવાધની પાદાવી (... ..લખાણ ઉકલતું નથી)...શ્રી ગડી પારાસાનાથ રખ૦ (... ...નથી ઊકલતું)” અત્યારે પણ કચ્છનું નવું વર્ષ અસાડી બીજે શરૂ થાય છે; ઉપરાંત હિંદુસ્તાનના જુદા જુદા પ્રદેશોમાં નવા વર્ષને પ્રારંભ જુદી જુદી તિથિએ થાય છે, તે જાણીતું છે. આની સાથે સાથે અહીં એ પણ સેંધવું જોઈએ કે, આ જ અરસાના કેટલાક ચોપડામાં નવું વર્ષ, અત્યારની જેમ, કારતક સુદિ એકમે પણ શરૂ થાય છે. દા. ત. પાલીતાણુના ચપડાના પહેલા નંબરના પિટલામાંના પાંચમા નંબરના ચેપડાના ૮૫મે પાને વિ. સં. ૧૭૮૯ની સાલ કારતક સુદિ એકમે શરૂ થતું હોવાનું આ પ્રમાણે લખ્યું છે “°] છે સ્વાસ્તા શ્રી સંવત ૧૭૮ન્ના વરખે મતી કરતગ સુદ ૧ વરા અને શ્રી સીધાચલજીના કારખાનાની ચોપડી છે શ્રી રીખવદવ પરભુજી.” ૫. આ ચોપડાએ ઉપરથી, એક બાબત એ પણ જાણવા મળે છે કે, એ વખતે ચલણી નાણું જામીનું હાવાથી નામામાં જે રકમ જમે કે ઉધાર કરવામાં આવતી તે જામીની સંખ્યાનું સૂચન કરતી. પછી જ્યારે રૂપિયાનું ચલણ શરૂ થયું ત્યારે પણ જ્યાં જ્યાં રૂપિયા જમે કે ઉધાર કરવામાં આવતા ત્યારે, એની વિગતની અંદર જેટલા રૂપિયા લખવામાં આવ્યા હોય તેથી અઢીગણી રકમ જમે કે ઉધાર કરવામાં આવતી. અને અઢી ગણી રકમને આ આંકડો “જામી ”નું સૂચન કરતો. એમ લાગે છે કે, એ વખતે રૂપિયાની સાથે સાથે ચલણ તરીકે “જમી ને. વ્યવહાર વધારે પ્રચલિત હશે. દાખલા તરીકે આ પ્રકરણની ત્રીજી યાદોંધમાં સવા સોમાની ટૂકના ૧૦૩ વર્ષના હિસાબને જે ઉતારાની વાત કરવામાં આવી છે, તેની સાથેના કાગળમાં, વિ. સં. ૧૮૪૩ના હિસાબમાં જમે કરેલ એક રકમનું નામું આ પ્રમાણે નાખવામાં આવ્યું છે ૩૧૨ સા. વિમલચંદ રૂપચંદ સુરતના, ર. પા. ૪૦, ૧૨૫1 સવા સમજીના મુકમાં ખરચવાને આપા છે. હ. ગે. ભગવાનદાસ જીવણદાસને રોકડા આપા છે. ખા. પા. ૩૪. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ આમાં હિસાબની વિગતમાં ૧૨૫ની રકમ લખી છે, તે રૂપિયા સમજવા, અને જમે ૩૧૨ાની રકમ લખી છે તે ૧૨૫ની અઢી ગણુ રકમ જામ સમજવી. આ કાગળમાં બધી રકમનું નામું આ પ્રમાણે જ લખવામાં આવ્યું છે. ઉપરાંત આ ચોપડાએામાંના કેટલાક ચોપડાના મથાળે, જુદા જુદા રાજ્યના ચલણના હુંડિયામણ (Exchange)ને દર પણ નોંધવામાં આવેલો છે. દા. ત. પાલીતાણુના વિ૦ સં. ૧૮૪ની સાલ આસપાસના ચોપડાઓના મથાળે, રૂપિયે, જમી અને બીજા કેઈ નાણાના હડિયામણના દરમાં થતા ફેરફાર તિથિવાર નોંધવામાં આવેલ છે. પણ, આ રીતે જામી અને રૂપિયાના હુંડિયામણના દરમાં દરરોજ થોડો-ઘણે ફેરફાર થતા રહે તે હેવા છતાં, નામું તે ૧ રૂપિયાની રા જામીના હિસાબે જ લખવામાં આવતું હતું. વળી, આ સમયમાં દેવદ્રવ્યની ઊપજ- ખર્ચની રકમ “દેવદ્રવ્ય” કે “ભંડાર ” એ નામના ખાતામાં લખવાને બદલે “દેવકા” નામના ખાતામાં જમેઉધાર કરવામાં આવતી હતી. આ વિકા’ શબ્દમાંના “ક” અક્ષરને હિંદી ભાષાને છઠ્ઠી વિભક્તિને પ્રત્યય ગણીએ તે દેવકા ને અર્થ “દેવનું' એવો થાય, એટલે કે એ ખાતાનું નામ “દેવનું ખાતું' એમ સમજી શકાય. પાછળથી આ ખાતાનું નામું “ભંડાર ખાતું” એ નામે લખવામાં આવેલ પેઢીના ચોપડા ઉપરથી જાણવા મળે છે. ૬. પાનું ૨–ઉધારઃ ૩Jપા શ્રી અણુદજી કલણ પાનું ૪૫–જમે ઃ ૫ સેઠ આણંદજી કલણ પાનું ૬૫–ઉધાર : ૪૧ સેઠ આણંદજી કલયું પાનું ૬૮–જમે ઃ ૨૭ શ્રી અણદજી કલણ પાનું ૧૪૬–ઉધારઃ ૨૩ શ્રી અણદજી કલણ પાનું ૧૪૭–જમે ઃ ગુદા શેઠ આણંદજી ક્ષણના જમે આ નામામાં હું ફક્ત રકમ તથા પેઢીનું નામ જ વાંચી શક્યો છું; તે સિવાય એ કે ઉધાર કરવામાં આવેલ રકમની વિગત મારાથી વાંચી શકાઈ નથી; કારણ કે બેડિયા અક્ષરની લિપિ વાંચવાને મને અભ્યાસ નથી. પણ મારા કામની દષ્ટિએ તે હું પેઢીનું નામ વાંચી શક્ય એટલું જ પૂરતું છે. ૭. પાનું ૮૩–જમેઃ ૨૩૬] શ્રી દેવકા ખાતે જમે એના પેટામાં બીજી રકમ લખી છે, તેમાં– ૭ શ્રી અણછ કલણ પાનું ૧૧૯–જમેઃ રાપ સુખડીઆ રામચંદ (૨) એના પેટમાં બીજી રકમ લખી છે, તેમાં– ૦૧ શ્રી અણદજી કલણ શકાઈ નથી, કારણ મા Page #166 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પ્રાચીનતા પાનું ૧૩૬–ઉધારઃ ૨૧મી છે. શ્રી સલટા અતમારામ રીખવ આની વિગતમાં “રાખા શ્રી અણદજી કલણ” લખ્યું છે. પાનું ૧૪૬–જમેઃ ૨૩ મીઆ અબુ બન મામુજીના જમે એના પેટમાં બીજી રકમ લખી છે, તેમાં– ૬ સેઠજી આણંદજી કલણ ૮. પાનું ૬૧–ઉધારઃ ૧૧ારા શેઠ આણંદજી કલણ પાનું ૧૮૧–જમે : ૨૦ શ્રી અણુદજી કલણના જમે આ કરારનું લખાણ આ પ્રમાણે છે– 1 જા સાવાત ૧૭૮૧ના વાર આ સુદ ૭ વાર શુકરે શેઠ આણદાજી કલાણ તથા મલકચંદ કસ્તુરચંદ તાથા સા. મીઠા વીઠલાદાસ લાખતગ કડીઓ શ્રી આમદાવાલા જતર (૧) શ્રી શાતારજાના કારખના માયા કામ કરવાના આવા તાને માસારે આ સારવા તેના પાસેથી ચુકાવી લીધો છે. પાટલા જેગુ રાધવજી પાસે રહીની (૨) સાખ છે.” આ લખાણ બરાબર ઉકેલી શકાયું નથી. આ માટે જુઓ આની છબી. ૯. “શ્રી શત્રુંજય સૌરભ યાને શ્રી જિન તીર્થ દર્શન” નામે પુસ્તકમાં (પૃ. ૮૯-૯૦માં) પેઢીની શરૂઆત કયારે થઈ તે અંગે લખ્યું છે કે શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીની શરૂઆત ઘણું લાંબા સમયથી ચાલતી આવે છે. લગભગ સોળમા સૈકાથી (અહીં સોળમા સૈકાને બદલે સત્તરમ સંકા જોઈએ.) મંગલ મહાન બાદશાહ અકબરશાહના વખતથી શ્રીમદ્દ તપાગચ્છાધિપતિ વિજયહીરસૂરીશ્વરજી જેનાચાર્યની કૃપા વડે અમદાવાદના નગરશેઠના જ હસ્તકમાં ગુજરાતના પાંચ પહાડો-તીર્થો અને બંગાલમાં સમેતશિખરજી, સોરઠમાં ગીરનારજી તથા શ્રી શત્રુંજય મહાગીરિ આદિ પહાડ જેનેના હાઈ જૈનેને જ સુપ્રત થયા. અને તેના સંરક્ષક તરીકે નગરશેઠ નીમાયા. તે જ વખતે નગરશેઠે સારા સારા ગૃહસ્થની એક કમીટી દ્વારા એક પેઢી સ્થાપી, અને તેમનું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એવું રાખ્યું. તે પેઢીનું કામકાજ અત્યાર લગી સારા અને સંપૂર્ણ કાળજીપૂર્વક ચાલ્યું અને “યથા નામ તથા ગુણ” એ કહેવત મુજબ તે નામ સાર્થક થયું.” આમાં “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામની પેઢીની સ્થાપના નગરશેઠે ( શ્રી શાંતિદાસ ઝવેરીએ) કરી હોવાનું લખ્યું છે, તે શા આધારે લખ્યું છે, તે નોંધવામાં આવ્યું હેત તે, પેઢીની સ્થાપના શ્રી શાંતિદાસ શેઠે, એમના વિ. સં. ૧૭૧૫માં થયેલ સ્વર્ગવાસ પહેલાં, કરી હતી એમ નિશ્ચિતરૂપે, અને પુરાવા સાથે, કહી શકાત. આમ છતાં નગરશેઠ - શ્રી શાંતિદાસ ઝવેરીએ કરેલી જૈન શાસનની પ્રભાવના, રક્ષા અને અનેક પ્રકારની સેવાઓ Page #167 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ જતાં, તેમ જ વિસં. ૧૭૦૭ની સાલમાં પાલીતાણું રાજ્યના, તે વખતે રાજ્યની રાજબધાની ગારિયાધારમાં રહેતા, દરબાર સાથે, જૈન સંઘની વતી, પિતાના તેમ જ અમદાવાદના જ બે વીસા ઓસવાળ ભાઈએ રત્ના અને સુરાના નામથી, ગિરિરાજ શત્રુંજય અને એના યાત્રિકોની સાચવણી માટે, કરેલ રખેપાને પહેલે કરાર જોતાં, અમદાવાદના જૈન સંઘના આગેવાને, અમદાવાદ સંઘની વતી અથવા અમદાવાદ સંધના નામથી, શ્રી શત્રુંજય મહાતીર્થને વહીવટ સંભાળતા હતા એ નિશ્ચિત છે; એટલે આ સંઘે “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી” એ નામથી પિતાને વહીવટ ક્યારથી શરૂ કર્યો એટલું જ ફક્ત નક્કી કરવાનું રહે છે. પણ આ પ્રકરણમાં આપવામાં આવેલ પુરાવા ઉપરથી એટલું તે પુરવાર થઈ જ ગયું છે કે, વિ. સં. ૧૭૮૭ની સાલમાં અમદાવાદ-રાજનગરના જૈન સંઘની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી—એવું હતું જ. એક ભૂલસુધાર . સને ૧૯૬૦માં, ભારત સરકારના કાયદા ખાતાએ હિંદુ ધર્માદા ખાતાંઓની (ધી હિન્દુ રિલિજિયસ એન્ડાઉમેન્ટસની) કામગીરીની તપાસ કરીને એમાં સુધારા સૂચવવા માટે એક કમીશન નીમ્યું હતું. આમાં જૈનોનાં ધર્માદા ખાતાંઓને પણ સમાવેશ કરવામાં આવ્યું હતા. એ કમીશન એક ચેરમેન અને બીજા પાંચ મેબરે એમ છ વ્યક્તિઓનું બનેલું હતું. અને એના ચેરમેનપદે ડો. સી. પી. રામસ્વામી અય્યરની નિમણુક કરવામાં આવી હતી. આ કમીશને પોતાની કામગીરીને જે અહેવાલ સને ૧૯૬૨માં “રિપેર્ટ ઓફ ધી હિંદુ રિલિજિયસ એન્ડાઉમેન્ટસ કમીશન (૧૮૬૦-૧૯૬૨)” નામે તૈયાર કર્યો હતો, તેમાં '(પૃ૦ ૧૦૭માં) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની સ્થાપના ૮૦ કે ૯૦ વર્ષ અગાઉ થઈ હેવાને નિર્દેશ કરતાં લખ્યું હતું કે– “Sheth Anandji Kalianji, Ahmedabad, is a very important Jain institution and it came into existence 80 or 90 years ago." અર્થાત—“અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજી એ એક બહુ જ મહત્ત્વની જૈન સંસ્થા છે; અને એ ૮૦ કે ૯૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હતી.” (એટલે કે પેઢીની સ્થાપના ૮૦ કે ૨૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી.) સને ૧૯૬૦ની સાલથી ૮૦ થી ૯૦ વર્ષ પહેલાંને સમય એટલે ૧૮૮૦ થી ૧૮૯૦ના સમય. આ વર્ષમાં પેઢીની સ્થાપના નહોતી કરવામાં આવી, પણ સને ૧૮૮૦ની સાલમાં. નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈની આગેવાની નીચે, દેશભરના સંઘના પ્રતિનિધિઓની હાજરીમાં, અમદાવાદમાં, કેવળ પેઢીનું કાયદેસરનું બંધારણ જ ઘડવામાં આવ્યું હતું. મતલબ કે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તે તે પહેલાં જ (આશરે દોઢ વર્ષ પહેલાં જ) સ્થપાઈ ચૂકી હતી. આની વિગતે આ પુસ્તકના આ પ્રકરણમાં (પૃ. ૧૦૬ વગેરેમાં) જ વિસ્તારથી આપવામાં આવી છે. આ ઉપરથી જોઈ શકાય છે કે, આ કમીશનના સને ૧૯૬૦-૬૨ના રિપોર્ટમાં પેઢીની સ્થાપના ૮૦ થી ૯૦ વર્ષ પહેલાં થયાનું લખ્યું છે, તે ભૂલ છે. ખરી રીતે એ સમય (સન ૧૮૮૦ની સાલ) પેઢીની સ્થાપનાના વર્ષનું નહીં પણ પેઢીનું પહેલું બંધારણ ઘડાયું તે વર્ષનું જ સૂચન કરે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા આમ જોઈએ તે, પેઢીનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પવિત્ર તીર્થસ્થાને, જિનમંદિર તથા જિનબિંબની સાચવણી કરવાનું, એને લગતાં હક્કોની જાળવણી કરવાનું અને એ માટે સતત જાગ્રત રહેવાનું ગણાય. આથી આગળ વધીને, ટૂંકમાં કહેવું હોય તે, એમ કહી શકાય કે જૈન શાસનનાં સાતે ક્ષેત્રના યોગક્ષેમની રક્ષા માટે નિરંતર જાગ્રત અને પ્રયત્નશીલ રહેવું એ પેઢીની મુખ્ય કામગીરી છે. આ સાત ક્ષેત્ર એટલે પવિત્ર તીર્થસ્થાનો સહિત નાનાં-મોટાં સઘળાં જિનમંદિર, જિનપ્રતિમાઓ, જિનેશ્વરદેવની વાણી (એટલે કે પંચાંગીયુક્ત આપણાં પવિત્ર આગમસૂત્રો તથા બધાં ધર્મશાસ્ત્રો), ઉપરાંત પૂજ્ય શ્રમણ સંઘ, પૂજ્ય શ્રમણીસંઘ, શ્રાવક (શ્રમણોપાસક) સંઘ અને શ્રાવિકા (શ્રમણોપાસિકા) સંઘરૂપ ચતુર્વિધ શ્રીસંઘ. આ સાતે ક્ષેત્રો ઉદ્યોતકર, શક્તિસંપન્ન અને પ્રભાવશાળી હોય તે જૈન શાસનની પ્રભાવના થઈ શકે –આ સાતે ક્ષેત્રની રક્ષા કરવાની ભાવના અને આજ્ઞા પાછળનું મુખ્ય હેતુ આ છે. અને તેથી એની રક્ષાને ધર્મકૃત્ય લેખવામાં આવ્યું છે. એટલે પેઢીની કામગીરીમાં એને આપમેળે જ સમાવેશ થઈ જાય છે. આ દષ્ટિએ પેઢીના કાર્યક્ષેત્રને વિચાર કરીએ તે, સાત ક્ષેત્રોની રક્ષા અને વૃદ્ધિ માટેના દરેક પ્રકારના પ્રયત્નમાં એને સમાવેશ થઈ જતું હોવાથી એ અંગે વિશેષ જાણવાનું કે કહેવાનું ભાગ્યે જ રહે છે. પણ પેઢીના કાર્યક્ષેત્રની અને એની અનેક પ્રકારની કામગીરીની વિગતેનું ધ્યાનથી અવલોકન કરવામાં આવે તે વસ્તુસ્થિતિ આથી કંઈક જુદી જ—એટલે કે પેઢીનું કાર્યક્ષેત્ર બહુ વિસ્તૃત અને વિવિધલક્ષી હતું એમ જ– જાણવા મળે છે. જે પેઢીના કાર્યક્ષેત્રની વિશાળતા અને વિવિધતાને ધ્યાનમાં લઈને કહેવું હોય તે, અતિશયોક્તિને જરા પણ દોષ વહેર્યા વગર, વિના સંકેચે, એમ કહી શકાય કે પેઢીને વહીવટ એક રજવાડાના વહીવટ જે વિશાળ છે, અને એમાં અનેક પ્રકારની અટપટી કામગીરીને સમાવેશ થાય છે. પણ એમાં વિશેષતા એ છે કે, રાજ્યને વહીવટ સત્તાના બળે ચલાવવાનું હોય છે, ત્યારે પેઢી જેવી સંઘની ધાર્મિક સંસ્થાના વહીવટને પાયાને હેતુ ધર્મની રક્ષા અને અભિવૃદ્ધિ કરવાનો હેવાથી, એ વહીવટ સત્તાને કેન્દ્રમાં રાખીને ૧૬ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ નહીં પણ ધર્મભાવના અને પાપભીરુતા અથવા ભવભીરુતાને કેન્દ્રમાં રાખીને, વિવેક, શાણપણ તથા દૂરદેશીપૂર્વક, કરવાનું હોય છે. અને તેથી આવી ધર્મની પેઢીના વહીવટની આધારશિલા પિતાનું તથા બીજાનું-એમ ઉભયનું કલ્યાણ સાધવાની ભાવના જ બની શકે છે. રાજસત્તા અને ધર્મ સત્તા વચ્ચે આ તફાવત પાયાનો કહી શકાય એવો છે. અને તે એના વહીવટ અને વ્યવહારમાં છત થાય તે જ એ વહીવટ પિતાના હેતુને અનુરૂપ થાય છે અને પોતાના હેતુને ન્યાય આપી શકે છે, એમ કહી શકાય. અને જ્યારે પણ ધર્મક્ષેત્રના વહીવટ પાછળની આ ભાવનામાં ઊણપ આવે છે, ત્યારે ધર્મરક્ષા અને -ધર્મપ્રભાવનાના કાર્યમાં પણ ખામી આવ્યા વિના રહેતી નથી. ત્યારે હવે, પેઢીનાં કામે તથા એના કાર્યક્ષેત્રની સવિસ્તર માહિતી આપતી વિગતોમાં ઊતરવાનું આગળ ઉપર રાખી, એની કેટલીક મુખ્ય મુખ્ય વિગતે જોઈએ. જિનમંદિર તથા તીર્થક્ષેત્રો પિઢીનું સૌથી પહેલું કામ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં જિનમંદિરો અને તીર્થક્ષેત્રોની રક્ષા કરવાનું, એના હક્કો સાચવવાનું અને એને વહીવટ સંભાળવાનું છે. આ સાચવણી એવી રીતે કરવાની હોય છે કે, જેથી એ લાંબે વખત ટકી રહે, કઈ પણ કારણે એને કઈ પણ જાતનું નુકસાન થયું હોય તો તરત જ એને સમું કરાવી લેવામાં આવે, અને એને લગતા જે કંઈ હક્કો મળેલા હોય તેનું બરાબર પાલન તથા જતન થતું રહે. વળી, એનો વહીવટ સંભાળવામાં ભાવિક જનોને દર્શન-પૂજનમાં કઈ પણ જાતની તકલીફ ન પડે, બધાં કાર્યો નિયમસર અને કઈ પણ જાતના વિક્ષેપ વગર થતાં રહે અને તીર્થક્ષેત્ર અને જિનમંદિરોમાં દાખલારૂપ સ્વચ્છતા સચવાઈ રહે એવી કામગીરીને પણ સમાવેશ થાય છે. આવા પ્રકારની કામગીરીમાં તીર્થો કે જિનમંદિરોના હક્કોની સાચવણું કરવાનું કામ ખૂબ દૂરંદેશી, કુનેહ અને ધર્મનિષ્ઠા માગી લે એવું હોય છે. સ્વરાજ્ય મળ્યા પહેલાં (સને ૧૯૪૭ પહેલાં) જૈન સંઘનાં અનેક તીર્થો, બ્રિટિશ હકૂમતના પ્રદેશ ઉપરાંત, ( શાસ્તનાં જુદાં જુદાં દેશી રાજ્યોમાં પણ આવેલાં હતાં અને તેને લીધે એવાં રાજ્ય સાથે તિીર્થસ્થાને અથવા યાત્રિકોની સારસંભાળ નિમિત્તે, અવારનવાર, ઘર્ષણમાં ઊતરવાના પ્રસંગો પણ ઊભા થતા રહેતા હતા. આ વખતે પૂરેપૂરી મક્કમતા, સમજ, વિવેક અને મમ્રતાની સાથે નીડરતાથી કામ કરવું પડતું. તેમાંય તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તે વખતે પાલીતાણા રાજ્યમાં હોવાથી, રખે ઉપરાંત બીજાં સંખ્યાબંધ નાનાં-મોટાં અને સાથો-ખેટાં કારણોને આગળ કરીને, પાલીતાણા રાજ્ય તરફથી જેન સંધની અનેક રૂપે કનડગત થતી રહેતી હતી. — Page #170 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ફલેશ કે કનડગતના આવા પ્રસંગોએ તીર્થ અંગેના જૈન સંઘના હકકોની જાળવણી માટે તેમ જ જાત્રાળુઓની રાજ્ય તરફથી કોઈ પણ જાતની પરેશાની ન થાય એ માટે, ભૂતકાળમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જે કામગીરી બજાવવામાં આવી હતી, તે એની દૂરંદેશી, કાર્યકુશળતા અને તીર્થ રક્ષા માટેની ધગશની સાક્ષી પૂરે છે. સ્વરાજય મળ્યા પછી રાજ્યોનું વિલીનીકરણ થયું એટલે દેશી રાજ્ય સાથેનાં ઘર્ષણને તે કોઈ સવાલ રહ્યો જ નહીં, છતાં પણ, કયારેક ક્યારેક, આપણા પ્રાદેશિક રાજ્યો સાથે અને વિશેષ કરીને કેટલાંક તીર્થોની બાબતમાં શ્રી દિગંબર જૈન સંઘ સાથે ઘર્ષણમાં ઊતરવાના પ્રસંગે તો આવતા જ રહે છે. શ્રી સમેતશિખર તીર્થને લગતા આપણા સંઘના હક્કો માટે તે બિહાર સરકાર સાથે પણ પેઢીને સંઘર્ષમાં ઊતરવું પડયું હતું. આવા વખતે આપણી વાતની કાયદેસર રીતે અને સચોટપણે રજૂઆત કરવાનું જરૂરી થઈ પડે છે. તેમાંય શ્રી દિગંબર જૈન સંઘ સાથેના પ્રસંગોમાં તે ઘણી જ તકેદારી અને મક્કમતા રાખવી પડે છે. પિતાના વહીવટ નીચેનાં તીર્થો અને જિનમંદિરનો જીર્ણોદ્ધારનું કામ તે પેઢી સારી રીતે સંભાળે જ છે, ઉપરાંત દેશભરમાંથી જ્યાં જ્યાંયથી પણ પિતાને ત્યાંનાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર માટે સલાહ તથા સહાય માગવામાં આવે છે, તેના ઉપર પણ પેઢી પૂરેપૂરું લક્ષ આપે છે, અને એ માટે લાખો રૂપિયા ખર્ચ પણ છે. એ જ રીતે ખાસ જરૂરિયાતવાળા સ્થળે, શ્રીસંઘની ધર્મભાવનાને ટકાવી રાખવા માટે, નવું જિનમંદિર બનાવવાની જરૂર જણાય તો, તે માટે પણ પેઢી તરફથી જરૂરી માર્ગદર્શન તેમ જ મદદ આપવામાં આવે છે. તીર્થભૂમિની કે જિનમંદિરની આસાતના થાય કે શ્રીસંઘની લાગણી દુભાય એવો કોઈ પ્રસંગ, ક્યાંય પણ, ઊભું થાય છે, એનું સત્વર નિવારણ કરવાનાં પગલાં પણ પેિઢી ભરે છે.* વળી એને, જિનમંદિરે તથા તીર્થસ્થાનમાં, જ્યાં જરૂર હોય ત્યાં, પૂજા માટે કેસર, સુખડ, ફૂલ અને આંગીની સંતોષકારક વ્યવસ્થા કરી આપવી પડે છે, કીમતી આભૂષણે તથા ભારે આંગીઓની સાચવણી માટે તેમ જ એનો સરખી રીતે ઉપયોગ થતો રહે એ માટે ધ્યાન આપવું પડે છે, અને પિતા હસ્તકની જિનપ્રતિમા આપવા માટે નક નક્કી કરે વગેરે કામે પણ કરવાં પડે છે.' જિનમંદિર અને તીર્થક્ષેત્રની સાચવણી તથા વ્યવસ્થાને લગતાં આવાં આવાં અનેક કાર્યો કરવા ઉપરાંત પેઢીએ ધર્મ અને સંઘને સ્પર્શતા અણધાર્યા આવી પડતા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ - શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પ્રશ્નોનો પણ તત્કાળ અને સમુચિત નિકાલ કરતાં રહેવું પડે છે, જે સતત જાગૃતિ અને કાર્યદક્ષતા માગી લે છે. જાત્રાળુઓની વ્યવસ્થા ભાવનાશીલતા અને ધર્મરુચિથી પ્રેરાઈને પવિત્ર તીર્થભૂમિઓની યાત્રા કરવા આવનાર ભાઈઓ-બહેને શાંતિથી રહી શકે, એમને પૂરતું રક્ષણ મળી રહે, એમની કઈ પણ જાતની કનડગત થવા ન પામે અને તેઓ નિરાંતથી તેમ જ ઉલ્લાસથી, નિશ્ચિત પણે, તીર્થયાત્રાને લાભ લઈ શકે એવી એમના રહેવા તથા જમવા વગેરેની વ્યવસ્થા કરવી એ પણ ધર્મનું તેમ જ ધર્મપ્રભાવનાનું જ કાર્ય છે, તેથી પેઢી ધર્મશાળાઓ અને ભોજનશાળાઓનો પિતે પ્રબંધ કરે છે અથવા સાધર્મિક-ભક્તિની ભાવનાથી પ્રેરાઈને બીજાઓ એવી ગોઠવણ કરે એ જુએ છે. તીર્થભૂમિઓમાં યાત્રિકોને માટે, આપણા સંઘ તરફથી, પૂજા-ભક્તિની ઉત્તમ વ્યવસ્થા કરવાની સાથે સાથે ધર્મશાળા અને ભેજનશાળાની જે ગોઠવણ કરવામાં આવે છે, તે આદર્શ અને ઇતર સમાજમાં પ્રશંસાપાત્ર બનેલી છે. એ જ રીતે તીર્થસ્થાનમાં યાત્રિકોને ભાતું આપવાની ગોઠવણ પણ જૈન સંઘની આગવી વિશેષતા ગણાય છે. તેમાંય શ્રી શત્રુંજય તીર્થમાં ભાતું વહેંચવાની શ્રીસંઘનાં ભાઈઓ-બહેનની ઉત્સુકતા તે, જેમ એક બાજુ એમની સહધમી-ભક્તિનું સૂચન કરે છે, તેમ બીજી બાજુ, એ પેઢી ઉપરના એમના ઇતબારને પણ દર્શાવે છે. ચોમાસા સિવાયના વખતમાં જ સેંકડે યાત્રિકે, આ ગેઠવણનો લાભ લે છે, જે યાત્રા કરીને થાકેલ ભાઈઓ-બહેનોને મોટી સહાયરૂપ થાય છે.“ શ્રી ગિરિરાજ શત્રુંજયની તળાટીમાં ભાતું આપવાની શરૂઆત ક્યારથી થઈ એની સવિસ્તર માહિતી પાંચમા પ્રકરણની ૨૮ નંબરની યાદોંધ (પૃ. ૯૮)માં આપવામાં આવી છે. અક્ષયતૃતીયાના પર્વ પ્રસંગે પાલીતાણુમાં વષીતપનાં ૧૨૦૦-૧૫૦૦ તપસ્વીઓ એકસાથે પારણાં કરે, એ માટે પેઢી તરફથી જે ગઠવણ કરવામાં આવે છે, તે પણ એની કાર્યશક્તિ માટે માન ઉપજાવે એવી છે. વળી, શ્રી શત્રુંજય, ગિરનાર જેવા પર્વત ઉપર વસેલાં તીર્થોમાં હજારો યાત્રિકે નહાઈને તીર્થકર ભગવાનની સેવા-પૂજાને લાભ લઈ શકે એવી પૂરતા ગરમ પાણીની ગોઠવણને, દુષ્કાળ જેવા વખતમાં પણ, ચાલુ રાખવી એ કંઈ નાનું-સૂનું કાર્ય ન ગણાય. એ કામ પણ સૌને સંતોષ થાય એ રીતે થતું રહે છે. મતલબ કે, યાત્રાળુઓની દરેક પ્રકારની સગવડ સચવાય, એમની ધર્મભાવનાને પ્રોત્સાહન મળતું રહે અને સાથે સાથે ગિરિરાજની યાત્રાનો લાભ વધુમાં વધુ યાત્રિક Page #172 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૨૫ લેવા પ્રેરાય એનું પેઢી હમેશાં ધ્યાન રાખે છે અને એ માટે જે કંઈ કરવું ઘટે તે સમયસર અને જરૂરી ખર્ચ કરીને કરે છે. જીવદયાનાં કામ આમ તે જીવદયાનાં કાર્યો જૈનધર્મનાં પાયાનાં કાર્યો ગણાય છે, એટલે મૂંગા પ્રાણીઓને જીવ બચાવ અને એના દુઃખ-દર્દનું નિવારણ કરવું, એ જૈન સંઘની અને એણે સ્થાપેલ સંસ્થાઓની પવિત્ર ફરજ ગણાય છે; એટલે પેઢી પણ આવું જીવદયાનું કામ કરે છે એ કહેવાની જરૂર નથી. આવી સંસ્થાઓને શ્રીસંઘમાંથી પૂરતી સહાય મળી રહે છે, તેથી આ કામ આ સંસ્થાઓ તથા પેઢી પૂરા ઉત્સાહથી કરે છે. અને જ્યારથી ભાવનગર રાજ્ય, પાંજરાપોળ સ્થાપીને જીવદયાનાં કામો કરવા માટે, છાપરિયાલી ગામ, એની ગામ અને સીમને લગતી કુલ હકૂમત સાથે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, શરૂઆતમાં વાર્ષિક રૂ. ૨૫૧ ના ઈજારાથી અને વિ. સં. ૧૯૦૮માં ભેટ આપ્યું, ત્યારથી તો પેઢીની જીવદયાને લગતી કામગીરી ઘણું વધી ગઈ છે.૧૦ વિ. સં. ૧૯૦૫ની સાલમાં પેઢીએ ખેડાઢોરના ચરવા માટે જમીન વેચાણ લીધી હતી, તેને દસ્તાવેજ પણ પેઢી પાસે છે.૧૧ આ માટે પાલીતાણામાં પણ પેઢી તરફથી એક પાંજરાપોળ ચલાવવામાં આવે છે.૧૨ અને છાપરિયાળીમાં તો જીવદયાનું કામ ઘણા મોટા પાયા ઉપર સંભાળવામાં આવે છે. અને આ કામ સારી રીતે ચાલતું રહે એ માટે પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવે છે. - આ કામ માટે છાપરિયાળીનું આખું ગામ, એની સીમ સાથે, પેિઢીની હકૂમતમાં હોવાથી એની બેડની ઊપજ પાંજરાપોળને મળે છે અને એની સામે ખેડૂતોને તગાવી આપવાની, બિયારણ પૂરું પાડવાની, દુષ્કાળ જેવા વખતમાં મહેસૂલમાફી કે સહાય આપવાની, ક્યારેક પાણી માટે સવલત કરી આપવાની, ઢોર માટે ઘાસચારે પૂરતા પ્રમાણમાં મળી રહે એવી, તો ક્યારેક તરતનાં જન્મેલાં બકરાં-ઘેટાંની અને કૂકડા-કબૂતર જેવાં પક્ષીઓની સંભાળ રાખવાની અને મરેલાં ઢોરોને જ્યાં દાટવામાં આવે છે, તે ભામનો ઇજાર આપીને પૈસા ઉપજાવવાની–એમ એકાદ નાના સરખા રજવાડાને કરવી પડે એવી અનેક પ્રકારની કામગીરી પેઢીએ બજાવવાની હોય છે. તેમાંય જ્યારે ગુજરાત, કરછ, સૌરાષ્ટ્રમાં વ્યાપક દુષ્કાળ પ્રવર્તે છે, ત્યારે તો પેઢીની આ કામગીરી અને જવાબદારી ખૂબ વધી જાય છે. આ ઉપરાંત માછલાને બચાવવાં, પારેવાને દાણા નાખવા, કૂતરાને રોટલા નાંખવા વગેરે મૂંગા પશુ-પંખીઓને સહાયરૂપ થવાની કરુણા પ્રેરિત પ્રવૃત્તિઓ પણ પેઢીને સંભાળવી પડે છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ આ તીર્થભક્તિ અને તીર્થરક્ષાની કામગીરી બજાવવા ઉપરાંત આ પ્રમાણે એક મોટી પાંજરાપોળ ચલાવીને પ્રાણરક્ષાનાં કામ હમેશાં થતાં રહે એ અંગેની જવાબદારીની બાબતમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અન્ય તીર્થસ્થાનેને વહીવટ સંભાળતી પેઢીઓથી જુદી પડે છે, એ આ હકીક્ત ઉપરથી જોઈ શકાય છે. અથવ્યવસ્થા પેઢીના વહીવટમાં સૌથી જટિલ અને મુશ્કેલ ગણી શકાય એવું કામ છે, એની અર્થવ્યવસ્થાને સંભાળવાનું અને ધર્મબુદ્ધિથી અપાયેલ ધનની સાચવણું કરવાનું. આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તીર્થસ્થાને, જિનમંદિર તથા અન્ય ધર્મ સ્થાનમાં બેલી દ્વારા, ભંડારમાં ના ખવારૂપે, કે ટીપ કે ફાળામાં નોંધાવવામાં આવેલી રકમરૂપે અથવા જ્ઞાન-ખાતામાં, વૈચ્યાવર-ખાતામાં યા સાધારણ-ખાતામાં જે કંઈ નાણાં એકત્ર થાય છે, તે ધર્માનુરાગી સગૃહસ્થ તથા સન્નારીઓ દ્વારા પોતાની ધર્મભાવનાને કૃતાર્થ કરવાની ધર્મબુદ્ધિથી આપવામાં આવેલ હોય છે. એટલે એને વહીવટ પણ એવી ચીવટ, ધર્મબુદ્ધિ તથા પાપભીરુતાપૂર્વક કરવાનું હોય છે કે જેથી એની પાઈએ પાઈ લેખે લાગે એ રીતે વપરાય અને કશું પણ નુકસાન વેઠવાનો વખત ન આવે. આવક લાખો રૂપિયાની હોય, ખર્ચ પણ લાખો રૂપિયાને થતું હોય અને અનેક તીર્થસ્થાનોની કરોડોની સ્થાવર તથા જંગમ મિલકતને વહીવટ સંભાળવાન હોય, ત્યારે એ જવાબદારીને, દેષરહિતપણે, સાંગોપાંગ પૂરી કરવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે, એ તે અનુભવથી જ સમજી શકાય એવી બાબત છે. આ માટે પેઢીએ જે તકેદારી રાખી છે અને વ્યવસ્થા ગોઠવી છે, એ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી અને પિઢીને આર્થિક નુકસાનીના પ્રસંગોમાંથી સર્વથા નહીં તો પણ ઘણા મોટા પ્રમાણમાં મુક્ત રાખે એવી છે. પેઢી પિતાના અર્થતંત્રને આવું નમૂનેદાર અને કાર્યક્ષમ બનાવી શકી છે, તેમાં બે બાબતે ખાસ ધ્યાન ખેંચે એવી છે. એક તો, પોતે નાના કે મેટા જે કોઈ કાર્યની જવાબદારી સ્વીકારી હોય એને આર્થિક ચિંતાથી મુક્ત અને સધ્ધર બનાવવાની અને એમાં ક્યારેય પૈસાનો બગાડ થવા ન પામે એની પૂરી ચીવટ રાખવાની વણિક કેમની સહજ-સુલભ પ્રકૃતિ અને બીજી બાબત છે, એમાં ભળેલી એ ધર્માધનનું પૂરેપૂરું જતન કરવાની ધર્મબુદ્ધિપ્રેરિત જાગૃતિ. શ્રી શત્રુંજય તીર્થના રખોપા નિમિત્તે તે વખતના પાલીતાણા રાજ્યને દર વર્ષે આપવાની રકમને સવાલ હોય કે એવી જ કોઈ બીજી આર્થિક જવાબદારીને પૂરી કર Page #174 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાચ ક્ષેત્રની રૂપરેખા ૧૨૭ વાના અવસર હાય, આવા દરેક પ્રસંગે પેઢી, અગમચેતી વાપરીને, એ જવાબદારી નિયમિત અને વ્યવસ્થિતપણે પૂરી થઈ શકે એ માટે, શ્રીસ`ઘમાંથી જરૂરી ભડાળ એકત્રિત કરી લેતી રહી છે; અને શ્રીસ'ઘ પશુ, પેઢી ઉપરના પૂરા 'તખારને લીધે, પેઢીની આવી ટહેલ, ઉલ્લાસ અને ભક્તિપૂર્વક, પૂરી કરતા રહ્યો છે. જે ાન કે ભેટની પાછળ આવી ધર્મભાવના રહેલી હાય એની સાચવણી માટે પૂરેપૂરી ગેાઠવણુ કરવામાં આવે અને જાગૃતિ રાખવામાં આવે, એમાં શી નવાઈ ? ખરી રીતે, આવુ સુદર અને સુનિશ્ચિત વ્યવસ્થાત ંત્ર જ જનસમૂહમાં વિશ્વાસની લાગણી જન્માવી શકે છે. આ અત'ત્રમાં પહેલું ધ્યાન, જે ધન જે હેતુ માટે મળ્યું હાય, તે એ હેતુ માટે જ વપરાય, એ અંગે રાખવામાં આવે છે. બીજુ, પૈસા નકામા પડથા ન રહે અને સંસ્થાને વ્યાજની ખાદ ન પડે એ રીતે સમયે સમયે એનું રોકાણ કરવામાં આવે છે. અરે, પેઢીને પૈસાની હેરફેરમાં પણ આવક થાય એ માટે પેઢીના ચાપડામાં, છેક જૂના વખતથી, વટાવખાતુ સુધ્ધાં રાખવામાં આવતુ હાવાનુ જાણવા મળે છે. વધારાની મૂડીમાંથી આવક કરવાને હિસાબે, પહેલાંના વખતમાં ગામ, ગરાસ, ઘરખારડાં વગેરે ઉપર પણ નાણાં ધીરવામાં આવ્યાના દાખલા પેઢીના જૂના ચાપડામાંથી મળે છે. અને પબ્લિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ અમલમાં આવ્યા પછી, એના નિયમાને અધીન રહીને જ, નાણાંનું રાકાણ કરવામાં આવે છે, એ તે ખરુ જ; ઉપરાંત સને ૧૯૩૪માં મુંબઈ સરકાર દ્વારા આવા કાયદો (પબ્લિક એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એફૂટ) ઘડાવાની અને એનેા અમલ કરવાની વાત આવી ત્યારે પેઢીએ, એના પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની દૂરંદેશીભરી સલાહને અનુસરીને, તેમ જ કેટલીક વ્યક્તિએની નારાજગી વહારીને પણ, સૌથી પહેલાં, એ વિચારને આવકાર આપ્યા હતા, એ વાત પણ એમ સૂચવે છે કે, કેાઈ પણ જાહેર સસ્થાને આર્થિક વહીવટ સ્વચ્છ હાય એ માટે પેઢી કેવા આગ્રહ ધરાવે છે. પેઢીની મિલકત એ ખરી રીતે શ્રીસ'ધની મિલકત છે; અને શ્રીસંઘની ઉદારતા, દાનવૃત્તિ અને ધબુદ્ધિથી જ એ પેઢી પાસે એકત્રિત થાય છે, એટલે એના વહીવટમાં તેમ જ રોકાણમાં મૂડીને જરા પણ જોખમ ન થાય એનું ખરાખર ધ્યાન રાખવામાં આવે છે. આ દૃષ્ટિએ વિચારતાં પેઢીના કારોબારમાં એ ખાખતા ખાસ આગળ તરી આવે છે. આમાંની એક વાત તેા એ છે કે, કોઈ પણ વ્યક્તિ નાણાંની સલામતીની ગમે તેવી ખાતરી આપે અથવા એ માટે ગમે તેવા અવેજ આપવાની વાત કરે, પણ્ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને એવી બધી વાત પૂરેપૂરી વિશ્વાસપાત્ર લાગે અને નાણાંની પૂરેપૂરી સલામતી લાગે, તે જ એવી ખાતરીવાળી માગણીના સ્વીકાર કરવાનું Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ તેઓ નક્કી કરતા હતા. અને જ્યારે શ્રીસંઘની મૂડીને માટે લેશ પણ જોખમ ખેડવા જેવું લાગે કે બીજી કઈ જાતની મુશ્કેલી ઊભી થવાને લેશ પણ અદેશે આવે છે, એવી સ્થિતિમાં, શેઠ-શાહુકારો અને રાજાઓની સુધા ધિરાણની માગણ નકારી કાઢયાના દાખલા પેઢીના ઈતિહાસમાં જોવા મળે છે, જે પેઢીને માટે ગૌરવ અને બહુમાન ઉપજાવે એવી વાત ગણાય. " અને બીજી વાત છે ધિરાણ એટલે કે વ્યાજે અથવા ઉછીની આપેલી રકમ ડૂબી જવાને અથવા એની વસૂલાત જોખમમાં પડી જવાને જ્યારે પણ ખ્યાલ આવ્યો છે, ત્યારે પેઢીના સંચાલક સામી વ્યક્તિ મટી છે કે નાની અથવા પિતાની સાથે કામ કરનાર છે કે બીજી, એની જરા પણ ખેવના કર્યા વગર તેમ જ એમની શેહ-શરમમાં ખેચાયા વગર, વધુમાં વધુ રકમ વસૂલ થાય અને પેઢીને ઓછામાં ઓછું નુકસાન ભેગવવું પડે, એ માટે દરેક જાતના જરૂરી પગલાં ભરતાં પેઢીના ટ્રસ્ટીઓ સંકેચાયા નથી એ. આવા પણ અનેક પ્રસંગ પેઢીની કાર્યવાહીમાંથી જાણવા મળે છે, જે એની કારકિદીને વિશેષ વિશ્વસનીય, ઉજજવળ અને યશસ્વી સાબિત કરે છે. શ્રીસંઘનાં નાણાંની રખેવાળી માટે રાખવામાં આવતી આટલી બધી તકેદારીનું મુખ્ય અને મોટું કારણ તે, ધર્મના નામે લેકેએ આપેલ ધનની બરાબર સાચવણી કરવામાં જરા પણ બેદરકારી દેખાડવામાં આવે, અને એ ધનને કંઈ પણ જોખમ કે નુકસાન થાય તે, આપણે પિતે પણ પાપના ભાગી થઈએ, એ ભાવના છે. એમ કહેવું જોઈએ કે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, વૈયાવચ્ચ-ફંડ, જીવદયા-ફંડ કે સહધમીભક્તિફંડ જેવા કઈ પણ ખાતામાં એકત્ર થયેલ દ્રવ્ય, જે તે ખાતાના ઉદેશ પ્રમાણે વાપરવાની અને કઈ પણ ખાતાના દ્રવ્યને ગેરઉપગ ન થાય અથવા એ ડૂબી જવા ન પામે, એ માટે શ્રીસંઘમાં જે સાવચેતીની લાગણી પ્રસરેલી છે, તેની પાછળ આવો ધર્મભાવના અને પાપભીરુ વૃત્તિ જ રહેલી છે. આમ છતાં “મૂડીની સાથે હમેશાં જોખમ તે જોડાયેલું હોય જ છે,” એ સામાન્ય નિયમની અસર પેઢીના વહીવટમાં પણ જોવા મળે છે, પણ આવા દાખલા બહુ જ જૂજ બનવા પામે છે.૧૩ - લેકોને વિશ્વાસ પેઢીએ પિતાને નાણાંવ્યવહાર વિશુદ્ધ રાખવાની જે તકેદારી રાખી છે અને જે તંદુરસ્ત પ્રણાલિકા પાડી છે, તેને લીધે જૈન સંઘમાં તેમ જ અન્ય સમાજોમાં પણ એના તરફ કેવી વિશ્વાસની લાગણી ઊભી થઈ છે, તેની પ્રતીતિ નીચેના દાખલાઓ ઉપરથી પણ થઈ શકે છે ' (૧) સને ૧૯૦૪માં વીજાપુરનાં એક બહેને પિતાની એક દુકાન શત્રુંજયની પેઢીને ભેટ આપી હતી.૧૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા Re (૨) સને ૧૯૫૧માં, વડાલીના એક શ્રાવક ભાઈ એ, વિલ કરીને, એના અમલ કરવાની સત્તા શેઠ આણુ દૃજી કલ્યાણજીની પેઢીને આપી હતી.૧૫ (૩) સને ૧૯૫૫માં, જેસલમેરના સાની શ્રી પન્નાલાલજીએ પેાતાનુ' વિલ કર્યુ, તેમાં પેાતાની અડધી મિલકત પાલીતાણાની શેઠ માણુદજી કલ્યાણજીની પેઢીને આપવાનુ લખ્યુ· હતુ. આ વિલ મુજબ પેઢીને રૂ. ૩૩૪૪૯૯૦ પૈસા જેટલી રકમ મળી હતી. બાકીની અડધી રકમ કાલીકમલીવાલા ખાવાજીને આપવાનુ વિલમાં લખ્યું હતું.૧૬ આ ત્રણે વિલના દસ્તાવેજ પેઢી પાસે છે. બીજા પ્રશ્નોના નિકાલ ભૂતકાળમાં યતિએ અને ગારજીઓના પ્રશ્નો અને ઝઘડાઓના સામના કે નિકાલ પેઢીને કરવા પડતા હતા. કયારેક જુદા જુદા ગચ્છા વચ્ચેના પ્રશ્નો પુછુ આવી પડતા હતા.૧૭ ખારોટા સાથે, એમના હુ ખાખતમાં, વિ॰ સ૦ ૨૦૧૮માં (સને ૧૯૬૨માં) કાયમી સમાધાન થવા છતાં, હજી પણ એમને લગતા પ્રશ્નો ઊભા થાય છે.૧૮ તેમ જ કયારેક ડાળીવાળાઓના પ્રશ્નો પણ સામે આવી પડે છે. આ કે આના જેવા ખીજા જે કોઈ પ્રશ્નો કે ઝઘડાએ ઊભા થાય છે ત્યારે, એથી શ્રીસંઘને કઈક ને કઈક પરેશાની ભગવવી પડે છે. આવા વખતે પેઢીએ જ આવી ખાખતાના નિકાલ કરવા પડે છે. પેઢીના કારેાખાર સાચવવા માટે, એની બધી શાખાઓમાં થઈને, માટાનાના હાદારી, કારકૂના, પહેરાવાળા, પટાવાળા, પૂજારીએ અને અન્ય કર્મચારીઓના મળીને આશરે ૭૫૦ માણસાના કાયમી સ્ટાફ નિભાવવામાં આવે છે; એ સિવાય નવા જિનમદિરને ચણાવવા માટે તથા જૂના જિનમદિરના જીર્ણોદ્ધાર માટે, જે તે કામ પૂરતા, જે તે સ્થાને, ફેકવામાં આવતા માણુસા તેા જુદા સમજવા. આટલી માહિતી ઉપરથી પણ પેઢીને વહીવટ કેટલા ખડાળા અને કેટલા વિવિધતાવાળા છે, એને ખ્યાલ આવી શકે છે. એક જાણવા જેવા પ્રસ`ગ ઉપર આપેલ હકીકતના અનુસ ́ધાનમાં એક જાણવા જેવા પ્રસ`ગ અહી. નાંધવા ચિત છે. સને ૧૯૭૦ માં, પાલીતાણા મ્યુનિસિપાલીટીએ, પાલીતાણાની શેઠ આણુજી કલ્યાણજીની પેઢીને એક વેપાર કરતી ધધાદારી પેઢી માનીને, એણે દુકાનધારાના નિયમ મુજબ પાતાની નોંધણી ( રજિસ્ટ્રેશન ) નહી કરાવેલ હાવાથી, કાયદાના ભંગ માટે, પાલીતાણાના ફર્સ્ટ કલાસ ન્યાયાધીશની કોટ માં, પેઢી સામે ફાજદારી દાવા માંડયો હતા. આ દાવાના ફેસલા પેઢીની વિરુદ્ધ આબ્યા અને એમાં પેઢીની પાલીતાણા શાખના મેનેજર શ્રી લાભશકર જેઠાલાલને રૂ. ૪૦૩ના દડની અને ઇડ ન ભરે તેા એક માસની જેલની સખ્ત સજા ફરમાવવામાં આવી હતી, ૧૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ આ ફૈસલાની અસર પેઢીની બધી શાખાઓ ઉપર પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી; અને એમ થાય તેા, પેઢો એક ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટ છે, એ હકીકત પશુ વિવાદાસ્પદ કે ખાટી પુરવાર થવાનો વખત આવે. તેથી પેઢીને માટે તા આ એક સિદ્ધાંતના પ્રાણપ્રશ્ન બની ગયા. એટલે પેઢીએ આ ફેસલાની સામે ભાવનગરની સેશન ફાટમાં અપીલ કરી. ૧૩૦ આ કેસની અધી વિગતા સાંભળીને, એના અભ્યાસ કરતાં, ભાગનગરની સેશન કાના ન્યાયાધીશશ્રીને પાલીતાણાના ન્યાયાધીશના ફેસલા ખોટા લાગ્યા, એટલે આ બાબતમાં એમણે ગુજરાત હાયકાર્ટની સમતિ મેળવવા . આ કેસ ત્યાં માકલી આપ્યા. ગુજરાત હાયકોટના ન્યાચાધીશશ્રીએ, ભાવનગરના સેશન જજના ફૈસલા સાથે સમત થઈ ને, પાલીતાણા મ્યુનિસિપાલીટીના દાવા કાઢી નાખ્યા અને પેઢીના મેનેજર શ્રી લાભશંકરભાઈ ને કરવામાં આવેલી સજા રદ કરી. ગુજરાત હાઈ કૈાટે આ ફૈસલા તા. ૨-૧૨-૧૯૭૨ ના રાજ આપ્યા હતા અને તેથી પેઢી એની કાર્ય વ્યવસ્થાના માળખા ઉપર કાયમી અસર પાડે એવી એક આપત્તિમાંથી ખચી ગઈ હતી.૧૯ વકીલ રાખવાની પ્રથા પેઢીના ઢારામારને એક રજવાડાના કારાખાર જેવા કહેવામાં આવેલ છે, તે વાત એ હકીક્ત ઉપરથી પણ ખ્યાલમાં આવી શકે છે કે, અંગ્રેજી ઝૂમત દરમિયાન, પહેલાંના વખતમાં, કાઠિયાવાડના પાલિટિકલ એજન્ટના મુખ્ય મથક રાજકાટમાં તથા આસિસ્ટંટ પેૉલિટિકલ એજન્ટના મુખ્ય મથક સાનગઢમાં, જેમ કાઠિયાવાડનાં જુદાં જુદાં રજવાડાંઆના ઉતારા તથા કાયદાના સલાહકાર રાખવામાં આવતા હતા તેમ, પેઢીની વતી પણુ ત્યાં એક કાયદાના સલાહકાર રહેતા હતા. સને ૧૯૨૬ ની સાલમાં પાલીતાણા દરબાર અને જૈન સંધ વચ્ચે શ્રી શત્રુંજય તીના રખાપાની રકમ નવેસરથી નક્કી કરવાની બાબતમાં જે માટા ઝઘડા ઊભા થયા હતા, તે વખતે આ ઝઘડાનું સમાધાન જૈન સંઘે કેવી શરતાથી કરવું', એ બાબતમાં માગદશન આપવા શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ વગેરે શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ પરમપૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને વિનતિ કરી હતી. એ ઉપરથી આચાય મહારાજે સમાધાનના જે કાચા મુસદ્દો લખી આપ્યા હતા, તેમાં પેઢી તરફથી કાયમને માટે રાખવામાં આવતા કાયદાના સલાહકાર સંખ'ધી જે માહિતી આપવામાં આવી છે, કે જાણવા જેવી છે. આ માહિતી ( પાના ૪-૬માં) આ પ્રમાણે નોંધાયેલી છે— તે · વળી, નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈના વખતમાં, તે વખતના રાજકોટ પેાલિટિકલ એજન્ટ પાસે તથા સાનગઢના આસિસ્ટફ પોલિટિકલ એજન્ટ પાસે, નગરશેઠ પ્રેમાભાઈ Page #178 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્ય ક્ષેત્રની રૂપરેખા ૧૩૧ હેમાભાઈ, શેઠ આ ×કને એક રાજ્ય તરીકે ઓળખાવવા ખાતર તેમ જ ખીજા અનેક હેતુઓથી, રાજકોટ મથુરાદાસ અને સેાનગઢ વલ્લભદાસને, ખીજા સ્ટેટા જેમ પેાતાના વકીલા રાખતા અને રાખે છે તેમ, વકીલેા રાખતા હતા. અને સાહેબની સવારી જ્યાં ડીસ્ટ્રીક્ટમાં જતી ત્યાં, બીજા રજવાડાઓ તરફથી બીજા સ્ટેટના વકીલાના જેટલા આદરસત્કાર સન્માન થતા તેટલા જ શેઠ આ × કના વકીલેાના થતા. અને પેાલીટીકલ એજન્ટ સ્ટેટના વકીલેને જેટલી ખખા આપતા તેટલી જ શેઠ આ × કના વકીલાને પણ ખખરે આપતા, ટુ‘કાણુમાં, સ્ટેટના વકીલેાના જેટલા દરજ્જા હતા તેટલે જ શેઠ આ × કના વકીલાના પણ હતા. તેથી શેઠ આ × ક એક પાલીતાણા સ્ટેટ જેવુ', જીદ' સ્ટેટ જેવુ જ ગણાતું અને આ પેાઝીશનને લઈને યાદી ॰જ કાયમ આપવામાં આવતી. આ પાઝીશન ન બગડવા માટે નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એ ઠેઠ સુધી ભલામણ કરેલી કે વકીલાને કાઈ દિવસ કાઢવા નહિ. “નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ પછીના કમીટીના મેમ્બરાને તેમ જણાણું કે નગરશેઠ માત્ર પેાતાનું પાઝીશન સાચવવાની ખાતર, શેઠ આ × ૩ના ખર્ચે, આ વકીલા રાખ્યા છે, અને નાહકનુ... આવુ. ખ શેઠ આ × ને કરવાની જરૂર નથી. આવી તેમની ગેરસમજણુને લઈ ને, યા તેા ભાવિ નિરીક્ષણ કરવાની બુદ્ધિની ગેરહાજરીને લઈ ને, યા તા નગરશેઠ ઉપરની અસૂયાને લઈ ને, આ વિગેરેમાંના ગમે તે કારણને લઈ ને, તે વકીલાને કાઢી નાખ્યા. આ બાબતમાં શેઠ લાલભાઈ દલપતભાઈ એ અમારી પાસે બળતરાના પાર રાખ્યા નથી. પણ ભાવી આગળ કોઈના ઉપાય નથી. ભૂલવું ન જોઈએ કે, અમારા સ્મરણ પ્રમાણે, આ વકીલાને નગરશેઠ માત્ર ત્રીશથી પાંત્રીશ રૂપીઆને પગાર આપતા હતા.૨૧ આ ઉપરથી પણ સમજી શકાય છે કે, પેઢીના કારાબાર એક રજવાડા જેટલેા માટા છે. ણિક કામની એટલે કે આપણા મહાજનાની સહજ પ્રકૃતિ પ્રમાણે, જ્યાં જ્યાં પેાતાનાં તીર્થ સ્થાને આવેલાં છે, ત્યાંના શાસકે અને સત્તાધારીઓ સાથે હંમેશાં સારાસારી રાખવાના અને જયારે પણ કાઈ ઘણુના પ્રસંગ ઊભા થાય ત્યારે પણુ, અને ત્યાં સુધી, એને સમાધાનથી નિવેડા લાવવાના યથાશકય પ્રયત્ન પેઢી તરફથી કરવામાં આવે છે; પણ આમ કરવામાં તીથૅનુ' હિત જરા પણ ન જોખમાય એનુ` પૂરેપૂરુ· ધ્યાન રાખવામાં આવે છે; અને તેથી, જરૂર લાગે ત્યારે, મક્કમતાભરેલાં પગલાં પણ, વિના સ‘કાચે, લેવામાં આવે છે.૨૨ આ છે પેઢીના કાર્ય ક્ષેત્રની સામાન્ય રૂપરેખા. Page #179 -------------------------------------------------------------------------- ________________ સાતમા પ્રકરણની પાદનોંધા ૧. પૂર્વ ભારતમાં બિહારમાં આવેલ શ્રી સમ્મેતશિખર પહાડ, જૈન શાસનની વર્તમાન ચેાવીશી ( ચાવીશ તીર્થંકરા )માંથી ૨૦ તીર્થ"કર ભગવ ́તાની નિર્વાણભૂમિ હેાવાથી, પરમ પાવનકારી મહાતીર્થં લેખાય છે. આ પહાડ પાલગંજના રાજાની હુકૂમતમાં આવેલ હતા. મા હુકૂમત સાથે શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક સ`ધને અવારનવાર થતી અથડામણુના નિવારણ અર્થ તેમ જ તી તથા તીના યાત્રિકાના રક્ષણ માટે, સને ૧૮૧૮માં, પાલગંજ રાજ્ય સાથે, વાર્ષીિક રૂ. ૧૫૦૦] આપવાના રખેાપાના કરાર જેવા કરાર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધે કર્યાં હતા. આ પછી ચાલીસ વર્ષ બાદ, સને ૧૯૧૮ની સાલમાં, પાલગંજના રાન્ત પાસેથી, અઢી લાખ રૂપિયામાં, આ પહાડ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ`ધે, ખરીદી લીધેા હતા. અને આ પહાડની ખરીદીને લગતા વેચાણ-દસ્તાવેજ, સમગ્ર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધના પ્રતિનિધિ તરીકે, શેઠ આણુ ંજી કલ્યાણુજીની પેઢીના નામથી—પેઢીના તે વખતના પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈના નામથી—કરવામાં આવ્યા હતા. સને ૧૯૪૭માં આપણા દેશ સ્વતંત્ર થયા પછી, બિહારની સરકારે, સને ૧૯૫૦માં, ધી બિહાર લેન્ડ રિફાર્મ્સ એકટ ” નામે કાયદા ઘડયો હતા; આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, જે જમીનને આ કાયદો લાગુ પાડવામાં આવતા, એના ઉપરના વ્યક્તિગત તથા સંસ્થાગત માલિકી હક્ક નાબૂદ થઈ જતા, અને એ જમીન સરકારના અધિકારમાં આવી જતી. આ જોગવાઈ પ્રમાણે, બિહાર સરકારે, સને ૧૯૫૩માં, એક જાહેરનામુ` પ્રગટ કરીને, શ્રી સમ્મેતશિખરના પહાડને આ કાયદો લાગુ પાડયો. આમ થવાથી એ પરમ પવિત્ર પહાડ ઉપરના શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંધના માલિકી હક્ક નાબૂદ થઈ જતા હતા અને એ બિહાર સરકારના અધિકારમાં આવી જતા હતા. શ્રી સમ્મેતશિખર જેવા પરમ પાવન મહાન તીર્થ અંગે બિહાર સરકારે લીધેલ આ પગલાથી આપણા સમસ્ત શ્રીસંઘે ઘણા મોટા આધાત અનુભવ્યા, પણ આ આધાતથી, વધારે પડતા સ્તબ્ધ બનીને, નિષ્ક્રિય કે નિરાશ થવાને બદલે, એની સામે શેઠ આણુંછ કલ્યાણુજીની પેઢીએ તરત જ કારગત પગલાં ભર્યાં; અને, બાર વર્ષ જેટલા લાંબા વખત સુધી, ધીરજ અને દુરંદેશીપૂર્વક, બિહાર સરકાર સાથે કરવામાં આવેલી અનેક જાતની વાટાઘાટાને અ ંતે, સને ૧૯૬૫ની સાલમાં, બિહાર સરકારે, આ બાબતમાં, આપણા સંધની વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સમાધાનને! એક કરાર કરી આપ્યા. આ પછી શ્રી ગિંબર જૈન સંધે પણુ બિહાર સરકાર પાસે, આ મહાતીર્થ પેાતાના સધને પણ પૂજનીય હાવાની અને એના ઉપર પોતાના અધિકાર હેાવાની વાત રજૂ કરી અને એ સંબંધી વાટાઘાટા કરી. આને પરિણામે બિહાર સરકારે, દિગંબર સધને પણુ, સને ૧૯૬૬ની સાલમાં, સમાધાનના ખીજો કરાર કરી આપ્યા ! Page #180 -------------------------------------------------------------------------- ________________ પિઠીના કાર્યક્ષેત્રની રૂપરેખા આમ થવાથી એટલે કે એક જ બાબત અંગે, જુદા જુદા બે ફિરકાના જૈન સંઘને કરી આપવામાં આવેલ બે કરારના પરિણામરૂપે. બિહાર સરકાર, શ્રી જૈન શ્વેતાંબર મૂતિ. પૂજક સંઘ અને શ્રી દિગંબર જૈન સંઘ વચ્ચે નાના-મોટા ઝઘડાઓ ઊભા થવા પામ્યા છે, અને એના દાવાઓ બિહાર રાજ્યની જુદી જુદી અદાલતમાં અત્યારે પણ ચાલી રહ્યા છે. (શ્રી સમેતશિખર પહાડ સંબંધી રોપાનો કરાર, એ પહાડ વેચાણ લીધાને દસ્તાવિજ અને સને ૧૯૬૫ને કરાર વગેરેની વિશેષ વિગતે આ ગ્રંથમાં આગળ આપવામાં આવવાની હેવાથી અહીં તે એને માત્ર નામોલ્લેખ જ કરવામાં આવેલ છે.) . ૨. પેઢીએ પિતાના વહીવટ નીચેનાં શ્રો રાણકપુર, ગિરનાર, તારંગા, કુંભારિયાજી, મકિસજી, સેરિસા વગેરે તીર્થોમાંનાં કેટલાંક તીર્થોના, પૂરતું ખર્ચ કરીને ઉત્તમ કોટિના એવા નમૂનેદાર જીર્ણોદ્ધાર કરાવ્યા છે કે, જેની વિશ્વવિખ્યાત સ્થપતિઓએ પણ મુક્ત મને પ્રશંસા કરી છે; અને કેટલાંક તીર્થોના જીર્ણોદ્ધારનું કામ અત્યારે પણ ચાલી રહ્યું છે. વળી, પિતાના વહીવટમાં ન હોવા છતાં, શિલ્પ સ્થાપત્યની કળાની દૃષ્ટિએ વિશ્વનાં સ્થાપત્યમાં આગળ પડતું સ્થાન પામી શકે અને જૈન સંસ્કૃતિની કીર્તિગાથા સતત પ્રસારતાં રહે, એવાં આબુ તીર્થનાં પ્રાચીન, સુપ્રસિદ્ધ જિનાલયનાં જીર્ણોદ્ધારની સંપૂર્ણ જવાબદારી પિતે સ્વીકારીને પેઢીએ એ માટે ચૌદ લાખ રૂપિયા જેટલું ખર્ચ કર્યું હતું. આ જીર્ણોદ્વારનું કામ ચૌદ વર્ષ સુધી ચાલ્યું હતું. એ જ રીતે રાજસ્થાનમાં આવેલ એશિયાળ તીર્થનું જિનાલય પણ ઘણું પ્રાચીન અને કળામય છે. એને જીર્ણોદ્ધાર કરાવીને એની પૂરતી સાચવણી થઈ શકે, એ માટે પેઢીએ પાંચ લાખ રૂપિયા કરતાં પણ વધુ રકમની સહાય આપી છે. અને સુપ્રસિદ્ધ કાવી તીર્થના રક્ષણ–ણે દ્ધાર માટે પણ પેઢી તરફથી પણ ત્રણ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. વિ. સં. ૧૯૯૩ની સાલથી જૂના દેરાસરના જીર્ણોદ્ધાર માટે જરૂરી સહાય અને સલાહ આપવાનું તથા પેઢીના મિસ્ત્રી મારફત ખર્ચની આકારણી કરાવી આપવાનું શરૂ કર્યું ત્યારથી વિ. સં. ૨૦૩૬ સુધીનાં ૪૩ વર્ષ દરમ્યાન, ૭૫૨ દેરાસરોને જીર્ણોદ્ધાર માટે, પણ કરોડ રૂપિયા કરતાંય વધુ રકમ (રૂ. ૭૬,૦૮,૯૨૩) મંજૂર કરવામાં આવેલ છે; અને એમાંથી મોટા ભાગની (અડધે કરોડ રૂપિયા કરતાં પણ વધુ) રકમ તે ખરચાઈ પણ ગઈ છે. અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપરના એક યા બીજા જિનપ્રાસાદના તથા ગઢ વગેરેના જીર્ણોદ્ધારનું કામ તે સતત ચાલતું જ રહે છે. તેમાંય દાદાની ટ્રકના જીર્ણોદ્ધાર માટે મૂતિઓનું ઉત્થાપન કરીને એની શિલ્પકલાને પ્રગટ કરીને, એ ટ્રકની શોભામાં જે વધારો કરવામાં આવેલ છે, અને ઉત્થાપન કરેલી પ્રતિમાઓને બિરાજમાન કરવા માટે એ ટૂંકમાં જ પાવન જિનાલયવાળું મને હર જિનમંદિર બનાવવામાં આવ્યું છે, તેની સકેાઈ ઉલાસથી પ્રશંસા કરે છે. અહીં એ જાણવું પણ વિશેષ ઉપયોગી થઈ રહેશે કે, દેશભરનાં જિનમંદિરોના જીર્ણોહારનું કાર્ય સરખી રીતે અને વધારે મોટા પાયા ઉપર થઈ શકે એ આશયથી, વિ. સં. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શેઠ આ કની પેઢીના ઇતિહાસ ૧૯૯૨ની સાલમાં, અમદાવાદમાં, “ શ્રી અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમીટી અને ક્રૂડ ” નામે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનુ કાર્યાલય શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢી, અમદાવાદમાં જ રાખવામાં આવ્યુ છે, એટલે એના દ્વારા થતી તથા પેઢી દ્વારા થતી [દ્ધારની કામગીરીને એકબીજાની પૂરક ગણવી જોઈએ. આ સંસ્થાએ પણુ, વિ સં॰ ૨૦૩૬ની સાલ સુધીનાં (તા. ૩૦-૬-૧૯૮૦ના રાજ પૂરા થતા વર્ષ સુધીનાં) ૪૪ વર્ષ જેટલા સમય દરમ્યાન, ૪૪૩ જેટલાં દેરાસરાના દ્ઘિાર માટે ૩૭–૩૮ લાખ રૂપિયા (રૂ. ૩૭,૭૮,૪૬૨) જેટલી મેાટી રકમ મંજૂર કરી હતી; અને એમાંની રૂ. ૩૬,૫૪,૯૬૨ જેટલી રકમ તા ચુકવાઈ પણ ગઈ છે. આ બધી હકીકત ઉપરથી એ સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે, દેશભરનાં જિનાલયામાંથી, જેના જીર્ણોદ્ધાર કરવાની જરૂર હાય અને એ માટે જે તે સ્થાનના સંધ તરફથી માગણી કરવામાં આવે, એને જરૂરી સહાય તથા માર્ગદર્શન આપીને એની સાચવણી કરવા માટે પેઢી કેટલી ચિ'તા સેવે છે, અને એ દિશામાં કેવી પ્રવૃત્તિ પણ કરતી રહે છે. 3. પાંચ-છ વર્ષોં પહેલાં પેઢી તરફથી મુખ્યત્વે તીર્થસ્થાના તથા દેરાસરાના ઓૢદ્વાર માટે જ સહાય આપવામાં આવતી હતી. પણ જ્યારે પેઢીનું ધ્યાન એ હકીકત તરફ ગયું કે, મોટાં શહેરાના વિસ્તાર, કા-આપરેટિવ હાઉસિંગ સેાસાયટીઆરૂપે તથા સ્વતંત્ર મકાના-બંગલાઓ કે ફલેટાના બાંધકામરૂપે, ઝડપથી વધવા લાગ્યા છે, અને એમાં જૈનાના વસવાટ નોંધપાત્ર પ્રમાણમાં થવા લાગ્યા છે એટલું જ નહી, કેટલાંક સ્થાનેા તા જૈનાની વસાહતા જેવાં બની ગયાં છે તેથી, એમની ધર્મ શ્રદ્ધાને ટકાવી રાખવાના તથા વધારવાના મુખ્ય આલંબનરૂપે, પરિસ્થિતિને અનુરૂપ, નાનાં કે મેટાં જિનમંદિરની સ્થાપના કરવાનું બહુ જરૂરી બની ગયુ છે, ત્યારે પેઢીએ, વિસ૦ ૨૦૩૨ની સાલથી, નવા જિનમ દિા માટે પૂરક સહાય આપવાની પણ શરૂઆત કરી છે. આ રીતે, વિસ...૦ ૨૦૩૬ની આખર સુધીમાં, પાંચ વર્ષ દરમ્યાન, ૨૪ નવાં જિનમદિરા માટે રૂ. ૫,૫૬,૦૦૦ની સહાય આપી છે. નવા જિનમ ંદિર માટે સહાય આપવા માટે પેઢીએ નક્કી કરેલ ધેારણ કે નિયમ આ પ્રમાણે છે : જે નવું જિનાલય બંધાવવાનું અંદાજી ખર્ચ, પહેલાં બે લાખ રૂપિયા જેટલુ' અને હવે પાંચ લાખ રૂપિયા જેટલું હાય, એને, કામના હિસાબે, વધુમાં વધુ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવી. ૪. શ્રી સમ્મેતશિખર તીના પહાડ પાલગંજના રાજા પાસેથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધે વેચાણ લીધે! તે પહેલાં, સને ૧૮૯૧માં, આ પહાડના કેટલાક ભાગ ઉપર એક ચરબીનું કારખાનું બાંધવા માટેના પરવાને, પાલગંજના રાન્ન પાસેથી, ખેાડમ (Boddam) નામના અંગ્રેજે મેળવ્યા હતા. એ કારખાનામાં ચરખી બનાવવા માટે ભૂડાની કતલ કરવામાં આવનાર હતી. જે પહાડ ઉપર જૈનધર્મના વીસ તીથંકરા, સખ્યાબંધ શ્રમણુ ભગવંતા સાથે, નિર્વાણ પામ્યા હતા, એના એક એક અંશ જૈન સ`ઘને માટે પવિત્ર હતા; એટલે ત્યાં ચરખી તૈયાર કરવાનું કારખાનું ( ખરી રીતે ભૂડાની હત્યા કરવા માટેનુ` કતલખાનું) બનવાના સમાચારથી જૈન સંધને અસહ્યુ આધાત લાગ્યો અને શ્રીસ ધમાં ભારે ખળભળાટ ઊભા થઈ ગયા. મુંબઈના શ્રી જૈન એસેસીએશન ઓફ ઇન્ડિયાએ આની સામે જરૂરી Page #182 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૩૫ કાર્યવાહી કરવાને સત્વરે નિર્ણય કર્યો અને એની જવાબદારી સંસ્થાના માનદમંત્રી સ્વનામધન્ય શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધીને સેંપી. એમણે. આદર્શ અને ઊંડી ધર્મશ્રદ્ધા અને ધર્મબુદ્ધિથી પ્રેરાઈને, રાત-દિવસને કે પિતાનાં ઊંધ કે આરામને વિચાર કર્યા વગર, કલકત્તા જેવા દૂરના પ્રદેશમાં લાંબે વખત રોકાણ કરીને, એવી સચોટ કામગીરી કરી કે જેથી એમનું કાર્ય સફળ થયું, એ કતલખાનું બંધાતું અટકી ગયું, આ તીર્થભૂમિની પવિત્રતા સતત હણતી રહે એ અતિ કમનસીબ પ્રસંગ ટળી ગયો અને જૈન સંઘમાં આનંદની અને રાહતની લાગણી પ્રસરી ગઈ. પિતાની વાતની સાટ રજૂઆત થઈ શકે એ માટે શ્રી વીરચંદભાઈ ગાંધીએ બંગાળી ભાષાને પણ અભ્યાસ કરી લીધો હતો. પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની મીટીગની પાંચ નંબરની પ્રોસીડીંગ બુકમાંની તા. ૪-૯-૧૯૦૭ની તથા તા. ૧-૧૦-૧૯૦૭ ની બે મીટીગનું પ્રમુખપદ, પેઢીના તે વખતના પ્રમુખ શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈ બહારગામ ગયેલ હોવાથી, શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈએ લીધું હોવાની નોંધ ઉપરથી એમ લાગે છે કે, ઉપર નેધેલ ચરબીના કારખાનાની (એને અટકાવવાની) ધટના બન્યા પછી, સળેક વષે, સને ૧૯૦૭ની સાલમાં, શ્રી સમેતશિખર તીર્થ અંગે કઈક એવો ગહન-જટિલ પ્રશ્ન ઊભું થયું હતું કે, જેનું નિરાકરણ કરવા માટે, ખુદ પેઢીના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને જાતે જ ત્યાં જવું પડ્યું હતું અને રોકાવું પડ્યું હતું. આ રોકાણ દરમ્યાન એમને હાથે વાગવાથી, એની સારવાર માટે, એમને કલકત્તા પણ જવું પડ્યું હતું. ઉપર સૂચવેલ બને તારીખોના પ્રોસીડીંગમાં, આ બાબત સંબંધી નોંધ આ પ્રમાણે લેવામાં આવી છે: “પ્રેસીડેન્ટ શેઠ લાલભાઈ દલપતભાઈ શ્રી સમેતશીખરના કામ સારું ગયેલા; ત્યાં હાથે વાગવાથી કલકત્તે છે તેથી, તેમની ગેરહાજરીમાં, સેઠ મનસુખભાઈ ભગુભાઈને ચેરમેન ઠરાવી મીટીંગનું કામ શરૂ કર્યું.” પાલીતાણા રાજ્યની દખલગીરીને કારણે તીર્થાધિરાજ શત્રુંજયની આશાતના થાય એવા નાના-મોટા પ્રસંગે તે અવારનવાર બનતા જ રહેતા હતા. આથી, એ મહાતીર્થની આશાતનાને ટાળવા માટે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને પાલીતાણા રાજ્ય સાથે વારંવાર સંઘર્ષમાં ઊતરવું પડતું હતું. પાલીતાણું રાજ્ય સાથે થયેલ આવા સંધર્ષોની કામગીરીના સંખ્યાબંધ દાખલા પેઢીના દફતરમાં સચવાયેલા છે. આવા પ્રસંગોની સવિસ્તર માહિતી, આ પુસ્તકના પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા” નામે અગિયારમા પ્રકરણમાં આપવામાં આવેલા હેવાથી, આ બાબત અંગે અહીં તે આટલે સામાન્ય નિર્દેશ જ પૂરતું છે. મધ્ય પ્રદેશના શ્રી મકસીજી તીર્થને વહીવટ પેઢી સંભાળે છે. એ તીર્થમાં તથા મહારાષ્ટ્રમાં આવેલ શ્રી અંતરિક્ષજી તીર્થમાં, કેટલાય દાયકાઓથી, દિગંબર જૈન સંઘ સાથે જાત જાતના ઝઘડા થતા જ રહે છે. એને લીધે એ તીર્થની વારંવાર આશાતના થવા ઉપરાંત એ તીર્થ ઉપરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના અધિકાર પણ જોખમમાં મકાઈ જાય છે; અને, ક્યારેક તે, બેલાચાલીથી આગળ વધીને, મારામારી જેવા અતિ શોચનીય બનાવો પણ બનવા પામે છે. આવા પ્રસંગોએ પેઢી તરક્શી જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવે છે અને સહાય તથા સલાહ પણ આપવામાં આવે છે. - Page #183 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહક્ષ આ રીતે જે કઈ તીર્થ, જિનમંદિર કે ધર્મની આરાધનાના સ્થાનની આશાતના થાય એવી ઘટના બને છે ત્યારે, એના નિવારણ માટે, જે તે સ્થાનના સંધનું ધ્યાન પેઢી તરફ જાય છે. અને પેઢી પણ એ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરીને, શ્રીસંધના એ વિશ્વાસને સફળ બનાવે છે. વિ. સં. ૧૯૪૧ (સને ૧૮૮૪)ની સાલમાં, શેઠ માનચંદ વીરવાળાની ભાવના ગિરિરાજ શત્રુંજય મહાતીર્થ ઉપર એક દેરાસર બંધાવવાની થઈ અને એ માટે એમણે અરજી કરી. એ ઉપરથી પેઢીના ટ્રસ્ટીઓએ એમને શ્રી બાલાભાઈની ટૂકમાં દેરાસર બાંધવાની જગ્યા આપવાનું, એના નકરા તરીકે પાંચ હજાર રૂપિયા લેવાનું અને એ રકમમાંથી પચીસસો રૂપિયા નકરા ખાતે અને બાકીના પચીસો રૂપિયા કેસર-સુખડ વગેરેના ખાતે જમે કરવાનું નકકી કર્યું. (તા. ૧૮-૧૧-૧૮૮૪, ૧૯-૧૧-૧૮૮૪, ૭-૧૨-૧૮૮૪ અને ૧૦-૧૨-૧૮૮૪નાં પ્રોસીડીંગ.) ખેડામાં બંધાયેલ ચાર માળના એક દેરાસરમાં પધરાવવા માટે ચાર પ્રતિમાઓ આપવાની માગણી ઉપરથી, તા. ૧૨-૧-૧૮૮૮ના રોજ, (એક આંગળના રૂ. ૧૨ાના હિસાબે) દસ આંગળનાં એક પ્રતિમાજી રૂ. ૧૨૫] નકર લઈને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, અમદાવાદના વતની શ્રી રતનચંદ લક્ષ્મીચંદની પુત્રી શ્રી પરસનબાઈને, એમની માગણી મુજબ, અઢીસો રૂપિયા લઈને, દાદાની ટૂકમાં આવેલ અષ્ટાપદજીના દેરાસરની આગળ એક ગોખલે તૈયાર કરાવીને તે, પ્રતિમા સાથે, આપવાનું તા. ૪-૨-૧૮૮૯ના રોજ ઠરાવવામાં આવ્યું. તખતગઢમાં બંધાયેલ એક નવા અને મોટા દેરાસર માટે એક સવાગજની અને બે એક એક ગજની એમ કુલ ત્રણ પ્રતિમાજીઓની માગણી ત્યાંના મહાજન તરફથી આવેલી. તે ઉપરથી તખતગઢના દેરાસર માટે, ત્યાંના મહાજનની માગણું મુજબના માપની ત્રણ પ્રતિમાઓ, આ રૂપિયાના નકરાથી આપવાનું, તા. ૧–૨–૧૮૮૯ના રોજ, ઠરાવવામાં આવ્યું. 1 નકશનું ધોરણ સને ૧૮૮૮ પહેલાંના કેઈક વર્ષથી ગિરિરાજ શત્રુંજય ઉપરના જિનાલયમાં પરણા દાખલ રાખેલ પ્રતિમાજીની, બીજ ગામમાં બિરાજમાન કરવા માટે, માગણી આવતી તે, એક આગળની ઊંચાઈના રૂ. ૧૨ (સાડા બાર) મુજબ નકરે લેવામાં આવતા હતા. અપવાદ–આમ છતાં, સને ૧૮૯૧ની સાલમાં, સૂરત જિલ્લાના બારડોલી ગામમાં, ત્યાંના સંધ તરફથી, એક દેરાસર બંધાવવામાં આવ્યું હતું, એમાં પધરાવવા માટે ત્રણ પ્રતિમાજી તથા એ દેરાસરની લગોલગ એક નાનું દેરાસર શા. રૂપાજી મોતીજીએ બંધાવ્યું હતું. એમાં પધરાવવા માટે બે પ્રતિમાજી-એમ કુલ પાંચ પ્રતિમાજીએ એમને જોઈતી હતી. આ માટે શા. રૂપાજી મોતીજી તથા શા. દેવચંદજી મતીજી વગેરે ચાર ભાઈઓએ, શ્રી શત્રુંજય તીર્થ ઉપર જઈને, પાંચ પ્રતિમાજીઓ પસંદ કરી હતી; અને પાંચ રૂપિયા નકરે લઈને એ પાંચ પ્રતિમાઓ પિતાને આપવાની પેઢી પાસે માગણી કરી હતી. પણ આ પાંચે પ્રતિમાજીઓની કુલ ઊંચાઈ ૭૯ આંગળ થતી હતી તેથી, ચાલુ નિયમ મુજબ, Page #184 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૩૭ એને નકરી રૂ. ૯૯રા થતે હતો. આ અંગે એમની અને પેઢી વચ્ચે પત્રવ્યવહાર થતાં, છેવટે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એ ભાઈઓની માગણી મુજબ, રૂ. ૮૫૧) નકરાના લઈને એમને, એમની પસંદગી મુજબનાં, પાંચ પ્રતિમાજીએ આપવાનું, તા. ૫-૧૨-૧૮૯૧ના રોજ, નક્કી કર્યું હતું. નકરા વગર પ્રતિમાજી આપ્યાં–દેપલાના મહાજનને, નકરે લીધા વગર, ત્રણ પ્રતિમાજી આપવા બાબત, વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૨-૧૦-૧૮૯૦ ના રોજ, નીચે મુજબ ઠરાવ કર્યો હતો, જે એમની વિવેકી ધર્મદષ્ટિનું સૂચન કરે છે– દેપલાના માઝનને પ્રતમાજી નંગ ૩ વગર નકરે આપવા પ્રથમ તા. ૧૭ નવેંબર ૧૮૮૭ ના રોજ પાલીટાણે લખેલું છે, વાતે તેમને આપવા જે ત્રણ પ્રતિમાજી ગઈ સાલમાં ડુંગર ઉપરથી નીચે ઊતરાવેલી છે, તે પ્રતમાજી નગ૩ તેમને વગર નકરે આપવા પાલીટાણે લખવું.” આ ઉપરથી એટલું જોઈ શકાય છે કે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ, ખાસ જરૂર લાગે ત્યારે, સામી વ્યક્તિની પરિસ્થિતિ ઉપર વિવેકપૂર્વક વિચાર કરીને, એને બની શકે તેટલી રાહત પણ આપતા હતા. ચાલુ શિરસ્તામાં આવે અપવાદ કરવાની પાછળ એમની એક જ ભાવના રહેતી કે, જે તે સ્થાનના સંધને ધર્મની આરાધનાનું આલંબન મળી રહે. બીજા કેટલાક દાખલા મુંબઈના શા. કેસરીચંદ રૂપચંદ, હા. બાઈ મણિકુંવરબાઈએ, શ્રી શત્રુંજય તીર્થ ઉપર, મોટી ટ્રકમાં, એક દેરાસરના રંગમંડપમાં, ચાર પ્રતિમાજીએ પધરાવવા માટે, ચાર પ્રતિમાઓ તથા જગ્યાનું નકરાન, કેસર-સુખડના તથા ગેખલા તૈયાર કરાવી આપવાના –એમ બધાના મળીને રૂ. ૧૮૦૦૧ આપવાનું કહેલ; તે ઉપરથી, તા. ૨૪-૪-૧૮૮૫ના રોજ, એમની પાસે વધુ રકમની માગણી કરવાનું અને તેઓ વધુ રકમ આપવા માગતાં ન હોય તે, રૂ. ૧૮૦૦માં એમની માગણ મંજૂર કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. મેટી ટકમાં, સૌથભિયા દેરાસરની નજીક દેરાસર બાંધવા માટે, ગઢને લગતી ૧૭ ગજ ૧૦ તસુ લાંબી અને ૧૫ ગજ પહેાળી જમીન, રૂ. ૩૧૦૦)ના નારાથી, કપડવંજવાળાં શ્રી માણેકબાઈના ટ્રસ્ટી દોશી શંકરલાલ વીરચંદને આપવાને, તા. ૯-૭–૧૮૯૫ના રોજ, ઠરાવ કરવામાં આવ્યું હતું. ઉપર આપેલા ડાક દાખલાઓ ઉપરથી એટલું તારણ નીકળી શકે છે કે, ગિરિરાજ ઉપર, દેર કે દેરી બાંધવા માટે જમીનની માગણીને કે મૂર્તિને પધરાવવાની માગણીને મંજૂર કરવા માટે નકરાની રકમ, જે તે માગણીના ગુણદોષની વિચારણાને અંતે, નક્કી કરવામાં આવતી હતી. વળી કોઈક વાર આવી માગણી નામંજૂર કરવાને પણ પ્રસંગ આવતે. નકરે પાછા આપીને પ્રતિમાજી પાછાં લીધાને એક પ્રસંગ ભાવનગરનું દાદાસાહેબના દેરાસરના નામથી જાણીતું જિનાલય, એક લાખ રૂપિયાના Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ ખર્ચે, વિ. સં. ૧૯૫૫ની સાલમાં (સને ૧૮૯ત્ના વર્ષમાં) તૈયાર થવા આવ્યું, એટલે, એમાં મૂળનાયક તરીકે બિરાજમાન કરવા માટે, શ્રી શત્રુંજય તીર્થ ઉપર, દાદાની ટ્રકમાં, મુખ્ય જિનપ્રાસાદના બહારના મંડપમાં, જમણી બાજુની ચેકી તરફ જતાં, ડાબી બાજુએ એક ગેખલામાં બે પ્રતિમાજી હતાં, તેની પાસે મહાવીરસ્વામીનાં પીળા રંગનાં એક પ્રતિમાજી હતાં તે, એક હજાર રૂપિયાના નકરાથી, આપવાની માગણી, ભાવનગર સંધની વતી, શેઠ શ્રી જેઠાભાઈ સુરચંદે કરી હતી. આ ઉપરથી, આ પ્રતિમાજી, ભાવનગર સંઘને, રૂ. ૧૫૦૦)ના નકરાથી આપવાનું, તા. ૬-૩–૧૮૯૯ના રોજ, ઠરાવવામાં આવ્યું; સાથે સાથે એ જ તારીખે એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, આ પ્રતિમાજીની ખાલી જગ્યાએ, મોદીની ટ્રકમાંથી પ્રતિમાજી લાવીને, એને પધરાવવાની કોઈ ગૃહસ્થની માગણી આવે તો, એ જગ્યાના અને પ્રતિમાજીના નકરાની તેમ જ કેસર-સુખડની મળીને કુલ કેટલી રકમ આપવાનું તેઓ કહે છે, તે બાબત પાલીતાણા પુછાવીને, એને નિર્ણય કરે. ભાવનગર સંઘને પ્રતિમાજી આપવાને ઉપર મુજબ ઠરાવ કરીને, એ પ્રતિમાજી ભાવનગર સંઘને સોંપ્યા પછી, દાદાની ટ્રકમાંથી આ પ્રતિમાજી બહાર આપવાથી સંઘનું મન દૂભાયું હોય અને તેથી પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને એ પ્રતિમાજી પાછી આપી દેવાની ભાવનગર સંઘને ભલામણ કરવાની ફરજ પડી હોય, એમ તા. ૨૩-૪-૧૮૯૮ના પ્રોસિડિંગમાં સેંધાયેલ એક ઠરાવ ઉપરથી જાણી શકાય છે, જે આ પ્રમાણે છે– પાલીટાણેથી મુળનાયકજીના રંગમંડપમાંથી જે પ્રતિમાજી ભાવનગર આપવામાં આવેલી છે, તે બાબતમાં સંઘના લોકોને અપ્રતી (અપ્રીતિ) ઊત્પન્ન થઈ છે, અને તે બાબતમાં પાલીતાણે કેટલાક ગૃહસ્થ ભેગા થઈ, અત્રે એ બાબત તેમણે લખાણું કહ્યું છે. માટે તેને સારૂ જે લખાણ સહીઓ સાથેનું આવેલું છે, તેની નકલ, આપણું કાગળ સાથે, ભાવનગર મોકલવી અને એ પ્રતમાજી તેઓ પાલીટાણે પાછી મોકલે એવી તેમાં ભલામણ કરવી, એમ એકમતે ઠરાવ કરવામાં આવે.” પણ ઉપર મુજબને ઠરાવ કરવાથી આ પ્રતિમાજી પાછાં મેળવવાનું કામ ન પત્યું, એટલે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એ માટે કોઈ ઉતાવળું પગલું ભરવાને બદલે, શાણપણ અને દૂરંદેશીથી સંઘની દુભાયેલી લાગણી અને પ્રસંગની ગંભીરતાને પૂરતે વિચાર કરીને, તા. ૧૭-૭–૧૮૯૯ના રેજ, પેઢીની જનરલ કમીટીમાં, નીચે મુજબ ઠરાવ કર્યો હત– “ભાવનગરના સંધવાળાને પ્રતિમાજી નકરે લઈ આપવામાં આવી છે. તે પાછી મગાવવા સબંધી પાલીટાણેથી જત્રાળુઓના કાગળ આવ્યા છે. ત્યા તે સબંધમાં ભાવનગરના સંઘ તરફથી કાગલો આવ્યા છે. તે કાગલેની નકલ તમામ સ્થાનીક પ્રતીનીધી ત્યા બીજા મેટા મેટા ગામના સદગ્રહસ્થાને, પત્ર સાથે, મોકલી, તે પ્રતમાજી પાછાં મંગાવવાં કે શી રીતે, તે બાબત સંઘ મેલવી જે ઠરાવ થાય તે લખી જણાવવા લખવું.” આ ઠરાવ પ્રમાણે, આ બાબત સંબંધમાં, સ્થાનિક પ્રતિનિધિઓ વગેરેને અભિપ્રાય મેળવ્યા બાદ, આ પ્રતિમાજી પાછાં આપવા સંબંધી પત્ર ભાવનગર સંઘ ઉપર લખવા અંગે, તા. ૧૪-૫-૧૯૦૦ને રેજ, પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓએ, નીચે મુજબ ઠરાવ કર્યો હત– Page #186 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્ય ક્ષેત્રની રૂપરેખા ભાવનગર સંધવાળા પવીત્ર શેત્રુંજા ડુંગર ઊપર મોટી ટુ‘કમાંથી માહાવીરસ્વામીજીની પ્રતમાજી લેઈ ગયા છે, તે બાબત તા. ૧૭મી જુલાઈ સને ૧૯૯૯ના જનરલ કમીટીના ઠરાવ પ્રમાણે દેશાવરના સ્થાનીક પ્રતીનીધી વગેરેના અભિપ્રાય માગતાં, વધારે અભીપ્રાય તે પ્રતમાજી પાછા લેવા મતલબના આવ્યા છે, વાસ્તે તેઓ જે પ્રતમાજી લઈ ગયા છે, તે પ્રતમાજી પાછા મેાકલી આપવાને ભાવનગરના સધ ઉપર કાગળ લખવા.’ 66 ૧૩. એમ લાગે છે કે, ભાવનગર સંઘને લખવામાં આવેલ આ પુત્રનું, પ્રતિમાજી પાછાં મેળવવાની બાબતમાં, અનુકૂળ પરિણામ આવ્યું હતું. એમ, વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૨૨-૮-૧૯૦૧ ના રાજ કરેલ, નીચે મુજબના ઠરાવથી નણી શકાય છે— “ ભાવનગરવાલા જે પ્રતમાજી પવીત્ર સેત્રુંજા ડુંગર ઊપરથી લેઈ ગ છે, તે પાછી પાલીટાંણે પહાંચાડેથી તેઓએ નકરાના રૂ. ૧૫૦૦] પંદરસે આપ્યા છે, તે તેમને પાછા આપવા.’’ આ પછી આ પ્રતિમાજી ભાવનગર સંધ તરફથી પાછાં મળી ગયાં, તેથી આ પ્રકરણના અંત આવ્યા, એટલે એ પ્રતિમાજીની ફરી પ્રતિષ્ઠા કરવાને નિર્ણય કરવામાં આવ્યા, તે વહીવટદાર પ્રતિનિધિઆના, તા. ૧૫-૧૧-૧૯૦૧ના, નીચે મુજબના ઠરાવથી જાણવા મળે છે—— શ્રી ભાવનગરથી પાછાં આવેલાં પ્રતમાજીને તેમની મૂલ જગાએ પધરાવવાનું મહત સંવત ૧૯૫૮ના કારતક વદ ૨ બુધવારનું દીવસના કલાક ૧૧-૫૮ મીનીટનું છે, તેના ખબર મેાટા મોટા ગામેાના આગેવાનેાને કાગળ લખી અને છાપામાં છપાવી આપવા.’ વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૬-૩-૧૮૯૯ના રાજ ભાવનગર સંધને પ્રતિમાજી આપવાને ઠરાવ કર્યો અને ભાવનગર સધ એ પ્રતિમાજી પેાતાને ત્યાં લઈ ગયા તે પછી તરત જ સંધમાં એની સામે જે વિરાધ જાગ્યા, તેથી વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૨૪–૪–૧૮૯૯ના રાજ ઠરાવ કરીને એ પ્રતિમાજી પાછી આપવા ભાવનગર સંધને ભલામણ કરી; પણ તેથી કામ ન પડ્યું અને છેવટે, લગભગ અઢી વર્ષ જેટલા લાંબા સમયને અંતે, આ પ્રકરણને। શ્રીસંધને સંતાષ થાય એવા નિવેડા આવ્યા, તે ઉપરથી સમજી શકાય છે કે ધાર્મિક લાગણીને સ્પર્શતા આવા બહુ જ આળા પ્રશ્નનું સુખદ સમાધાન થાય એ માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ કેવી દાખલારૂપ ધીરજ, કુનેહ અને દીર્ઘદૃષ્ટિથી કામ લીધું હશે ! નકરા માટે અત્યારના નિયમ શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર પરાણા દાખલ બિરાજમાન કરેલાં પ્રતિમાને એ મહાતીર્થં ઉપર જ અન્ય સ્થાનમાં પ્રતિષ્ઠિત કરવા માટે, અત્યારે, આ પ્રમાણે નકરી લેવામાં આવે છે— મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવા માટે રૂ. ૧] જગાના નકરાના; રૂ. ૧૦૦૧] મૂળનાયક ભગવાનના નકરાના અને રૂ. ૧૫૧] કેસર-સુખડના નકરાના—એમ કુલ મળીને રૂ. ૧૧૫૩ લેવામાં આવે છે. મૂળનાયકની આજુબાજુમાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવા માટે રૂ. ૧] જગ્યાના નકરાનેા; રૂ. ૫૦૧] પ્રતિમાજીના નકરાના અને રૂ. ૧૫૧] કેસર-સુખડના નકરાના—એમ કુલ મળીને રૂ. ૬૫૩] લેવામાં આવે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ ૬. આવા ડાક જાણવા જેવા દાખલા નીચે નોંધ્યા છે— (૧) તીર્થની આશાતના થતી અટકે અને સંધની ધાર્મિક લાગણી દુભાય એ પ્રસંગ ફરી બનવા ન પામે એ અંગે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની તા. ૨૨-૩-૧૮૮૬ની સભામાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું હતું– ડીસા કાંપના જનરલ હોંગ સાહેબ તા. ર૯–૧–૯૬ના રોજ પવિત્ર શેત્રુજા ડુંગર ઉપર ગયા હતા. ત્યાં તેમણે ખાણું ખાધું હતું. માટે તે બાબત તેમના ઉપર અંગ્રેજી લખાણ કરવું કે આપને સારૂ ખાણું કેના તરફથી આવ્યું હતું અને તેમાં શી શી ચીજ હતી તેને ખુલાસે આપશો. અને એક લખાણ અંગ્રેજીમાં કાઠીયાવાડને મેહેરબાન પિલીટીકલ એજંટ સાહેબ ઊપર કરવું કે અંગ્રેજ ગ્રહો ડુંગર ઉપર જોવા સારૂ જાય છે ત્યારે દરબારવાલા તેમને સારૂ ખાણું મોકલે છે, તેમાં નઠારી ચીજો અમારા ધર્મવીર ધ મોકલે છે તેથી કરીને અમારા શ્રાવક કામના લોકોના મન ] ઘણા દુખાય છે માટે ડુંગર ઉપર એવું [ ખાણું] નહીં મેકલે તે બંદોબસ્ત કરશે.” તીર્થની આશાતના થતી રોકવા માટે રાજસત્તાની સાથે પણ કોઈ પણ જાતના ભય કે સંકોચ વગર કામ લેવામાં આવતું હતું, તે ઉપર નોંધેલ પ્રસંગ ઉપરથી પણ જાણી શકાય છે. (૨) મક્ષીજી તીર્થ અંગે વહીવટદાર પ્રતિનિધિઓએ કરેલ ઠરાવો– (અ) “મુંબાઇથી કોન્ફરન્સને કાગળ મક્ષીજીના કેસ બાબત આવ્યું છે. તેના જવાબમાં લખી જણાવવું કે, પંચ નીમીને ઠરાવ લેવા કરતાં આપણી દલીલ રજી કરી અમલદાર ફેંસલો આપે તે લે ઠીક છે, કારણ, પંચથી થશે તે પછી અપીલ સરખી થશે નહીં.” (તા. ૧૩-૯-૧૯૦૬) (આ) આ તીર્થના કેસના ખર્ચ માટે પાંચ હજાર સુધીની રકમ આપવાને ઠરાવ (તા. ૨૮–૯–૧૯૦૬). (ઈ) મક્ષીજીને કેસ ચલાવવામાં થનાર ખર્ચ માટે શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સને રૂ. ૧૫૦૦ આપવા અને વધુ રકમની જરૂર પડે તે લખી જણાવવા અંગેનો ઠરાવ (તા. ૧૯-૧૨-૧૯૦૬). (ઈ) “ મુંબાઈથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને તા. ૨૮મી જાનેવારી સને ૧૯૦૮ને મક્ષીજીના કેસની મુદત તા. ૮-૨૧-૯૦૮ની છે, તે ઊપર વકીલ બારીસ્ટરને મોકલવા સારૂ રૂપે આપવા મતલબને આવ્યા છે તેના જવાબમાં લખવું કેઆશરે કેટલું ખર્ચ થવું અને કેને મોકલવા આપ ધારો છે, તે લખ્યું નથી તે તે હકીકત વિના સમજાય નહીં. પણ મુદત નજીક છે તે ખરચની જરૂર પડશે, માટે પંદરસેથી બે હજાર રૂપૈયા સુધી આ કારખાનામાંથી મદદ કરીશ.” (તા. ૩૦-૧-૧૯૦૮) Page #188 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા આ પ્રકરણ સંબંધી વસ્તુસ્થિતિની માહિતી મેળવવા પત્રવ્યવહારની જરૂર હોવા છતાં, એમાં જે વખત જય, તેને લીધે તીર્થ સંબંધી કેસ ચલાવવામાં આર્થિક મુશ્કેલી ન નડે, એ માટે પેઢીના વહીવટદારો કેવા દીર્ધદશા અને સજાગ હતા, તે વાત ઉપર ઠરાવ ઉપરથી પણ જોઈ શકાય છે. (૩) વહીવટદાર પ્રતિનિધિઓએ એમની તા. ૫-૧૨-૧૯૦૭ની સભામાં કરેલ નીચેનો ઠરાવ, જેમ એમની વિવેકદૃષ્ટિને ખ્યાલ આપે છે તેમ, અટપટા પ્રશ્નોની બાબતમાં જે તે સ્થાનના સંઘે પેઢીની સલાહ-સૂચનાઓ મંગાવતાં રહેતા હતા, એ હકીક્તની પણ સાક્ષી પૂરે છે– સીરોઈના સંધ તરફથી સંવત ૧૯૬૪ના માગસર વદ ૧૨ સોમવાર મીતી મારૂને કાગળ આવ્યો કે ડીગબરવાળા પ્રતમા માગે છે, તે તે આપવી કે સી રીતે, તથા તે લેકે જુદુ માણસ રાખી ધર્મશાલામાં ઇલાઅદુ કારખાનું કરવા માગે, તે તે આપવું કે સી રીતે તેના સારૂ ખુલાસે આપવાની બાબતને આવતાં તેના જવાબમાં લખવું કે હમારે વિચાર આપણે દેરામાંથી ડીગમ્બરી પ્રતમાં હોય ને તે લેકે લઈ જાય તે આપી દેવા સલાહ બેસે છે; આપણી ધર્મશાલા તેમ કારખાના વગેરેમાં વેતામ્બર જૈન ભાઈઓ સીવાય કોઈ હક નથી તેવું ચેકસ હરીશંકરજીને લખી જણાવવું.” આ ઠરાવમાં જે પ્રતિમા દિગંબર ફિરકાની હેય તે એમને આપી દેવાની ભલામણ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની ન્યાયદષ્ટિ અને સમાધાનવૃત્તિનું સૂચન કરે છે, એમ કહેવું જોઈએ. ( આ ઠરાવમાં “મીતી મારૂ” લખ્યું છે, તેને અર્થ મારવાડી તિથિ સમજવી. મારવાડી અને ગુજરાતી તિથિ અને મહિનામાં એ ફરક હોય છે કે, મારવાડી મહિને વદિ એકમથી શરૂ થાય છે, જ્યારે ગુજરાતી મહિને સુદિ એકમથી શરૂ થાય છે. એટલે સુદિ પક્ષમાં બન્નેને એક જ મહિને હોય છે, અને વદિ પક્ષમાં મારવાડી મહિને એક મહિને આગળ હોય છે. આથી સિરોહી સંઘના પત્રની ગુજરાતી તિથિ કારતક વદિ ૧૨ સમજવી.) (૪) મારવાડમાં સોજત ગામના મુસલમાને એ તફાન કર્યું અને એમાં ત્યાંના જૈન દેરા સરનું શિખર વગેરે તોડી નાખ્યું, એ વાતની જાણ થતાં એ ઘટનાની જાતમાહિતી મેળવીને રિપોર્ટ આપવા માટે પેઢી તરફથી મુનીમ જેશંકર વજેશંકરને સોજત મોકલવામાં આવ્યા હતા; અને એમના રિપોર્ટ ઉપરથી તથા એ માટે કેર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસ માટે પૈસાની જરૂર હોવાને ત્યાંના સંઘને પત્ર આવવાથી, ઢિીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૮-૭–૧૯૨૦ના રોજ, આ કામ માટે, સોજતના સંઘને રૂ. ૫૦૦] આપવાનો ઠરાવ કર્યો હતો. (૫) રાજગૃહી તીર્થના કેસમાં સહાય કરવા માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૨૨-૭-૧૯૨૫ના રોજ, નીચે મુજબ ઠરાવ કર્યો હત– Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ 19. શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ “ રાજગીરના કેસના ખરચ માટે રૂ. ૧૦૦૦૦] દસ હજાર સુધી ખર્ચ કરવાને મજૂરી આપવામાં આવે છે; અને હાલ તુરતને માટે રૂ. ૨૦૦૦] બે હજાર બાબુ રાયકુમારસીંગજી તરફ મેાકલવા.” ( ૬ ) એ જ રીતે પાવાપુરી કેસમાં નાણાંની જરૂર હેાવાના ખાજી ધનુલાલ સુચ ંતીના પટણાથી આવેલ પત્ર ઉપરથી, એ માટે પાંચ હુન્નર રૂપિયા ભંડાર ખાતેથી આપવાનું, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૫-૫-૧૯૩૦ના રાજ, નક્કી કર્યુ હતુ. (૭) વળી શૌરીપુર તી અંગેના કેસમાં નાણાંની સહાય કરવા સંબંધી નીચે મુજબ ઠરાવ, વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૪-૮-૧૯૩૭ના રાજ, કર્યા હતા—— "C શ્રી શૌરીપુરી શ્વેતામ્બર તીર્થ કમીટી તરફથી શેઠ સુગનચંદ્રજીના તા. ૫-૮-૩૭, તા. ૧૨-૮-૩૭ના પત્રા તથા તા. ૧૩-૮–૩૭ ના તાર આવેલ છે કે, આ તીર્થને લગતા આગ્રા કાટમાં ચાલતા કેસમાં પૈસાની તાત્કાલીક જરૂર છે. જો પૈસા વખતસર નહિ આવે તેા આપણા ક્રેસ બગડવા સંભવ છે. તેથી વધુ ૩૫૦૦]ની મદદ કરવા લખાઈ આવેલ છે. તે કાગળા વગેરે રજુ થતાં ઠરાવ— સદરહુ કેસમાં પ્રથમ આપણે રૂ. ૫૦૦૦ આપ્યા છે, પરંતુ કેસ ધાર્યા કરતાં વધારે લાંખા ચાલ્યા હેાવાથી, તથા કેસની ગંભીરતા અને તીર્થનું મહત્વ જોતાં, ખીજા રૂ. ૨૦૦૦] એ હાર આપવા મંજૂર કરવામાં આવે છે.’” તીર્થસ્થાના અંગે ઊભી થયેલી મુશ્કેલી એ ખરી રીતે ધર્મ અને શ્રીસ'ઘ બન્ને ઉપર આવી પડેલી મુશ્કેલી જ લેખાય. એટલે જ્યારે પણ એવા પ્રસંગ ભૂતકાળમાં ઊભા થતા કે વર્તમાન સમયમાં ઊભા થાય છે ત્યારે, તેના નિવારણ માટે, સહાય મેળવવા વાસ્તે, જે તે સ્થાનના સંઘનું ધ્યાન, સ્વાભાવિક રીતે જ, પેઢી તરફ જાય છે. અને એવા પ્રસ`ગે પેઢી પણ એ માટે જરૂરી આર્થિક તેમ જ ખીજી. દરેક પ્રકારની મદદ આપીને સમસ્ત શ્રીસ`ઘે એનામાં મૂ કેલ વિશ્વાસને સાચા ઠરાવે છે. ઉપર નાંધેલ થેાડાક દાખલા પણ આ વાતની સાક્ષી પૂરે છે. પાલીતાણામાં પેઢી હસ્તક જ્યાં વર્ષીતપનાં પારણાં થાય છે, તે વંડાના નામે ઓળખાતી વિશાળ પટાંગણુવાળી ઘણી મેાટી ધર્મશાળા, હારીનિવાસ ધર્મશાળા અને પાંચ બંગલાના નામે આધુનિક સુવિધા ધરાવતા ૨૦ લેકાવાળી ધર્મશાળા છે. ઉપરાંત પેાતા હસ્તકનાં શ્રી ગિરનાર, તારંગા, કુંભારિયા, સેરિસા-વામજ, રાણુકપુર, કિશજી, રાતા મહાવીર અને ચિત્તોડગઢમાં પણ પેઢીએ ધ શાળાઓ બંધાવી છે; અને તારંગા, સેરિસા, કુંભારિયા અને રાણકપુરમાં તા ચાલુ ધર્મશાળા ઉપરાંત વર્તમાન સમયની સગવડાવાળી બ્લાક પદ્ધતિની ધર્મ શાળાએ પણુ બંધાવી છે. વળી, રાણકપુરમાં યાત્રિકા અને પ્રવાસીઓની ઉત્તરાત્તર વધતી જતી સંખ્યાને ઊતરવાની સગવડ આપવામાં ચાર-ચાર ધર્મશાળાઓ ઓછી પડતી હાવાથી, અત્યારે ત્યાં પાંચમી મેાટી ધ શાળા પણ તૈયાર થઈ રહી છે. ધર્મશાળાઓ ઉપરાંત રાણકપુર, કુંભારિયાજી અને મસીજી તીર્થમાં પેઢી તરફથી Page #190 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૪૩ ભોજનશાળા પણ ચાલે છે. (શ્રી સેરિસા, ગિરનારની તળેટી અને તારંગાજીમાં પણ ભજન શાળાઓ ચાલે છે, પણ તેને વહીવટ પેઢી નહીં પણ બીજી સંસ્થાઓ સંભાળે છે.) ૮. ગિરિરાજ શ્રી શત્રુંજ્ય મહાતીર્થની તળાટીમાં પેઢી તરફથી આપવામાં આવતા ભાતા ઉપ રાંત, શ્રી ગિરનાર અને તારંગા તીર્થમાં પણ, ચોમાસા સિવાયના સમયમાં, પેઢી તરફથી ભાતું આપવામાં આવે છે. પવિત્ર શત્રુંજય પહાડ ઉપર હારે યાત્રિકો માટે નાહવાના ગરમ પાણીની સગવડ કરવામાં હમણાં હમણાં તે બળતણની પણ તંગી વરતાવા લાગી છે; અને સાથે સાથે, બળતણને નીચેથી પાણી ગરમ કરવાના સ્થાને પહોંચતું કરનાર મજૂરે મેળવવામાં યા તે મુશ્કેલી પડે છે, અથવા તે એ માટે ઘણું જ ખર્ચ કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થતી જાય છે, ક્યારેક તે આ પરિસ્થિતિ એવી વિકટ બની જાય છે કે, આ માટે પૂરતું ખર્ચ કરવા છતાં જરૂરી ગોઠવણ સમયસર કેવી રીતે કરી શકાશે એની વિમાસણ ઊભી થાય છે—અલબત્ત, અત્યાર સુધી તો યાત્રિકોને ફરિયાદ કરવાપણું ન રહે એ રીતે આ ગોઠવણ પેઢી તરફથી, ગમે તેમ કરીને, થતી જ રહી છે. પણ આ ચિંતાકારક સ્થિતિને કાયમને માટે ઉકેલ આવી જાય એટલા માટે સૂર્યના તાપના ઉપયોગ દ્વારા પાણી ગરમ થઈ શકે એવું સૌર યંત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર ગોઠવવાની વિચારણા અત્યારે ચાલી રહી છે. અને ગિરનારના પહાડ ઉપર તે, કેટલાંક વર્ષથી, નાહવા માટેનું પાણી ગરમ કરવા માટે યાંત્રિક ગોઠવણ થઈ પણ ગઈ છે. વળી બને પહાડ ઉપર પહોંચવાના માર્ગોમાં, યાત્રિકો પોતાની તરસ છિપાવી શકે એ માટે, જેમ ઠંડા પાણીની પરબ ગોઠવવામાં આવી છે, તેમ ઉકાળીને ઠંડા કરેલા પાણીની પણ એ પરબમાં પૂરી સગવડ રાખવામાં આવે છે. આ વ્યવસ્થા બરાબર સચવાય એ માટે જે કંઈ ખર્ચ કરવું પડે તે કરવામાં આવે છે, એ તે ખરું, પણ મજૂરે વગેરે મેળવવાની મુશ્કેલીને કારણે આ વ્યવસ્થામાં કોઈ જાતની ખામી આવવી ન પામે એની પૂરતી અગમચેતી અને તકેદારી રાખવામાં આવે છે. આ વ્યવસ્થા સરખી રીતે સચવાય એ માટે કરવા પડતા ખર્ચમાં તેમ જ મજરે મેળવવામાં પડતી મુશ્કેલીમાં, પણ, પલટાયેલી પરિસ્થિતિને - કારણે, ઉત્તરોત્તર વધારે જ થતો જાય છે, એ સ્પષ્ટ છે. પણ એને કારણે યાત્રિકોને પીવાના પાણીની બાબતમાં કોઈ પણ જાતની તકલીફ વેઠવી ન પડે, એને અગાઉથી જ વિચાર કરીને જરૂરી પગલાં, સમયસર, ભરવામાં આવે છે. ૧૦, ૧૧, ૧૨. પેઢી હસ્તકના પાલીતાણા પાસેના છાપરિયાળી ગામમાં ચાલતી જીવદયા અને પ્રાણી રક્ષાની કામગીરી, પાલીતાણાની પેઢીની પાંજરાપોળ અને ખેડાઢેરના ચરાણ માટે પેઢીએ વેચાણ લીધેલી જમીનની વિગતે, એને લગતા દસ્તાવેજો સાથે, “છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી” નામે આ ગ્રંથના ૧૫ મા પ્રકરણમાં આપવામાં આવી છે, એટલે એની વિગતો અહીં આપવામાં આવી નથી ૧૩. પિતા હસ્તકનાં જુદાં જુદાં ધાર્મિક કે ધર્માદા ખાતાંનાં નાણાંની બરાબર સાચવણી થતી • • રહે, અને ક્યારેક એ જોખમમાં મુકાઈ જાય એવી ચિંતાજનક સ્થિતિ ઊભી થવા પામી : હેય ત્યારે પણ, એ જોખમમાંથી પૂરેપૂરા બચી જવાય અથવા પેઢીને ઓછામાં ઓછું આર્થિક Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ નુકસાન વેઠવુ પડે, એ માટે પેઢીને કેટલું જાગ્રત રહેવું પડે છે, અને કાઈક વાર તા, ધર્મબુદ્ધિ અને પાપભીરુતાથી પ્રેરાઈને, એક ધર્માંક વ્ય તરીકે, સામી વ્યક્તિ નારાજ થાય એવી, કેવી કેવી કપરી કામગીરી બજાવવી પડે છે, એની ખૂબ જાણવા જેવી તેમ જ જાહેર સંસ્થાએએ અનુકરણ કરવા જેવી માહિતી આ ગ્રંથના “ નાણાંની સાચવણીની કપરી કાÖવાહી ’’ નામે ૧૪ મા પ્રકરણમાં રજૂ કરવામાં આવી છે. ૧૪. બાઈ મેનાએ, આ બાબતમાં, તા. ૧૪-૩-૧૯૦૪ સામવાર (વિક્રમ સં૰૧૯૬૦, ફાગણ વિદ ૧૩ ) ના રાજ, તે વખતના વડાદરા રાજ્યની હકૂમતવાળા વીજાપુર ગામની કામાં, કરી આપેલા દસ્તાવેજમાંનું થ ુંક લખાણ આ પ્રમાણે છે— “ શ્રી પાલીટાણાની શેઠ આણંદજી કલ્યાંણુજી પેઢીના વહીવટ કરનાર પ્રતીનીધી ૧. શેઠ લાલભાઈ ક્લપતભાઈ તથા ૨. શેઠે જેશ ગભાઈ હઠીસંગ તથા ૩. શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા ૪. શેઠ ચમનલાલ નગીનદાસ તથા પ. ઝવેરી વાડીલાલ વખતચંદ તથા ૬. વકીલ સાંકલચંદ રતનચંદ તથા ૭. વકીલ હરીલાલ મછારામ......સરવે અમદાવાદનાં જોગ લખી આપનાર પારસાત બાઈ મેનાં શા. હાથી ઊગરચંદની વીધવા આરત.........એ વીજાપુર તાખે પ્રાંત કડી રાજ્ય વડાદરાની; ગામમાં વહીવટદાર કચેરીથી તલાવ ઉપર જવાનાં રસ્તાની દક્ષણાદી બાજુએ દુકાન નંગ ૧ છે.......તે દુકાન આશરે કીમત રૂ. ૧૦૦] કે એકસે કલદારની છે. તે દુકાન હું આજરાજે પાલીટાણુાનાં શેત્રુ ંજ્ય ડુંગરની જાત્રાએ આવનારા પૈકી ઊકાલેલું પાણી પીનારાઓ માટે તમારી પેઢી તરફથી ઊકાલેલા પાણીની પરબ ચાલે છે તે પરબમાં આપું ..........તે અમને અમારા વાલી વારસે સહ કબુલ મંજૂર છે. તારીખ ૧૬-૩-૧૯૦૪.' ( આમાં દસ્તાવેજની શરૂઆતમાં તા. ૧૪-૩-૧૯૦૪ નોંધી છે અને અહી. અંતમાં તા. ૧૬-૩-૧૯૦૪ લખી છે, તે દસ્તાવેજ લખ્યાની અને એની નોંધણી કરાવ્યાની તારીખેા છે, એમ સમજવું.) આવા ધર્મકાર્યમાં રકમ નાની હાય કે માટી એનું એટલું મહત્ત્વ નથી લેખાતું, જેટલુ મહત્ત્વ એની પાછળની ભાવનાનુ` હેાય છે. અને અહી` તે! આ પ્રસ`ગમાં સ્રોસ ધ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી ઉપર કેવા વિશ્વાસ ધરાવે છે, એ વાત પણ વિશેષ નોંધપાત્ર છે. ૧૫. “ ધરમાદાનું વીલ ’’ નામે આ વીલનું થાડુંક લખાણ નીચે આપવામાં આવે છે— “ સંવત ૨૦૦૭ના અસાડ વદ ૭ ને વાર બુધ તા. ૨૫ માંહે જુલાઈ સને ૧૯૫૧ના દર્દીને સાબરકાંઠા જીલ્લાના ઈડર સ્ટેટ તાલુકા તાબાના વડાલી ગાંમના રહીસ દાસી ચુનીલાલ રખચંદ ઊ. આ. વ. ૬૨......મારી પાછળ પુત્ર, પુત્રી–સંતતી નથી તેમ જ મારાં સ્ત્રી પણુ ગુજરી ગએલ છે અને હાલમાં હું એકલાપણે હાઈ મારી હાલમાં ગણા જ દિવસથી તખીયત નાદુરસ્ત રહે છે. .........મારી હયાતી બાદ મારી મીલકતની કઈ રીતે ગેરવ્યવસ્થા ન થાય અને સારા મારગે ધરમાદામાં ઉપયોગ થાય તે કારણસર આ લેખ કરું છું. “ હાલના હીસાબે હાલમાં મારી પાસે નીચે મુજબની મીલકત છે. “ તેની નીચે પ્રમાણે વ્યવસ્થા કરવા સારૂ મારા ભસાના સે આણુંદજી કલ્યાણજી Page #192 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા અમદાવાદના જૈન શ્વેતામ્બર મુર્તિપૂજક જૈન શ્રેમના પ્રતિનીધીને મારી મિલકતના વહીવટદાર નીમ છું તે જે જે વખતે મજકુર પેઢીના જે જે ટ્રસ્ટીઓ હોય તેમણે મારી હયાતી બાદ મારી જે જ મીલકત બચત હોય તે પિતાના કબજે લેવી અને તે વેચી હરાજ કરી તેની જે રકમ ઉપજે તે રકમની અને તેની વ્યવસ્થા નીચે જણાવ્યા પ્રમાણે કરવી ધરમાદામાં કરવી “૧. મારી બચત રહેલ મીલકતને ૧/૪ ભાગ ગાયના ઘાસસારા (ચાર)માં વાપરો. “૨. ત્યા ૧/૨ ભાગ કબુતરાંને દાણા નાખવામાં વાપરો. . . છે અને ૧/૪ ભાગ ઊચ કામના સાધરમી ગરીબ માંણસોને ખાવા માટે અનાજ આપવામાં ત્થા જીવ છોડાવવાના કામમાં વાપરવા.” આ વીલ કરનાર શ્રી ચુનીભાઈએ પોતે જ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર પોતાને ભરોસો હોવાનું લખ્યું છે, એ જ બતાવે છે કે, એમણે પિતાના વીલને અમલ કરવાનું કામ પોતાના કેઈ મિત્ર, સગા કે સ્નેહીને ન સોંપતાં પેઢીને પૂરી સમજણ અને પૂરા ઈતબારથી સેપ્યું હતું. શ્રી ચુનીભાઈ દોશીએ કરેલ આ વીલમાંનું એક વાક્ય એમની ઉદારતા અને દયાભાવનાને ખ્યાલ આપે એવું છે, તેથી તે અહીં નોંધવા જેવું છે, જે આ પ્રમાણે છેઃ “તે સીવાયનું બીજુ જે લેણું લોકવુ વસુલ કરવાનું બાકી હોય તે તમામ લોકવુ લેણુ મારી હયાતી પછી કોઈએ લોકે પાસેથી વસુલ કરવાનું નથી.” (“લેકવુ લેણું” એટલે કે પાસેનું લેણું.) ૧૬. વિ. સં. ૨૦૧૨ના શ્રાવણ વદિ ૮, તા. ૧૩–૭–૧૮૫૫ના રોજ લખેલ અને તા. ૧૮-૭–૧૯૫૫ ના રોજ સરકારી દફતરમાં રજીસ્ટર કરવામાં આવેલ પિતાને વસિયતનામા (વીલ)માં શ્રી પન્નાલાલજી સનીએ લખ્યું છે કે– -: “मनके पन्नालाल वल्द लिछमनदास जात सुनार साकिन जैसलमेरका हूँ : "मेरी उमर अब करीबन ७८ सालकी हो चुकी है। जिन्दगीका कोई भरोसा नहीं है । मेरे कोई औलाद नहीं है, न कोई मेरा वारिस ही है।... ...मैं चाहता हूँ कि मैं मेरी जिन्दगीमें ही मेरी जायदादका इन्तजाम कर ગાર્જ ઐન ઘા સિયતનામા તા: ૨૨-૭-કરૂ ઢિલીયા ના સર સયાलत रियासत जैसलमेरमें रजिस्ट्री कराया था जिसको बदल कर आज यह दूसरा वसियतनामा लिखा देता हूँ। पहिले वाला बसियत अब बेअसर રમણ ના ! (પિતાના આ વસિયતનામાના અમલ માટે પોતે પાંચ ટ્રસ્ટીઓની નિમણુક કરતા હોવાનું લખીને એમનાં નામે લખ્યાં છે.) તે પછી તેઓ લખે છે કે – ' A ... ... ... મરનારા વર્ષો જ કાર નો માં નાથવાર યાદી बचेगी उसमसे आधी जायदाद श्री १०८ बाबा कालीकमली वाला रामनाथजी क्षेत्र हृषीकेस, हृषीकेस जिला देहरादूनके यहाँ भेज देखेंगे और आधी जायदाद सेठ आनन्दजी कल्याणाजीनी शा. आ (शाखा) पेढी पालीतणानी जैन स्वेताम्बर पेटी पालीतणाके यहाँ भेज देगे । श्री बाबा कालीकमली बालेके यहाँ और श्री पालीतणामे मेरे खाते हैं, उन्ही खातोंमे मेरी जायदाद या उतनी कीमतके Page #193 -------------------------------------------------------------------------- ________________ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ रुप्ये जमा कराये जायेंगे और उस रकमका जो ब्याज आवेगा यह धर्मार्थ लगाया जावेगा । अगर ट्रस्टी या कोई भी सख्स उपर लिखी मुज्ब बातोंमे' बाधा डालेंगे तो वे धर्मसे विमुख होंगे।" (અર્થ-હું લિછમનદાસને પુત્ર પન્નાલાલ, જાતે સોની અને રહેવાસી જેસલમેરને છું, મારી ઉંમર અત્યારે આશરે ૭૮ વર્ષની થઈ ચૂકી છે. જિંદગીને કોઈ ભરોસે નથી. મારે કઈ સંતાન નથી, મારે કોઈ વારસદાર નથી. ...હું ઈચ્છું છું કે, મારી હયાતીમાં જ મારી મિલક્તની વ્યવસ્થા કરતો જાઉં. મેં, તા. ૨૯-૭–૪૩ના રોજ, એક વસિયતનામું લખાવ્યું હતું અને તે જેસલમેર રાજ્યની અદાલતમાં રજિસ્ટર કરાવ્યું હતું. એને બદલીને આજે આ બીજું વસિયતનામું લખાવી દઉં છું. હવે પહેલું વસિયતનામું નકામું સમજવામાં આવે.” ... ...(પિતાના આ વસિયતનામાના અમલ માટે તે પાંચ ટ્રસ્ટીઓની નિમણુક કરતા હેવાનું લખીને એમનાં નામો લખ્યાં છે. તે પછી તેઓ લખે છે કે-) “મારા મરણનું ખર્ચ ર્યા પછી જે કંઈ મિલકત બાકી બચશે, એમાંથી અડધી મિલક્ત શ્રી ૧૦૮ બાબા કાલીકમલીવાલા રામનાથજી, ક્ષેત્ર હષિ કેશ, મુ. હષિકેશ, જિલે દેહરાદૂન–એને મોકલી આપવી; અને અડધી મિલકત શેઠ આણંદજી કલ્યાણજીની પાલીતાણુની શાખા પેઢી જૈન વેતાંબર પેઢીને પાલીતાણા મોકલી આપવી. શ્રી બાબા કાલીકમલીવાલાને ત્યાં તથા શ્રી પાલીતાણુમાં મારાં ખાતાં છે, એ ખાતાંમાં જ મારી મિલકત અથવા એટલી કિંમતના રૂપિયા જમે કરાવવામાં આવે અને એ રકમનું જે વ્યાજ આવે તે ધર્મના કામમાં વાપરવામાં આવે. જે ટેસ્ટી કે કોઈ પણ શમ્સ ઉપર લખેલી વાર્તામાં અંતરાય નાખશે, તો તેઓ ધર્મથી વિમુખ થશે.) આ વસિયતનામું કર્યા પછી આશરે સાળ મહિના બાદ, વિ. સં. ૨૦૧૩ના કારતક સુદિ પૂનમના દિવસે, શ્રી પન્નાલાલજી સેનીને સ્વર્ગવાસ થયે હતો. આ હકીક્ત એમના વસિયતનામાના એક ટ્રસ્ટી, જેસલમેરના શ્રી જેહારમલજી ભણસાળીએ, તા. ૨૬-૧૧-૧૯૫૬ ના રોજ, અમદાવાદ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર લખેલ પત્રથી જાણી શકાય છે. આ પત્રમાં આ સમાચાર તથા એમના વસિયતનામાના અમલ અંગે કરવાની કાર્યવાહીને નિર્દેશ કરવા ઉપરાંત, પત્ર પૂરું કર્યા પછી, એમણે આ પ્રમાણે નોંધ કરી છેઃ “નહિ S/o लछमनदास सोनार वही पार्टी है, जीसने पहिले भी आपको रु. ३०००। જે મન જ સાપ વaાં રાતા ટા થા !” (અર્થાત લછમનદાસ સોનીના પુત્ર પનાલાલ એ જ વ્યક્તિ છે, જેમણે પહેલાં પણ, આપના ઉપર રૂ. ૩૦૦૦] મોકલીને આપને ત્યાં ખાતું ખોલાવ્યું હતું.) શ્રી બ્રહારમલજી ભણશાળીના પત્રમાંના આ ઉલલેખથી એમ જાણી શકાય છે કે, શ્રી પન્નાલાલજી સોનીએ પિતાનું વસિયતનામું કર્યું તે પહેલાંથી તેઓ પેઢીના નામ અને કામથી પરિચિત તથા પ્રભાવિત થયા હતા. શ્રી પન્નાલાલજીના સ્વર્ગવાસ પછી, એમના વસિયતનામામાં જણાવ્યા મુજબ, એમની મિલકતની વહેંચણી કરવાની કાર્યવાહી માટે કાયદેસર વિધિ પતાવવામાં, આશરે સાડા ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયે. અને છેવટે એમની મિલક્તના અડધા ભાગના રૂ. ૩૩૪૪૮-૩૬ નવા પૈસા, તા. ૨૧-૬-૧૯૬૦ના રોજ, પેઢીને મળી ગયા હતા. (આમાં રૂ. ૩૩૪૦૦-૦૦ બેંકના ડ્રાફથી અને રૂ. ૪૮-૩૬ મનિઓર્ડરથી આવ્યા હતા.) Page #194 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા ૧૪૭ - આ ગ્રંથના પૃ૦ ૧૨૮ ઉપર આ રકમ રૂ. ૩૩૪૪૯-૯૦ પૈસા જેટલી પેઢીને મળી હેવાનું લખ્યું છે, તેને ખુલાસો આ પ્રમાણે છેસ્વર્ગસ્થ શ્રી પન્નાલાલ સોનીની કુલ મિલકત રૂ. ૬૭૦૦૦) બે સરખે ભાગે વહેંચવાની થતી હતી. એ હિસાબે શેઠ આણંદજી કલ્યાણજીના ભાગ રૂ. ૩૩૫૦૦ની રકમ આવતી હતી. આમાંથી રૂ. ૩૩૪૦૭ના બેંક ડ્રાફના કમીશનના રૂ. ૫૦-૧૦ તથા રૂ. ૧-૫૪ રજીસ્ટર તથા મનિઓર્ડર વગેરેના ટપાલ ખર્ચના મળીને કુલ રૂ. ૫૧-૬૪ બાદ જતાં પેઢીને બાકીના રૂ. ૩૩૪૪૮-૩૬ મળ્યા હતા. અને વીલમાં સૂચવ્યા મુજબ પેઢીના પાલીતાણાના ચેપડામાં પણ આટલી રકમ જ જમા કરવામાં આવેલી છે. આ રકમ મળી ગયા પછી પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એના વ્યાજના ઉપગ અંગે તથા એ મૂડીના રોકાણ અંગે, આ પ્રમાણે બે ઠરાવ કર્યા હતા આવકને ઉપયોગ :–“જેસલમેરના સેની પનાલાલ લછમણદાસના વીલ મુજબ રૂ. ૩૩૪૪૮–૩૬ અંકે રૂપીયા તેત્રીસ હજાર ચાર અડતાલીસ અને છત્રીસ નયા પૈસા આવેલા છે. તેનું વ્યાજ ધર્માથે વાપરવાનું છે. તેથી ઠરાવવામાં આવે છે કે આ રકમનું વ્યાજ દર વર્ષે છાપરીયાળી પાંજરાપોળમાં જીવદયા ખાતે વાપરવા માટે આપવું.” (તા. ૧૬-૭–૧૯૬૦) શ્રી પન્નાલાલજી સોનીને જીવદયાનાં કામે ઉપર વિશેષ ભાવ હતો એટલે એમની ભાવનાને ન્યાય આપવા પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ કેટલે ખ્યાલ રાખ્યું હતું, તે આ ઠરાવ ઉપરથી જાણી શકાય છે. મૂડીનું રોકાણ :–“જેસલમેરના સુનાર પનાલાલ લછમનદાસના વીલથી ધમોથે વાપરવા ૨,૩૩૪૪૮– મળેલા છે, અને જેનું વ્યાજ છાપરિયાળી પાંજરાપોળમાં જીવદયા ખાતે વાપરવા તા. ૧૬-૭-૬૦ના રાજ ઠરાવ કરેલે, તે રકમમાંથી ૬૩ ટકાના ટેક્ષ કી ન્યુ ટેન્ડર્ડ એજીનીયરીંગ કંપનીના ૩૪૦ ત્રણ ચાલીસ પ્રેફરન્સ શેર ખરીદવા મંજૂર કરવામાં આવે છે.” (તા. ૨૭–૮–૧૯૬૦) શ્રી પન્નાલાલજી સોની જન્મ જૈન નહીં હોવા છતાં એમને જૈનધર્મ ઉપર શ્રદ્ધા કેવી રીત જાગી હશે અને એમને પિતાની અડધી મિલકત એક જૈન સંસ્થાને આપવાની જોગવાઈ પોતાના વસિયતનામામાં કરવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે, એની જિજ્ઞાસા મને સહજપણે જ થઈ. એટલે, પરમપૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજ મારફત, શ્રી જૈસલમેર લૌદ્રવાપુર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ, જૈસલમેર”ના નવી દિલ્લીમાં રહેતા એક ટ્રસ્ટી શ્રી નેમચંદજી કહૈયાલાલજી બરડને સંપર્ક સાધતાં આ બાબતમાં, એમના તા. ૭–૧૦–૧૯૭૯ના પત્ર દ્વારા, જે માહિતી મળી, તે નીચે મુજબ છે – “શ્રી પન્નાલાલજી સોની અજૈન (વેષ્ણવ ધર્માવલંબી) હતા, પરંતુ જૈન મુનિઓનાં વ્યાખ્યાને સાંભળવાથી તથા એમના સંપર્કમાં રહેવાથી એમને જૈનધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા થઈ હતી.” આ ઉપરાંત શ્રી બુરડજીએ એમના તા. ૨૪-૧૨-૧૯૭૯ના પત્રમાં જણાવ્યું હતું કે સ્વ. શ્રી પનાલાલજીના પિતા જૈનધર્મ ઉપર શ્રદ્ધા ધરાવતા હતા. તેથી સ્વશ્રી પનાલાલજીમાં પણ નાનપણથી એ જ સંસ્કાર પડ્યા હતા. જીવનભર તેઓ શાકાહારી રહ્યા હતા; અને મંદિર વગેરેના દર્શન માટે જતા હતા.” Page #195 -------------------------------------------------------------------------- ________________ શેઠ આવકની પેઢીને ઇતિહાસ શ્રી બુરડજીના આ ખુલાસાથી શ્રી પન્નાલાલ સોનીને પિતાના વસિયતનામામાં પિતાની અડધી સંપત્તિ એક જૈન સંસ્થાને આપવાની પિતાની ઈચ્છા હોવાનું લખવાનું વિચાર શાથી આવ્યું હશે તેને ખુલાસે તે મળી ગયે; પણ પિતાની અડધી સંપત્તિનું દાન, રાજસ્થાનની જ કાઈ જૈન સંસ્થાને આપવાનું વિચાર આવવાને બદલે, શેઠ આણંદજી - કલ્યાણજીની પેઢીની છેક પાલીતાણા શાખાને આપવાનું વિચાર શાથી આવ્યો હશે, તેને ખુલાસે મેળવવાનું બાકી રહી જતે હતો. આ જિજ્ઞાસાને સ્પષ્ટ રૂપમાં સંતેષે એવો એક્કસ ખલાસ મેળવવા પ્રયત્ન કરતાં જે આછો-પાતળો ખુલાસે મળી શક્યો છે, તે અહીં નોંધ -ઉચિત લાગે છે, જે આ પ્રમાણે છે– પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, જેસલમેરના ભંડારોના ઉદ્ધાર માટે, વિસં. ૨૦૦૬ના માહ માસમાં, જેસલમેર પહોંચ્યા હતા અને વિ. સંe - ૨૦૦૭ના જેઠ મહિના સુધી એટલે આશરે સેળ મહિના સુધી, ત્યાં રોકાયા હતા. આ "અરસામાં શ્રી પન્નાલાલ સોની એમને સંપર્કમાં આવ્યા હોય, અને તેથી અથવા તેઓશ્રીની : ભલામણથી, એમને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પાલીતાણા શાખાને દાન આપવાને વિચાર આવ્યું હોય, એ બનવા જોગ છે. આ અંગે પરમપૂજ્ય મહારાજજીની સાથે જેસલમેરમાં રહેલા પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજકને પૂછતાં શ્રી પન્નાલાલજી એની મહારાજશ્રી પાસે આવતા હોવાનું પિતાને કંઈક આછું સ્મરણ હોવાનું એમણે કહ્યું છે. વળી શ્રી નેમચંદજી બરડે, આ બાબતમાં, પિતાના તા. ૩૦-૯-૧૯૭૯ના પત્રમાં લખ્યું હતું કે “ એ બનવા જોગ છે કે, પરમપૂજ્ય આચાર્ય પુણ્યવિજયજીથી પ્રભાવિત થઈને (એમણે) આણંદજી કલ્યાણજીની પેઢીને દાન આપ્યું હોય.” !શ્રી પન્નાલાલજી સોનીના વસિયતનામાના એક ટ્રસ્ટી શ્રી જેહારમલજી ભણશાળીએ, પેઢીને, તા. ૨૬-૧૧-૧૯૫૬ના રોજ લખેલ પત્રને, આ નંધમાં, ઉપર ઉલેખ કરવામાં આ છે; એમાં શ્રી પન્નાલાલજી સનીએ પિતાનું વસિયતનામું કર્યા પહેલાં પેઢીની પાલીતાણ શાખાને જ ત્રણ હજાર રૂપિયા મોકલ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે, તે બાબત પણ, સંભવ છે કે, આવો નિર્ણય કરવામાં ઉપયોગી બને. એ ગમે તેમ હોય, અહીં મુદ્દાની વાત એ છે કે, જેસલમેર જેટલા દૂરના સ્થાનમાં રહેતા. સોની જ્ઞાતિના એક અજૈન ધર્માનુરાગી સદ્ગહન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ એવો વિશ્વાસ સંપાદન કર્યું હતું કે, જેથી એમણે પોતાની અડધી મિલકતનું પેઢીને દાન આપવાની ગોઠવણુ પિતાના વસિયતનામામાં કરી હતી. પેઢીની વિશ્વસનીયતાને એક વધુ પુરા છેક આગરા શહેરના એક દેરાસરના ટ્રસ્ટીને પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર કેટલે બધે વિશ્વાસ હતો, તે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૩-૧૨-૧૯૫૫ ના રોજ, કરેલ નીચે મુજબના ઠરાવ ઉપરથી જાણી શકાય છે આગ્રાથી શ્રી ગેડીજી પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ટ્રસ્ટી લાલા ચાંદમલજી દલાલ તરફથી તે મંદીરના રૂા. ૧૧૮૮૭–૧૩-૬ તેમની પાસે જમા હતા, તે અત્રે મેકલવામાં આવેલ છે, તે હકીકત રજુ થતાં ઠરાવ કે “ઉપરના રૂપીઆની સને ૧૯૬૦ની પણું ત્રણ ટકાની રૂ. ૧૨૦૦૦ની લેન લેવી અને તે, પેઢીના ઠરાવ મુજબને વહીવટદાર Page #196 -------------------------------------------------------------------------- ________________ પઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા પ્રતિનિધિઓને નામ પર ચડાવવી અને તે રકમ ત્થા તેનું વ્યાજ આગ્રાના શ્રી ગોડીજી પાર્શ્વનાથ તથા શ્રી સીમંધર સ્વામીના દેરાસરના ટ્રસ્ટીઓને તે દેરાસરના ખર્ચમાં વાપરવા માટે આપવું.” અને આ પછી છએક મહિના બાદ જ, આ દેરાસરના વહીવટકર્તા બદલાતાં, એમણે દેરાસરની રકમ પાછી માગતાં, એ અંગે કશી હાને કર્યા વગર, એ રકમ પાછી આપવાની જોગવાઈ, તરત જ કેવી રીતે કરવામાં આવી, તે વહીવટદાર પ્રતિનિધિઓએ તા. ૫-૫-૧૯૫૬ ના રોજ કરેલ નીચે મુજબના ઠરાવથી જાણવા મળે છે– આગ્રાથી શ્રી દીવાનચંદ જૈનને તા. ૧૮-૪-૫૬નો પત્ર રજુ થતાં ઠરાવ કે–આગ્રાના શ્રી ગોડીજી પાર્શ્વનાથના ત્થા શ્રી સીમંદર સ્વામીના દેરાસર ખાતાની સને ૧૯૬૦ની પણ ત્રણ ટકાની રૂ. ૧૨૦૦૦ ની બાર હજારની લોન અમદાવાદ કેસર સુખડ ખાતે, બજાર ભાવે, વેચાણ રાખી લેવા મંજૂર કરવામાં આવે છે.” વિશ્વાસ મૂકી વિશ્વાસ જીતવાને એક પ્રસંગ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૨૪-૧૨-૧૯૬૦ને કરેલ ઠરાવ, ભાવિક યાત્રિક ક્યારેય ખોટું બોલે જ નહીં એવો પાકે વિશ્વાસ એમને હોવાની સાક્ષી પૂરે છે. અને જ્યારે પેઢી યાત્રિક ઉપર આવો દૃઢ વિશ્વાસ ધરાવતી હોય ત્યારે, એના એક સહજ પરિણામ રૂપે, શ્રીસંઘ પેઢી ઉપર પૂરેપૂરો વિશ્વાસ ધરાવે એમાં શી નવાઈ ? આ ઠરાવ આ પ્રમાણે છે– “સંવત ૨૦૧૭ના માગશર સુદ ૩ નું ભાતું “શેઠ કસ્તુરભાઈ ચંદુલાલ ચુનીલાલ કે. ઘાંચીની પળ અમદાવાદના નામથી વહેચવામાં આવેલું. તેમાં રૂ. ૫૭૩-૮૦ ખર્ચ થએલું. પરંતુ શેઠ મજકુરને આંકડો મોકલતાં તેઓ જણાવે છે કે તેમની તરફથી ભાત હેચવા તેમણે સુચના આપેલી નથી. તેથી આ ખર્ચ માટે તેઓ જવાબદાર નથી. આ હકીકત ધ્યાનમાં લેતાં મજકુર ખર્ચના રૂ. ૫૭૩-૮૦ તલાટી ભાતાના ખર્ચ ખાતે માંડવા મંજૂર કરવામાં આવે છે.” ૧૭. વિ. સંવની અઢારમી સદીની શરૂઆતથી જ શ્રી શત્રુંજય મહાતીર્થ ને વહીવટ અમદાવાદના શ્રીસંઘના હાથમાં હતા, એ વાતને બેલતો અને સચોટ પુરાવો એ છે કે, પાલીતાણું રાજ્ય સાથે ખેપાને સૌથી પહેલે કરાર, વિ. સં. ૧૭૦૭ની સાલમાં, નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી. રત્ના અને સરા એ ત્રણ અમદાવાદ શ્રીસંઘના અગ્રણીઓના જ નામથી થયા હતા. ખરી રીતે તે, શ્રી શત્રુંજય તીર્થને વહીવટ આ અગાઉના સમયથી જ-એટલે કે નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કાર્યકાળથી ( વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધથી ) જ-અમદાવાદના શ્રીસંધના હાથમાં હતા. આમ છતાં પાલીતાણ શહેરમાં ક્યારેક એક ગરછના તો કથારેક બીજા ગ૭ના શ્રીપૂજ અને યતિઓનું વર્ચસ્વ કે જેર એટલી હદે વધી જતું કે જેથી તીર્થાધિરાજની યાત્રા કરવા માટે પણ, એક ગ૭ના શ્રીપૂજ્ય તથા યતિઓએ, પાલીતાણામાં વર્ચસ્વ ધરાવતા બીજા ગરછના શ્રીપૂજ્ય પાસેથી, રજા મેળવવી પડતી. અને આમાંથી ક્યારેક ક્યારેક કલહ અને મારામારી પણ થઈ જતાં. શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની અમદાવાદ-પાંજરાપોળમાં સ્થપાયેલ જ્ઞાનશાળામાં. બે પાનાંની એક હસ્તલિખિત પ્રત છે, એમાં વિ. સં. ૧૮પરના વૈશાખ માસમાં, તપગચ્છ અને ખરતરગચ્છના શ્રીપૂજ અને યતિઓ વચ્ચે, ગિરિરાજની તળટીમાં જ, થયેલ મારામારી, Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ રોમાંચ ખડા કરે એવું, કાવ્યમય વન, મારવાડી-હિંદી ભાષામાં કરેલ છે. તપગચ્છના શ્રોપૂજ્યજીએ પોતાની રજા મેળવીને પછી ગિરિરાજની યાત્રા કરવાનું ખરતરગચ્છના શ્રીપૂયજીને કહ્યું. એમાંથી આ સાઠમારી ઊભી થઈ હતી. ખરતરગચ્છના ભાજક ભીમડાએ રચેલ આ કાવ્ય વાંચતાં આ મારામારી કેટલી ઉગ્ર અને જૈન શાસનની હિલના નાતરનારી બની હશે, તેના ખ્યાલ આવી શકે છે. પણ જૈન શાસનના મહિમાને ઝાંખપ લગાડનાર આ પ્રસ`ગનું વર્ણન કરતી વાણી અહી` રજૂ કરવી ઉચિત લાગતી નથી. ૧૮. બારૉટા સાથે, એમની સાથે સમાધાન થયા પછી પણ, સમાધાનની જોગવાઈ અનુસાર પેાતાને મળનાર ભાગ (પૈસા)ના બદ્લામાં, કયારેક જરૂર ઊભી થતાં, ભારાટ કામની કાઈ કાઈ વ્યક્તિને અગાઉથી લેાન મેળવવા માટે માગણી કરવાને પ્રસંગ ઊભા થાય છે. આવા પ્રસ ંગા કયારેક સહેલાઈથી ઊકલી જાય છે, તેા કયારેક એમાંથી એવા પ્રશ્નો ઊઠવા પામે છે કે, જેથી મનદુઃખ કે કલહ થવા પામે છે. આવા પ્રશ્નોને પેઢીએ ખૂબ કુનેહ અને ધીરજથી ઉકેલવા પડે છે. (બારૈાટા સાથે થયેલ સમાધાનની વિગતા “ પાલીતાણા રાજ્ય સાથે રખાપાના કરાર ’’ નામે ૧૦મા પ્રકરણમાં આપવામાં આવી છે.) k ૧૯. આવા જ ખીજા બે પ્રસંગેા પણ ધ્યાનમાં લેવા જેવા હાઈ એની વિગતા સંક્ષેપમાં અહીં રજૂ કરવી ઉચિત લાગે છે— પહેલા પ્રસંગ—આ બનાવ સને ૧૯૫૬માં શરૂ થયા હતા અને સને ૧૯૬૦માં એને અ'ત આવ્યા હતા. પાલીતાણામાં રચાયેલ “શ્રી શેઠ આણુ દજી કલ્યાણજી પેઢી નાકરિયાત મ`ડળ ’ નામના મંડળે પેઢી સામે ઇન્ડસ્ટ્રીઅલ ડિસ્પ્લેટ એકટ સને ૧૯૪૭ મુજબ, રાજકોટના ઇન્ડસ્ટ્રીઅલ ટ્રીબ્યુનલની કચેરીમાં એક દાવા દાખલ કર્યાં હતા. આ દાવામાં પેઢીએ પેાતાની નેાકરીમાં રાખેલ અને પહાડ ઉપર ગરમ પાણી લઈ જવાની, ભાતા તલાટીમાં યાત્રાળુઓની સરભરા કરવાની તથા પેઢીના ભાતાની વસ્તુ તૈયાર કરવાના કારખાનામાં કામગીરી કરતી કુલ ૩૬ મજૂર બહુનાને રાજના સાડાદસ આનાની રોજી આપવામાં આવતી હતી, તેના બદલે દાઢ રૂપિયો આપવાની મુખ્ય માગણી સાથે ખીજી પણ ત્રણ માગણીઓ કરવામાં આવી હતી; અને આ માગણી પેઢી એક ઔદ્યોગિક સસ્થા હાવાની રજૂઆત કરીને કરવામાં આવી હતી. પેઢીને એક ઉદ્યોગ ચલાવતી સંસ્થા કે ક`પની લેખવામાં આવે, એ પેઢીને હરિગજ મંજૂર ન હતુ, અને પેઢી જો, કાયદાની પરિભાષામાં, કાર્ટમાં એક ઔદ્યોગિક સંસ્થા પુરવાર થાય તા એનું એક ધાર્મિક સ`સ્થા તરીકેતુ" પરાપૂર્વથી માન્ય થયેલું. આખું સ્વરૂપ જ બદલાઈ જતું હતુ, એટલે આ કેસની સામે વસ્તુસ્થિતિની સચાટ અને પ્રમાણભૂત રજૂઆત કર્યા વગર ચાલે એમ ન હતું. આ બાબતમાં મજૂર ખાતાના કન્સીલિયેશન ઓફિસ ( સમાધાન અધિકારીએ ) આ પ્રકરણનું સમાધાન કરાવવાના પ્રયાસ કર્યો, પણ તે નિષ્ફળ ગયા, એટલે નાકરિયાત મંડળે રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલને આ પ્રકરણના ફૈસલા આપવાની માગણી કરી. બન્ને પક્ષાની વાત સાંભળીને ટ્રીબ્યુનલે નેાકરિયાત મંડળની માગણીઓ માન્ય રાખીને એની તરફેણમાં અર્થાત્ પેઢીના વિરુદ્ધમાં ફૈસલા આપ્યા. પેઢી માટે આ પ્રશ્ન ઘણા જ અગત્યના હાઈ એની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની ખાસ પરવાનગી (Special Leave to Appeal ) મેળવીને એણે આ ચુકાદાની સામે સુપ્રીમ કમાં અપીલ દાખલ કરી. અને આ અપીલ તૈયાર કરવાનું અને તેને ચલાવ Page #198 -------------------------------------------------------------------------- ________________ પેઢીના કાર્યક્ષેત્રની રૂપરેખા વાનું કામ, ભારત સરકારના તે વખતના સોલીસીટર જનરલ સી. કે. દફતરી જેવા કાયદાના નિષ્ણાત અને બાહોશ ધારાશાસ્ત્રીને સોંપ્યું. (એમની વતી આ કામ એમની સાથે કામ કરતા, શ્રી આઈ. એન. શ્રોફ સંભાળતા હતા.) અપીલ કરવાની મંજૂરીની સાથે સાથે રાજકોટના ટ્રીબ્યુનલે નાણાની ચૂકવણી માટે જે આદેશ આપ્યા હતા, તેને અમલ, આ અપીલને નિકાલ ન થાય ત્યાં સુધીને માટે, સ્થગિત કરવાનો પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. આ પછી જ્યારે આ અપીલની સુનવણું સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટીસ–માનનીય શ્રી આર. બી. ગજેગડકર, માનનીય શ્રી કે. સુભારાવ અને માનનીય કે. સી. દાસગુપ્તા-પાસે નીકળી ત્યારે, આ કેસ ચલાવતાં પહેલાં, પેઢીના કાયદાશાસ્ત્રી સી. કે. દફતરીને કોર્ટ તરફથી એમ પૂછવામાં આવ્યું કે, આ કેસમાં ઓછી બહેનને (૩૬માંથી એક ગુજરી જવાથી ૩૫ બહેનને )જ રાજના સાડા દસ આનાના બદલે દોઢ રૂપિયા આપવા જેવી નાની રકમ ચૂકવવાને જ સવાલ રહેલો છે, તે પેઢી એ માટે તૈયાર છે કે નહીં ? સોલિસીટર જનરલ અને પેઢીના વકીલ શ્રી દફતરીએ આ માટે પેઢીની તૈયારી હોવાનું જણાવીને, સાથે સાથે, એ વાત પણ સ્પષ્ટ કરી કે, પેઢીને ઔદ્યોગિક સંસ્થા ગણીને એને ઉદ્યોગોને લગતા કાયદાઓ લાગુ પાડવામાં આવે એની સામે અમારો વાંધે ઊભે જ છે. છેવટે, પેઢીને ઔદ્યોગિક સંસ્થા ગણવી કે નહીં એની કાયદેસરતાના ગુણદોષમાં ઊતરવાનું જતું કરીને, માનનીય જસ્ટીસોએ રાજકેટના ટ્રીબ્યુનલને ચુકાદે માન્ય રાખે અને પેઢીની અપીલ કાઢી નાખી. (આ ફેસલો એમણે તા. ૧૯-૧-૧૯૬૦ના રોજ આપ્યો હતો. આ રીતે સને ૧૯૫૬ના જૂન મહિનામાં શરૂ થયેલ આ પ્રકરણને આશરે સાડા ત્રણ વર્ષ નિકાલ થયો હતે.) બીજે પ્રસંગ–ઉપર ને એવો જ બીજો પ્રસંગ સને ૧૯૬૯–૧૯૭૨ દરમ્યાન - બ હતો. એ અરસામાં ક્યારેક “શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ડુંગર કામદાર મંડળ”ની સ્થાપના પાલીતાણામાં થઈ હતી; અને પેઢીમાં કામ કરતા નેકરે એના સભ્ય બન્યા હતા. આ મંડળે ઈન્ડસ્ટ્રીયલ ડિરટ્યૂટ એકટ, ૧૯૪૭ અનુસાર, મિનિમમ વેજેસ એકટ (ઓછામાં ઓછા પગાર ધારા)ને આશ્રય લઈને, પેઢીને નોકરી માટે ઓછામાં ઓછો પગાર, મેંઘવારી ભથ્થુ, રજાઓ, બેનસ વગેરે નક્કી કરવાની માગણી કરતી અરજી મંજૂર ખાતાના કન્સીલીએશન ઓફિસરને (સમાધાન અધિકારીને), તા. ૧૨-૧-૧૯૭૦ના રોજ, કરી હતી અને એની નકલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પાલીતાણ શાખાને મોકલી હતી. આ પ્રકરણ લગભગ બે વર્ષ સુધી ચાલવા છતાં, ન તે સમાધાન અધિકારી કશું સમાધાન કરાવી શક્યા કે ન મંડળને પિતાની હિલચાલમાં કામિયાબી મળી. દરમ્યાનમાં આ મંડળમાંથી કેટલાક સભ્ય છૂટા થઈ ગયા, અને પ્રકરણ એમ ને એમ લંબાતું રહ્યું. અંતે ગુજરાત રાજ્યના શિક્ષણ અને મજૂર વિભાગના સેકશન ઓફિસરે, એના નં. એજેએ ૧૫૭૦/૭૪૮૪-ઝ, તા. ૧૮-૨-૭૧ન, ગાંધીનગરથી, નીચે મુજબ આદેશ-પત્ર લખે, તેથી આ પ્રકરણમાં પેઢીના લાભમાં એટલે કે મંડળના ગેરલાભમાં ફેસલો આવી ગયે, જે આ પ્રમાણે છે“શ્રી મેનેજર, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, પાલીતાણા, વિષય–પગાર, મેઘવારી, અઠવાડિક રજા વગેરે. “શ્રીમાન, આજ્ઞાનુસાર જણાવવાનું કે સરકારે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાલીતાણા અને Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ તેની નીચે નિયુક્ત થયેલા કામદારો વચ્ચેના ઉપરના વિવાદ સંબંધે સને ૧૯૪૭ના ઔદ્યોગિક વિવાદ અધિનિયમ : ૧૯૪૭ના ૧૪માંઃ ની કલમ ૧૨ની પેટા કલમ ૪૪ અન્વયે ભાવનગરના સમાધાન અધિકારીએ રજુ કરેલા અહેવાલ પર વિચારણા કરેલી છે અને સરકારને ખાત્રી થઈ છે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, પાલીતાણું ધાર્મિક અને ચેરીટેબલ પ્રવૃત્તિ કરતી સંસ્થા હોઈ, તેને ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, ૧૯૪૭ની જોગવાઈઓ લાગુ પડતી નથી. અને તે કારણે તે પેઢી અને તેના કામદારો વચ્ચે ઝગડે સદરહુ અધિનિયમની જોગવાઈ હેઠળ ન્યાયપંચને સોંપવાનું શક્ય નથી.” - આ આદેશ-પત્રથી આ વિવાદને આશરે બે વર્ષ અંત આવ્યું હતું. ૨૦. આ “યાદી' શબ્દને અર્થ, તે વખતના કાયદાની પરિભાષા પ્રમાણે, અમુક બાબતની જાણ કરતી નોંધ એવો થતું હતું, જેને અત્યારે “નેટ” કહેવામાં આવે છે. આ અંગે આ મુસદ્દામાં જ (પાનું ૪) જે જણાવવામાં આવ્યું છે, તે ઉપરથી આને ભાવ સ્પષ્ટ રૂપે ખ્યાલમાં આવી શકે છે. આ લખાણ આ પ્રમાણે છે – નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ સુધી આપણે પાલીતાણા દરબારને યાદી આપતા પણ અરજી કરતા નહીં'. નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ મરણના છેવટના કાળ સુધી કહેતા ગયા છે કે તમે પાલીતાણા દરબારની ગમે તેવી કનડગત પણ સહન કરજે પણ અરજી કરશે નહીં, A , “ પાછળથી પાલીતાણુ દરબારની કનડગતથી ધૈર્ય ખોઈ બેસીને અને “ અરજી આપે તે કઈ જાતને કજીયે રહેશે નહિ” તેમ પાલીતાણું દરબારના કહેવાથી અરજી કરી, જેના પરિણામે કજિયા વધ્યા, પાલીતાણું દરબારના હાથ મજબૂત થયા, અને પાલીતાણું દરબાર કુલ માલીકી તરીકે બહાર પડવા નીકળ્યા, અને આપણે અત્યંત દુઃખમય સ્થિતિમાં આવી પડ્યા છીયે.” (“ભગવદ્ ગોમંડળ” નામે કોષમાં “યાદ” શબ્દને એક અર્થ આ પ્રમાણે આપવામાં આવ્યું છે: “(૩) કહેણુ; ઊતરતા દરજજાવાળે વિનતિ ને ચડતા દરજજાવાળો યાદ કરે તેવો અધિ કારીઓ વચ્ચેને શિરસ્તે.” ઉપર આપેલ “યાદી” શબ્દ આ અર્થમાં જ લખવામાં આવ્યું છે.) ૨૧. સમાધાન માટેના આ મુસદ્દાની નકલ સ્વ૦ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સંગ્રહમાં છે, તેમાંથી આ લખાણ અહીં સાભાર ઉદ્દત કર્યું છે. પાંચમી પાદધની પુરવણી પૃ૦ ૧૩૬ થી ૧૩૯ સુધી શ્રી શત્રુંજય તીર્થ ઉપર પધરાવવાની મૂર્તિઓના - નકરાની સવિસ્તર માહિતી આપવામાં આવી છે, તેના અનુસંધાનમાં પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૧૫-૬-૧૯૫૮ના રોજ કરેલ આ ઠરાવ જાણો વિશેષ રસપ્રદ બની રહેશેઃ શ્રી ગીરીરાજ પર પ્રતિમાજી પધરાવવા જેમની ભાવના હોય, તેમને આપણી પાસે શ્રી ગીરીરાજ પર પણ દાખલની પ્રતિમાજીઓ છે તેમાંના પ્રતિમાજી, રીવાજ મુજબ નકરે વિગેરે લઈ પધરાવવા મંજુરી આપવી. પરંતુ પ્રતિમાજી પધરાવવાની ભાવનાવાળા ગૃહસ્થના નામરાશી પ્રમાણે મળતા આવતા પ્રતિમાજી આપણી પાસે ત્યાં ન હોય તે બહારથી લાવી પધરાવવા દેવા મંજૂર કરવામાં આવે છે.” આ ઠરાવ પેઢીના વહીવટદાર સામી વ્યક્તિની ધર્મભાવનાને ન્યાય આપવામાં, અમુક નિયમને ધૂળ દૃષ્ટિથી વળગી રહેવાને બદલે, કેવી ઉદારતા, ધર્મભાવના અને કેવા શાણપણને ઉપયોગ કરતા હતા તેનું દર્શન કરાવે છે, Page #200 -------------------------------------------------------------------------- ________________ ८ પેઢીનુ' બધારણુ પેઢીના સચાલન માટે, અત્યારની ષ્ટિએ કાયદેસર કહી શકાય એવું, પદ્ધતિસરનુ ખ'ધારણ તા, સૌથી પહેલાં, વિ॰ સ૦ ૧૯૩૬ ની સાલમાં (સને ૧૮૮૦ માં) ઘડાયું; પણ એ પહેલાં પણ શ્રી શત્રુંજય ગિરિરાજની સાચવણી અને સુવ્યવસ્થાનો કારાબાર હુ જ સારી રીતે અને દેશભરના જૈન સદ્યાને સંતેષ થાય એ પ્રમાણે ચાલતા હતા. અને તીનાં તથા યાત્રિકોનાં હિત અને રક્ષણની ખખતમાં જ્યારે કાઈ પણ પ્રકારનુ સ’કેટ કે જોખમ ઊભું થતું હતું, ત્યારે એનો મક્કમતાપૂર્વક સામનો કરીને અને તેટલુ વહેલુ નિરાકરણ થઈ જાય એવા પ્રયાસ સફળતાપૂર્વક કરવામાં આવતા હતા. આવા કોઈ પણ જાતની મુશ્કેલીના વખતમાં, પેઢીના જે તે વખતના સંચાલકા આત્મવિશ્વાસ અને દૃઢતાપૂર્વક કામગીરી બજાવીને એમાં સફળતા મેળવી શકતા હતા, એનુ મુખ્ય કારણ એ હતું કે, એમણે પેાતાની કાર્ય કુશળતા અને ધ્યેયનિષ્ઠાને લીધે દેશભરના શ્રીસદ્યાનો એવા વિશ્વાસ સ`પાદન કરેલા હતા કે જેથી આવા કોઈ પણ પ્રસંગે આખા દેશના સ`ઘેા એમની સાથે જ રહેતા, એમના આદેશાનુ' પૂરી તત્પરતા સાથે પાલન કરતા અને એમનું પૂરેપૂરુ· પીઠબળ પેઢીના સ...ચાલકેાને મળી રહેતું. મતલખ કે, કેાઈ પણ પ્રકારની મુશ્કેલીતું નિરાકરણ કરવાની જવાખદારી પેઢીના સંચાલકા પોતે જ નિભાવતા રહેતા હોવા છતાં, જાણે આખા સઘ એકદિલ અને એકએલ બનીને વતા હાય એવુ· અનોખુ વાતાવરણુ સરજાઈ જતું અને એની અસર પણ તરત તથા ઘણી સારી થતી. જ્યારથી તીર્થોનો વહીવટ સભાળતી પેઢી તથા ખીજી જાહેર સસ્થાઓ માટે ચાક્કસ પ્રકારનું બંધારણ ઘડવાની પ્રથાની શરૂઆત થઈ તે પહેલાં પણ પેઢીનો પ્રધા કારોબાર, પર પરાથી ચાલી આવતી પ્રણાલિકાએ મુજબ, ખરાખર ચાલતા રહેતા હતા; અને એમાં મહાજનપ્રથા અથવા પંચપ્રથાએ નક્કી કરેલી લક્ષ્મણરેખાનુ' (મર્યાદાનુ) કલ્યાણબુદ્ધિથી ખરાખર પાલન થતું રહે એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હતી. અને આમાં મુખ્ય ભાર, કાઈ પણ સંસ્થાના અથવ્યવહાર ભૂલ વગરનો, ચાખ્ખા અને સંસ્થાને કઈ પણ જાતનું આર્થિક નુકસાન થવા ન પામે કે એને દોષ ન લાગે એ માટેની પૂરી ચીવટ અને ઝીણવટવાળા હાય એ વાત ઉપર આપવામાં આવતા હતા. જે સસ્થાની આર્થિક વ્યવસ્થા દોષમુક્ત અને કાર્યક્ષમ હાય એ સંસ્થા યશનામી અને લોકોના વિશ્વાસને ૨૦ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ પાત્ર આપમેળે જ ખતી જતી હાય છે, જેના આર્થિક કારોખાર ચાખ્ખા એ સંસ્થાના બધા કારાબાર ચાખ્ખા લેખાઈ જાય એ સ્વાભાવિક છે. તેમાંય જ્યારે પવિત્ર તીર્થસ્થાના કે એવાં જ કાઈ ધાર્મિક કાર્યો અને ક્ષેત્રાની વ્યવસ્થા સભાળવાની વાત આવતી ત્યારે તેા, સમગ્ર વહીવટને જોવાની અને સભાળવાની દૃષ્ટિમાં પવિત્રતાથી શાભતી જવાબદારીનું વિશિષ્ટ તત્ત્વ ઉમેરાઈ જતું; અને તેથી જેને આવે વહીવટ સભાળવાના અવસર મળતા, તેઓ એક માજી આવા સુઅવસર મળવા અદલ પેાતાની જાતને ધન્ય માનતા અને બીજી ખાજી, પેાતાની અજાણુમાં કે ખનકાળજીને કારણે, આવી સંસ્થાને એક પાઈનું પણ નુકસાન થવા ન પામે કે એના સંચાલનમાં કાઈ પણુ જાતની ઊણપ રહેવા ન પામે, એ માટે ખરાખર સાવધાન રહેતા, એટલું જ નહીં, જ્યારે પણ આવું આર્થિક નુકસાન થતુ ત્યારે, જાણે પેાતાને જ નુકસાન થયુ. હેાય એવી ખેદની લાગણી અનુભવતા. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સચાલકોએ, પેઢીનુ બંધારણ ઘડાયું તે પહેલાં તેમ જ તે પછી પણુ, તીથૅ સંબંધી દરેક જાતની પાતાની જવાબદારીનુ સફળતાથી પાલન કરીને સંઘની જે ચાહના અને વિશ્વાસની લાગણી મેળવી છે, તે આવી સ્વચ્છ દૃષ્ટિ અને પવિત્ર ભાવનાને કારણે જ. ધારણના યુગ અગ્રેજોની શાસનપદ્ધતિની અસર આપણા દેશમાં જેમ જેમ વ્યાપક બનતી ગઈ, તેમ તેમ ધાર્મિક તથા ખીજી જાહેર સંસ્થાઓએ પણ, પોતપોતાની સંસ્થાઓનુ સંચાલન બંધારણીય રીતે ચાલે એટલા માટે, ખંધારણ ઘડવાની શરૂઆત કરી દીધી હતી—જાહેર સસ્થા માટે જાણે ખધારણ ઘડવાના યુગ જ શરૂ થયા હતા. પેઢીના ખાહેાશ અને ધર્મનિષ્ઠ સ'ચાલકે સમયના જાણકાર અને વિચક્ષણ હતા; અને પેઢીના વહીવટ શ્રીસંઘમાં વિશેષ સ્વચ્છ અને વિશ્વાસપાત્ર ગણાય એ માટે એકેએક પગલું ભરવા તેઓ હમેશાં તત્પર રહેતા હતા, એટલે એમણે, સને ૧૮૮૦ની સાલમાં, પેઢીનું બંધારણ ઘડવાની તૈયારી ખતાવી, એટલું જ નહીં એ દિશામાં જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી. અધારણ તત્કાળ ઘડવાનું મુખ્ય કારણ વધારામાં, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી આખા ભારતના જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંઘનુ` કાયદેસરનું પ્રતિનિધિત્વ ધરાવે છે, એ વાતના સચાટ પુરાવારૂપે પેઢીનુ બંધારણ તરત ઘડવું પડે એવી એક ઘટના, સને ૧૮૭૮ ના અતભાગમાં, બની હતી, જેની વિગતા સંક્ષેપમાં આ પ્રમાણે છે— આલમ બેલીમ ઘણાં વર્ષોથી પેઢીમાં સિપાહી તરીકે નોકરી કરતા હતા; અને, છેલ્લે છેલ્લે, એ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર, શ્રી ચૌમુખજીની ટૂંકમાં, ચાકી કરવાની Page #202 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું બંધારણું ઉપપ કામગીરી સંભાળતા હતા. એ વખતે એની ઉંમર ૬૦-૬૫ વર્ષ જેટલી વૃદ્ધ થઈ હતી. તે આ કામગીરી દરમ્યાન, તા. ૨૪-૧૧-૧૮૭૮ ની રાત્રે, કેઈક વખતે, એ ગઢ ઉપરથી ચૂનાની ફરસબંધી ઉપર પટકાઈ પડ્યો હતો અને તેથી તેનું મરણ નીપજ્યું હતું, એટલે તા. ૨૫-૧૧-૧૮૭૮ ની સવારમાં એ ગઢની બહાર મરેલી હાલતમાં મળી આવ્યો હતો. જૈન સંઘ અને વિશેષ કરીને પેઢી તરફની અણગમા કે દ્વેષની લાગણીથી પ્રેરાઈને, પાલીતાણા રાજ્ય, આ ઘટનાને પેઢીના માણસો દ્વારા કરવામાં આવેલ આલમ બેલીમના ખૂન તરીકે ઓળખાવીને અને આ માટે પેઢીના છ માણસે સામે આરોપનામું ઘડી કાઢીને, એમની ધરપકડ કરી પણ હતી. છેવટે આ છ તહોમતદારે ઉપર મૂકવામાં આવેલ આરેપ પુરવાર ન થઈ શકવાથી એમને જેલમુક્ત કરવામાં આવ્યા હતા અને આલમ. બેલીમનું મૃત્યુ ખૂનથી નહીં પણ ગઢ ઉપરથી પડી જવાના અકસ્માતને કારણે થવા પામ્યું હતું, એ ફેંસલો પણ કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. બાટને તા. ૨૦-૧૨૧૮૭૯ ના રોજ, આપ્યો હતો. એક રીતે વિચારીએ તે, આ ફેંસલો પેઢીના લાભમાં અને એને સંતોષ થાય તેમ જ ખૂનના આરેપનું નિરાકરણ થાય એ આવકારપાત્ર હતા. આમ છતાં ૨૦ મુદ્દા (કલમ)ના આ ફેંસલામાં કેટલાક મુદ્દા એવા હતા કે જેમાં આ ઘટના અંગે શ્રાવકની ટીકા પણ કરવામાં આવી હતી. એટલે, આ ટીકાઓ સંબંધમાં ઘટતો ખુલાસે કરે જરૂરી લાગવાથી, આ ફેંસલાની સામે, પેઢી તરફથી, તા. ૧૩-૧-૧૮૮૦ ના રેજ, મુંબઈના નામદાર ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ બેરોનેટને, એક અપિલ કરવામાં આવી હતી. પણ આ અપિલનું પરિણામ ધારણા કરતાં સાવ જુદું અને વિચિત્ર કહી શકાય એવું આવ્યું ! આ અપિલ રદ કરવા લાયક કેમ છે, તે અંગે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ ત્રણ કારણે મુંબઈ સરકારને લખી જણવ્યાં હતાં. આ ત્રણ કારણોમાં ત્રીજું કારણ આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું: “આણંદજી કલ્યાણજી એ નામની કઈ વ્યક્તિ છે નહીં. આ આણંદજી કલ્યાણજી એ નામ કઈ એક વ્યક્તિનું નહીં, પણ કોઈ એક પેઢીનું છે. આણંદજી કલ્યાણજીની પેઢી શ્રાવક કેમની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરવાને દા કરે છે. અને જે આ કેમ પાલીતાણા રાજ્ય અને એમની વચ્ચે પ્રવર્તતી ગેરસમજને સાચે જ દૂર કરવા માગતી હોય તે, એણે, પિતાની જ્ઞાતિની સામાન્ય સભા બોલાવીને, કોઈ વગદાર સભ્યની નિમણુક કરવી જોઈએ અને એને પોલિટિકલ એજન્ટની મધ્યસ્થી અને દેખરેખ નીચે, પાલીતાણા રાજ્ય સાથેના બધા મુદ્દાઓનું સમાધાન કરવાની સત્તા આપવી જોઈએ.” કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટે સૂચવેલ આ ત્રણ કારણને માન્ય રાખીને, મુંબઈ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ શેઠ આ૦ કંટની પેઢીને ઇતિહાસ સરકારે, આ અરજી અરજદારને પાછી મોકલી આપવા અંગે, નીચે મુજબ ઠરાવ કરીને એ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મારત, પેઢી ઉપર મોકલી આપ્યો હતે “ઠરાવ–આ અરજી અરજદારને એવી સૂચના સાથે પાછી મોકલી આપવી કે, (મુંબઈ) સરકાર ફક્ત એવી વ્યક્તિ તરફથી આવેલી અરજીનો સ્વીકાર કરશે કે જેમાં પિતાની થકી અથવા તો જે વ્યક્તિ બીજી વ્યક્તિ કે વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવાની કાયદેસરની સત્તા ધરાવતી હોય એવી વ્યક્તિ તરફથી, શુદ્ધ દાનતથી, ફરિયાદ કરવામાં આવી હોય. અને શેઠ આણંદજી કલ્યાણજી નામની એવી કોઈ વ્યક્તિ કે જે “ભારતની શ્રાવક કેમનું પ્રતિનિધિત્વ કરવાને ” અધિકાર ધરાવતી હોય, એવું માનવામાં નથી આવતું; તેથી આ ફરિયાદ એવી નથી કે જેને (મુંબઈ) સરકારે સાંભળવાની કે ધ્યાનમાં લેવાની જરૂર હોય.”૩ એક બાજુ મુંબઈ સરકારે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ભારતના સમસ્ત જૈન સંઘનું (શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું) પ્રતિનિધિત્વ કાયદેસર નહીં ધરાવતી હોવા અંગે ઉપર મુજબ ટીકા કરી હતી, અને બીજી બાજુ, શ્રી શત્રુંજય તીર્થ અંગે પાલીતાણું રાજ્ય સાથે અવારનવાર ઊભા થતા પ્રશ્નો, વિવાદ કે ઝઘડાઓની પાલીતાણું રાજ્યમાં, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટના કાર્યાલયમાં કે મુંબઈ સરકારમાં મેગ્ય અને અસરકારક રજૂઆત કરવા માટે, પેઢી ભારતના જૈન સંઘની પ્રતિનિધિ-સંસ્થા હોવાની વાતનું ઉચ્ચારણ કરતાં રહેવું અનિવાર્ય હતું, એટલે મુંબઈ સરકારની આ ટીકાનું સત્વર પરિમાર્જન થાય એવી કાર્યવાહી કર્યા વગર ચાલે એમ ન હતું. પણ આ માટે પરિસ્થિતિ ને પારખીને, સમયને પિછાનીને અને દૂરંદેશી દાખવીને, આ બાબતમાં મુંબઈ સરકાર સાથે લખાપટ્ટી કરવામાં અનાવશ્યક કાળક્ષેપ કરવાને બદલે, પેઢીના સંચાલકોએ પેઢીનું કાયદેસર બંધારણ, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના સહકારથી, ઘડીને એનું કાયદેસરનું પ્રતિનિધિત્વ મેળવવાનું મુનાસિફ તથા જરૂરી માન્યું અને એ માટેનાં ચક્રોને સત્વર ગતિમાન કર્યા. પહેલું બંધારણ એ વખતે રાવબહાદુર શ્રેષ્ઠીવર્ય શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ અમદાવાદના નગરશેઠ હતા; અને, પોતાના પ્રતાપી પૂર્વજોની જેમ, તેઓ પણ અંગ્રેજોના રાજ્યશાસનમાં તેમ જ પ્રજાવર્ગમાં પણ ઘણો પ્રભાવ ધરાવતા હતા. વળી, નગરશેઠ શ્રી શાંતિદાસના વખતથી એક પ્રથા ચાલી આવતી હતી કે, જે અમદાવાદ શહેરના નગરશેઠ હોય એ જ તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનો વહીવટ સંભાળતી સમિતિના મુખ્ય મવડી એટલે કે પ્રમુખ હોય; અને શ્રી જેન વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ તરીકેનું ગૌરવશાળી પદ પણ તેઓ જ ધરાવતા. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પેઢીનુ... બ‘ધારણ આ પ્રથા પ્રમાણે વિક્રમની વીસમી સદીના પૂર્વાધમાં શેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ શ્રીસ'ધના અગ્રણી હતા. તે ખૂબ માહોશ અને વિચક્ષણ મહાપુરુષ હતા. એમની આગેવાની નીચે પેઢીના સચાલકોએ પેઢીનું બંધારણ ઘડવા માટે વિ॰ સં॰ ૧૯૩૬ ના ભાદરવા વિદ્વે એકમ, તા. ૧૯-૯-૧૮૮૦ ના રાજ, સકલ શ્રીસ`ઘની સભા અમદાવાદમાં ખેલાવવાનું નક્કી કરીને, પેઢીના એટલે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયના વહીવટ સભાળનાર અમદાવાદના આઠ જૈન અગ્રણીઓની સહીથી જાહેરખબર આપીને એ ગામેગામ મેકલવામાં આવી હતી; અને એ માટે દેશના જુદા જુદા ભાગમાં આવેલાં ૧૦૩ જેટલાં શહેરે-નગરામાં સભાઓ ભરીને ઠરાવા પણ કરવામાં આવ્યા હતા. ( આ ગામાની યાદી પેઢીના ખ'ધારણની સને ૧૯૧૨-૧૩ ની સાલમાં પ્રગટ કરવામાં આવેલ જૂની ચેાપડીમાં સચવાઈ રહી છે.) જે આઠ જૈન અગ્રણીઓની સહીથી આ સભા માટેની આમં ત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી હતી, તેનાં નામ આ પ્રમાણે છે— ૧. શેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈ ૨. શેઠ શ્રી ઉમાભાઈ હઠીસ'ગ 3. શેઠ શ્રી જેસ ગભાઈ હઠીસંગ ૪. શેઠ શ્રી મગનલાલ કરમચંદ તરફથી શ્રી ત્રિકમદાસ નથુભાઈ ૫. શેઠ શ્રી દલપતભાઈ ભગુભાઈ ૬. શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ શેઠ શ્રી મ’છારામ ગોકળદાસ ૭. .. શેઠ શ્રી પરસેાતમદાસ પુંજાસા અંધારણ માટેની આ સભા એક દિવસ ચાલી હતી; એનુ પ્રમુખપદ શેઠ શ્રી પ્રેમાભાઇ હીમાભાઈ એ સંભાળ્યું હતું; અને એમાં કુલ આઠ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. આ સભામાં ઘણા સગૃહસ્થાએ હાજરી આપી હતી; અને હાજરી આપનાર સદ્ગૃહસ્થામાંથી બની શકળ્યાં તેટલાનાં નામ નેાંધી લેવામાં આવ્યાં હતાં. બંધારણની જૂની ચાપડીમાં છપાયેલ આ નામેાની યાદી ઉપરથી પણ જાણી શકાય છે કે, એમાં એક હાર જેટલા સગૃહસ્થાએ ભાગ લીધા હતા. આટલી વિશાળ હાજરી ઉપરથી એ સહજપણે સમજી શકાય છે કે, આ માટે કેટલે પ્રચાર કરવામાં આવ્યા હતા અને આ કાર્ય અંગે શ્રીસ'ઘમાં કેટલેા ઉત્સાહ પ્રવતતા હતા. આ સભાની કાર્યવાહીની શરૂઆતમાં એક નોંધ મૂકવામાં આવી છે, તેમાં શ્રાવક Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સમુદાયના (એટલે કે પેઢીના) પ્રતિનિધિ કોને નીમવા એ મહત્ત્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ નોંધ આ પ્રમાણે છે– “આ બધી એકસે ને ત્રણ જગ્યાએ એ જુદી જુદી મીટીગે ભરાઈ તેના હકીકત-પત્રે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી તથા શેઠ પ્રેમાભાઈ હીમાભાઈના સરનામાથી વખતસર અહીં આવેલાં છે. ને તેમાં એમ નીકળે છે કે એ બધી જગ્યાઓએ શ્રાવકોએ ઠરાવ કર્યા છે તેમાં બીજી બાબતેની સાથે એમ ઠરાવ્યું છે કે આ સભા ભરવાની જાહેર ખબર નીચે સહીઓ કરનાર આઠ ગૃહસ્થાને આખા શ્રાવક સમુદાયના પ્રતિનિધિઓ નીમવા અને તેમને શત્રુજા ડુંગર તથા તેના દેરાસરની બાબતમાં કામ કરવાનો કુલ અખત્યારે આપ.' આ નેધ તથા આ સભામાં પસાર થયેલ ઠરામાંના પહેલા ઠરાવ ઉપરથી માલુમ પડે છે કે, આ બંધારણ સભા મળી તે વખતે પેઢી હસ્તક મુખ્યત્વે એકલા શ્રી શત્રુંજય તીર્થનો જ વહીવટ હતા. આ પહેલે ઠરાવ આ પ્રમાણે છે– “પાલીતાણાના ઠાકોર સાહેબ તરફથી શેત્રુજા ડુંગરના તથા તેને લગતા કામમાં થતી હરકતે દૂર થવા બાબત શ્રાવક સમુદાય તરફથી શેઠ આણંદજી કલ્યાણજીના નામથી જે જે કામકાજ હાલ સુધી થયેલાં છે તથા તેને લગતાં બીજા સર્વે કામે કાયમ રાખવાં.” આ ઠરાવ એ વાતનું સ્પષ્ટ અને અસંદિગ્ધ સૂચન કરે છે કે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સમસ્ત શ્રાવક સમુદાયનું એટલે કે, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર ધરાવતી હતી. જુદાં જુદાં સ્થાનોના સંઘેએ સૂચવ્યા મુજબ, બીજા ઠરાવથી પેઢીના વહીવટ માટે, શ્રાવક સમુદાયના પ્રતિનિધિ તરીકે, અમદાવાદના આઠ જૈન અગ્રણીઓની કમિટી રચવામાં આવી. (આ આઠ અગ્રણીઓનાં નામ આ સભા માટેની જાહેરાતને લગતા લખાણ ઉપર આપવામાં આવ્યાં છે, તે જ છે.) જરૂર જણાતાં આ આઠ પ્રતિનિધિઓને સહાય કરવા માટે ૨૩ શહેરો અને એની આસપાસનાં સ્થાનોના મળીને ૩૨ સદગૃહસ્થાની સ્થાનિક પ્રતિનિધિ તરીકે વરણ ત્રીજા ઠરાવથી કરવામાં આવી હતી. પેઢીને વહીવટ સરખી રીતે ચાલતું રહે એટલા માટે વહીવટદાર પ્રતિનિધિઓનું મંડળ તેમ જ આ વહીવટમાં સકલ સંઘનું પ્રતિનિધિત્વ સચવાઈ શકે એ માટે સ્થાનિક પ્રતિનિધિઓનું મંડળ રચવાની જે પ્રથા પેઢીના આ પહેલા બંધારણ વખતે, બીજા અને ત્રીજા ઠરાવથી. નક્કી કરવામાં આવી હતી, તે એવી સંતોષકારક અને કાર્યસાધક પુરવાર થઈ છે કે, એ અત્યાર સુધી, અખલિતપણે, ચાલુ રહી છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું બંધારણ ૧૫૯ પેઢીનું પ્રમુખપદ: ચોથે ઠરાવ ઘણે વિસ્તૃત છે અને એમાં વહીવટદાર પ્રતિનિધિઓની સત્તા અને કામગીરીની, સામાન્ય શિરસ્તા મુજબની, વિગતે આપવામાં આવી છે. એ ઉપરાંત, કાયમને માટે પેઢીનું પ્રમુખપદ કેણ સંભાળે એ બાબતમાં એ ઠરાવમાં જે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે, તે ખાસ ધ્યાન ખેંચે એવી છે. આ જોગવાઈ આ પ્રમાણે કરવામાં આવી છે– શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ જેમને મરહુમ શેઠ શાંતિદાસના વારસ તરીકે સદરહુ ડુંગર તથા દેરાસરો સમુદાય મજકુર તરફથી તથા તેમની વતી ટ્રસ્ટમાં સંપાયેલા છે તે તથા શેઠ શાંતિદાસ મજકુરના કુટુંબને જે વખતે જે વારસ હોય તેઓ વહીવટ કરનાર પ્રતિનિધિઓની ઉપર લખેલી કમીટીના વંશપરંપરા સભાપતિ તથા એદ્ધાની રૂઈએ સભાસદ થાય તેઓને આથી મુકરર કરવામાં આવ્યા છે.” ' ચેથા ઠરાવમાંની આ જોગવાઈ ઉપરથી સ્પષ્ટ રૂપે સમજી શકાય છે કે, શેઠશ્રી શાંતિદાસે અને એમના વંશજોએ શ્રી શત્રુંજય તીર્થ, જૈન શાસન તથા શ્રીસંઘની જે વિશિષ્ટ અને યાદગાર સેવાઓ બજાવી હતી, એ પ્રત્યે સકલ સંઘે આ ઠરાવ દ્વારા, પિતાની કદરદાની અને કૃતજ્ઞતાની લાગણી પ્રદર્શિત કરવાની તક લીધી હતી. આ રીતે સને ૧૯૮૦ની સાલમાં પેઢીનું પહેલું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું.’ બંધારણમાં પહેલી વાર ફેરફાર સને ૧૮૮૦ (વિ. સં. ૧૭૬)માં ઘડવામાં આવેલ બંધારણ મુજબ પેઢીનો કારેબાર ૩ર વર્ષ સુધી સારી રીતે ચાલતો રહ્યો. તે પછી બદલાયેલા સંજોગે, અત્યાર સુધી અનુભવ, પેઢીને કાર્યવિસ્તાર વગેરે કારણોને લીધે પેઢીના બંધારણમાં કેટલાક સુધારાવધારા કરવાની જરૂર લાગતી હતી. આથી, સને ૧૯૧૨ ના માર્ચ મહિનાની ૧૦ મીથી ૧૨ મી તારીખે દરમિયાન, ત્રણ દિવસ માટે, તે વખતના પેઢીના પ્રમુખ શેઠશ્રી સરદાર લાલભાઈ દલપતભાઈના પ્રમુખપદે મળેલ વહીવટદાર પ્રતિનિધિઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓની જનરલ સભાએ, તા. ૧૨-૩-૧૯૧૨ ને મંગળવારના રોજ, આ અંગે જે ઠરાવ કર્યો હતો, તેની નોંધ કાર્યવાહીની બુકમાં આ પ્રમાણે કરવામાં આવી છે— શેઠ મનસુખભાઈ ભગુભાઈ એ દરખાસ્ત કરી કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટ સંબંધી સને ૧૮૮૦ માં નીયમે કરેલા છે પરંતુ તે સમયને લાંબા સમય વ્યતીત થયેલે છે, તેથી હિંદુસ્તાનના સકલ સંઘને હાલ સુધારે વધારે કરવાની જરૂર લાગે તે તેમ કરવા પ્રથમના રૂલ્સ હિંદુસ્તાનના જાણીતા સ્થળોના સંઘે તરફ મોકલવા અને તેવા કાગળ અત્રેથી લખવામાં આવે તે તારીખથી બે માસની અંદર તે સંઘ તરફથી સૂચના Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ પત્ર લખી મોકલવા લખવું અને તે મુદત પૂરી થયેથી આવેલી સૂચનાઓ પર વિચાર કરવા માટે વહીવટ કરનાર પ્રતિનિધિઓએ અમદાવાદ મુકામે હિંદુસ્તાનનો સકલ સંઘ એટલે આપણું સર્વે જૈન ભાઈઓને લાવવા તજવીજ કરવી. અને સકલ સંઘ અત્રે બોલાવવા બાબત વહીવટ કરનાર પ્રતિનિધિઓને ચગ્ય જણાય તેવા છાપા દ્વારા એ ખબર આપવી. આ દરખાસ્તને શેઠ દલપતભાઈ મગનભાઈએ ટેકો આપે. તે ઉપર વોટ લેતાં ફક્ત માણેકલાલ ઘેલાભાઈએ વિરૂદ્ધ મત આપ્યું. બાકીના સર્વે તેની તરફેણમાં મત આપતાં તે દરખાસ્ત બહુમતે પાસ થઈ.” પેઢીની જનરલ સભાના આ ઠરાવમાં સૂચવ્યા મુજબની કાર્યવાહી પૂરી થતાં, બંધારણમાં જરૂરી સુધારા-વધારા સૂચવવા તથા સ્વીકારવા માટે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ “હિંદુસ્તાનના સકલ સંઘના શ્રાવક સમુદાયના તમામ મેમ્બરની સભા” સને ૧૯૧૨ના ડિસેમ્બર માસની ૨૮, ૨૯, ૩૦ (વિસં. ૧૯૬ના માગસર વદિ ૫, ૬, ૭ શનિ, રવિ, સોમ) એમ ત્રણ દિવસ માટે અમદાવાદમાં લાવવાનું નક્કી કર્યું, અને એ માટે તા. ૫-૧૧-૧૯૧૨ના રોજ (જાવ નં૧૪૦૫), “હિંદુસ્તાનના જુદા જુદા સ્થળના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘને પત્ર લખ્યા.” આ સભામાં ર૯૧ શહેરે-નગરના ૧૦૨૪ પ્રતિનિધિઓએ ભાગ લીધે હિતે અમદાવાદના ૪૪૮ સદગૃહસ્થાએ હાજરી આપી હતી, અને અમદાવાદના ૧૫૧૩ જેટલા સગ્ગહસ્થને પ્રેક્ષક તરીકે હાજર રહેવા દેવામાં આવ્યા હતા. સભામાં ગામ-પરગામના તથા અમદાવાદ શહેરના શ્રમણોપાસક સમુદાયની આટલી મેટી હાજરી જ એ વાતની સાક્ષીરૂપ બની રહે છે કે, આ સભા માટે ઠેર ઠેર કેટલો બધો પ્રચાર કરવામાં આવ્યો હતે; અને આ પ્રચારને લીધે, આ સભા માટે, શ્રીસંઘમાં કેટલે વ્યાપક ઉત્સાહ જાગી ઊઠયો હતો ! આ હાજરીથી એમ પણ જોઈ શકાય છે કે, આ સભાને (અને એને લીધે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને) જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સકલ સંઘનું સાચું પ્રતિનિધિત્વ કરવાનું વિશેષ ગૌરવ અને બળ મળ્યું હતું, અને એમાં થયેલી કાર્યવાહીને સક્લ સંઘે વધાવી લઈને એના ઉપર પોતાની મહેરછાપ લગાવી હતી. આ સભાનું પ્રમુખપદ, પેઢીનું પહેલું બંધારણ જેમની આગેવાની નીચે ઘડાયું હતું તે નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હીમાભાઈને પૌત્ર શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈએ સંભાળ્યું હતું–આ વખતે તેઓ જ પેઢીના પ્રમુખ હતા. શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈ ઘણું બાહોશ, કુનેહબાજ અને અંગ્રેજ શાસકોમાં ઘણી લાગવગ ધરાવનાર જૈન અગ્રણી અને અમદાવાદના નગરશેઠ હતા. સભાના પ્રમુખસ્થાનેથી બેલતાં શેઠશ્રી કસ્તુરભાઈ મણિભાઈએ કહ્યું હતું કે– Page #208 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું બંધારણ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રથમ બંધારણ સને ૧૮૮૦ ની સાલમાં થયું હતું, તેને આજે ઘણે વખત થયેલો છે. તેથી આ પેઢીના સ્થાનિક પ્રતિનીધિઓની તારીખ ૧૨ માર્ચ સને ૧૯૧૨ ના રોજ મળેલી મીટીંગમાં થયેલ ઠરાવ મુજબ સદરહુ બંધારણે સંબંધમાં વિશેષ વિચાર કરી ઠરાવ કરવા સારૂ આ સભા બોલાવેલ છે.” આ પછી બંધારણને લગતી બાબતોને વિગતે વિચાર કરીને, એને વ્યવસ્થિત રીતે, ઠરાવરૂપે સભામાં રજૂ કરી શકાય એ માટે, ૩૦ શહેરમાંથી પસંદ કરેલા ૧૬૩ સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટીએ નક્કી કરેલ ઠરાવો જ મજૂરી માટે સભામાં રજૂ કરવામાં આવ્યા હતા. - આ સભાની કાર્યવાહીની નોંધ ઉપરથી જાણી શકાય છે કે, બંધારણમાં ફેરફાર કરવા માટે હિંદુસ્તાનના સકલ સંઘની સભા બોલાવવાનો ઠરાવ, વહીવટદાર પ્રતિનિધિઓ તથા સ્થાનિક પ્રતિનિધિઓની જનરલ સભામાં, તા. ૧૨-૩-૧૯૧૨ ના રેજ, કરવામાં આવ્યો, ત્યારે પેઢીના પ્રમુખપદે શેઠશ્રી સરદાર લાલભાઈ દલપતભાઈ હતા, એટલે એ સભાનું પ્રમુખસ્થાન તેઓએ સંભાળ્યું હતું. ત્યાર પછી, તા. ૫-૬-૧૧૨ ના રેજ, તેઓને સ્વર્ગવાસ થયે, એટલે, એમના સ્થાને નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ પ્રેમાભાઈની પેઢીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. પણ તેઓ પણ તા. ૨૧-૮-૧૯૧૨ ના રોજ સ્વર્ગવાસી થતાં, નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈને પેઢીના પ્રમુખ નીમવામાં આવ્યા હતા. એટલે બંધારણમાં ફેરફાર કરવા માટે બોલાવવામાં આવેલી આ સભા એમના પ્રમુખપદે મળી હતી. આ રીતે અઢી મહિના જેટલા ટૂંકા ગાળામાં પેઢીના બે બાહેશ અને વગદાર પ્રમુખ વિદેહી થયા હતા ! ત્રણ દિવસની કાર્યવાહી દરમિયાન આ સભાએ ૧૯ ઠરાવ પસાર કર્યા હતા. આમાં કેટલાક મહત્ત્વના બંધારણીય ફેરફારો આ પ્રમાણે કરવામાં આવ્યા હતા– (૧) વિ. સં. ૧૮૮૦ ના બંધારણ મુજબ, ૨૩ શહેરના મળીને કુલ ૩૨ સ્થાનિક પ્રતિનિધિ નીમવામાં આવતા હતા; તેને બદલે હવેથી, આ સભાએ કરેલ પાંચમા ઠરાવ મુજબ, ૯૦ શહેરોના કુલ ૧૧૦ સ્થાનિક પ્રતિનિધિઓ નીમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. (૨) પેઢીનું પહેલું બંધારણ સને ૧૮૮૦ માં ઘડાયું ત્યારે, પેઢીને મુખ્યત્વે ફક્ત ગિરિરાજ શ્રી શત્રુંજય તીર્થને જ વહીવટ સંભાળવાને હતો; પણ, સમય જતાં, જેમ જેમ શ્રીસંઘનો પેઢીની કાર્યદક્ષતામાં વિશ્વાસ વધતા ગયા તેમ તેમ, પેઢીનું કાર્યક્ષેત્ર પણ વિશાળ થતું ગયું. આ વાતને ખ્યાલ આ સભાના છઠ્ઠા ઠરાવથી પણ આવી શકે છે. આ ઠરાવ આ પ્રમાણે છે – Page #209 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ “શ્રી શત્રુંજય તથા શ્રી ગીરનારજીના ડુંગર તથા તે ઉપરનાં તથા પાલીતાણાના અને તેની આસપાસનાં તથા જુનાગઢ અને તેની આસપાસનાં તથા શ્રી રાણેકપુર-સાદરી તથા તેની આસપાસનાં જૈન સમુદાયના સાર્વજનીક તીર્થો, દેરાસરો તથા ધાર્મિક સંસ્થાઓ વિગેરેના અંગની કે લગતી હરેક પ્રકારની સ્થાવર કે જંગમ મીલકત તથા ઉપજ તથા તે સંબંધીનાં સર્વે કામકાજે જેને હાલ સુધી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ કરે છે તે તેમના જ વહીવટમાં હવે પછી આગળને માટે પણ કાયમ રાખવાં.” આ ઠરાવ ઉપરથી જોઈ શકાય છે કે, વખત જતાં, શ્રી ગિરનાર, શ્રી રાણકપુરસાદરી અને તેની આસપાસનાં ધર્મસ્થાન વગેરેનો વહીવટ પણ પેઢીની હકૂમતમાં આવી ગયું હતું, એ તે ખરું જ; પણ આ તીર્થો, જિનમંદિર ઈત્યાદિને વહીવટ સંભાળવા ઉપરાંત, સભાએ, વહીવટદાર પ્રતિનિધિઓને યોગ્ય જણાય તે “કઈ પણ ઠેકાણે આવેલાં તીર્થો, દેરાસર વગેરેને વહીવટ સંભાળવાની સત્તા સાતમા ઠરાવથી આપી હતી. આ ઠરાવમાં પણ, પેઢીની સંતોષકારક કાર્યવાહીને કારણે, શ્રીસંઘમાં પેઢી પ્રત્યે જાગેલી ચાહના અને શ્રદ્ધા પ્રતિબિંબિત થયેલી દેખાય છે. • નવમા ઠરાવથી પેઢીના વહીવટ બહારનાં દેરાસર વગેરેની સાચવણી માટે પંદર હજાર રૂપિયા અને દસમા ઠરાવથી પિતાના વહીવટની એક સંસ્થામાંથી પિતાના વહીવટની બીજી સંસ્થાના રક્ષણ માટે વીસ હજાર રૂપિયા ખર્ચ કરવાની સત્તા વહીવટદાર પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. શ્રી સમેતશિખર તીર્થના પહાડને માલિકીહક્ક–પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૧૨-૩-૧૯૧૨ ના રોજ મળેલ સભાએ, શ્રી સમેતશિખર મહાતીર્થના માલિકી હક્કો ખરીદી લેવા સંબંધમાં નીચે મુજબ ઠરાવ કર્યો હત– રાય સાહેબ બદ્રિીદાસજી બહાદુર કલકત્તથી અત્રે પધારેલા છે અને તેમણે મહા પ્રયત્ન શિખરજીના તિર્થ માટે પ્રયાસ કર્યો તે હકીકત શેઠ વલભજીભાઈ હીરજીભાઈએ રાય સાહેબની વતી અત્રે નીચે પ્રમાણે જાહેર કરી કે પાલગંજના રાજાના શીખરજી ઉપરના તમામ હકનું કાયમનું લીસ લેવા માટે રૂ. ૨,૪૨,૦૦૦) બે લાખ બેંતાલીસ હજાર એક વાર રેકડા આપવા તથા દર વર્ષે રૂ. ૪૦૦૦) ચાર હજાર આપવા એવી ગોઠવણ થઈ છે. અને તેમાં જે રૂ. ૧૫૦૦ પંદરસેં શ્રી શીખરજીના કારખાના તરફથી મળે છે તે લેવાના તથા પાલગજના રાજાના હક તરીકે ડુંગરની જે ઉપજ આવશે તે પણ આપણે લેવાની એમ જાહેર કર્યું અને આ સંબંધે ગવર્નમેન્ટમાં મંજૂરી માટે માગણી કરી છે, તે માગણી મંજૂર થયેથી ઉપરની રકમ તથા તે સિવાય વકીલ વગેરે બીજા ખર્ચ માટે જરૂર પડતાં રૂ. ૧૫૦૦] પંદર હજાર સુધી જરૂર પડે તેમ છે એમ જાહેર કર્યું. આ હકીક્ત ઉપરથી Page #210 -------------------------------------------------------------------------- ________________ પેઢીનુ‘ અધારણ ૧૬૩ મી. માણેકલાલ ઘેલાભાઈ એ દરખાસ્ત કરી તથા મી. અ‘બાલાલ ખાપુભાઈ એ ટેકો આપ્યા કે આ કામ ઘણું જ સારૂં' છે અને ઉપર જે રકમ જણાવી તે રકમ શેઠ આણુંદજી કલ્યાણજીએ સમેતશિખરજી તિર્થ ખાતે લખીને આપવી અને તે ખાખત જે જે જરૂર અને ચેાગ્ય કામ લાગે તે સવે કરવા વહીવટ કરનાર પ્રતિનિધિએને સત્તા આપવી અને આ કામ બદલ રાય બદ્રીદાસ માહાદુરને ધન્યવાદ આપવા.” ઉપર મુજબનો જે ઠરાવ પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૧૨-૩-૧૯૧૨ ના (સ’૦ ૧૯૬૮ ના ફાગણુ વિશ્વ ૯, મંગળવારના) રાજ મળેલ સભાએ કર્યાં હતા, એ ઠરાવને બંધારણ માટે ખેલાવવામાં આવેલ આ સભાએ, નીચે મુજબ અગિયારમા ઠરાવ કરીને, પોતાની બહાલી આપી હતી— “ ઉપર પ્રમાણે સ્થાનિક પ્રતિનિધિઓની મીટીંગમાં ઠરાવ થયેલ છે તે મજુર કરવામાં આવે છે અને ઠરાવવામાં આવે છે કે તે ઠરાવમાં જણાવેલી શરતમાં અથવા રક્રમમાં કાંઈ ઓછું વધતુ કરવાનું અગર ફેરફાર કરવાનું વહીવટ કરનાર પ્રતિનિધિઓને ચેાગ્ય લાગે તેા તેમ પણ કરવાની તેમને સપૂર્ણ સત્તા આપવામાં આવે છે.” છેક પૂર્વ દેશમાં આવેલ પરમપવિત્ર શ્રી સમ્મેતશિખર જેવા મહાતીર્થના પહાડના માલિકીહક્કો મેળવી લેવાની વાત ઉપસ્થિત થઈ ત્યારે, શ્રીસ ઘનું અને ખાસ કરીને પૂર્વ દેશના જૈન અગ્રણીઓનું પણ ધ્યાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફ ગયું, એ ઉપરથી જોઈ શકાય છે કે પેઢીએ શ્રીસ ધનો કેટલા બધા વિશ્વાસ અને આદર સપાદન કર્યાં હતા! પેઢીનો વહીવટ એક રજવાડાના કારોખાર જેવા વિશાળ હતા, એમ જે અગાઉ કહેવામાં આવ્યું છે, એ વાતનુ સમર્થન આ પ્રસંગ ઉપરથી પણ થાય છે. સાથે સાથે જ્યારે પણ તીર્થરક્ષાને સવાલ આવતા ત્યારે પેઢી પણુ, ખર્ચના, દૂરીના કે વહીવટી મુશ્કેલીના વિચાર કર્યા વગર, પેાતાનું ધકબ્ય અજાવવા કેવી તત્પર રહેતી હશે એ વાતનુ સૂચન પણ આ પ્રસંગ ઉપરથી મળી રહે છે. 66 "" આ તીના વહીવટ તા પહેલાં શ્રી જૈન શ્વેતાંબર સેાસાયટી, મધુવન ” અને અત્યારે “ શ્રી જૈન શ્વેતાંબર ભડાર તીથ સમેતશિખરજી, મધુવન ” એ નામથી કલકત્તાના સઘની કમિટિ સભાળે છે, છતાં આ તીર્થના દરેક પ્રકારના હક્કોના રક્ષણ માટે પેઢી અત્યારે પણ ઘણી માટી જવાબદારી સભાળી રહી છે. આની વિશેષ વિગતા આગળ ઉપર આપવામાં આવશે. ગૌરવભર્યાં ઠરાવ—બારમા ઠરાવ પેઢીના અખિલ-ભારતીય દરજ્જાને શેાભાવે એવા ગૌરવભર્યાં છે. એમાં નક્કી કરવામાં આવ્યુ` હતુ` કે, પાલીતાણામાં (શ્રી શત્રુંજય તીર્થમાં ) દર વર્ષે ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) જે ચાખ્ખી આવક થાય, તેમાંથી અડધી રકમ Page #211 -------------------------------------------------------------------------- ________________ શેઠ આઠ કદની પેઢીને ઇતિહાસ બીજા તીર્થો તથા સ્થાનેના જીર્ણોદ્ધાર માટે વાપરવી. આ ખર્ચ કરવાની સત્તા આ ઠરાવથી સંસ્થાના વહીવટદાર પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. ' ? આ ઠરાવ એવું સૂચન કરે છે કે, પેઢીના સંચાલનનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ હોવા છતાં અને એના સીધેસીધા વહીવટમાં તો અમુક તીર્થો અને જિનમંદિરને સાચવવાની જવાબદારીને જ સમાવેશ થતો હોવા છતાં, આખા દેશનાં તીર્થો તથા દેરાસરના રક્ષણમાં ફાળો આપવાની સમદષ્ટિ, ઉદારતા અને શાસનની દાઝ પેઢીના સંચાલકે ધરાવતા હતા. સમય જતાં પેઢીની આ વિશેષતા અને બધાં ધર્મસ્થાને તરફની સમભાવની દષ્ટિને ઉત્તરોત્તર વિકાસ થતો ગયો, એટલે પેઢીનું જીર્ણોદ્ધાર ખાતું, એક વિશાળ કારેબાર ધરાવતા મોટા ખાતા જેવું બની ગયું. વિશેષ મહત્ત્વનો ઠરાવ–આથી પણ આગળ વધીને આ સભાએ, પંદરમ ઠરાવ કરીને તે, પેઢીના સંચાલક ઉપરની શ્રીસંઘની શ્રદ્ધા ઉપર સુવર્ણકળશ ચડાવ્યો હતો, એમ જ કહેવું જોઈએ. આ ઠરાવથી, જે કોઈ માણસ જૈન તીર્થ, દેરાસર કે ધાર્મિક સંસ્થાના વહીવટનો હિસાબ અને મિલકત ન ઍપ હોય, અને એ સ્થાનના સંઘે એને સંઘમાંથી દૂર કર્યો હોય, તે પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓ એને, પિતાના ગામના સંઘની સૂચના મુજબ વર્તા સમજાવે; અને છતાં એ એ રીતે વર્તવા તૈયાર ન થાય અને વાસ્તવિક ખુલાસાય ન આપે તે, વહીવટદાર પ્રતિનિધિઓ, સ્થાનિક પ્રતિનિધિઓની બહુમતી મેળવીને, એને સંઘ બહાર મૂકી શકે એવી સત્તા એમને આપવામાં આવી હતી. શાસનહિત, તીર્થરક્ષા અને સંઘવ્યવસ્થા માટે ધર્મસત્તા અને સંઘસત્તાની પણ કક્યારેક જરૂર પડે છે, એ વાતને ખ્યાલ આ ઠરાવ ઉપરથી પણ મળી શકે છે. , વહીવટદાર પ્રતિનિધિઓ—સને ૧૮૮૦ના બંધારણમાં પેઢીમાં આઠ વહીવટદાર પ્રતિનિધિઓને રાખવાની જોગવાઈ હતી. આ નવા બંધારણમાં, અઢારમા ઠરાવથી, આ સંખ્યા નવની નક્કી કરીને, અમદાવાદના નીચે મુજબ આગેવાનોને વહીવટદાર પ્રતિનિધિ નીમવામાં આવ્યા હતા— (૧) નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ (૨) શેઠ અંબાલાલ સારાભાઈ (૩) શેઠ મનસુખભાઈ ભગુભાઈ (૪) શેઠ મણિભાઈ દલપતભાઈ (૫) શેઠ દલપતભાઈ મગનભાઈ (૬) શેઠ લાલભાઈ ત્રિકમલાલ . (૭) ઝવેરી વાડીલાલ વખતચંદ Page #212 -------------------------------------------------------------------------- ________________ પેઢીનુ ખ ધારણ (૮) રા. વકીલ સાંકળચંદ રતનચંદ (૯) રા. વકીલ હરીલાલ મછારામ પેઢીનું પ્રમુખપદ—આ સભાના છેલ્લા ઓગણીસમા ઠરાવમાં એમ જણાવવામાં આવ્યુ હતુ કે “ ઉપર લખેલા ઠરાવાથી તારીખ ૧૯ સપ્ટેમ્બર સને ૧૮૮૦ની સાલની સ્કીમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તે શીવાય ખીજી બધી ખાખતામાં મજકુર તારીખ ૧૯ સપ્ટેમ્બર સને ૧૮૮૦ ની સ્કીમ કાયમ છે એમ સમજવુ'.” આ ઉપરથી એમ કુલિત થતું હતું કે, નગરશેઠ શાંતિદ્યાસના કુટુ'બના જે વારસ હોય તે જ પેઢીના પ્રમુખપદે રહે એવી જે જોગવાઈ સને ૧૮૮૦ માં મંધારણ ઘડતી વખતે કરવામાં આવી હતી, તેના આ બંધારણમાં પણ સ્વીકાર કરવામાં આવ્યેા હતા. ૧૬૫ આ સભાની કેટલીક યાદગાર બાબતે પેઢીના કારાબારની પ્રશંસા—ભાવનગરના સ્થાનિક પ્રતિનિધિ શેઠ શ્રી કુંવરજી આણુ ૪જી જૈન સંઘમાં એક ઠરેલ, એછાયેલા, શાસ્ત્રાભ્યાસી અને શાણા ધમ પુરુષ તરીકે જાણીતા હતા. એમણે આ સભામાં ચાથા ઠરાવ રજૂ કરીને પેઢી તરફની શ્રીસ`ઘની જે લાગણી વ્યક્ત કરી હતી, તે જાણવા જેવી છે. આ ઠરાવ રજૂ કરતી વખતનુ એમનુ વક્તવ્ય. અને એ ઠરાવ આ પ્રમાણે છે— 66 જણાવ્યુ કે અમદાવાદના વહીવટ ઘણી જ સંતાષચાવીસ પચીસ લાખ ત્યાર બાદ ભાવનગરવાળા શેઠ કુવરજી આણુંદજીએ ગૃહસ્થાએ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના ખત્રીસ વર્ષ સુધી કારક રીતે કરેલા છે, અને તેટલી મુદ્દતમાં સદરહુ પેઢીમાં રૂપી જેટલી માટી રકમના વધારા ર્યાં છે. વહીવટદાર પ્રતિનિધિએએ દર વરસે પાતાની સે સે। જેટલી સીટી'ગે। ભરી પેાતાના શરીર અને વખતના ભાગ આપી શેઠ આણુ દેંજી કલ્યાણજીના હકા, હીંદુસ્થાનના બીજા સંધાની પ્રસંગેાપાત જરૂરી સહાયતા મેળવી, જાળવી રાખ્યા છે, તે આ પ્રમાણે ઉત્સાહ અને સંપથી પેઢીના વહીવટ ઘણી જ સંતાષકારક રીતે તેમણે કરેલા છે. તેથી હું નીચેનેા ઠરાવ રજુ કરું છું— ઠરાવ ૪—શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીનાં સરવૈયાં વગેરે હીસાબ આપણી સમક્ષ હાલ જે વાંચી બતાવવામાં આવ્યાં તે જોતાં સદરહુ પેઢીના વહીવટ વગેરે કામકાજ સદરહુ પેઢીના વખતેાવખતના અમદાવાદના વહીવટ કરનાર પ્રતિનિધિએ સંપૂર્ણ કાળજીથી પેાતાના શરીર અને વખતના ભાગ આપી પૂર્ણ સતાષકારક રીતે બજાવેલ છે તે માટે હીંદુસ્થાનના આ સકળ સંઘ તેમને ધન્યવાદ આપે છે. અને ઇચ્છે છે કે તેવી જ કાળજી અને ખાહોશીથી સદરહુ પેઢીના વહીવટ અમદાવાદના ગૃહસ્થા હવે પછી પશુ ચલાવશે Page #213 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ ક0ની પેઢીને ઈતિહાસ અને કરાવે છે કે સદરહુ શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી (હેડ ઓફીસ) જે અત્યાર સુધી અમદાવાદમાં છે ત્યાં જ રાખવી." ઠરાવ પાછો ખેં –તા. ૨૯-૧૨-૧૯૧૨ ના રેજ, એટલે કે બીજા દિવસે, મળેલી સભામાં સુરતવાળા શરાફ શ્રી ચુનીલાલ છગનલાલે ઠરાવ નં. ૬, ૭, ૮ એમ ત્રણ ઠરાવે રજૂ કર્યા હતા. આમાં આઠમે ઠરાવ સંસ્થાના સંચાલન માટે આઠ વહીવટદાર પ્રતિનિધિઓની નિમણુકને લગતે હતે. આ ત્રણે ઠરાને શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ ટેક આપ્યું હતું, પણ આ ઠરાવ પસાર થાય તે પહેલાં કેઈકે એ વાત તરફ સભાનું ધ્યાન દેર્યું કે, વહીવટદાર પ્રતિનિધિઓની નિમણુકને લગતા આઠમા ઠરાવ સંબંધી ચર્ચા બંધારણ કમીટીમાં થઈ નથી, એટલે એ અહીં રજૂ ન થઈ શકે. આ અંગે કોઈ પણ જાતની ચર્ચા થાય એ પહેલાં જ, ઠરાવ રજૂ કરનારે પોતે જ, એ પાછો ખેંચી લીધું હતું. આ નાના સરખા પ્રસંગ ઉપરથી પણ જાણી શકાય છે કે, બધું કામ ધારાધોરણસર ચાલે એ માટે શરૂઆતથી જ કેવી ચીવટ રાખવામાં આવી હતી! (આ અગાઉ સૂચવવામાં આવ્યું તેમ, સભાને ત્રીજા દિવસે, ૧૮ મા ઠરાવથી, આઠના બદલે નવ વહીવટદાર પ્રતિનિધિઓની નિમણૂક કરવામાં આવી હતી અને એમાં પાછા ખેંચાયેલ આઠમા ઠરાવમાં સૂચવેલ આઠે શ્રેષ્ઠીઓને સમાવી લેવામાં આવ્યા હતા.) સભામાં હાજર રહેવા દેવાને ઇનકાર—બીજા દિવસે (તા. ૨૯-૧૨-૧૯૧૨ના રેજ) સભા મળી ત્યારે પ્રમુખશ્રીએ સભા સમક્ષ એક સવાલ રજૂ કર્યો. સુરત શહેરના સ્થાનિક પ્રતિનિધિ શ્રી માણેકલાલ ઘેલાભાઈ જેઓ પહેલા દિવસની સભામાં હાજર હતા, તેથી બીજા દિવસની સભામાં હાજર રહી શકાય એમ નહીં હોવાથી, એમની વતી, એમના વકીલ શ્રી ચુનીલાલ માણેકલાલ ગાંધી તરફથી, એવી લેખિત માગણું કરવામાં આવી હતી કે, શ્રી માણેકલાલભાઈના બદલે, એમના પ્રતિનિધિ તરીકે, સભાની કાર્યવાહીની નેંધ લેવા માટે, શ્રી પ્રાણશંકર ત્રિપુરાશંકરને હાજર રહેવાની અનુમતિ આપવામાં આવે. આ બાબતમાં શું કરવું એ પ્રશ્ન સભામાં રજૂ થતાં એવી અનુમતિ આપવાને સભાએ સ્પષ્ટ ઈનકાર કરી દઈને ભવિષ્યને માટે એક દાખલો બેસાર્યો હતું. આ ઉપરથી એમ પણ સૂચિત થાય છે કે, પેઢીની કાર્યવાહીથી માહિતગાર રહેવા માટે સ્થાનિક પ્રતિનિધિઓ કેવા ઉત્સુક રહેતા હતા.' બંધારણમાં છેલ્લા સુધારે સને ૧૯૧૨ માં (વિ. સં. ૧૯૬૮ માં) સુધારેલ બંધારણ મુજબ, ૫૩ વર્ષ સુધી, પેઢીને કારોબાર ચાલતો રહ્યોપણ આ અરસામાં પેઢીના કાર્યક્ષેત્રમાં વધારો થવાને લીધે તેમ જ બીજા કારણોસર પણ, પેઢીના બંધારણમાં ફેરફાર કરવાની જરૂર જણાતાં, Page #214 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું અધારણ ૧૬૭ તા. ૬-૩-૧૯૬૫ ના રોજ મળેલી પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની સભામાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું હતું– શેઠ આણંદજી કલ્યાણજી તેમના વહીવટ નીચેની જુદી જુદી સંસ્થાને વહિવટ જૈનધર્મની પ્રણાલીકા અને ઉદ્દેશ મુજબ કરે છે અને તેમણે જુદા જુદા ટ્રસ્ટ રજીસ્ટર કરાવ્યાં છે તેમાં ઉદ્દેશ તરીકે “જૈનધર્મના સિદ્ધાંત મુજબ વહિવટ થાય છે” તેમ જણાવેલું છે. તેને સ્પષ્ટ કરવા ચેરીટી કમીશનર તરફથી જણાવવામાં આવ્યું છે. તેથી આ બધા ટ્રસ્ટે એકત્ર કરી તેની એક એજના બનાવવાનો મુસદ્દો તૈયાર કરી સ્થા. પ્રતી. સાહેબને મોકલવામાં આવેલ છે. તે રજુ થતાં તે ઉપર ચર્ચાવિચારણું કરી ઠરાવવામાં આવે છે કે રજુ થયેલ બંધારણ તપાસી તેમાં જરૂરી સુધારાવધારા કરી છેવટને મુસદ્દો તૈયાર કરવા પેઢીના નવ ટ્રસ્ટીઓ તથા નીચેના ગૃહસ્થની એક કમીટી નીમવામાં આવે છે. સદરહુ મુસદ્દો તૈયાર થએ ફરીથી સ્થા. પ્રતીનીધીઓની મીટીંગ બોલાવી તેમાં રજુ કરે–વકીલ શ્રી છોટાલાલ ત્રીકમલાલ, શેઠ રમણલાલ દલસુખભાઈ શેઠ મોતીલાલ વિરચંદભાઈ વકીલ શ્રી ભાયચંદભાઈ અને શેઠ જીવતલાલ પ્રતાપશી.” આ રીતે પેઢીના બંધારણમાં જરૂરી સુધારા કરવાનું નકકી કર્યા પછી તા. ૧૩-૨૧૬૬ ના રોજ મળેલ પ્રતિનિધિસભામાં (જનરલ મીટિંગમાં) આ કામને આગળ વધારવા માટે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હત– “તા. ૬-૩-૬૫ ના રેજની સ્થાનીક પ્રતીનીધીઓની મીટિંગમાં પિઢીના બંધારણને મુસદ્દો તૈયાર કરવા કમીટી નીમવામાં આવેલી અને સદરહુ તિયાર થયેથી સ્થાનીક પ્રતીનીધીઓની મીટીંગમાં રજુ કરવા ઠરાવેલું. તે મુજબ મુસદ્દો તૈયાર કરી તમામ પ્રતીનીધી સાહેબને મોકલી આપવામાં આવેલ છે. તે કામ રજુ થતાં તેના ઉપર ચર્ચા વિચારણા કરી એક ઠરાવ કરવામાં આવે છે કે તા. ૬-૩-૬૫ ની સ્થાનીક પ્રતીનીધીઓની મીટીંગમાં બંધારણ બાબત નીમેલી સબકમીટીમાં શ્રી અમૃતલાલ કાલીદાસને વધારાના સભ્ય તરીકે લેવા અને તે સબકમીટીને રજુ થયેલ બંધારણ અંગે જે જે સુચનાઓ કરવામાં આવેલ છે તે ધ્યાનમાં લઈ બંધારણમાં જરૂરી ફેરફાર કરી છેવટને મુસદ્દા નક્કી કરવા સત્તા આપવામાં આવે છે.” આ પછી તા. ૨૭–૨–૧૯૬૭ની જનરલ મીટીગમાં બંધારણ સંબંધી નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતે– પેઢીના બંધારણ અંગે થએલા કરા પર ફરીથી વિચાર કરતાં એમ લાગે છે કે પેઢીના બંધારણમાં કોઈ ફેરફાર કરે નહિ. પરંતુ કામકાજ અને વહિવટ કરવા માટે ધારાધારણ તથા નિયમ કરવાની જરૂર છે. તે નીયમ કરવા માટે એક પેટીસમીતી Page #215 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ નીચેના સોની નીમવામાં આવે છેઃ (૧) શેઠ શ્રી અમૃતલાલ કાલીદાસ દેશી (૨) શેઠ રમણલાલ દલસુખભાઈ શ્રોફ (૩) શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીભાઈ (૪) શેઠ હીરાલાલ હાલચંદ બાર-એટ-લે. આ પેટાસમીતીએ સોલીસીટર્સ મેસર્સ મણલાલ ખેર અંબાલાલની કં. સાથે મળી, કામકાજ અને વહિવટ અંગેના નિયમો તેમની પાસે તૈયાર કરાવવા અને પેઢીને મોકલી આપવા.” પેઢીના બંધારણમાં વહીવટી અનુકૂળતા માટે સ્થાનિક પ્રતિનિધિઓની તા. ૬-૩–૧૯૬૫ તથા તા. ૧૩-૨-૧૯૬૬ ની એમ બે સભામાં કેટલીક વિચાર કર્યા બાદ તા. ૨૭-૨૧૯૬૭ ના રોજ મળેલ આ જનરલ સભામાં આવે ઠરાવ કરે પડયો, તેથી એમ લાગે છે કે, વચગાળાના સમયમાં, આ બાબતમાં કેઈક મુશ્કેલી ઊભી થઈ હશે અને એનું નિવારણ કરવા માટે આ ઠરાવ કરીને સોલીસીટરની સલાહ લઈને પેઢીના વહીવટ અંગેના નિયમો તૈયાર કરવાનું ઠરાવવું પડ્યું હશે. આ પછી તા. ૮-૨-૧૬ના રોજ મળેલી સ્થાનિક પ્રતિનિધિઓની સભામાં, બંધારણીય વહીવટની સરળતા માટે ઘડવામાં આવેલા નિયમાવલીની કુલ ૫૩ કલમમાંથી સ્થાનિક પ્રતિનિધિઓની સંખ્યાની જોગવાઈ કરતી એકમાત્ર ૮ મી કલમ સિવાય બાકીની બધી કલમેનો આ પ્રમાણે ઠરાવ કરીને સ્વીકાર કરવામાં આવ્યું હત– શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહિવટ નીચેની તથા તેના ટ્રસ્ટીઓના વહિવટ નીચેની સંસ્થાઓના કામકાજ અંગે નિયમાવલી તૈયાર કરી રજુ કરવા, સ્થાનિક પ્રતીનીધીઓની તા. ૨૭-૨-૬૭ ની મીટીંગમાં પેટાસમીતી નીમવામાં આવેલી. આ પિટાસમતીએ તૈયાર કરેલ નિયમાવલીનો મુસદ્દો તમામ પ્રતીનીધી સાહેબને મોકલવામાં આવ્યો હતો. તેના ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી તેમ જ તે મુસદ્દામાં શેઠ અમૃતલાલ કાલીદાસ તથા શેઠ જીવાભાઈ પ્રતાપભાઈએ સુચવેલા સુધારાઓ જાહેર કર્યો તે ઉપરથી ઠરાવવામાં આવે છે કે આ પેટાસમીતીએ તૈયાર કરેલ નિયમાવલી, શેઠ અમૃતલાલ તથા શેઠ જીવાભાઈએ સુચવેલા સુધારા સહિતની નીયમાવલી તેની કલમ ૮ શીવાયની મંજુર કરવામાં આવે છે. ક. ૮ કે જે આધારે જુદા જુદા પ્રાદેશીક વિભાગોને કેવી રીતે પ્રતીનીધીત્વ આપવું તે હવે પછી નક્કી કરવામાં આવશે. અને જ્યાં સુધી નીયમાવલી મુજબ નવીન પ્રતીનીધીઓ નીમાઈ આવે ત્યાં સુધી હાલના પ્રતીનીધીઓ ચાલુ રહેશે.” . આ પછી, છેલ્લે છેલ્લે, તા. ૨૧-૬-૧૯૬૯ના રોજ મળેલી પ્રતિનિધિઓની સભાઓ નિયમાવલીની બાકી રહેલ ૮મી કલમને એટલે કે પ્રતિનિધિઓની સંખ્યાનો સ્વીકાર કરવા અંગે નીચે મુજબ ઠરાવ કર્યો હતે– આ મુસદ્દા પ્રમાણેની કલમ ૮ તથા આજરોજ નક્કી કરેલ પ્રતિનીધીઓની બેઠક ૧૧૫ મંજૂર કરવામાં આવે છે.” Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ પેઢીનુ' અંધારણ આ રીતે તા. ૬-૩-૧૯૬૫ થી શરૂ થયેલ અંધારણીય સુધારાને-૫૩ કલમે મને અનેક પેટાકલમા સાથેની સવિસ્તર નિયમાવલીને-મજૂર કરાવવાનું કામ તા. ૨૧-૬૧૯૬૯ ના રાજ, લગભગ સવાચાર વર્ષે, પૂરુ થયું. અને પેઢીની આ નવી નિયમાવલીની છેલ્લી-૫૩ મી કલમ મુજબ, પેઢીના કારોબાર વિ॰ સ૦ ૨૦૨૫ના બીજા અષાડ સુદિ ૨ (તાં. ૧૬–૭–૧૯૬૯) થી, આ નિયમાવલી મુજબ, ચલાવવાનું નક્કી કરવામાં આવ્યુ. નિયમાવલી તૈયાર કરવાની જરૂર અગે નિયમાવલીની પીઠિકામાં જણાવવામાં આવ્યુ છે કે— “ અખિલ ભારતના જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક શ્રીસંઘના પ્રતિનિધિ તરીકે “શેઠ આણુંદજી કલ્યાણજી ” ની પેઢી, શ્રી જૈન સિદ્ધાંતાને તથા તેમને અનુસરતી પ્રણાલિકાઓને અથવા તે સિદ્ધાંતાને ખાધ ન આવે તેવી રીતિએ, પોતાના હસ્તકનાં જુદાં જુદાં ટ્રસ્ટોને વહીવટ ઘણાં વરસેાથી કરતી આવી છે અને એ જ રીતિએ હવે પછી પણ “ શેઠ આણુ દજી કલ્યાણજી ’” ની પેઢીના વહીવટ ચાલુ રાખવાના છે. એટલા માટે સને ૧૮૮૦ ના ઘડાયેલા તથા સને ૧૯૧૨ માં સુધારાવધારા કરાયેલા ખ'ધારણને અનુસરીને, ચાલી આવતી પ્રણાલિકા મુજબ, વહીવટની સુવિધા ખાતર, આ નિયમાવલી કરવામાં આવે છે.” વહીવટને વિસ્તાર થતા જતા હોય, જવાબદારીઓ વધવાની સાથે સાથે આવકા અને અકથામતા વધતી જતી હોય, સયેાગા અને કાયદાઓ બદલાતા જતા હોય તેમ જ કામ કરવાની નવી નવી રીત-રસમા કે પતિએ પણ શોધાતી જતી હોય, એવી સ્થિતિમાં, જો કારોખાર સારી અને સતાષકારક રીતે ચાલુ રાખવા હોય તે એમાં, મૂળ મુદ્દાઓને બાધ ન આવે અને પોષણ મળે એ રીતે, જરૂરી ફેરફાર કરવા જ જોઈ એ. આ વાત બીજી સંસ્થાઓની જેમ પેઢીને પણ લાગુ પડે છે અને સને ૧૮૮૦ માં ઘડેલ પહેલવહેલા અંધારણ પછી ફક્ત ખત્રીસ વર્ષ બાદ જ, સને ૧૯૧૨ માં, એમાં કેટલાક ફેરફાર કરવાનું જરૂરી લાગવાથી, તે વખતના પેઢીના બાહોશ સચાલકાએ, એવો ફેરફાર કર્યાં હતા, તે આગળ જણાવવામાં આવ્યું છે. અને સને ૧૯૧૨ ના સુધારેલા અધારણ મુજબ ૫૨-૫૩ વર્ષ સુધી, પેઢીના કારોબાર ચાલતા રહ્યો; એ દરમિયાન પેઢીના કાર્યક્ષેત્રના ઉત્તરાત્તર વધુ ને વધુ વિકાસ થતા જ રહ્યો. સને ૧૮૮૦ માં, પહેલવહેલાં પેઢીનુ' બંધારણ ઘડાયુ· ત્યારે, પેઢી હસ્તક માત્ર શ્રી શત્રુંજય તીને જ વહીવટ હતા; સને ૧૯૧૨ ના બધારણુ વખતે ગિરિરાજ શ્રી શત્રુ - જય તીથૅ ઉપરાંત શ્રી ગિરનાર–જૂનાગઢ અને શ્રી રાણકપુર-સાદડી તથા એની આસપાસનાં જિનમ'દ્વિરાને વહીવટ પેઢીની પાસે આવી ગયા હતા; અને તે પછીના સમયમાં તા શ્રી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ તારગાજી, શ્રી કુંભારિયાજી, શ્રી સેરિસાજી અને ક્રિસજી–એમ બીજા ચાર તીર્થોના વહીવટ ઉપરાંત શ્રી સમ્મેતશિખર તીના પહાડની માલિકીના, પાંજરાપેાળ માટે ભાવનગર રાજ્ય તરફથી ભેટ મળેલ સીમ સહિત છાપરિયાળી ગામના, વારાણસીના એક ટ્રસ્ટને અને અમદાવાદ શહેરનાં જ નાનાં-મોટાં ખાર જેટલાં ટ્રસ્ટોના વહીવટ પેઢી હસ્તક આવી ગયા હતા. આ ઉપરથી પશુ જોઈ શકાય છે કે, આટલા લાંખા સમયના વહીવટ પછી પણ, એમાં કાઈ જાતની ઊણપ અને ઢીલાશ આવી જવાના બદલે, એ કેવા વ્યવસ્થિત અને પદ્ધતિસર ચાલતા રહ્યો હતા ! અને, એનાથી શ્રીસ`ઘને સતાષ થવાને કારણે, એના પેઢી ઉપરના વિશ્વાસ પણ ઉત્તરોત્તર કેટલા વધતા રહ્યો હતા ! તે પછી, શ્રીસ થે સેાંપેલી આવી અનેક પ્રકારની જવાબદારીઓને તથા એણે મૂકેલ વિશ્વાસને ન્યાય આપવા ખાતર, સને ૧૯૧૨ ના ખધારણમાં જરૂરી સુધારા-વધારા કર્યા વગર કેમ ચાલી શકે ? આ હતા અંધારણના છેલ્લા સુધારા-વધારારૂપે નિયમાવલી ઘડવાને પાયેા અને હેતુ. પહેલાંનાં એ બધારણા ઠરાવોના રૂપમાં હતાં : સને ૧૮૮૦ નુ' અ'ધારણ માત્ર આઠ હરાવામાં સમાઈ જતું હતું; અને સને ૧૯૧૨ નુ. સુધારેલું બંધારણ કુલ ૧૯ ઠરાવાનું અનેવુ' હતુ; અને એમાંથી પણ પહેલા ચાર ઠરાવો તા અંધારણને લગતા ન હતા, એટલે એને બાદ કરતાં આ નવું અંધારણ ૧૫ ઠરાવેા જેટલું જ બન્યુ હતુ. અને છેલ્લે સુધારેલ બંધારણમાં–નિયમાવલીમાં–સ`ખ્યાખ`ધ પેટાકલમા સહિત પ૩ જેટલી કલમા ઘડવામાં આવી છે. ખધારણના ક્રમિક વિકાસને સૂચવતુ આ ચિત્ર સમગ્ર રૂપે જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે, પેઢીના વહીવટને વિકાસ કે વિસ્તાર થવાની સાથે સાથે પેઢીના ખંધારણના પણ વિકાંસ કે વિસ્તાર થતા રહ્યો છે; અને તે પેઢીના સંચાલકાની પેઢી ઉપર આવી પડતી નવી નવી જવાબદારીઓને સરખી રીતે પહેાંચી વળવાની જોગવાઈ કરતાં રહેવાની ચીવટનું સૂચન કરે છે. હવે છેલ્લા અ’ધારણ નિયમાવલી ” માંની થોડીક વિશેષ મહત્ત્વની કલમા જોઈ એ. આઠમી ક્લમ પ્રતિનિધિઓના પ્રમાણની પદ્ધતિ-આમાં સૌથી પહેલુ ધ્યાન ખેચે છે પ્રાદેશિક (સ્થાનિક) પ્રતિનિધિઓની જે તે સ્થાન માટે સંખ્યાનું ધેારણ નક્કી કરવાની વૈજ્ઞાનિક કહી શકાય એવી જોગવાઈ કર્તા આઠમી કલમ. આમાં જૈનાની કેટલી વસ્તી ધરાવતાં શહેર કે પ્રદેશાને કેટલા પ્રતિનિધિ નીમવાની સત્તા આપવામાં આવે છે, તે માટે આઠમી કલમની પહેલી પેટાકલમ, ચાર પેટાકલમા સાથે, આ પ્રમાણે નક્કી કરવામાં આવી છે. (૧) અખિલ ભારતના જુદા જુદા પ્રાદેશિક વિભાગેાનું પ્રમાણસર પ્રતિનિધિત્વ Page #218 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું બંધારણ સચવાય તે હેતુથી સામાન્યપણે વસ્તીને ઘેરણે તે તે પ્રાદેશિક વિભાગનું પ્રતિનિધિત્વ રાખવામાં આવશે. આ પ્રમાણે વસ્તીના ધોરણે પ્રતિનિધિઓની નિમણુકની સંખ્યા નીચે પ્રમાણે રહેશે– . “(અ) કેઈ શહેર વગેરે અને તેની આસપાસના વિભાગ કે જેની જૈન શ્વે મૂર્તિપૂજક વસ્તી ૧૦૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ-૧. (બ) કોઈ શહેર વગેરે અને તેની આસપાસનો વિભાગ કે જેની જૈન ૦ મૂર્તિપૂજક વસ્તી ૧૦૦૦૧ થી ૨૦૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ-૨. “(ક) કેઈ શહેર વગેરે અને તેની આસપાસનો વિભાગ કે જેની જૈન શ્વેત મૂર્તિપૂજક વસ્તી ૨૦૦૦૧ થી ૩૦૦૦૦ સુધીની હશે તે માટે પ્રતિનિધિ-૩, “(ડ) કેઈ શહેર વગેરે અને તેની આસપાસ વિભાગ કે જેની જેન વે મૂર્તિપૂજક વસ્તી ૩૦૦૦૧ થી વધારે હશે તે માટે પ્રતિનિધિ-૪." પ્રતિનિધિઓની સંખ્યા નક્કી કરવાની આ પદ્ધતિ એવી છે કે જેથી કોઈ પણ સ્થાનના સંઘને પિતાના પ્રતિનિધિત્વને માટે ફરિયાદ કરવાપણું ભાગ્યે જ રહે. કો-ઓપ્ટ પ્રતિનિધિ–ચેથી પેટાકલમ મુજબ પ્રતિનિધિઓની સાધારણ સભાને ૧૦ સભ્ય કૉ-ઓપ્ટ કરવાની સત્તા આપવામાં આવી છે. પ્રતિનિધિઓની કુલ સંખ્યા–પહેલી અને એથી એમ બન્ને પિટાકલમો મુજબ નીમવામાં આવનાર પ્રતિનિધિઓની કુલ સંખ્યા વધારેમાં વધારે સંખ્યા), પાંચમી પેટાકલમથી, ૧૩૦ નકકી કરવામાં આવી છે. કલમ ૨૨ મી તથા ર૭ મી પ્રમુખપદની પ્રથામાં ફેરફાર–સને ૧૮૮૦ ના બંધારણ (ઠરાવ ચેાથો) તથા સને ૧૯૧૨ ના સુધારેલ બંધારણ (ઠરાવ ૧૯) માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, શેઠ શાંતિદાસના જે વારસ હોય તેમને જ પેઢીને વહીવટ કરનાર પ્રતિનિધિઓની કમિટીનું પ્રમુખપદ સંભાળવાનો, વંશપરંપરા, અધિકાર આપવામાં આવ્યો હતે. શેઠ શાંતિદાસના વારસ પેઢીનું પ્રમુખપદ સંભાળવાને જે વારસાગત અધિકાર ભોગવતા હતા, તે પ્રથામાં આ છેલ્લા બંધારણમાં ફેરફાર કરીને એમને પેઢીને ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે નીમાવાને અધિકાર આપવામાં આવ્યું અને પ્રમુખની વરણી ટ્રસ્ટી મંડળમાંથી ટ્રસ્ટીઓએ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ કરવાનું ઠરાવવામાં આવ્યું. પેઢીના પ્રમુખપદને લગતી પ્રથામાં ફેરફાર કરતી આ મે કલમા આ પ્રમાણે છે— “(૨૨) ટ્રસ્ટી બનવાના હક—મરહુમ શેઠશ્રી શાંતિદાસ તથા તેમના કુટુંબે જૈન સંઘના પવિત્ર તીર્થાને લગતા ઘણા અગત્યના હક્કો તથા લાભા મેળવી આપી ચતુર્વિધ સઘની અમૂલ્ય સેવા કરી છે. તેમ જ સદરહુ તીર્થોને લગતી ઘણી ખાદશાહી સનદ તેમના નામે શ્રીસ`ઘને પ્રાપ્ત થયેલ છે. તેથી ટ્રસ્ટીઓની સમિતિએ મજકૂર શેઠશ્રી શાંતિદાસના કુટુબના વખતેવખત જે વંશવારસા હાય તેમાંથી એક વ્યક્તિની આ પેઢીના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવી.” ‘(૨૩) પ્રમુખની ચૂંટણી-ટ્રસ્ટીઓ તેમના પૈકી કોઈ એક સભ્યની તેમની સમિતિના પ્રમુખ તરીખે ચાર વર્ષ માટે બહુમતીથી ચૂંટણી કરશે.” પેઢીના પ્રમુખપદ માટેની જૂની પ્રથાના સ્થાને પેઢીના પ્રમુખની ચૂંટણી કરવાનો જોગવાઈ કરતા આ ફેરફાર, જેમ સમયાનુકૂળ અને મહત્ત્વના છે તેમ, એ પેઢીના સ'ચાલકાએ તથા સંસ્થાના સને ૧૮૮૦ના તથા સને ૧૯૧૨ ના બધારણ મુજબ શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસના વારસ તરીકે, સને ૧૯૨૮ ની સાલથી, પેઢીના પ્રમુખ તરીકેની જવાબદારી સભાળી રહેલ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ દાખવેલ દૂરંદેશી અને શાણપણનું સૂચન કરે છે. કલમ ૩૧ મી પેઢી એ જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંઘસમસ્તનુ' પ્રતિનિધિત્વ ધરાવતી સસ્થા છે, એટલે ભારતભરનાં જિનમદિરા અને તીર્થોમાંથી જે કાઈ ને જીર્ણોદ્ધાર કે સાચવણી માટે સહાયની જરૂર હાય, એમને સહાય આપી શકાય એવી જોગવાઈ પેઢીની નિયમાવલીની ૩૧ મી કલમમાં કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે— 66 (૩૧) આ પેઢી હસ્તક જેના વહીવટ ન હેાય તેવાં બીજા' કાઈ પણ તીર્થ, મદિરા કે જિનચૈત્યાના જીર્ણોદ્ધાર અથે કે જિનબિંબાના સ’રક્ષણ કે લાભાર્થે આ પેઢી હસ્તક વહીવટની કાઈ પણ સંસ્થાના નાણાંમાંથી કે જેમાંથી તેના ઉદ્દેશ પ્રમાણે આપી શકાય, તેવી મદદથી આપવાનુ અને/અથવા ખર્ચ કરવાનું ટ્રસ્ટીઓને યાગ્ય જણાય તે! એ તીર્થં અગર મંદિર કે સસ્થા માટે રૂપિયા ૫૦,૦૦૦-૦૦ અંકે, રૂપિયા પચાસ હજાર સુધીની રકમ તે તીથૅ આદિને નામે ખાતે લખીને અગર ખર્ચ ખાતે લખીને આપવાના પેઢીના ટ્રસ્ટીઓની Page #220 -------------------------------------------------------------------------- ________________ પઢીનું બંધારણ ૧૭૩ સમિતિને અધિકાર રહે છે. પરંતુ આવી રીતે મદદ આપે અને/અથવા ખર્ચ કરે તે રકમને બધાં સ્થળોને એકંદર આંકડે એક સાલમાં રૂપિયા ત્રણ લાખથી વધારે થશે નહીં. અને જે એક તીર્થમાં રૂા. ૫૦,૦૦૦/કરતાં વધારે રકમ આપવાની જરૂર હોય તે, અથવા એક વર્ષમાં બધાં સ્થળને મદદ અને/અથવા ખર્ચને એકંદર આંકડે રૂપિયા ત્રણ લાખથી વધારે થશે તેમ જણાય તે સાધારણ સભામાં મેળવેલી પ્રતિનિધિઓની બહુમતિપૂર્વકની સંમતિથી તેવી વધારે રકમ આપી શકશે અને/અથવા ખચી શકશે.” આ કલમમાં જે તે સંસ્થાના નામે લખીને કે ખર્ચ ખાતે લખીને જરૂરતવાળી સંસ્થાને નાણું આપવાની જે જોગવાઈ કરવામાં આવી છે, તે જરૂરતવાળી સંસ્થાને, એની નાણાકીય પરિસ્થિતિ પ્રમાણે, સમયસર પિસા મળી રહે અને પૈસાના અભાવે કઈ પણ સંસ્થાનું જીર્ણોદ્ધાર કે તીર્થરક્ષાનું કામ બગડવા ન પામે, એ માટેની પેઢીની તત્પરતા અને ચિંતાનું સૂચન કરે છે. સને ૧૯૧૨ ની સાલના બંધારણમાં, ઠરાવ ૯ મુજબ, આ રકમ પંદર હજાર રૂપિયા જેટલી નક્કી કરવામાં આવી હતી. અને એમાં પણ નામે લખીને કે ખર્ચ ખાતે લખીને નાણાં આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. કલમ ૩ર મી (ક) સંઘ બહાર કરવાની સત્તામાં ફેરફાર–સને ૧૯૧૨ ની સાલના બંધારણના ૧૫ મા ઠરાવથી જે માણસ જૈન ધાર્મિક સંસ્થાને હિસાબ ન આપતો હોય કે એવી મિલકત ઍપ ન હોય તેને, જરૂરી વિધિ કર્યા બાદ, સંઘ બહાર મૂકેલ જાહેર કરવાની સત્તા પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. પણ, સરકારે ઘડેલા નવા કાયદા મુજબ, કેઈ વ્યક્તિને સંઘ બહાર કે નાત બહાર કરવો એ ગુનાહિત કૃત્ય બનતું હોવાથી, નિયમાવલીમાં એના બદલે કલમ ૬, ૭ અને ૩૨ (અ) મુજબ દેષપાત્ર થતી વ્યક્તિની સામે પગલાં ભરવા અંગે કલમ ૩૨ (ક) થી જે જોગવાઈ કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે– “(૩૨) (ક) આવી કોઈ વ્યક્તિ શ્રીસંઘને પ્રતિનિધિ કે આ પેઢીને ટ્રસ્ટી થઈ શકશે નહીં અને જે તે થયું હશે તે પ્રતિનિધિ તરીકે અથવા ટ્રસ્ટી તરીકે કમી થવાને પાત્ર ગણાશે.” Page #221 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ કલમ ૪૪ મી મકાનમાં પણ નાણું રેવાની જોગવાઈ—પેઢીનાં નાણાં, કાયદેસર રીતે, કથા કંથાં રેકી શકાય એની વિગતે ૪૪ મી કલમમાં આપવામાં આવી છે. એમાં અને / અથવા ઓછી આવકવાળા જૈન ભાઈ એ માટે મકાન બાંધવામાં અને / અથવા તે માટે જગ્યા કે મકાન ખરીદવામાં રોકવામાં આવશે”-એવી જે જોગવાઈ રાખવામાં આવી છે કે, અત્યારના સંજોગોમાં, ખૂબ આવકારપાત્ર અને અનુમોદનીય બની રહે એવી છે. પિતાની નિયમાવલીમાં આવી જોગવાઈને દાખલ કરીને પેઢીએ જરૂરતવાળા શ્રાવક ભાઈઓની મુશ્કેલી પ્રત્યે સક્રિય સહાનુભૂતિ દર્શાવી છે અને તે બીજી સંસ્થાઓએ અનુસરવા જેવી છે, એમ કહેવું જોઈએ. કલમ ૫૦ મી * નિયમાવલીમાં ફેરફાર–ભવિષ્યમાં જ્યારે પણ, વહીવટી સુવિધાની ખાતર, પેઢીની નિયમાવલીમાં સુધારા-વધારા કરવાની જરૂર ઊભી થાય ત્યારે, એમ કરી શકાય એ માટે, નિયમાવલીમાં ૫૦ મી કલમ નીચે મુજબ ઘડવામાં આવી છે (૫૦) આ નિયમાવલીમાં જૈન સિદ્ધાંતને બાધ ન આવે તેવી રીતે, વહીવટ, વ્યવસ્થા અને સંચાલન અંગેના નિયમોમાં કોઈ પણ સુધારાવધારા કે ફેરફાર કરવાની જરૂર જણાય તે પ્રતિનિધિઓની સાધારણ અથવા અસાધારણ સભાના કાર્યક્રમ સાથે અને આ નિયમાવલીની મૂળ કલમે તથા તેમાં શું શું સુધારાવધારા કરવા છે, તે સવિસ્તર દર્શાવવા. ત્યાર પછી સભામાં હાજર રહેલ સભ્યોના ૩/૪ ભાગની સંમતિથી આ નિયમાવલીમાં સુધારાવધારા કે ફેરફાર થઈ શકશે.” અમલ–નિયમાવલીની છેલ્લી–૫૩ મી કલમમાં સૂચવ્યા પ્રમાણે, વિ. સં. ૧૯૨૫ના બીજા અષાડ સુદિ બીજથી અમલમાં આવેલ નવા બંધારણની નિયમાવલીની કેટલીક વિશેષ નોંધપાત્ર કલમનું થોડુંક અવલોકન ઉપર કરવામાં આવ્યું છે, તે ઉપરથી પણ પેઢીનાં કારોબાર સરખી રીતે અને વ્યવસ્થિત તેમ જ નિયમસર ચાલતું રહે, એ માટે પેઢીના સંચાલકે સમયે સમયે કેટલું ધ્યાન આપતા રહે છે, તે જાણી શકાય છે. - Page #222 -------------------------------------------------------------------------- ________________ આઠમા પ્રકરણની પાઇને ૧. આલમ બેલિમનું મરણ ગઢ ઉપરથી પડી જવાના અકસ્માતને લીધે થયું હતું કે પેઢીના માણસેએ એનું ખૂન કર્યું હતું–આ મુદ્દાને લઈને જૈન સંધ એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાલીતાણું રાજ્ય વચ્ચે કડવાશભર્યો વિખવાદ જગોડનાર આ પ્રકરણની વિશેષ માહિતી આ ગ્રંથના “પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા” નામે ૧૧ મા પ્રકરણમાં આપવામાં આવી છે. 2. “Anandjee Callianjee is not an individual but the name of a firm, which propesses to represent the feelings of the Shravak Community, and that if the said community really wish to put an end to the misunderstandings at present existing between them and the Thakore Saheb of Palitana, they would do well to nominate some influential member at a common meeting of the caste and depute him with full powers to treat with the Thakore Saheb for a settlement of all points in dispute under the General supervission and medeation of the Political Agent.” (દફતર નં. ૧૧, ફાઈલ નં. ૯૭). 3. "RESOLUTION—The petition should be returned to the sender with an intimation that Government will only accept a petition from a person, who makes a BONAFIDE complaint on his own account, or on account of other person or persons whom he is lawfully empowered to represent; and as it is not believed that there is any such person as Seth Anandjee Callianjee who has the right to assume the title of "Representative of the Shravak Community of India ", this complaint is not one which Government think it nece ssary or expedient to entertain.” (દાર નં. ૧૧, ફાઈલ નં. ૯૩). ૪. સને ૧૮૮૦ના સપ્ટેમ્બર માસમાં પેઢીનું બંધારણ ઘડયા પછી, પેઢી ભારતભરના જૈન વેતામ્બર મૂર્તિપૂજક સંઘનું, આ બંધારણની રૂએ, કાયદેસરનું, પ્રતિનિધિત્વ ધરાવે છે, એ અંગે લેશ પણ શંકાને સ્થાન રહેતું ન હતું. એટલે મુંબઈ સરકારને એ વાતની તરત જ જાણ કરવા માટે મુંબઈના ગવર્નર નામદાર સર જેમ્સ ફરગ્યુસનને પેઢી તરફથી એક સવિસ્તર પત્ર લખવામાં આવ્યો હતો અને એની સાથે ગુજરાતીમાં ઘડવામાં આવેલ પેઢીના બંધારણને અંગ્રેજીમાં સાર પણ મોકલવામાં આવ્યા હતા. પેઢી તરફથી અંગ્રેજી ભાષામાં લખવામાં આવેલ આ કાગળ, બંધારણ માટેની સભા બોલાવવાની જાહેર ખબરમાં અમદાવાદ સંધના જે આઠ અગ્રણીઓએ સહીઓ કરી હતી, અને જેઓને બંધારણના બીજા ઠરાવથી પેઢીના વહીવદાર પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ હતા, એમની સહીઓથી લખવામાં આવ્યું હતું અને એ કાગળ સાથે મેકલવામાં આવેલ બંધારણને અંગ્રેજી ભાષાને સાર ફેડરીક ચેક સ્મીથ (નેટરી પબ્લિક, બોબે) એમણે તૈયાર કર્યો હતો અને બંધારણ માટેની સભામાં પણ તેઓ હાજર હતા.' I પેઢીના પ્રતિનિધિઓ તરફથી મુંબઈના નામદાર ગવર્નરશ્રીને આ કાગળ કઈ તારીખે લખવામાં આવ્યું હતું, તે વાતની નોંધ આ કાગળની છાપેલ નકલ ઉપર કરવામાં આવી નથી, પણ શ્રી ક્રેડરીક યોર્ક સ્મીથે કરેલ બંધારણના અંગ્રેજી સાર નીચે ૨૧–૯–૧૮૮૦ની –એટલે કે બંધારણ ઘડાયા પછી બે દિવસની–જ તારીખ લખવામાં આવી છે. એથી પેઢી તરફથી લખવામાં આવેલ કાગળ પણ આ તારીખની આસપાસની જ કઈ તારીખે લખવામાં આવ્યો હશે, એમ કહી શકાય. ( આ પત્રના આઠમા ફકરામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સમસ્ત શ્રાવક કેમનું હવે કાયદેસર પ્રતિનિધિત્વ ધરાવે છે, એ વાતની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલી હોવાથી, આ આઠમો ફકરે, આખા પત્રના હાર્દ સમે હેઈ, બહુ મહત્વને છે, એટલે એ અહીં રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે “8. In consequence of the above Government Resolution No. 872, dated Bombay Castle, 24th February 1 80, and another Government Resolution No. 2228, dated Bombay Castle, 11th May 1880, it becomes necessary for your Petetioners to procure satisfactory proof of the fact that they were authorized representatives of the Shrawak Community of India. “Accordingly at your Petitioners' instance numurous meetings of the Shrawak Community were convened and held during the month of September last for the purpose of submitting to the Community resolutions amongst others to the following effect-- “That all previous acts performed on behalf of the Shrawak Community in the name of Seth Anandjee Cullianjee for the removal of hindranees on the part of the Thakore Saheb of Palitana and otherwise in connection with the affairs of and relating to Satroonja should be confirmed. «That all affairs of the Shrawak Community relating to the Satroonja Hill and Temples and all the business of the said community in any manner connected therewith which have hitherto carried on in the name of Seth Anandjee Cullianjee should be managed by a Committee consisting of the eight persons whose names are subscribed to this Petition. Page #224 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું બંધારણ ૧૭૭ “ That the said eight persons should have full power to manage in future the business of Seth Anandjee Cullianjee. “ The above resolution or resolutions having the same effect were unanimously passed at meetings of Shrawak Community which were, all held in the aforesaid month of September last, after due notice at the following places : (names of different cities and towns are given hereafter.) (અથ–મુંબઈ કેસલ, તા. ૨૪-૨-૧૮૮૦ ના નં. ૮૭૨ ના તેમ જ મુંબઈ કેસલ, તા. ૧૧-૫-૧૮૮૦ ના નં. ૨૨૨૮ના મુંબઈ સરકારના ઠરાવના અનુસંધાનમાં, આપના અરજદારો માટે એ જરૂરી થઈ ગયું કે, તેઓ ભારતની શ્રાવક કેમનું સત્તાવાર પ્રતિનિધિત્વ ધરાવે છે, એ હકીકતને સંતોષકારક પુરા હાંસલ કરવો. તેથી, આપના અરજદારોના સૂચનથી, શ્રાવક કેમની સંખ્યાબંધ સભાઓ, કેમની પાસે ઠરાવ રજૂ કરીને, એમાં નીચેની બાબતોને સમાવેશ કરવા માટે, ગત સપ્ટેમ્બર માસમાં, બોલાવવામાં અને ભરવામાં આવી હતી– -કે શત્રુંજયને લગતી કામગીરીમાં તથા એની સાથે સંબંધ ધરાવતી બાબતમાં, પાલીતાણુના ઠાકોર સાહેબ તરફથી તેમ જ બીજી રીતે. જે જે મુશ્કેલીઓ ઊભી થવા પામી હેય, તેને દૂર કરવા માટે, શેઠ આણંદજી કલ્યાણજીએ, શ્રાવક કેમની વતી, અત્યાર અગાઉ, જે કંઈ કાર્યવાહી કરી હોય, તેને મંજૂર કરવામાં આવે. –કે શ્રાવક કેમે, શત્રુંજય પહાડ અને એનાં દેવાલયને લગતાં કાર્યો તેમ જ એની સાથે સંબંધ ધરાવતી એ કેમની બધી કાર્યવાહી, અત્યાર સુધી, શેઠ આણંદજી કલ્યાણજીના નામે કરેલ છે, એનું સંચાલન, જેઓનાં નામ આ અરજીમાં લખવામાં આવ્યાં છે તે, આઠ વ્યક્તિઓની બનેલી કમીટીએ સંભાળવું. –કે આ આઠ વ્યક્તિઓને, ભવિષ્યમાં, શેઠ આણંદજી કલ્યાણજીને કારોબાર ચલાવવાની પૂરી સત્તા હેય. એકસરખી અસરવાળા ઉપર મુજબના ઠરાવ કે ઠરાવે, આ આ સ્થાનમાં કાયદેસરની નોટીસથી, ઉપર સૂચવ્યા મુજબ ગત સપ્ટેમ્બર મહિનામાં, બોલાવવામાં આવેલી શ્રાવક કેમની સભાઓમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. (આ પછી આ શહેરે અને નગરોનાં નામો આપવામાં આવ્યાં છે.) પેઢીએ મુંબઈના નામદાર ગવર્નરને લખેલ આ પત્રમાંના, ઉપર આપવામાં આવેલ, આઠમા ફકરાની શરૂઆતના લખાણ ઉપરથી એમ જાણવા મળે છે કે, મુંબઈ સરકારે પોતાના તા. ૨૪-૨-૧૮૮૦ ના નં. ૮૭૨ના ઠરાવ પછી, આશરે અઢી મહિના બાદ, તા. ૧૧-૫-૧૮૮૦ને નં. ૨૨૨૮ને ઠરાવ પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપર મોક હતા. પણ આ ઠરાવની નકલ પેઢીના દતરમાંથી મળી શકી નથી; તેથી એમાં કયે મુદ્દો લખવામાં આવે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શેઠ આ૦ કડની પેઢીને ઇતિહાસ - હતા, એ નિશ્ચિત રૂપે કહી શકાય એમ નથી. આમ છતાં પેઢીએ પિતાનું બંધારણ ઘડ્યા , પછી તરત જ ગવર્નરશ્રીને લખેલા પત્રમાં આ ઠરાવને જે રીતે ઉલેખ કરવામાં આવ્યા છે, તે ઉપરથી એટલું તો લાગે છે કે, એમાં પણ, તા. ૨૪-૨-૧૮૮૦ના નં. ૮૭૨ના ઠરાવની જેમ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેન કામનું કાયદેસર પ્રતિનિધિત્વ ધરાવે છે એ અંગે પુરા રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હોવું જોઈએ. ૫. શેઠશ્રી કુંવરજીભાઈએ આ ઠરાવમાં “શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી (હેડ ઑફિસ) જે અત્યાર સુધી અમદાવાદમાં છે ત્યાં જ રાખવી” એ પ્રમાણે રજુઆત કરીને, પેઢીનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં જ રાખવાનું સ્પષ્ટપણે નકકી કરાવ્યું, તે એટલા માટે કે, એ અરસામાં - પેઢીનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં લઈ જવાને જે વિચાર જાગ્યો હતો અને જેને પ્રચાર પણ, અવારનવાર, થવા લાગ્યા હતા, એને કાયમને માટે અંત આવી જાય. ૬. શ્રીસંઘને પેઢીના કાર્યથી કેટલો સંતોષ હતા અને પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ પ્રત્યે વી આદર-બહુમાનની લાગણી ધરાવતા હતા, તે વાત નીચેની બે બાબતોથી પણ ખ્યાલમાં આવી શકે છે. આમાંની પહેલી બાબત આ પ્રમાણે છે– એમ લાગે છે કે, આ વર્ષમાં (સને ૧૯૧૨ માં) માર્ચ મહિનામાં પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓની સભા બોલાવવા માટે જે જાહેરાત (નોટિસ) કાઢવામાં આવી હતી એમાં, - પેઢીને તે વખતના વહીવટદાર પ્રતિનિધિઓએ નિવૃત્ત થવાની પિતાની ઈચ્છા પણ લખી જેવી હેવી જોઈએ. આ ઉપરથી સ્થાનિક પ્રતિનિધિઓએ (તા. ૧૧-૩-૧૯૧૨ ના રોજ), * નીચે મુજબ ઠરાવ પસાર કરીને, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ તરફની લાગણું પ્રદર્શિત કરી હતી. . “હાલના વહીવટ કરનાર પ્રતીનીધીએ રીટાયર થવા માગે છે તેથી તેમની જગ્યાએ .? બીજા નવા વહીવટ કરનાર પ્રતિનિધિઓ નીમવા એવું મીટીંગના આમંત્રણપત્રમાં જણાવ્યું છે. તે સંબંધે શેઠ જેઠાભાઈ નરશીહભાઈએ દરખાસ્ત કરી કે વહીવટ કરનાર પ્રતીનીધીઓ પિતાનું કામ ઘણું સંતેષકારક બજાવતા હાઈને જે રીતે હાલ સુધી ચાલે છે તે અનુસાર કાયમ ચલાવવું એમ ઠરાવ કરો. તે ઠરાવને વોરા અમરચંદ જસરાજે ટેકે આપે. સ્થાનીક . પ્રતિનિધિઓના મત લેતાં સર્વાનુમતે આ દરખાસ્ત પસાર કરવામાં આવી.” બીજી બાબત છે, બંધારણના સુધારા માટે લાવવામાં આવેલી, “હિંદુસ્તાનના સકળ સંધના શ્રાવક સમુદાયના તમામ મેમ્બરની ” આ સભામાં થયેલી કાર્યવાહી અંગે. શેઠશ્રી કુંવરજીભાઈ આણંદજીએ, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાન માસિક મુખપત્ર “ શ્રી જૈનધર્મ પ્રકાશ”ના વિ. સં. ૧૮૬૯ના પોષ માસના અંકમાં પ્રગટ કરેલ એક વિસ્તૃત નોંધ, જે આ પ્રમાણે છે| | . “શા. કુંવરજી આણંદજી શ્રી ભાવનગરવાળાએ દરખાસ્ત કરી કે–આપ સાહેબની સમક્ષ, સં. ૧૯૩૬થી સં. ૧૯૬૭ સુધીને જે હિસાબ અને સરવૈયું રજુ કરવામાં આવેલ છે. તે ઉપરથી આપ સાહેબે જોઈ શકયા છે કે પ્રારંભમાં શેઠ આણંદજી કલ્યાણજીની મીત જે હતી તેમાં સં૦ ૧૯૬૮ને વધારે ગણતાં સુમારે ૨૪-૨૫ લાખ જેટલો એ Page #226 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું અધારણ ૧૯ અરસામાં વધારા થયા છે એટલે કે સને ૧૮૮૦માં ૧૧ લાખ લગભગ મીલ્કત હતી, તે સં॰ ૧૯૬૮ની આખરે ૩૫-૩૬ લાખ લગભગ થયેલ છે. આપણે માત્ર દ્રવ્યની વૃદ્ધિથી લલચાઈ જવાનુ નથી; પણ એકેક વર્ષીમાં સેા સે! વખત મેનેજીંગ કમીટીની મીટીગ ભરીને અહીંના વહીવટ કરનાર પ્રતિનિધિ સાહેબાએ શેઠ આણુંદજી કલ્યાણજીના કામમાં પેાતાના તન, મન, ધનના ભાગ આપ્યા છે, અને આપણા તીર્થના હક્કો જેટલા બની શકથા એટલા જાળવ્યા છે, અને તેને માટે પૂરતા પ્રયત્ન કર્યાં છે. જેમણે આવું સ ંતાષકારક કામ ૩૨-૩૩ વર્ષ જેટલી લાંખી મુદ્દત સુધી કર્યું છે, તેમના જ હાથમાં આ પેઢીનું કામ કાયમ રાખવું એ દરેક રીતે યોગ્ય જણાય છે, તે છતાં એક વાર તકરારની ખાતર નહીં પણ સંતાષ પમાડવાની ખાતર આપણે આ પેઢી અહીંથી ખસેડી ખીજે લઈ જવાના વિચાર પર આવીએ, પણ જ્યાં સુધી કાઈ પણ શહેરના સધના આગેવાને એકત્ર થઈને, એક વિચારથી એક ક્લિથી તેવા પ્રકારની માગણી આપણી એટલે આખા હિંદુસ્થાનના અત્રે મળેલા શ્રીસંધની સમક્ષ રજુ કરે નહી” ત્યાં સુધી આપણે તેવા ઠરાવ પર શી રીતે આવી શકીએ ? આ સંબંધમાં આજ સુધીમાં ઘણું છપાયું છે, લખાયુ છે, ખેલાયુ છે, કહેવાયુ* છે, પરંતુ તેના પરિણામ તરીકે જ્યારે અત્યારે કાઈ પણ માગણી આપણી પાસે રજુ થતી નથી ત્યારે એમ માની શકાય છે કે અહીંના પ્રતિનિધિ સાહેબાએ કરેલું કામ પૂર્ણ સાષકારક છે, એમ આખા શ્રીસ ધ નિર્વિવાદપણે માને છે. તેથી આપણે અહીં ખાતે જ પેઢી કાયમ રાખવાના વિચાર પર આવવું તે જ યોગ્ય છે, અને તે જ સાવર છે. તેથી આજ સુધી અહીંના જે પ્રતિનિધિ સાહેમાએ ઘણું સતાષકારક કામ કર્યુ છે તે ખાતે તેમના આભાર માનવાની આપણી ખાસ રજ છે, કારણ કે અત્યાર સુધીમાં તેઓ સાહેબાએ તન, મન, ધનના ભાગે કામ કર્યું છે તેના લાભ, તેનું માન તેઓ પાતે લેતા નથી, લેવા માગતા નથી, પરંતુ તેઓ શુદ્ધ અતઃકરણથી એમ જ કહે છે કે અમે જે કાંઈ કરી શકયા છીએ તે અમારા ખળથી નહીં, પરંતુ શ્રીસંઘની સહાયથી, તેમની મદદથી અને તેમની હુંફથી કરી શકયા છીએ. એટલે તેઓ કામ કરીને માન આપણને આપે છે, ત્યારે આપણે તેમને માન આપવું જ જોઈએ. તે પણ એટલા માટે નહી કે તેઓની ઉલટ વૃદ્ધિમાન થાય; પરંતુ આવી રીતે કામ કરનારની શ્રીસ ંધ તરફથી કદર બુજવામાં આવે છે તેવુ' જાહેરમાં આવવાથી તેમનેા તેમ જ હવે પછી જેઆ કામ કરવાની શક્તિ કે લટ ધરાવતા હેાય તેમના ઉલ્લાસ વૃદ્ધિમાન થાય. સબબ તે સાહેબને આભાર માનવા સાથે આપણે વિનતિ શા માટે ન કરવી કે તે સાહેબે જ જેવી રીતે આજ સુધી કામ કર્યુ છે તેવી જ રીતે પુરતા ઉત્સાહથી અને શ્રીસંધને પૂર્ણ સતાષ મળે તેવી રીતે કામ કરવું. આવા વિચારથી હું દરખાસ્ત કરૂ' છુ કે “શેઠ આણુ જી કલ્યાણજીની મુખ્ય પેઢી જે અમદાવાદ ખાતે છે તે ત્યાં જ કાયમ રાખવી. ’ “ આ સંબંધમાં અભિપ્રાય આપતાં પહેલાં અભિપ્રાય આપનાર ગૃહસ્થાને હું વિનંતી કરૂ છું કે પોતે જે અભિપ્રાય આપવા તે તેનુ પરિણામ વિચારીને જ આપો, આપણે જે અભિપ્રાય આપીએ તેનું પરિણામ જો શુન્યમાં આવવાનું લાગે તે તેવા અભિપ્રાય શા માટે આપવા ? સબબ મારી કહેલી તમામ હકીકત ધ્યાનમાં લઈને આપ સાહેખા તપાતાના સ્વતંત્ર અભિપ્રાય આપશેા. પરંતુ હું આશા રાખુ છુ કે આપ સ મારા વિચારને મળતા જ થશે.. આટલું ખેાલીને આપના વધારે વખત ન રાકતાં હું બેસી જવાની રજા લઉં છું Page #227 -------------------------------------------------------------------------- ________________ # ૨ શેઠ આઠ કેવની પેઢીને ઇતિહાસ આ દરખાસ્તને શેઠ કલ્યાણચંદ ભાગ્યચંદ જૈન કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ, દામોદર બાપુશા એવલાકરે, રતલામવાળા ગાંધી વરધીચંદજીએ, સુરતવાળા શા. રતનચંદ ખીમચંદે અને બીજા ઘણાઓએ ટેકે આ હતો, અને દરખાસ્ત એક પણ વિરુદ્ધ મત શિવાય સર્વાનુમતે પસાર થઈ હતી.” ૭. પેઢી હસ્તકનાં, અમદાવાદનાં આ બાર ટ્રસ્ટની યાદી આ પ્રમાણે છે– (૧) શ્રી શાંતિસાગર જેન ટ્રસ્ટ. (૨) ઉજમફૈબા ધર્મશાળા ટ્રસ્ટ. (૩) ઉજમબા ધર્મશાળા ટ્રસ્ટ પરચૂરણ વહીવટ ખાતું. (૪) રામજી મંદિરની પિળનું સુપાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. (૫) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર. (૬ થી ૧૨) શેઠ મગનલાલ કરમચંદનાં નામનાં નીચે મુજબ સાત ટ્રસ્ટ ૧. અષ્ટાપદ અને નંદીશ્વરદીપજી દેરાસર ફંડ. ૨. ચોથા વ્રતની બાધાનું ફંડ. ૩. દેરાસર કેસર-સુખડ ફંડ. ૪. દેરાસર, સાધુ-સાધ્વીને કપડાં વહેરાવવાનું ફંડ. ૫. પાલીતાણું દેરાસર ફંડ. ૬. પાલીતાણા સદાવ્રત ફંડ. ૭. પાલીતાણું ધર્મશાળા ફંડ, ૮. સને ૧૯૧૨ માં પેઢીના બંધારણમાં સુધારા-વધારા કર્યા પછી પણ પેઢીનો કારોબાર કેવી સારી રીતે ચાલતું હતું, અને તેથી શ્રીસંઘમાં પેઢી પ્રત્યે કેવી આદર અને મમતાની લાગણી પ્રવર્તતી હતી, તે હકીકત બંધારણના આ સુધારા પછી ચાર વર્ષે, સને ૧૯૧૬ માં ( વિક સં. ૧૯૭૨ માં), પાલીતાણુને “શ્રી શેત્રુંજય જૈન સુધારક મિત્ર મંડળ” વતી શ્રી ગુલાબચંદ શામજી કેરડીયાએ તૈયાર કરેલ “શ્રી સિદ્ધાચળનું વર્તમાન વર્ણન " નામે પુસ્તકમાં (પ્ર. ૧૮-૧૯ માં), “શેઠ આણંદજી કલ્યાણજીની પહેડી” નામે પાંચમાં પ્રકરણમાં, પેઢીની કામગીરીનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે ઉપરથી પણ જાણી શકાય છે, જે આ પ્રમાણે છે– આ સંસ્થાની કમિટિ આખા હિન્દુસ્તાનના જુદા જુદા દેશના સંઘના આગેવાને એટલે પ્રતિનિધીઓથી બનેલી છે. તેની મુખ્ય પહેડી ને હેડ ઓફીસ અમદાવાદ ઉ રાજ નગરમાં છે. અહિંની આ પહેડી શાખા પહેડી છે. તેને અત્ર તરફના વતનિઓ “કારખાનું ” એ ઉપનામથી બોલે છે. એક બાહોશ મુનિમના હાથ નિચે આ સંસ્થા ચાલે છે. આણંદજી કલ્યાણજીનો વહીવટ એટલે જેન તિર્થ સંરક્ષણને હક તથા કાર્યભાર મોગલ મહાન પાદશાહ અકબર અને જહાંગીરના સમયથી અમદાવાદ નગરશેઠ શાંતિદાસના હસ્તક મૂકવામાં આવ્યું હતો, તે અદ્યાપી પર્યત મજકુર નગરશેઠના તનુજોના આધિપત્ય નિચે રહેતા આવ્યા છે. અંતિદાસ શેઠથી તે શેઠ પ્રેમાભાઈ સૂધી તિર્થોની સંભાળ તેઓ પાસે સ્વતંત્રપણે રહી. ગુરૂ વચનાનુસાર અવસર જાણી શેઠ પ્રેમાભાઈએ શ્રી શેત્રુંજયાદિ તિર્થની સંભાળ માટે ઉત્તરાવસ્થામાં એક કમિટી નિમી. તેમાં કેટલાક દેશના લાખોપતી ગૃહસ્થને પણ જોડ્યા હતા તથા Page #228 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું બંધારણું ૧૮૧ અત્યારે તમામ દેશના અગ્રેસર કુલ એકસે ને નવની કમિટી છે, તેમાં પણ નગરશેઠ મજકુરના જ તનુજે પ્રેસીડન્ટપણામાં રહે છે. તે વહીવટ કરનારા પ્રતિનીધીઓ પણ ખાસ અમદાવાદના અમીર કુટુંબના નબીરા છે. તેઓ તિર્થરાજની જાહેરજલાલી યુવતચંદ્રદિવાકરી સધી જળવાવવાને તન મન ને ધનથી બનતું કરી રહ્યા છે. આ કારખાનામાં નાના પ્રકારના ધાર્મિક ખાતાથી આવકવાળા લહાર રહે છે. તેની જાળવણી તથા અભિવૃદ્ધિ કરવાને મુનિમના હાથ નિચે સંખ્યાબંધ મેહતા, સિપાઈઓ અને કરે છે; આ સંસ્થા વિવિધ પ્રકારે ચતુવિધ સંધની અને તિર્થયાત્રાએ આવતા યાત્રિકાની ઉત્તમ પ્રકારની સગવડ સાચવવાને બનતું કરી રહી છે.” ૯. પેઢીને કારોબાર ખૂબ મોટા હેવા છતાં એ, એના બંધારણ અનુસાર, એવી સુવ્યસ્થિત રીતે ચાલતું રહે છે કે, એની વિગતવાર માહિતી મેળવીને કેન્દ્ર સરકારે, સને ૧૯૬૦ની સાલમાં નિમેલ “હિંદુ રિલિજિયસ એન્ડાઉમેન્ટ કમિશન”ના ચેરમેન ડે. સી. પી. રામસ્વામી અય્યર ખૂબ સંતુષ્ટ અને પ્રસન્ન થયા હતા–એટલા બધા પ્રસન્ન છે, જેથી એમણે પિતાના રિપોર્ટમાં કેવળ પેઢીની કાર્યવાહીની જ નહીં, પણ જૈન સંઘે હસ્તકની જૈન સંસ્થાઓની કાર્યવાહીની પણ મુક્ત મને પ્રશંસા કરતાં આ પ્રમાણે નોંધ કરી હતી અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, એ બહુ જ અગત્યની જૈન સંસ્થા છે. • શરૂઆતમાં જ અમે, જૈન દેરાસરોમાં, મોટે ભાગે, સ્વચ્છતાને સાચવવાનું જે ધારણ છે, તે અંગે અમારી હાર્દિક પ્રશંસાની લાગણીની નોંધ કરવા ઈચ્છીએ છીએ; આમાંનાં કેટલાંક દેરાસરની મુલાકાત લેવાને અમને અવસર મળ્યું હતું. જૈન સમાજ પિતાનાં મંદિરની સાચવણી માટે તથા એમની આસપાસનું વાતાવરણ સુગ્ય, ગંભીર અને ધર્મમય રૂપમાં સચવાઈ રહે એ માટે ખૂબ જાગ્રત રસ લે છે. આ મંદિરોમાંનાં કેટલાંક તો શિલ્પ-સ્થાપત્યકલાની ઉચ્ચ કોટિની સુંદરતા ધરાવે છે. એમના સમારકામ, વિસ્તાર અને જીર્ણોદ્ધારને લગતી કામગીરી કરવાની દિશામાં, અમદાવાદનું આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ તથા બીજાં નાનાં ટ્રસ્ટ, વ્યવસ્થિત રીતે, જે પ્રવૃત્તિ કરે છે, તે એવા પ્રકારની છે કે, જેનું હિન્દુ ધર્મનાં દેવસ્થાનેએ તથા સંસ્થાઓએ તંદુરસ્ત અનુકરણ કરવા જેવું છે. ખાસ કરીને, અમે ભારપૂર્વક એવી ભલામણ કરવા ઈચ્છીએ છીએ કે, હિંદુ મંદિરો પિતાનાં સાધનોને એકત્ર કરીને, જેના સમાજની જેમ, (મંદિરોનું) સમારકામ કે જીર્ણોદ્ધારનું કામ કરે; એથી એમને લાભ થશે.” (Sheth Anandji Kalianji, Ahmedabad, is a very important Jain institution (p. 107 )... ...At the outset we would like to record our warm appreciation of the standard of cleanliness maintained in Jain temples generally, a few of which we had the privilege of visiting. The Jain community takes a great deal of enlightened interest in the maintenance of their shrines and in the maintenance of a proper and serene religious atmosphere surrounding them. The stupendous activity in the direction of repair, expansion and renovation work connected with these temples, some of which are Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ of great architectural beauty, undertaken in an organized manner by organizations like Anandji Kalyanji Trust, Ahmedabad, and other smaller trusts is such that it is worthy of healthy emulation by Hindu temples and organizations. In particular we would very strongly recommend that Hindu temples may with advantage pool their resources and undertake the work of repair and renovation on the lines on which this work is being done by the Jain community. p. 111) ચમત્કાર જેવી અસર શ્રેણિવર્ય કસ્તુરભાઈ લાલભાઈ પાસેથી જાણવા મળલે એક પ્રસંગ, ડે. સી. પી. રામસ્વામી અરે, પોતાના આ રિપોર્ટમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, બી જન ટ્રસ્ટ તથા શ્રીસંધ હસ્તકની જાહેર જૈન સંસ્થાઓ અંગે જે સંતોષકારક અને પ્રશંસાત્મક અભિપ્રાય આપ્યું હતું એણે, ખરી ચિંતાકારક પરિસ્થિતિને રોકવામાં, કેવો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને ચમત્કાર કહી શકાય એવી અસર તત્કાળ કેવી પાડી હતી, તે દૃષ્ટિએ ખાસ જાણવા જેવું હોવાથી, અહીં નોંધવો ઉચિત છે, જે આ પ્રમાણે છે સાતેક વર્ષ પહેલાં (વિ. સં. ૨૦૩૧ માં), બિહારની સરકારે બધાં ધાર્મિક અને ધર્માદા જાહેર ટ્રસ્ટોને વહીવટ રાજ્ય હસ્તક લઈ લેવાને નિર્ણય કરીને એને લગત ન કાયદે ઘડવાની હિલચાલ શરૂ કરી હતી. આ કાયદો ઘડાય અને અમલમાં આવે તે એમાં શ્વેતાંબર તથા દિગંબર જૈન સંઘની માલિકીનાં તેમ જ અન્ય ધર્મોની માલિકીનાં બધાં ધાર્મિક અને ધર્માદા-સખાવતી જાહેર ટ્રસ્ટને પણ સમાવેશ થઈ જતા હતા. બધાંય જૈન સંઘને માટે તેમ જ અન્ય ધર્મોના અનુયાયીઓને માટે પણ આ વાત ખૂબ ચિંતા ઉપજાવે એવી હતી, એટલે આવો કાયદો ઘડતાં બિહાર સરકારને કોઈ પણું ઉપાયે અટકાવવી જ જોઈએ એમ સૌને લાગ્યું. પણ આ કામ કેવી રીતે પાર પડે અને એ કેણુ પાર પાડે, એ અંગે કોઈ વ્યવહારુ અને કારગત ઉપાય મળતા ન હતા. જૈન સંધના મુખ્ય અગ્રણી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શ્રેણિવર્ય કસ્તુરભાઈ લાલભાઈ આવા કાયદાનાં દૂરગામી પરિણામને લીધે, જૈન સ ધોને અને ખાસ કરીને જૈન ટ્રસ્ટને કેટલું બધું નુકસાન થવાની શકયતા રહેલી છે, એના વિચારથી વિશેષ ચિંતિત અને વ્યથિત હતા. તેથી તેઓને સ્પષ્ટ લાગતું હતું કે, જે રીતે બને તે રીતે પ્રયાસ કરીને, આ કાયદો ઘડાતા અટકાવવો જ જોઈએ. એમને માટે આ મુદ્દો રાત-દિવસની ચિંતાને વિષય બની ગયું હતું. તેઓશ્રીની આ ચિંતા એવી હાદિક અને નિષ્ઠાભરી હતી કે છેવટે એ સફળ થઈ, એની વિગત ટૂંકમાં આ પ્રમાણે છે એમને . સી. પી. રામસ્વામી અય્યરના આ રિપોર્ટને અને ખાસ કરીને એમાં એમણે જૈન સંઘે હસ્તકનાં ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટોની એકંદર કામગીરી અંગે જે સંતોષ અને પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી તેને ખ્યાલ આવે. એમને થયું કે, જેન ટ્રસ્ટની Page #230 -------------------------------------------------------------------------- ________________ પેઢીનું બંધારણ ઉત્તમ કામગીરી અંગે ડો. રામસ્વામીએ જે સંતોષકારક અભિપ્રાય વ્યક્ત કર્યો છે, તે તરફ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનું ધ્યાન દોરવામાં આવે તો, સંભવ છે, એનું આવકારદાયક પરિણામ આવે, અને બિહાર રાજ્યમાં આવો કાયદો બનતા અટકી જાય; અને એથી અન્ય સમાજોને પણ લાભ થવા પામે. એમણે આ સઘળી હકીકત વ્યવસ્થિત રીતે, વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના ધ્યાન ઉપર લાવવા સક્રિય પ્રયત્નો કર્યા અને તેમાં તેઓ સફળ થયા. વડાપ્રધાનશ્રીએ, આ તમામ હકીકત અને એકંદર પરિસ્થિતિને ખ્યાલ કરીને, આ કાયદો ન થાય તે તરફ બિહાર સરકારનું ધ્યાન દોર્યું. પરિણામે બિહાર સરકારે આ કાયદો ઘડવાની યોજના પડતી મૂકી. આ કાયદો થયો હોત તે જેનેનાં ટ્રસ્ટ ઉપરાંત બધા ધર્મોનાં ટ્રસ્ટને માટે પણ મોટી મુશ્કેલીઓ ઊભી થાત. પરંતુ શેઠશ્રીએ યથાયોગ્ય સમયે, સમયોચિત અને ત્વરિત ગતિથી એવી કાર્યવાહી કરી કે તેના પ્રતાપે આ મહાસંકટ ટળી ગયું. આ રીતે આ મહાસંકટ ટળી ગયું એમાં, સર રામસ્વામી અય્યરે, પિતાના રિપોર્ટમાં, જેન ટસટ અને સંસ્થાઓની કામગીરી અંગે જે સંતોષ વ્યક્ત કર્યો હતો, અને અન્ય ટ્રસ્ટી અને સંસ્થાઓએ એનું અનુકરણ કરવાની જે ભારપૂર્વક ભલામણ કરી હતી, એણે પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, એ નિશ્ચિત છે. - સર રામસ્વામી અય્યરના આ રિપોર્ટમાંનાં, જેન ટ્રસ્ટની કામગીરીને લગતાં, ખાસ જાણવા જેવાં, ડાંક વિધાને અહીં રજૂ કરવાં ઉચિત છે “અમદાવાદમાં શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ, જેન સંઘના આચાર્યોએ અને અનેક અન્ય વ્યક્તિઓએ, જેને તત્ત્વજ્ઞાન અને ધર્મનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને ગ્રંથે અને આધારે પણ અમારી સમક્ષ રજુ કરીને સારી રીતે ભારપૂર્વક અમને એમ કહ્યું કે, જૈનેમાં કોઈ પણ મહંત નથી હતા કે જેઓ, જેમ શિવ ધર્મના મહંતે હિંદુ મંદિરોની સાચવણી કરે છે તેમ, ધાર્મિક સંસ્થાઓને કારોબાર સંભાળતા હોય. ખરી રીતે તે, એમના આચાર્યો, વ્યક્તિગત રૂપે કે બીજી રીતે, કશી જ મિલકત ધરાવતા નથી હોતા, અથવા કશી ભેટ સ્વીકારતા નથી હોતા. અને જૈન ભક્તો પિતાના ઈષ્ટદેવ આગળ પૈસાની ભેટ ધરતા નથી કે એવો કેઈ વિધિ કરતા નથી, પણ તેઓ ફક્ત ફૂલે જ ચડાવે છે. જૈન શાસ્ત્રોએ ટ્રસ્ટના વહીવટ અને એનાં નાણાંના ઉપયોગ માટે ઝીણવટભર્યા ધારાધોરણે ઘડ્યાં છે. ધર્માદા ખાતાંઓની બાબતમાં જૈન શાસ્ત્રોએ સાત પ્રકારનાં ક્ષેત્રોની રચના કરી છે, અને દરેક ક્ષેત્રનાં નાણુને ઉપયોગ કરવા માટેના નિયમો પણ ઘડડ્યા છે.” (પૃ. ૧૦૩-૧૦૪).. . “ આ અનુસંધાનમાં એ વાતની નોંધ લેવી ખૂબ પ્રસ્તુત છે કે, એક ક્ષેત્રને આપવામાં આવેલ ભંડોળને ઉપયોગ બીજા ક્ષેત્રમાં કરી શકાય નહીં. વળી એક જ ક્ષેત્રમાં કોઈ ફાળે અમુક ખાસ કામમાં જ વાપરવા માટે આપવામાં આવ્યું હોય તે, એને ઉપગ એ કામ માટે જ કરી શકાય અને બીજા કોઈ કામમાં ન કરી શકાય. આ રીતે, ભિખારીઓને માટે જે દાન મળ્યું હોય એને ઉપગ ઢોરોને ઘાસ નીરવામાં કે કબૂતરોને ચણ નાખવામાં ન થઈ શકે–જેક બન્ને બાબતે ધર્માદાની છે.” (પૃ૦ ૧૦૫). , Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ rituals . શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ “અમુક ક્ષેત્રના ભંડોળને ઉપયોગ કરવામાં માર્ગદર્શક સિદ્ધાંત ખાસ ધાર્મિક ગુણવત્તાવાળે હેાય છે. આ ફંડને લાભ કઈ વ્યક્તિને મળે છે, એ બાબત ગૌણ છે. આ રીતે અમુક સ્થાન કે અમુક વ્યક્તિઓના જૂથને માટેના ફંડને ઉપયોગ, એવા જ મૂળભૂત હેતુને માટે, દુનિયામાં ગમે ત્યાં બીજા સ્થાન અને બીજી વ્યક્તિઓને માટે કરી શકાય છે.” (પૃ૦ ૧૦૫) (We have been told fairly emphatically by Shri Kasturbhai Lalbhai in Ahmedabad, the Acharyas of the Jain community and various other persons, who also placed before us books and authorities on the various aspects pertaining to Jain philosophy and religion, that the Jains do not have any Mahant in charge of religious institutions in order to do anything corresponding to the Shebaits of Hindu temples and that, as a matter of fact, their Acharyas do not own any property or accept any offerings, personal or otherwise, and that Jain devotees do not make any cash offerings or rituals to the diety but only make offerings of flowers. "Jain scriptures have made meticulous rules and regulations for the utilization of funds and management of the trusts. In respect of religious funds Jain Shastras enunciate seven types of funds called “Sat Kshetras " and also dictate the uses to which each type of fund could be put.” pp. 103–104)... ... (“It is very relevant to note in this connection that the funds . donated to one Kshetra cannot be utilized for another Kshetra. Even in the same Kshetra, funds allocated for a particular purpose can be utilized only for that purpose and for no other. Thus, the donations earmarked for beggars cannot be utilized for giving grass to cattle or grain to pigeons, though both are charitable objects.” p. 105 )...... (“The guiding principle in the utilization of funds of a particular Kshetra is the special religious merit. The person receiving the benefit of the funds is a secondary consideration. Thus, the fund for one place or for particular group of persons can be used for another place and for another persons anywhere in the world but for the same identical object.” p. 105) Page #232 -------------------------------------------------------------------------- ________________ પેઢી અને પાલીતાણું રાજ્ય ધાર્મિક હક્કો અને હિતેની જાળવણી ખૂબ જાગ્રત અને જવાબદારીભરી કામગીરીની અપેક્ષા રાખે છે; કારણ કે, એક દષ્ટિએ જોઈએ તો, ધર્મક્ષેત્ર એ સૌકેઈનું ગણાય છે, અને સૌકોઈની ભક્તિ અને જવાબદારીભરી કામગીરી માગી લે એવું વિશાળ ક્ષેત્ર છે; અને, બીજી રીતે જોઈએ તે, ઘણી વાર તે, જે સૌકેઈનું એ, ખરી રીતે, વ્યવહારમાં અને અટપટી જવાબદારી અદા કરતી વખતે, કેઈનું નહીં અથવા એનું કેઈ ધણીધેરી નહી, એવી શોચનીય સ્થિતિ પણ જોવા મળે છે. અને જ્યાં અને જ્યારે ધર્મક્ષેત્રમાં આવી શોચનીય અને જવાબદારીના ખ્યાલ વગરની સ્થિતિ પ્રવર્તતી હોય, ત્યાં અને ત્યારે ધર્મની વ્યાપક પ્રભાવના કરી શકે અને માનવસમૂહના કલ્યાણ અને ઉદ્ધારમાં ઉપકાર બની શકે, એવાં મંગલકારી હકકો અને હિતે પણ જોખમાઈ ગયા વગર રહેતાં નથી - ભલે પછી એ હકો ને હિતે સામાન્ય દેવસ્થાનને લગતાં હોય, વિધિવિધાનને સ્પર્શતાં હોય, મેળા-મહેત્સ સંબંધી હોય, યાત્રાસંઘે અંગેનાં હોય કે નાનાં યા મોટાં તીર્થ સ્થાને અને એના યાત્રિના ચોગક્ષેમ સાથે સંબંધ ધરાવતાં હોય. - જ્યાં અને જ્યારે પણ ધર્મક્ષેત્રની સંભાળ રાખનાર વ્યવસ્થાતંત્ર અવ્યવસ્થિત, નબળું કે પ્રભાવ યા વગ વગરનું બની જાય છે, ત્યાં અને ત્યારે ધર્મક્ષેત્રને હાનિ પહોંચ્યા વગર રહેતી નથી. અને ધર્મક્ષેત્રની હાનિ એટલે એનાં હકકો અને હિતેની હાનિની સાથે સાથે ધર્મભાવનાશીલ ભાવિક જનની ધમકરણીમાં અને શ્રદ્ધા-ભક્તિમાં બાધા. ધી સગી જના ધર્મારાધનમાં અવરોધ આવવા ન પામે અને તેઓ નિરાંતે, શાંતિથી અને ઉલ્લાસથી પિતાની ધર્મક્રિયાઓ કરી શકે, એટલા માટે ધર્મક્ષેત્રની અર્થાત્ ધાર્મિક હકકો અને હિતેની સાચવણી કરનાર વ્યવસ્થાતંત્ર સુવ્યવસ્થિત, શુદ્ધ અને શક્તિશાળી હોય એ ખૂબ જરૂરી છે. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનાં અને ધર્મનાં અને વિશેષ કરીને એની પાવનકારી. કેટલીક પ્રાચીન-અર્વાચીન તીર્થભૂમિઓનાં હિતે અને હક્કો, છેલ્લા કેટલાક સૈકાઓથી, સારી રીતે રક્ષણ પામી શકયાં છે એને, મોટા ભાગને, યશ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઘટે છે; તેમ જ એવી રીતની કામગીરી બજાવતી આપણા શ્રીસંઘની બીજી કેટલીક સંસ્થાઓને પણ એમાં નોંધપાત્ર ફાળે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ છેલ્લા ચારેક સૈકાથી શ્રી શત્રુ*જય મહાતીર્થંનાં હક્કો અને હિતાની જાળવણી કરવાની તેમ જ સમગ્ર રૂપે એ તીની સારસભાળ રાખવાની તથા હજારો યાત્રાળુઓની સગવડ તથા સલામતી સાચવવાની જવાબદારી શરૂઆતમાં જૈનપુરી, રાજનગર અમદાવાદના શ્રીસંઘના માવડીએ અને પછીથી, આશરે અઢીસેા વર્ષ કરતાં પણ વધુ લાંખા સમયથી, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી સભાળે છે. અને ભારતની જેમ ગુજરાતમાંથી પણ મુગલ અને બીજી મુસ્લિમ સત્તાના અંત આવ્યેા અને જ્યાં શ્રી શત્રુ'જય તીર્થ આવેલું છે, તે પાલીતાણાના પરગણા ઉપર ગાહેલ રાજવંશની સત્તા સ્થપાઈ, તે પણ લગભગ આ અરસામાં જ. એટલે શ્રી શત્રુંજય તીથૅના રક્ષણ તથા એનાં હક્કો અને હિતાની સાચવણી માટે, અમદાવાદના સંઘને કે શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીને, સ્વાભાવિક રીતે જ, પાલીતાણાના રાજવીના સપર્કમાં તેમ જ અનેક વાર એમની સાથે સંઘમાં પણ આવવું પડયું હતું. ૧૮૬ દેશમાં અને વિશેષે કરીને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં, સને ૧૮૦૮ના વેાકર સેટલમેન્ટને કારણે, અંગ્રેજી હકૂમતને અમલ શરૂ થયા ત્યાર પછી, જ્યારે પણ શ્રીસ‘ઘને અને પેઢીને પાલીતાણા રાજ્ય સાથે અથડામણમાં આવવું પડતું, ત્યારે એના નિકાલ કરવાનું કે એની સામે ન્યાય મેળવવાનુ` કામ, પહેલાં કરતાં, પ્રમાણમાં કઈક સહેલુ થઈ ગયુ` હતુ`. કારણ કે, જૈનો ઘણી માટી સખ્યામાં બ્રિટિશ હકૂમતના નાગરિકો હતા, એટલે પાલીતાણા રાજ્ય સાથે ઊભી થયેલી કાઈ પણ તકરારને, જ્યારે એની સાથેની સીધી વાટાઘાટાથી નિકાલ થઈ શકતા ન હતા ત્યારે, અંગ્રેજ સત્તાને વચમાં રાખીને એવી ખાખતાના નિવેડા લાવવામાં આવતા હતા, એટલું જ નહીં પણુ, રખેાપા જેવા મહત્ત્વના કરારા કરવામાં તેમ જ એ કરારામાં પડેલા વાંધાના નિકાલ લાવવામાં પણ અંગ્રેજ સત્તાની દરમિયાનગીરીને જ ઉપયાગ કરવામાં આવતા હતા. સૌરાષ્ટ્રમાં અંગ્રેજ સત્તાના અમલ શરૂ થયા પછી, શ્રી શત્રુંજય તીથ અંગે, કઈક એવી અનુકૂળ અને વિલક્ષણ સ્થિતિનું સર્જન થવા પામ્યું હતું કે,જેથી, આવી તકરારા વખતે, પાલીતાણા રાજ્ય અને શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢી. એ બન્નેને, અંગ્રેજ સરકારના પ્રતિનિધિની સામે, પક્ષકારો એટલે કે વાદી અને પ્રતિવાદીના રૂપમાં ઊભા રહેવું પડતુ હતું! આમાં કયારેક પાલીતાણા રાજ્યને વાદી અનવું કથારેક શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીને વાદી તરીકે પેાતાની વાત ' રજૂ કરવાના વખત આવતા. કરિયા તા દીવાની અને ફાંસી આપવા જેટલી વિશાળ ફાજદ્વારી સત્તા ધરાવતા એક રાજ્યને, એક ધમ સ ંઘની પ્રજાકીય ગણાય એવી સત્તાની સામે, વાદી કે પ્રતિવાદીરૂપે હાજર થવાની ફરજ પડે, એવી સ્થિતિ ઊભી કરવાનું કામ ઘણું જ કપરું', લગભગ અશકય કહી શકાય એવું ગણાય. છતાં શેઠે આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી, પાલીતાણા રાજ્ય માટે, Page #234 -------------------------------------------------------------------------- ________________ પેઢી અને પાલીતાણા રાજ્ય ૧૮૭ આવી પરિસ્થિતિ સફળતાપૂર્વક ઊભી કરી શકયા એ હકીકત એમ દર્શાવે છે કે, તેએ શ્રી શત્રુંજય તીને લગતા પ્રશ્નોનેા, તીના અને સધના લાભમાં, નિકાલ આવે એ માટે કેટલા સજાગ અને પ્રયત્નશીલ હતા અને આવા પ્રસંગે કાઈ પણ ખાખતને હાથ ધરવામાં કે હલ કરવામાં કેટલી કુનેહ, દ્વીઘદૃષ્ટિ અને ચીવટથી કામ લેતા હતા તેમ જ અંગ્રેજ રાજ્યસત્તા ઉપર એમના કેવા પ્રભાવ હતા આવી વાંધાજનક માખતામાં એમને માટે ભાગે સફળતા મળતી એનું મુખ્ય કારણ એ હતું કે તેએ, વિવેકદૃષ્ટિથી, કાઈ પણ માગણીના વ્યાજબીપણા અને ગેરવ્યાજબીપણાને અગાઉથી વિચાર કરીને, વ્યાજબી હેાય એવી માગણી કરવાનું જ વલણ અખત્યાર કરતા હતા. ટૂંકમાં કહેવુ... હાય તા એમ કહેવુ' જોઈ એ કે, તેઓ કયારેય પેાતાના કાયદેસરના અધિકારને લેશ પણ હાનિ પહેાંચે એ ચલાવી લેતા ન હતા; અને એ માટે દરેક પ્રકારે પ્રયત્ન કરવામાં જરા પણ કચાશ રહેવા દેતા ન હતા કે નમતુ' આપતા ન હતા; અને કાઈ ગેરવ્યાજબી ખાખતમાં સ`ડાવાઈ ન જવાય એની પૂરી સાવધાની રાખતા હતા, એટલુ જ નહી', જ્યારે પણ કાઈ ગેરવ્યાજબી વાતમાં અટવાઈ ગયાનુ એમના ખ્યાલમાં આવતું તેા અને તેએ આપમેળે જ જતી કરી દેતા હતા. આથી એમને પેાતાની વ્યાજબી માગણીના સ્વીકાર કરાવવામાં એક પ્રકારનું નૈતિક ખળ પણ મળી રહેતુ. અને ત્રીજા પક્ષ ( અંગ્રેજ સત્તા ) ઉપર એની વિશેષ આવકારદાયક અસર પણ પડતી. Page #235 -------------------------------------------------------------------------- ________________ નવમા પ્રકરણની પાદોંધ ૧. એક એક તીર્થને વહીવટ સંભાળતી તથા એકથી વધુ તીર્થોનો વહીવટ સંભાળતી સંખ્યાબંધ પેઢીઓ આપણું શ્રીસંઘમાં વિદ્યમાન છે. એમાંની કેટલીક પેઢીઓનાં નામ અહીં આપવામાં આવે છે– એક એક તીર્થને વહીવટ કરતી પેઢીઓ શ્રી સમેતશિખર મહાતીર્થને વહીવટ અત્યારે શ્રી શ્વેતાંબર ભંડાર તીર્થ સમેતશિખર, મધુવન નામે સંસ્થા હસ્તક છે. શ્રી પાવાપુરી તીર્થને વહીવટ શ્રી જૈન શ્વેતાંબર ભંડાર તીર્થના નામે ચાલે છે. શ્રી ક્ષત્રિયકુંડ તીર્થને વહીવટ શ્રી જૈન શ્વેતાંબર સંસાયટી હસ્તક છે. શ્રી ચંપાપુરી તીર્થને કારોબાર શ્રી જૈન શ્વેતામ્બર સોસાયટી તીર્થના નામથી ચાલે છે. શ્રી પુરિમતાલ તીર્થને વહીવટ શ્રી ઋષભદેવસ્વામી જૈન શ્વેતાંબર મંદિર નામે સંસ્થા સંભાળે છે. શ્રી આસિયાં તીર્થને કારોબાર, શેઠ શ્રી મંગલસિંહજી રતનસિંહજી દેવની પેઢી ટ્રસ્ટના નામે ચાલે છે. - શ્રી નાકેડા તીર્થની સંભાળ શ્રી જૈન શ્વેતાંબર નાકોડા પાર્શ્વનાથ તીર્થ નામે સંસ્થા સંભાળે છે. શ્રી નાગેશ્વર તીર્થને વહીવટ શ્રી જૈન શ્વેતાંબર નાગેશ્વર તીર્થ પેઢીના નામથી ચાલે છે. શ્રી દેવકુલપાટક તીર્થનું સંચાલન શ્રી જૈન શ્વેતાંબર સભા હસ્તક છે. શ્રી નાડલાઈ તીર્થની સંભાળ શ્રી ભવેતાંબર જૈન દેવસ્થાન પેઢી હસ્તક છે. શ્રી નાડોલ તીર્થને વહીવટ શ્રી પદ્મપ્રભુ જૈન શ્વેતાંબર દેવસ્થાન પેઢી સંભાળે છે. શ્રી વરકાણું તીર્થને કારોબાર શ્રી જૈન દેવસ્થાન પેઢી હસ્તક છે. શ્રી નાણા તીર્થને વહીવટ શ્રી વર્ધમાન આણંદજી જૈન પેઢી કરે છે. શ્રી દિયાણું તીર્થ ને વહીવટ શ્રી દિયાણાજી જીવિતસ્વામીજી કારખાનું સંભાળે છે. શ્રી નાદિયા તીર્થને કારેબાર શ્રી વર્ધમાન આણંદજી જેન દેરાસરની પેઢી ચલાવે છે. શ્રી ભદ્રેશ્વર તીર્થને વહીવટ શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢીના નામે ચાલે છે. શ્રી શંખેશ્વર તીર્થને કારોબાર શેઠ જીવનદાસ ગેડીદાસનું કારખાનું એ નામથી ચાલે છે. શ્રી ભોયણ તીર્થની સંભાળ શ્રી મલ્લિનાથ મહારાજ કારખાના ઓફિસ નામે સંસ્થા રાખે છે. શ્રી પાનસર તીર્થને કારોબાર શ્રી મહાવીરસ્વામીજી મહારાજની પેઢી ચલાવે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પેઢી અને પાલીતાણા રાજ્ય ૧૮૯ શ્રી કડવી તીર્થના વહીવટ શ્રો રિખવદેવજી મહારાજ જૈન દેરાસરના નામથી ચાલે છે. શ્રી ગંધાર તીર્થના વહીવટ શ્રી અમીઝરા પાર્શ્વનાથની પેઢી હસ્તક છે. શ્રી ઝગડિયા તીની સભાળ શ્રી જૈન રખવદેવજી મહારાજની પેઢી રાખે છે. શ્રી મહેસાણાના શ્રી સીમ་ધરસ્વામી તીથૅના કારાબાર શ્રી સીમધરસ્વામી જૈન મંદિરની પેઢી હસ્તક છે. શ્રી કખાઈ તીના વહીવટ શ્રી મનમાહન પાર્શ્વનાથ કારખાના પેઢી સંભાળે છે. શ્રી ભીલડિયાજી તીર્થનું સંચાલન શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ કારખાના પેઢી કરે છે. શ્રી કદંબગિરિ તીથૅ ના કારાબાર શેઠ શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિ ક ટ્રસ્ટના નામથી થાય છે. શ્રી માતર તીર્થને વહીવટ શ્રી સાચાદેવ કારખાના પેઢીના નામથી થાય છે. શ્રી માંડવગઢ તીની સંભાળ શ્રી જૈન શ્વેતાંબર તીર્થં પેઢી રાખે છે. શ્રી તળાા તીર્થના વહીવટ શ્રી તાલધ્વજ જૈન શ્વેતાંબર તીથૅ કમીટી નામે સસ્થા સભાળે છે. એકથી વધુ તીર્થાને સ'ભાળતી સ'સ્થાઓ સિરાહીની શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદની પેઢી (૧) આબૂ દેલવાડાનાં જિનાલયા, ( ૨ ) મીરપુર તીર્થ, (૩) બામણવાડા તીઅને (૪) મૂ`ડસ્થલ તીર્થ ના વહીવટ સંભાળે છે. શ્રી જેસલમેર લાદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ ( ૧ ) જેસલમેરના જિનમદિરા તથા જ્ઞાનભંડારા, ( ૨ ) લેદ્રવપુર, ( ૩ ) અમરસાગર અને (૪) પાકરણ તીથૅના વહીવટ સંભાળે છે. ( કેટલાંક જૈન તીર્થોના વહીવટ કરતી સંસ્થાઓની આ યાદી મદ્રાસના શ્રી મહાવીર જૈન કલ્યાણુ સંધે પ્રકાશિત કરેલ “ તી-દન ' નામે ચિત્ર ગ્રંથના આધારે તૈયાર કરી અહીં સાભાર આપી છે. ) Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો શ્રી શત્રુંજય તીના વહીવટ રાજનગર-અમદાવાદના શ્રીસ`ઘના હાથમાં આવ્યા અને, સમય જતાં, બધા કારામાર, જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક સંઘ સમસ્તના પ્રતિનિધિ તરીકે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી ચાલવા લાગ્યા, તે પહેલાં આ મહાતીર્થની યાત્રાએ જતાં યાત્રિકાના જાન-માલના રક્ષણ માટે કેવી વ્યવસ્થા હતી, અને એ માટે કે યાત્રા માટે કોઈ રકમ આપવી પડતી હતી નહી. એની આધારભૂત માહિતી સાંપડતી નથી. જે અરસામાં ગુજરાત ઉપર સેાલ’કી રાજવ ́શનું શાસન હતું ત્યારે (અને તે પહેલાં ચાવડા વંશના રાજશાસન દરમિયાન પણ) ગુજરાતના રાજ્યસ`ચાલનમાં જૈન મંત્રીએ અને જૈન શ્રેષ્ઠીઓના ફાળા પણ મહત્ત્વના હતા અને શ્રી શત્રુંજય તીર્થ ઉપરના સ્થાપત્યની સમૃદ્ધિના વિકાસની શરૂઆત પણ સાલકી રાજ્યશાસનના સમયથી જ થઈ ” તથી એવું અનુમાન થઈ શકે છે કે, એ વખતે યાત્રિકવેરા અને મુંડકાવેરા જેવી રકમ એ તીના યાત્રિકા પાસેથી વસૂલ કરવામાં નહીં આવતી હાય. પણ સાલકી યુગની પડતી થઈ, ગુજરાતમાં મુગલ સત્તાનું તથા બીજી મુસ્લિમ સત્તાનું શાસન સ્થપાયું અને એને પણ અસ્ત થયા, એવા સક્રાંતિના કાળમાં તીર્થના ઉદ્ધાર કરવા પડે એટલા માટાં પ્રમાણમાં તીર્થની ભાંગફેડ અને આશાતના ભલે ન થઈ હાય, પણ એ વખતે તીર્થના યાત્રિકાની ખિનસલામતી વધી ગઈ હશે અને એમની કનડગત પણ થઈ હશે અને એમની પાસેથી કાઈ કે, યાત્રાવેરા કે મૂડકાવેરાનુ કાઈ નિશ્ચિત ધારણુ સ્વીકર્યા વગર, મનસ્વી રીતે પૈસા પડાવ્યા કે ઉઘરાવ્યા હશે. એવુ· પણ જાણવા મળે છે કે શ્રી શત્રુંજય તીની યાત્રા માટે–ભગવાન ઋષભદેવનાં દર્શન કરવા માટેયાત્રિકો પાસેથી રૂપાનાણું તે ઠીક, સાનાનાણું એટલે કે સેાનામહાર પણ દાપા (ટેક્ષ ) તરીકે લેવામાં આવ્યાના પ્રસ`ગેા કથારેક ક્યારેક અન્યા હતા.૧ પણ આ બધી વાત શ્રી શત્રુંજય તીથૅના વહીવટ અમદાવાદના શ્રીસ`ઘના હાથમાં આવ્યા અને ત્યાં ગેહેલ વશની હકૂમત સ્થપાઈ તે પહેલાંની છે. ત્યાર પછી તા, માટે ભાગે, સમયે સમયે, પાલીતાણા રાજ્ય સાથે એક વાર સીધેસીધા અને ચાર વાર, બ્રિટિશ હકૂમતની દરમિયાનગીરીથી રખાપાના કરારો થતા જ રહ્યા હતા. આ રીતે વિ॰ સં ૧૭૦૭ થી વિ॰ સ૦ ૧૯૮૪ એટલે કે ઈ. સ. ૧૯૫૧ થી ૧૯૨૮ સુધીનાં ૨૭૭ વ Page #238 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણું રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૧૯૧ દરમિયાન પાલીતાણા રાજય અને જૈન સંઘ વચ્ચે, રખેપાના કુલ પાંચ કરાર થયા હતા, જેની વિગત નીચે મુજબ છે – (૧) ગોહેલ કાંધાજી તથા નારાએ શેઠ શાંતિદાસ શેષકરણ તથા રતન અને સુરા તેમ જ સંઘસમસ્તને વિ. સં. ૧૭૦૭ માં કરી આપેલ રખેપાને પહેલે કરાર. આમાં રપ નિમિત્ત આપવાની કેઈ નક્કી રકમ બેંધવામાં નથી આવી, પણ જુદા જુદા પ્રસંગે, જુદા જુદા પ્રમાણમાં, સુખડી, કપડાં અને રોકડ નાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. (૨) ગેહેલ કાંધાજી (બીજા) તથા કુંવર ને ઘણજીએ શેઠ આણંદજી કલ્યાણજીને, કાઠિયા વાડના પોલિટિકલ એજન્ટ આર. બાર્નવેલની દરમિયાનગીરીથી, તા. ૯-૧૨-૧૮૨૧, વિ. સં. ૧૮૭૮ ના માગશર સુદિ ૧૫ ના રોજ, કરી આપેલ, વાર્ષિક રૂ. ૪૫૦૦) ની રખેપાની રકમને, દસ વર્ષ માટે કરાર. (૩) કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મેજર કિટીંજના પ્રયત્નથી, શ્રાવક કોમ અને પાલીતાણાના ઠાકોર વચ્ચે, તા. ૫-૧૨-૧૮૬૩ના રેજ, વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ ની રખેપાની રકમને, દસ વર્ષને કરાર, (૪) કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ કર્નલ જે. ડબ્લ્યુ. ટસનની દરમિયાનગીરીથી, પાલીતાણાના ઠાકોર માનસિંહજી અને શ્રાવક કોમના પ્રતિનિધિઓ વરચે થયેલ, - તા. ૧-૪-૧૮૮૬ થી, ૪૦ વર્ષની મુદત માટે, રખેપાની વાર્ષિક રૂ. ૧૫૦૦૦ની રકમને, તા. ૧૩-૪-૧૮૮૬ ના રોજ થયેલ કરાર. (૫) પહેલાં હિંદુસ્તાનના ગવર્નર જનરલ અને વોઈસરોય લોર્ડ રીડીંગ તથા પછી લોર્ડ ઇરવિનની દરમિયાનગીરીથી, પાલીતાણાના ઠાકોર સાહેબ બહાદુરસિંહજી અને શ્રાવક કેમના (શેઠ આણંદજી કલ્યાણજીના) પ્રતિનિધિઓ વર, તા. ૨૬-૫-૧૯૨૮ના - રોજ થયેલ, રખોપાના વાર્ષિક રૂ. ૬૦૦૦૦) ને પાંત્રીસ વર્ષની મુદત માટે કરાર. પાલીતાણું રાજ્ય સાથે થયેલ રખેપાના આ પાંચેય કરારો કેવા કેવા સંયોગોમાં થયા હતા, એનું પાલન કેટલા વખત સુધી થયું હતું અને બે કરારની વચ્ચેના સમય દરમિયાન કેવી પરિસ્થિતિ ઊભી થવા પામી હતી, એની માહિતી ઠીક ઠીક પ્રમાણમાં મળી શકે એવી પુષ્કળ સામગ્રી પેઢીના દફતરમાં સચવાયેલી છે અને આ કરારના દસ્તાવેજ પણું સુરક્ષિત છે. એટલે એ બધી સામગ્રીમાંથી તારવીને કેટલીક ખાસ જાણવા જેવી મહત્વની અને નેધપાત્ર માહિતી અહીં રજૂ કરવામાં આવે છે. રાપાને પહેલા કરાર - આ ફરાર, ઉપર સૂચવ્યું તેમ, ગેહલ વંશના રાજવી કાંધાજી વગેરે તથા જૈન Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શેઠ આર ક0ની પેઢીને ઇતિહાસ સંઘના મુખ્ય અગ્રણી શેઠ શ્રી શાંતિદાસ ઝવેરી વગેરે વચ્ચે થયે હતો. પણ આ કરાર કરવાની જરૂર શેઠ શ્રી શાંતિદાસને શા ઉપરથી લાગી હતી, અર્થાત્ કેવા રાજકીય સંજોગોમાં આ કરાર કરવાની એમને ફરજ પડી હતી, તેની કેટલીક વિગતો ધ્યાનમાં લેવા જેવી છે. મોગલ બાદશાહોએ શ્રી શત્રુંજય વગેરે તીર્થોના માલિકી હક્કો જેન સંઘને સેપી દીધાનાં એકથી વધુ ફરમાને આપ્યાં હતાં. આ ફરમાને સમ્રાટ અકબર બાદશાહ જહાંગીર તેમ જ બાદશાહ શાહજહાંએ આપ્યાં હતાં. એમના પછી બહુ જ થોડા દિવસ માટે બાહશાહ બનેલ મુરાદબક્ષે અને તેના પછી બાદશાહ ઔરંગઝેબે પણ આ ફરમાન જારી કરી આપ્યાં હતાં. આ ફરમાનોમાં, શ્રી શાંતિદાસ શેઠે ગોહેલ રાજવી સાથે, વિ, સં. ૧૭૦૭માં, જે રપાનો પહેલો કરાર કર્યો હતે. તે વખતે, તેમની પાસે બાદશાહ શાહજહાંએ, તેને રાજ્યારોહણના બીજા વર્ષ દરમિયાન, એટલે વિ. સં. ૧૬૮૫-૮૬ દરમિયાન, કરી આપેલ શત્રુંજયની માલિકી-હક્કને લગતું ફરમાન તો હતું જ. વળી, એ જ અરસામાં, એટલે વિ. સં. ૧૯૮૨ની સાલમાં, એમણે શાહી મંજૂરી મેળવીને અમદાવાદના બીબીપુર વિસ્તારમાં ચિંતામણિ પાર્શ્વનાથના આલિશાન નવા દેરાસરની પ્રતિષ્ઠા પણ કરી હતી. આ રીતે જોતાં, મોગલ સામ્રાજ્યમાં, શ્રી શત્રુંજય વગેરે તીર્થો સહીસલામત હતાં એમ કઈને પણ લાગ્યા વગર ન રહે. પણ વિસં. ૧૭૦૧ ની સાલમાં શાહજાદો ઔરંગઝેબ ગુજરાતને સૂબે બનીને અમદાવાદ આવ્યા ત્યારે એણે, ધર્મઝનૂનથી દેરવાઈને, શ્રી ચિંતામણિ પાશ્વનાથના દેરાસરને ખંતિ કરીને એને મસ્જિદમાં ફેરવી નાખ્યું હતું. આવી અતિ શેાચનીય દુર્ઘટનાના કારણે શહેરમાં કોમી હુલ્લડ પણ થયું હતું. આ પ્રસંગથી શ્રી શાંતિદાસ શેઠને તેમ જ બધા જૌનો તથા હિંદુઓને એટલે મોટે આઘાત લાગ્યો કે જેથી એમને પિતાનાં દેવસ્થાને અને તીર્થસ્થાને બિનસલામત અને ભયમાં મુકાઈ ગયેલાં લાગ્યાં. જોકે, આ કમનસીબ બનાવ બન્યા પછી બે જ વર્ષની અંદર, શાહજાદા ઔરંગઝેબની બદલી કરીને બાદશાહ શાહજહાંના ફરમાનથી, આ ભગ્ન દેરાસર શાંતિદાસ શેઠને પાછું સોંપી દેવામાં આવ્યું હતું એટલું જ નહીં, પણ એમાં જે કંઈ ભાંગફેડ થઈ હોય, તે સરકારના ખર્ચે દુરસ્ત કરાવી આપવાનું અને એમાં રહેતા ફકીરોને ઘર કરવાનું પણ એ ફરમાનમાં ફરમાવવામાં આવ્યું હતું. આમ છતાં, શ્રી શાંતિદાસ શેઠની શ્રી શત્રુંજય વગેરે તીર્થોની સલામતી અંગેની ચિંતા ઓછી ન થઈ અને એ માટે કંઈક ને કંઈક કાયમી ઉપાય જ જ જોઈએ એવું એમને લાગ્યા જ કરતું હતું. I ,વળી બાદશાહ શાહજહાંના રાજ્યકાળનાં પાછલાં વર્ષો દરમિયાન, એના ચારે Page #240 -------------------------------------------------------------------------- ________________ एदेवासदतवर्ष कार्तिकवादिलनामगोहिलनाकाचाजीबालाराजीतवाहमिरजान धाबारपदमाजीतचापाटमदजतत्तपतमानाशीजानीवाकपुरकरघा संघनाचोकीकर तमारितेनपरकाधोलिसाहतिदाससहितकरणातवासा दरवनस्तरातघासनस्तमघमन्नाश्रीसेजिसंघमावतघावीत्रीविहिवा प्रावितचापाललाकमावितन अभिकरारदातमाबापनाबान्तपात बूतनावगत्पश्रीसजश्संघमावितेनीकापुहकर वोसिंघावितवासि मत्तएकरीतबूतनावगतकाडीम्र तथालामानानामा मोटिस लिगमातवापालसंघगावितेयासिमन्ता नलगानि जोमा२॥ अकाढीलेवीमोटासंघमधप्यादादमितिनुनत्तबुंगामा मेलवाना संधवाना तयाबाजीपालताजनितिमालवामानलबालविवा आवितगीमारास जोमानवामान्तएमागवित्तीवनमगांस पालमानितननादामाजीकैमरचीलवीचकूकाशनलेवूसंघश्री सत्र जिजात्राकरवाजादितपातिघाएकरा रिगमचोरासीन्नएकारार लेतमाएकरारनावनाबालवपातंतचा श्रफिदिसनोमानियाला वोरजीनासापालन कारचीनोपाशिमवतपांगळनिश्रिीर अत्रमतालवतेत्रमा छत्रसार गोहतकांमाजी गो-रोतलजी बाईपदेमाजा गोलमनगजा बाईपाटम रामानजी १रा.जाइन ननदो करनानाथाएलघू - साडामात नमालितोश्रीनामदानोदर्भमनवायकरीत्र ठापरबत लवतनाटपरजतनीरागएतत्रमालिनदंउसमिजमानडुपदा करना नामदात्मनबापकरुंसहिातजालादनमगरकरावेतपदा પાલીતાણા રાજ્ય સાથે, વિ. સં. ૧૭૦૭માં થયેલ રખોપાના પહેલા કરારને દસ્તાવેજ (अनुमो, १. ५६, ८४, १८3) नागलकरातेयला सतासहा Page #241 -------------------------------------------------------------------------- ________________ 34100 नको रामनारम्भाले ज्यानले सेर्यमुक मुख्यतया पढी कुरा समारोहेलागए शापभाप शीतयुभी चानुपासी‌सुमना र सभটেআनु शशाली दाजुवरावासानी समय कामाची भासदामतयाभावेन भारपाण रखन लखीमायुधतेरेमनी १८१८ नाव भागमा मुहार नोट माहे डोन कर शो৭७ र‌ স‌) ए now १. रामदा સેંટીd गाएक बनकट्टी Q १ गोस सांगलीहामोदरनी सोभाग (कफसाएका बालपारसीनामानान् ॥ भगनोरंजननावर सुरण आदमीपासीतागु नेजामखेडीपरभारीरापानी धेनमुलांनारीजात दुगममीयान्ता मनराज भरतांना ४ रमेशमगमेयाजी शेणरतसागतलुभातीयमद्‌र‌कर को उपकनकपरीमालीवानी छछ्‌लात्‌खाध्या ३५० চजरने दे‌वो पटेंगे कृ५० कोट्तमान नदेखा आहेर माटो मनमद्भन‌िध रामाल नेवर समाधार‌ण एउँछ्‌द्धासुम परीमा सामहिका पुरारामा माटे श्रीमा महराजस भुमनी जाटोमुनीरामनाम तानधारण व साहियुसरी समात भीमानानाशखनीयमानम छोडी पर‌लमामभाग दुरसंबर श सुकुलर‌ नाकामारीयकारपरखरं ख लाभावनाय शेतनीयात्रीयोनी जबरदा राज में राष्ट्रीयन श्री मुकेशानासु सोधक शिवाजीयम वादगुरी जगरकी सोमलुलुमनीसमोरील धारकाननुयसन समीयुमा इन अंतुरकाशमानी मुख नानीमुनामी ने तेमालमा समागमनमारेापामु 2 2001 ? साम 2 समय जमजरज ૨ १ देवाशी जोडला ज 1 गोलयोशाला १. गान पाझीताणा राज्य साथै सते १८२१ (वि. सं. १८७८ ) માં થયેલ રખાપાના દસ વર્ષના બીજા કરારને દસ્તાવેજ ( लुभो, पृ. १८३ ) Page #242 -------------------------------------------------------------------------- ________________ नी श्रीनारलापरणामेनटेनत आन्नराम्टींशपुष्टीकरण मेरीट प्रानकाठीमापारनीगन्नामलकुंप नीमाराहर भोलाननांपालीनालीमाभोरेलामालम्पाय रनोपालमानालांमयांसलोनावशेरीजगछेनारे जमीनी रमुवीनारंनरयाछुटीशरानेछ को लागानीलारोपयोमानाईलाल नेयतीपटनोमहोणस्तरीमापोरनोनेनापना आर.. मासमपुरोपतीपास्टरप्लनयानहोनापारीएक नोठरापीमगाटप्नलमीलापहारेणवीरलरमांनो लोछेनतारेजमेरेरणांनोकरीमताप्लनमालोरोसीना पनासाकारणापनथागीतामर पात्रोमान्चा दीना परप्ने लमतगपरना घाम: રખોપાના બીજા કરારનાં ૧૦ વર્ષ પૂરાં થતાં એ બીજાં ૧૦ વર્ષ સુધી ચાલુ રહે એવી ગોઠવણ કરવા ___Jain Educationieldslus २०य मासीट पोसिटिजन मेटने वि. स. १८८७मा ४२८ २१२७. (तुमी. ५. २०६, २७०) For Pivåte & Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ नागदळी लाएगीोशलोगोष्टेलनीनोभमठीत धाडपरन्सीपरतापतींघातीब्तनमान्नरोउन्डीमाला येत तंन्त मानमा गोरी घटानपंटरटेमासीननदायाना पारोपीन्मीनानागपुररेणनं तेतरीसहला रत्रंगलटेमातगोतीष्ठाटरपीनानटारीमन्नमुने अतीयाछेन्डेनुनतीशीटोमालादिप्रतयंदत्वातार टोली घटरनयंदनेनसी नानारयान्टुरेनीतरेननुल पीमापुछेतटेना पीनानाहरयरसीमनश्पन्नाप्यार हमारधामेटरेनेपेटोलाभरना नाराटनानं होरपरसीलेष्टरऐनामारहारनोछेतेहेपेन्नावरमा यारयारपरमाणरितमेलानतनायीलाम्नपेटेन्लो प्रतनानाथीमान्सुघायलीरटेतांसुभोतमोटे नेहरयरसन्ननारोमतोमगारलोनालाप्रमानुन सप्टनरारमच्छीपनामठनदामलोगोइलमानो पाना अपामापरतांपशंपणापाणितीहा परगांपशंपन પાલીતાણા રાજ શેઠ હિમાભાઈ વગેરે પાસેથી રૂ. ૩૩૩૩૫) વ્યાજે લીધા સંબંધી ॐरी सापेक्ष समा (नुमो, ५. २०६, २७०) Page #244 -------------------------------------------------------------------------- ________________ प्टेपनीतीघाटामातारी प्रतापराठि नाएटाजतगात्रुम्सुगरखालावीरउन्नतम प्रतापत्राप्राडारतमानी य१८१० भोजरेटरीनाकारता यररीनाऋमारा भारपासणुनपनायटाग्दी मगरयाप्पारणले जनावदीनानाजारपीट प्रोगको जोनापाले 100 प्रारजारपेनासमरानागापारीलागि घराजपत्र लाटविराजमारवाडरजारभारीपारपरना मोटापा में उपरप्रमाणे यागार गुपैजारी किया जाप शिवपनामी शेतीछेदारी गरा एयर मीटनापशालाही રખોપાના બીજા કરારની બે વર્ષની રકમ પોતે ઉઠાવેલ વટાવ સંબંધી તકરારને કારણે પિતાને મોડી भगा डावानु पासात सय मा पहायनी पायभीसीटीभाव्यु. (जुमा, पृ. २०४, २१८) Page #245 -------------------------------------------------------------------------- ________________ - હેમાભાઈ શેઠની હવેલીની છર્ણ ઈમારત, પાલીતાણા શહેરમાં, મોટા દેરાસર પાસે, નગરશેઠ શાંતિદાસ ઝવેરીની મેડીની નજીકમાં, આવેલ આ હવેલીમાંથી, પિતાને ત્યાં ગિર મુકાયેલ પાલીતાણા રાજ્યનો વહીવટ નગરશેઠ હેમાભાઈ ચલાવતા હતા. ( જુએ, પૃ. ૨૦૦, ૨૫૯, ૨૬૪). Page #246 -------------------------------------------------------------------------- ________________ Agreement belween Thakorn Sihil Mamuis withju of Pailitamál and the fain toinmunitija 1. The Thakor Sahib of Pailitana agrees to reaive, and the Jain Com. imunity agrees to pay, á fixedes annual sim of hupees fiflew thou: sand (m. 15,000). Iw consideration of this annual proporanit to the Pailitana: Chief,'the Pilitana Darbár Cünen nouit mo pinter nivo oyes åwny kind will be levied from the Jain Community on account of hilgrimagu taves. This sum of AA! 15.000 will be dew on the letter of April of each successive year; it includes police protection malari mm Thákor dálit i Butoa... the Jain Community agrees that this arrangement shall continue for forty (4o) years from the 1st van After this expiration of the ult:Qul 2104 212, 210 C25 (Az. 9482) nie wydt Die Spaldi Qox (ogni4.223,204) (પાછ૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ ty years, either party shall be at liberty to ask for a modific cation of the fixed annuaksin ....... ioned in the first parapraph of this agreement. It will rest with the British Government after considering the respective argu. mint of the conteuding partis, do grant us to witholholds such modificatiow. The shower has her zaplaimed by me personally to the Thakor 2.2.4.3°?lit: 6, Jud. ! their leading thrávaks aied both parties sign this agreement, below, in töken of conceut. Signatures of leading signature shravaks. I sarbar cad .Fear Thereforeokraty. The (ed)JWWww.meriterand zotzin ( sz. W. W. dj7AF, MD Entardertried The Thakor adjWW.iody Mansoothbheli Sahib signed Bhagoobhai. this in my - presence રખોપાના ચોથા કરારના દસ્તાવેજને બાકીને ભાગ Page #248 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારા ૧૯૩ ~; """ પુત્રામાં બાદશાહ બનવા માટેના જે ઊડા વિખવાદ પેઠા હતા અને તેથી રાજ્યકુટુબમાં તથા સલ્તનતમાં જે ઘેરે આંતર કલહ જાગી ઊઠયો હતેા, એથી માગલ સલ્તનતના પાયા ડગમગી ઊઠવાના છે, એ વાત વિચક્ષણુ અને દીર્ઘદશી શાંતિદાસ શેઠને બરાબર સમજાઈ ગઈ હાય એમ લાગે છે. અને તેથી એમને એ વાતની પણ ખાતરી થઈ હાવી જોઈ એ કે, શત્રુંજય તીથૅ તથા અન્ય જૈન તીર્થોને લગતાં આ બધાં માગલ કુમાના, નજીકના જ ભવિષ્યમાં, આ તીર્થની તેમ જ તીના યાત્રિકાના જાનમાલની સાચવણી કરવા માટે હવે ભાગ્યે જ કારગત થઈ શકવાનાં છે. કંઈક આવી ક્રૂ'દેશીભરી વિચારણાથી પ્રેરાઈ ને એમણે, ઔર‘ગઝેબે પણ બાદશાહ બન્યા બાદ એમને તી સંબધી જે બે ક્રમાના આપ્યાં હતાં એની સાત-આઠ વર્ષ પહેલાં, એટલે કે વિ॰ સં૦ ૧૭૦૭ માં, ગારિયાધારની રાજધાનીમાં રહીને પાલીતાણા શહેર અને શ્રી શત્રુ′જયગિરિ ઉપર હકૂમત ભાગવતા ગાહેલ વશના રાજવી કાંધાજી વગેરે સાથે તીર્થ અને યાત્રિકાની રક્ષાના પહેલા કરાર કર્યાં હતા, જે આ પ્રમાણે છે સંવત ૧૭૦૭ ( સને ૧૬૫૧) ના પહેલા કરાર ॥ શ્રી !! uk॰ ॥ સ ́વત ૧૭૦૭ વર્ષે કાર્તિક વિદ ૧૩ ભામે ગાહિલ શ્રી કાંધાજી તથા ભારાજી તથા હમીરજી તથા ખાઈ પદમાજી તથા પાટમદે જત લખત આમા શ્રી સેત્ર'જાની ચાકી પુહુરૂ કરૂ' છુ' તથા સૌંઘની ચાકી કરૂ છું તે માટે તેનું પરઢ કીધા છે. શાહ શાતિાસ સહસકરણ તથા શાહ રતન સુરા તથા સમસ્ત સંઘ મળી શ્રી સેત્રજી સંધ આવઈ તથા છઠીઆં છઠ વિહિવા આવિ તથા પાલુ લેાક આવિ તેનું અમિ કરાર કીધું છે. તે અમા બાપના ખેાલનું પાળવું, તેની વગત્ય શ્રી શેત્ર...જઈ સઘ આવી તેની ચુકી સ'ધ આવિ તે પાસે મલણું કરી લેવુ' તેની વગત. સૂખડી મણુ ૧ તથા પહુરૂ કરવા. લુગડાની જામી રા. માટી સધિ છઠ્ઠી તથા પાલુ સંઘ આવી તે પાસિ મલશ્` ન લેવુ'. ગાડી ૧ જામી રા! અંકે અઢી લેવી. માટા સંઘ મધે પ્યાદા હુંઅિ તેનું ન લેવું. ખીજી છઠ વીવા આવિ તેની માણુસ ૧૦૦, જામી ૬૦ લેવા. માલણુ માગવું નહી. વહી બીજી માણસ પાછુ આવિ તે જણુ ૧ની જામી ના અંકે અરધી લેવી. અકૂ" કાંહી ન લેવું. સ'ધ શ્રી સેત્રંજી જાત્રા કરવા આવિ તે પાસિથી એ કરાર લેવૂ. ગચ્છ ૮૪ ચારાસી તુ” એ કરારિ લેવું. તથા એ કરાર આપના ખેલનું પાળવું. તથા શ્રી આદિશ્વરની સાખી પાળવુ. રણછેડજીની સાખી પાલવું. કારખાના પિસ ન લેવુ તપાગચ્છનિ. તાશ્રી ૨૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શેઠ આઠ કડની પેઢીને ઇતિહાસ અત્ર મત્તે લખું તે પ્રમાણે છે. અત્ર સંખ્ય ૧ ગેહેલ કાંધાજી ૧ ગો. ગેમલજી - ૧ બાઈ પદમાજીક ૧ ગે. લખમણુજી - ૧ બાઈ પાટમદે ૧ રા. ભીમજી ૧ ૨. જાદવ ૧ સા. જગપાલ ૧ ઠા. પરબત ૧ દે, કડવા લખત ભાટ પરબત નારાયણએ લખુ પાલિ નહિ તે અમિ જમાન છું. અમદાવાદ મધે જબાપ કરૂં સહિ છે તથા ભાટને અગડ કરી છે તે પળાવું સહી સહી આ કરારમાં શ્રાવક સંઘના પ્રતિનિધિ તરીકે શાહ શાંતિદાસ સહસકરણ તથા શાહ રતન સૂરાનાં નામ લખેલાં છે. આમાં શ્રી શાંતિદાસ સહસકરણ એ તે રાજા અને પ્રજામાં બહુમાનભર્યો મ ધરાવનાર નગરશેઠ શાંતિદાસ ઝવેરી જ છે. તેમની સાથે શાહ રતન સૂરાનું નામ લખ્યું છે. તેઓ કોણ છે, તે અંગે તપાસ કરતાં શાસ્ત્રવિશારદ જેનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરિજી (કાશીવાળા) સંધિત પ્રાચીન તીર્થમાલા સંગ્રહ” ભાગ ૧ માં છપાયેલ અને શ્રી શીલવિજયજીએ રચેલ તીર્થમાળામાં જ્યાં (પૃ. ૧૨૪, કી ૧૪૩) અમદાવાદના શ્રાવકેનાં નામો આપ્યાં છે, ત્યાં લખ્યું છે— ઉસવંશ ભૂષણ શિરદાર, સૂરા રતન બે બંધુ ઉદાર; સત્યાસીઈ દીઉ સબ્સકાર, વિમલાચલના સંધ અઢાર. આ કડીમાં થયેલ ઉલ્લેખ ઉપરથી, એટલું જાણી શકાય છે કે, સૂર અને રતન એ બને પિતા-પુત્ર નહીં પણ સગા ભાઈ અને ઓસવાળ જ્ઞાતિના હતા. કરારની યથાર્થતા બાબત તકરાર અને તેનું નિરાકરણ 1 સને ૧૮૭૫ માં શત્રુંજય ઉપર નવું દેરાસર બાંધવું હોય તે એ માટેની જમીન માટે શ્રાવક કેમે પાલીતાણા રાજ્યની મંજૂરી મેળવવાની અને એની કિંમત આપવાની જરૂર ખરી કે કેમ, એવો પ્રશ્ન ઊભે થયો. અને એ અંગે ઘટતી તપાસ કરીને પિતાને અહેવાલ મોકલવા માટે મુંબઈ સરકારે તે વખતના કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. જે. બી. પીલને લખ્યું હતું. આ બાબત ઊંડી તપાસ માગે એવી હોવાથી મિ, Page #250 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૧૮પ પીલે એ કામ પિતાના એકટીંગ યુડિશિયલ આસિસ્ટંટ મિ. ઈ. ટી. કેડીને સેપ્યું હતું. આ કેસમાં શ્રાવક કોમ તરફથી સંખ્યાબંધ પુરાવાઓ તથા જુબાનીઓ રજૂ કરવામાં આવ્યાં હતાં, એમાં વિ. સં. ૧૭૦૭ના આ રખોપાના દસ્તાવેજનો પણ સમાવેશ થતો હતો. (એને દાખલા નં. Z (૨૭) હતો). આ દસ્તાવેજ પોરબંદરના જતિ શ્રી મતીજીએ (ઉંમર વર્ષ ૩૨) રજૂ કર્યો હતે. અને તે અમુક વખત સુધી કેસ ચાલ્યા પછી, પાછળથી, રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરથી પાલીતાણાના દરબારશ્રી તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ દસ્તાવેજ બનાવટી છે, જેની વિગત આ પ્રમાણે છે – આ દસ્તાવેજ અંગેની રજૂઆત કરનાર યતિ શ્રી મતીજીએ જે જુબાની આપી હતી તે આ પ્રમાણે છે – મિ. બ્રાન્સન સમક્ષ જુબાની આપતાં તેમણે જણાવ્યું હતું: “મારા ગચ્છના વઢ હીરવિજયસૂરિ હતા. હું જે દસ્તાવેજ રજૂ કરું છું (વિ. સં. ૧૭૦૭ને કશ૨) તે મને મારા ગુરુ પાસેથી પ્રાપ્ત થયે છે. “હું પરમ દિવસે સાંજે ૬-૦૦ કે ૭-૦૦ વાગ્યે રાજકેટ આવ્યો છું. જોઈતારામ નામના એક શ્રાવકે મને આ દસ્તાવેજ લાવવા પિરબંદર લખેલું. તેઓ (જેઈતારામ) અમદાવાદના એક શેઠિયા છે.” મિ. બદ્રુદીન સમક્ષ જુબાની આપતાં તેમણે કહ્યું હતું: “આ દસ્તાવેજ મને છ દિવસ અગાઉ આચાર્ય ધર્માનંદસૂરિ, કે જે મારા ગુરુ ગુમાનજીના ભાઈ છે, તેમની પાસેથી પ્રાપ્ત થયો છે. આ દસ્તાવેજ મને ઉપાશ્રયમાં આપેલ. મને ખબર નથી કે મારા ગુરુના કબજામાં એ કેવી રીતે આવ્યો. તે ગાદીની માલિકીને હવે જોઈએ. જેઈતારામને પત્ર મારા ગુરુ ઉપર હતો.” યતિ શ્રી મતીજીની જુબાની ઉપર દરબારશ્રીની ટીકા પાલીતાણા દરબારે આની સામે ટીકા કરતાં કહ્યું હતુઃ “આ સાક્ષીએ પુરા ન ૨૭ રજૂ કર્યો. તેને પુરા અગત્યનું છે, કારણ કે તે દસ્તાવેજ બનાવટી છે. તેથી અમે તેની જુબાની અક્ષરશઃ અહીં આપીએ છીએ. આ દસ્તાવેજ રજૂ કરનારની પાસે તે સત્ર છ દિવસ જ રહ્યો તે સૂચક છે. વળી પહેલાં આ દસ્તાવેજ જેના કબજામાં હતું તે અહીં હાજર રહેલ નથી અને જોઈતારામને પત્ર પણ રજૂ કરાયો નથી; આ સંજોગોમાં દસ્તાવેજના ખરાપણા વિશે શંકા ઉઠાવવાને પૂરતાં સબળ કારણે છે.” ૫. ' પણ મિ. કેડીએ દરબારશ્રીની આ વાત માન્ય રાખી ન હતી અને આ દસ્તાવેંજ સારો હોવાનું સ્વીકાર્યું હતું. * . * * Page #251 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સને ૧૮ર૧ને રખોપાનો બીજો કરાર વિસં. ૧૭૦૭ને રપાન કરાર કેટલે વખત અમલમાં રહ્યો તેની કોઈ કિસ માહિતી મળતી નથી. એટલે અંગ્રેજ સરકારની દરમિયાનગીરીથી, સને ૧૮૨૧ (વિ. સં. ૧૮૮૮)ની સાલમાં, રખેપાને લગતે જે બીજે કરાર થયો તે દરમિયાનના, ૧૭૦ વર્ષ જેટલા લાંબા ગાળામાં પાલીતાણુના ઠાકોરે શત્રુંજયના યાત્રિકે સાથે કે વ્યવહાર રાખ્યું હશે, તે જાણી શકાતું નથી.૭ આમ છતાં આ અંગે યાત્રાળુઓને કેવી કેવી. હેરાનગતીમાંથી પસાર થવું પડવું પડતું હતું, એની આધારભૂત કહી શકાય એવી કેટલીક માહિતી એક પત્રમાંથી મળી રહે છે, એને અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. - આ પત્ર તા. ૩૦-૮-૧૮૨૦ ના રોજ, મુંબઈથી, શ્રી મોતીચંદ અમીચંદ અને શ્રી હેમચંદ વખતચંદની સહીથી મુંબઈના તે વખતના ગવર્નર માઉન્ટ ટુઅર્ટ એલિફન્સ્ટનને લખવામાં આવ્યું હતું. આ પત્રમાં શ્રી હેમચંદ વખતચંદની સહીની નીચે “શાંતિદાસ ઝવેરીના વારસદાર” (Descendants of Santidass Javerce ) એવી નોંધ કરવા ઉપરાંત અને બીજાઓ” (and others) એ પ્રમાણે નેંધવામાં આવ્યું છે. આને અર્થ એ છે કે, શ્રાવક સંધના આ બંને અગ્રણીઓએ આ પત્ર વ્યક્તિગત રીતે નહિ, પણ જૈન સંઘની વતી. લખ્યું હતું. આ પત્રમાં સહી કરનાર શ્રી મોતીચંદ અમીચંદ તે શ્રી શત્રુંજય ઉપર પિતાના નામની એક વિશાળ ટૂંક બંધાવનાર અને મુંબઈના સુપ્રસિદ્ધ શાહદાગર શ્રી મોતીશા શેઠ હતા. આ પત્રમાં શત્રુંજય તીર્થની યાત્રાએ જનાર યાત્રિકની દરબારશ્રી અથવા તે એમના આરબ સિપાઈઓ દ્વારા થતી કનડગતને ચિતાર આપીને એ કનડગત બંધ થાય એ માટે ઘટતા પગલાં લેવાની અરજ કરવામાં આવી હતી. આ કનડગત કઈ કઈ રીતે કરવામાં આવતી, તેની કેટલીક વિગતે આ અરજીમાંથી મળે છે, જે આ પ્રમાણે છે– મજકુર શાંતિદાસે આ શેત્રુ જે પહાડ સાચવવાનું કામ આ જિલ્લાના રાજાને આપવાનું ચોગ્ય ધારેલું. અને તેની સાથે એવી શરત કરેલી કે એ સ્થળે જાત્રાએ જનારા લોકોને સુખસગવડ આપવી તથા પહાડ ઉપરના મંદિરમાં સ્થાપેલી પ્રતિમાજીઓની ધાર્મિક ક્રિી કરાવવી અને પાલીતાણા પરગણાની આવકમાંથી એ મંદિરને નિભાવવાં. “જે રાજાને આ પ્રમાણેનું કામ સંપવામાં આવેલું તેણે તથા તેના વંશજોએ આ પવિત્ર શરતે બરાબર પાળેલી. પણ ઘણે વખત વીત્યા પછી એ રાજાના એક વંશજ દરેક જાત્રાળુ ઉપર ગેરવ્યાજબી રીતે કર નાખવાની શરૂઆત કરી દીધી. આપ નામદારના અરજદારો તથા બીજા જાત્રાળુઓને આ કર ભરવાની ફરજ પડેલી. કારણ, લાંબી મુસાફરી Page #252 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૧૯૭ કરીને અને માટી ખર્ચ વેઠીને ત્યાં ગયા પછી જાત્રા કર્યા વગર પાછા જવું એ નામેાશીભરેલું લાગેલું. આવી ઢગાખાર રીતભાતથી તથા તે વખતે અમારે કાઈ સત્તા આગળ ફરિયાદ કરવાનું સાધન નહી. હાવાથી આવા મહાદુષ્ટ વેરાને અમારો ધર્મ પાળવાને ખાતર અમારે તાબે થવુ પડેલુ “રાજાને આ ઉપરથી એમ લાગેલુ` કે શ્રાવકા તેા વગર હરસ્તે વેશ આપ્યું જાય છે, એટલે એણે આજદિન સુધીમાં નિર’કુશ વધારો ચાલુ જ રાખ્યા છે. “ થાડાંક વરસ થયાં રાજાએ પાતાની નોકરીમાં કેટલાક આરાને રાખેલા છે. આ આરમેની નીતિ બહુ હલકા પ્રકારની છે. એ લાકા આ પહાડ ઉપર રહેવા લાગ્યા છે, અને મદિરામાં તથા તેની આસપાસ એ લેાકેા એવી વર્તણ્ ક ચલાવી રહ્યા છે કે જે અમારા ખુદ સ્વભાવની તથા ધર્મની વિરુદ્ધ છે. એ લેાકા દારૂ પીને નશે। કરે છે તથા જાનવરોની હિ`સા કરે છે. આ કૃત્યાને અમે એટલાં બધાં ધાર પાતકી કામા ગણીએ છીએ કે આવાં કામેા અમારા અનાદિકાળના પવિત્ર અને પ્રિય મદિર આગળ થવાં દેવાં કરતાં અમારી જાતને ખપાવી દેવા આરએને અમારાં માથાં ધરી દેવાનું અમને વધારે ચૈાગ્ય લાગે છે. “ એ આરને અત્રે આવાં કૃત્યા નહી' કરવાનું અમે કહીએ છીએ ત્યારે એ લેાકા કહે છે કે, રાજા અમારા દેણદાર છે, અને અમારું' માગણું વસૂલ કરવા સારુ’ગીરા રાખનાર તરીકે અમાએ આ પહાડના કબજો કરેલ છે. “આવા કરની વાર્તા સાંભળીને ભાવનગરના રાજાએ પણ ભાવનગર અને ઘા થઈ ને જે જાત્રાળુએ પાલીતાણે જાય આવે, તેના ઉપર કર નાખવા માંડવા છે.” આ પ્રમાણે યાત્રાળુઓને વેઠવી પડતી મુશ્કેલીનું વર્ણન કર્યા પછી અરજદારાએ પેાતાની અરજીમાં મુંબઈના ગવર્નર પાસે નીચે મુજબ દાદ માગી હતી— “આપ નામદારના અરજદારા અરજ ગુજારે છે કે તેમની શાંત અને નિરુપદ્રવી કામ તથા દેશના (એક) ધર્મ પ્રત્યે આવી આશાતના કરનારી જુલ્મી વર્તણૂકથી અમને જે ખેદ અને દુઃખ થાય છે, તે તરફ આપ સહાનુભૂતિની નજરથી જોશે, ” ૮ જૈન સઘની વતી શેઠશ્રી માતીચં≠ અમીચંદ તથા શેશ્રી હેમચંદ વખતચă વગેરે તરફથી મુંબઈના ગવનરને કરવામાં આવેલ ઉપરોક્ત અરજી મળ્યા પછી બીજે જ દિવસે, એટલે કે તા. ૩૧-૮-૧૮૨૦ના રાજ, મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી ફ્રાન્સિસ વાડને કાઠિયાવાડના પાલિટિકલ એજન્ટ કેપ્ટન આવેલને પત્ર (સને ૧૮૨૦, ન'ખર ૧૩૨૪) લખીને આ ખાખતની ઝીણવટભરી તપાસ કરીને શ્રાવક કામની ફરિયાદને અંગે શું થઈ શકે એમ છે, એ વિશે પેાતાના અહેવાલ માકલવાના આદેશ આપ્યા હતા. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શિક આ૦ કરની પેઢીને ઇતિહાસ આના જવાબમાં કેપ્ટન બાલે મુંબઈ સરકારના સેક્રેટરી જેમ્સ બ્રુસ સિમ્સનને તા. ૨૦-૧૨-૧૮૨૦ ના રોજ જે પત્ર લખ્યો હતો તેમાં એમણે પાલીતાણે દરબારને વાર્ષિક રૂ. ૩૦૦ થી રૂ. ૪૦૦ ની રકમ, યાત્રિકવેરા તરીકે, શ્રાવક કેમે ઊચક આપવાનું સૂચન કર્યું હતું અને સાથે સાથે એમ પણ સૂચવ્યું હતું કે પાલીતાણા દરબારને ગાયકવાડના ખંડિયા તરીકે વાર્ષિક જે રકમ રૂ. ૮૦૦૦] ખંડણી તરીકે આપવાની થાય છે તેમાંથી, જો ગાયકવાડ સરકાર, ચાત્રાવેરાની (આશરે રૂ. ૩૦૦૦ થી રૂ. ૪૦૦૭) જેટલી રકમ જતી કરવા મંજૂર થાય તે શ્રાવક કે મને કશીય રકમ આપવાની ન રહે. કેપ્ટન બાવેલની આ ભલામણ ઉપરથી આવી માફી આપવા અંગે ગાયકવાડ સરકાર સાથે વાટાઘાટ કરવામાં આવતાં તેમણે આવી માફી આપવાનો ઈનકાર કર્યો હતે. આ હકીક્ત વડોદરાના એકટીગ રેસિડેન્ટ મિ. સી. નેરિસે મુંબઈ સરકારના સેક્રેટરી મિ. જે. બી. સિમ્સન ઉપર તા. ૧૭–૨–૧૮૨૧ના રોજ લખેલ પત્ર ઉપરથી જાણી શકાય છે.૧૦ ( પાલીતાણા રાજ્ય અને શ્રાવક કેમ વચ્ચે, યાત્રાવેરાને કારણે, જે બેદિલી પ્રવર્તતી હતી, તેનો સંૉષકારક નીવેડો લાવવા માટે, જરૂર પડે તે, પાલીતાણાની નજીકમાં રહેલી લશ્કરી છાવણીને ઉપયોગ કરવાનું એક સૂચન થયું હતું. એ જાણીને જેમ કંઈક રમૂજ ઊપજે છે, તેમ આ ઝઘડાનો નિકાલ કરવાની બાબતમાં મુંબઈ સરકાર કેટલી ચિંતિત અને ઉત્સુક હતી તે પણ જાણી શકાય છે. આ કાગળ, તા. ૮ (૧૮?)-૧-૧૮૨૧ ના રોજ, મુંબઈ સરકારના સેક્રેટરી મિ. જે. બી. સિમ્સને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મેજર એફ. ડી. બેલેન્ટાઈન ઉપર લખ્યો હતો અને તેમાં લેફ. કર્નલ ટેનuપના હાથ નીચેના લશ્કરનો ઉપયોગ કરવાની સત્તા આપી હતી. સાથે સાથે એ પત્રમાં એમણે બંને પક્ષોની વ્યાજબી વાત ધ્યાનમાં લેવાનું પણ સૂચન કર્યું હતું.' આ દરમિયાનમાં શેઠ હેમાભાઈ વખતચંદે, તા. ૧-૧૦-૧૮૨૧ ના રોજ, કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટ કેપ્ટન બાવેલ ઉપર, ચેમાસું પૂરું થતું હોવાથી, અને યાત્રાની શરૂઆત નજીકના સમયમાં જ થવાની હોવાથી, મૂંડકવેરાની રકમ નકકી કરવાની માગણી કરી હતી, જેથી યાત્રિકે કનડગત વગર યાત્રા કરી શકે.૧૨ શેઠ હેમાભાઈના આ પત્ર ઉપરથી એટલું સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, એ વખતે શત્રુંજયના યાત્રિકને યાત્રાવેરા નિમિત્તે કેવી કેવી હાલાકી ભેગવવી પડતી હશે. આને કારણે જ એમને આવે કાગળ લખવાની ફરજ પડી હોવી જોઈએ. આ રીતે શેઠ મોતીશાથી શરૂ થયેલી પાલીતાણું રાજ્ય સાથે કાયમી સમાધાન કરવાની વાતને એક તાત્કાલિક ઉકેલવા જેવી મહત્વની બાબત લેખીને મુંબઈ સરકારે સત્વરે હાથ ધરી હતી. અને એની સૂચના મુજબ કેપ્ટન બનવેલે, એ અંગે જરૂરી તપાસ Page #254 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર કરીને, પિતાનાં સૂચને મુંબઈ સરકારને મોક્લી આપ્યાં હતાં. ઉપરાંત શેઠશ્રી હેમાભાઈ વખતચંદે પણ આ સમાધાન માટે કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ કેપ્ટન બાનવેલને ભારપૂર્વક લખ્યું હતું. એ બધાના પરિણામે, કેપ્ટન બનવેલે, પાલીતાણા રાજય અને શ્રાવક કોમ વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે, તા. ૯–૧૨–૧૮૨૧ ના રોજ, એક કરારનામું કરાવી આપ્યું, જે નીચે મુજબ હતું–૧૩ છે. સને ૧૮૨૧ ને કરાર દસક્ત ગોહેલ કાંધાજી સહી સહી દસકત ઘણજી લી. ગોહેલ શ્રી કાંધાજી તા. કુવર ને ઘણજી જત શેઠ આણંદજી કલ્યાણજી રહેવાસી પાલીતાણું જત સાવકને સંઘ તથા પરચુરણ આદમી પાલીતાણે જાત્રાને આવે છે તે ઉપર અમારી રખોપાની લાગત છે. તે કુલ અમારી બાબત ડુંગર સબંધી તથા ભાટ તથા રાજગર તા. ચાકર પેસા વગેરે તથા બીજી દરબસ્ત લાગત સુધાં ઉચક દર વરસ ૧ એકે રૂા. ૪૫૦૦] અંકે પસતાલીસ સેહે પુરા તેની વિગત છે. 2. ૪૦૦) દરબારના દેવા ૨૫૦ રાજગરને દેવા . ૨૫) ભાટ સમસ્તને દેવા - જમલે ૪૫૦૦ એ પરમાણે વરસ દસને સંવત ૧૮૭૮ના કારતગ શુદ ૧૫ થી તે સં. ૧૮૮૮ના કારતગ શુદ ૧૫ સુધી રૂા. ૪૫૦૦] અંકે પસતાલીસ હજાર પુરા સકાઈ માટે શ્રા સરકાર હંતરાબલ કંપની બહાદુર નીસવત આજમ કપતાને બારનવેલ સાહેબ પુલેટીકલ ઈજટ પ્રાત કાઠીઆવાડના સાહેબની વીદમાને તમને આવું છે તે ઉપર લખા પ્રમાણે દર સાલ વરસ ૧૭ દસ સુધી ભરતા જજે. સંધ અગર પરચુરણે લોક જાત્રાને આવસે તેની ચિકી પિરાની ખબરદારી અમે સારી પેઠે રાખીસુ. ને જાત્રાલ લોકને કશી વાતે આજા પિચવા દેશું નહી. અગર કેઈ લેકનું નુકસાન ચેરીથી થાસે તે તેનું વલતર કરી આપીશું. આફત ફતુર આસમાની સુલતાની મેજરે આપીશું. તેના રૂા. કરાર પ્રમાણે આગલ ઉપર લઈશું તથા અવધ પુરી થઆ પછી કરાર પ્રમાણે રૂા. આગલ સાલ આપસે તાં સુધી ચાલુ પાલીસુ. કરાર પ્રમાણે. બીજુ શેઠ શાંતીદાસનું વંશવાળાની બે તરફથી જોવાની માફી સદામત થાઓ છે તે તમારે પણ કરવી. એ રીતે લખી આપે છે તે સહી છે. મતી સં. ૧૮૭૮ ના વરખે માગશર સુદ ૧૫ તા. ૯ માંહે ડીસેમ્બર ૧૮૨૧ અંગરેજી. Page #255 -------------------------------------------------------------------------- ________________ २०० અત્ર ગાહેલ કાંધાજી તથા નાઘણુજીની સહી ઉપર છે. સહી છે. શેઠ આવકની પેઢીના ઇતિહાસ ૧ અત્ર સાખ શ્રી જુગીસ ૧ ગાહેલ અજાભાઈ ઉનડજીની શાખ ૧ લા. મના ગગજી ૧ ૪. ખમ ખસળ રહી. ૧ દેવાંણી ખાડાભાઈ સાખ. ૧ ગેાહેલવીસાભાઈ ઉનડજીની સાખ ૧ લી. મેતા કસળજી જગદીસ આ બંદોબસ્ત પક્ષકારાએ માહારી રૂબરૂમાં કરેલા છે. અને સરવે પક્ષકારાના વ્યાજખી હકા તેથી જળવાશે એમ જણાય છે. (સહી) આર. ખારનવેલ (અંગ્રેજી) પેા. એ. કા. પાલીતાણા રાજ્ય અને શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયેલ ઉપર મુજખ રખાપાના બીજા કરારની પહેલાંનાં કેટલાંક વર્ષ અને એ કરાર આશરે ચાર દાયકા સુધી એટલે કે સને ૧૮૬૦ની સાલ સુધી અમલમાં રહ્યો એ સમય દરમિયાન (આશરે એકાવન વર્ષ જેટલા લાંબા સમય દરમિયાન) પાલીતાણા રાજ્યની આર્થિક સ્થિતિ કેવી નમળી ગઈ થઈ હતી અને એને કારણે જૈન સ`ઘના આગેવાના સાથે એને કેવી કેવી જાતની સમજૂતી કરવાની ફરજ પડી હતી, એની કેટલીક બહુ મહત્ત્વની વિગતા આ સ્થાનેજ આપવી ઉચિત લેખાશે. હેમાભાઈ શેઠનું વર્ચસ્વ : અગ્રેજ સલ્તનતના પગપેસારા કાઠિયાવાડમાં ‘વાકર સેટલમેન્ટ ’થી થયા હતા. આ સેટલમેન્ટ સને ૧૮૦૮ માં થયું હતુ. સેટલમેન્ટ થયુ એ જ અરસામાં પાલીતાણાના રાજવી કાંધાજી તથા એમના પાટવીકુ ંવર નવઘણુજી વચ્ચે ખટરાગ થવાને કારણે રાજ્યની આર્થિક સ્થિતિ બહુ જ કથળી ગઈ હતી અને રાજ્યનુ સંચાલન કરી શકે એવી શક્તિ એમનામાં નહેાતી રહી. આ પરિસ્થિતિમાં નગરશેઠ વખતચ'ના પુત્ર હેમાભાઈ એ રાજ્યના સચાલનનાં સૂત્રે પેાતાના હાથમાં લીધાં હતાં. અને છેક સને ૧૮૨૧ સુધી એમણે રાજ્યની લગામ પોતાને હાથ રાખી હતી૧૪ ઉપર સૂચવેલ સને ૧૮૨૧ ના રખાયાને ખીજે કરાર થયા તે અરસામાં તે પાલીતાણા રાજ્યની સ્થિતિ એટલા માટા પ્રમાણમાં કથળી ગઈ હતી કે જેથી આખું રાજ્ય વાર્ષિક રૂ. ૪૨૦૦૦પ(અંકે રૂપિયા બેતાળીસ હજાર)ની રકમથી શેઠ હેમાભાઈ વખતચંદને ત્યાં ગિરા મૂકવાના વખત આવ્યા હતા. શરૂઆતમાં આ ગિરાખત ૧૦ વર્ષ માટે કરવામાં Page #256 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૨૦૧ આવ્યુ હતું; પણ આ દસ વર્ષની મુદ્દત પૂરી થયા પછી બીજા દસ વર્ષી માટે રાજ્યે ખત તાજુ' (રિન્યુ) કરી આપ્યું હતું. ૧૬ સને ૧૮૪૩માં આ ગિરાખત પૂરુ' થતું હતુ તે પહેલાંના કેાઈ સમયે, દરખારશ્રી નવઘણુજીએ કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મિ. મેલેટ સમક્ષ આ ગિરાખત નાબૂદ કરવાની મૌખિક માગણી કર્યાને નિર્દેશ દરખારશ્રી સુરસિહજીની એક અરજીમાંથી મળે છે. આ અરજી તા. ૮-૧૦-૧૮૬૦ના રાજ દરબારશ્રી સુરસિંહજીએ તે વખતના કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટને કરી હતી. આ નિર્દેશ આ પ્રમાણે છે : જ્યારથી મિ. મેલેટ આ પ્રાંતના પેાલિટિકલ એજન્ટ નિમાયા, અને આ તાલુકામાં રહેવા લાગ્યા, ત્યારથી મેં ઉપરાક્ત તકરારો તેમની સમક્ષ રજૂ કરવી એમ વિચાર્યું.... પરંતુ, ગમે તેમ, હું તેમ કરવાથી દૂર રહ્યો, કારણ કે મને લાગ્યું કે, મારું આમ કરવું શેઠને નાખુશ કરશે. તેથી મેં તે સજ્જન સમક્ષ મૌખિક રજૂઆત કરી. તેને તેમણે લક્ષમાં લઈ ઈજારા રદ કર્યાં અને આમ થતુ રોકવા શેઠના અનેક પ્રયત્ને છતાં પરગણું મને સોંપી દીધું.”૧૭ << પ્રસ્તુત પત્રમાં સૂચવ્યા પ્રમાણે મિ. મેલેટે આ ઇન્તરે સને ૧૮૪૩ એટલે કે વિ॰ સંવત ૧૮૯૯માં રદ કર્યા હતા.૧૮ આ ઘટનામાં કંઈક નવાઈ ઉપજાવે એવી ખાખત એ છે કે, મિ. મેલેટે આ ગિરે ખત સને ૧૮૪૩માં રદ કર્યું હતું. અને તે વાતની જાણ એમણે મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી જે. પી. વિલ્બયને, એ વર્ષ કરતાં પણ વધુ સમય બાદ, છેક તા. ૩૦-૧-૧૮૪૬ના રોજ પત્ર લખીને કરી હતી.૧૯ સને ૧૮૨૧ ના કરાર કયાં સુધી ચાલુ રહ્યો ? પેઢીના દફતરમાં આ કરાર અંગે ચૂકવવામાં આવેલ નાણાંની પહેાંચા સચવાયેલી છે, તે જોતાં સને ૧૮૬૦ સુધી એટલે આશરે ૪૦ વર્ષ સુધી આ કરાર અમલમાં રહ્યો હતા.૨૦ આ પહેોંચા ઉપરાંત પેઢીના દફ્તરમાં એક કાગળ સચવાયેલ છે, જે પેઢી તરફથી તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને, તા. ૨૧ મે ૧૮૭૪ના રોજ, લખવામાં આળ્યે હતા, જેમાંના નીચેના શબ્દો ઉપરથી એમ જાણી શકાય છે કે, આ કરારનેા અમલ સને ૧૮૬૩ સુધી થયા હતા. તે શબ્દો આ પ્રમાણે છે— “સાહેબ, આપ એ સારી રીતે જાણા છેા કે, બન્ને પક્ષકારોએ, આપસઆપસની ૨૬ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શેડ આ કની પેઢીના ઇતિહાસ સમજૂતી દ્વારા, કાયમી સમાધાનની જે શરતે, કેપ્ટન ખાનવેલની સમક્ષ, નક્કી કરી હતી, તે મુજખ શ્રાવકાએ, ડુઇંગર અને જાત્રાળુઓના રક્ષણ માટે અથવા રખાપા તરીકે, ઠાકોર સાહેબને, દર વર્ષે, રૂ. ૪૫૦૦]આપવાના હતા; અને ઠાકોર સાહેબે પોતે તથા એમના પૂર્વજોએ સને ૧૯૨૧થી તે સને ૧૯૬૩ સુધી એ રકમને સ્વીકાર પણ કર્યાં હતા, અને આશરે ૪૦ વર્ષ કરતાં વધુ વખત સુધી એની પહોંચા તેઓ આપતા રહ્યા હતા.”૨૧ એક જાણવા જેવુ લખાણ પેઢીના દફ્તરમાં એક કરારના લખાણ જેવા કાગળ સચવાયેલા છે, તેની વિગતા જાણવી અહીં રસપ્રદ થઈ પડે એવી છે. વિ॰ સ૦ ૧૮૬૦ ના કારતક સુદ ૧૫ની તિથિવાળા (સને ૧૮૦૩ ની સાલના) આ કરારના મુસદ્દાની નકલ આ પ્રમાણે છે— માહાર ગાહેલશ્રી ઊનડજી લખીત‘ગગાહેલ શ્રી ઊનડજી તથા કુવર શ્રી ખવાજી જોગ વખતચંદ ખુશાલચંદ તા. મહાજન સમસત જત શ્રી પાલીતાણાના ડુંગરની ચાકીનુ અમને મુડકીએ કરી આપેલ તે પ્રમાણે આજ લગણ લેતા તેનું ઊધડ ઠરાવી વરસ એકના રૂ. ૪૦૦૧] અંકે ચાર હજાર એક કરી આ લેખ તમને લખી આપીએ છીએ જે હવેથી અમારે તથા અમારા વંશપર પરાને મુડકી ખાખત અટકાઅત વીગરે કાંઈ પણ કરવુ નહી ને ડુંગરની ત્યા સ`ઘાળુ જે આવે તેની ચાકી કરાવવી ને કાઇનુ જાઅ આવે તે અમારે આપવુ એ ડુંગર ઉપર કે શઘ્ર ઉપર ખીજી કશી કનડગત કરવી નહી ફક્ત ઊપર લખા પ્રમાણે રૂપેઆ લેવા તથા સંધ જમાડે તે પાસેથી પકવાંન વીગેરે ખાધાનુ લેવુ તે શીવાય બીજુ કાંઈ પણુ લેવુ નહી ડુંગર ખાખતના પરવાના ખાદશાઈ શેઠે વખતચંદ ખુશાલચ'દવાલા પાસે છે તે પ્રમાણે ડુગરના માલેક માહાજનને ચાકીના ઠરાવ પ્રમાંણે લેવા તેના માલેક અમે આ લખુ અમારે તથા અમારા વશમાં પાલીટાંણાની ગાદીએ બેસે તેણે પાલવુ ને અમારે ઉપર લખા પ્રમાણે ચાલવુ તેમાં કાઈ કુરે તે શ્રી રણછેડજી તથા શ્રી આદેશ્વર ભગવાન દરમીયાન આપા છે. સ` ૧૮૬૦ના વરખે કારતગ સુદ્ર ૧૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરારે ૨૦૩ અતર મત અતર સાખ ૧ ગોહેલ શ્રી ઊનડજી તથા ૧ શ્રી જગદીશની સાખ કુવર બાવાજી ઉપર લખા ૧ કુવર જેસાભાઈની સાખ પ્રમાણે સહી છે ૧ કુવર મેડાભાઈની સાખ ૧. કુવર અજાભાઈની સાખ ૧. કુવર વીસાભાઈની સાખ ૧. કુવર સબલાભાઈની સાખ ૧. કુવર અદાભાઈની સાખ ૧. બારોટ લાપાની સાખ ૧. બાવા કેસવગરની સાખ ૧. ગઢવી ભેજા ભુઠની સાખ ૧. લા. શા. કમા વીરચંદ (દફતર નં૦ પ, ફાઇલ નં. ૪૭.) - આ કરારે પાકા દસ્તાવેજનું રૂપ લીધું ન હતું. એ સ્પષ્ટ છે, કારણ કે, એનો અમલ થયાની કોઈ પણ નેધ કે માહિતી મળતી નથી. એટલે એક રીતે આ લખાણને પાકા દસ્તાવેજ રૂપે લેખાવી શકાય નહીં. તેથી આ લખાણને અર્થ, સામાન્ય રીતે, એટલે જ થઈ શકે કે, પાલીતાણું રાજ્ય અને જેન કેમ વરચે આ કઈ રખોપાને કરાર કરવાની હિલચાલ તે અરસામાં (સને ૧૮૦૩માં) થઈ હતી. આ કરારના મુસદ્દામાં રખેપાની વાર્ષિક રકમ રૂ. ૪૦૦૧) સૂચવવામાં આવી હતી. આ પછી ૧૮ વર્ષે, સન ૧૮૨૧ની સાલમાં, કેપ્ટન બાલની દરમિયાનગીરીથી, પાલીતાણા રાજ્ય તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે જે રખોપાને કરાર થયો હતો, તેમાં રખોપાની કુલ ૨કમ વાર્ષિક રૂ.૪૫૦૦ નક્કી કરવામાં આવી હતી. એમાંથી પાલીતાણાના દરબારશ્રીને તે રૂ. ૪૦૦૦] જ મળવાના હતા. દરબારને આપવાની વાર્ષિક રૂ. ૪૦૦૦)ની રકમને આંક નક્કી કરવામાં, સંભવ છે કે, અહીં જે અમલમાં નહીં મુકાયેલ કરારનું લખાણ ઉપર આપવામાં આવ્યું છે, એમાં સૂચવવામાં આવેલી વાર્ષિક રૂ. ૪૦૦૧) ની રકમના નિર્દેશે કંઈક ભાગ ભજવ્યું હોય. આ તે માત્ર અનુમાન જ છે, પણ બંને લખાણમાં દરબારશ્રીને મળવાની રકમ રૂ. ૪૦૦૦/ ની જ હોવાથી આવું અનુમાન કરવાનું મન થઈ આવે એ સ્વાભાવિક છે. આ કરાર કાયમી હોવાને પેઢીને ખ્યાલ સને ૧૮૨૧માં, તે વખતના કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટ આર. બાલની Page #259 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ દરમિયાનગીરીથી, વાર્ષિક રૂ.૪૫૦૦/ ની રકમના, રખેાપાના ખીજે કરાર પાલીતાણા રાજ્ય અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયા હતા, તેમાં ‘તથા અવધ પુરી થઆ પછી કરાર પ્રમાણે રૂ।. આગલ સાલ આપસે તાં સુધી ચાલુ પાલીસુ. કરાર પ્રમાણે,’-આ પ્રમાણે શબ્દો નોંધવામાં આવ્યા હતા. આ શબ્દોનેા, સામાન્ય રીતે, એવા અથ થતા હતા કે, કરારની દસ વર્ષની મુદત પૂરી થયા પછી પણ, જ્યાં સુધી શેઠ આણુંદજી કલ્યાણજી વાર્ષિક રૂ. ૪૫૦૦/ આપવાના ચાલુ રાખશે ત્યાં સુધી, પાલીતાણા દરબાર એનેા સ્વીકાર કરશે અને કરારમાં સૂચવ્યા પ્રમાણે સઘ અગર પરચુરણ લેાક જાત્રાને આવસે તેની ચાકી પારાની ખખરદારી અમે સારી પેઠે રાખીસુ ને જાત્રાળુ લેાકને કશી વાતે ઓજા પાચવા દેસુ નહી. અગર કોઈ લાકનું નુકસાન ચારીથી થાસે તેા તેનુ વલતર કરી આપીસુ. આફત કૃતુર આસમાની સુલતાની મુજરે આપીશું.'——એ શરતનું પાલન કરશે. ૨૦૪ રખેાપાની રકમ લેવા સામે દરબારશ્રીના વાંધે સને ૧૮૨૧ના આ કરારની સામે, સૌથી પહેલાં, પાલીતાણા દરખારે, સને ૧૮૫૨ ની સાલમાં, એક વિચિત્ર પ્રકારના વાંધા ઉઠાવીને રાપાના પેાતાના હિસ્સાના રૂ. ૪૦૦૦/ લેવાના ઇન્કાર કર્યા હતા. એમના વાંધા એ હતા કે, આ રકમની ચૂકવણી ‘ કાયદેસરનાં નાણાં' (Proper currency) માં કરવામાં નથી આવી.૨૨ સને ૧૮પ૨ની સાલમાં દરખારે વાર્ષિક મુકરર રકમ લેવાની ના પાડી, તેથી આણુંદજી કલ્યાણજીની પેઢીએ કાઠિયાવાડના પોલિટિકલ એજ ́ટ કર્નલ ડબલ્યુ. લેગને તે રકમ માકલી, પેાલિટિકલ એજટે તે રકમ દરમારને આપવા જૈનોને કહ્યું અને દરબારને નીચે પ્રમાણે લખ્યું : “મારા લખવાનેા હેતુ એવા છે કે, અસલ દસ્તાવેજ વાંચતાં મને એમ જણાય છે કે, તેમાં જણાવેલું સમાધાન કેપ્ટન ખાન વેલની મારફત અને તેની રૂબરૂ થયેલું, તેથી વાર્ષિક રકમ વર્ષે વર્ષે જ્યાં સુધી નિયમિત આપવામાં આવે ત્યાં સુધી કાયમને માટે ચાલુ રાખવું. તે કાગળમાં આ અને બીજી હકીકતા જણાય છે, એટલે કે હૂંડી શેઠના માણસને તમને દેખાડ કરવા સારુ પાછી આપવામાં આવી હતી, પણ તમારી જ ભૂલથી આ રકમ તમને જલદી આપવામાં આવી નહાતી, તેથી જ્યારે જાત્રાળુએ આવે ત્યારે તમારે કોઈ પણ રીતે ડખલ અગર ત્રાસ કરવા નહિ. આને સખત સૂચના તરીકે ગણવી.” ૨૩ આ પછી પાલીતાણાના દરખારશ્રીએ, પોલિટિકલ એજન્ટ કર્નલ ડખલ્યુ. લેગના આ લખાણુને ધ્યાનમાં લઈને, એ વર્ષોંના રખાપાના રૂ. ૯૦૦૦ એકીસાથે, પેઢી પાસેથી, સ્વીકારી લીધા હતા, એમ એક પહેાંચ ઉપરથી જાણી શકાય છે. ૨૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણ રાજ્ય સાથે થયેલા એપાના કરારે ૨૦૫ , કરારમાં છેતરપિંડી થયાને દરબારનો આક્ષેપ આ કરારમાં છેતરપિંડીરૂપે ઉમેરો થયો હોવાના દરબારના આક્ષેપનો પહેલવહેલો ઉલ્લેખ પેઢી તરફથી, તા. ૨૮-૨-૧૮૫૯ના રોજ, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટને લખવામાં આવેલ યાદમાં મળે છે. આ યાદનું મૂળ ગુજરાતી લખાણ તે મળી શક્યું નથી, પણ એને અંગ્રેજી અનુવાદ પેઢીની ફાઈલમાં સચવાયેલ છે. એમાં સૂચવવામાં આવ્યું છે કે – “ઠાકરનું એવું પણ કહેવું છે કે, કરારનામાના દસ્તાવેજને અમલીકરણ માટેનું અંતિમ રૂપ આપવામાં આવ્યા પછી છેતરામણ થાય એવું કંઈક ઉમેરે એમાં કરવામાં આવ્યો છે.૨૫ પેઢીને આ કાગળને જવાબ આપતાં, તા ૮-૧૦-૧૮૬૦ ના રોજ, પાલીતાણાના ઠાકોરશ્રીએ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને જે પત્ર લખ્યો હતો, એમાં પણ એમણે લખ્યું હતું કે— એમણે (શેઠ વખતચંદ ખુશાલચંદે) મેજર બાનવેલને મૌખિક રીતે એમ કહ્યું હશે કે, ઈજારે ફક્ત દસ વર્ષ માટે ચાલુ રહેશે, તેનાથી વધારે નહીં. આમ કહીને તેમણે, પ્રશ્નમાંને મુદ્દો ઉવેખીને કરારનામા પર તેમની મંજૂરી મેળવી લીધી હશે.” આ દસ્તાવેજમાં પાછળથી ઉમેરણરૂપે કરવામાં આવેલ ઘાલમેલના આરેપનું પુનરુચ્ચારણ પાલીતાણાના દરબારશ્રીએ, કાઠિયાવાડના એફટિંગ પિલિટિકલ એજન્ટ મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનને, વિ. સં. ૧૯૧૯ના કારતક વદ ૧ (સને ૧૮૬૨) ના રોજ, લખેલ પત્રમાં ૨૭ તથા સને ૧૮૬૨ના ઓકટોબર માસમાં દરબારશ્રી સુરસિંહજીએ આ જ એકટિંગ પોલિટિકલ એજન્ટ પર લખેલ કાગળમાં પણ કર્યું હતું. ૨૮ આ દસ્તાવેજમાં પાછળથી ઉમેરે કરવામાં આવ્યું હેવાને પાલીતાણા દરબારશ્રીને ઉપરોક્ત આક્ષેપ પાયા વગરને હાવા સંબંધી રજૂઆત પેઢી તરફથી સીધેસીધી કરવામાં આવી હોય એવું કઈ લખાણ પેઢીના દફતરમાંથી મળી શકયું નથી. પણ પાલીતાણું રાજ્ય અને પેઢી વચ્ચેના રખોપા બાબતના ઝઘડા અંગે કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મેજર આર. એચ. કીટિંજે જે તપાસ હાથ ધરી હતી, એમાં સને ૧૮૬૩ના ઓગસ્ટ માસમાં જુબાનીરૂપે પેઢી તરફથી જે મૌખિક જવાબ રજૂ કરવામાં આવ્યું હતું, એમાં આ આક્ષેપ ખોટ હોવાને નિર્દેશ કર્યો હશે એમ લાગે છે. આ દસ્તાવેજમાં કઈ પણ જાતની છેતરપિંડી કે ઘાલમેલ થઈ નથી તેવી રજૂઆત, સૌથી પહેલાં, કાઠિયાવાડના એકિંટગ પિલિટિકલ એજન્ટ મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસને, તા-૧૫-૧-૧૮૬૩ના રેજ, મુંબઈ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શેઠ આવ કની પેઢીના ઇતિહાસ સરકારના ચીફ સેક્રેટરી મિ. એચ. એલ. એન્ડરસન ઉપર મેાકલેલ અહેવાલમાં જોવા મળે આ પ્રમાણે છે— છે, “જે કલમ સામે એમણે વાંધા લીધેા છે, તે આ પ્રમાણે છે : ‘ કે જો શ્રાવકો આ જ રીતે, વર્ષોવર્ષ, રકમની ચૂકવણી કરવાનુ ચાલુ રાખશે તે, દરમાર (આ) કરારનું પાલન કરશે. ' આ લખાણ મુદ્દે કરારની અંદર, ખાકીના લખાણ સાથે મળતા આવે એવા જ અક્ષરામાં, લખાયેલું છે; કેપ્ટન મા વેલની સહી તેમ જ નોંધ એમના પોતાના જ હસ્તાક્ષરમાં છે; અને એમાં આવી છેતરપિંડી થઈ હોય એવુ કાઇ ચિહ્ન એના ઉપર નથી.”૨૯ આગળ ચાલતાં આ જ મુદ્દા અંગે તેએ લખ્યુ હતુ. કે 66 હવે ઠાકારશ્રી એવું પુરવાર કરવા શક્તિમાન નથી કે, તેમની પાસેના કરારપત્રમાં તેમના વડવાઓએ સહી કરી નથી કે કેપ્ટન ખાન વેલની હાજરીમાં તે અસ્તિત્વમાં આવ્યે નથી; અને ગુજરાતી ન સમજનાર અધિકારીની તેમાં સહી કરાવી છેતરિપંડી કરવામાં આવી છે, કરારનામુ ચેાગ્ય અધિકારીની સહી ધરાવે છે અને બંને પક્ષની હાજરીમાં તે સ્વીકારાયેલ છે. તેથી હું તેને અસલ હોવાનું કહી શકું છું. સત્ય તા એ છે કે, હાલના ઠાકાર સાહેબના પિતાશ્રી પ્રતાપસ’ગજીએ યાત્રાવેરાને ગીરો મૂકીને, તેના બદલામાં, સને ૧૮૪૦માં, અમુક રકમ લીધેલ છે, તે તેને પુરવાર કરવા માટે પૂરતુ છે.”ક એક મહત્ત્વની ઘટના ઉપર સૂચવેલ ગીરાના બનાવની વિગત આ પ્રમાણે છે , આ કરારની ખાખતમાં એક વિશેષ જાણવા જેવી વાત એ પણ મૂળ આ કરાર, વિ॰ સ૦ ૧૮૭૮ થી ૧૮૮૮` સુધીના સમયને, દસ વર્ષ માટે, જૈન સંઘની વતી શેઠ આણુંદજી કલ્યાણજી તથા પાલીતાણાના દરબાર ગાહેલે કાંધાજી તથા એમના પુત્ર નાંઘણુજી વચ્ચે થયા હતા. આ દસ વર્ષની મુદ્ભુત પૂરી થયા પછી, પાલીતાણા રાજ્ય તરફથી, આ બન્નેની સહીથી, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને આ કરાર બીજા દસ વર્ષ માટે ચાલુ રાખવાની અરજી કરવામાં આવી હતી. અને એ અરજી માન્ય પણ રખાઈ હતી. આ ગાઠવણુ મુજબ આ કરાર વિ॰ સ′૦ ૧૮૯૮ સુધી ચાલુ રહેતા હતા. ૩૧ પણ વિ॰ સ’૦ ૧૮૯૮માં આ કરાર પૂરા થાય તે પહેલાં, તે વખતના પાલીતાણાના દરખાર નાંઘણુજી તથા કુંવર શ્રી પ્રતાપસિંહજીએ, અમદાવાદના શેઠ શ્રી હીમાભાઈ વખતચંદ તથા શા. હઠીસિંગ કરમચંદ પાસેથી, એક ટકાના વ્યાજના દરથી, રૂ. ૩૩૩૩૫) વ્યાજે લીધા હતા; અને એના વ્યાજના એક વર્ષના ચાર હજાર રૂપિયા થાય તે, એમના પાલીતાણાના રખાપાના ગણીને, શેઠ શ્રી હીમાભાઈ વખતચંદ તણા શા હઠીસિંગ કરમચ’દને, એમનું દેવું પૂરુ ન થાય ત્યાં સુધી, દર વરસે, આપવાનું લખાણ શેઠ આણંદજી કલ્યાણજીને કરી આપ્યુ. હતુ.૩૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે ૨૦૭ આ લખત એમણે, વિ. સં. ૧૮૯૮માં બીજા દસ વર્ષને કરાર પૂરે થાય તે અગાઉ, વિ. સં. ૧૮૯૭ને ભાદરવા સુદિ બીજના રેજ, કરી આપ્યું હતું. આ ઉપરથી જોઈ શકાય છે કે વિ. સં. ૧૮૯૮ પછી પણ પાલીતાણા દરબારને, દર વર્ષે, રખેપાના ચાર હજાર રૂપિયા આપવાની સમજૂતી ચાલુ રહી હતી. આ મૂળ લખત પેઢીના દસ્તાવેજોમાં સુરક્ષિત છે. '"" આ સમજૂતી આઠ વર્ષ સુધી ચાલુ રહી હતી. અને એને ઉલેખ શ્રાવક સંઘ વિતી મહારાણી વિકટોરિયાને કરવામાં આવેલ એક અરજીમાં મળે છે. આ કરાર મુજબ શેઠ આણંદજી કલ્યાણજીએ, દર વર્ષે, પાલીતાણા દરબારને રૂ. ૪૦૦૦), રાજગોરને રૂ. ૨૫૦/ અને ભાટને રૂ. ૨૫૦/- મળી કુલ રૂ.૪૫૦૦ આપવાના થતા હતા. તેમાં દરબારને આપવાના ચાર હજાર પૂરતી જ આ ગઠવણ હતી, એટલે રાજગરને રૂ.૨૫૦ અને ભાટોને રૂ. ૨૫૦/ શેઠ આણંદજી કલ્યાણજીએ, દર વરસે, ચૂકવવાના બાકી રહેતા હતા. આ ગોઠવણ થઈ તે પહેલાં પણ આ બંનેને અઢીસે-અઢીસો રૂપિયા, દર વર્ષે, પેઢી સીધા જ ચૂકવતી હતી, અને એની પહોંચ દરબાર તરફથી મળતી હતી. - દસ હજારને ત્રીજો રખાપા-કરાર - પિલિટિકલ એજન્ટ મેજર કટિજે, તા. ૧૫-૪-૧૮૬૩ના રોજ, જે અહેવાલ તૈયાર કર્યો હતું, તેમાં મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનના, આ દસ્તાવેજ સાચો હોવા સંબંધી, અભિપ્રાયને પિતે પણ સ્વીકાર કરે છે એમ જણાવ્યું છે. પણ વધારામાં એમણે એવી પણ ભલામણ કરી હતી કે, સરકારે આ લખાણના શબ્દાર્થને વળગી રહેવાની જરૂર નથી.૨૪ પિલિટિકલ એજન્ટ મેજર આર. એચ. કીટિંજની આ ભલામણનો પડઘે એમણે પાલીતાણા રાજ્ય અને શ્રાવક કોમ વચ્ચેના રખેપાને લગતા (મુંડકાવેરાને લગતા) ઝઘડાના નિકાલ માટે, ફેંસલારૂપે, જે ન કરાર, તા. ૫-૧૨-૧૮૬૩ના રોજ, સૂચવ્યું હતું, તેમાં રખોપાની રકમના સારા પ્રમાણમાં કરવામાં આવેલ વધારારૂપે પડેલો જોવા મળે છે. સને ૧૮૨૧ના કરાર મુજબ રખોપા નિમિત્તે વાર્ષિક રૂ. ૪૫૦૦ આપવાના થતા હતા, તે વધારીને એમણે વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/ કરી આપવાનો ફેંસલે આપ્યું હતું, જેને અનુવાદ આ પ્રમાણે છે – - મેજર કીટીંજને ફેંસલો રૂા. ૧૦,૦૦૦ નો ઠરાવ શ્રાવકકેમ તરફ, શેઠ ડાહ્યાભાઈ અનેપચંદ. શા. ઠાકરશી પુંજાશા. પાલીતાણુના ઠાકોર સાહેબ દાવો–શેત્રુંજય પહાડની જાત્રાએ જનારા જાત્રાળુઓ પાસેથી લેવાતા જાત્રાવેરા સંબંધી થયેલા કરારની રૂએ જાશુકને ઠરાવ હોવા બાબત. Page #263 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ ફની પેઢીના ઇતિહામ સરકાર તરફથી, ન’૦ ૧૭૨૨ ના ચાથી જૂનના અને ન’૦ ૧૯૦૨ના તા. ૧૩-૬-૧૮૬૩ના પત્રામાં ફરમાવ્યા પ્રમાણે તકરાર કરનારા પક્ષકારા વચ્ચે, મારી શક્તિ પ્રમાણે, વ્યાજબી ગાઢવણુ કરવાની તજવીજ કરુ છું, ૨૦૮ (૧) તકરારી ખાખતના પાછàા ઇતિહાસ તપાસવાની જરૂર જણાતી નથી. કારણ, ગઈ સાલ એના ઉપર બે વખત રાટ થઈ ગયા છે: પહેલા રિપેાટ તા. ૧૫-૧-૧૮૬૩ ના રાજ મેજર ડબલ્યુ. ડબલ્યુ. વેટસન સાહેબે કર્યા હતા; અને બીજો રિપોર્ટ તા. ૨૫-૪-૧૮૬૩ને રાજ મે' કર્યાં હતા. આ અને રિપોર્ટો સામેલ રાખવામાં આવ્યા છે. (૨) મિ. એંડરસનના તા. ૧૩ મી જૂન, નં૦ ૧૯૦૨ ના પત્રમાં થયલી એ ભૂલા સુધારવી જોઈએ. આ ખને ભૂલ તરફ ધ્યાન ખેચવામાં આવ્યું છે અને એ બાબત પક્ષકારેાને પૂછીને તપાસ કરવામાં આવી છે— (અ) આણંદજી કલ્યાણજી કોઈ એક અમુક વ્યક્તિનુ. નામ નથી, પરંતુ મદિરાના ભંડારનેા વહીવટ કરવા સારુ શ્રાવક કામે નીમેલી એક સસ્થા યાને પેઢીનું નામ છે. (બ) સાતમા પેરેગ્રાફમાં પણ એક ભૂલ છે. પાલીતાણાના ઢાકારને દિલ્લી દરખાર તરફથી કાઈ સંદૅ મળેલી નથી. તેમ જ જાત્રાળુએ પાસેથી લેવાતા વેરા સંખ'ધીનુ' કોઈ સત્તાવાર ધેારણ પણ, કમનસીબે, મળી આવતું નથી. (૩) પાલીતાણાના ઠાકેાર પેાતાના પરગણામાં રાજકર્તા છે. અને, સામાન્ય સંજોગામાં તા, જાત્રાળુઓના વેરાના સંબધમાં તથા પોતાની રાજધાનીની પડેાશમાં આવેલા શેત્રુંજય પહાડ ઉપર જાત્રાળુઓને દાખલ કરવા સંબધના નિયમા પોતે ઘડી શકે. પરંતુ શ્રાવક કેમ, એ જુદાં જુદાં કારણાને લઈને, તેમના લાભમાં આપણી દરમ્યાનગીરી મેળવવાના દાવા કરે છે. એક તા, બાદશાહના ઝવેરી શ્રાવક કામના પ્રતિનિધિ શાંતિદાસને પાલીતાણા પરગણું તથા શેત્રુંજય પહાડ દિલ્લીની સલ્તનતે ઇનામ આપેલાં છે, તેની સનંદ ધરાવનાર તરીકે; અને ખીજું, પેાલિટિકલ એજટ સમક્ષ, સને ૧૮૨૧ માં, ઠાકોરે પટા કરી આપેલા છે તે કાયમી પટો છે એ કારણથી, (૪) ઇનામી સનંદ શાહજહાનના અમલના ત્રીસમા વરસની એટલે આશરે ઈ સ૦ ૧૬૫૭ ની છે. આ સમયે દિલ્લીના તખ્તને કાઠીઆવાડમાં કેટલી સત્તા હતી તેમ જ આવી અક્ષિસ અમલમાં મુકાવવાની પણ તેને કેટલી સત્તા હતી, તેનુ શેાધન કરવું ઘણું રસપ્રદ થઈ પડે. પરંતુ આ ખાખત ઉપર સત્તાવાર માહિતી મેળવવાની મારી બધી મહેનત નિષ્ફળ ગઈ છે. આમ છતાં હુ એટલી નેાંધ કરું છુ' કે, જે સમયે આ બક્ષિસ આપવામાં Page #264 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર રસ્ટ આવી છે, તે સમય મેગલ સામ્રાજ્યના ઈતિહાસમાં સાવ અંધેરને સમય હતો. એ વર્ષે જ શાહજહાનને તેના દીકરા ઔરંગજેબે ગાદીએથી ઉઠાડી મૂક્યો હતો. ' ' . (૫) વળી, સને ૧૬૫૭ થી સને ૧૮૦૮ ને ગાળો ઘણી ફેરફારીને હતે. સને ૧૮૦૮ માં કર્નલ વેકરે જ્યારે પહેલી વખત કાઠીઆવાડમાં બ્રીટીશ અમલની લાગવગ વધારી ત્યારે ગોહેલ વંશને રજપૂત પાલીતાણાને ઠાકર હતો અને હાલ જે મિલકત તેના કબજામાં છે, તે તે વખતે પણ હતી. તથા એ ઠાકોર ગાયકવાડ સરકારને ખંડણી આપતો હતું અને પહાડ પર આવેલા મંદિરોની જાત્રાએ આવનારા જાત્રાળુઓ પાસેથી પૈસા લેતો હતો. આ વખતે પાલીતાણાની મિલક્ત લગભગ નાશ થઈ ગયા જેવી હતી. ઠાકરથી પિતાને કારભાર ચલાવી શકાતો ન હતો. પોતાના દીકરા જોડે તેને દુશ્મનાવટ હતી. અને એ શ્રાવક કોમ પૈકીના એક શાહુકારને ત્યાં કરજમાં ડૂબી ગયેલ હતે. આ શ્રાવક કેમ ભારે સંપીલી તથા ખૂબ શ્રીમંત હોવાથી, હાલની માફક, તે વખતે પણ ભારે લાગવગવાળી હતી અને ગુજરાતના લગભગ દરેક રાજા એના દેવાદાર હતા. આપણા તરફથી આ કોમના લાભમાં વારંવાર દરમ્યાનગીરી થઈ છે. પણ એ દરમ્યાનગીરી વખતે, કઈ દિવસ, એવું નહોતું કહેવામાં આવ્યું કે પાલીતાણાના ઠાકોરના હક દબાવીને શાહજહાને આપેલી બક્ષિસ પાછી જીવતી કરાવવાનો પ્રયત્ન કરે. (૬) તા. ૨૦ મી ડિસેમ્બર સને ૧૮૨૦ ના રોજ પોલિટિકલ એજટ કપ્તાન બાનવેલે સરકારને જે કાગળ લખ્યું હતું, તેમાં એવી સૂચના કરેલી હતી કે આ વેરો છોડી દેવાથી પાલીતાણાના ઠાકોરને જે નુક્સાન થાય તેને બદલે આપવા સારુ ગાયકવાડ સરકારને ભલામણ કરવી કે, પોતે જે ખંડણી ઠાકર પાસેથી લે છે, તેમાં એટલી નુકસાન જતી રકમપૂરતી માફી આપવી. એઓ સાહેબે ત્રણથી ચાર હજાર રૂપિઆનો અંદાજ કાઢયો હતો. વડેદરા રાજ્ય સાથે આ બાબત સંદેશા ચલાવ્યા હતા. પરંતુ ગાયકવાડ સરકારની ખંડણીમાં ઘટાડો કરવાની નામરજી માલૂમ પડવાથી આ વાત પડતી મૂકવામાં આવી હતી. મને લાગે છે કે, આ સંજોગે ધ્યાનમાં લેતાં, દિલ્લીના તખ્તની જે સનંદને લઈને શ્રાવકે પાલીતાણાના ઠાકર જે વેર લે છે, તેમાંથી માફી માગે છે તે સનંદ ધ્યાનમાં લેવા ગ્ય નથી. (૭) સને ૧૮૨૧માં કેપ્ટન બાવેલ સમક્ષ થયેલા કરારને લઈને શ્રાવકે આપણી દરમ્યાનગીરી માગે છે, એ બીજે મુદી હવે લઈ એ. ૨૭ WWW.jainelibrary.org Page #265 -------------------------------------------------------------------------- ________________ શેઠ આઠ કની પધને ઇતિહાસ તે ઉપર જણાવેલા નં. ૧૯૦૨, તા. ૧૩-૬-૧૮૬૩ના સરકારના પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, સને ૧૮૨૧ વાળા કરારના અર્થ ઉપર આ સવાલના નિર્ણયનો આધાર રહેલો છે. આ કરારના બે તરજૂમા આ સાથે સામેલ રાખ્યા છે. એક તરજૂમે કાઠિયાવાડ પિલિટિકલ એજન્સીની કચેરીના ત્રણ અમલદારની કમીટીએ કરેલ છે. અને બીજો તરજમે શ્રાવકોએ રજૂ કર્યો છે, જેના ઉપર તરજુમાને ધંધો કરનાર મિ. ફલીનની સહી છે. આ બંને તરજૂમા વરચે કંઈ મહત્ત્વનો ફેરફાર દેખાતું નથી. જાત્રાળુઓ પાસેથી લેવાતા કર બાબતને આ કરાર ઠાકોરે શ્રાવક કોમને લખી આપેલો છે એવી એની ઇબારત છે. શરૂઆતમાં એમાં એવું સ્પષ્ટ લખવામાં આવેલું છે કે, આ કરાર દશ વરસની મુદત માટે છે. પણ આગળ ચાલતાં એ ખતમાં એવી કલમ દાખલ કરેલી છે કે જેનો રૂએ શ્રાવકેનું કહેવું એવું છે કે, એને અમલ કાયમને માટે થઈ શકે છે. કમીટીને તરજૂમો મિ. ફલીનનો તરજૂમો And after the expiry of the And after the expiration of period as long as you shall pay the time, as long as you shall pay the money in future, so long we the amount in future according will continue you in the enjoy to the agreement, we will act ment according to agreement. up according to the agreement. (૮) આખા દસ્તાવેજમાંથી આટલો ફકરે છૂટો પાડીને વાંચીએ તે એને અર્થ સ્પષ્ટ દેખાય છે. પરંતુ એ વખતના ખત-દસ્તાવેજોમાં વપરાતી શબ્દરચનાથી માહિતગાર કઈ પણ ઇસમને એમ લાગ્યા વિના રહેશે નહીં કે કાયમને અર્થ અને હેતુ જણાવનારી શબ્દરચના અહીં દાખલ થયેલી જણાતી નથી. બાકીના દસ્તાવેજની ઇબારતને ભેળી કરીને આ કલમ વાંચીએ ત્યારે એના મહત્વમાં ઘણે ઘટાડે થાય છે. તેમ જ જે અમલદારે આ ગોઠવણ પિતે વચ્ચે પડીને કરી આપી તેને હેતુ કાયમને માટેની ગોઠવણ કરવાનો હોય એમ અંગ્રેજી તુમાર ઉપરથી જણાતું નથી. આટલું છતાં સામાન્ય કાયદાની હકૂમતમાં આવેલા બે સરખી પાયરીવાળા ઈસમે વચ્ચે થયેલા કરારમાં આવી કલમ દાખલ થયેલી હેત તો, બેશક, હું એવો અર્થ કરતાં અચકાઉં નહીં કે એમાં લખ્યા મુજબ જ્યાં સુધી નિયમિત રીતે રકમ ભરાતી રહે, ત્યાં સુધી આ ખતનો અમલ થે જોઈએ. * અસલ ગુજરાતીમાં આ પ્રમાણે છે: “તથા અવધ પુરી થઆ પછી કરાર પ્રમાણે રૂ. આગળ સાલ આપણે ત્યાં સુધી ચાલુ પોલીસે કરાર પ્રમાણે.” Page #266 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરારે ૨૧૬ પણ અહીંયા મામલો જુદે જ છે. મે ઉપર જણાવ્યું તેમ, પાલીતાણાના ઠાકોર પિતાની ભૂમિમાં એક રાજકર્તા છે. આ કરારની શરતે સામે એના તરફથી માટે પિકાર થાય છે. તેમ જ એની મિલકત ઉપર શ્રાવકે તરફથી ગેરવ્યાજબી દબાણ થયેલું છે એમ જણાવે છે અને કહે છે કે, અંગ્રેજ સરકાર પ્રત્યે એમને માન છે. તેથી જ પોતાને વસૂલ કરવાનો આ વેર શ્રાવકને વસૂલ કરવા દે છે. આપણે યાદ રાખવું જોઈએ કે, પાલીતાણા ખાતે કેટલાક ખાસ હકોને અને માફીઓને આ શ્રાવક કેમ દાવો કરે છે, તે પૈકીને આ એક દાવે છે. (૯) કેપ્ટન બાવેલે સરકારને એ રિપોર્ટ કીધેલો છે કે તેમણે દશ વરસ માટેની ગોઠવણ કીધી હતી અને તે વખતની સરકારે એ ગોઠવણ દશ વરસની સમજીને એને મંજૂરી આપી હતી. દેશી રાજયો યાત્રાળુઓ ઉપર કર નાંખવાને દાવ અગાઉથી કરતાં આવ્યાં છે. આ યાત્રાળુ- મુસાફરનું રક્ષણ કરવાની જવાબદારી તેમની સંખ્યા પ્રમાણે વધે છે. અને જે એક વખત આ કર નાંખવાના હકને સ્વીકાર કરવામાં આવે, તે પછી એ કરનું પ્રમાણ યાત્રાળુની સંખ્યા પ્રમાણે વધવું જોઈએ એમ કબૂલ કરવું એ વ્યાજબીજ ગણાય. (૧૦) તા. ૨૬-૪-૧૮૬૩ ના મારા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, હું તે સરકારની દરમ્યાનગીરી મુલતવી રાખીને ઠાકરને આ બાબત ગોઠવણ કરી લેવા પરવાનગી આપત; અને જે ઠાકોર પિતાની સત્તાનો દુરુપયોગ કરતે માલુમ પડત અથવા તેનામાં મુકાયેલા વિશ્વાસને દુરુપયોગ કરત, તે તે વખતે વચ્ચે પડવાની શરત રાખત. પણ ત્યાર પછીના સરકારના હુકમો, જે મેં જણાવ્યા છે તે, એવું ફરમાવે છે કે પોલિટિકલ એજન્ટે વચ્ચે પડીને આ બાબતને નિવેડે લાવે, જેથી ઉપરના બંને પક્ષકારોને ઓગસ્ટ માસની શરૂઆતમાં મેં રાજકેટ મુકામે હાજર થવાનું કહેલું. (૧૧) રેજકામની ટૂંકી હકીકત આ સાથે સામેલ છે. પક્ષકારો મહેમાંહે સમજી જાય એવી દરેક કોશિશ કરી જોઈ, પણ તે નિષ્ફળ ગઈ (૧૨) તા. ૨૦-૧૨-૧૮૨૦ ના પત્રના ચોથા પેરાગ્રાફમાં કેપ્ટન બનવેલે જણાવેલું છે કે, સને ૧૭૮૮ ની અગાઉ ઠાકોર તરફથી વ્યાજબી દર લેવામાં આવતું હતું. પણ ત્યાર પછી એમાં ઘણું વધારે થયો હતો. આ દર કેટલો હતું તે શોધી કાઢવાની મેં તજવીજ કીધી છે. એવું નક્કી જણાયું છે મુખ્ય યાત્રાળુ વેરે “કર” તરીકે ઓળખાતો હતો. પણ મલાણું, નજરાણું અને વળાવાની નાની રકમે વહીવટી રકમ જણાય છે. સને ૧૭૫૦ (૧૬૫૦)ને કરાર માત્ર મલશું સબંધીને છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શેઠ આઠ ક0ની પેઢીને ઈતિહાસ સને ૧૭૮૮ ની અગાઉ કરને દર કેટલે હતો તે નકકી કરવા સારુ શ્રાવકોને કહેવામાં આવતાં, એમણે કહ્યું હતું કે એ સમયના ચોપડા એમની પાસે ન હતા. પાલીતાણાના ઠાકાર તરફથી હિસાબના ચેપડા રજૂ થયા હતા. (૧૩) આ ચેપડા નિયમિત રીતે રાખવામાં આવેલા નથી, એવું કહી શ્રાવકના પ્રતિનિધિએ ઠાકરના ચેપડા દાખલ થવા સામે વાંધો લીધું હતું. પણ દેશી ગૃહસ્થની એક કમીટીને આ બાબત તપાસ સારુ મોકલી આપી હતી. તેણે એવો અભિપ્રાય આ છે કે આ ચેપડા પુરાવામાં નહીં દાખલ કરવા જેટલાં કારણો નથી. - જે ચેપડા તપાસ્યા છે તે સંવત ૧૮૩૧ થી ૧૮૫૦ યાને ઈ. સ. ૧૭૭૪ થી ૧૭૩ સુધીનો છે. સંવત ૧૮૩૩ માં ૫૮૭ યાત્રાળુઓ પાસેથી લીધેલા કરને વધારેમાં વધારે સરકારી દર રૂ. ૪-૮-૯ દાખલ કરેલે જણાય છે. સંવત ૧૮૩૫ માં ૨૪૫૧ યાત્રાળુઓ પાસેથી લીધેલા કરનો ઓછામાં ઓછો સરાસરી દર રૂ. ૧-૧–૪ જણાય છે. જે ચોપડા તપાસ્યા છે, તેમાં કુલ્લે ૨૪,૪૫૪ યાત્રાળુઓ સંબંધી નોંધ કરેલી છે. અને બધાની સરાસરી કાઢતાં કરનો દર રૂ. ૨-૬-પ થાય છે. જેમાંથી આંકડા તારવી કાઢયા છે, તેનું વિગતવાર પત્રક આ સાથે સામેલ છે. સરેરાશ કેટલા યાત્રાળુ દર વરસે આવે છે તેને અંદાજ મળતો નથી. (૧૪) પક્ષકારો વચ્ચે ખાસ સંબંધ જોઈ ને તથા એક બાજુએ પાલીતાણાના ઠાકરને રાજદ્વારી દરજજો ધ્યાનમાં લઈને, તેમ જ બીજી બાજુએ એક મોટી અને લાગવગ ધરાવનારી કેમની ધાર્મિક લાગણી ધ્યાનમાં લઈને, હું નીચે મુજબને ફેંસલે કરું છું– (૧૫) જાત્રાળુ-રે શ્રાવક કેમ ઉઘરાવતી આવી છે તેમ ઉઘરાવવાનું ચાલુ રાખે, પણ ઠાકરને જે રકમ આપવાની છે તેમાં દર દસ વરશે ફેરફાર થાય. (૧૬) વરસની શરૂઆત જાનેવારીની પહેલી તારીખથી થાય. સને ૧૮૬૪ ના જાનેવારીની પહેલી તારીખથી શ્રાવકોમે આ “કર” અથવા જાત્રાળુવેરા બદલ, દર વરસે, રૂ. ૧૦,૦૦) (દશ હજાર) આપવા. આ રકમમાં મલણું, નજરાણા, વળાવા વગેરેને સમાવેશ થઈ જાય છે. પાકો વિચાર કરીને આ રકમ મેં ઠેરવી છે. શ્રાવક કેમની તિજોરીની સ્થિતિ જોતાં તથા જાત્રાળુઓની સંખ્યા ધ્યાનમાં લેતાં, દર વરસે, આટલી વધારે રકમ ઠેરવવી મને વ્યાજબી લાગે છે.. Page #268 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેાપાના કરાશે ૨૧૩ (૧૭) એ વરસની મુદત સુધી એટલે સને ૧૮૬૫ની ૩૧ મી ડિસેમ્બર સુધી આ ઠેરવેલી રકમ બંધનકર્તા ગણાશે; એમાં ફેરફાર થઈ શકશે નહી'. (૧૮) ઉપલી તારીખ પછી હરકેાઈ પક્ષકારને આમાં ફેરફાર કરવાની છૂટ છે. નીચે આપેલા નિયમ પ્રમાણે ગણતરી કરવામાં આવશે. અને તેનુ જે પરિણામ આવે તે દશ વરસ સુધી, અથવા પક્ષકારા વધુ મુદ્દત માટે ઠેરવે તેા ત્યાં સુધી, અમલમાં રહેશે. (૧૯) ગણતરીથી કરેલા દર, દશ વરસ સુધી અમલમાં નહિ આવ્યા હોય તે, ત્યાં સુધીમાં, શ્રી ગણતરી કરવાને માગણી કાઈ પણ પક્ષકારથી થઈ શકશે નહીં. અને જ્યાં સુધી શ્રાવકકામ અથવા પાલીતાણાના ઠાકોર રીતસર માગણી નહી કરે ત્યાં સુધી ફરીથી ગણતરી કરવામાં આવશે નહી. (૨૦) બંને પક્ષકારની અરસપરસની સમજૂતીથી કેાઈ પણ દર, દશ વરસ કરતાં વધુ મુદ્દત માટે, અમલમાં આવ્યે હાય તાપણુ, ફેંસલાની શરત પ્રમાણે, ભવિષ્યમાં ફ્રીથી ગણતરી કરવાની માગણીને ખાધ આવશે નહીં. (૨૧) દરમાં ફેરફાર કરવાની માગણી થાય ત્યારે ગણતરી કરવાનુ કામ કાઠીઆવાડના પોલિટિકલ એજ’ટ તરફથી નિમાયલા માણસે અથવા કાઠીઆવાડમાં મુખ્ય સિવિલ સત્તા ધરાવનાર સરકારી અમલદાર તરફથી નિમાયલા માણસે કરશે. (૨૨) જાત્રાએ આવનારા ઇસમેાની ખરેખરી કુલ સંખ્યા ઉપરથી દર નક્કી થઈ શકશે. પણ ગણતરી દરમ્યાન યાત્રાળુઓની સંખ્યા વધારવાની મતલખથી કે ઘટાડવાની મતલખથી કોઈ પક્ષ તરફથી અપ્રામાણિક ઉપાયા ચેાજવામાં આવે તા, તેની સામે સાવચેતી તરીકે, ગણતરીની મુદ્દત બે વર્ષ સુધીની રાખવાની છૂટ મુખ્ય અધિકારીને રહેશે અને એ મુદત દરમ્યાન મરજી પડે તે પ્રમાણે ચાલુ અથવા તૂટક તૂટક વખત ગણતરી કરાવી શકશે. (૨૩) ગણતરીની મુદ્દત દરમ્યાન આગલા દાયકામાં ઠરેલી રકમ કાયમ રહેશે, અને નવી ગણતરી પૂરી થયા પછીના નવા વરસ સુધી પણ કાયમ રહેશે. (૨૪) આ ગણતરીનેા ખર્ચે જે પક્ષકાર ગણતરી કરાવવાની માગણી કરશે તેને શિર રહેશે. (૨૫) “કર” યા યાત્રાળુવેરા તરીકે પ્રત્યેક યાત્રાળુ રૂ. એ આપે છે એમ માનીને ગણતરી કરી છેવટની રકમ નક્કી થશે. (૨૬) આ ગણતરી વખતે કરની માફી નીચે મુજબ આપવામાં આવશે—— (અ) શેઠ શાંતિદાસના વશજો. (બ) તમામ પૂજારીએ અને પહાડ ઉપરનાં મદિરા ખાતેના કાયમના પગારદાર નાકરો. Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ (ક) પાલીતાણુ ઠાકોર, તેના સગાંવહાલાં અને તેના પગારદાર કરે. (ડ) પાલીતાણું કબામાં એક વરસ સુધી ચાલુ વાસ કરીને રહેલા શસે અને જેઓ હંમેશા પહાડ ઉપર જવાની ઈચ્છા રાખતા હોય છે. આ લોકે દર વખત બબે રૂ. આપે તેને બદલે આખા વરસના રૂા. પાંચ આપે એમ ગણવું. (૨૭) પાલીતાણાના ઠાકોરની તેમ જ શ્રાવક કેમના પ્રતિનિધિઓની મારે માફી માગવી જોઈએ. કારણુ, આ ફેંસલાનો નિર્ણય કરતાં મને ત્રણ મહિનાની લાંબી ઢીલ થઈ છે. પણ હું કારણસર ધીમે રહ્યો છું. આ મામલાના સંબંધમાં જે જાતની કડવી લાગણું લાંબા વખત થયા ચાલી આવે છે, તેને અંત આણવા ખાતર વ્યાજબી અને મધ્યમસરની યોજના ઘડવામાં મારે ઘણી ચિંતા વેઠવી પડી છે. કાઠીઆવાડ પોલિટિકલ એજન્સી મુકામ વઢવાણ (સહી) આર. એચ. કીટીજ. તા. ૫-૧૨-૧૮૬૩. પિોલીટીકલ એજંટ. અહીં એ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે મેજર કીટિંજે પિતાના ફેંસલામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને નામને નહીં, પણ શેઠ ડાહ્યાભાઈ અને પચંદ તથા શા. ઠાકરશી પુંજાસાના નામનો ઉલ્લેખ કરે છે. પણ આને અર્થ, વાસ્તવિક રીતે, શેઠ આણંદજી કલ્યાણજી જ સમજવાને રહે છે. રબાપાની રકમ રૂ. ૬૫૦૦/- તથા રૂ. ૭૫૦/- ની રાખવાનું સૂચન કાઠિયાવાડના એકટિંગ પિલિટિકલ એજન્ટ, મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી મિ. એચ. એલ. એન્ડરસનને, તા. ૧૫-૧-૧૮૯૩ ના રોજ, મોકલેલ અહેવાલના ૧૭ મા પેરેગ્રાફ ઉપરથી એમ જાણવા મળે છે કે, મેજર બારે પાલીતાણું રાજ્ય અને શ્રાવક કેમ એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે સમાધાન કરાવવાને જે પ્રયાસ કર્યો હતો, તે ઉપરથી પાલીતાણું રાજયે રખેપાની વર્તમાન રકમ કરતાં ત્રણ ગણી રકમ એટલે કે રૂ. ૪૦૦૦ના બદલે રૂ. ૧૨૦૦થે લઈને કાયમી સમાધાન કરવાની તૈયારી બતાવી હતી, પણ શ્રાવકના કારભારીએ એ માન્ય રાખી ન હતી. અને મેજર બાર સૂચવે તે મુજબ વધારે રકમ આપવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરથી મેજર બારે શ્રાવકે અને પાલીતાણું દરબાર વચ્ચે એવી જાતનું સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતો કે, પર્વત ઉપરના અમુક ભાગમાંના ઘાસને ઉપયોગ કરવાની તેમ જ કપાવવાની અનુમતિ આપવામાં આવે તે વાર્ષિક રૂ. ૭૫૦૦/- અને જે આવી અનુમતિ શ્રાવક કેમને આપવામાં ન આવે Page #270 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેાષાના કરારો ૧૫ તા વાર્ષિક રૂ. ૬૫૦૦/- ૨ખાપાની રકમ તરીકે નક્કી કરવા. અને આ કરારને, દર દસ વર્ષે, નવેસરથી કરવા. આ માટે દરબાર તા સંમત થયા હતા, પણુ જૈનાએ એને સ્વીકાર કરવાની તૈયારી બતાવી નહી..૩૬ પરિણામે, આ સૂચન પ્રમાણે, કોઈ પાકા કરાર થયા નહીં', એટલે પછી એના અમલ થવાના તા પ્રશ્ન જ ઉપસ્થિત થતા ન હતા. તેથી છેવટે મેજર કીર્ટિજે આપેલ રખાપાની વાર્ષિČક રૂ. ૧૦,૦૦૦] ની રકમને ફૈસલા અસ્તિત્વમાં આવ્યા. આ ગાઠવણને બે પક્ષ વચ્ચે થયેલ કરારના બદલે ફેસલા કહેવાનું કારણ એ છે કે, એમાં પક્ષકારોની સતિરૂપે સહીએ લેવામાં આવી નહેાતી, પણ કીટ જ પેાતાની સહીથી એ આપેલ હતા. વસ્તુસ્થિતિ આવી હાવાથી, મેજર કીટિંજે આપેલ ફૈસલાની સામે અપીલ કરવાને અને પક્ષને અધિકાર, વગર કહ્યે જ, મળી જતા હતા. અને એમણે એના ઉપયાગ પશુ કર્યાં હતા. આ ફૈસલાની સામે, સૌથી પહેલાં, શેઠ આણુજી કલ્યાણજી તરફથી વિશેષ નોંધાવવામાં આવ્યેા હતા. આ વિરાધ, પેઢી તરફથી મુંબઈના ગવર્નર સર એચ. બી. ઈ. ક્રૂર (Sir H. B. E. Frere) સમક્ષ, એ અપીલરૂપે, કરવામાં આવ્યેા હતા. પહેલી અપીલ તા. ૧૨-૧-૧૮૨૪ના રાજ, એટલે કે આ ફૈસલા પછી સવા મહિના બાદ જ, કરવામાં આવી હતી. અને બીજી અપીલ, ત્રણેક મહિના પછી, તા. ૧૫-૪-૬૪ ના રાજ, કરવામાં આવી હતી. આ અપીલમાં મુખ્ય માગણી, સને ૧૮૨૧માં, તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મેજર ખાનવેલની દરમિયાનગીરીથી વાર્ષિક રૂ. ૪૫૦૦/-ના રખાપાને કરાર દરખારશ્રી અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયા હતા તેના જ ચાલુ રાખવાની ભારપૂર્વક માગણી કરવામાં આવી હતી.૩૭ અમલ મુંબઈ સરકારને શેઠ આણંદજી કલ્યાણજી તરફથી કરવામાં આવેલી ઉપર્યુક્ત બન્ને અપીલના ફૈસલે મુંબઈ સરકાર તરફથી શુ' આપવામાં આવ્યેા હતેા, તેની માહિતી પેઢીના દફતરમાંથી મળી શકતી નથી, પણ મુ`બઈ સરકારે કર્નેલ કીર્ટિજના ફૈસલાને, તા. ૯-૨-૧૮૬૬ ના રાજ, મજૂરી આપી તેથી એમ લાગે છે કે, મુંબઈ સરકારે પેઢીની આ અપીલમાંની માગણીને મંજૂર નહોતી રાખી. આને પરિણામે પેઢીને, કોઈક સચ્ચે (આની ચાક્કસ તારીખ જાણી શકાઈ નથી ), મહારાણી વિકટોરિયાને અપીલ કરવાની ફરજ પડી હતી. અને એમાં પણ સને ૧૮૨૧ના રખાપાના કરારના અમલ ચાલુ રાખવાની માગણીનું પુનરુચારણ કરવામાં આવ્યું હતું. આ અપીલના ફૈસલા કથારે અને કેવા આવ્યા, તે પણ સ્પષ્ટપણે જાણી શકાયું નથી, તેમ છતાં, સેક્રેટરી ઓફ સ્ટેટ ફાર ઇન્ડિયાના તા. ૨૪-૬-૧૮૬૭ ના પત્રના બીજા પેરેગ્રાફ ઉપરથી કંઈક એવા ભાવ ધ્વનિત થતા જાણી શકાય છે કે, એમણે કર્નલ કીર્ટિજના રૂ. ૧૦,૦૦૦૩ના ફેસલા માન્ય રાખ્યા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શેઠ આ કંની પેઢીના ઇતિહાસ હતા. વધારામાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફાર ઇન્ડિયાએ, પેાતાના આ પત્રમાં, આ ફેંસલાના અમલ શા માટે નથી કરવામાં આવ્યા એવા પ્રશ્ન પૂછવાની સાથે સાથે, પેાતાની મેળે જ, એનું સમાધાન એ મતલખનુ` કર્યુ· હતું કે, પાલિટિકલ એજન્ટે આવી અનિશ્ચિતતા એટલા માટે ચાલુ રાખવાનું ઉચિત માન્યુ હશે કે, જેથી ખંને પક્ષ વચ્ચે સંતાષકારક ગઠવણુ થઈ શકે, વધારામાં એમણે એમ પણ લખ્યુ હતું કે, જો આમ થઈ શકયુ હાત તા એની સામે વાંધા લેવા જેવું કઈ નથી. ૩૮ મેજર કીટિંજના આ ફેસલા સામે પેઢી તરફથી વાંધા ઉઠાવવામાં આવ્યા છતાં, એ ફૈસલામાં જણાવ્યા મુજબ, પહેલા વર્ષોંના રખેાપાના રૂપિયા ૧૦,૦૦૦] પેઢી તરફથી દરખારશ્રીને સમયસર આપવામાં આવ્યા હોય અને તે પછીનાં ૪ વર્ષના રાપાના રૂપિયા ૪૦,૦૦૦ પેઢી તરફથી રોકી રાખવામાં આવ્યા હોય એવી ઘટનાની કેટલીક વિગતાની નોંધ અહીં જ લેવા જેવી છે. મુ`બઈના શેઠ કેશવજી નાયક અને એમના પુત્ર શેઠ નરસી કેશવજીએ, સને ૧૮૬૨ ની સાલમાં, ગિરિરાજ ઉપર એક દેરાસર બંધાવવાની શરૂઆત કરી હતી. અને સને ૧૮૬૫ની સાલમાં, આ કાર્ય પૂરું થતાં, મેટા ઉત્સવ સાથે, પ્રતિમાની અ'જનશલાકા તથા મંદિરની પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી કર્યું હતુ... અને એ માટે મોટો સંઘ લઈને પાલીતાણા પહેાંચવાની ચાજના પણ એમણે કરી હતી. આ મહાત્સવ દરમિયાન યાત્રાળુને પૂરેપૂરું રક્ષણ મળી રહે, એમની કેાઈ પણ જાતની કનડગત ન થાય અને તેઓ જે કઈ ચીજવસ્તુએ પેાતાની સાથે લાવે તેના ઉપર જકાત લેવામાં ન આવે, આ બધી ખાખતાને ધ્યાનમાં લઈને શેઠશ્રી કેશવજી નાયકે, પાલીતાણાના દરખારશ્રીને, એ માટે રૂ. ૧૬,૧૨૫૩ ઉચ્ચક આપવાનું નક્કી કરીને એ રકમ આપી પણ દીધી હતી. પેઢીને આ વાતની જાણ થતાં, એમ લાગે છે કે, પેઢીએ એની સામે એ મતલબની રજૂઆત કરી હતી કે, મેજર કીટજે આપેલ ફેસલાને મંજૂરી આપતા જે પત્ર મુંબઈ સરકારની વતી, તેના સેક્રેટરી સી. ગેાને, તા. ૬-૨-૧૮૬૬ ના રોજ કાઠિયાવાડના પેોલિટિકલ એજન્ટ પર લખ્યા હતા, તે પત્રમાંની નીચે મુજબ જોગવાઈના ભંગ થાય છે— “ વળી, મને વિશેષમાં જણાવવાનું ફરમાન થયુ` છે કે, આપના ફેંસલાની રકમમાં ઠાકારની શ્રાવકાની પાસેની બધી માગણીઓને સમાવેશ થઈ જાય છે, જેથી કેાઈ પણુ અહાને ઠાકૉર શ્રાવકા પાસેથી કેાઈ પણ રકમ વસૂલ કરે તે તે બધી શ્રાવકાને વળતર મળવી જોઈએ તથા જે રકમ આપવાની કરી છે, તેના અવેજમાં શ્રાવક કામને તેમના જાન-માલની સલામતી માટે ચગ્ય પાલીસ રક્ષણ મળવુ જોઇએ.”૪૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પાલીતાણા રાજ્ય સાથે થથેલા રપાન રેરા આ જોગવાઈનો ભંગ થાય તે કીટિંજના ચુકાદાથી પોતાને મળેલા અધિકારનો ભંગ થાય, એમ સમજીને પેઢી તરફથી, રખેપાની રકમની પહેલા વર્ષની ચુકવણી તા. ૧-૧-૧૮૬૪ ના રોજ કર્યા પછી, બીજા વર્ષથી એટલે તા. ૧-૧-૧૮૬પ થી રખેપાની રકમની ચુકવણી બંધ કરી દેવામાં આવી હતી અને એ રીતે દરબારશ્રીને ચાર વર્ષની ચુકવણીના રૂ. ૪૦,૦૦૦) પેઢી પાસેથી લેવાના ચડી ગયા હતા. આ રકમની ચુકવણી અટકાવવાની પાછળ પેઢીની મુખ્ય માગણી એ હતી કે, શેઠશ્રી કેશવજી નાયક, પ્રતિષ્ઠા મહોત્સવ વખતે, આપેલ રૂ. ૧૬,૧૨૫ ની રકમ (તથા બીજી પણ કેટલીક નાની નાની રકમ) રખોપાની રકમમાંથી પેઢીને મજરે મળવી જોઈએ. આ રીતે દરબારશ્રીનું પિઢી પાસે રૂ. ૪૦,૦૦થ નું લેણું ચડી જવાથી એમણે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ સમક્ષ, સને ૧૮૬૮-૬૯ દરમિયાન કેઈક વખતે, દા દાખલ કરીને આ રકમ પિતાને અપાવવાની માગણી કરી હતી. આ દાવાને ફેંસલે આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલે, તા. ૨૫-૯-૧૮ ૬૯ ના રોજ, દરબારની તરફેણમાં આપીને પેઢીને રૂ. ૪૦,૦૦૦) દરબારશ્રીને ચૂકવી આપવાને આદેશ કર્યો હતે.* કેપ્ટન રસેલના આ ફેંસલા સામે પેઢીએ કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટ સમક્ષ અપીલ કરી હતી. પણ એમણે પણ તા. ૧૦-૩-૧૮૭૦ ના રોજ, ફેંસલે આપીને કેપ્ટન રસેલના ફેંસલાને જ માન્ય રાખ્યું હતું. આ પછી પેઢીએ આ માટે મુંબઈ સરકારને અપીલ કરી હતી. પણ મુંબઈ સરકારે પણ, તા. ૧૪-૭-૧૮૭૨ ના રેજ, કેપ્ટન રસેલના ચુકાદાને જ બહાલ રાખ્યો હતે. ૪૩ . આ મુદ્દાને લઈને આટલી હદે પ્રયત્ન કરવાની પાછળ પેઢીને એક જ આશય હતો કે, આ હકકો સમગ્ર જૈન સંઘના હકકો હતા, અને એની જાળવણી માટે, કાયદાની મર્યાદામાં રહીને, જે કંઈ પ્રયત્ન થઈ શકે એમ હોય, તેમાં લેશ પણ કચાશ રહેવા ન પામે તે જોવું જોઈએ—ભલે પછી એનું પરિણામ ગમે તે આવે. મેજર કીટીએ આપેલ રપા અંગેના ફેંસલાનો અમલ કેટલાં વર્ષ સુધી ચાલુ રહ્યો એને ઉલ્લેખ એક દસ્તાવેજમાંથી આ પ્રમાણે મળે છે? શેત્રુજા ડુંગર પર જે શ્રાવક જાત્રાલું જાય છે, તેમની પાસેથી જે કર લેવામાં આવે છે, તેની બદલીમાં, મહેરબાન કીટીંગ સાહેબના ઠરાવ મુજબ, દર વરસે રૂ. ૧૦,૦૦૦) અંકે એક દશ હજારની ઉધડ રકમ શ્રાવકે તરફથી સને ૧૮૮૧ સુધી ઠાકોર સાહેબને આપવામાં આવી.” ૨૮ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ આ લખાણ કાઠિયાવાડના આસિસ્ટન્ટ પિલિટિકલ એજન્ટ મિ. જે. એમ. હન્ટરે, તા. ૨૪-૮-૧૮૮૩ના રેજ આપેલ એક ફેંસલામાંનું છે. આ ફેંસલે યાત્રાવેરા (મુંડકાવેરા)ની માફી માટે શાંતિદાસ શેઠના વંશજો કેને ગણવા તે બાબતમાં પાલીતાણું દરબારે શ્રાવકેની વિરુદ્ધ ઉઠાવેલ વાંધા સંબંધમાં આપવામાં આવ્યું હતું. ૪૪ * * આ ફેંસલામાંના નીચેના શબ્દોમાંથી જ એ અર્થ નીકળે છે કે, કર્નલ કટિંજના ફેંસલામાંની એક કલમ, જેમાં દસ વર્ષને અંતે યાત્રાળુઓની ગણતરી કરીને યાત્રિક દઢ રૂ. ૨/- (અને પાલીતાણાના જૈન વતની પાસેથી વાર્ષિક રૂ. ૫/-) લેવાની જોગવાઈ કરવામાં આવી હતી, તેને લાભ લઈને પાલીતાણાના દરબારશ્રીએ, સને ૧૮૮૦ થી, વ્યક્તિદીઠ. કર લેવાની હિલચાલ શરૂ કરી હતી. મજકૂર લખાણ આ પ્રમાણે છે : આ ગણતરીના વખતમાં, સને ૧૮૮૦ની સાલમાં, એક હરીલાલ બાલાભાઈ નામને શ્રાવક જાત્રાળુ ડુંગરે આવેલ. તેણે શાંતિદાસના કુટુંબનો છું એમ કહી લીલી ટીકટ માગી, પણ પાલીતાણાના ઠાકોર સાહેબ તરફથી એ બાબત વધ લેવામાં આવ્યું હતું.”૪૫ ઉપર સને ૧૮૮૧ સુધી રોપાની રકમ દરબારશ્રીને આપવામાં આવી હોવાનું અને તે પછીના લખાણમાં સને ૧૮૮૦ ની સાલમાં યાત્રિકોની ગણતરી થતી હોવાનું લખ્યું છે, એને અર્થ એ છે કે, પાલીતાણા દરબારશ્રીને વિચાર સને ૧૮૮૦ થી રખોપાના કર તરીકે, વાર્ષિક રૂ.૧૦,૦૦૦ લેવાને બદલે, વ્યક્તિગત મુંડકાવેરે ઉઘરાવવાને થયું હતું અને એને કારણે આ ગણતરી શરૂ થઈ હતી. અને એ ગણતરીનું કામ પૂરું કરીને છેવટને આંક સને ૧૮૮૧ પહેલાં નક્કી નહોતો થઈ શક્યો, તેથી તેમણે ૧૮૮૧ ની સાલની રખેપાની રકમ પણ સ્વીકારી હતી એમ નીચેની માહિતી ઉપરથી લાગે છે? ૧૮૭૯ માં દરબારે કર્નલ કીટીજે રૂ. દસ હજારની રકમ નક્કી કરી હતી, તેમાં ફેરફાર કરવા માગણી કરી અને તેના ઠરાવ મુજબ ગણતરી માગી. દરબારની અરજ ઉપરથી, તે ગણતરી કેટલાક વખત સુધી ચાલ્યા બાદ “જાત્રાળુઓની સંખ્યા દબાવવામાં આવે છે” એવું દરબાર તરફથી કહેવામાં આવ્યાથી તે ગણતરીને વધારે વખત સુધી જારી રાખવા હુકમ થયે. ૧૮૮૧ માં એજન્સીએ રોપું જાત્રાળુ પાસેથી સીધું લેવાની રીત શરૂ કરી તેના પરિણામે જાત્રાળુને બહુ ત્રાસ થયો અને તેથી દરબાર અને જેનો વચ્ચે તકરાર થઈ૪૨ આ રીતે દરબારશ્રીએ, રખેપાની ઊચક રકમને બદલે, મુંડકાવેરે લેવાની મેજર કીટીંજના ફેંસલામાંની કલમને અમલ કરવાનું પગલું ભર્યું તેથી, સ્વાભાવિક રીતે જ, Page #274 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા પાના કરાશે ર૧૮ જૈન સંઘની કનડગત વધી ગઈ અને એની સામે રોષની લાગણી પણ જન્મવા પામી. આ ગણતરી દરમ્યાન યાત્રિકના બે વિભાગ પાડવામાં આવ્યા હતા ? (૧) ચાલુ જાત્રાળુઓ, જેમાં પાલીતાણાના જૈનોને પણ સમાવેશ થતો હતો. અને (૨) શેઠ શાંતિદાસના વંશજો. - આ બે વિભાગો જુદા તારવી શકાય એટલા માટે ચાલુ યાત્રિકોને સફેદ પાસ અને શેઠ શાંતિદાસના વંશજોને લીલો પાસ આપવાની ગોઠવણ દરબારશ્રી તરફથી કરવામાં આવી હતી. આ બાબત કેવી વિવાદાસ્પદ બની હતી અને મમતે ચડી ગઈ હતી, તે એક જ દાખલાથી પણ જાણી શકાય છે. શેઠશ્રી પ્રેમાભાઈ હીમાભાઈ તે વખતના જૈન સંઘના અગ્રણી હતા, અમદાવાદના નગરશેઠ હતા અને, આ અરસામાં ઘડાયેલ પેઢીના બંધારણ મુજબ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના, શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના વંશજ તરીકે, પ્રમુખ પણ બન્યા હતા. ઉપરાંત શેઠશ્રી શાંતિદાસના વારસ તરીકે એમને રાજા અને પ્રજામાં ઘણી મોભે હતે. આ બધું જગજાહેર હોવા છતાં, યાત્રિકોની ગણતરી દરમિયાન, પાલીતાણું રાજ્ય તરફથી એમને શરૂઆતમાં શેઠશ્રી શાંતિદાસના વંશજ તરીકે લીલી ટિકિટ આપવામાં આવ્યા પછી, તેઓ એમના વંશજ છે કે કેમ એ બાબતમાં શંકા ઉઠાવીને એમને સફેદ ટિકિટ આપવામાં આવી હતી. આ વિચિત્ર બનાવ અંગ્રેજી હકૂમતની પાસે રજૂ ન થાય એ બનવા જોગ ન હતું. પરિણામે બ્રિટિશ સરકારને પાલીતાણા દરબારને એ જણાવવાની ફરજ પડી હતી કે, તેઓ નગરશેઠ શાંતિદાસના કાયદેસરના વંશજ છે. - આ રીતે દરબારશ્રીએ, રખેપાની ઊચક રકમ લેવાનું બંધ કરીને, મુંડકાવેરે લેવાનું શરૂ કર્યું, એના લીધે યાત્રિકોની કનડગત અને અશાંતિ ખૂબ વધી જવા પામ્યાં હશે એમાં કોઈ શક નથી. એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને જૈન સંઘના અગ્રણીઓ સતત એ વાતની ચિંતા સેવતા રહેતા હતા તેમ જ એ માટે પૂરેપૂરે પ્રયત્ન પણ કરતા રહેતા હતા કે, જેથી આ તીર્થની યાત્રાએ ઘણું મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને હમેશાં વેઠવી પડતી આ મુસીબતને, માનભરી અને યોગ્ય રીતે, જલદી અંત આવે. અને આમ ત્યારે જ બની શકે કે, જ્યારે આ સવાલને વહેલામાં વહેલે ઉકેલ લાવવામાં આવે. પણ મળતી માહિતી ઉપરથી લાગે છે કે, આ ઉકેલ શોધતાં શોધતાં પાંચેક વર્ષ જેટલો લાંબો સમય તે વીતી જ ગયે હતો ! જ્યારે દરબારશ્રી રખપાની ઊચક રકમ લેવાને બદલે મુંડકાવેરે લેવાનું પગલું અમલમાં મૂકે, ત્યારે એમાંથી કોને માફી આપવી એ સંબંધી મેજર કીટિંજે પિતાના ફેંસલાની છવીસમી કલમમાં વિગતે સ્પષ્ટતા કરી હતી. એ કલમની પેટા કલમ (અ) મુજબ શેઠ શાંતિદાસના વંશજોને માફી આપવામાં આવી હતી. Page #275 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ હવે જ્યારે મુડકાવેરા લેવાના પાલીતાણા રાજ્યે નિર્ણય કર્યો ત્યારે, શેઠ શાંતિદાસના વંશજો કોને કોને ગણવા એ સંબધી પ્રશ્ન ઊભા થાય એ સ્વાભાવિક હતુ.. આના નિકાલ માટે કાઠિયાવાડના પાલિટિકલ એજન્ટ મિ. એલ. સી. બાનની, તા. ૨૩-૩-૧૮૮૨ની, સૂચના મુજબ, કાઠિયાવાડના એક્ટિંગ ફર્સ્ટ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ તરફથી કાઠિયાવાડ પોલિટિકલ એજન્સી ગેઝેટ’ ના તા. ૬-૪-૧૮૮૨ ના અંકમાં નીચે મુજબ જાહેરાત પ્રગટ કરવામાં આવી હતી— 6 २२० “ આ જાહેરખખર ઉપરથી સર્વેને ખબર આપવામાં આવે છે કે, શેત્રુજા ડુંગ૨ ઉપ૨ જનારા શ્રાવક જાત્રાલુ પાસેથી સ્વસ્થાન પાલીતાણા તરફથી જે કર લેવામાં આવે છે, તે કર શેઠ શાંતિદાસના વશો પાસેથી નહીં લેવા સરકારના ઠરાવ છે, માટે જેએ મજકુર શેઠ શાંતીદાસના વંશજો થવાના દાવા રાખતા હોય તેમણે આજથી ત્રણ માસની અંદર વ‘શાવળીની ખરી નસ્લ સાથે અમારી હજીરમાં પેાતાની હકીકત લખીતવાર જાહેર કરવી. મુદત વીતે કાઈ ના દાવા સાંભલવામાં આવશે નહીં, “તારીખ ૨૭ મી માહે મા સને ૧૮૮૨, મુ. કુડા. એચ. એલ. નટ, મેજર, આકટી'ગ ફર્સ્ટ આશીસ્ટંટ પોલીટીકલ એજન્ટ પ્રાંત ગાહેલવાડ, ’’ આ જાહેરનામુ મેજર કીટી'જે આપેલ ફૈસલામાંની જોગવાઈ મુજબ જ આપવામાં આવ્યુ હતુ’; ઉપરાંત એને, સને ૧૮૨૧ માં, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. આર. માનવેલની દરમિયાનગીરીથી કરવામાં આવેલ રખેાપાના કરારમાંના ‘ ખીજું શેઠ શાંતીદાસનુ’ વ'શવાલાની બે તરફથી ાત્રાની માફી સદામત થાએ છે તે તમારે પણ કરવી,' એ શબ્દેદ્મનુ પણુ પીઠખળ હતું. સને ૧૮૨૧ ના કરારમાં તથા સને ૧૮૬૩ ના ફૈસલામાં શેઠ શાંતિદાસના વ‘શજોને મુંડકાવેરામાંથી માફી આપવાની કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે પેાલિટિકલ એજન્ટને અરજી કરીને આ માફી કોને લાગુ પડે એના નિર્ણય કરાવી લેવામાં આબ્યા હતા. પણ શત્રુંજયની યાત્રાએ જનારા યાત્રિકોની વિશાળ સખ્યાની સરખામણીમાં તે, શેઠ શાંતીદાસના વારસ તરીકે કરમુક્તિના હક્ક મેળવનાર વ્યક્તિઓની સંખ્યા ઘણી જ નાની હતી, એટલે યાત્રાવેરા કે મુડકાવેરાને લીધે યાત્રિકોને વેઠવી પડતી કનડગત તા ચાલુ જ હતી. અને એ કનડગત વહેલાંમાં વહેલી તકે કેવી રીતે દૂર થાય એની ચિંતા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તે વખતના પ્રમુખ નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ વગેરે અગ્રણીઓને સતત સતાવ્યા જ કરતી હતી, અને એ માટે એમણે પાતાના પ્રયત્ન, યાત્રા Page #276 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાશે ર૧. વેરામાંથી મુક્તિ મેળવનાર શેઠશ્રી શાંતિદાસના વંશજોની યાદી તૈયાર કરવાની હિલચાલ શરૂ થઈ તે પહેલાંથી જ, હાથ ધર્યો હતો. આ માટે તા. ૫-૯-૧૮૮૧ ના રોજ પેઢીના પ્રમુખશ્રી તથા અન્ય વહીવટદાર પ્રતિનિધિઓની સહીથી, મુંબઈને તે વખતના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસનને એક વિસ્તૃત અરજી કરવામાં આવી હતી. એ અરજીમાં મુંડકાવેરે સને ૧૮૮૧ ની સાલથી ઉઘરાવવાનું પાલીતાણું રાજ્ય શરૂ કર્યું હોવા છતાં એના એ માટેના નિયમોની જાણ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને, છેક સાત-આઠ મહિના બાદ, તા. ૧૮-૮-૧૮૮૧ ના રોજ જ, કરવામાં આવી હતી, એવી ફરિયાદ કરીને પેઢીએ, છેવટે મૂંડકવેરાની પ્રથાથી વેઠવી પડતી હાલાંકીમાંથી યાત્રિકોને ઉગારી લેવા માટે નીચે મુજબ ચારમાંથી ગમે તે એક માગણીને અમલ કરવાની વિનંતી કરી હતી (૧) દરબારને મુકાવેરે લેતાં અટકાવવા. (૨) ગિરિરાજ ઉપર પહોંચવા માટે પાલીતાણા રાજ્યની સરહદમાંથી પસાર ન થત હોય અને બ્રિટિશ હકૂમતમાંથી પસાર થતો હોય એ, ને રસ્તે તૈયાર કરે. (૩) શ્રાવક યાત્રાળુઓને કારણે પાલીતાણાના ઠાકોર સાહેબને વધારાનું જે કંઈ પિલીસખર્ચ થાય તે શ્રાવકો તરફથી આપવામાં આવે એવી જોગવાઈ કરવી અથવા તે પોલીસ અંગેના ખર્ચને ધ્યાનમાં લઈને અંગ્રેજ સરકાર જે રકમ નક્કી કરે તે શ્રાવક કેમ તરફથી પાલીતાણ દરબારને આપવામાં આવે અને આ રકમમાં ફેરફાર કરવામાં ન આવે એવી જોગવાઈ કરવામાં આવે. (૪) અથવા કેપ્ટન બાવેલે જે કરાર કરાવી આપ્યા હતા, એને વળગી રહેવું. શ્રાવક કેમે એ કરારને ક્યારેય ભંગ કર્યો નથી.૪૮ આ ઉપરાંત આ અરજીના ૮મા ફકરામાં નીચે મુજબ બે બાબતેને અંતિમ નિર્ણય કરવાની પણ માગણી કરવામાં આવી હતી (૧) પાલીતાણાની યાત્રાએ જતા શ્રાવક યાત્રિકો પાસેથી પાલીતાણા દરબારને કર ઉઘરાવવાની વધુ વખત માટે છૂટ આપવી કે કેમ તે નક્કી કરવું. અને (૨) જે એવી છૂટ આપવામાં આવે તે એની પદ્ધતિ અને મર્યાદા નક્કી કરવી.૪૯ આ અરજીમાં મુંડકાવેરાની ઉઘરાણને કારણે યાત્રિકોને વેઠવી પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવાની સાથે સાથે યાત્રિકોની ગણતરી દરમિયાન શ્રાવક કેમ તરફથી ઘાલમેલ થતી હેવાના દરબારશ્રીના આક્ષેપની પણ રજૂઆત કરીને તેને રદિયો આપવાને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ પ્રયત્ન કરવામાં આવ્યા હતા.૫૦ એકંદર આ અરજીને સૂર અથવા ઉદ્દેશ મુ’કાવેરાની પ્રથાને અધ કરાવીને, એના સ્થાને રખાપાની વાર્ષિક ઊચક રકમ નક્કી કરાવવાના જ હતા. આમ છતાં એ વાત મુખઈ સરકારે તાત્કાલિક ધ્યાનમાં લીધી હાય એવું જાણવાનુ કોઈ સાધન ઉપલબ્ધ થયું નથી. ઉપરાંત મુખઈ સરકારે આ અરજીના જવાબ પેઢીને શુ આપ્યા તેની માહિતી પણ પેઢીના દફતરમાંથી મળી શકતી નથી. એમ લાગે છે કે, નગરશેઠશ્રી પ્રેમાભાઈ હીમાભાઈ તથા અન્ય વહીવટદાર ટ્રસ્ટીઓની અવિરત ચિંતા અને મહેનત છતાં, આ મુંડકાવેરા ચાર વર્ષ સુધી તેા ચાલુ રહ્યો જ હતા અને એના લીધે યાત્રિકાને પુષ્કળ હાલાંકી વેઠવી પડી હતી. આ હાલાંકી કેટલી ઉગ્ર હશે અને એને દૂર કરવાની પેઢોના માવડીએની મથામણુ કેટલી વ્યાપક હશે, તે એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, મુબઈના ગવર્નરને તા. ૫-૯-૧૮૮૧ ના રાજ કરવામાં આવેલ અરજીમાં, પાલીતાણા રાજ્યની હકૂમતમાંથી પસાર થવાને બદલે. અંગ્રેજ સરકારની હકૂમતમાંથી પસાર થતા હોય એવા કોઈક માગેથી જ ગિરિરાજ શત્રુંજય ઉપર પહેાંચી શકાય એવા નવા માર્ગ તૈયાર કરવાની માગણી પણ કરવામાં આવી હતી. ' વાર્ષિક રૂા. પંદર હજારના ચાર્થો રખેાપા-કરાર આ પછી આ મુડકાવેરાનું નિવારણ કરીને રાપાની ચાક્કસ રકમ આપવાનું નો કરવા અંગે, પેઢી તરફથી અથવા જૈન સંઘ તરફથી, બીજા કેવા કેવા પ્રયત્ના કરવામાં આવ્યા હતા, તેની માહિતી મળી શકતી નથી. છતાં એટલુ ચાક્કસ લાગે છે કે, જેમ એક બાજુ પાલીતાણા રાજ્ય બહારના યાત્રિકા પાસેથી, યાત્રિક દીઠ રૂ. ૨/મુજખ અને પાલીતાણાના જૈન વતની પાસેથી વાર્ષિક રૂ. ૫/- મુજબ, મુ’ડકાવેરા ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતુ, તેમ ીજી બાજુ આ મુંડકાવેરાને વહેલામાં વહેલા અંત આવે અને કેપ્ટન ખાન વેલ તથા કેપ્ટન કીટીજની દરિમયાનગીરીથી થયેલ રખાપાના કરાર મુજબ, ફરી પાછી રખેાપાની અમુક ૐ બાંધી રકમ પાલીતાણા રાજ્યને આપવાના નવા કરાર અસ્તિત્વમાં આવે, એ માટે પેઢીના માવડીએના પ્રયાસે અવિરતપણે ચાલુ જ હતા. આ પ્રયાસા નિષ્ફળ ગયા હતા, એમ તેા ન કહેવાય, પણ એને સફળ થતાં થતાં ચારેક વર્ષ જેટલા લાંબે સમય લાગી ગયા હતા, એ હકીકત, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ્સ જે, ડબલ્યુ. વોટસનની દરમિયાનગીરીથી, તા. ૮-૩-૧૮૮૬ ના રોજ વાર્ષિક ની ઊચક રકમના, ચાલીસ વર્ષની મુદ્દતના, રખેાપાના ચેાથેા કરાર પાલીતાણા દરબાર ગોહેલશ્રી માનસિહજી અને જૈન કામ વચ્ચે થયા એ ઉપરથી જાણી શકાય છે. આ કરાર નીચે મુજખ છે~~ Page #278 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરાર ૧૮૮૬ના કરાર ૧૮૮૬ ના આ કરારથી વાર્ષિક રકમ ૧૫૦૦૦ ની ઠરાવવામાં આવી અને એવું કબૂલ કરવામાં આવ્યુ કે કોઈ પણ જાતની વધારે રકમ નહિ લેવામાં આવે. તે કરાર નીચે મુજખ છે— ૧. રૂા. ૧૫,૦૦૦ ( પદર હજાર) ની નક્કી કરેલી રકમ દર વરસે પાલીતાણાના ઠાકોર સાહેબ લેવાને કબૂલ કરે છે, અને જૈન કામ આપવાને કબૂલ કરે છે. પાલીતાણાના ઠાકારને દર વરસે ભરવાની આ રકમના અવેજમાં પાલીતાણા દરબાર કબૂલ કરે છે કે જાત્રાળુના કર તરીકે જૈન કામ પાસેથી બીજી કેાઈ પણ વધારાની રકમ તે માગશે નહીં. દર વરસના એપ્રીલની પહેલી તારિખે આ રૂા. ૧૫,૦૦૦] (પ'દર હજાર) ની રકમ ભરવાની છે. એમાં પાલીસ રક્ષણુ, મલણુ વગેરેનો સમાવેશ થઈ જાય છે.. ૨. સને ૧૮૮૬ ના એપ્રીલની પહેલી તારીખથી ૪૦ (ચાલીસ) વરસની મુદત સુધી આ ગેાઠવણુ ચાલુ રહેશે એમ ઠાકાર સાહેબ કબૂલ કરે છે અને જૈન કામ સમતિ આપે છે. २२३ ૩. ચાલીસ વરસની મુદ્દત પૂરી થયે, આ કરારના પહેલા પેરાગ્રાફમાં ઠેરવેલી વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવાને બંને પક્ષકાર પૈકી હરકાઈ પક્ષકારને છૂટ રહેશે. અને તકરાર કરનારા પક્ષકારોની પાતપાતાની ગાઠવણાની તપાસ કરીને આ રકમમાં ફેરફાર મંજૂર કરવા કે નહીં કરવા તેની સત્તા અંગ્રેજ સરકારના હાથમાં રાખવામાં આવી છે. આ ઉપરના મચકૂર પાલીતાણાના ઠાકાર સાહેબને તેમ જ શ્રાવકોના અગ્રેસરોને મે જાતે સમજાવ્યે છે અને આ કરારને મજૂર રાખ્યાની નિશાનીમાં અંને પક્ષકારોએ આની નીચે પોતાની સહીએ કરી છે. અગ્રેસર શ્રાવકાની સહી (સહી) પ્રેમાભાઈ હીમાભાઈ સહી. (,, ) જેએસી ધભાઈ હઠીસીંગ, (,,) ઉમાભાઈ હઠીસીગ. (,,) Mansookhbhai Bhagoobhai (,, ) પરશાતમદાસ પુજાશા. (,,) ખદ્રીદાસ (બંગાલી ભાષામાં.) (,,) Balabhai Mancharam (,,) Talakchand Manekchand (,,) Dalpatbhai Bhagoobhai (,,) ચુનીલાલ કેસરીસી'ધ. Jain, Education International દરબારની સહી (સહી) ગાહેલ શ્રી માનસ'ઘજી ઠાકાર સાહેબે મારી રૂબરૂ સહી કરી છે. (સહી) જોન ડબલ્યુ. વેટસન, પેા. એજટ, કાઠીઆવાડ. પાલીતાણા, તા. ૮મી માર્ચ ૧૮૮૬. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ પ્રેમાભાઇ હેમાભાઈ, ઉમાભાઈ હઠીસીંઘ અને ચુનીલાલ કેસરી સીધે અમદાવાદના ડેપ્યુટી કલેકટર રૂબરૂ સહી કરી છે અને બાકીનાએ મારી રૂબરૂ સહી કરી છે. (સહી) જેન વોટસન, પિ. એ. કાઠીઆવાડ ગવર્નમેંટ રેઝોલ્યુશન નંબર ૨૦૧૬ તા. ૮ મી એપ્રીલ સને ૧૮૮૬, પિલીકા ડીપાર્ટમેન્ટથી મુંબઈને નામદાર ગવર્નર ઈન કાઉન્સીલે આ કરારને મંજૂરી આપી છે. ૧૧ સહી) જેન. ડબલ્યુ. વેટસન, આ મુકામ ગોપનાથ, તા. ૧૩-૪-૧૮૮૬. પોલીટીકલ એજન્ટ કાઠીઆવાડ. આ કરારને ત્રીજો પેરેગ્રાફ નીચે મુજબ છે – (૩) “આ ચાલીસ વર્ષ બાદ આ કરારના પહેલા પેરામાં જણાવેલી મુકરર રકમમાં ફેરફાર કરાવવા માટે દરેક પક્ષકારને છૂટ રહેશે અને તકરાર કરનાર પક્ષકારની દલીલે સાંભળ્યા બાદ તે સુધારાને મંજૂર કરે કે કેમ તે બ્રીટીશ સરકારની મુનસફી ઉપર રહેશે.” પર - આ કરાર એ જ વર્ષની (સને ૧૮૮૬ ની) તા. ૧ એપ્રિલથી અમલમાં આવતો હતા. એ કરારને મુંબઈ સરકારે, તા. ૮-૪-૧૮૮૬ ના રોજ પોતાના ઠરાવ નં. ૨૦૧૬ થી, માન્યતા પણ આપી દીધી હતી. અને કરારનામામાં દર્શાવ્યા મુજબ આ કરારનો અમલ ૪૦ વર્ષ સુધી, કઈ પણ જાતની ખાસ મુશ્કેલી વગર, ચાલુ રહ્યો હતો. આવી મુશ્કેલી ઊભી નહિ થવાનું એક કારણ એ પણ હોઈ શકે કે, આ કરાર પછીથી નવ-દસ વર્ષે (સને૧૯૦૫), દરબારશ્રી માનસિંહજીને સ્વર્ગવાસ થયે હતું અને એ વખતે પાટવીકુંવર બહાદુરસિંહજી સગીર હોવાથી પાલીતાણા રાજ્યને વહીવટ ચૌક વર્ષ સુધી (સને૧૨૦ સુધી) અંગ્રેજ સરકારના એડમિનિસ્ટ્રેટર હસ્તક રહ્યો હતો. અને છતાં પણ દરબારશ્રી માનસિંગજીની હયાતી દરમિયાન શરૂ થયેલા પાલીતાણા રાજ્ય અને જેના કેમના સભ્ય અથવા તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કાર્યકરો વચ્ચે, તેમ જ મુખ્યત્વે તીર્થની અને યાત્રિકોની સુરક્ષાને અનુલક્ષીને પણ નાનામેટા અનેક ઝઘડાઓ તે ચાલતા જ રહ્યા હતા. આમ છતાં એવા ઝઘડાઓથી યાત્રિકની, સામૂહિક રીતે, ખાસ કેઈ કનડગત થઈ હોય એવું જાણવા મળતું નથી. એટલે એકંદર આ ૪૦ વર્ષ યાત્રિકને માટે ખાસ કઈ અગવડ ઊભી કરનારાં નીવડ્યાં નહોતાં એમ સ્વીકારવું જોઈએ. Page #280 -------------------------------------------------------------------------- ________________ તલાટીમાં ભાતું આપવાને ઉપદેશ આપનાર પંજ્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિમળાજી મહારાજ વગેરેનાં પગલાંની દેરી (જુઓ, પૃ ૬૨, ૬૩, ૯૮ ) Page #281 -------------------------------------------------------------------------- ________________ ટાલામાઇના 8 શું સન ૧૪ બાગાબાઈ - અમદાવાદ. મિસ્ત્રીમો,મા. સંગ૯૭૦ )ની સા તલાટીમાં અપાતા ભાતા માટે ગંગામાએ બંધાવી આપેલ ભાતા ઘરને લેખ (જુઓ, પૃ. ૬૩, ૬૪) Page #282 -------------------------------------------------------------------------- ________________ બિકાને બેસવા વગેરેની આધુનિક સુવિધા આપતું ભાત ધરનું નવું મકાન ( જુએ. પૃ. ૬૪ ) Page #283 -------------------------------------------------------------------------- ________________ - 20 This Agreement is produced by the parties and ratified by the Government of India Da ted this 26th day of May One thousand nine hundred and twenty eignt, Simla. Hibabba @feweband Sequed an on frecule - vastoorbhai l Ngersheth manekeal naumphohen Heeleturni 22 Thakore sanch of Coll Velálesed Sarawhaitahyabhai Shetta Shulethal.m4a' Amratloe Holiclou Palitana Orerapaink Moholallam, accredited represantatives 7 The Jani Community of ludia Retified by Samment of Fedin Bir 26 ony hy ges as Sunta. 2. Viary hormon fue 26/5/20. પાલીતાણા રાજ્ય સાથે સને ૧૮૨૮ (વિ. સ. ૧૮૮૪) માં થયેલ રખોપાના પાંચમા છેલ્લા-કરારના દસ્તાવેજના 26/ seal 441011 0991 (mont, 4.231, 2X1, 345, 300) Page #284 -------------------------------------------------------------------------- ________________ પાલીત્તાણા રાજ્ય સાથે થયેલા પાના કરાર ૨૫ રખેપાને છેલ્લો-પાંચમે રૂ. ૬૦,૦૦૦નો કરાર સને ૧૮૮૬ને વાર્ષિક રૂા. પંદર હજારને, ૪૦ વર્ષની મુદતને, રખોપા કરાર સને ૧૯૨૬ના એપ્રિલની ૧ લી તારીખના રોજ પૂરે થતો હત; એટલે, આગળ ઉપર આ બાબતમાં શું કરવું એ માટે, દરબાર પક્ષે તેમ જ શ્રાવક સંઘના એટલે કે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પક્ષે હિલચાલ શરૂ થઈ ગઈ હતી. શ્રાવક પક્ષે આ હિલચાલને શરૂઆતથી ઉગ્ર રૂપ નહિ આપવાનું એક સબળ કારણ આ કરારમાંની ત્રીજી કલમ હતું, જે આ પ્રમાણે છેઃ - “ચાલીસ વરસની મુદત પૂરી થયે, આ કરારના પહેલા પેરેગ્રાફમાં ઠેરવેલી વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવાને બંને પક્ષકાર પૈકી હરકોઈ પક્ષકારને છૂટ રહેશે. બંને તકરાર કરનારા પક્ષકારોની પોતપોતાની ગોઠવણોની તપાસ કરીને આ રકમમાં ફેરફાર મંજૂર કરે કે નહીં કરવો તેની સત્તા અંગ્રેજ સરકારના હાથમાં રાખવામાં આવી છે.” આ કલમના આધારે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અર્થાત્ જેન સંઘે એવો મદાર બાંધી રાખ્યો હતો કે, આ બાબતમાં પાલીતાણા રાય, બહુ બહુ તો, રખેપાની રકમમાં તેમ જ મુદતમાં ફેરફાર કરવાની માગણી કરશે અને આવી માગને નિર્ણય અંગ્રેજ સરકારની દરમિયાનગીરીથી થવાનો હોવાથી આ કામ સહેલાઈથી પતી જશે અને એમાં કેઈ બહુ મોટી મુશ્કેલી ઊભી થવા નહીં પામે. આની સામે, પાલીતાણાના દરબાર ગોહેલ શ્રી બહાદુરસિંહજી, કંઈક જુદી જ રીતે વિચારતા હતા તેઓ રખેપાની વાર્ષિક ઊચક રકમ લેવાને બદલે, કર્નલ કટિજે સૂચવેલ ધરણે (બહારના યાત્રિક દીઠ રૂ. ૨/- અને પાલીતાણાના જૈન વતની માટે વાર્ષિક રૂ. પ/-), મુંડકાવેરો ઉઘરાવવાનું શરૂ કરવા ઇરછતા હતા. એ માટે એમણે તે વખતના કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને, કરાર પૂરે થવાની તારીખથી છ મહિના કરતાં પણ વધુ સમય પહેલાં, તા. ૧૪-૯-૧૯૨૫ના રેજ, અરજી પણ કરી દીધી હતી. આ અરજીમાં પિતાની માગણીના સમર્થનમાં, એમણે જે અનેક બાબતની રજૂઆત કરી હતી, એમાં એક વિચિત્ર મુદ્દો એવો પણ રજૂ કર્યો હતો કે, “જ્યારે સને ૧૮૮૬માં, રૂ. ૧૫,૦૦૦)ને રખોપાને કરાર કરવામાં આવ્યો ત્યારે, મારા પિતા સ્વ. ઠાકોર સાહેબ શ્રી માનસિંહજી યુવાન અને બિનઅનુભવી હતા. અને તેઓ તરતમાં જ ગાદીએ બેઠા હતા. વળી, એમની પાસે કોઈ વિશ્વાસપાત્ર સલાહકાર પણ ન હતા. તેમ જ એમના ભાઈની સાથે એમને સખત દુશ્મનાવટ હેવાને લીધે તેઓ બહુ પરેશાન હતા. આવી હાલતમાં, અંગ્રેજ સરકારના દબાણને વશ થઈને, એમને આ કરાર ૨૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સ્વીકારવાની ફરજ પડી હતી.” આ અરજીમાં મુંડકાવેરે લેવાની પોતાની વાત રજૂ કરવાની સાથે સાથે પિતાને લાંબા વખતથી ખટકી રહેલી એ વાતની પણ એમણે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે, આવો કર ઉઘરાવો એ પાલીતાણા રાજ્યના અધિકારની બાબત છે. અને એને અંગ્રેજ સરકારની દરમિયાનગીરીથી શ્રાવક કેમ અને પાલીતાણા રાય વરચે થયેલ કરારરૂપે ઓળખાવે એ રાજ્યના સર્વોપરિ અધિકારને ઈન્કાર કરવા બરાબર છે.૫૩ કઈ પણ રીતે આ વાતનું પુનરાવર્તન નવો કરાર કરતી વખતે ન થવા પામે અને પિતાને અધિકાર સુરક્ષિત રહે એ માટે, પાણી પહેલાં પાળ બાંધવાની જેમ, દરબારશ્રીએ આ અરજી બહુ જ સમયસર કરી હતી. • દરબારશ્રીએ મુંડકાવેરાને સજીવન કરવાની માગણી કરતી આવી અરજી કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટને કરી હતી, એ બાબતનો તે પેઢીના પ્રતિનિધિઓને અણસાર સુધાં મળવા પામ્યો ન હતો, એટલે તા. ૯-૩-૧૯૨૬ના રોજ પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓએ પિલિટિક્સ એજન્ટ મિ. સી. સી. ટસનની મુલાકાત લીધી તે વખતે, પિલિટિકલ એજન્ટ તરફથી, તા. ૨૫-૩-૧૯૨૬ સુધીમાં પિતાનો જવાબ રજૂ કરવાની પેઢીના પ્રતિનિધિઓને સૂચના કરવામાં આવી તેનો એમણે સ્વીકાર કરી લીધું હતું. પણ ત્યાર પછી જ્યારે, પાલીતાણાના દરબાર ગોહેલ શ્રી બહાદુરસિંહજીએ પોલિટિકલ એજન્ટને તા. ૧૪-૯-૧૯૨૫ ના રોજ કરેલી અરજીની નકલ એમના જોવામાં આવી ત્યારે જ એમને દરબારશ્રીએ રખોપાની ઊચક રકમના બદલે મુંડકાવેર લેવાની મંજૂરી આપવાની કરેલી માગણીને ખ્યાલ આવ્યો હતે. આ જાણીને પેઢીના પ્રતિનિધિઓ સારી એવી ચિંતા અને વિમાસણમાં મુકાઈ ગયા હતા. કારણ કે, સને ૧૮૮૬ના કરારની ત્રીજી કલમ જોતાં, દરબારશ્રી તરફથી આવી માગણી કરવામાં આવશે એની તે તેઓને કલ્પના પણ ન હતી. દરબારશ્રીની આ અરજીના લીધે રખોપાની બાબતમાં તદ્દન અણુધારી અને નવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. એટલે એને જવાબ, કઈ પણ રીતે ઉતાવળે અને પિતે સ્વીકારેલી મુદતમાં, પેિઢી તરફથી આપી શકાય એ શક્ય જ ન હતું. દરબારશ્રીની આ અરજીને મુદ્દાસર, સચોટ અને મુખ્યત્વે એમની મુંડકાવેરાને સજીવન કરવાની માગણીને પાકે રદિયો આપી શકે એ પ્રકારનો જવાબ તૈયાર કરવા માટે, તેમ જ એ અરજીમાંની બીજી પણ કેટલીયે વિવાદાસ્પદ રજૂઆતેને પ્રમાણભૂત જવાબ આપવા માટે, ઘણું ઘણું સામગ્રીની તપાસ કરવાની અને એને એકત્રિત કરવાની જરૂર હતી. આ માટે પેઢી તરફથી એક મહિનાની મુદતની, એટલે કે પચીસમી માર્ચને બદલે પચીસમી એપ્રિલના રોજ પિતાને જવાબ રજૂ કરી શકાય એટલી મુદતની, માગણી કરવામાં આવી હતી. અને એજન્સી દ્વારા તે મંજૂર રાખવામાં આવી હતી.૫૪ જ્યારે પાલીતાણા રાજ્ય સાથેના રખેપાના કરારને સમય પૂરો થવાની તૈયારીમાં Page #286 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાષાના કરાર ૨૨૭ હતા ત્યારે, ભવિષ્યમાં આ કરાર કેવું રૂપ લેશે અને પાલીતાણા રાજ્ય તથા શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી એટલે કે જૈન સંઘ વચ્ચેના સખા પણુ કેવુ રૂપ લેશે, એની ચિંતા વાતાવરણમાં ઠીક ઠીક પ્રસરેલી હતી. એક રીતે કહીએ તો, આ તખક્કો પેઢીના સ`ચાલકા માટે ક'ઈક અગ્નિપરીક્ષા જેવા થઈ રહેવાના હાય એવા આછોપાતળા અણુસાર મળ્યા કરતે હતા. કારણ કે, સને ૧૯૨૦ની સાલમાં, યુવરાજ બહાદુરસિંહજી ગાદીનશીન થઈ ને પાલીતાણા રાજ્યના રાજવી બન્યા, ત્યાર પછી જૈન કામ અને પાલીતાણા રાજ્ય વચ્ચેના સબધા ઠીક ઠીક પ્રમાણમાં વસવા લાગ્યા હતા. આવા અણીના વખતે, જાણે નજીકના ભવિષ્યમાં જ કુદરત સહાયરૂપ થવાની હાય એમ, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ તરીકે, તા. ૨૨-૧૧-૧૯૨૫ના રાજ, વરણી કરવામાં આવી. એ વખતે પેઢીનું પ્રમુખપદ તે નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ સંભાળતા હતા, પણ એમની નાદુરસ્ત તખિયત તથા બીજા કેટલાક અનિવાર્ય સંજોગોને કારણે, તેઓ પેઢીની મીટીગમાં નિયમિત હાજરી આપી શકતા ન હતા તેથી, માટે ભાગે, મીટીગનુ પ્રમુખપદ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ જ સભાળતા હતા. કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટને પાલીતાણાના દરખારશ્રીએ કરેલી તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીની નકલ પેઢીએ જે રીતે મેળવી તેની વિગતા પેઢી પેાતાના નાનામાં નાના હકની જાળવણી માટે પણ કેટલી સજાગ હતી, તેના ખ્યાલ આપે છે. પાલીતાણાના દરખારશ્રીએ અરજી કર્યા પછી એજન્સી તરફથી દરખારશ્રીને કોઈક પત્ર દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે, દરખાર તરફથી કરવામાં આવેલ અરજીની જાણ પેઢીના પ્રતિનિધિઓ વતી પાલીતાણા શાખાના મુનીમને તે કરે. આ માટે પાલીતાણા રાજ્યના દફતરમાંથી એવી માહિતી મળે છે કે, પાલીતાણાના દીવાન શ્રી સી. જી. મહેતાએ, તા. ૨૧-૧૦-૧૯૨૫ના રાજ, શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીની પાલીતાણા શાખાના મુનીમને, પાલીતાણા દરખારશ્રી તરફથી તા. ૧૪-૯-૧૯૨૫ ના રાજ એજન્સીને કરવામાં આવેલી અરજીની નકલ ખતાવી હતી. અને વધારામાં પેાલિટિકલ એજન્ટના હવાલા આપીને કહ્યું હતુ કે, આ અરજીના જવાખ પેઢીના પ્રતિનિધિઓ આપવા ઇચ્છતા હોય તે એમણે તે બે મહિનાની મુદ્દતની અંદર આપી દેવા. અને એમ નહી કરવામાં આવે તેા, બે મહિનાની મુદત પૂરી થયા પછી, સને ૧૮૮૬ના કરારની ખાખતમાં શા હુકમ ફરમાવવા તે એજન્ટ ટુ ધી ગવન ૨ નક્કી કરશે. વિશેષમાં, આ વખતે પેઢીના મુનીમને એમ પણ સૂચવવામાં આવ્યું હતુ કે, જો તમારે દરખારશ્રીએ કરેલ અરજીની નકલની જરૂર હાય ! એ માટે તમારે દરખારશ્રીને અરજી કરવી, અને એમ કરવાથી તમને આ અરજીની અધિકૃત નકલ આપવામાં આવશે.પપ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શેઠ આ કદની પેઢીને ઇતિહાસ પણ પિઢીની નીતિ શરૂઆતથી જ એજન્સી સાથેની કોઈ પણ બાબતમાં દરબારશ્રીને સીધી અરજી ન કરવાની હતી, એટલે દરબારશ્રીએ એજન્સીને કરેલી અરજી વગેરેની નકલ મેળવવા માટે પાલીતાણા રાજ્યને અરજી કરવા પેઢી તૈયાર ન હતી. એણે, એકાદ સો વર્ષથી ચાલી આવતી પ્રથા પ્રમાણે, પાલીતાણું રાજ્ય સાથે કઈ પણ આંતરિક બાબતમાં વાંધે પડે તે પહેલાં પાલીતાણા રાજ્ય પાસે સીધેસીધે ન્યાય માગવાની અને એ ન્યાયથી જે પિતાને સંતોષ ન થાય તે એજન્સીને, એથી આગળ વધીને મુંબઈ સરકારને, ત્યાર પછી ક્યારેક ભારત સરકારને અને અંતે વિલાયતની સરકારને (સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે કે પ્રિવી કાઉન્સિલને) અરજીઓ કરવાને શિરસ્તો રાખ્યો હતો. અને આ શિરસ્તાનો ક્યારેય ભંગ થવા ન પામે એ માટે પેઢી તરફથી ય કાયદેસરનાં પગલાં ભરવામાં આવતાં હતાં. ' રખોપા અંગેની બાબત એવી હતી કે, એને પાલીતાણા રાજ્ય સાથે સીધેસીધે સંબંધ ન હતો અને સને ૧૮૨૧, ૧૮૬૩ અને ૧૮૮૬ ના એમ ત્રણેય રખોપાના કરાર અંગ્રેજ હકૂમતની દરમિયાનગીરીથી જ થયા હતા. એટલે એમાં કોઈ પણ પક્ષે, કઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તે, તે અંગ્રેજ હકૂમતને વચમાં રાખીને જ કરવામાં આવતા હતા. તેમાંય સને ૧૮૮૬ ના કરારની ત્રીજી કલમમાં તે એ સ્પષ્ટ નિર્દેશ થયેલું હતું કે, બંને પક્ષકારોમાંથી કોઈને પણ, એ કરારની મુદત પૂરી થયા પછી, ખેપાની રકમમાં કઈ પણ જાતને ફેરફાર કરાવી હોય તો, તે માટે અંગ્રેજ હકુમતને અરજી કરવી અને એ જે કંઈ નિર્ણય આપે તેને સ્વીકારી લેવો. વાસ્તવિક સ્થિતિ આવી હોવાથી, અને સને ૧૯૨૫ માં ઊભું થયેલું પ્રકરણ રખેપાના કરારને લગતું જ હોવાથી, પેિઢીના પ્રતિનિધિઓ, કેઈ પણ સંજોગોમાં, દરબારશ્રીએ એજન્સીને કરેલી અરજીની નકલ મેળવવા માટે, દરબારશ્રીને અરજી કરવા તેમ જ એ અરજીને પિતાને જવાબ દરબારશ્રી મારફત એજન્સીને પહોંચતું કરવા હરગિજ તૈયાર ન હતા. આને કારણે, દરબારશ્રીએ કરેલી અરજીની નકલ મેળવવાની બાબતમાં એક જાતની મડાગાંઠ જેવી સ્થિતિ ઊભી થવા પામી હતી. આની કેટલીક વિગતે આ પ્રમાણે છે– - પાલીતાણાના દીવાનશ્રી તરફથી પેઢીની પાલીતાણા શાખાના મુનીમને ઉપર મુજબ સૂચના આપ્યાની જાણ પિતાને થયા પછી, પેઢીના પ્રતિનિધિઓએ, તા. ૫-૧૧-૧૯૨૫ ના રેજ, કાઠિયાવાડના પિોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને એક અરજી કરીને આ રખોપા પ્રકરણ અંગેના કાગળોની આપ-લે પાલીતાણા દરબાર મારફત જ કરવાના એજન્સીને વલણનો વિરોધ કરીને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, એજન્સીએ અખત્યાર Page #288 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાન કરશે ૨૨૮ કરેલું આ વલણ આ બાબતમાં ચાલ્યા આવતા શિરરતા સાથે સુસંગત નથી. આ અંગે અરજીમાં કહેવામાં આવ્યું હતું કે– “અમે રજૂઆત કરવાની રજા માગતાં કહીએ છીએ કે, સો કરતાં પણ વધુ વર્ષથી ચાલી આવતી પ્રથાને તિલાંજલિ આપવામાં આવી છે અને બંને પક્ષકારોને માટે આ સ્થિતિ તદ્દન અનુચિત છે. ' “અમે માનીએ છીએ કે, પાલીતાણા દરબાર અને જૈન સંઘ વચ્ચેના સંઘર્ષમાં બંને પક્ષે સંકળાયેલા છે. પાલીતાણા દરબાર વાદી તરીકે કરારમાં ફેરફારની માગણી કરે છે, ત્યારે જૈન સંઘ પ્રતિવાદી બને છે. આવા સંજોગોમાં જૈન સંઘને એમ કહેવું કે દરબારે કરેલી અરજીની નકલ મેળવવા દરબારને જ અરજી કરવી અને તેમની વાતને વિરોધ પણ એજન્સી સમક્ષ દરબાર મારફત જ રજૂ કરે , તેની સામે મકકમ રજૂઆત કરતાં અમે કહીએ છીએ કે, આ સદંતર વાહિયાત પ્રથા છે. આપ જ આ બાબતને સાંભળનાર ટ્રિબ્યુનલ છે, કે જે દરબાર અને જૈન સંઘને સાંભળી શકે અને બંને પક્ષ પિતપોતાની રજૂઆત તેની સમક્ષ જ કરી શકે. પ્રતિવાદીને એમ કહેવું કે, પિતાની નકલ વાદી પાસેથી મેળવી લેવી અને પિતાને બચાવ ટ્રિબ્યુનલ સમક્ષ વાદી મારફત રજૂ કરે એ તદ્દન નવતર વાત છે.”૫૨ આ અરજીને કાઠિયાવાડના પિલિટિક્સ એજન્ટ મિ. સી. સી. વોટસને, તા. ૧૩-૧૧-૧૯૨૫ના રોજ, જવાબ આપતાં પેઢીને જણાવ્યું હતું કે, આ બાબતમાં પિતે જે વલણ અપનાવ્યું છે, એમાં કોઈ પણ જાતને ફેરફાર કરવાની જરૂર એમને લાગતી નથી; અને એમણે જે પદ્ધતિ અખત્યાર કરી છે તે વ્યાજબી છે. ૫૭ એજન્સીના આ નિર્ણય સામે, તા. ૧૫-૧-૧૯૨૬ ના રેજ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને પેઢી તરફથી ફરીથી અરજી કરીને, આ બાબતની પુનર્વિચારણા કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતી પણ, તા. ૧૯-૧-૧૯૨૬ ના રેજ, એજન્સીએ નકારી કાઢી હતી અને તા. ૧૩ નવેમ્બર ૧૯૨૫ના મેમોરેન્ડમમાં પિલિટિકલ એજન્ટ જે વલણ અખત્યાર કર્યું હતું તે જ એમણે કાયમ રાખ્યું હતું.૮ આ રીતે ઉપરાઉપરી બે વાર, આ બાબતની અરજી, પિલિટિકલ એજન્ટ દ્વારા નામંજૂર થયાનું જાણ્યા પછી પણ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ નિરાશ ન થયા. અને એમણે, તા. ૭-૨-૧૯૨૬ ના રોજ, આ બાબતને ફરી વિચાર કરવાની એજન્સીને અરજી કરી. અને એમાં વધારામાં, આ અંગે જરૂરી ખુલાસા રૂબરૂ કરી શકાય અને આ મડાગાંઠને નિકાલ લાવી શકાય એ માટે, રૂબરૂ મુલાકાતની પણ માગણી કરવામાં આવી હતી. પણ પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસન તે પિતાના નિર્ણયમાં અણનમ જ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શેઠ આ ક૦ની પેઢીના ઇતિહાસ રહ્યા હતા અને એ વાતની જાણ આણંદજી કલ્યાણજીની પેઢીના પાલીતાણા શાખાના મુનીમ દ્વારા, એજન્સીના તા. ૧૧-૨-૧૯૨૬ ના શેરા મુજખ, તા. ૧૫-૨-૧૯૨૬ના રાજ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને કરવામાં આવી હતી. સાથે સાથે રૂબરૂ મુલાકાત લેવી હાય તેા તા. ૧૮, ૨૧ કે ૨૨ ફેબ્રુ. ૧૯૨૬ના રાજ ૧૧-૦૦ના સમયે, રાજકાટમાં, મુલાકાતે આવવાનું પણ સૂચવ્યુ હતુ.પ આ પછી, એમ લાગે છે કે, એજન્સીને અથવા તેા પેઢીના પ્રતિનિધિઓને, આ તારીખાએ મુલાકાત ગોઠવવાનું અનુકૂળ નહિ પડ્યુ. હાય, એટલે આ મુલાકાત તા. ૯-૩-૧૯૨૬ના રાજકાટમાં ગાઠવી શકાઈ હતી. આ મુલાકાત દરમિયાન પેઢીના પ્રતિનિધિઓએ આ રખાપાની બાબતમાં દરેક પ્રકારના પત્રવ્યવહારની આપ-લે એજન્સી મારફતે જ થવી જોઈ એ, એ વાતનું ભારપૂર્વક પુનરુચ્ચારણ કર્યું. હોય એમ લાગે છે. પરિણામે પેાલિટિકલ એજન્ટને પોતાના દફતરમાં રહેલી પાલીતાણા રાજ્યની, તા. ૧૪-૯-૧૯૨૫ ની, અરજીની નકલ કરવાની પેઢીને અનુમતિ આપવાની ફરજ પડી હતી. આ હકીકત પોલિટિકલ એજન્ટના તા. ૨૫-૩-૧૯૨૬ના રોજ વચગાળાના હુકમ (Ad Interim Order) માંના નીચેના શબ્દો ઉપરથી સ્પષ્ટ રૂપે જાણવા મળે છે— “ચેાગ્ય ચર્ચા-વિચારણાને અંતે હું, ગ્રહ વગર, સહમત થાઉં છું કે, પેઢીના રજૂઆતની નકલ જોઈ શકે છે અને તેને શિરસ્તાના મુદ્દા પર કોઈ પણ જાતના પૂર્વપ્રતિનિધિએ મારી ઓફિસમાંથી દરખારની ઉતારી લઈ શકે છે.”૧૦ આ મુલાકાત વખતે મિ. સી. સી. વાટસને દરખારની અરજીના જવાખમાં પેઢીને જે કઈ કહેવુ હોય તે, જવાબરૂપે, તા. ૨૫-૩-૧૯૨૬ સુધીમાં, પેાતાને જ લખી માકલવા જણાવ્યુ હતું. અને પેઢીના પ્રતિનિધિઓએ એ વાતને સ્વીકાર પણ કર્યા હતા.૧ પેાલિટિકલ એજન્ટે આપેલ અનુમતિ અનુસાર, પેઢીના વકીલે દરખારશ્રીની અરજીની નકલ પોતાની જાતે ટાઇપ કરાવી લેવાની હતી. કારણ કે, દરખારશ્રીએ કરેલ અરજીની ન તે વધારાની નકલ કે ન તા છાપેલ નકલ એજન્સી પાસે હતી. વકીલે આ નકલ તા. ૧૦ માર્ચના રાજ તૈયાર કરી અને, તા. ૧૧મીના રાજ, રાજકોટથી નીકળી, તા. ૧૨મીના રાજ, જાતે અમદાવાદ જઈ ને ત્યાં પહોંચતી કરી, અમદાવાદથી તા. ૧૩ના રોજ એ નકલ પેઢીના કાનૂની સલાહકાર સર ચીમનલાલ સેતલવાડને મુખઈ પહેાંચાડવામાં આવી. એ નકલ જોયા પછી શ્રી સેતલવાડને એમ લાગ્યું કે, દરખારશ્રીની અરજીમાં તેા રખાપાની રકમમાં ફેરફાર કરવાની માગણી કરવાને બદલે, હવેથી ( તા. ૧-૪-૧૯૨૬ થી ) વાર્ષિક ઊંચક રકમને ખલે, મુડકાવેશ લેવાનો, ચાલુ સ્થિતિમાં ધરમૂળના ફેરફાર કરવાનુ` સૂચવતી, અનુમતિ માગવામાં આવી Page #290 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૨૩૧ હતી. અને પિતાની આ માગણીના સમર્થનમાં એ અરજીમાં એવી કેટલીયે બાબતે એમના તરફથી રજૂ કરવામાં આવી હતી કે, જેને જવાબ તત્કાલ એટલે કે તા. ૨૫ માર્ચ પહેલાં આપી શકાય એમ ન હતું, અને એ માટે આ અંગેના જૂના દફતરમાંથી ઘણું સામગ્રી એકત્ર કરવાની જરૂર હતી. એટલે પેઢીના કાનૂની સલાહકાર તરફથી તેમ જ પેઢી તરફથી એક માસની વધુ મુદતની માગણી કરવામાં આવી. આ માગણીને પિલિટિકલ એજન્ટ, એ શરતે સ્વીકાર કર્યો હતો કે, હવે પછી વધુ મુદત આપવામાં નહીં આવે, તેમ જ મુદત ઓછી હવા અંગેની ફરિયાદ પણ સાંભળવામાં નહીં આવે. વધારામાં એ તારમાં એમ પણ સૂચવવામાં આવ્યું હતું કે, દરબારના હિતની સાચવણી માટે એ મતલબને વચગાળાને હુકમ (Ad Interim Order) આપવામાં આવશે કે, જેથી દરબારશ્રીને ૧ લી એપ્રિલથી પહેલાં નક્કી થયેલા દરે, મુંડકાવેરો લેવાની છૂટ આપવામાં આવશે અને આ રીતે એકત્રિત થયેલી રકમ, આ બાબતનો છેવટને નિકાલ ન થાય ત્યાં સુધી, ડિપોઝીટ તરીકે અલગ રાખવામાં આવશે.૧૨ એજન્સી તરફથી આ મતલબને તાર મળ્યા પછી, તા. ૨૧-૩-૧૯૨૬ના રેજ, સર ચીમનલાલ સેતલવાડે, એને જવાબ આપતાં, મુદત વધારી આપવા માટે પિલિટિકલ એજન્ટને આભાર તે માન્ય પણ, સાથે સાથે, વચગાળાના હુકમમાં આપવા ધારેલ મુંડકાવેરે વસૂલ કરવાની દરબારશ્રીને અનુમતિની બાબતમાં જૈન કેમની વતી સખત વિરોધ પણ લખી જણાવ્યું. આ પછી પણ એજન્સી તથા સર ચીમનલાલ સેતલવાડ વચ્ચે, વચગાળાના હુકમ અંગે, કેટલેક તાર-વ્યવહાર થયો હતો અને એમાં પેઢીની વતી સર ચીમનલાલ સેતલવાડે, આ બાબતનો છેવટનો નિકાલ આવે તે દરમિયાનના સમયમાં, દરબારશ્રીનું હિત સચવાય એ માટે, કેટલાક વિકલ્પ પણ સૂચવ્યા હતા. પણ એજન્સીએ વચગાળાના હુકમના અવેજમાં આવે કઈ પણ વિકલ્પ સ્વીકારવાની તૈયારી બતાવી ન હતી. એમ છતાં, આ લાંબા તાર-વ્યવહારના અંતે, આ બાબતમાં એટલો ફરક પડ્યો કે, એજન્સીએ શરૂઆતમાં જે જાતને વચગાળાને હુકમ જાહેર કરવાનું વિચાર્યું હતું તેમાં, તા. ૧-૪-૧૯૨૬ થી દરેક જાત્રાળુ પાસેથી રૂ. 9 ના હિસાબે મુંડકાવેરે પાલીતાણું રાજ્ય વસૂલ કરે અને એ રકમ અનામત તરીકે પોતાને ત્યાં જમા રાખે એવી જોગવાઈ કરવામાં આવનાર હતી, તેને બદલે ફક્ત રોજેરજના યાત્રિકોની સંખ્યા ગણીને માત્ર એની નોંધ રાખવાનું જ છેલ્લા વચગાળાના હુકમમાં જાહેર કરવામાં આવ્યું હતું. મતલબ કે, તા. ૧-૪-૧૯૨૬ થી પાલીતાણા દરબારને યાત્રિકોની સંખ્યાની ગણતરી કરીને એની રજેરજની નોંધ રાખવાની અનુમતિ આપવામાં આવી હતી. ભૂતકાળમાં, જ્યારે જ્યારે પણ, યાત્રિક પાસેથી મુંડકાવેરે વસૂલ કરવાની વાત ઊભી થઈ હતી અથવા એને અમલ કરવામાં આવ્યું હતું, ત્યારે દરબાર તરફથી Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શેઠ આર કોની પહને ઇતિહાસ શ્રાવકોની સામે એવી ફરિયાદ કરવામાં આવતી હતી કે, તેઓ ગણતરીમાંથી છટકી જવાની તરકીબ અજમાવે છે. આની સામે જેને તરફથી પાલિતાણા રાજ્ય સામે એવી ફરિયાદ કરવામાં આવતી હતી કે, રાજ્ય, યાત્રિકોની સંખ્યામાં વધારે દેખાય એટલા માટે, જૈન ન હોય એવા યાત્રિકોને પણ પહાડ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરતું હોય છે. જ્યારે આ પ્રયત્ન થતું ત્યારે જૈનોની ઓછી સંખ્યા દર્શાવવાના પ્રયત્નને અને રાજ્યના વધારે સંખ્યા દર્શાવવાના પ્રયત્નને હેતુ એ રહેતું કે રખોપાની ઊચક રકમ નક્કી કરવાની બાબતમાં અંગ્રેજ સરકાર ઉપર એની અસર પડે. જ્યારે પણ મુંડકાવેરો વસૂલ કરવાને અથવા તો યાત્રિકોની સંખ્યા નકકી કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે જેને અને પાલીતાણા રાજય વચ્ચેનું ઘર્ષણ વધારે તીવ્ર બન્યું છે, અને યાત્રિકોને વેઠવી પડતી કનડગતમાં પણ વધારે થતું રહ્યો છે એ વાતની સાક્ષી, સને ૧૮૮૬ને રખોપાનો ચે કરાર થયે, તે પહેલાંનાં ચાર-પાંચ વર્ષ દરમ્યાન યાત્રિકોને વેઠવી પડેલ હાલાંકી પણ પૂરી શકે એમ હતી, એટલે આ દુઃખદાયક પરિસ્થિતિનું જૈન સંઘને માટે પુનરાવર્તન ન થાય એટલા માટે જ, તા. ૧-૪-૧૯૨૬ થી, મુંડકાવેરે લેવાની બાબતને અથવા તે યાત્રિકોની સંખ્યાની ગણતરી કરવાની બાબતને જેનો તરફથી એજન્સી સમક્ષ સખત વિરોધ નેંધાવવામાં આવ્યો હતો, પણ એનું ધારણા મુજબ પરિણામ ન આવ્યું. અને પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વટસન તે કેટલાક ફેરફાર સાથે વચગાળાનો હુકમ જાહેર કરવા કૃતનિશ્ચય જ હતા ! એટલે યાત્રિકોની રજેરજની સંખ્યાની નેંધ રાખવા સંબંધી દરબારશ્રીને આપવામાં આવેલી અનુમતિને સ્વીકાર કરવાની પેઢીને ફરજ પડી હતી. આને કારણે યાત્રિકને મુંડકાવે આપવાની ફરજ ન પડી એ તે ખરું, પણ ચારેક દાયકાને, કઈ પણ જાતની દખલગીરી વગર, મુક્ત રીતે, યાત્રા કરવાને અનુભવ કર્યા બાદ પોતાની સેંધણી કરવામાં આવે એ વાત પણ યાત્રિકોને કેવળ નવતર જ નહિ, પણ અજુગતિ અને કનડગત કરનારી પણ લાગે એ સ્વાભાવિક હતું. પણ તત્કાળપૂરતી આ લાચારીને વશ થયા વગર ચાલે એમ ન હતું. અને ફરી વાર યાત્રા, પહેલાંની જેમ જ, રાજ્યની કઈ પણ જાતની દખલગીરીથી મુક્ત થાય એ માટે રાહ જોયા વગર પણ ચાલે એમ ન હતું. આમાં મેટા આશ્વાસનરૂપ વાત તો એ હતી કે, આ બાબતમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પૂરેપૂરી સજાગ હતી અને કઈ પણ કારણસર જરા પણ સરતચૂક થઈ જવા ન પામે એની એ પૂરેપૂરી તકેદારી રાખતી હતી. સામાન્ય રીતે તે પેઢીનું વલણ જાહેરાતો અથવા તે નિવેદને કરવાથી દૂર રહેવાનું જ હોય છે, પણ આ પ્રસંગની ગંભીરતા અને આ બાબતમાં જે કંઈ નિર્ણય થાય Page #292 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૨૩૩ તેનાં દૂરગામી પરિણામેનો વિચાર કરીને, વર્તમાનપત્રોમાં જાહેરાતો કે નિવેદન આપીને, તેમ જ બીજી રીતે વિચાર કરીને અને જૈન સંઘના અન્ય મોવડીઓને પણ સાથ લઈને, પેઢીએ એવું ચેતનવંતું વાતાવરણ ઊભું કર્યું હતું કે જેથી, આ પ્રશ્ન જૈન સંઘને માટે એક પ્રાણપ્રશ્ન બની ગયો હતો, અને તેથી આ પ્રશ્નની બાબતમાં સમગ્ર ચતુર્વિધ શ્રીસંઘમાં અજબ, દાખલારૂપ અને અપૂર્વ કહી શકાય એવી એકતા અને જાગૃતિ આવવા પામી હતી—જાણે જૈન સંઘે એક પવિત્ર ધર્મયુદ્ધ જ શરૂ કર્યું હતું ! એટલે એની સવિસ્તર માહિતી આ પુસ્તકમાં સચવાઈ રહે એ જરૂરી છે. તેથી આ પ્રકરણની પાદને પછી આપવામાં આવેલ “પુરવણી”માં એ રજૂ કરવામાં આવી છે. એજન્સી તરફથી આપવામાં આવેલ મુદત પ્રમાણે, પાલીતણા રાજ્ય, તા. ૧૪-૯-૧૨૫ ના રેજ એજન્સીને કરેલી અરજીને જવાબ પેઢી તરફથી તા. ૨૫-૪-૧૯૨૬ સુધીમાં એજન્સીને આપી દેવાનો હતો. આ સમયમર્યાદાનું બરાબર પાલન થાય એ રીતે પેઢી તરફથી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ તથા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈની સહીથી, તા. ૨૩-૪-૧૯૨૬ ના રેજ, એજન્સીને જવાબ મેકલી આપવામાં આવ્યો હતે. આ જવાબ સુપ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી સર ચીમનલાલ સેતલવાડે ઘડો હતે; અને એમાં જરૂરી મુદ્દાઓની વિસ્તારથી અને આધારભૂત રજૂઆત કરવામાં આવી હતી. આ બધી રજૂઆતને અંતે પેઢીએ જે માગણી કરી હતી, તેના મુખ્ય ત્રણ મુદ્દા આ પ્રમાણે તારવી શકાય છે– (૧) સને ૧૮૮૬ ના કરારની ત્રીજી કલમ મુજબ, બંને પક્ષકારોને ખેપાની વાર્ષિક રકમમાં, અંગ્રેજ સરકારની દરમિયાનગીરીથી, ફેરફાર કરાવવાની માગણીને હક પ્રાપ્ત થતો હેવાથી મુંડકાવેરાની પ્રથાને સજીવન કરવાને કઈ અવકાશ રહેતું જ નથી, એટલે જે કઈ નક્કી કરવાનું રહે છે, તે રખોપાની વાર્ષિક ઊચક રકમમાં ફેરફાર કરવાનું જ. (૨) રખોપાના કામકાજ માટે દરબારશ્રીને પહેલાં જે કંઈ ખર્ચ કરવું પડતું હતું તેમાં, બદલાયેલી પરિસ્થિતિમાં, નોંધપાત્ર ઘટાડો થયે છે, કારણ કે, રેલવે વગેરેની સગવડને કારણે, યાત્રિકની મુસાફરી સરળ અને જોખમ વગરની થઈ ગઈ છે. એટલે રૂ. ૧૫,૦૦૦ ની રકમમાં પણ ઘટાડો કરી શકાય એવી સ્થિતિ છે, એટલે એમ કરવાની અમે આપને વિનંતી કરીએ છીએ. (૩) હવે પછી રખેપાની ચુકવણી માટે જે કંઈ ઊચક રકમ નક્કી કરવામાં આવે તે, અમુક વર્ષ પૂરતી મર્યાદિત ન રાખતાં, કાયમને માટે નક્કી કરવી, જેથી ભવિષ્યમાં કોઈ પણ જાતના ઘર્ષણનું કારણ ઉપસ્થિત થવા ન પામે. ૧૫ - આ રીતે દરબારશ્રી તરફથી તથા પેઢી તરફથી પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શેડ આ કની પેઢીના ઇતિહાસ વોટસન સમક્ષ પોતપોતાની વાતની સવિસ્તર રજૂઆત થયા પછી એમણે, તા. ૧૨-૬-૧૯૨૬ ના રાજ, આ ખાખતમાં પેાતાના જે વિસ્તૃત ચુકાદો આપ્યા હતા, એમાં એમણે આ વિવાદના એવા ઉકેલ સૂચવ્યા હતા કે~ (૧) જૈન સ ંઘે દરખારશ્રીને, તા. ૧-૪-૧૯૨૭ થી, વાર્ષિક રૂ. એક લાખ રખાપાની ઊચક રકમ તરીકે આપવા. (૨) આ ગેાઠવણુ દસ વર્ષ સુધી અમલમાં રહેશે. (૩) મુદ્દત પૂરી થયા બાદ આ બાબતમાં કયા માર્ગ અપનાવવો તે હું સૂચવવા માગતા નથી. તેમ જ એ વખતે શે। ફેરફાર કરવો એના અધિકાર સાર્વભૌમ સત્તાના હાથમાં રહેશે, એ પણ હું અત્યારે નક્કી કરવા ઇચ્છતા નથી. ખંધારણીય પરિસ્થિતિ જે રીતે હું સમજુ છું તે મુજખ, જ્યારે આ કરાર ( દસ વર્ષને અ ંતે ) રદ થઈ જશે, ત્યાર પછી, દરખારશ્રી કલ કીર્ટિજે નક્કી કરેલ દરે યાત્રાવેરો ઉઘરાવવાના અધિકાર ભાગવી શકશે. આ બાબતમાં જ્યારે સાભૌમ સત્તાને એમ લાગે કે, પક્ષકારે વચ્ચે એવી પિરસ્થિતિ ઊભી થઈ છે કે જેથી સા`ભૌમ સત્તાને એમ લાગે કે પક્ષકારોની વચ્ચે પડવુ જોઈએ ત્યારે જ એમ કરશે.૬૬ મિ, વેટસનના આ ચુકાદા ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, એમણે, જૈનોની કોઈ પશુ માગણીને વિચારવા લાયક અને વજનદાર માનીને એને પણ ન્યાય મળે એ રીતે પેાતાના ક્રૂ'સલેા આપવાને બદલે, દરખારશ્રીને, એમની માંગણી મુજબ પૂરેપૂરા લાભ થાય તેમ જ છેવટે રૂ. ૨/- મુજખનેા મુડકાવેરા ઉઘરાવવાની એમની માગણી પણુ માન્ય રહે, એ રીતના, સાવ એકતરફી કહી શકાય એવો, ફેસલા આપ્યા હતા; એટલે એ કાઈ પણ રીતે જૈન સંઘને માન્ય થઈ શકે એમ હતું જ નહી.. રખાપાની વાર્ષિ ક રૂ. ૧૫,૦૦૦ ની રકમને લગભગ સાત ગણી વધારી આપવી અને દસ વર્ષને અંતે મુંડકાવેરાના અધિકાર પણ આપવા, એ વાત અગાઉના રખાપાના ત્રણે કરાર સાથે કોઈ પણ રીતે સુસંગત થઈ શકે એમ ન હતી. વિ॰ સ. ૧૭૦૭ના રખાપાના પહેલા કરારમાં તા કોઈ ચોક્કસ રકમ નક્કી કરવામાં નહાતી આવી. પણ સને ૧૮૨૧ માં, કેપ્ટન ખાનવેલની દરમ્યાનગીરીથી, થયેલ રખાપાના ખીજા કરારમાં વાર્ષિક રુ. ૪૫૦૦/-ની ઊચક રકમ ઠરાવવામાં આવી હતી. (આ રકમમાંથી દરખારશ્રીને તે માત્ર વાર્ષિક રૂ. ૪૦૦૦/- જ મળવાના હતા.) તે પછી સને ૧૮૬૩ માં મેજર કીટિ‘જના ફેસલા પ્રમાણે રખાપાની વાર્ષિક રકમ રૂ. ૧૦,૦૦૦] ની ઠરાવવામાં આવી હતી. આ આ બંને કરારમાં દસ વર્ષની મુદ્દત નક્કી કરવામાં આવેલ હાવા છતાં, રૂા. ૪૫૦૦] ના ખીજો કરાર લગભગ ચાર દાયકા સુધી અને ત્રીજો રૂા. ૧૦,૦૦૦ ના કરાર આશરે અઢાર વર્ષ Page #294 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૨૩પ સુધી ચાલુ રહ્યો હતા. અને સને ૧૮૮૧ થી ૧૮૮૬ નો કરાર થયા તે પહેલાંના સને ૧૮૮૧ થી તે સને ૧૮૮૬ સુધીનાં ચાર-પાંચ વર્ષના સમય દરમ્યાન પાલીતાણા રાજ્યે મુડકાવેરા ઉઘરાવ્યા એને લીધે, એક બાજુ યાત્રિકાને અપાર કનડગત ભાગવવી પડી હતી અને બીજી બાજુ જાતજાતની શંકા-કુશંકાએને લીધે, રાજ્ય અને જૈન સ`ઘ વચ્ચેના સબધા ખૂબ કડવાશભર્યાં થઈ ગયા હતા, કે જેને લીધે દરબારશ્રી માનસિહજી ઉપર, અગ્રેજ સરકાર વતી, મિ. એમ. મેવિલે, તા. ૬-૧૨-૧૮૮૫ ના રાજ, જે પત્ર લખ્યા હતા, તેમાં એમણે શત્રુજય પહાડની બાબતમાં શ્રાવકે અને તેમના પિતા (ઠાકાર સુરસિંહજી) વચ્ચે જે ઝઘડા ચાલતા હતા, તેને સતાષકારક નિકાલ લાવવાની સલાહ આપી હતી.૧૭ આ બધાને પરિણામે, સને ૧૮૮૬ ના રખાપાના, વાર્ષિક રૂ. ૧૫,૦૦૦૩ની રકમનેા, ૪૦ વર્ષની મુદ્દતના, ચાથેા કરાર મિ. ડબલ્યુ. સી. વેાટસનની દરમિયાનગીરીથી, થવા પામ્યા હતા, જેની વિગતા આગળ આપવામાં આવી છે. અહી' જૂના રખાપાના કરારોની યાદ આપવાનુ કારણ એ દર્શાવવાનુ` છે કે, મિ. સી. સી. વાટસને રખાપાની વાર્ષિક . એક લાખની રકમના અને દસ વર્ષ બાદ દરખારશ્રીને મુડકાવેરો વસૂલ કરવાની અનુમતિ આપતા, જે ફૈસલેા આપ્યા હતા તે, કોઈ પણ સ જોગામાં, જૈન સઘને માન્ય થઈ શકે એવા હતા જ નહીં. અને આ ફૈસલા પછી જૈન સંઘમાં જે રાષ અને દુઃખની મિશ્ર લાગણી પ્રગટ થઈ હતી, તે એટલી બધી તીવ્ર હતી કે, જેનુ વર્ણન શબ્દાથી ભાગ્યે જ થઈ શકે. વળી, આ સમય એ મહાત્મા ગાંધીજીની રાષ્ટ્રીય આગેવાનીના સમય હતા. અને, સમગ્ર દેશના વાતાવરણમાં, દેશને સ્વતંત્ર બનાવવાની લડતના અંગરૂપ, અહિંસક અસહકાર, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની લડતની ભાવના ખૂબ ઉગ્ર અને વ્યાપક બની ગઈ હતી. એક રીતે કહીએ તા, શ્રીસ'ધની લાગણીઓ ખૂબ ઉશ્કેરાઈ જાય એવી આ પરિસ્થિતિ હતી; પણુ આ પરિસ્થિતિ કેવળ ઝનૂન કે તાાનનુ` રૂપ લે તેા તેથી સરવાળે સંઘના પેાતાના હેતુને જ નુકસાન થવાનું હતું એ વાત પેઢીના વિચક્ષણ સંચાલકે અને શ્રીસંઘના દીર્ઘ દ્રષ્ટિ આગેવાના પણ સારી રીતે સમજતા હતા. એટલે એમણે આ લેાકલાગણીની તીવ્રતાને શાંત છતાં અસરકારક વળાંક આપવાનું નક્કી કર્યું. આ નિર્ણય અનુસાર પેઢીના સ'ચાલકોએ, તા. ૨૭–૭–૧૯૨૬ના રાજ, પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓ તેમ જ જૈન સંઘના અન્ય મેવડીએની મીટિંગ, આ ખાખતને ગ'ભીરતાથી વિચાર કરીને, જરૂરી પગલાં ભરવા માટેના નિય લેવા, અમદાવાદમાં ખેલાવી હતી. આ મીટિંગમાં સર્વાનુમતે એવા નિય લેવામાં આવ્યેા હતા કે, જ્યાં સુધી રખાપાના આ પ્રકરણના સંતાષકારક ઉકેલ ન આવે, ત્યાં સુધી પાલીતાણા રાજ્ય સાથે અસહકાર કરવા માટે કાઈ પણ જૈને શત્રુ જય Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ મહાતીર્થની યાત્રાએ નહીં જવારૂપે, તા. ૧-૪-૧૯૨૬ થી જે અહિંસક અને શાંત લડત શરૂ કરી છે, તે બરાબર ચાલુ રાખવી. ચતુર્વિધ શ્રીસંઘ શત્રુંજય તીર્થ પ્રત્યે જેવી ઉત્કટ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે, તે જોતાં આવા નિર્ણયનું પાલન કરવું એ એને માટે ભારે કપરી અને વસમી વાત હતી. પણ, મિ. વોટસનના ચુકાદાને કારણે, સંજોગે એવા વિલક્ષણ અને દૂરગામી તેમ જ નુકસાનકારક પરિણામ નીપજાવે એવા ઊભા થવા પામ્યા હતા કે, આવું કઈ જલદ પગલું ભર્યા વગર એમાં સમુચિત ફેરફાર થાય એવી કોઈ શક્યતા દેખાતી ન હતી. એટલે સમગ્ર જૈન સંઘ, દુભાતે દિલે છતાં પૂરી દઢતા સાથે, આ નિર્ણયને માથે ચડાવ્યો હતો અને એનું અણિશુદ્ધ પાલન કરવાને સંકલ્પ કર્યો હતો. પરિણામે શત્રુંજયની યાત્રા માટે બહારગામથી એક ચકલુંય ન ફરકે એવી અપૂર્વ સ્થિતિ ઊભી થવા પામી હતી. અહીં એ સ્વીકારવું જોઈએ કે, પેઢીએ શ્રીસંઘને આ માર્ગે દોરીને આ પ્રશ્નને એક રીતે રચનામક રૂપ આપ્યું હતું, જે પેઢીની દઢતા, દૂરંદેશી અને શાણપણભરેલી નીતિનું જ પરિણામ હતું. જૈન સંઘે શરૂ કરેલ અસહકાર જેવા આ આંદોલને જાહેર જનતામાં પણ કે ઉત્સાહ પ્રગટાવ્યો હતો તે વાત એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, મુંબઈમાં, તા. ૧૩-૮-૧૯૨૬ ના રેજ, શ્રીમતી સરોજિની નાયડુના પ્રમુખપદે, કોટન જૈન સંઘે બોલાવેલી, મુંબઈના નાગરિકોની જાહેરસભા મળી હતી અને એમાં, પાલીતાણા દરબારના આ પગલાને વખોડી કાઢીને, જૈન સંઘે એની સામે શરૂ કરેલ સત્યાગ્રહને વધાવી લેવામાં આવતો નીચે મુજબને ઠરાવ કરવામાં આવ્યો હત– - “આ સભા શ્રી શત્રુંજય તીર્થ.ગિરિના સંબંધમાં પાલીતાણાના ઠાકોર સાહેબે અપનાવેલ ગેરકાયદે અને અન્યાયી વલણ પ્રત્યે પિતાનાં દુઃખ અને અસ્વીકારને ભાવ દર્શાવે છે; અને જેનોએ સંતોષકારક સમાધાન ન થાય ત્યાં સુધી જે સત્યાગ્રહ શરૂ કર્યો છે, તેને ટેકો આપે છે; અને આ ઠરાવની નકલ વાઈસરોય, કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ, પાલીતાણાના ઠાકોર સાહેબ અને આણંદજી કલ્યાણજીને મોકલી આપવાની પ્રમુખશ્રીને સત્તા આપે છે.”૧૯ એક તરફ જૈન સંઘ, શત્રુંજયની યાત્રા બંધ કરવાના પેઢીના આદેશનું પૂરેપૂરું પાલન કરવા માંડ્યું હતું તેને લીધે, દેશભરના જૈન સંઘમાં આ પ્રશ્ન પરત્વે અભૂતપૂર્વ કહી શકાય એવાં રસ, જાગૃતિ અને એકતાની લાગણી ઊભાં થયાં હતાં, તે બીજી તરફ આ પ્રશ્નને સંતોષકારક નીવડે વહેલામાં વહેલે આવે એ અંગે ઘટતા પ્રયત્ન કરવા માટે પેઢીના સંચાલક તેમ જ જૈન સંઘના વગદાર અગ્રણીઓ પૂરેપૂરા સજાગ અને પ્રયત્નશીલ બન્યા Page #296 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા ખેપાના કરાશે ૨૩૭ હતા. કારણ કે, તેઓ આ પ્રશ્ન લાંબા વખત સુધી અણઊકલ્ય રહે અને યાત્રાનાં બહિષ્કાર ચાલુ રાખવો પડે, એવું મુદ્દલ ઈચ્છતા ન હતા. તેથી એના ઉકેલના શક્ય પ્રયત્નો તેઓ તન-મન-ધનથી કરતા હતા. આ માટે પેઢીના તે વખતના વહીવટદાર પ્રતિનિધિઓએ પહેલાં વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ રીડીંગની, પ્રતિનિધિ મંડળરૂપે, રૂબરૂ મુલાકાત લઈને જૈન સંઘને કેસ સમજાવવા પ્રયત્ન કર્યો હતે. પણ આ કેસને નિકાલ કરે તે પહેલાં જ તેઓ નિવૃત્ત થયા એટલે તેઓએ, તા. ૩૧-૩-૧૯૨૭ ના રેજ, નવા વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ ઈરવિનને એક સવિસ્તર અપીલ કરી હતી. આ અપીલમાં રખોપાના આ સવાલ ઉપર પ્રકાશ પાડતી આગળપાછળની અનેક આધારભૂત વિગતે રજૂ કરીને, પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસને આપેલ ચુકાદો કેટલે અન્યાય ભરેલો હતો એની ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી, અને અંતે, પોલિટિક એજન્ટને આપવામાં આપેલ જવાબમાં જે માગણીઓ રજૂ કરવામાં આવી હતી, એ જ મતલબની નીચે મુજબ ત્રણ માગણીઓ કરવામાં આવી હતી– (૧) રૂ. ૧૫,૦૦૦) ની રખેપાની રકમમાં ફેરફાર કરે. પડે એવા કેઈ સંજોગો ઊભા થવા પામ્યા નથી. અને છતાં, જે એમાં ફેરફાર કરે જ હોય તો, એમાં ડોઘણે પણ ઘટાડો જ કરે પડે એવી અત્યારની સ્થિતિ છે. (૨) કઈ પણ સંજોગોમાં મુંડકાવેરો ઉઘરાવવાની પ્રથા ફરી શરૂ કરવાની દરબારશ્રીને અનુમતિ ન જ આપવી જોઈએ. . (૩) અમારી આ અપીલનો નિકાલ કરતાં પહેલાં અમારી વાત આપની સમક્ષ રજૂ કરવા માટે આપની મુલાકાત લેવાની તક અમને મળવી જોઈએ.” આ અપીલ કર્યા પછી, આ બાબતને સંતોષકારક નિકાલ લાવવા માટે, કેટલીક બિનસત્તાવાર વાતચીત અથવા વાટાઘાટે કરવામાં અને એમ કરીને અંતિમ સમા; ધાનની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં કેટલેક સમક ગયે હશે. છેવટે તા. ૨૨-૫-૧૯૨૮ ના રોજ, સિમલા મુકામે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ તથા જૈન સંઘના અગ્રણીએએ પિતાને કેસ નામદાર વાઈસરોય સમક્ષ રજૂ કરવા માટે પહોંચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને તે મુજબ શેઠ કીકાભાઈ પ્રેમચંદ, શેઠ કરતુરભાઈ મણિભાઈ નગરશેઠ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તથા શેઠ પ્રતાપસિંહ મેહોલાલભાઈ સમયસર સિમલા મુકામે પહોંચી ગયા હતા. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ એ વખતે પરદેશ હોઈ એ પ્રતિનિધિ મંડળમાં સામેલ થઈ શક્યા નહતા. પ્રતિનિધિ મંડળને કાયદાની સલાહ આપવા માટે મુંબઈથી બે જાણીતા એડવોકેટે: સર ચીમનલાલ સેતલવાડ તથા શ્રી ભુલાભાઈ દેસાઈ પણ સિમલા ગયા હતા. આ પ્રસંગે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શેઠ આ૦ કરની પેઢીને ઈતિહાસ પાલીતાણાના દરબારશ્રી બહાદુરસિંહજી પણ સિમલા પહોંચ્યા હતા. આ બાબતની વાટાઘાટને અંતે, તા. ૨૬-૫-૧૯૨૮ ના રોજ, જૈન અને પાલીતાણું રાજ્ય વચ્ચે, ૨૦ કલમે જેટલું વિસ્તૃત કરારનામું થયું હતું અને તે બંને પક્ષે મંજૂર કર્યું હતું. તેમ જ નામદાર વાઈસરોય લોર્ડ ઈરવિને પણ એના ઉપર, હિંદી સરકારની વતી, મંજૂરીની સહી કરી હતી. આ કરારનામું આ પ્રમાણે છે કરારનામું ૧. શંત્રુજયને ડુંગર પાલીતાણા રાજયની સરહદમાં અને, ઈ. સ. ૧૮૭૭ માર્ચ તા. ૧૬ મીના સરકારી ઠરાવ નં. ૧૬૪૧માં જણાવેલ જેનોના હકકો અને મર્યાદાઓને બાધ ન આવે તે રીતે, તે રાજ્યની હકુમત નીચે આવેલો છે. ૨. ગઢની અંદર આવેલ સર્વ જમીન, વૃક્ષો, મકાનો તેમ જ બાંધકામને ધાર્મિક તેમ જ તેને લગતા હેતુઓ માટે ઉપગ કરવાને જ કુલ મુખત્યાર છે, અને ફેજદારી કારણ બાદ કરતાં દરબાર તરફથી કઈ પણ જાતની દરમિયાનગીરી કે દખલગીરી સિવાય ઉક્ત ધાર્મિક મિલ્કતને વહીવટ કરવાને જૈનો હક્કદાર છે. “૩. જેનોને જ્યારે જરૂર જણાય ત્યારે ગઢની દિવાલે અત્યારે જ્યાં છે તેમાં જરા પણ સ્થાનાન્તર ન થાય એ રીતે, દરબારની મંજુરીની અપેક્ષા સિવાય, ફરીથી બાંધવાની, સમરવાની તેમ જ સંભાળવાની જેનેને સત્તા રહેશે. ગઢની કઈ દિવાલ જે કઈ મંદિરના વિભાગરૂપે હશે તે મંદિરની ઊંચાઈ જેટલી વધારવી હોય તેટલી તે ગઢની ભીંતને ઉંચી લેવાની જૈનોને છુટ રહેશે અને ગઢની બાકીની ભીતિ વધારેમાં વધારે પચીશ ફીટ સુધી ઉંચી લઈ શકાશે. ૪. ડુંગર ઉપરના અને ગઢની બહારના મંદિરોને વહીવટ નો દરબારની કશી દખલગીરી સિવાય કરી શકશે. પ. ડુંગર ઉપર અને ગઢ બહાર આવેલાં પગલાં, દેરીઓ, કુંડ તથા વિસામા – આ સર્વ જૈનોની માલીકીના ગણાશે અને તેનું સમારકામ દરબારી રજાની અપેક્ષા સિવાય જેને કરી શકશે. કુંડ અને વિસામા ઉપગ જૈન જૈનેતર સર્વ માટે ખુલ્લું રહેશે. ૬. તે તે કુંડામાં પાણી પુરૂ પાડતી નહેર કે નીકે પાલીતાણા દરબાર સંભાળશે તથા વખતોવખત સમરાવતા રહેશે. ૭. ડુંગરની તળાટીથી ગઢ સુધી જવાનો અને છુટીછવાઈ દિવાલ તથા પગથીયાં બાંધેલ માટે રસ્ત, જાહેરના ઉપગ માટે હંમેશાં ખુલ્લો રહે એ શરતે જેનો Page #298 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રપાન કરાશે ૨૩૮ દરબારની કશી રજાની અપેક્ષા સિવાય પિતાના ખર્ચે સંભાળશે તથા સમરાવશે. “૮. પાલીતાણ દરબાર પોતાને ખર્ચે નીચેના રસ્તા સંભાળશે તથા સમરાવશે– (ક) શ્રી પૂજ્યની ટુકે જવાને માટે રસ્તે. (બ) ઘેટીની પાગ. (ગ) રેહશાળાની કેડી. (ઘ) છ ગાઉન રતે. () શેત્રુંજી નદીની કેડી. (ચ) દેઢ ગાઉને રસ્તે. (છ) છ ગાઉ અને રોહીશાળાના રસ્તાઓને વચગાળે મળતા ઉપમાર્ગો. જેનોને આ રસ્તાઓને મફત ઉપગ કરવાની પૂર્ણ સત્તા રહેશે. ૯ કેન્ડીના રિપોર્ટમાં જણાવેલ અન્યધમીઓને જે દેવસ્થાનો શત્રુંજય ઉપર આવેલા છે, તેમાંથી મહાદેવનું મંદિર બાદ કરતાં ઈગારશા પીર વિગેરે સર્વ દેવસ્થાને ઉપર સત્તા અને હકુમત જેનોની રહેશે. ઉક્ત મહાદેવના મંદિરની આસપાસ ભીતે ચણી લઈને તેને ગઢથી છુટું પાડવામાં આવશે અને ત્યાં જવા આવવા માટે ગઢ બહાર ઈલાયદે રસ્તો કાઢવામાં આવશે અને એમ કરવામાં ભીમકુંડ અને સુરજકુંડને મહાદેવના મંદિરથી બહાર રાખવામાં આવશે. ૧૦. ગઢની અંદરના મંદિરો તેમ જ ડુંગર ઉપરના દેવસ્થાનો જેવા આવનાર બહારના માણસોએ કેમ વર્તવું? તે વિષે યોગ્ય નિયમ કરવાની જેનોને સત્તા રહેશે, પણ જૈનેતર દેવસ્થાન સંબંધી તેની રીતસર પૂજા કરવામાં આવે ન આવે તેવા નિયમો કરવાની સંભાળ લેવામાં આવશે. ૧૧. મેટા રસ્તાની કેડી તેમ જ ગઢ બહાર અને ડુંગર ઉપર આવેલાં મંદિરે, પગલાં, દેરીઓ, છત્રીઓ, કુડો તથા વિસામાઓનાં પ્રત્યેક સ્થાનને બરોબર સૂચવનાર નકશે તૈયાર કરવામાં આવશે. આ નકશે આ કરારનામાના એક અંગ તરીકે ગણાશે અને તેની બરાબર ચેકસી કરવામાં આવશે. ૧૨. જૈન મંદિરમાંની મૂર્તિઓના શણગાર માટે બનેલાં જે કાંઈ ઘરેણાં તથા ઝવેરાત આણંદજી કલ્યાણજી તરફથી લાવવામાં આવે તે ઉપર કશી જગાત લેવામાં નહિ આવે. જે વસ્તુઓ ઉક્ત ઉપયોગ માટે છે એમ આણંદજી કલ્યાણજીની પેઢીને મુનિમ જણાવશે તેના ઉપર જગાત માફ કરવામાં આવશે. ૧૩. આ કરારનામામાં જણાવેલ જેનોના હક્કો સંબંધમાં અને આ કરારનામાની શરતે પાળવાના સંબંધમાં જ્યારે કાંઈ પણ તકરાર પડે ત્યારે જેનોએ પાલીતાણ ઠાકરની હજુરમાં અરજી કરવી અને તે બાબતમાં પાલીતાણા ઠાકરને ચુકાદે જેનોને પસંદ ન આવે તે તેઓ એજન્ટ ટુ ધી ગવર્નર જનરલની પાસે રજુઆત કરે. અને એજન્ટ બને Page #299 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ પક્ષને સાંભળી પાતાના નિર્ણુય જણાવે. અને એ નિર્ણાંયથી સતાષ ન પામે તે પક્ષ આથી આગળના ઉચા અધિકારીઓને રીતસર અપીલ કરી શકે, 66 ૧૪. પાંત્રીશ વર્ષ માટે રૂપિયા ૬૦,૦૦૦) ની વાર્ષિક રકમ પાલીતાણા ઠાકાર લેવાને અને જૈનો આપવાને બંધાય છે. આ ખંધનના અમલ ઈ. સ. ૧૯૨૮ ના જુન માસની તા. ૧ લીથી કરવામાં આવશે અને પહેલ' ભરણું ઈ. સ. ૧૯૨૯ ના જીન માસની તા. ૧ લી એ કરવામાં આવશે અને પછીના વર્ષોમાં તે તે તારિખે ભરણાં ભરવામાં આવશે. ઉપરના ભરણાના પરિણામે દરખાર યાત્રાવેરા કે એવા કાઈ પણ કર યાત્રાળુઓ પાસેથી નહીં ઉઘરાવવાને કબુલ કરે છે. આ ભરણામાં ‘ મલણુ’ અને તેવા ખીજા કરાના સમાવેશ થઈ જાય છે. હું ૧૫. આ પાંત્રીશ વર્ષની મુદ્દત ખલાસ થયે તે વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવા માટે કોઈ પણ પક્ષ માગણી કરી શકશે અને આવા ફેરફાર કબુલ રાખવા કે નામંજુર કરવા તે વિષે અન્ને પક્ષને સાંભળીને નિય આપવાની સત્તા અંગ્રેજ સરકારને રહેશે. દર વર્ષે કેટલી રકમ આપવી અને તે કેટલી મુદત સુધી આપવી તે આવી દરેક મુદ્દત ખલાસ થયે અગ્રેજ સરકાર નક્કી કરી આપશે. “ ૧૬. ઉપર જણાવેલ વાર્ષિક ભરણ પાકતી ભરવામાં ન આવે ત્યારે પાલીતાણા દરબારના માર્ગ નક્કી કરશે. “ ૧૭. મુ`બઈ સરકારના પેાલીટીકલ ખાતાના ઇ. સ. ૧૯૨૨ જુલાઈ ૫ મી તારીખના ઠરાવ નં. ૧૮૩ ટી. તથા ૧૯૨૭ મેની ૨૫ મી તારીખના ઠરાવ નં. ૮૪૪–૧–૬ માં જણાવેલા હુકમા અને ૧૯૨૪ ઓકટોબર ૯ મી તારિખના મુખઈ સરકારના પત્ર નં. ૧૨૮૧ ખી. માં જણાવેલા હિંદી પ્રધાનના હુકમા જે જે બાબતમાં આ કરારનામાના સર્વાશે કે કોઈ પણ્ અંશે વિશધી હોય તે સર્વ રદ કરવામાં આવે છે. તારિખથી એક માસ સુધીમાં એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ “ ૧૮. આ બધી ખાખતાના સબંધમાં બન્ને પક્ષ તરફથી અત્યાર સુધીમાં કરવામાં આવેલ અપીલેા તેમ જ મેમેરીયલેાના આ કરારનામાથી નીકાલ થયા ગણાશે. દ્ર ૧૯. દરખાર શબ્દથી પાલીતાણા રાજ્ય એમ અર્થ સમજવાના છે અને જના ’ શબ્દથી શેઠ આણંદજી કલ્યાણજી અને તેના વારસદારા જેના પ્રતિનિધિ તરીકે કામ કરે છે તે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમુદાય સમજવાના છે. “ ૨૦. આ કરારનામું બન્ને પક્ષેાએ રજૂ કર્યુ છે અને હિંદી સરકારે મંજૂર કર્યું છે. ૧૯૨૮ ની મે તા. ૨૬, સીમલા. " Page #300 -------------------------------------------------------------------------- ________________ પાલીત્તાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો “ કીકાભાઈ પ્રેમચંદ 66 કસ્તુરભાઈ એમ. નગરશેઠ. માણેકલાલ મનસુખભાઈ. “ સારાભાઈ ડાહ્યાભાઈ શેઠ. 66 અમૃતલાલ કાળીદાસ શેઠ. “ પ્રતાપસિ'હુ માહાલાલ શેઠ, હિંદુસ્તાનની જૈન કામના કાયદેસરના પ્રતિનિધિઓ. “ અમારી રૂબરૂ સહીઓ કરી છે. ( સાક્ષીએ ) ૮ સી. એચ. સેતલવાડ, ૬ ભુલાભાઈ જે. દેસાઈ. ’ ૩૧ 66 ૨૪૧ ‘· અહાદુરસિ’હુ પાલીતાણાના ઠાકોર સાહેબ. ” “ સીમલામાં ૧૯૨૮ મે તા. ૨૬મીએ હિંદી સરકારે મજૂર કર્યું.. “ ઇરવીન ,, “ વાઈસરાય એન્ડ ગવર્નર જનરલ ૭.૧ "" ( “જૈન ધર્મ પ્રકાશ ” માં છપાયેલ, તે સાભાર અહીં રજૂ કર્યું છે; ભાષાંતરકર્તા, શ્રી પરમાનંદ ભાઈ કુંવરજી કાપડિયા ) આ સમાધાન થયા પછી, શ્રી શત્રુંજય તીર્થની યાત્રા, તા. ૧-૬-૧૯૨૮ ના રાજ, શરૂ કરવાના વિધિ પાલીતાણાના નામદાર ઠાકાર સાહેબના હસ્તે જ કરાવવાનું નક્કી કરીને, તા. ૨૮-૫-૧૯૨૮ ના રાજ, શેઠ આણ’દજી કલ્યાણજીની પેઢી તરફથી, શ્રીસંધ જોગ નીચે મુજબ પરિપત્ર પ્રગટ કરીને, જુદાં જુદાં શહેરી અને ગામામાં, તરત પાઠવવામાં આવ્યા હતા— ** શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી તરફથી જણાવવાનું કે, શ્રી શત્રુંજયની ખાખતમાં સંતાષકારક સમાધાની થઈ ગઈ છે તે જાણી આપ સર્વ ભાઈ એને હર્ષ થશે. એ સમાધાની પ્રમાણે શ્રી શત્રુંજયની યાત્રા તા. ૧ જુન સને ૧૯૨૮ ના દીવસે ખેાલવાની છે. આપણી વિનંતીથી પાલીતાણાના નામદાર ઠાકોર સાહેખ એ શુભ ક્રિયા તે દીવસે કરશે તેથી હવે સર્વ ભાઈએ પાલીતાણે જાત્રા કરવા સારૂ પધારશે. “ ઉપરની ખબર આપના ગામમાં તથા આજુબાજુના ગામમાં આપશે. (સહી) “ ભગુભાઈ ચુનીલાલ વહીવટદાર પ્રતિનિધિ ’ Page #301 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ આ પ્રકરણને કારણે તેમ જ અગાઉ બનેલ કેટલાક બનાવાને લીધે પશુ, પાલીતાણા રાજ્ય અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા જૈન સ'ધ વચ્ચે કેટલી બધી કડવાશ અને કલેશ-દ્વેષની લાગણી ઊભી થવા પામી હતી, તે જગજાહેર હતું. આવી વેદના અને તીવ્રતાથી ઊભરાતી લાગણી, બે વર્ષ કરતાંય લાંબા સમય સુધી, ચાલુ રહી હાવા છતાં આ સમાધાન થયા પછીના પહેલા જ અઠવાડિયામાં, જાણે એ કડવાશ, વેદના અને કલેશ-દ્વેષની લાગણીની તીવ્રતાને જૈન સંઘ તરત જ ધોઈ નાખવા અથવા વીસરી જવા ઈચ્છતા હેય, અને પાલીતાણાના ઠાકાર સાહેબ સાથે શાંતિ-સુલેહ-સ'પથી રહી શકાય એવુ' એખલાસભર્યુ' વાતાવરણ સર્જવા માંગતા હાય, એવી ખેલદિલી, શાણપણ અને દૂરદેશીથી ભરેલી પેઢીની આ જાહેરાત હતી. અને એ પેઢીના સ'ચાલકામાં તથા જૈન સંઘના મુખ્ય મેવડીએમાં ટકી રહેલ મહાજન તરીકેની વિશિષ્ટ ઉદારતા, આવડત અને કુનેહની સાખ પૂરતી હતી. ૨૪૨ આ કરારનામાં ઉપરથી જોઈ શકાય છે કે, ગઢ, રસ્તા વગેરેના હક્કોની ખાખતમાં તથા એના સમારકામ વગેરેની ખાખતમાં તેમ જ જૈનેતર દેવસ્થાનાની માલિકી તથા સાચવણીના જૈન સંઘના અધિકારની બાબતમાં પાલીતાણા રાજ્ય સાથે પેઢીને કે જૈન સંઘને ભવિષ્યમાં ઘણુમાં ઊતરવું ન પડે એ જાતની પૂરેપૂરી ચાખવટ એમાં કરવામાં આવી હતી. ઉપરાંત જ્યારે આ કરારની ૩૫ વર્ષની સમયમર્યાદા પૂરી થાય ત્યાર પછી પણ રખાપાની રકમમાં ફેરફાર કરીને નિશ્ચિત રકમ જ નક્કી કરવાનું કરારમાં સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યું હતું. આના અર્થ એ થયા કે, ભવિષ્યમાં કઈ પણ સજોગમાં પાલીતાણા રાજ્ય શ્રી શત્રુંજયના યાત્રિકા પાસેથી મુડકાવેરા ઉઘરાવવાની, પહેલાં કયારેક કયારેક ચાલુ રહેલી, પ્રથાને ફરી ચાલુ ન જ કરી શકે, એવી પાકી જોગવાઈ આ કરારમાં કરવામાં આવી હતી. આના લીધે યાત્રિકાને મુકાવેરા નિમિત્ત ભવિષ્યમાં કનડગત થવાની કેાઈ શકયતા રહેવા પામી ન હતી. જૈન સંધમાં વ્યાપેલ હર્ષ અને ઉત્સાહ આ કરાર થવાને લીધે જૈન સ`ઘમાં ખૂબ હર્ષ વ્યાપી ગયા હતા અને સહુએ આ કરારને ઉત્સાહથી વધાવી લીધા હતા. આ કરારને લીધે સઘમાં વ્યાપેલ ઉત્સાહના પ્રમાણુના ખ્યાલ ફક્ત એક જ દાખલા ઉપરથી પણ આવી શકશેઃ હુમલીના શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન મહાજને આ પ્રસંગે જે ખુશાલી વ્યક્ત કરી હતી, અને એની ઉજવણી, જેવા ઉલ્લાસથી, મોટા પાયા ઉપર, કરી હતી, તે તેમના તા. ૭-૬-૧૯૨૮ના Page #302 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાષાના કરારે ૨૪૩ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી ઉપર લખેલા પત્ર પરથી જાણી શકાય છે. એ પત્રમાં તેઓએ લખ્યું હતું કે— “ જત વિનંતી સાથે લખવાનું કે, આપના તરફથી જુદા જુદા નામે ત્રણ પત્રા મળ્યા તેમ જ આસપાસના ગામેમાં મોકલવાના બીજા પત્રાનુ' બંડલ પણ મળ્યુ છે. તે સુચનાનુસાર આસપાસના ગામે મેાકલાવ્યા છે તે જાણશે. “ આ પત્રા મળ્યા પહેલાં જ ન્યુસ-પેપરાથી જાણવામાં આવ્યું કે તા. ૧-૬-૨૮ થી જાત્રા ખુલ્લી થયાના સતાષકારક ઠરાવ અન્ને પક્ષ વચ્ચે સમાધાનીથી થઈ ગયા તેથી તે દિવસે અહીં એક ઉત્સવ તરીકે તે દિવસને માની પાખી પાળવામાં આવી હતી, તેમ જ ધામધૂમથી ૯ પ્રકારની પુજા ભણાવવામાં આવી, સૌ ભાઈએ એકત્ર થઈ ગાજતેવાજતે અરસપરસ મળવા નીકળી પડયા હતા, ઘર દીઠ સાકરની લાણી કરવામાં આવી હતી, તેમ જ સ્વામીવાત્સલ્યનું જમણુ કરવામાં આવ્યું હતું. અને ગરીબોને લગભગ ૫૦૦ મણુ મીઠાઈ છૂટે હાથે વેચવામાં આવી હતી. આ પ્રમાણે તે સુવણૅ મય દિવસ ઉજવવામાં આવ્યેા હતા તે સહજ જણાવવામાં આવે છે. "eil. “ શા કરમસી ખેતસી સદર સસ્થાના વહિવટદાર ” આ પત્રમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે જ, દેશના બધા વિભાગેામાં, જુદાં જુદાં સ્થાનામાં, નાના-મોટા ધાર્મિક કાર્યક્રમા ચાજીને, જે તે સ્થાનાના સંઘાએ, પેાતાને હ-ઉલ્લાસ પ્રદશિર્ષાંત કર્યાં હતા. અને એમ કરીને આ કરારને એટલે કે યાત્રામુક્તિના આ સેાનેરી અવસરને અતરના ઉમળકાથી વધાવી લીધા હતા. પેઢીને માટે તા આ ઘટના પેાતાની કાર્યવાહીની સફળતા અને ધન્યતાનો વિશિષ્ટ અનુભવ કરાવે એવી ઐતિહાસિક ઘટના પુરવાર થઈ હતી, એમ કહેવુ. જોઈ એ. આ રીતે આ પ્રકરણના સુખદ અંત આવતાં બે વર્ષ અને બે માસ જેટલા લાંબા સમય સુધી ચાલેલ શ્રી શત્રુ ંજય તીર્થની યાત્રા ધીરૂપે પાલીતાણા રાજ્ય સામે ચાલેલ અસહકારના આંદોલનના અંત આવ્યા હતા અને ફરીથી યાત્રા, આનંદ અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે, શરૂ થઈ હતી. જૈન સ ંઘે દાખવેલ યાત્રાખંધીની આવી દાખલારૂપ મક્કમતાને લીધે દરબારશ્રીને, તા. ૧-૪-૧૯૨૬ થી તા. ૩૧-૫-૧૯૨૮ સુધીની, એ વર્ષ અને એ માસ જેટલા સમયની આવક ગુમાવવી પડી હતી ! Page #303 -------------------------------------------------------------------------- ________________ શેડ આ કની પેઢીના ઇતિહાસ આ સમાધાન થયા પછી રખાપાની વાર્ષિક રૂ. ૬૦,૦૦] ની રકમ, નિયમિત રીતે અને વખતસર, પાલીતાણાના દરખારશ્રીને ચૂકવી શકાય એટલા માટે અમદાવાદ તથા મુ.બઈમાંથી એટલી રકમનું ફંડ એકત્ર કરવામાં આવ્યુ` હતુ` કે જેના વ્યાજમાંથી રખેાપાની રકમની ચૂકવણી કરી શકાય અને એ માટે પેઢોને કે શ્રીસ'ધને ખીજી કશી ચિંતા કરવાની જરૂર ન રહે. ૨૪૪ રખેાપાની રકમની માફી સને ૧૯૪૮ માં ભારતનાં દેશી રાજ્યેા સ્વતંત્ર ભારતમાં ભળી ગયાં અને એ જ અરસામાં સૌરાષ્ટ્ર સરકારની રચના થઈ, એટલે એ સરકારના પહેલા મુખ્ય પ્રધાન શ્રી ઉછરંગભાઈ ઢેબરે રખાષાની આ રકમ લેવાનું બંધ કર્યુ. એટલે પછી શત્રુ જયની યાત્રા ઉપર કાઈ પણ જાતના સરકારી લાગા, કર કે હકરૂપે પ્રતિબંધ રહેવા ન પામ્યા. અને આ મહાતીની યાત્રા સર્વથા કરમુક્ત બની ગઈ. હવે જ્યારે રખાપા નિમિત્તે કોઈ પણ જાતની રકમ સરકારને નિયમિત રીતે ભરવાની ન રહી એટલે પછી વાર્ષિક રૂ. ૬૦,૦૦] ની વ્યાજની ઊપજ માટે જે ભડાળ એકત્ર કરવામાં આવ્યું હતું તેને, સ્વતંત્ર જુદા ફૅડરૂપે ન રાખતાં, પેઢી હસ્તકના સાધારણ ખાતાની રકમ સાથે ભેળવી દેવામાં આવ્યું, આ રીતે શ્રી શત્રુ ંજય મહાતીર્થના રખાપા અંગે પાલીતાણા રાજ્ય સાથે કુલ જે પાંચ કરાર થયા હતા, તેની વિગતે પૂરી થઈ અને છેલ્લા રખાપાના કરારના અંત સાથે આ આખું પ્રકરણ પણ પૂરુ થાય છે. આમ છતાં, એ પૂરુ' કરતાં પહેલાં, એ મહત્ત્વની ખાખતા અહીં ખાસ ધ્યાનમાં લેવા જેવી હેાવાથી, તેના નિર્દેશ પણ અહી' કરવા જોઈ એ, જે નીચે પ્રમાણે છે (૧) જ્યારે અંબાજી, દ્વારકા, આબુ-દેલવાડા વગેરે તીર્થસ્થાનેામાં યાત્રિકા પાસેથી મુંડકાવેરા વસૂલ કરવામાં આવતા હતા અને પાલીતાણા રાજ્ય તરફથી પેાતાને શત્રુજયના યાત્રિકા પાસેથી મુ`ડકાવેરા ઉઘરાવવાની અનુમતિ આપવાની માગણીના સમર્થનમાં આ દાખલાએ ભારપૂર્વક રજૂ કરવામાં પણુ આવતા હતા, ત્યારે પણ શત્રુંજયના યાત્રિકા, કેટલાંક વર્ષોનાં અપવાદને બાદ કરતાં, મોટા ભાગના સમય માટે, મુડકાવેરાની કનડગતમાંથી મુક્ત રહી શકયા હતા અને પાલીતાણા રાજ્યને રખાપાની વાર્ષિક બાંધી રકમ લેવાની ગેાઠવણથી જ સતેાષ માનવા પડ્યો હતા, તે ખીના આ ખાખતમાં પેઢી કેટલી જાગૃત અને પ્રયત્નશીલ રહેતી હતી અને એના સંચાલકે તથા અન્ય જૈન આગેવાના પણુ બ્રિટીશ હકૂમતમાં કેટલા પ્રભાવ ધરાવતા હતા, એવું સૂચન કરે છે. સાથે સાથે એટલું પણ Page #304 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે ૨૪૫ ખરું કે, જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે, પેઢી તરફથી પોતાની વાતની રજૂઆત મુદ્દાસર, મકકમપણે અને ન્યાયસંગત રીતે જ કરવામાં આવતી હતી, અને એ માટે ઊંચામાં ઊંચી કક્ષાના કાયદાના નિષ્ણાતોની સલાહ લેવામાં કોઈ પણ જાતની ઉપેક્ષા કે કરકસર કરવામાં આવતી ન હતી. આ આખી બીના પેઢીના વહીવટની પ્રતિષ્ઠામાં વધારે કરે એવી અને એના માટે વિશેષ માન ઉપજાવે એવી છે. નાના કે મેટા કેઈ પણ જાતના હક્કની રક્ષાની બાબતમાં જરા પણ ગાફેલ ન રહેવું અને એ માટે છેવટ સુધી પૂરેપૂરે પ્રયત્ન કરે, એ પેઢીને મુદ્રાલેખ બની ગયા છે. (૨) જ્યારે જ્યારે મુંડકાવેરાના અવેજમાં રખોપાની બાંધી રકમ નકકી કરવાને પ્રસંગ આવ્યો છે, ત્યારે ત્યારે પેઢીએ હંમેશાં એવું જ મક્કમ વિધાન કર્યું છે કે, રોપાની આવક એ કંઈ પાલીતાણા રાજ્યની બીજી મહેસૂલી આવક કે કર જેવું ચાલુ સાધન નથી, પણ ભારતભરના જૈન સંઘ અને પાલીતાણું રાજ્ય વચ્ચે થયેલ રખોપાના વિશિષ્ટ પ્રકારના કરારના બદલામાં આપવામાં આવતી રકમ છે. પાલીતાણા રાયે આ વાતને સ્વીકાર કરવા અનેક વાર આનાકાની કરી હતી, પણ એ બાબતમાં જૈન સંઘે જરા પણ મચક આપી ન હતી.૭૨ રખોપા કરાર એ, યાત્રિકોને આપવાના રક્ષણના બદલામાં દરબારશ્રીને આપવાની રકમને લગતે કરાર હતો, એટલે જ્યારે પણ કઈક યાત્રિકની મિલકતને નુકસાન થતું ત્યારે પાલીતાણા રાજ્ય એ ભરપાઈ કરી દેવું પડતું હતું, આ વાતની ખાતરી નીચેના પ્રસંગ ઉપરથી પણ થઈ શકે છે . સને ૧૮૮૬નો પાલીતાણું રાજ્યના ૪૦ વર્ષની મુદતને વાર્ષિક રૂ. ૧૫,૦૦) ને રખેપાને કરાર સને ૧૯૨૬માં પૂરે થતું હતું. તે અંગે પાલીતાણા દરબારશ્રીએ કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. ટસનને જે અરજી કરી હતી, તેના જવાબમાં પેઢી તરફથી તા. ૨૩-૪-૧૯૨૬ ના રોજ જે અરજી કરવામાં આવી હતી, તેના ૪૫ મા ફકરા ઉપરથી જાણવા મળે છે કે, સને ૧૮૭૪ની સાલમાં, એક સંઘના યાત્રિકને કંઈક નુકસાન થયું હતું અને એ ભરપાઈ કરવા માટે, પોલિટિકલ એજન્ટની સૂચના મુજબ, પાલીતાણ દરબારશ્રીને, સને ૧૮૭૬ માં, રૂ. ૪૩૦૦/- જેવી રકમ ચૂકવવી પડી હતી. આ બનાવની સવિસ્તર માહિતી “પાલતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ” નામે અગિયારમા પ્રકરણમાં આપવામાં આપવામાં આવી છે. સમાધાન અંગે કરવામાં આવેલ વિશેષ પ્રયત્ન પાલીતાણાના દરબારશ્રીએ રૂ. ૧૫,૦૦૦) નો કરાર, તા. ૩૧-૩-૧૯૨૬ ના રોજ પૂરું થયા પછી, પિતે આ બાબતમાં શું ઈચ્છે છે એની સવિસ્તર રજૂઆત કરતે જે પત્ર, તા. ૧૪-૯-૧૨૫ ના રેજ, એજન્સીને લખ્યું હતું, એની વિગતે આગળ આપી Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ દેવામાં આવી છે. દરબારશ્રીની આ અરજીની નકલ, તા. ૯-૩-૧૯૨૬ ના રોજ, પેઢીના પ્રતિનિધિએ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી અબાલાલ સારાભાઈ તથા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ એ, રાજકાઢ મુકામે, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વાટસનની મુલાકાત લીધી તે પછી જ, પેઢીને (તા. ૧૦-૩-૧૯૨૬ના રેજ) મળવા પામી હતી. આ હકીકત ઉપરથી, વસ્તુસ્થિતિથી અજાણ વ્યક્તિઓને, એમ લાગી જવાના સંભવ છે કે, પેઢીના પ્રતિનિધિઓ તથા જૈન સઘના અગ્રણીએ આ બાબતમાં પાલીતાણાના દરખારશ્રીની અરજીની નકલ મળ્યા પછી જ જાગૃત અન્યા હતા. પણ ખરી વાત એથી જુદા પ્રકારની હતી. અને પેઢીના પ્રતિનિધિએ અને જૈન સઘના અગ્રણીએ આ પહેલાં જ આ બાબતમાં સજાગ અને પ્રયત્નશીલ થયા હતા. આ વાતની પ્રતીતિ નીચેની માહિતી ઉપરથી થઈ શકશે તા. ૧૨-૨-૧૯૧૬ ના રોજ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, શેઠશ્રી કીકાભાઈ પ્રેમચંદ તથા શેઠશ્રી શાંતિદાસ આસકરણે મુબઈના નામદાર ગનર સર લેસ્લી વિલ્સનની મુંબઈમાં મુલાકાત લીધી હતી અને, રખેાપાની ખાખતની અને પાલીતાણા રાજ્યની હકૂમત (jurisdiction )ને લગતી વસ્તુસ્થિતિની રજૂઆત કરીને, આ ખાખતમાં જૈન સ`ઘને વેઠવી પડતી મુશ્કેલીઓની વિગતવાર સમજૂતી આપી હતી. આ પ્રસંગે આ બાબતમાં નામઢાર વાઈસરોય લોર્ડ રીડિંગને પણ જરૂરી લખાણુ કરવાની નામદાર ગવર્નરશ્રીને વિન ંતી કરવામાં આવી હતી, જેના ગવનરશ્રીએ સ્વીકાર કર્યાં હતા. આ પછી, તા. ૧૯-૨-૧૯૧૬ ના રોજ, મુબઈના ના. ગવર સર લેસ્લી વિલ્સને, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ ઉપર પત્ર લખીને, લા રીડિંગ સાથે જે કંઈ પત્રવ્યવહાર થયા હતા એની જાણ કરી હતી. એમાં વાઈસરાયની કરવામાં આવ્યુ` હતુ` કે, આ બાબતની અગત્ય તે ટુ ધ ગવર્નર જનરલ એનું ધ્યાનપૂર્વક પરીક્ષણ કરે એવી એમને સૂચના પણ આપવામાં આવી છે.૭૪ વતી એવી ખાતરીનુ' ઉચ્ચારણ બરાબર સમજે છે અને એજન્ટ (આગળ સૂચવવામાં આવ્યુ છે તેમ, કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેાટસન એ ખાખતને પૂરેપૂરા આગ્રહ ધરાવતા હતા કે, પાલીતાણા રાજ્ય સામેની, એજન્સીને આપવાની, કાઈ પણ અરજી તથા એજન્સી તરફથી પેઢીને આપવાની કોઈ પણ સૂચનાની માપ-લે પાલીતાણા રાજ્ય મારફત જ થવી જોઈ એ. આમ છતાં પેઢીના પ્રતિનિધિઓ સાથેની, તા. ૯-૩-૧૯૨૬ની, મુલાકાત વખતે એમણે પોતાના આ આગ્રહી વલણમાં ફેરફાર કરીને દરબારશ્રીની અરજીની નકલ એજન્સીના દફતરમાંથી કરી લેવાની પેઢીને અનુમતિ આપી હતી, તે મુ`બઈના ગવર્નર સાહેબની આવી કેાઈક ભલામણને કારણે જ હશે એમ લાગે છે.) Page #306 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણું રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૨૪૭ મુંબઈના ગવર્નરશ્રી સાથેની આ મુલાકાત પછી આ બાબતની નામદાર વાઈસરોય લોર્ડ રીડિંગને જાણ કરવા માટે અને એમ કરીને જેન સંઘની લાગણીથી એમને પરિચિત કરવા માટે, તા. ૨૨-૨-૧૯૨૬ ના રોજ સાંજના, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી અંબાલાલ સારાભાઈ અને શેઠશ્રી શાંતિદાસ આસકરણે એમની, નવી દિલ્હીમાં, મુલાકાત લીધી હતી. આ મુલાકાત વખતે નામદાર વાઈસરોય સાહેબે પોતે આ બાબતમાં શું કરી શકે એમ છે તે જાણવા માગ્યું હતું. અને ત્યારે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, અત્યારે આ બાબત કાઠ્યિાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ (પોલિટિકલ એજન્ટ) સમક્ષ રજૂ થયેલી હોવાથી, પેઢીના પ્રતિનિધિઓએ પહેલાં એમની મુલાકાત લઈને પિતાની વાત એમની સમક્ષ રજૂ કરવી. (આ નિર્ણય મુજબ પેઢીના પ્રતિનિધિઓએ, અગાઉ ોંધ્યા પ્રમાણે, તા. ૯-૩-૧૯૨૬ ના રેજ, રાજકેટ મુકામે, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટની મુલાકાત લીધી હતી.) મુંબઈના નામદાર ગવર્નર લેસ્લી વિલ્સનની તા.-૧૨-૨-૧૯૨૬ના રેજ, પેઢીના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી, તે વખતે એમની વચ્ચે જે વાતચીત થયેલી તેની અંગ્રેજીમાં લખાયેલી ખાનગી નોંધ પેઢીના દફતરમાં સચવાયેલી છે. ઉપરાંત, નામદાર ગવર્નરશ્રીને મળ્યા પછી, એમણે આ પ્રકરણના ઉકેલની બાબતમાં નામદાર વાઈસયને પત્ર લખ્યાની જાણ કરતા પવ, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને, તા. ૧૯-૨-૧૯૨૬ ના રેજ, લખ્યું હતું, તે પણ પેઢીને દફતરમાંથી મળી આવેલ છે, જેને નિર્દેશ આ અગાઉ થઈ ગયો છે. આ પ્રકારના અનુસંધાનમાં ધ્યાનમાં લેવા જેવી એક બાબત એ પણ છે કે, શત્રુંજય તીર્થની યાત્રાએ જતા શ્રીસંઘને દરબારશ્રી તરફથી અનેક પ્રકારે નાની-મોટી કનડગત કરવામાં આવતી હતી, તે અંગે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૩૦-૯-૧૯૨૫ ના રેજ, નામદાર વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ રીડિંગ સમક્ષ એક સવિસ્તર અરજી કરી હતી. આ અરજીમાં દરબારશ્રી તરફથી કરવામાં આવતી કનડગતના કેટલાક કિસ્સાઓ પણ ટાંકવામાં આવ્યા હતા.૭૧ પેઢી તરફથી આ અરજી મોકલવામાં આવી એ અગાઉ જ પાલીતાણાના દરબારશ્રીએ, તા. ૧૪-૯–૧૨૫ ના રોજ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને અરજી કરીને, તા. ૧-૪-૧૯૨૬ ના રોજ, રખોપા કરાર પૂરે થતું હોવાથી, આગળ ઉપર પિતે આ બાબતમાં શું કરવા ઈચ્છે છે, તેની વિગતે લખી જણાવી હતી. અને એમાં મુખ્ય માગણી રખોપાની બાંધી રકમને બદલે મુંડકાવેરે લેવા દેવા પિતાને અનુમતિ આપવામાં આવે તે મતલબની હતી. Page #307 -------------------------------------------------------------------------- ________________ શેઠ આર કની પેઢીને ઇતિહાસ - જે દરબારશ્રીની આવી, યાત્રિકોને ખૂબ મુસીબતરૂપ થઈ પડે એવી માગણની જાણ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને સમયસર થઈ હોત તો તેઓએ નામદાર વાઈસરોયને કરેલ અરજીમાં એ બાબતને પણ નિર્દેશ કરીને મુંડકાવેરો શરૂ કરવાની દરબારની માગણી સામે પિતાને સખ્ત વિરોધ જરૂર નેંધાવ્યું હોત. પણ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ તે એમ જ માનતા હતા કે, સને ૧૮૮૬ માં થયેલ રૂ. ૧૫,૦૦૦] ની વાર્ષિક રકમના રોપાના કરારની ત્રીજી કલમ મુજબ, દરબારશ્રી તરફથી મજકૂર રકમમાં ફેરફાર કરવાની જ માગણી કરવામાં આવશે અને મુંડકાવેરો સજીવન કરવાની કેઈ માગણી કરવામાં નહીં આવે. પણ જ્યારે પિઢીના વહીવટદાર પ્રતિનિધિઓને દરબારશ્રીની મુંડકાવેરે શરૂ કરવાની ઈરછાની જાણ થઈ ત્યારે કોઈ પણ રીતે એને અટકાવી દેવી જોઈએ એમ એમને સ્પષ્ટ લાગ્યું અને એ ઉપરથી, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ તથા જૈન સંઘના અગ્રણીઓની દોરવણું મુજબ, સમગ્ર જૈન સંઘ, ટસનના ચુકાદાની સામે, તેમ જ એ ચુકાદામાં પાલીતાણાના દરબારશ્રીને મુંડકાવેરો લેવાની આપવામાં આવેલી છૂટ સામે, સંપૂર્ણ એક્તા સાધીને, સ્વેચ્છાથી યાત્રાને ત્યાગ કરવારૂપે, કેવાં જલદ પગલાં ભર્યાં હતાં એની વિગત આ પહેલાં આપી દેવામાં આવી છે. અહીં તે જે વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે તે એ છે કે, પાલીતાણા દરબારશ્રી તરફથી થતી જૈન સંઘની અનેક પ્રકારની કનડગતે સામે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ નામદાર વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ રીડિંગ સમક્ષ સમર્થ રજૂઆત કરીને એની સામે દાદ માગી હતી. એટલે હવે પછીના પ્રકરણમાં આવી કનડગતેની કેટલીક મહત્વની હકીકતો રજૂ કરવામાં આવી છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ દસમા પ્રકરણની પાદધો ૧. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાએ જતાં ભાવિક યાત્રિ પાસેથી, રાજ્ય તરફથી, મનફાવે તે રીતે. મંડકાવેરા તરીકે કે કરરૂપે કેટલી રકમ વસૂલ કરવામાં આવતી હતી, તેની કેટલીક માહિતી, આ પુસ્તકના પાંચમા પ્રકરણ (પૃ. ૫૩)માં તથા એ પ્રકરણની ૧૦ મા નંબરની પાદનોંધ (પૃ. ૮૩-૮૪)માં આપવામાં આવી છે. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બીબીપુરામાં બંધાવેલ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના ભવ્ય, વિશાળ અને શિલ્પકળાના એક ઉત્તમ અને સુંદર નમૂના સમા જિનાલયની, શાહજાદા ઔરંગઝેબે એને ખંડિત કર્યું એની, વિદેશી પ્રવાસીઓએ કરેલી એની પ્રશંસાની, એ માટે રચાયેલ પ્રશસ્તિની અને એને રાજ્યના ખરચે સમું કરાવીને શ્રી શાંતિદાસ શેઠને પાછું સુપ્રત કરવા માટે બાદશાહ શાહજહાંએ આપેલ ફરમાનની સવિસ્તર માહિતી આ ગ્રંથના પાંચમા પ્રકરણની ૧૬ મા નંબરની પાદનોંધમાં (પૃ. ૯૦ થી ૯૪ સુધીમાં) આપી છે. આ મંદિરના શિલ્પકામની ભવ્યતાનું જે વર્ણન મંદિર ખંડિત થયું તે પહેલાં જર્મન પ્રવાસી આલ્બર્ટ ડી. મેન્ડેલએ અને મંદિર ખંડિત થયા પછી ફેંચ પ્રવાસી એમ. ડી. થેનેટે કર્યું છે, તે ઉપર સૂચવેલ પાદને ધમાં આપવામાં આવ્યું છે. એ જ રીતે ફ્રાન્સના એક જાણીતા ઝવેરી અને પ્રવાસી, કે જેમણે અમદાવાદની મુલાકાતો ઘણી વાર લીધી હતી, તે એમ. ટેવરનિયરે (M. Tavernier) પણ પિતાના “ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા” નામે પુસ્તકમાં એક ખંડિત મંદિરનું જે વર્ણન લખ્યું છે, તે પણ આ મંદિરને લગતું જ હેવાનું છે. કેમિસેરિયેટ માને છે, જે આ પ્રમાણે છે “There was a Pagoda in this place which the Muhammadans took possession of in order to turn it into a mosque. Before entering it you traverse three great courts paved with marble, and surrounded by galleries, and you are not allowed to place foot in the third without removing your shoes. The exterior of the mosque is ornamented with mosaic, the greater part of which consists of agates of different colours, obtained from the mountains of Cambay, only two days' journey from thence.” અર્થ “આ સ્થાનમાં (અમદાવાદમાં) એક પેગડા–પવિત્ર ઈમારત (જિનમંદિર)છે, જેને મુસલમાનેએ કબજે લઈને એને મજિદમાં ફેરવી નાખી હતી. એમાં પ્રવેશ કરતાં પહેલાં તમારે આરસ જડેલા અને ચારે કેર રસ (ગેલરી) ધરાવતા ત્રણ મંડપ (courts)માંથી પસાર થવું પડે છે; અને, તમારા જેવા કાઢયા વગર, ત્રીજ મંડપમાં પ્રવેશ કરવાની ૩૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શેઠ આ૦ કરની પેઢીનો ઇતિહાસ તમને છૂટ મળતી નથી. મસ્જિદ (મંદિર)ને બહાર ભાગ રંગીન કાંકરીથી બનાવેલ ચિત્રકામથી શણગારવામાં આવેલ છે; અને એને વધુ મોટો ભાગ, જુદા જુદા રંગના અકીકના પથ્થરથી જડેલો છે. આ પથ્થરો ખંભાતના પહાડોમાંથી મળી આવે છે. ખંભાતથી અમદાવાદ બે દિવસની મુસાફરી જેટલે દૂર જ આવેલ છે.” વરનિયરના આ વર્ણનમાંના “તમારા જેડા કાઢયા વગર ત્રીજા મંડપમાં પ્રવેશ કરવાની તમને છૂટ મળતી નથી”—એ શબ્દ કઈક એમ સૂચવતા હોય એમ લાગે છે કે, બાદશાહ શાહજહાંના ફરમાન મુજબ, આ મંદિરને કબજે નગરશેઠ શાંતિદાસ ઝવેરીને મળી ગયા પછી, એ જિનમંદિર સાવ ઉપેક્ષિત અને અરક્ષિત થઈ ગયું હોવા છતાં, એના ત્રીજા મંડપ એટલે કે ગભારામાં કંઈક એવી પવિત્રતાની ભાવના સાચવી રાખવામાં (અથવા તો એકાદ જિનપ્રતિમા ત્યાં મૂકી રાખવામાં) આવી હશે કે જેથી એમાં જેડા પહેરીને પ્રવેશ કરવાની મનાઈ કરવામાં આવતી હોય. ટેવરનિયરે અમદાવાદને આ પ્રવાસ કઈ સાલમાં કર્યો હતો, તે જાણી શકાયું નથી; તે જાણી શકાયું હોત તો, સને ૧૬૪૮માં એટલે કે વિ. સં. ૧૭૦૪માં એ મંદિર પાછું મળ્યા પછી, એની આવી સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહી હતી, તે જાણી શકાત. ન આ હકીક્તના અનુસંધાનમાં એક વાત તરફ સહજપણે જ ધ્યાન ગયા વગર નથી ૨હતું કે, કાન્સના આવા મેટ ઝવેરાતના વેપારીએ, પિતાના વેપાર નિમિત્તે, અમદાવાદની અનેક વાર મુલાકાત લીધી હોવા છતાં, એમણે કોઈ પણ વખત નગરશેઠ શાંતિદાસ જેવા શાહી ઝવેરી તરીકેનું બિરુદ ધરાવતા અગ્રણીની મુલાકાત ન લીધી હોય, એ બનવાજોગ નથી. આમ છતાં એ બેની વચ્ચે મુલાકાત થઈ હોવાની નોંધ મળતી નથી એ હકીકત છે. આને એક અર્થ, કદાચ, એ થઈ શકે કે મિ. ટેવરનિયર, પિતાના ઝવેરાતના ધંધા નિમિત્તે, અમદાવાદની મુલાકાત લેવાની શરૂઆત કરી હશે, તે પહેલાં (સને ૧૬૫૯ એટલે કે વિ. સં૧૭૧પમાં) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીને સ્વર્ગવાસ થઈ ગયો હોય. એ બનવાજોગ છે. (આમ છતાં આ અંગે વિશેષ શોધ કરવા જેવી છે ખરી.) ૩. ગોહેલ સાથે રખોપાને આ પહેલે કરાર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી વગેરેએ, શા કારણે, કેવા સંજોગમાં અને કયા સ્થાનમાં કર્યો હતો, તેની કેટલીક વિગત, ભાવનગરથી પ્રગટ થતા “જૈનસાપ્તાહિકની ભેટરૂપે, વિ. સં. ૧૯૮૫–સને ૧૯૨૮–માં, પ્રકાશિત થયેલ અને એ પત્રના તંત્રી શ્રી દેવચંદ દામજી શેઠે સંપાદિત કરેલ “શ્રી શત્રુંજય પ્રકાશ” નામે પુસ્તક (પૃ૦ ૧૦૦-૧૦૧)માં આપવામાં આવી છે, જે અહીં સાભાર રજૂ કરવામાં આવે છે “ શાંતિદાસ શેઠે તીર્થને વહીવટ સંભાળ્યો ત્યારે તીર્થાધિરાજ ઉપર આવેલ બહેળા ચૈત્ર ( ચિત્ય) પરિવાર તથા પવિત્ર સ્થાનના દર્શનાર્થે યાત્રિકોનું આગમન વિશેષ રહેવાથી યાત્રિકોના જાનમાલના રક્ષણાર્થે આસપાસથી કાઠી-ગરાસીયા આવી રહેતા. તેને તેની કામગીરીના બદલામાં એકબીજાની ખુશી પ્રમાણે ઇનામ મળતું. દરમિયાન એક વખત નાડલાઈનો સંધ આવતાં લે–દે સંબંધમાં ભાંજઘડ થવાથી ભવિષ્યમાં આડમાર્ગ અગવડ ન Page #310 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાન કરશે રેપ પડે તે માટે પાલીતાણામાં સ્થાનિક દેખરેખ રાખનાર કડવા દેશી માર્કત ગારીયાધારના ગેહલેને તે કામ સંપ્યું. “આ ગોઠવણથી તેઓ આવતા સંધની સામે જતા (મળણું કરતા), સ્થાનિક ઉતારાની ચોકી કરતા અને ડુંગર ઉપર ચઢતાં કોઈ અગવડ ન કરે તે માટે સંભાળ રાખતા. પરંતુ તે કામના મોબદલાની લેતી દેતીમાં એક સરખું ધોરણ ન હોવાથી ગુંચવણું થવા લાગી એટલે તેનું એકસરખું ધારણ નક્કી કરવાને સં. ૧૭૦૭માં ગારીયાધારથી ગોહેલ કાંધાજી, બાઈ પદમાજી તથા બાઈ પાટમને લઈને કડવો દોશી અમદાવાદ ગયા. બારોટ પરબત, ગરજી ગેમલજી તથા લખમણુજી વગેરે તેમની સાથે ગયા, અને અમદાવાદમાં શેઠ શાંતિદાસ સહસકરણ તથા શા. રતન સુરા વગેરે સંધ જેગું ખત કરવામાં આવ્યું, જેમાં ગેલેએ સંઘનું મળણું–ચેક કરવાને તેના બદલામાં છૂટક જત્રાળ પાસેથી અડધી જામી, એક ગાડે અઢી જામી અને સંઘ પાસેથી સુખડી મણ એક અને અઢી જામ મળે તેમ ઠરાવ્યું.” આ માહિતી ઉપરથી આ પ્રમાણે ત્રણ મુદ્દા સંબંધી વિશેષ જાણકારી મળવા પામે છે – (૧) વિ. સં. ૧૭૦૭ને કરાર થયો તે પહેલાં પણ શ્રી શત્રુંજયનાં યાત્રિકોને જાન-માલની સાચવણીનું કામ ગારિયાધારના ગહેલને સોંપવામાં આવ્યું હતું. (૨) તે વખતે કડવા દેશી પાલીતાણામાં રહીને તીર્થની દેખરેખ રાખતા હતા; અને આ કરાર એમના પ્રયાસથી અમદાવાદમાં થવા પામ્યો હતે. (૩) આ કરાર (એટલે કે એના ઉપર સહી-સિક્કા) અમદાવાદમાં થયે હતે. વિ. સં. ૧૭૦૭ ને રોપાને આ પહેલે કરાર કરવાની નગરશેઠ શાંતિદાસને એ દષ્ટિએ પણ જરૂર લાગી હશે કે, તે વખતે ઘોરી બેલમ નામે દિલીના બાદશાહને એક સગે પાલીતાણામાં રહેતા હતા અને કેને રંજાડતા હત; એ યાત્રાળુઓને કનડગત ન કરી શકે. (જુઓ, Travels in Western India, p. 294.) ૪. મતીજીની જુબાની અંગ્રેજીમાં આ પ્રમાણે નેંધવામાં આવી છે– « To. Mr. Branson-The chief of our gach (sect) was Herbegeshwari. I produce the following document which I received from my Guru, i. e, an agreement of st. 1707. [Recorded Z 27.] "I arrived in Rajkot the day before yesterday at 6 or 7 P.M. Joetaram, a shravuk, wrote to me to Porebunder to bring this document. He is a Sheitia of Ahmedabad. To Mr. Budrudin-This document was given to me six days ago by our Acharya Dharmanandsuri, who is the brother of my Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર શે. આ કરની પેઢીને ઈતિહાસ Guru Gumanji. The document was given to me in the prayerplace. I do not know how it came into the possession of my Guru. It must belong to the gadi. The letter from Joetaram was to my Guru." ૫. યતિશ્રી મોતીજીની જુબાની ઉપર દરબારશ્રીની ટીકાની નોંધ આ કેસમાં આ પ્રમાણે અંગ્રેજીમાં લેવામાં આવી છે– “This witness produced exhibit No. 27. His evidence is important, because he produced the document which it is contended is a forgery. So we give his evidence in full, simply remarking that the production by a witness in whose possession it had only been fot six days, the non-appearance of the person in whose possession the document had previously been, and the non-production of Joctaram's letter, are circumstances of suspicion sufficient to throw grave doubts on the genuineness of the document." f. 241 &falqox hal 191.2491a fal. 3031737 241 4HQ APREL 241721 sat "68. I come now to the document Z (27). It was produced by the witness Motiji (32), a Jati of Porbandar. He deposed that he had brought the document from Dharnand Suri, a Jain Acharya. “ 69. The learned counsel for the Thakore impugned its genuineness on the ground that it was produced at a late stage in the case. The Shravuks replied that it was only lately that they heard where the document was. This is possible. It was also contended that the ink looked too black for such an old document. The ink is dark; but it does not follow that, because a document is old, the ink must have faded. “ 70. It must be remembered that the document was produced before Captain Barnewell as far back as A. D. 1820, and has been repeatedly referred to in previous proceedings. Captain Barnewell wrote : An agreement was entered into between the heads of the Shravuks and the ancestors of the present Palitana Chief, when, in consideration of protection, a moderate contribution was stipulated for by a written instrument which is forthcoming.' The document was therefore produced. Captain Barnewell refers to the Page #312 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૨૫૩ document as dated Samrut 1807 ( A. D. 1750); but this is clearly a mistake for Samvut 1707 (A. D. 1650-51). In the petition of 1859, the Shravuks referred to the agreement as of Samvut 1707. In 1862, the Thakore wrote :~ Even the document dated Samvut 1707 produced by the Shravuks, itself proves the hill to be ours.' And Colonel Keatinge, in his proceedings in 1863, recorded a 'copy of an agreement alleged to have been passed by the Thakore to the Shravuks, in Samvut 1707 (A. D. 1650-51).' The translation recorded in Colonel Keatinge's proceedings tallies with the document now produced. The document cannot therefore now be rejected.'' અ—“હવે હું ( ૨૭ મા ઝેડ) નમૂનાના દસ્તાવેજ વિષે ખેાલું છું. તે દસ્તાવેજ પોરબંદરના જતી મેાતીજીએ રજૂ કર્યા હતા. તેણે એવી જુબાની આપી છે કે, તે દસ્તાવેજ જૈન આચાર્ય ધારનંદસૂરી ( ધર્માનંદ રિ ) પાસેથી હું લાવેલા છું. “ઠાકાર તરફથી વિદ્વાન વકીલે કહ્યું કે, તે દસ્તાવેજ અસલ નથી, માટે તે રદ કરવા જોઈએ, કારણ, કેસ ચાલી રહેવાની તૈયારીની વખતે તે રજૂ થયેા છે. શ્રાવક લેાકાએ જવાબ દીધેા કે તે દસ્તાવેજ એમને હમણાં જ હાથ લાગ્યા છે. આમ હાઈ શકે. વળી એવી પણ તકરાર કરવામાં આવી હતી કે આવા જૂના દસ્તાવેજને વાસ્તે આ સહી બહુ કાળી છે. સહી કાળી છે, પરંતુ તે ઉપરથી એમ નથી સિદ્ધ થતું કે, દસ્તાવેજ જૂના હાય માટે તેની સાહી કીકી પડવી જોઈએ. “ એ વાત યાદ રાખવી જોઈએ કે, સને ૧૮૨૦ ની સાલમાં એ દસ્તાવેજ કેપ્ટન ખાનવેલની આગળ રજૂ કરવામાં આવ્યા હતા અને આગળનાં કામેામાં વારંવાર તેના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. કેપ્ટન બાન વેલે લખ્યુ છે કે, શ્રાવકાના મુખત્યાર અને હાલના પાલીતાણાના રાજાના વડીલેા વચ્ચે જે કરાર થયા, તે દસ્તાવેજ આ સાથે સામેલ છે. ' તેટલા માટે આ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. કેપ્ટન ખાનવેલ તે કરારની તારીખ સંવત ૧૮૦૭ (એટલે સને ૧૭૫૦) ની સાલ ગણે છે, પરંતુ આ સંવત ૧૭૦૭ (એટલે સને ૧૬૫૦-૫૧) ને બદલે દેખીતી ભૂલ છે. ૧૮૫૯ ની અરજીમાં શ્રાવક લેાકા એ કરાર ૧૭૦૭ માં થયેલા હાય એવી રીતે લખે છે. સને ૧૮૬૨ માં હતું કે, ‘સંવત ૧૭૦૭ ના દસ્તાવેજ, જે શ્રાવકાએ રજૂ કર્યો છે, તે ઉપરથી પણ ડુંગર અમારા સાખીત થાય છે.' અને કલ કીટી જે પેાતે ૧૮૬૩ માં કામ ચલાવ્યું, તેમાં ડાકારે શ્રાવાને સંવત ૧૭૦૭ (એટલે સને ૧૬૫૦-૫૧) માં કરી આપેલા કરારની નકલ નેાંધી છે, કલ કીટીંજના કામમાં નાંધેલા તરજૂમા હમણાં રજૂ કરેલા દસ્તાવેજની સાથે મળતા આવે છે. એટલા માટે એ દસ્તાવેજને નામંજૂર કરી શકાય નહીં. ’’ ઠાકારે પોતે જ લખ્યું ૭. આ બાબતમાં મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી મિ. જેમ્સ બ્રુસ સિગ્સન પર કાઠિયાવાડના Page #313 -------------------------------------------------------------------------- ________________ Buy શેઠ આવકની પેઢીને ઇતિહાસ પોલિટિકલ એજન્ટ કેપ્ટન આર. બાલે તા. ૨૦-૧૨-૧૮૨૦ ના રોજ લખેલા પત્રમાંથી મળતી માહિતીના આધારે કંઈક એ અણસાર મળી રહે છે કે, આ રોપાના પહેલા કરારને અમલ છેક સંવત ૧૮૪૫ (સને ૧૭૮૮) સુધી એટલે કે કરાર થયા પછી ૧૩૭ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી ચાલુ રહ્યો હતો. મજકૂર પત્રમાંનું લખાણ આ પ્રમાણે છે " 4. An agreement was entered into between the heads of the Shravuks and the ancestors of the present Palitana Chief so far back as the Hindu year 1807 (A. D. 1750), when, in consideration of protection, a moderate contribution was stipulated for by a written instrument which is forthcoming; this rate of exaction continued until Sumvat 1845 (A. D. 1788), when it was greatly increased.” અથS_“શ્રાવકના અગ્રેસરે અને હાલના પાલીતાણા દરબારના પૂર્વજો વચ્ચે છેક સંવત ૧૮૦૭ (ઈ. સ. ૧૭૫૦ ) માં એક લેખિત કરાર કરવામાં આવ્યું હતું કે જેના આધારે ખેપાના બદલામાં અમુક મધ્યમસર રકમ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ દસ્તાવેજ આની સાથે સામેલ કરવામાં આવે છે. નક્કી કરેલ આ દરની ચૂકવણી સં. ૧૮૪૫ (ઈ. સ. ૧૭૮૮) સુધી ચાલુ રહી હતી, તે પછી તેમાં ઘણો વધારે કરવામાં આવ્યો.” (દફતર નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પૃ. ૪૫૮). નેધ–ઉપરના પત્રમાં દર્શાવવામાં આવેલ સં. ૧૮૦૭ (ઈ. સ. ૧૭૫૦) એ શરતચૂકથી નોંધાયેલ છે; ખરી રીતે આ કરાર વિ. સં. ૧૭૦૭ (ઈ. સ. ૧૬૫૦) માં થયે હતા. એટલે, ખરી રીતે, આ સાલ વિ. સં. ૧૭૦૭ (ઈ. સં. ૧૬૫૦) જોઈએ. વળી સને ૧૯૨૬ ની પહેલી એપ્રિલે રખોપાને, સને ૧૮૮૬ને ૪૦ વર્ષને, કરાર પૂરે થતો હોવાથી, એ બાબતમાં પોતાની માગણીની બહુ જ વેળાસર, રજૂઆત કરવા માટે, પાલીતાણાના દરબારશ્રીએ, તા. ૧૪-૯-૧૯૨૫ ના રોજ, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને, જે અરજી કરી હતી, તેને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ તરફથી, તા. ૨૩-૪-૧૯૨૬ ના રોજ, જે જવાબ મોકલવામાં આવ્યું હતું તેના ૩૩ મા પેરેગ્રાફમાંના નીચેના શબ્દો પણ, આ કરાર સને ૧૭૮૮ સુધી (૧૩૭ વર્ષ સુધી) અમલમાં હતા, એ વાતનું સમર્થન કરે છે– “The Gohels and the Jain community continued to act upon this agreement till A. D. 1788 when the Palitana Chief began to make unwarranted exactions from the pilgrims." અથ–બગહેલો અને જૈન કેમ આ કરારનું પાલન સને ૧૭૮૮ સુધી કરતાં Page #314 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા પાના કરાર ૨૫૫ રહ્યાં; અને તે પછી પાલીતાણાના દરબારશ્રીએ યાત્રિકે પાસેથી ગેરવાજબી વસૂલાત કરવાની શરૂઆત કરી.” કેપ્ટન ખાનવેલના ઉપર સૂચવેલ પત્ર ઉપરથી જ, વિશેષમાં, જાણવા મળે છે કે, આ કરવધારાને લાભ પાલીતાણાના દરબારે લગભગ ૩૦ વર્ષ સુધી લીધો હતો. એ શબ્દો આ પ્રમાણે છે “However unjust or otherwise this encroachment may have been in its origin, or on its first taking place the benifit resulting from it has been enjoyed by the present Chief of Palitana and his family for a period of nearly 30 years." અથ–“મૂળમાં અથવા પહેલવહેલાં આ અધિકાર વગરને કબજે ગમે તેટલો અન્યાયી કે ન્યાયી હોય, પણ એનાથી મળતા લાભનો ભેગવટે, પાલીતાણાના અત્યારના દરબારશ્રી અને એમના કુટુંબે, લગભગ ૩૦ વર્ષ જેટલા સમય સુધી કર્યો હતે.” એટલે જ્યારે આ કર અસહ્ય અને યાત્રિકોની વધુ કનડગત કરનારે બની ગયું ત્યારે જ મુંબઈના શેઠ શ્રી મતીચંદ અમીચંદ, અમદાવાદના નગરશેઠ હેમચંદ વખતચંદ વગેરેને, મુંબઈ સરકાર સમક્ષ, તા. ૩૦-૮-૧૮૨૦ના રોજ, એની લેખિત રજૂઆત કરીને, દાદ માગવાની ફરજ પડી હતી. . ૮. અંગ્રેજી ભાષામાં લખવામાં આવેલ આ ઐતિહાસિક પત્રમાંનું મૂળ લખાણ આ પ્રમાણે છે– " 4. That the said Santidass thought proper to give the patronage of the said hill Shatrunjay to the Raja of that district, with the injunction to be mindful, and watch after the interests and comforts of the people of that pilgrimage, and perform the religious ceremoney of the image upon the said hill, and to defray the necessary expences of thoes edifices from the revenues of the Purgunna of Palitana. “5. That the said Raja and his successors continued to act up to these solemn injunctions to their full extent, but, after a lapse of a long period, one of the Raja's successors unjustly impossed a tax of duty on every person who arrived at the pilgrimage, which your petitioners, in common with other pilgrims, were constrained to pay, or submit to the cruel mortification of returning without perfomrming the ceremony for which they had taken the trouble of a long and expensive journey, and therefore they were obliged, from the creation of the fraudulent necessity, Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ to pay the tax and perform their religious duty, having 'no means of redress, or authorites to appeal to against so flagitious and impious an inposition. “6. The Raja, thus finding that the tax so levied was discharged without trouble, it has been gradually increased to a high rate up to this period, without any certain limit. “8. That, a few years ago, the Raja employed some Arabs in his service, men of loose principles and character,' and who have stationed themselves upon the said hill, and commit grievanees in and about the temple revolting to the nature and religion of your petitioners, by killing animals and getting drunk, which are offences of so heinous a nature in the judgment of your petitioners, that they would willingly offer themselves up as victims of slaughter rathar than incur such polution in a temple so consecrated, endeared, and venerated for ages. “9. That, on remonstrating to the Arabs for such cruel deeds, their answer was that the Raja was indebted to them, and therefor they had taken their station upon the hill as mortgagees to redeem the debt due to them. “11. On hearing these circumstances of oppression, the Raja of Bhownuggur has also lately inposed a tax upon the people who pass and re-pass to Palitana through Bhownuggur and Gogo.... ... “Your petitioners therefore humbly implore that your Honorable Board will sympathize with them in those feelings of regret and mortification which result from such acts of pollution and brutal policy directed against an inoffensive caste and national religin of India. ... ... ... ..." (Ed? . 93, 21431 . 198, . 746–842 ). ૯. કાઠિયાવાડના િિલટિકલ એજન્ટ કેપ્ટન બનવેલે આ વાત આ શબ્દોમાં લખી હતી “8. The probable extent of the expectation of the Palitana Chief from this source will not annually exceed about Rs. 3.000 or Rs. 4,000, and, considering the numbers of the Shravuk community who are subjects of the company and of His Highness Page #316 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૨૫૭ the Gaekwar, and the great vallues they would attach to an immunity giving them freedom from such a contribution, the Gaekwar Durbar might perhaps, in consideration of such circumstance, be induced to grant a reduction to such an extent in the tribute paid annually by the Chief of Palitana on his rendering the resort to that temple subject to no exaction, but imposing upon the Chief, at the same time, the responsibility of due protection to the pilgrims. ” (દ. નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પૃ. ૪૬ ૦). ૧૦. કેપ્ટન બાને વેલે, ઉપરના પત્રમાં સૂચવ્યા મુજબ, ગાયકવાડ સરકાર પિતાને પાલીતાણું રાજ્ય પાસેથી જે ખંડણી લેવાની થાય છે, તેમાં વાર્ષિક ત્રણ હજાર કે ચાર હજારને ઘટાડે કરે તે, શ્રાવક કોમને પાલીતાણા રાજ્યને, રખોપા નિમિત્તે, કશી રકમ આપવાની ન રહે, એ વાત મુંબઈ સરકારને લખી જણાવી, તે ઉપરથી મુંબઈના ગવર્નરના સેક્રેટરી મિ. જે. બી. સિમસને મેજર એફ. ડી. બેલેનટાઈનને આ બાબતમાં ઘટતું કરવા આ પ્રમાણે લખ્યું હતું "If it appear to you unobjectionable, you will communicate regarding it with the Acting Resident of Baroda, that he may obtain the Gaekwar's concurrence in the arrangement.” આ બાબતની જાણ પિતાને થયા પછી, વડોદરાના એકટીગ રેસિડેન્ટ મિ. સી. નેરીસે, તા. ૧૭–૨-૧૮૨૧ ના રેજ, મિ. સિમસનને પત્ર લખીને ખંડણીની આટલી રકમ જતી કરવાની બાબતમાં નામદાર ગવર્નરને અભિપ્રાય પિતાને લખી જણાવવાની વિનતિ કરી. ' આ વિનતિના જવાબમાં, મુંબઈના ગવર્નરના સેક્રેટરી મિ. સિમસને, તા. ૨૧-૨-૧૮૨૧ ના રોજ, લખી જણાવ્યું હતું કે "I am directed by the Hon'ble the Governor to request you will inform His Highness that there is no intention on the part of the British Government to urge him to make any pecunniary sacrifice which he may think inexpedient.” (આને ભાવ એ હતો કે, નામદાર મહારાજાને જે આર્થિક ભેગ આપ ગેરવ્યાજબી લાગતો હોય, તે ભોગ તેઓ આપે એમ અંગ્રેજ હકૂમત ઈચ્છતી નથી.) આ પ્રમાણેના મુંબઈ સરકારના સ્પષ્ટ ખુલાસા પછી ગાયકવાડ સરકાર પાલીતાણા રાજ્ય પાસેથી જે ખંડણી ઉઘરાવતી હતી, એમાંથી વાર્ષિક ત્રણથી ચાર ' હજાર જેવી રકમ ઓછી લેવાની વાતને અંત આવી ગયો હતે. ૧૧. આ પત્રનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે હતું– “ The Hon'ble the Governor authorizes you to take advantage of on the presence of the troops under Lieutenant-Colonial Stanhope to ૮ ,, ૩૩. Page #317 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ make a settlement of the disputes in Palitana, with due attention to any just claim that either party may possess.” (દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૪૬૨-૪૬૩) ૧૨. આ પત્ર ગુજરાતી ભાષામાં લખાયો હતો, પણ તે પેઢીના દતરમાંથી મેળવી શકાય નથી. એનું અંગ્રેજી ભાષાંતર આ પ્રમાણે છે– “Therefore, Sir, kindly cause the amount of Mundaka-Poll tax to be fixed; because, for why, Sir, the 15th of Aso-shud is at hand, when pilgrims will come; their poll-tax shall have to be paid, which will not convenient in future. Therefore, Sir, make settle or arrangement (Bandobust) for the fixing the amount of mundka poll tax." (દફતર નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પૃ. ૫૦૦) નોંધ : આ પત્રમાં આસો સુદ ૧૫ લખી છે, ત્યાં કારતક સુદ ૧૫ એમ જોઈએ. મૂળ ગુજરાતી પત્રને અંગ્રેજી અનુવાદ કરતી વખતે આ સરતચૂક થઈ હોય એમ લાગે છે.) ૧૩. આ કરાર મુજબ પાલીતાણ દરબારને પિતાના હિસ્સાના જે ચાર હજાર મળવાના હતા તેની વહેંચણી કેવી રીતે કરવાની હતી, તેની વિગતો પાલીતાણુ ઠાકર ગોહેલ શ્રી સુરસિંહ જીએ કાઠિયાવાડના એકટીંગ પિલિટિકલ એજન્ટ, મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનને ઓકટોબર ૧૮૬૨ માં જે પત્ર લખ્યો હતો તેમાંથી મળે છે, જે આ પ્રમાણે છે: “બાકીના ચાર હજાર રૂપિયા જે દરબારના ભાગના છે, તેની વહેંચણુ આ પ્રમાણે કરવીઃ વાર્ષિક રૂ. ૨૦૦૦/જમાદાર નસીર–બીન–અહમદને આઠ વર્ષ સુધી: વાર્ષિક રૂ. ૧૦૦૦/- ગહેલ વીસાઇને છ વર્ષ સુધી; રૂ. ૬૦૦/- ગોહેલ બાવાજીને; અને રૂ. ૪૦૦/- કુંવર દાદાભાઈને.” આનું મૂળ અંગ્રેજી લખાણ આ મુજબ છે : “The balance, Rs. 4000/-, to the Darbar as follows:-2000 Rs. to Jemadar Nusur-bin-Ahmed for eight years annualy, 1000 Rs. to Gohel Vessajee for six years annualy, 600 Rs. to Gohel Bavaji, 400 Rs. to Koovur Dadabhoy-Rs. 4000 total. (દ. નં. ૧૩, ફા. નં. ૧૧૪, પૃ. પર૧) આ ઉપરથી પણ એ સ્પષ્ટ થાય છે કે પાલીતાણા દરબાર આરબો પાસેથી પૈસા ઉછીના લેતા હતા. ૧૪. કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. મેલેટ, પિતાના તા. ૩૦-૧-૧૮૪૬ ના પત્રમાં, આ બાબતને ઉલ્લેખ આ પ્રમાણે કર્યો હતો Page #318 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા પાના કરાર ૨૫૦ "It must be borne in mind, that from the (Samvat ) year 1865 (A. D. 1809 ) until now though his farm has lepsed, Seth Hemchand Wukutchand has been supreme at Palitana. Kandhaja the late and Noghanjee the present Thakore being men unable to conduct their own affairs.” પાલીતાણાના દરબાર અને એમના યુવરાજ વચ્ચે અણબનાવ હેવાને સ્પષ્ટ ઉલેખ, કાઠિયાવાડના પલિટિકલ એજન્ટ મિ. આર. એચ. કિટિંગ, પિતાના તા. પ-૧૨-૧૮૬૩ના રિપોર્ટ માં, આ પ્રમાણે કર્યો હતો “The Palitana Estate was at that period nearly ruined, the Chief was incapable of managing his own affairs, was at enmity with his own son and was deeply in debt to one of the Shrawuk community.” મિ. મેલેટ પાલિતાણા રાજ્યને કારોબાર સને ૧૮૦૯ થી ૧૮૪૩ સુધી, ૩૪ વર્ષ લગી, શેઠ હેમાભાઈ વખતચંદના હાથમાં લેવાનું લખ્યું છે, તેને ભાવ કંઈક એ થાય છે કે – (૧) સને ૧૮૦૯થી, વાર્ષિક રૂ. ૪ર૦૦૦ નું ગિખત સને ૧૮૨૩ માં થયું ત્યાં સુધીનાં ૧૩ વર્ષ સુધી, એમણે પાલીતાણા રાજ્યને વહીવટ સંભાળ્યો હતો. (૨) અને સને ૧૮૨૨ના પહેલાં દસ વર્ષ અને પછી સને ૧૮૪ર સુધીના બીજાં દસ વર્ષ અને તે પછી વધારાના એક વર્ષ સહિતનાં કુલ ૨૧ વર્ષ સુધી, વાર્ષિક રૂ. ૪૨૦૦૦ ની ઉરચક રકમ આપવાના અવેજમાં કરેલ ગિરોખત મુજબ, પાલીતાણા રાજ્યના કારોબારની તમામ સત્તા એમણે ભેગવી હતી. જે સ્થાનમાંથી પાલીતાણુના આખા રાજને વહીવટ કરવામાં આવતે હતા, તે હેમાભાઈ શેઠની હવેલી નામનું મોટું મકાન. અત્યારે પણ. જર્જરિત હાલતમાં, વિદ્યમાન છે; અને તે શહેરના મધ્યભાગમાં આવેલ મેટા દેરાસરની નજીક આવેલું છે. (આ હવેલીની છબી આ પુસ્તકમાં આપી છે.) ૧૫. આ ગિરખત મુજબ, પાલીતાણાના દરબારશ્રીને, વાર્ષિક રૂ. ૪૨૦૦૦(૨૦૦૧) ચૂકવ વાના થતા હતા. પણ આ ચુકવણીની વાર્ષિક રકમ રૂ. ૪૭૦૦૦) અને રૂ. ૪૦૦૦) હેવાને પણ ઉલ્લેખ મળે છે, જે આ પ્રમાણે છે પાલીતાણાના દરબાર સુરસિંહજીએ, સને ૧૯૭૪ માં, મહારાણુ વિકટારીઆના મુખ્ય મંત્રીને શ્રાવક કેમની વિરુદ્ધ દાદ માગતી જે અરજી કરી હતી, એમાં આ ગિરાખતની રકમ વાર્ષિક રૂ. ૪૦,૦૦૦ જેટલી મામૂલી (the paltry yearly sum of Rs. 40,000) હેવાનું નોંધ્યું હતું. મુંબઈ સરકારના, તા. ૧૬-૩-૧૮૭૭, નં. ૧૬૪૧ ના અતિ મહત્વના ઐતિહાસિક Page #319 -------------------------------------------------------------------------- ________________ શેડ આ કરની પેઢીને ઈતિહાસ ઠરાવમાં આ રકમ વાર્ષિક રૂ. ૪૭,૦૦૦ હજાર (The sum paid by Wakhutechand was about Rs. 47,000 a year) હેવાનું લખ્યું છે. સને ૧૮૩૬ જેટલે જૂને પુરા આ રકમ વાર્ષિક રૂ. ૪૨૦૦ હેવાનું જ સમર્થન કરે છે. વળી આ ગિરખત પૂરું થયાની અને પાલીતાણા રાજ્યને વહીવટ દરબારશ્રીને સુપ્રત કર્યાની મુંબઈ સરકારને જાણ કરતે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. એ. મેલેટ, તા. ૩૦-૧-૧૮૪૬ ના રોજ, જે પત્ર લખ્યું હતું, એમાં પણ આ રકમ વાષિક ૪૨,૦૦૦ રૂપિયા જેટલી જ હોવાનું જણાવ્યું છે. એટલે રૂ. ચાલીસ હજાર અને રૂ. સુડતાલીસ હજારના આંકડા ભૂલવાળા છે, એમ જ સમજવાનું રહે છે. ઉપરાંત, પહેલી વારનું દસ વર્ષનું ગિરખત પૂરૂ થતાં, બીજા દસ વર્ષ માટે એ ચાલુ રાખવાને જે દસ્તાવેજ અંગ્રેજીમાં, વિ. સં. ૧૮૮૮ના વદ ૧૩ ના રોજ, કરવામાં આવ્યા હતા, તે ( દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૫૦૦-૫૦૯ માં) છપાયેલો છે. એમાં વાર્ષિક રૂ. ૪૨૦૦૧ ની વહેચણી કઈ રીતે કરવાની છે, એની વિગતો આપવામાં આવી છે, તે પણ આ ખિત રૂ. ૪૨૦૦૧નું જ હેવાને પુરા પૂરી પાડે છે. કરાર પછી પણ શત્રુંજય ઉપર લૂંટ ચલાવ્યાની એક ઘટના કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ કેપ્ટન બનવેલની દરમ્યાનગિરિથી, સને ૧૮૨૧ ની સાલમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાલીતાણા રાજ્ય વચ્ચે રોપાને બીજે કરાર થયો હતો, અને તે મુજબ શ્રી શત્રુંજય તીર્થ અને એના યાત્રિકેનું રક્ષણ કરવાની જવાબદારી પાલીતાણું રાજ અદા કરવાની હતી. વળી આ કરાર થયા પછી બીજા જ વર્ષે પાલીતાણાના રાજવીને પિતાનું રાજ્ય નગરશેઠ હેમાભાઈ વખતચંદને ત્યાં ગિર મૂકવાની ફરજ પડી હતી અને એ ગિરખત બે દાયકા સુધી ચાલુ રહ્યું હતું; આમ છતાં આ અરસામાં જ, એક બહારવટિયાએ, શત્રુંજયનાં દેરાસરોમાં લૂંટ કર્યાની ઘટના બની હતી. આ ઘટનાને નિર્દેશ સેરઠના પિોલિટિકલ એજન્ટ કેપ્ટન એચ. વિલ્બરફેર્સ-બેલે લખેલ “History of Kathiawad From the Earliest Times” નામે સને ૧૯૧૬ માં છપાયેલ પુસ્તક (પૃ. ૨૦૩-૨૧૦) માં કરવામાં અવ્યિા છે, જેને સાર આ પ્રમાણે છે ભાવનગરના ગોહેલ રાજવી વજેસિંહજી અને કાઠી કામ અને એના જોગીદાસ ખુમાણ જેવા બહારવટિયા વચ્ચે લાંબા વખતથી વેરઝેર ચાલ્યાં આવતાં હતાં; અને તેથી ગામડાંઓ અને, ક્યારેક તે, શહેરો પણ બહારવટિયાના ત્રાસના ભંગ બની જતાં હતાં. આથી પ્રજા તો ત્રાસી ગઈ જ હતી, પણ રાજવી વજેસિંહજી પણ કંટાળી ગયા હતા. એટલે વિષ્ટકારોની આશરે એક વર્ષ જેટલી લાંબી વાટાઘાટને અંતે, સને ૧૮૨૮ (વિ. સં. ૧૮૮૫) માં, વજેસિંહજી અને કાઠીઓ વચ્ચે સમાધાન થયું હતું. . પણ આવું સમાધાન થયું હોવા છતાં, સાત વર્ષ બાદ એટલે કે સને ૧૮૩૬ (વિ. સં. ૧૮૯૨) માં, મહુવા પાસેના મેણપુર ગામના બહારવટિયા સાદુલ ખસિયાએ, પોતાના સાથી બહારવટિયા સાથે, પાલીતાણાના શત્રુંજય પહાડ ઉપરનાં શ્રાવકાનાં દેરાસરો ઉપર Page #320 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા પાના કરાર ૨૬ હલ કરીને કેટલીક મિલકત લૂંટી લીધી હતી. આથી પાલીતાણું રાજ્ય અને શ્રાવક કામે અંગ્રેજ સરકારની એજન્સીમાં ફરિયાદ કરીને આ બહારવટિયા ભાવનગરની એટલે કે વજે. સિંહજીની હૈયત છે, માટે વજેસિંહજીને આ નુકસાન ભરપાઈ કરી આપવાની અથવા ગુનેગારને પિતાને સુપ્રત કરવાની ફરજ પાડવાની માગણી કરી. પોલિટિકલ એજન્ટને આ માગણી વાજબી લાગી, એટલે એમણે પિતાને ઠીક લાગે તે માગણી માન્ય રાખવાની ભાવનગર રાજ્યને વિનતિ કરી. અને, આવી માગણી ભાવનગર રાજ્ય માન્ય રાખે એવું એના ઉપર દબાણ લાવવા માટે એમણે એના ઉપર મોહસલ એટલે દંડ પણ લાદ્યો હતો. આથી ભાવનગર રાજયે સાદુલ ખસિયાને દંડ કર્યો. આ વખતે ગાયકવાડના અમરેલી મહાલ સામે બહારવટે ચડેલ ચરખાને ચાંપરાજ વાળા સાદુલ ખસિયા સાથે હતા. એણે આવા દબાણને વશ થવાને બદલે પોતાનું અનુસરણ કરવા એને ઉશ્કેર્યો. જે એ એમ કરે, અને પિતાની યુક્તિ-પ્રયુક્તિ સફળ થાય, તે મહુવા એને પાછું મળી જાય, એવી લાલચ બતાવી. સાદુલ ખસિયે આ લાલચમાં ઝડપથી ફસાઈ ગયો અને, પિતાના સાથીઓ સાથે, પિતાના આ મિત્ર (ચાંપરાજ વાળા)ની ટોળીમાં જોડાઈ ગયે. પછી તે સાદુલ ખસિયાએ ઘણું લૂંટ કરી. એણે ગીરના ઘેરા જંગલેને પિતાનું છુપાવાનું આશ્રયસ્થાન બનાવ્યું હતું, તેથી એને ગિરફતાર કરવાનું મુશ્કેલ બની જતું હતું. પણ છેવટે. જણે એનાં પાપકર્મોને છેડો આવી ગયો હોય એમ, એ જૂનાગઢ રાજ્યના ઉના જિલ્લાના માથા ગામના એક કાળીના મકાનમાંથી પકડાઈ ગયે ! એજન્સીએ એની સામે કેસ ચલાવીને એને દસ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી. આ સજા અમદાવાદની જેલમાં ભેગવીને એ છૂટે થયો અને પિતાની શેષ જિંદગી એણે પિતાના ગામ મેણુપુરમાં શાંતિથી પૂરી કરી. આ ઘટના એક લેકકથારૂપે સચવાઈ રહી છે, અને તે માનવ-મનમાં, આસુરી વૃત્તિઓની જેમ. દેવી ગુણસંપત્તિ પણ છુપાયેલી હોય છે અને કેઈક અવસરે એ પ્રગટ પણ થઈ જાય છે. એ વાતની સાક્ષી પૂરે છે. એની વિગત જાણવા જેવી હોવાથી અહીં નીચે આપવામાં આવે છે– સાદુલ ખસિયાએ, પિતાના બહારવટિયા સાથીઓ સાથે, શ્રી શત્રુંજય તીર્થના પહાડ ઉપરનાં જૈનધર્મનાં દેરાસર ઉપર પિતાને ગોઝારો પંજો ઉપાડ્યો અને દેવમૂર્તિઓનાં આભૂષણે લૂંટી લીધાં; અને, જાણે આટલું ઓછું હોય એમ, એણે ભગવાન ઋષભદેવની પ્રતિમાના ભાલ–કપાળમાં ચડવામાં આવેલ રત્નજડિત ટીકે-તિલકમણિ પણ, ધગધગતી સાણસીને ઉપયોગ કરીને, ઉખાડી લીધે! પછી એ લૂંટારાઓએ આ લૂંટને ભાગ વહેચી લીધે; એમાં આ તિલકમણિ સાદુલ ખસિયાના ભાગમાં આવ્યો. એને વેચીને કે વટાવીને નાણાં ઊભાં કરી શકાય એમ તે હતું નહીં અને એને સાથે રાખીને વન-વગડામાં રઝળતા-ભાગતા ફરવામાં તે એ ગૂમ થઈ જવાનું જોખમ હતું એટલે ખસિયાએ એ અમૂલ્ય તિલકમણિને નાંદીવેલાના ડુંગરની કેઈક ગુફામાં છુપાવી દીધા ! ! Page #321 -------------------------------------------------------------------------- ________________ દરી શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ એ સમય નગરશેઠ હેમાભાઈને સમય હતે. અંગ્રેજ રાજશાસનમાં તેઓ માટે મોભે અને ઘણી લાગવગ ધરાવતા હતા. એમણે પિતાના પ્રાણપ્રીય તીર્થ ઉપર ધાડ પડ્યાની અને પિતાના દેવાધિદેવનાં આભૂષણે લૂંટાઈ ગયાની દાદ માગી. એટલે ભાવનગર રાજ્યના અને અંગ્રેજોના લશ્કરે સાદુલ ખસિયા, એના સાથી ચાંપરાજ વાળા અને એમના સાથીઓને હિરાસતમાં લેવા કમર કસી અને એ માટે એવી નાકાબંધી કરી કે એમની નજરમાંથી એક ચકલુંય છટકી ન શકે. - આવા બધા રઝળપાટથી થાકી-કંટાળીને, એક દિવસ, સાદુલ જૂનાગઢની હદમાંના એક ગામમાં એક કેળીના ઘરમાં બેઠા હતા; એવામાં ત્યાં એક બાવાજી આવી ચડ્યા. એમને સાલે પિતાને આવી યાતનાઓ કયા કર્મને લીધે વેઠવી પડે છે, એ પૂછયું. બાવાજીએ એને વાતને મર્મ સમજાવતાં કહ્યું : “ સાદુલજી! તમારાથી કોઈ દેવસ્થાનની, કેઈ બ્રાહ્મણની, કોઈ ગાયની અથવા કોઈ સંત-સતીની કનડગત થઈ ગઈ હશે કે એમની આમન્યા લેપાઈ ગઈ હશે. તેને જ આવું આકર કળ ભોગવવાનો વખત આવ્યો હશે ! વિચારશે અને આવું જે કંઈ પાપ કર્યાનું સાંભરી આવે એનું પ્રાયશ્ચિત્ત કરશે. આ રીતે જ તમારા ઉપર વરસી રહેલા દુઃખને દાવાનળ શાંત થઈ શકશે.” બાવાજીની વાત સાંભળીને, અંધકારઘેર્યા અંતરમાં જાણે વીજળીના ઝબકારાને પ્રકાશ રેલાઈ જાય એમ, ખસિયાને પિતે શ્રી શત્રુંજયનાં દેવસ્થાનની કરેલી લૂંટને અર્થાત દેવ અને દેવસ્થાનની આમન્યાને લેપ કર્યાને પ્રસંગ યાદ આવી ગયો, અને એનું મન, ગમે તેમ કરીને અને વહેલામાં વહેલી ઘડીએ, આ પાપને ધોઈ નાખવા ખૂબ ઉત્સુક બની ગયું –સને ૧૮૪૦ ની એ વાત. પણ આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની સાદૂલને તક મળે તે પહેલાં જ એ અને ચાંપરાજ વાળા ગિરફતાર થઈ ગયા. એમના ઉપર કેસ ચાલ્યો અને સાદુલને દસ વર્ષની અને ચાંપરાજ વાળાને જન્મકેદની, મજૂરી સાથેની, સખ્ત સજા થઈ. અને આ કેદની સજા ભેગવવા એમને અમદાવાદની જેલમાં લઈ જવામાં આવ્યા. જેલમાં પણ, કયારેક શાંતિ અને નિરાંતની પળમાં, સાદુલને પિત દેવ અને દેવસ્થાનની આમન્યાને ભંગ કર્યાનું પાપ સાંભરી આવે છે; અને હવે, અહીં જેલમાં રહ્યા. રહ્યા, એ પાપને ધોઈ નાખવાનું કામ કેવી રીતે થઈ શકે એના ઊંડા વિચારમાં એ ઊતરી જાય છે; અને આ પાપને ભાર વેઠતાં રહીને જ પોતાને આ જિંદગી પૂરી કરવી પડશે અને આવતી જિંદગી પણ બરબાદ થઈ જશેઃ આવા આવા વિચારોથી એ ખૂબ બેચેન અને અધીરા બની જાય છે. અને છતાં આ માટે શું કરવું એને માર્ગ અને સાંપડત. નથી. એમ ને એમ સમય વહેતો રહે છે. પણ, એક અંધારી રાતે, સાદુલની આ બેચેની અસહ્ય બની ગઈ; અને એણે જેલના આરબ સંત્રીને બોલાવીને, જેલના કપ્તાનને અત્યારે જ પિતાની પાસે બોલાવી મંગાવવાની આજીજીભરી વિનતિ કરી. સાદૂલના અંતરમાં ઘળાઈ ળાઈને બહાર આવેલી આ વિનતિ Page #322 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાશે ૨૬૩ કઠોર હદયના મંત્રીના ચિત્તનેય પશી ગઈ. અને એણે તરત જ એક સિપાહીને મોકલીને, જેલના ઉપરી અધિકારી કેપ્ટન મિલને ત્યાં બેલાવી મંગાવ્યા. પડછંદ કાયા ધરાવતા મિ. મિલ, પળવાર માટે, આ સિંહ સમા નરશાલ સાદુલા ખસિયાને નીરખી રહ્યા. પછી એમણે લાગણીપૂર્વક પૂછયું : “બોલે સાદુલજી ! મને અત્યારે આવી મધરાતે—શા માટે યાદ કર્યો ?” અને પિતાના કેાઈ સ્વજનને જોઈને દુઃખી માનવીન દુઃખિયારા અંતરને બંધ છૂટી જાય, એવી અદમ્ય લાગણીઓ, લોહપુરુષ જેવા ખસિયાને પણ જાણે પરવશ બનાવી દીધા ! અને એણે. એક પાપને એકરાર કરવા તૈયાર થયેલ સામાન્ય માનવીની જેમ, પિતાનાં જ જતન વીતકેની કથા માંડીને કહેવા માંડી. અંગ્રેજ અમલદાર પણ આવા પરાક્રમી પુરુષની આપવીતી અને દુઃખકથા ખૂબ સહાનુભૂતિથી સાંભળી રહ્યો છેવટે એય એક માનવી જ હો ને પિતાની આ આપવીતીને અંતે, જાણે પેાતાના મનમાં લાંબા વખતથી ઘેળાયા કરતી ઇચ્છાને પ્રગટ કરતા હોય એમ, સાદુલ ખસિયાએ કેપ્ટન મિલને વિનતિ કરી: “કપ્તાન સાહેબ ! મેં કરેલું મોટું પાપ થોડુંક પણ દૂર થાય અને મારા જીવને શાંતિ થાય એટલા માટે મેં નાંદીવેલાના ડુંગરની ગુફામાં સંતાડેલા પેલા તિલકમણિની ત્યાં શોધ કરીને, અને એને મેળવીને શત્રુંજયના ડુંગર ઉપરના એ દેવસ્થાનમાં પાછા મોકલાવી આપવાની આપ મહેરબાની કરશે. તે મારા જીવને ખૂબ સંતોષ થશે અને હું હમેશને માટે આપને અહેસાન માનીશ.” આ ઘટના અહીં જ પૂરી થાય છે, એટલે પછી એ તિલકમણિનું શું થયું તે તે જાણી શકાયું નથી. છતાં જેલમાંથી છૂટયા પછી, સાદુલ, પિતાના વતન મોણપુરમાં, પિતાની શેષ જિંદગી, શાંતિ અને સંતોષ સાથે, ધર્મનાં અને બીજાં સારાં સારાં કામોમાં વિતાવી શક્યો તે પિતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની આવી ઉત્કટ ભાવનાનું જ જાણે ફળ હેય એમ જ માનવું પડે ! સાદુલ ખસિયાએ શત્રુંજય ઉપર પાડેલી આ ધાડ માટે ભાવનગર રાજ્ય સામે ધા નાખવામાં પાલીતાણું રાજ્ય શ્રાવકને પૂરત સાથ આપ્યો હતો તે, સને ૧૮૨૧ના, વાર્ષિક રૂ.૪૫૦૦ના રખેપાના બીજા કરારમાં પાલીતાણા રાજયે આપેલી બાંઘધરીના કારણે જ આ હતે એમ લાગે છે. આ બાંહ્યધરીવાળું લખાણ આ પ્રમાણે છે સંધ અગર પરચુરણ લેક જાત્રાએ આવશે તેની કી રાની ખબરદારી અમે સારી પેઠે રાખીસુ. ને જાત્રાળુ લોકને કશી વાતે જ પચવા દે નહી. અગર કોઈ લકનું નુકસાન ચોરીથી થાસે તે તેનું વલતર કરી આપીશું. આફત કૂતુર આસમાની સુલતાની મેજરે આપીશું.” આ લખાણના છેલ્લા વાક્યમાં સૂચવ્યા પ્રમાણે, સાદુલ ખસિયાની લૂંટથી શ્રી શત્રુંજય તીર્થને જે નુકસાન થયું હતું, તે ભરપાઈ કરી આપવાની જવાબદારી પાલીતાણું રાજ્ય ઉપર Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રોઝ આ૦ કની પેઢીના ઇતિહાસ આવતી હતી. એટલે આની સામે ભાવનગર રાજ્ય પાસે દાદ માંગવામાં જૈતાને સાથ આપવાથી પાલીતાણા રાજ્ય આ જવાબદારીમાંથી બચી ગયું હતું એમ લાગે છે. ૧૬. મુંબઈ સરકારના, તા. ૧૬-૩-૧૮૭૭, ન. ૧૬૪૧ ના ઠરાવમાં, આ ગિરીખત માટે જણાવવામાં આવ્યુ` છે કે— "Wakhutchand held the lease under two subsequent renewals upto 1843, when Noghanji (ought to be Pratapsingji), the father and predecessor of the present rular, was on the Gadi." અ—વખતચંદે, સને ૧૮૪૩ સુધી, એક પછી ખીજું, એમ બે ગિરાખતથી રાજ્યને કબજો રાખ્યા હતા; ત્યારે અત્યારના રાજવીના પિતા અને પુરાગામી રાજવી નેઘણુજી ( ખરી રીતે પ્રતાપસિંહજી જોઈએ) ગાદી ઉપર હતા. આ ગિરાખત, પહેલ-વહેલું, સને ૧૮૨૧ના રખાપાના ખીજા કરાર પછી, સને ૧૮૨૨માં, દસ વર્ષની મુદ્દત માટે, કરવામાં આવ્યું હતું; અને તે પૂરુ થયા પછી, સને ૧૮૩૨ માં ( વિ॰ સં॰ ૧૮૮૮માં) ખીજા દસ વર્ષ માટે એ ચાલુ રાખવામાં આવ્યું હતું. એટલે સને ૧૮૪૧ માં (વિ॰ સં૰૧૮૯૭ માં) એ પૂરું થતું હતું. પણ આ ગિરાખતમાં એક એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, રાજ્ય ઉપર કાઈ વર્ષમાં દુષ્કાળ જેવી આફત આવી પડે અને તેથી એ વર્ષના વહીવટ આ ગિરીખત પ્રમાણે, સંભાળવાની શેઠશ્રીની તૈયારી ન હાય તા, એ વર્ષોંના વહીવટ રાજ્ય સભાળશે અને એના બદલામાં એવું વ`ગાખતમાં વધારી આપવામાં આવશે. આ ગિરાખતમાંના આ બાબતને નિર્દેશ કરતા શબ્દો આ પ્રમાણે છે “If by chance afut ( આફ્ત ), asmanee, sooltanee, ( આસમાનીસુલતાની ), feetoor (ફિતૂર)oceur and you wish not that year to keep the farm, the Darbar will, in that year, manage it, and take what produce there is with the expence, and, in exchange for that year, one year will be added to the farm and given to you. "" વિ॰ સં॰ ૧૮૯૦ અને ૧૮૯૫ નાં બે વર્ષ દુષ્કાળનાં હતાં, તેથી ગિરાખત સને ૧૮૪૧ (વિ॰ સં૰૧૮૯૭) ના બદલે સને ૧૮૪૩ (વિ॰ સં॰ ૧૮૯૯) સુધી અમલમાં રહ્યું હતું. ( જીએ પાદનોંધ નં. ૧૮ ) આ ગિરાખત અંગે વિશેષ ધ્યાન આપવા જેવી વાત તા એ છે કે, એ કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટની સાક્ષીમાં કરવામાં આવ્યું હતું. (દતર ન". ૧૩, ચાપડા નં. ૧૧૪, પૃ. ૫૦૯, ૫૧૩, ૫૩૪) ૧૭, આ અરજીમાંનુ મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે— Page #324 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારે ૨૬૫ "Since Mr. Malet was appointed political Agent in this Prant and as that gentleman was residing in this taluka, I thought of laying the above grievance before that gentleman; however, I refrained from doing so from the sense that my doing so would indispose the Shett against to me. I therefore made a mention of it verbally to that gentleman who took the matter into his consideration, and dissolved the farm, despite of all this Shett's excertions to the contrary and, cause the taluka to be made over to me." (દફ્તર નં. ૧૩, ચાપડા ન. ૧૧૪, પૃ. ૪૬૯) ૧૮. કાઠિયાવાડના લિટિકલ એજન્ટ મિ. આર્થર મેલેટ, મુંબઈ સરકારના ચીફ સેક્રેટરીને આ વાતની માહિતી આપતાં, એમના તા. ૩૦ જાન્યુઆરી, ૧૮૪૬ ના પત્રમાં લખ્યુ` હતુ` કે "I have the honour to report the completion, at the close of tie year Samvat 1898, A. D. 1843, of the term of the farm of Palitana to sett Waktchund Kushalchand. The lease was for ten years, which ended at the close of 1897, but as the years 1890 and 1895 were of scarcity, two years more, as provided in the lease, were accorded. " ભૂલસુધાર—ઉપરના લખાણમાં શરૂઆતમાં સંવત ૧૮૯૮ લખ્યું છે, તે છાપકામની ભૂલ હાય એમ લાગે છે; આ સંવત ૧૮૯૯ ની જહેાવી જોઈએ, એ ઉપરના લખાણના પાછળના ભાગમાં સૂચવવામાં આવ્યુ` છે કે સંવત ૧૮૯૭ થી બે વર્ષ માટે આ ગિરાખતના અમલ વધારી આપવામાં આવ્યા હતા, એ ઉપરથી જ પ્રમાણિત થાય છે. ( જુએ પાદનોંધ નં. ૧૫) (દફ્તર નં. ૧૩, ચેાપડા નં. ૧૧૪, પૃ. ૫૧૨–૫૧૩) ૧૯. પાલીતાણાના દરબારે શેઠે વખતચંદ ખુશાલચંદને ત્યાં પેાતાનું આખું રાજ્ય ગિરા મૂકયાને, ખીજા દસ વર્ષની મુક્તના, જે દસ્તાવેજ કરી આપ્યા હતા, તેની મુદ્દત પૂરી થતાં, ઉપરની ૧૮ મા ન‘બરની પાદનેધમાં સૂચવવામાં આવ્યું છે તે મુજબ, કાઠિયાવાડના પેોલિટિકલ એજન્ટ મિ. આર્થર મેલેટના પ્રયત્નથી, એના સને ૧૯૪૩ માં અંત આવ્યા હતા; આખું રાજ્યપાલીતાણાના રાજવીને સુપ્રત થયું હતું. આમ છતાં મુંબઈ સરકારને આ હકીકતની જાણુ મિ. મેલેટ બે વર્ષ કરતાંય વધુ વખત વીત્યા બાદ, છેક તા. ૩૦-૧-૧૮૪૬ ના નં. ૩૯ ના પત્રથી કરી હતી એ શા માટે ? આથી એવી કલ્પના કરવાનું મન થાય છે કે વર્ષના ૧૮૪૬ ના આંકડા છાપવામાં કદાચ ભૂલ થઈ હશે અને ખરી રીતે આ વર્ષ ૧૮૪૪ હરશે. પશુ આ બાબતની ખાતરી કરવા માટે વિશેષ તપાસ કરતાં, આ સને ૧૮૪૬ ના અંક સાચા હાવાનું જાણવા મળે છે. મિ. મેલેટ, મુંબઈ સરકારના સેક્રેટરી બન્યા પછી, કાર્ડિયા Page #325 -------------------------------------------------------------------------- ________________ શેડ આ ક0ની પેઢીને ઇતિહાસ વાડના પોલિટિકલ એજન્ટ, કેપ્ટન ડબલ્યુ લેંગને, તા. ૧૫-૧૦-૧૮૪૬ ના રેજ, જે પત્ર લખ્યું હતું, એમાં તા. ૩૦-૧–૧૮૪૬ ના નં. ૩૯ ના આ પત્રને “No. 39, dated the 30th January last” આવા શબ્દોમાં ઉલ્લેખ થયેલો છે. એટલે સને ૧૮૪૬ ના અંકમાં છાપકામની ભૂલ હોવાની કલ્પના કરી શકાય એમ નથી. મતલબ કે આ ગિરખત પૂરું થયા પછી મુંબઈ સરકારને એની જાણું તરત કરવાને બદલે બે વર્ષ કરતાં વધુ સમય પસાર થયા બાદ કરવામાં આવી હતી એ હકીકત છે. એટલે વચમાં આટલે બધે સમય મિ. મેલેટ, આ બાબતમાં, કેમ ચૂપ રહ્યા હશે, એ સવાલનું સમાધાન મેળવવાનું બાકી જ રહી જાય છે. ( દફતર નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પૃ. ૫૨૭) ૨૦. “ શ્રી–નંબર ૨ ગોહેલ શ્રી ધણજી તાં કુમારા શ્રી પરતાપશઘજી વી શેઠ આણંદજી કલા ણાજી જત, શેત્રુજા ડુંગર બાબતની રકમના અમારા રૂપીઆ શાં. ૧૯૧૬ ને કરતક સુદ ૧૫ થી શાં. ૧૯૧૭ ઓગણીશેહે શતરાના કારતક સુદ ૧૫ સુધી વરશ 11 એકના અમારા તમારી પાસે તેની વિગતો “ ૪૦ ૦૦ રૂપીઆ ચાર હજરા શકાઈ અમારા અમને દેસી પણ ખુશલની દુકાનથી કારતક સુદ ૧૫ ની તારખના “૫૦૦ ભાટ તો રાજગરના રૂપીઆ પચશેહ શકાઈ તમારી પાસેથી પરભારા અમે અપાવાં. “૪૫૦૦ અકે પશતાલીશેહ શકાઈ ઉપર પરમાણે આપા તે લેઈ આ પિચ લખી આપી તે શહી છે શાં. ૧૯૧૬ નાં કારતક સુદ ૫ વાર રવીવાર, કુંવર શ્રી પ્રતાપસંધછ હી.” ૨૧. આ અરજીમાંનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે : “You are sir well aware, that by the terms of perpetual agreement entered into between both parties, by their mutual concurrence before Captain Barnwell, the shrawuks were to pay 4500 Rupees a year to the Thakor Sahib on account of Rakhopa or the protection of the hill and pilgrims, that the Thakore Sahib himself and his ancestors have received that amount annually from 1821 to 1863 and passed receipts for the same for long time for about more than 40 years.” ( દફતર નં. ૫, ફાઈલ નં. ૪૭, પૃ. ૪૮૧) રર. સને ૧૮૨૧ ના કરાર પ્રમાણે પિતાને લેવાના વાર્ષિક રૂપિયા ચાર હજારની રકમ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસેથી લેવાને પાલીતાણાના દરબારશ્રીએ સને ૧૮૫૨ની સાલમાં ઇનકાર કર્યો, તેમાં મુખ્ય વાંધો “સિક્કા” (સકાઈ) નામે ઓળખાતા રૂપિયા અને “કંપની” ના ઓળખાતા રૂપિયા વચ્ચે જે હુંડિયામણના દરને ફેર હતું અને એ ફેર મુજબ “કંપની Page #326 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણ રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર સરકાર ના રૂપિયાની કિંમત “સિક્કા ' નામે ઓળખાતા રૂપિયા કરતાં વધારે હતી તે હે જોઈએ એમ લાગે છે. આ રપાન કરાર મુજબ દરબારશ્રીને રૂપિયા ચાર હજાર, રાજગારને રૂપિયા બસો પચાસ અને ભાટને રૂપિયા બસે પચાસ-એમ બધા મળીને રૂપિયા ૪૫૦૦ લેવાના થતા હતા. આ રકમ “સિક્કા માં ચૂકવવામાં આવતી હતી, જેની કિંમત ‘કંપની” ના રૂપિયામાં રૂા. ૪૧૮૩–આ. ૪--૫ા. ૬ થતી હતી, એટલે સિક્કોના રૂપિયા ૪૫૦૦ ના. બદલે કંપનીના રૂપિયા ૩૧૬-આના ૧૧-પાઈ ૬ ઓછા મળતા હતા. (સ્પેશિયલ અપીલ નં. ૨૫, પૃ. ૪૪.) એટલે આ હુંડિયામણુના વાંધાને કારણે બે વર્ષ સુધી દરબારશ્રીએ રખોપાની રકમ લીધી ન હતી. દરબારશ્રીએ આ રકમ લેવાને ઇનકાર કર્યાને નિર્દેશ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ વગેરે શ્રાવક કેમને પ્રતિનિધિ તરફથી ક્યારેક મહારાણી વિકટોરિયાને પાલીતાણું રાજ્ય વિર દ્ધ એક વિસ્તૃત અરજી કરવામાં આવી હતી, તેના સત્તરમા પેરેગ્રાફ નીચે મુજબ કરવામાં આવ્યો હતે એમ જાણવા મળે છે– “In 1852, the Chief refused to receive Rs. 4,000, being his share of the commutation charge, on the ostensible ground that it was not paid in the proper currency; and after that the matter was constantly disputed.” (દફતર નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પ૦ પ૨૫.) દેશી રાજ્યના ચલણી નાણાં અને અંગ્રેજ સરકારના ચલણું નાણું વચ્ચે હુંડિયામણને ફેર રહેતે જ હતો. અર્થાત અંગ્રેજ સરકારના એક રૂપિયા કરતાં દેશી રાજ્યના એક રૂપિયાનું મૂલ્ય ઓછું ગણવામાં આવતું હતું. આ બાબત ગુજરાતના જાણીતા ઇતિહાસ-પુરાતત્ત્વવિદ્ ડે. હરિપ્રસાદ શાસ્ત્રીઓ, મુંબઈ યુનિવર્સિટી હસ્તકની, ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં “ગુજરાતના અભિલેખે : એતિહાસિક સામગ્રી તરીકે” એ નામે જે પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં, તેમાં બીજા વ્યાખ્યાનમાં એમણે જુદાં જુદાં રાજ્યો વચ્ચેના ચલણી નાણાં વરચેને ફેર દર્શાવતા ગાયકવાડી રાજ્યના તથા કંપની સરકારના નાણાં વચ્ચે ફેર હોવાનું દર્શાવતું નીચે મુજબ વિધાન કર્યું હતું, તે આ બાબતમાં પુરાવારૂપ બની રહે એવું છે– “કંપની સરકારના સો રૂપિયા બરાબર બાબાશાહી એકસો સવા ચૌદ રૂપિયા ગણતા.” (“પ્રબુદ્ધ જીવન', તા. ૧૬-૩-૮૧) વિશેષમાં અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સભાની કાર્યવાહીની નોંધ રાખતી પ્રોસીડિંગ બુકમાંથી જાણવા મળે છે તે મુજબ, તા. ૮-૬-૧૯૦૦ ના રોજ, એમ ઠરાવવામાં આવ્યું હતું કે, “મુંબઈગરા રૂપિયા એક સોની સામે બાબાશાહી રૂપિયા એકસો સાઈઠ ગણવા” મુંબઈગરા એટલે કંપની સરકારના રૂપિયા અને બાબાશાહી એટલે વડોદરા રાજ્યના રૂપિયા સમજતા હતા. આ બધાંને સાર એ છે કે દેશી રાજ્યના ચલણ કરતાં અંગ્રેજ સરકારના ચલણની Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શેઠ આ કની પેઢીના ઇતિહાસ કિંમત હુંમેશાં ઊંચી રહેતી હતી અને તેથી પાલીતાણાના દરખારશ્રીએ રખાપાની રકમ લેવાના ઇનકાર કર્યાં હાવા જોઈએ. ૨૩. કલ લેંગે દરબારશ્રીને નીચે મુજબ અગ્રેજીમાં પત્ર લખ્યા હતા— પેરા ૩૮ : “ ... The object of my writing is to inform you that upon examining the original Mutalib it appeared to me to be quite evident that the settlement referred to therein had been effected in the presence and through the intervention of Captain Barnewell and further that upon payment regularly year by year of the annual sum therein stated the compact should be continued in perpetuity. These and other matters appear in the Mutalib, consequently the Hundis were returned to the Seth's man with instructions to present them to you direct but it is owing entirely to your own fault that this amount has not been earlier paid you. Therefore when the pilgrims congregate you are enjoined in no way to cause them obstruction or molestation. Consider this as a strict caution, '' ( પાલીતાણા જૈન પ્રેસ, પૃ૦ ૧૯૧) ૨૪. કલ લેંગના ફ્રૂટનોટ ન. ૨૩ માં જણાવ્યા મુજબના લખાણને ધ્યાનમાં લઈને દરખારશ્રીએ એ વર્ષોંના રખાપાના પેાતાના આઠ હાર રૂપિયા અને રાજગાર તથા ભાટના એક હજાર રૂપિયા મળીને કુલ રૂપિયા નવ હાર પેઢી પાસેથી સ્વીકારી લીધા હતા અને એની જે પહેાંચ આપી હતી તેમાં સિક્કા નામે ચલણી નાણાં અને ક ંપની સરકારના ચલણી નાણાં વચ્ચે વટાવના જે ફેર રહેતા હતા તેના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ પહેાંચનું લખાણુ કુંવર પ્રતાપસિંહની સહીવાળુ' નીચે મુજબ છે— “ નબર ૩૭. ગાહલ શ્રી નાધણુજી ત્યા કુમાર શ્રી પ્રતાપથી હજી વિશેઠ આણુ જી કલાંણુજી જત શેત્રુા ડુંગર બાબતની રકમના અમારા રૂપૈઆ શા ૧૯૦૮ ના કારતગ સુદ ૧૫ થી તે સવત ૧૯૧૦ ઓગણીશેહે શના કારતગ સુદ ૧૫ સુધી વરસ એના અમારા તમારી પાશે શકાઈ કંપનીના વટાવની તકરાર ખાખત રહેતાં તે રૂપેઆ વરશ ખેના નવ હજાર શકાઈ અમાને તમેાએ આપા તેની વિ ૮૦૦૦ આઠ હજાર્ રૂપૈઆ અમારા અમને આપા તે શકાઈ રાકડા ‘ગાંધી દેવરાજ ઉકરડા પાસેથી ૧૦૦૦ ભાટ ત્થા રાજગરના એક હાર શકાઈ તમારી પાસેથી પરભારા અમેાએ અપાવા તે. * “ ૮૦૦૦) ઉપર પ્રમાણે નવ હજાર રૂપૈઆ શકાઈ અપા તે લઈ આ પહેાચ લખી આપી છે તે હી છે. શા. ૧૯૦૯ ના ફાગણ સુદ ૮ ગુરુવાર કુવર શ્રી પ્રતાંપશાંધજી હી.” Page #328 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરાશે ૨૫. પાલીતાણાના દરબારશ્રીએ ઉઠાવેલ વાંધાનુ... અંગ્રેજી ભાષાંતર આ પ્રમાણે છે— "The Thakore also states that, in the deed of settlement, some addition has been fraudulently made subsequent to the final and formal execution thereof. " (દતર નં. ૧૩, ચાપડા નં. ૧૧૪, પૃ૦ ૪૬૮) ૨૬. આ દસ્તાવેજમાં ધાલમેલ થયા હેાવાના આરેાપ દરબારશ્રીએ પેાતાની અરજીમાં જે શબ્દામાં કર્યાં હતા, તે નીચે મુજબ છે— ૨૬. "He (Shett Wakhatchand Khushalchand) may have told verbally to Major Barnwell that the farm was to continue for ten years only, and no longer, and obtained his attestation to the deed of settlement, omitting to mention to him the addition in question." ( દતર નં. ૧૩, ચાપડા ન’. ૧૧૪, પૃ૦ ૪૬૯) પ્રમાણે હતા— ૨૭. દરબારશ્રીની આ ફરિયાદના શબ્દો આ "In the lease that was drawn up, the sett aforenamed committed a fraud by having got the following words inserted-' As long as you pay me the amount in perpetuity, so long we shall maintain it.' ' ૨૮. દરખારશ્રીએ આ પ્રમાણે ફરિયાદ કરી હતી~~~ (તર નં. ૧૩, ચાપડા નં. ૧૧૪, પૃ૦ ૪૭૩) "I have every reason to say that the supplementary lines in the document were added without the consent of my ancestors." ( દફતર નં. ૧૩, ચાપડા નં. ૧૧૪, પૃ૦ પર૧ ) ર૯. મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનના કાગળમાંનું મૂળ લખાણ આ પ્રમાણે છે— પેરા 10 : “ The clause to which he took exception, viz, ' that if the shravuks continued to pay the amount, year by year in like manner, the chief would abide by the agreement,' is in the body of the deed written exactly uniform with the rest of the writing; ' the signature of Captain Barnewell, as well as memo, are in his own handwriting, and bear no signs of forgery.' (તર નં. ૧૩, ચાપડા નં. ૧૧૪, પૃ૦ ૪૮૫) ૩૦. મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનના મજકૂર પત્રમાંનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે— Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ પેરે 11 : “At this period of time, it is out of the power of the Thakore to prove that the deed, as he maintains, was not signed by his ancestors, that it was not executed in the presence of Captain Barnewell, and from that officer not having been conversant with the Guzeratee language, was deceived by the parties who brought him the agreement to sign. The document, however, as bearing that officer's signature, and purporting, as it does, to have been concurred in by both parties in his presence, must now, I conceive, be accepted as genuine. The very fact alone of the present Thakore's father, Purtabsing, having mortgaged the pilgrimtax towards liquidating the sum of money raised by him in 1840, is sufficient to stamp it as such." (દફતર નં. ૧૩, ચેપડા , ૧૧૪, પૃ૦ ૪૮૫) ૩૧. “શ્રી સરકાર ડેવીડ બીલેન સાહેબ ઈસકાર આકટીંગ પુલેટીકાલ એજટ પ્રાંત કાઠીઆ વાડની. હેનરાએલ કુપની બહાદરની ખીજમતમાં પાલીતાણથી લી ગહેલ કાંધાજી થા કુંવર ઘણજીના સલામ વાંચજો અત્રે ખેરીઅત છે સાહેબશ્રીની ખેરખુશી નીરંતર ચાહુ બુ દીગર અરજ એ છે જે શેત્રુજા ડુગરને ઈજારો પરર્થમે શેઠ આણંદજી કલાણને વશ ૧૦ને બંદોબસ્ત કરી આપે હતો તે શા. ૧૮૮૮ના કારતગ સુદ ૧૫ પુરો થશે વાસ્ત હાલ નવો બંદોબસ્ત વરશ ૧૦ને ઠરાવી મતાલબ લખી ખુદાવંદ શાહેબની હજુરમાં મોકલી છે તે સાહેબ મેહેરબાની કરી મતાલબમાં બાંદરી કરી આપનાર સરકાર પાવન ધણી શમરથ છે | એ જ અરજ શા. ૧૮૮૭ના વરખે ” ( કાગળ ફાટી જવાથી સહી ઉકેલી શકાતી નથી પણ નવધણજી લખ્યું હોય તેમ લાગે છે.) ૩૨. “શેઠ આણંદજી કલાણજી જેગ લી ગેહેલ શ્રી ઘંણજી તથા કુવર શ્રી પરતાપસંઘજી જત અમાએ શેઠ હીમાભાઈ વખતૃચંદ તથા શા. હઠીસંઘ કરમચંદ રહેવાસી અંમદાવાદના પાશેથી શ્રી શેત્રના ડુંગર ઉપર રૂ. ૩૩૩૩૫) અકે તેતરીસ હજાર ગંણસેહપાંતરી શકાઈ કર જેવી આજ ટકા. ૧ અંકે એક લેખે લીધા છે તેહેન ખતી શેઠ હીમાભાઈ વખતચંદ ત્યા. શા. હઠીબંધ કરંમચંદને શા. ૧૮૯૭ના ભાદરવા સુદ ૨ ની તરેખનું લખી આપુ છે તેના વિઆજના હરવરસ ૧ એકે રૂપિઆ ચાર હજાર થાએ તેને પેટે શેત્રુજા ડુંગરના અંમારા હકનો આંકડો હર વરસ ૧ એક રૂપેઆ ચાર હજારનો છે તે રૂપે વરસ ૧ ચાર હજાર પરમાણે ઉપર લખેલા ખતના વીજને પેટે એ ખતના રૂપમાં વીઆજ સુધાં વલી રહે તાંહાં સુધી તમે તેને વરસ અંમારી વતી આપજો શા ૧૮૯૭ના ભાદરવા સુદ ૨ દસકત પારેખ જીવન મકનદાસ લૌ. ગેહલ શ્રી ધણજી શ્રી કુવર શ્રી પરતાપશંઘજી ઉપર લખતે હી દા. પરતાપગંધછે. ૩૩. મહારાણી વિકટેરિયાને કરેલી અરજીમાં આ સમજૂતી આઠ વરસ સુધી ચાલુ રહી હતી તેનું Page #330 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેાપાના કરાશે 201 સૂચન કરતા મૂળ શબ્દો આ પ્રમાણે છે : “ The loan was repaid about eight years afterwards. " (તર નં. ૧૩, ચાપડા ન’. ૧૧૪, પૃ॰ પરપ ) ૩૪. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મેજર કીટિ‘જે, તા. ૧૫-૪-૧૮૬૩ ના પેાતાના અહેવાલમાં, જે શબ્દોમાં પેાતાની વાત રજૂ કરી હતી, તે આ પ્રમાણે છે— "Major W. W. Anderson in his report on this subject No. 12/6 of 15th January 1863 has given good reasons for his opinion that the deed produced by the Srawak community is genuine, and was formerly so considered by the Palitana family. I concur in this view of the case but I do not now recommend Government to uphold the letter of the writing in question." ( પાલીતાણા જૈન ક્રેસ, પૃ૦ ૧૪૪) ૩૫. રખાપાના ત્રીા કરાર તરીકે ઓળખાયેલ, પણ ખરી રીતે મેજર કાર્ટિને આપેલ મૂળ અ'ગ્રેજીમાં ફેંસલારૂપે જાહેર થયેલ, આ કરારનું મૂળ અંગ્રેજી લખાણુ નીચે મુજબ છે— DECISION BY MAJOR KEATINGE and Award of Rs. 10,000. The Shrawuck Community represented by: Shet Dayabhaee Unopchund Sha Tacursee Punjasha Against the Thakoor Saheb of Palitana. : Claim the continuance in perpetuity of guranteed agreement regarding the Pilgrim tax taken from persons visiting the Shrines on the Shetroonjee Hill. As directed in the letters of Government No. 1722 of 4th June and No. 1902 of 13th June 1863, I proceed to make, to the best of my ability, an equitable arrangement between the contending parties. It is not my intention to review in any way the history of the quarrel, as within the last year it has been twice reported upon; Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શેઠ આવકની પેઢીના ઇતિહાસ 1stly, By Major W. W. Anderson on the 15th January 1863, and 2ndly, by myself in my report dated 25th April 1863--both these reports are annexed. 2nd. It is desirable that two errors in Honourable Mr. Anderson's letter No. 1902 of 13th June, 1863 should be pointed out as having attracted notice and been enquired into before the representatives of the contending parties : I. Annundjee Kallianjee is not the name of an individual. It is the designation of a Firm organized by the Shrawuck Community to receive and control the Treasury of the Temples. II. The Statement in the 7th paragraph is erroneous, the Palitana Chief holds no Sunnud from the Delhi Court, and there is unfortunately no record of any authorized scale of Taxation on Pilgrims. 3rd. The Chief of Palitana governs his own territory and under ordinary circumstances would make his own rules for the taxation of the pilgrims and for their admission to the Shetrunja hill within his boundary and immediately overhanging his capital." The Shrawak Community, however, claim our interposition in their favour on two separate grounds : : I. As holders of a Sanad from the Delhi court, conferring Palitana and the Hill on Santidas, the King's Jeweller, one of their Community. II. On account of a lease cxecuted by the Thakore in the year 1821 before the Political Agent which they state to be binding in perpetuity. 4th. The Sanad is dated the 30th year of the reign of Shah Jahan about A. D. 1657. It would be an interesting study to trace what the real power of the Delhi Court in Kathiawad was at that period and how far it had the power to enforce such a gift. I have, however, searched in vain for any authentic information in this matter. I remark, however that the exact period of Page #332 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર 203 the grant was one of utter anarchy in the empire, being the year in which Shah Jahan was dethroned by his son Aurangzeb. 5th. Between the year 1657, and 1808, there was however, abundant time for change, and the fact is undoubted that in the latter year when Colonel Walker first extended British influence into Kattywar, we found Chief of Palitana, a Gohel Rajpoot, in possession of the Estate he now holds, paying a tribute to the Guicowar of Baroda and levying fees on all Pilgrims visiting the Shrines on the Hill. The Palitana Estate was at that period nearly ruined; the Chief was incapable of managing his own affairs, was at enmity with his own son, and was deeply indebted to one of the Shrawuck Community. The latter class possessed then, as they do now, the great influence consequent on a close combination amongst themselves and unbounded wealth which made them the creditors of almost every Chief in Guzerat. Our interference in their behalf was constant, but it was never proposed that an attempt should be made to revive the terms of Sha-Jahan's grant by encroaching upon the rights of Palitana Chief. 6th. Captain Barnwell the Political Agent addressing Government on the 20th December 1820, suggested that the Guicowar should be requested to remit so much of his Tribute as would compensate the Palitana Chief for any loss he might incur by abandoning his claim to the Pilgrim tax. He assessed the amount at from three to four thousand Rupees. A Negotiation was consequently opened with Baroda on this point, but His Highness the Guicowar proving unwilling to make any concession, the matter was not pressed. These circumstances, I think, show that the Sunnud of the Delhi Court must be rejected as establishing any special claim on the part of the Shrawuck Sect to exemption from the Pilgrim tax levied by the Palitana Chief, ૩૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શેઠ આ કની પેઢીના ઇતિહાસ 7th. In 1821 the lease was executed before Captain Barnwell which forms the second document on which the claimants demand our intervention on their behalf. Government has stated in the letter above alluded to No. 1902 of 13th June 1863, that the whole question turns upon the wording and construction to be placed upon this deed; two translations of the document are annexed, one prepared by a Comittee of three Officers o the Kathyawar Political Agencyand another presented by the Shrawuck Agent bearing the signature of Mr. Flynn, a professional translator. There is no important difference between these translations. The deed is of the nature of a form of the pilgrim tax given by the Thakore to the Shrawuk Community; it commences with a clear statement that the agreement is for ten years, but further on in the body of the document, is the clause on which the complainants claim that the deed may be enforced in perpetuity. COMMITTEE'S TRANSLATION. And after the expiry of the period as long as you shall pay the money in future years so long we will continue you in the enjoyment according to agreement. MR. FLYNN'S TRANSLATION. And after the expiration of the time as long as you shall pay the amount in future according to the agreement we will act up according to the agreement. 8th. This single clause in the lease when read apart from the rest appears sufficiently clear but it will be obvious to any person accustomed to the perusal of documents of that date that the form of words used in deeds intended to be binding in perpetuity are wanting in this instance. This clause when read in context with the rest of the document loses much of its force and it is evident from the English correspondence that the officer who mediated the agreement did not consider it a leading feature in the agreement. Still if Page #334 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાાના કરારી ૨૭૫ such a clause occured in a document drawn up between two persons equally subject to the ordinary course of Law, I should not scrupple to decide that the lease was to continue in force according to its present terms as long as the lessee chose to make his payments with regularity. But the case here is different. The Thakore of Palitana is, as I have above stated, a Prince ruling his own territory, he loudly declaims against the terms of the lease, and against the influences which the Srawucks have brought to bear upon his estate, and asserts that the respect he owes to the British Government alone induces him to permit the Shrawuck Agency to continue the collection of this tax. It must be remembered that this claim is but one of many made by this sect for peculiar privileges and exemptions in Palitana. 9th. Captain Barnwell reported to Government that he had concluded an arrangement for ten years-and as ten year's guarantee, the Government of the day sanctioned his scheme. The rights of levying some tax on Pilgrims has at all times been claimed by native Government-the responsibility of providing for the protection of these travellers with their numbers, and it is but just that the right of taxation being once conceded the revenue should be in proportion to the numbers who frequent the Shrine. 10th. I would willingly, as stated in my report of the 25th April 1863, have suspended the Government Guarantee, and have given the Thakore permission to manage this affair for himself reserving the right of Government to interfere if he should be proved to have abused the confidence reposed in his moderation and good sense; but the subsequent orders of Government quoted at the commencement of this report direct that a settlement between the parties should be mediated by the Political Agent; I consequently called upon the parties to attend thro' their Agents at Rajcote in the commencement of August. Page #335 -------------------------------------------------------------------------- ________________ 20$ શેઠ આઠ કેવની પેઢીને ઇતિહાસ 11th. A short summary of my proceedings is appended. Every endeavour was made, though unsuccessfully, to bring about an understanding between the parties and thus obviate the necessity of an authoritative decision. 12th, Captain Barnwell, in his letter to Government of 20th December, 1820, para 4, states that previous to the year A. D. 1788, an equitable rate was levied by the Thakore, but after that period it was greatly increased. I endeavoured to discover what these rates were, and ascertained that the main pilgrim tax was called the “Kur,” but that minor exactions under the designation of " Mulnoo,” Nazrana, and Wullawa were customary. The agreement of A. D. 1750 refers to Mulnoo Only. On calling for accounts to ascertain the actual rates of taxation previous to 1788, the Shrawak representatives stated that they had no accounts of that period to produce. Books were brought forward by the Thakore of Palitana. 13th. The books in question were objected to by the representatives of the sect as being irregularly kept, but a committee of native gentlemen, to whom the matter was referred. de cided that there were not sufficient grounds to warrant their rejection as evidence. The account examined extended over the years from Samvat 1831 to 1850 corresponding to Christian years 1774 to 1793. The maximum average rate of tax entered is Rs. 4–9-9 levied on 587 pilgrims in Samvat 1833. The minimum is Rs. 1-1-4 exacted from 2,451 pilgrims in 1835. The entries in the books which have been taken into account refer to 24,454 pilgrims and the average tax collected on all is Rs. 2-6-5. The detailed statement accompanies from which these figures are deducted. No approximation of the number of the pilgrims visiting the shrines is procurable. Page #336 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાર 14th. Bearing in mind, the peculiar relations of the parties concerned to one another and keeping in view the political status of the Chief of Palitana on the one hand and on the other the consideration due to the devout feelings of a large and influential sect, I make the following decision : 15th. The collection of the pilgrim tax is to continue with the Shrawak Community, but the amount payable to the Thakore Saheb of Palitana is to be subject to the revisal every ten years. The year is to commence on the 1st of January. 16th. From the 1st of January 1864 the Shrawuck Community are to pay at the rate of ten thousand Rupees yearly ( 10,000) on account of “Kur” or Pilgrim tax, this sum to include every other minor tax such as Mulnoo, Nuzerana, and Wullawa. I have settled this sum after mature consideration, under a full impression that the state of the Shrawuck treasury, and the number of Pilgrims visiting the shrines quite warrant such an increase in the yearly payment. 17th. This order as regards the amount of payment to be considered binding and unalterable for the period of two years viz: to the 31st December 1865. 18th. At any time after that date either party are to be at liberty to call for a revisal of amount payable for the redemption of the tax; a scrutiny is then to be made under the rules provided below, and the result arrived at is to continue in force for ten years— or as much longer as the parties concerned may wish. 19th. Neither party are to be entitled to call for a revisal of rate until it has been in force for ten years, and no revisal is to be made unless formally demanded by the repressentatives of the Shrawuck Community or by the Chief of Palitana. 20th. One rate having by mutual consent continued in force for any period in excess of ten years will not be considered to bar any future revisal when called for according to the terms of the decision. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ 21st. When a revisal is called for it is to be made by persons appointed by the Political Agent in Kathiawar or any other Officer of Government for the time being holding chief civil authority in the Peninsula. 22nd. The rate is to be determined by an actual count of the Pilgrims visiting the Shrines, and as it is necessary to provide against unfair means being used either to increase or decrease the number of Pilgrims visiting the Temples during the period of the enumeration the chief civil authority should be at liberty to extend his scrutiny over a period of two years and to make his count continuous or intermittant during that period. 23rd. During the time of the scrutiny the amount of tax in force during the last decade is to be continued and is to remain unaltered until the next new year after the conclusion of the investigation. 24th. The cost of the enumeration is to be borne exclusively by the party calling for it. 25th. The amount is to be determined by assuming that each Pilgrim pays two rupees for Pilgrim tax or "kur." 26th. The only exceptions to be allowed are as follows :1. The descendants of Set Santidass. II. All Priests and paid servants permanently attached to the temples on the Hill. III. The Thakoor of Palitana, his relation and his paid servants. IV. Persons who have permanently resided in the Town of Palitana for one year and who wish constantly to ascend the Hill. This may be assumed to pay a yearly fee of five rupees in lieu of the sum of two rupees for each visit. 27th. I owe some apology to the Thakoor of Palitana and to the representatives of the Shrawuck sect for the long delay of three months that has occurred in arriving at this decision. Page #338 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૨૭૯ If I have been slow it has been because I was excessively anxious to frame a scheme which by its fairness and moderation would put a period to the illfeeling which has so long existed in connection with the subject. Katt. Political Agency, (Signed ) R. H. KEATINGE Camp Wadhwan, Political Agent, 5th December, 1863. (પાલીતાણું જૈન કેસ, ૫૦ ૧૩૭ થી ૧૪૩) ૩૬. કાઠિયાવાડના એકિટંગ પેલીટીકલ એજન્ટ મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસને મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી મિ. એચ. એલ. એન્ડરસન ઉપર તા. ૧૫-૧-૧૮૬૩ના પત્રમાં આ વાત નીચે મુજબના શબ્દોમાં લખી હતી R! 17: "Taking Major Barr's proposal, therefore, as my basis towards endeavouring to compromise the matter, I found the Thakore willing on receiving a sum equivalent to triple the former amount, and to pass a new deed binding himself and his heirs in perpetuity to relinquish all further claims, whilst the Shravuk's kamdar, refusing to allow the original deed to be superseded was willing to give the extra sum Major Barr had fixed, viz., Rs. 7,500 and permission to cut and use grass on certain parts of the mountain, or Rs. 6,500 if this were not allowed and they had to purchase it. ... ... This, though acceptable to the Thakore, did not meet the views of the Shravuks." (દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૪૮૬) ૩૭. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી, મુંબઈના ગવર્નર સર એચ. બી. ઈ. ફીયરને, મેજર કીટિંજના ફેંસલા સામે, તા. ૧૫–૪–૧૮૬૪ના રેજ, જે અપીલ કરવામાં આવી હતી, તેમાં જે માગણી કરવામાં આવી હતી તેનું મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે “Your petitioner, therefore, for and on behalf of the Shravuk community, most humbly prays that your Excellency in Council will be pleased to reject the scheme which has been framed by Major Keatinge. That your Excellency in Council will give such directions as may be necessary to carry out the agreement of A. D. 1821. And that your Excellency in Council will order and compel the present and all future Thakores and Chieftains of Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. શેડ આ૦ કરની પેઢીને ઇતિહાસ Palitana, to strictly and honorably observe and carry out the stipulations contained in the agreement of 1821." (દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૫૦૪) ૩૮. પાદનોંધ ૩૭ માં જણાવ્યા મુજબ, તા. ૧૫-૪–૧૮૬૪ ના રોજ, મુંબઈના ગવર્નરને પેઢી તરફથી મેજર કટિંજના ફેસલામાં ફેરફાર કરવાની અને કેપ્ટન બાનવેલના વાર્ષિક રૂા. ૪૫૦૦ ની ચૂકવણીના રખેપાના કરારને અમલ ચાલુ રાખવાની માગણી કરતી જે અપીલ કરવામાં આવી હતી, તે મુંબઈ સરકારે માન્ય રાખી ન હતી એમ પેઢી તરફથી મહારાણી વિકટેરિયાને જે અપીલ કરવામાં આવી હતી તેમાંના શબ્દો ઉપરથી જાણી શકાય છે. આ મુજબ સરકારે પેઢીની માગણી મંજૂર નહોતી રાખી, એટલું જ નહીં, પણ મેજર કટિજે જે ફેંસલે આપ્યો હતો તેને સને ૧૮૬૬ ના ફેબ્રુઆરી મહિનામાં પોતાની સંમતિની મહેર પણ મારી હતી, એવું સૂચન નીચેના શબ્દો ઉપરથી મળી રહે છે– ' “ 19. Against this decision your petitioners appealed in April 1864 to the Bombay Government, who, in February 1866, confirmed Major Keatinge's settlement, and your petitioners have now no resource but to lay their grievances humbly at the foot of the Throne.” (દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. પર૫) મેજર કટિજના આ ફેંસલાની સામે મુંબઈ સરકારે આપેલ ફેંસલાથી નારાજ થઈને પેઢી તરફથી મહારાણું વિકટોરિયાને આ બાબતમાં દરમ્યાનગીરી કરવાની જે અપીલ કરવામાં આવી હતી, (તેમજ પાલીતાણા રાજ્યે પણ મહારાણુ વિકટેરિયાને અપીલ કરીને આ બાબતમાં દાદ માગી હતી) તેનું પણ કંઈ ધારણ મુજબ પરિણામ આવ્યું ન હતું અને મેજર કટિજનો ફેંસલો જ માન્ય રાખવામાં આવ્યું હતું, એમ સેક્રેટરી ઑફ સ્ટેટ ફાર ઈન્ડિયાના તા. ૨૪-૬-૧૮૬૭ના નં. ૩૬ ના લખાણ ઉપરથી જાણું શકાય છે, જે મૂળ લખાણું આ પ્રમાણે છે – “I regret to find from these papers that the long-pending dispute between the Palitana Thakore and the Shravuks, as to the payments to be made by pilgrims visiting the Shatrunjay hill, has not yet been adjusted, the Shravuks maintaining, and the Thakore denying, the perpetual character of the agreement mediated by Colonel Barnewell in 1821. Under your orders, Colonel, then Major, Keatinge proposed to decide the question, in 1863, by directing the Shravuks to pay Rs. 10,000 annually, instead of Rs. 4,500, as hitherto, and permitting them, on the other hand, to collect the tax from the pilgrims themselves. I do not gather Page #340 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાર ૨૮૧ from the papers why the decision in question was never carried into effect, but observe that you have for the present left the matter in abeyance, in the hope that the Political Agent may be able to induce both parties to agree to an amicable adjustment. To this course there can be no objection." (દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૨૭) ૩૯, પાલીતાણાના દરબાર અને શેઠ કેશવજી નાયક વચ્ચે થયેલ આ કરારનું અસલ લખાણ તે મળી શકયું નથી, પણ એને સાર, જે મિ. ઈ. ટી. કેન્ડીએ પિતાના તા. ૨૮-૧૨-૧૮૭૫ના રિપોર્ટમાં આપ્યો હતો, એને ભાવાર્થ આ રિપેટના ગુજરાતી અનુવાદમાં નીચે મુજબ આપવામાં આવ્યો છે— “અમે હવે સને ૧૮૬૪ની સાલ વિષે કહીએ છીએ. મુંબઈના પ્રસિદ્ધ વેપારી કેશવજી નાયકે શેત્રુજા ડુંગર ઉપર દેરું બાંધી તેની પ્રતિષ્ઠા કરવા બંદોબસ્ત કરવા માંડયો. તેના દીકરા નરસીએ પાલીતાણે જઈ સને ૧૮૬૪ ના સપ્ટેમ્બર માસની તા. ૨૦મીના રોજ ઠાકોર સાથે નીચે પ્રમાણે કરાર કર્યો, તે દસ્તાવેજમાં લખેલું હતું કે નરસી કેશવજીએ ડુંગર ઉપર એક દેર તથા ધર્મશાળામાં એક દેરી બાંધી હતી, અને તેની પ્રતિષ્ઠાને વાતે એક માટે સંઘ લઈ ત્યાં આવવાને વિચાર હતા, તેટલા માટે નીચે લખેલ બાબતેને સારુ તેમણે રૂા. ૧૬૧૨૫] ઉધડ આપવા કબૂલ કર્યા હતા— “૧. ડુંગર ઉપર તથા ધર્મશાળામાં એ રીતે બે દેરાંને વાસ્તે. “૨. જકાતને વાસ્તે. . પડાવને માટે જમીનનું ભાડું. “૪. પ્રતિષ્ઠાની ક્રિયા કરવાને માટે જમીનનું ભાડું. “૫. પરચુરણું. “નરસી કેશવજીએ આ ગોઠવણથી ઘણુ ખુશી થઈ કેપ્ટન લ સાહેબને એ પ્રમાણે કાગળ લખે.” ૪૦. મુંબઈ સરકારના આ પત્રમાં આ વાતને નિર્દેશ આ શબ્દોમાં કરવામાં આવ્યું છે– "I am, however, desired to state that the award should include all demands on the Shravuks, who should receive credit for any payments which the Thakore Sahib may take from them on any pretext, and for this sum the Shravuks should be guaranteed efficient police protection for their persons and property.” (દતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૩૪૮) ૩૬ Page #341 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ ૪૧. શેઠ કેશવજી નાયકે પાલીતાણા રાજ્ય સાથે કરેલ કરાર મુજબના રૂા. ૧૬૧૨૫1 ની અંદર રૂા. ૧૧૯૮ ઉમેરીને રૂા. ૧૭૩૨૩ રખેપાની રકમમાંથી પિતાને મજરે મળવા જોઈએ એવી શ્રાવક કેમ તરફથી જે માગણી કરી હતી અને એ માગણીને ધ્યાનમાં રાખીને પાલીતાણા રાજ્યના ચાર વર્ષના રખેપાના રૂા. ૪૦,૦૦૦ રોકી રાખ્યા હતા, તેમાં રૂા. ૧૧૯૮) ની રકમની વિગતે તે મળી શકી નથી, પણ એ ઉપરથી એટલું સાબિત થાય છે કે પિતાના નાનામાં નાના હક્કના રક્ષણ માટે પણ શ્રાવક સંઘ હમેશાં કેટલે સજાગ અને પ્રયત્નશીલ રહેતા હતા. ૪૨-૪૩. રસેલ વગેરેને આવો ફેંસલે આપતા શબ્દો કેન્ડીના રિપોર્ટમાં ટાંકવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે– “However, Captain Russell, the Assistant Political Agent, decided (25th September 1869 ) that this was not a valid defence. His decision was confirmed by the Political Agent (10-3-1870) and by Government (No. 3573, 14th June 1872). (પાલીતાણા જૈન કેસ, પૃ. ૧૫) ૪૪-૪પ. જુઓ : દફતર નં. ૧૨, ફાઈલ નં. ૯૭. ૪૬. પેઢી તરફથી કરવામાં આવેલ મૂળ અંગ્રેજી અરજીના શબ્દો આ પ્રમાણે છે – પર 48: “In 1879, the Darbar asked for a revisal of the fixed sum of Rs. 10,000 fixed by the Award of Colonel Keatinge and claimed an enumeration in terms of that Award. After the scruting had proceeded for a certain time, on the complaint of the Palitana Darbar that the number of pilgrims was artificially restricted, the scruting was ordered to be continued for an extended period. પેરા 46: “ .. During this period (from 1866 to 1881) numerous disputes arose between the Darbar and the Jain community which were dealt with by the Agency authorities." (પાલીતાણા જૈન કેસ, પૃ. ૧૯૫) ૪૭. નગરશેઠ પ્રેમાભાઈને નગરશેઠ શ્રી શાંતિદાસના વારસ તરીકે ન સ્વીકારીને શરૂઆતમાં તેમને સફેદ ટિકીટ આપવામાં આવી અને પછી એમને નગરશેઠ શ્રી શાંતિદાસના વારસ ગણીને લીલી ટિકીટ આપવામાં આવી એ ઘટનાની નોંધ (દફતર નં. ૧૨, ફાઈલ નં. ૯૭ માં) આ રીતે સચવાયેલી છે— સાંતીદાસની ઓલાદને માફીની લીલી ટીકીટ આપવાનું કરનલ કીટીજ સાહેબના ઠરાવમાં થા ગણત્રી ખાતાના રૂલમાં લખેલું છે તેથી પ્રથમ સને ૧૮૮૧ ની સાલમાં અમદા Page #342 -------------------------------------------------------------------------- ________________ પાલીત્તાણા રાજ્ય સાથે થયેલા રખેાપાના કરારો ૨૮૩ વાદના રહીસ આજમ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ અહી આવેલા ને તેમણે સાંતીદાસની એલાદના દાવેા રાખી લીલી ટીકીટ માગેલી પણ તેને બદલે માજી સુપ્રીનટેન્ડેન્ટ સાહેબે તેને સફેદ ટીકીટ આપવાથી શેઠ મજકુરે વાલાસાન પેાલીટીકાલ એંજટ સાહેબ તરફ અરજ કરતાં તે ઉપરથી તે સાહેબ મેહેરબાને તા. ૧૭ મી ફેબરવારી સને ૧૮૮૧ ને! હુકમ આજમ મેહેરબાન ગેહેલવાડ પ્રાંતના આસીસ્ટંટ સાહેબ મારફત આવતાં તેમાં શેઠ પ્રેમાભાઈ ત્થા તેના કુટુંબના સાંતીદાસની એલાદના છે માટે તેને માફીની લીલી ટીકીટમાં ગણવા લખું છે.” ૪૮. તા. ૫–૯–૧૮૮૧ ની મૂળ અંગ્રેજી અરજીમાં કરવામાં આવેલી ચાર માગણીઓનુ' લખાણુ નીચે મુજબ છે— પેરા 40 : “ Your petitioners respectfully submit that the several courses open to be adopted in the present case are the following: "(1) To decide finally that the Thakore Sahib shall no longer be allowed to levy a pilgrim tax on Shravak pilgrims visiting the Shetrunja Hill, and your petitioners submit that the dictates of reason, justice, and policy, and the principles of religious toleration, demand that this course shall be adopted. “(2) To adopt the suggestions made by your petitioners as to the construction of a road which shall pass entirely through British territory to the summit of their sacred Hill. (3) Or to decide finally that the Shravaks shall pay to the Thakore Sahib of Palitana their fair share of any extra expenditure that he can satisfy the Government he has incurred bona fide through the necessity of increasing his police force on account of the Shravak pilgrimages, or that the Shravak Community shall pay to the Thakore Sahib a certain fixed sum calculated with reference to the police rates, such sum to be fixed by Government and not subject to alteration hereafter. (4) Or to adhere to the terms of the agreement and settlement effected by Captain Barnewell, which, your Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શેઠ આ કની પેઢીને ઇતિહાસ petitioners submit, ought never to have been departed from." (ચેપડા નં. ૩૨, પૃ૦ ૧૬-૧૭) ૪૯. તા. ૫-૮-૧૮૮૧ ની અરજીમાં આ બે માગણીઓ નીચે મુજબ શબ્દોમાં કરવામાં આવી હતી– URL 8:“ Your petitioners therefore respectfully submit that the time has now come when your Excellency in Council should finally decide (1), whether the Thakore Sahib of Palitana should any longer be allowed to levy a tax on Shravak pilgrims visiting the Shetrunja Hill, and (2) if so, what manner and to what extent.” | (ચેપડા નં. ૩૨, પૃ. ૫) ૫૦. મૂંડકાવેરો અથવા યાત્રાવેરે યાત્રિકની સારા પ્રમાણમાં કનડગત કરનારે હોવાથી એના પ્રત્યે શ્રી સંધમાં કેવી લાગણી પ્રવર્તતી હતી તે તા. ૫-૮-૧૮૮૧ની મજકુર અરજીમાંના નીચે નોંધેલા થોડાક ઉદ્દગારો ઉપરથી પણ જાણી શકાય છે— પેરે ૭: “They are convinced that unless an absolutely final decision be come to, the Shravak Community will never be safe from fresh exactions, demands, and annoyances on the part of the Thakore Sahib of Palitana.' પેરે ૧૦: “... your petitioners respectfully pray that your Excellency in Council will refuse to sanction any longer the levy of a tax so odious as that the permanent enforcement of which the Thakore Sahib of Palitana now asks for in the form most offensive to the Shravak Community.” પેરે ૪૧ : “.. ... your petitioners crnestly beseech your Excellency in Council to put an end once for all to the pernicious and beneful system of enumeration of pilgrims.” આવી અણગમાની લાગણી યાત્રાવેરા પ્રત્યે બીજાં સ્થાનમાં પણ દર્શાવવામાં આવી છે. દરબારશ્રીએ અમદાવાદના શ્રાવકે તરફથી યાત્રિકોની સંખ્યા ઓછી દર્શાવવાની ચાલાકીભરી કાર્યવાહી થતી હોવાને જે આક્ષેપ કર્યો હતો, તેને નિર્દેશ આ અરજીમાં આ શબ્દોમાં કરવામાં આવ્યું છે પેરે 35: “ ... ... As to the Memorandum itself, it bases the proposition to perpetuate the enumeration of pilgrims on the allegation that the Ahmedabad Shravaks placed their men round Page #344 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાયાના કરારો ૨૮૫ about Palitana, and allowed only a certain number of pilgrims to visit the Hill, so as to make the enumeration deceptive. " ( ચાપડા ન. ૩૨, પૃ. ૪ થી ૧૭) ૫૧. સને ૧૮૮૬ માં કરવામાં આવેલ રખાપાના ચેાથેા કરાર અંગ્રેજી ભાષામાં કરવામાં આવ્યા હતા, જે નીચે મુજબ હતા— AGREEMENT BETWEEN THE THAKORE SAHEB MANSINHJI OF PALITANA AND THE JAIN COMMUNITY. "1. The Thakore Saheb of Palitana agrees to receive, and the Jain Community agrees to pay, a fixed annual sum of Rupees fifteen thousand (Rs. 15,000). In consideration of this annual payment to the Palitana Chief, the Palitana Darbar agrees that no further dues of any kind will be levied from the Jain community on account of pilgrimage taxes. This sum of Rs. 15,000 will be due on the 1st of April of each successive year, it includes police protection, Malnu &c.' "2. The Thakore Saheb consents and the Jain community agrees that this arrangement shall continue for forty (40) years, from the 1st April 1886. "3. After the expiration of these forty years, either party shall be at liberty to ask for a modification of the fixed annual sum mentioned in the first paragraph of this agreement. It will rest with the British Government after considering the respective arguments of the contending parties to grant or to withhold modification. "The above has been explained by me personally to the Thakore Saheb of Palitana, and to the leading Shrawaks, and both parties sign this agreement below in token of consent 'Signature of Darbar. (સહી) ગેાહેલ શ્રી માનસ ધજી "The Thakore Saheb. "(Sd.) J. W. W. Signatures of leading Shrawaks. “ (Sd.) J. F. F પ્રેમાભાઈ હીમાભાઈ સહી. (Sd.) J. W. W. (61) << “ (Sd.) J. F. F. (સહી) ઉમાભાઈ હઠીસીંગ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શેઠ આં॰ કંની પેઢીના ઇતિહાસ kr ' (Sd.) J. W. W. (Sd.)MANSOOKHBHAI “Signed this in my presence. BHAGUBHAI. “ (Sd.) JOHN W. WATSON, * (Sd.) J. W. W. (સહી) પરશાંતમદાસ પુનશા. “ Political Agent, Kathiawat, (Sd.) J. W. W. (સહી) બદ્રીદાસ (બંગાલી ભાષામાં) “Palitana, March 8th, 1886. “ (Sd.) J. W. W. (Sd.) BALABHAI MANCHARAM. “ (Sd.) J. W. W. (Sd.) TALACKCHAND MANECKCHAND. "(Sd.) J. W. W. (Sd.) DALPATBHAI BHAGOOBHAI. “ (Sd.) J. F. F. (સહી) ચુનીલાલ કેશરીસી’ધ. “ All of these signed this in my pres• ence with the exception of Premabhai Himabhai, Umabhai Hathising and Chunilal Kesharising who all signed betore the Deputy Collector at Ahmedabad. “ (Sd.) JOHN WATSON, Political Agent, Kathiawar. * This agreement has been ratified by H. E. the Governor in Council in Government Resolution No. 2016 of the 8th April 1886, in the Political Department. '' 66 “(Sd.) JOHN W. WATSON, Political Agent, Kathiawar.'' ( પાલીતાણા જૈન પ્રેસ, પૃ૦ ૧૧૨-૧૧૩) આ કરાર મુજબ પાલીતાણા રાજ્યને દર વર્ષે આપવાની થતી રૂપિયા ૧૫,૦૦૦ની રકમની ચુકવણી માટે, એ ચુકવણી પેલિટિકલ એજન્ટ મારફત થાય એ અંગે, પેઢી કેટલી ચીવટ રાખતી હતી તેની હકીકત જાણવી રસપ્રદ હાવાથી અહીં આપવામાં આવે છે, જે નીચે મુજબ છે— 66 Camp Gopnath, April 13th, 1886. રકમની ચુકવણી માટેની ઝીણવટ રખેાપાના આ ચોથા કરાર મુજબ પાલીતાણા રાજ્યને પહેલા વર્ષોંના પંદર હજાર રૂપિયા તા. ૧-૪-૧૮૮૭ના રાજ અથવા તે પહેલાં ચૂકવવાના થતા હતા. પંદર હજાર રૂપિયા જેવી રકમની ચુકવણી પાલીતાણા રાજ્યને એજન્સીની ઓફિસ મારફત થાય તા સારું, Page #346 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાશે ૨૮૭ કેમ કે રખપાના ત્રીજા કરાર મુજબ વાર્ષિક દસ હજાર રૂપિયા પાલીતાણું રાજ્યને એજન્સીની ઓફિસ મારફત જ પહોંચતા કરવામાં આવતા હતા, એમ વિચારીને, આ રકમની ચુકવણું માટે પણ આવી જ ગોઠવણ કરવા માટે કાઠિયાવાડના આસિસ્ટન્ટ પેલિટિકલ એજન્ટને, તા. ૭–૪–૧૮૮૭ને રાજ, પેઢી તરફથી નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ, શેઠ જેશિંગભાઈ હઠીસિંગ વગેરેની સહીથી, એક યાદી મોકલવામાં આવી હતી. પણ, પેઢીની આ યાદીને નામંજૂર કરતાં, ગોહિલવાડના એકટીગ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ શ્રી જે. પી. બી. ફેરીક્ષની સહીથી, તા. ૧૨-૪-૧૮૮૭ ના રેજ, પેઢીને જણાવવામાં આવ્યું હતું કે “રૂપીઆ પંદર હજારની વારસીક રકમ આ ઓફીસની મારફત અથવા કોઈ પણ પોલીટીકલ અમલદારની રૂબરૂ ભરવા બાબત તા. ૧૩ મી એપ્રિલના કરારમાં કાંઈ જ ઠરાવ નથી એટલા માટે આ બાબતમાં ઠાકોર સાહેબને હું સલાહ આપવા અશક્ત છું. - “ રૂપીઆ ભરવાની મુદત ઉપરાંત બાર દીવસ થઈ ગયા છે તેથી મારા અભીપ્રાય પ્રમાણે શ્રાવક સમુદાયે એ રૂપીઆ ભરવાની સાથે તેની પહોંચ લઈને એકદમ દરબારમાં ભરી દેવા જોઈએ. જે તેમની મરજી હોય તે રૂપીઆ ભરી દીધા વિશે આ એફીસને જાહેર કરે. “જે શ્રાવક સમુદાયની નજરમાં એમ આવતું હોય કે મી. પીલ સાહેબની વખતમાં આગલા કરારની રૂએ જે પ્રમાણે એજન્સી મારફત રૂપીઆ ભરાતા હતા તે પ્રમાણે ભરવા તે તેમણે સરકારમાં લખી તા. ૧૩ મી અપ્રેલ ૧૮૮૬ ના કરારમાં એ મતલબને સુધારો કરાવવા પરવાનગી મેળવવી પણ આ વરસે જે રકમ ચઢી છે તે આપવામાં જદે ઢીલ બીલકુલ નહીં કરવી જોઈએ. ” (અંગ્રેજી જવાબના દફતરમાંથી મળેલ અનુવાદ). ગોહિલવાડના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ તરફથી આ પ્રમાણે સ્પષ્ટ અને તાકિદથી અમલ કરવો પડે એવો જવાબ મળ્યા પછી, તરત જ, તા. ૧૬-૪-૧૮૮૭ ના રોજ, પંદર હજાર રૂપિયા પાલીતાણ રાજ્યમાં ભરી દેવામાં આવ્યા હતા. અને પાલીતાણું રાજ્ય તરફથી એની નીચે મુજબ પાંચ આપવામાં આવી હતી “ પાલીતાણાએ સને ૧૮૮૭ સુધી વર્ષ એકના રૂા. ૧૫,૦૦૦ લીધાની આપેલી પહોંચ પ્રા. જ. નંબર પ૧૯ • “શ્રી દરબારે સ્વસ્થાને શ્રી પાલીતાણા. જત તા. ૮ માટે માર્ચ સને ૧૮૮૬ ને રોજ સમસ્ત જૈન સમાજ અને શ્રી દરબાર વચ્ચે થએલ કરારની રૂઈએ તા. ૧ માહે અપ્રેલ સને ૧૮૮૭ સુધીના એક સાલન રૂપીઆ ૧૫૦૦૦ અ કે પંદર હજાર આજ રોજ શેઠ આણંદજી કલ્યાણજીના સેક્રેટરી રા. વ્રજવલભદાસ જેઠાભાઈ મારફત દરબારી જામદારખાને ભર્યા તેની આ પિચ આપવામાં આવી છે. તા. ૧૬ અપ્રેલ સને ૧૮૮૭. (સહી) – – “દીવાન સ્વ. પાલીતાણું” Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ શેઠ આ૦ કદની પેઢીને ઇતિહાસ ગોહિલવાડના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટની સૂચના મુજબ, રખેપાના પંદર હજાર રૂપિયા પાલીતાણું રાજ્યમાં ભરાઈ ગયાની જાણ, એમને નીચે મુજબ પત્ર લખીને, પેઢી તરફથી, નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ વગેરેની સહીથી, તા. ૬ માહે મે, સને ૧૮૮૭ના રોજ કરવામાં આવી હતી-- “પાલીતાણાને સને ૧૮૮૭ સુધી . ૧૫,૦૦૦ ભર્યા બાબતની “ જાણ કરવા માટે યાદી ગોહેલવાડ પ્રાંતના આજમ મેહેરબાન આસીસ્ટટ પોલેટીકાલ એજન્ટ સાહેબ બહાદુર તરફ મોકલવાની-શેઠ આણંદજી કલ્યાણજીના વહીવટ કરનાર પ્રતીનીધી અમે નીચે સહી કરનાર તરફથી એવી જે– જૈન સમુદાય અને સ્વસ્થાન પાલીટાણાના દરબાર વચ્ચે તા. ૮ માહ માર્ચ સને ૧૮૮૬ ના રોજ વાલાસાન મહેરબાન માજી પિલેટીકલ એજન્ટ કરનલ વટસન સાહેબ બહાદુર વીદમાંન. પાલીટાણા દરબારને તા. ૧ એપ્રીલ સને ૧૮૮૬ થી દર સાલ રૂ. ૧૫૦૦૦ પંદર હજાર ચડેચડા આપવા મતલબથી થએલ કરારની રૂઈએ પેહેલી સાલને ચડેલા રૂપીઆ પંદર હજાર પેસ્તરની માફક એજન્સી મારફત ભરવા બાબત અમોએ આપ સાહેબની હજુર તા. ૭ મી એપ્રીલ સને ૧૮૮૭ ના રોજની યાદી મોકલી અરજ કરેલી તે ઉપરથી સદરહુ રૂપિયા પાલીતાણા દરબારને પહોચ લેઈ આપવા મતલબથી આપ સાહેબને તા. ૧૨ મી માહે એપ્રલ સને ૧૮૮૭ ના રોજ હમારી તરફ કરેલ શેરાના માનની ખાતર રૂપૈયા પંદર હજાર આ લગતની નકલ મુજબ પહોચ લેઈ તા. ૧૬ મી માહે અપ્રેલ સને ૧૮૮૭ના રોજ પાલીતાણા દરબારને ભરવામાં આવ્યા છે તે આપ સાહેબને જાહેર થા.” આ રીતે ૪૦ વર્ષ સુધી (સને ૧૯૨૬ સુધી), દર વર્ષે, પહેચ લઈને, પાલીતાણું રાજ્યમાં, પંદર હજાર રૂપિયા ભરવામાં આવ્યા હતા; અને એની જાણ, ગોહિલવાડને આસિસ્ટન્ટ પિલિટિકલ એજન્ટને, પહોંચની નકલ સાથેની યાદથી કરવામાં આવતી હતી. (દફતર નં. ૧૪, ફ. નં. ૧૨૪) પર. મૂળ અંગ્રેજી કરારમાં આ કલમ નીચે પ્રમાણે છે– 121 3:“After the expiration of these forty years, either party shall be at liberty to ask for a modification of the fixed annual sum mentioned in the first paragraph of this agreement. It will rest with the British Government after considering the respective arguments of the contending parties to grant or to withhold modification." પિતાના પિતાશ્રી દરબાર માનસિંહજીને સને ૧૮૮૬ ને રખોપા-કરાર માન્ય રાખવાની કેવા સંજોગોમાં ફરજ પડી હતી, તેનું વર્ણન દરબારશ્રી બહાદુરસિંહજીએ પિતાની તા. ૧૪–૯–૧૯૨૫ની અરજીમાં નીચેના શબ્દોમાં કર્યું હતું– Page #348 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રપાન કરાશે ૨૮૯ ૫૩. પેરે ૧૮ : “ ... ... (a) When the settlement was effected that is in 1886 A. D. my father, the late Thakore Saheb was a young man, devoid of experience, and had just got the Gadi. “(b) He had no reliable advisers. “ (c) He was harassed by the bitter enmity of his brother.” પિતાની માગણીને વ્યાજબી ગણવવા માટે વ્યક્તિ પિતાના વડીલેની સ્થિતિનું પણ કેવું કરુણ વર્ણન કરી શકે છે, તેને ઉપરનું લખાણ એક દાખલો પૂરો પાડે છે. પાલીતાણાના દરબારશ્રીએ કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને, તા. ૧૪–૯-૧૯૨૫ ના રોજ, કરેલી અરજીમાં મુંડકાવેરો લેવાના પિતાના અધિકારનું ઉચ્ચારણ આ શબ્દમાં કર્યું હતું— URL 29 :" ... the interference of Government which he agreed to seek in submitting the settlement to the Government of Bom. bay, with clause 3 embodied in it, cannot deprive me, his successor, of an established right of managing in my own territory a domestic matter like the pilgrim Tax in virtue of my sovereignty.” (પાલીતાણા જૈન કેસ, પૃ. ૧૨૭-૧૨૯) ૫૪. પાલીતાણાને દરબારશ્રીની તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીને જવાબ આપવામાં ઘણી બાબતોની શોધ અને રજૂઆત કરવાની હોવાથી, એ ૨૫ મી માર્ચ ૧૯૨૬ સુધીમાં આપી શકાય એમ નહીં હોવાથી, એ માટે એક વિગતવાર તાર કરીને એક માસની વધુ મુદતની માગણી આ પ્રમાણેના શબ્દોમાં કરવામાં આવી હતી—“We earnestly beg therefore that you will be pleased to extend the time by one month from the 25th (March 1926). " પેઢીની આ માગણીને સ્વીકાર મિ. સી. સી. વોટસને તાર દ્વારા આ શબ્દોમાં sal dal—“Agent Governor General willing grant extension of time to 25th April for submitting reply to Palitana Darbar's representation on understanding no further delay and no complaint will be made that time given inadequate.” (પાલીતાણા જૈન કેસ, પૃ૦ ૧૬૧-૧ર) આ આખા પ્રકરણમાં કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની એટલે કે સમસ્ત જૈન સંઘની લાગણીની અને માગણની જે ૩૭ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શેઠ આવકની પેઢીને ઇતિહાસ કડકાઈથી ઉપેક્ષા કરી હતી, તે કડકાઈનું આછું દર્શન એમના ઉપર નેધેલ મુદત વધારી આપવાના તારમાં પણ દેખાઈ આવ્યા વગર રહેતું નથી. આ અંગ્રેજ અમલદારની મુખ્યત્વે કડકાઈનું જ એ પરિણામ હતું કે જેન સંઘને, ૨૬ મહિના જેટલા લાંબા સમય સુધી, શત્રુંજય મહાતીર્થની યાત્રાને બહિષ્કાર કરવો પડ્યો હતે. (આ યાત્રા-બહિષ્કાર પ્રકરણની સવિસ્તર માહિતી ખાસ જાણવા જેવી હેવાથી, એ આ પ્રકરણને અંતે આપવામાં આવેલ ‘પુરવણું” માં વિગતે આપવામાં આવી છે.) ૫૫. પાલીતાણાના દીવાન શ્રી સી. . મહેતાએ દરબારશ્રીની તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીની નકલ મેળવવા માટે શેઠ આ. ક. ની પેઢીના મુનીમને જે શેરે, તા. ૨૧-૧૦-૧૯૨૫ના રોજ, બતાવ્યા હતા, તે આ પ્રમાણે છે– "To be shown to the munim of Sheth Anandji Kalianji at Palitana on behalf of the Representatives of that firm as requested by the Hon. the Agent to the Governor General in the states of Western India, who asks the Palitana State to inform the representatives that they should submit to him, through the Palitana Durbar, any representation that they wish to make, within two months. The Hon. the Agent to the Governor General further intimates that at the end of that period he will decide what orders should issue under the last clause of the agreement of 1886." (ચોપડી નં. ૧૨, આગળનું પાનું) ૫૬. પાલીતાણાના દીવાનશ્રીના આ શેરાની સામે પેઢી તરફથી કરવામાં આવેલ અરજીમાંની આ રજૂઆતનું મૂળ અંગ્રેજી લખાણ નીચે મુજબ છે – “We beg to submit that the procedure adopted as above is a very serious departure from the practice in the matter invariably followed for over a hundred years and if we venture to submit quite inappropriate to the position of the parties in this matter. “We submit that the Palitana Durbar and the Jain Community in this controversy are the two contending parties; the Palitana Durbar seeking a modification of the agreement being in the position of the Plaintiff and the Jain Community the Defendant. In such a case, to ask the Jain Community to apply for a copy of the representation made by the Durbar to the Durbar itself and to submit their rejoinder to your Honour through the Page #350 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો Req Durbar, is we beg strongly to represent altogether an incorrect procedure. Your Honour is the Tribunal to hear this matter between the Palitana Durbar and the Jain Community and both parties are it is submitted entitled to have direct access to the Tribunal. It is quite a novel thing for the Defendants to be told that they should obtain a copy of the plaint from the plaintiff and to submit their defence to the Tribunal through the plaintiff." (ચેાપડી નં. ૧૨, પૃ. ૨.૩) ૫૭. શેઠ આણુંજી કલ્યાણજીની પેઢીના જવાબમાં કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેટસનના સેક્રેટરી કમિ. સી. એલ. કારફિલ્ડ તરફથી એ માગણીને નકારતા જે જવાબ આપવામાં આવ્યા હતા, તે નીચે મુજબ હતા— "With reference to their petition dated the 5th November, 1925, on the above subject, Sheth Kasturbhai Manibhai and three others, Managing representatives of Sheth Anandji Kalianji, are informed that the Honourable the Agent to the Governor General has given careful consideration to their arguments and to the previous correspondence and he regrets he sees no reason to alter his view as to the correct procedure to be followed. According to this the Agent to the Governor General has asked the Palitana Darbar to supply the Firm of Sheth Anandji Kalianji with a copy of its representation and has directed the firm to submit their rejoinder through the Palitana Durbar. " (ચાપડી નં. ૧૨, પૃ. ૯) ૫૮. શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીની તા. ૧૫–૧–૧૯૨૬ ની અરજીમાંની માગણીને પણુ નકારી કાઢતાં, કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેટસનના સેક્રેટરી મિ. સી. એલ. કારફિલ્ડ તરફથી તા. ૧૯-૧-૧૯૨૬ના રાજ જે જવાબ આપવામાં આવ્યા હતા, તે નીચે મુજ્બ હતા— "In reply to their representation dated the 15th January, 1926, Sheth Kasturbhai Manibhai and others, Managing representatives of Sheth Anandji Kalianji, Ahmedabad, are informed that the Honourable the Agent to the Governor General sees no reason to modify the order contained in his Memorandum No. P. 59, dated the 13th November, 1925, and regrets that he cannot Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શિક આવકની પેઢીને ઇતિહાસ extend the time for submitting their rejoinder by a further period of four months." (ચે પડી નં. ૧૨, પૃ. ૧૯) ૧૯. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પોતાની માગણી ત્રીજી વાર રજૂ કરવા માટે તા. ૭–૨–૧૯૨૬ ના રોજ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને જે અરજી કરવામાં આવી હતી, તેને પણ તેમના સેક્રેટરી મિ. સી. એલ. કારફિલ્ડ તરફથી જે ઇન્કાર ભણવામાં આવ્યો હતો અને, વધારામાં, આ બાબત અંગે રૂબરૂ મુલાકાત લેવાની જે વાત જણાવવામાં આવી હતી, તે નીચે મુજબ હતી “With reference to their letter dated the 7th February, 1926 on the above subject, Sheth Kasturbhai Lalbhai and others, Managing Representatives of Sheth Anandji Kalianji, are informed that the Hon'ble the Agent to the Governor General has again considered his previous orders which will now be carried out. “2. He is however ready to grant an interview at any time but can hold out no hope of changing his order. "3. He will be pleased to see the representatives on the 18th, 21st or 22nd instant at 11 A. M. at the Residency, Rajkot." (ચે પડી નં. ૧૨, પૃ. ૨૧) ૬૦. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસને દરબારની તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીની નકલ પિતાની ઓફિસમાંની નકલમાંથી કરી લેવાની પેઢીને અનુમતિ આપી તેને નિર્દેશ એમણે, તા. ૨૫-૩-૧૯૨૬ ના રોજ, આપેલ વચગાળાના હુકમ (ad interim order )માં નીચેના શબ્દોમાં કરેલો હત “After considerable discussion I agreed, without prejudice to the question of procedure, to allow the firm's representatives to see the copy of the Darbar's representation upon my file and to take a copy of it in my office." (પાલીતાણા જેન કેસ, પૃ. ૧૭૩) ૬૧. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓએ દરબારશ્રીની અરજીનો જવાબ તા. ૨૫-૩-૧૮૨૬ સુધીમાં લખી મોકલવાની વાતને પહેલાં સ્વીકાર કર્યો તે વાતને ઉલેખ પણ મિ. સી. સી. વોટસનના વચગાળાના હુકમમાં નીચેના શબ્દોમાં કરવામાં આવ્યા હતા “The Firm's representatives at first agreed to furnish a reply before the 25th of March in order to enable me to issue final Page #352 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરાર orders on this question before the 1st of April 1926. ' (પાલીતાણા જૈન પ્રેસ, રૃ. ૧૭૩ ) ૬૨. કાઠિયાવાડના પેૉલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેટસને પાલીતાણાના દરખારશ્રીની અરજીને જવાબ આપવા માટે પેઢીને એક માસની મુદત વધારી આપવાના જે તાર કર્યા હતા, તેમાં આ બાબતને પણ તેમણે નીચેના શમાં નિર્દેશ કર્યા હતા— ૨૯૩ "To safeguard interests of Darbar in event their request being granted Agent Governor General will issue ad interim orders allowing Darbar to recover tax from 1st April at rates proposed, full accounts being maintained and proceeds kept on deposit pending final orders. ” (પાલીતાણા જૈન પ્રેસ, પૃ. ૧૬૨) ૬૩. વચગાળાના હુકમમાં કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટે પાલીતાણાના દરબારશ્રીને આપવા ધારેલ મુંડકાવેરા વસૂલ કરવાની અનુમતિની સામે જૈન કામના સખ્ત વિરોધની લાગણી વ્યક્ત કરતાં, સર ચીમનલાલ સેતલવડે પેાતાના, તા. ૨૧-૩-૧૯૨૬ના, તારમાં જણાવ્યુ હતુ. કે— "Impossible for Jains to accept the further condition imposed for granting extension that interim orders allowing Durbar to recover Rakhopa dues from 1st April at rates proposed maintaining full account and keeping proceeds on deposit would be passed. Such orders absolutly undesirable and unnecessary. ,, ( પાલીતાણા જૈન પ્રેસ, પૃ. ૧૬૪) ૬૪. વચગાળાના હુકમમાં પાલીતાણાના દરખારશ્રીને, તા. ૧-૪-૧૯૨૬ થી, મુંડકાવેરા ઉઘરાવવાની અનુમતિ આપવાના અને એ રકમ અનામત ( deposit) તરીકે રાખવાને હુકમ આપવાના કાઠિયાવાડના લિટિકલ એજન્ટ મિ. સી. સી. વેટસને જે વિચાર કર્યાં હતા, તે વિચારને જતા કરીને દરખારશ્રીને કેવળ યાત્રિકાની સ`ખ્યાની ગણતરી કરવાની અનુમતિ આપવામાં આવી હતી, તેનું મૂળ લખાણુ નીચે મુજબ હતું— દ્ર 'For these reasons the Palitana Darbar are allowed to make an enumeration of all pilgrims visiting the Shetrunja Hill with effect from the 1st April and until the date of the final orders in this case. ,, ( પાલીતાણા જૈન પ્રેસ, પૃ. ૧૭૫ ) ૬૫. શેઠ આણુ ંદજી કલ્યાણજીની પેઢીએ, તા. ૨૩-૪-૧૯૨૬ ના રાજ, કાઠિયાવાડના પોલિટિકલ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શેઠ આ૦ ૬૦ની પેઢીના ઇતિહાસ એજન્ટ મિ. સી. સી. વેાટસનને પાલીતાણાના દરખારશ્રીની તા. ૧૪–૯–૧૯૨૫ ની અરજીના જવાબમાં જે સવિસ્તર જવાબ લખી મેાકલ્યા હતા, તેમાં પેઢી તરફથી જે ત્રણ માગણીઓ સારરૂપે ( પૃ. ૨૩૩માં ) રજૂ કરવામાં આવી હતી, તે મૂળ અંગ્રેજી લખાણુની નીચે મુજબની કલમેાના સારરૂપ હતી— ... (1) પેરા ૩: “ We confidently submit (according to clause 3 of the agreement of 1886) that, the only liberty left to either party was to apply to the British Government to substitute either a higher or lesser fixed annual sum for the Rs. 15,000 mentioned in the agreement. ... ... The method of the payment and recovery of the Rakhopa money was always to be by the Durbar receiving from the Jain community through their accredited representatives and not from the pilgrims, a fixed annual sum.” (2) A <:"...... Although the number of pilgrims may have increased, it cannot be shown that the expenses incurred by the Durbar for securing the protection as above stated have in any manner increased. On the contrary, looking to the peaceful and settled times and the effective protection assured by the Paramount power and the extended facilities of Railway travelling rendering it unnecessary for the pilgrims to travel by foot or cart, the expenses involved to the Durbar instead of increasing have in fact decreased. (૩) પેરા ૯૫ : ૯ We further pray that the orders that may be passed now fixing the annual lump sum to be paid to the Durbar should not be limited to a period of years, but should be permanent. Such course will remove all future friction and will be calculated to bring about harmonious relations between the parties." (પાલીતાણા જૈન પ્રેસ, પૃ. ૧૭૮, ૨૦૮, ૨૧૧) ૬૬. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વાટસનના ચુકાદાની આઠમી કલમમાં આ ત્રણ મુદ્દાએ નીચે મુજબ રજૂ કરવામાં આવ્યા હતા— 1. "In fixing the amount of the tax I propose to take the minimum number at Rs. 2/- per head and to allow the Darbar a sum of rupees one lakh in commutation of its right to levy the pilgrim taxes. "" Page #354 -------------------------------------------------------------------------- ________________ લય પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાન કરે 2. “This arrangement should remain in force for ten years.” 3. "I do not propose now to lay down the procedure which should be adopted at the end of the ten years nor to prescribe in so many words that any modification will then rest in the hands of the Paramount Power. In my view of the constitutional position when the agreement lapses the Darbar will be restored to its full normal rights of levying pilgrim taxes at the rates decided by Colonel Keatinge to be fair and it will only be necessary for the Paramount Power to intervene if in its opinion the conditions existing between the parties at the time require and justify such intervention.” (પાલીતાણ જૈન કેસ, પૃ. ૨૫-૨૨૬) ૬૭. અંગ્રેજ સરકારની વતી મિ. એમ. મેલવિલે પાલીતાણાના રાજકુમાર શ્રી માનસિંહજીના રાજ્યારોહણના પ્રસંગને અનુલક્ષીને એમને જેને સાથે સમાધાન કરવાની સલાહ, તા. ૬-૧૨-૧૮૮૫ ના પત્રથી, નીચે મુજબ શબ્દોમાં આપી હતી “It is very desirable that at the commencement of your reign you should make such arrangements regarding the Shetrunjaya Hill as will put an end to the constant disputes and bad feeling which existed between your late father and the Shrawaks.” (પાલીતાણા જૈન કેસ, પૃ. ૧૪૮) ૬૮. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ અને જૈન સંઘના અગ્રણીઓ તેમ જ સંભાવિત સદગૃહસ્થની, તા. ૨૭–૩–૧૯૨૬ ના રોજ, મળેલી જનરલ મીટીંગમાં યાત્રાબંધીને ચાલુ રાખવા અંગે જે ઠરાવ કરવામાં આવ્યું હતું, તે યાત્રાબંધી અંગે જૈન સંઘે જે અહિંસક લડતને આશરો લીધે હતો, તેની સવિસ્તર માહિતી આ પ્રકરણને અંતે આપવામાં આવેલ પુરવણુમાં આપવામાં આવી છે. ૬૯. મુંબઈની આ જાહેર સભામાં જે ઠરાવ કરવામાં આવ્યું હતું, તે મૂળ અંગ્રેજીમાં હતા, જે આ પ્રમાણે હત– “This meeting expresses its disapproval of and grief at the unjust and illegal attitude adopted by the Thakore Saheb of Palitana in connection with the Shatrunjaya Tirth hill and supports the Satyagrah started by Jains to be continued till satisfactory settlement is arrived at. The President is authorised to send copy Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શેઠ આ૦ કોની પેઢીને ઇતિહાસ of this resolution to Viceroy, Agent Governor General Kathiawar, Palitana Thakore Saheb and Anandji Kalianji. “Sarojini Naidu President of the meeting.” ૭૦. આ ત્રણ માગણીઓ વાઈસરોય પરની અરજીમાં જે શબ્દોના આધારે રજૂ કરવામાં આવી હતી, તે મૂળ શબ્દો નીચે મુજબ હતા– (?) URL $6:“Your Memorialists urge that the British Government should not allow any enhancement of the sum of Rs. 15,000." 24a PRL 10 : “ Your Memorialists submit that the Darbar has failed to make out any case for an increase. Indeed your Memorialist say that if a modification of this amount is to be made there are stronger grounds for reduction than increase. (૨) પેરે ૭૧: “... ... Equally therefore if a modification is made, there is no provision for making such modification applicable for only a term of years and thereafter permitting a direct levy. (મુંડકાવેરે.)” (3) URL 13 : " Your Memorialists request that your Excellency in Council will be pleased to hear the parties before disposing of this appeal.” (વોટસનના ચુકાદા સામે પેઢીએ ભારતના ઈસરોયને કરેલ , અંગ્રેજી અપીલની છાપેલી ચોપડી, પૃ. ૨૮, ૨૯, ૩૦) ૭૧. આ ગ્રંથના ૨૮૧ મા પાનાની ૧૫ મી લીટીમાં પાદધને નંબર ૭.૧ છપાયે છે તે ભૂલ છે. તે નિશાન ૭૧ મા નંબરની પાદનધનું સૂચન કરે છે. રખેપાને આ પાંચમે કરાર મૂળ અંગ્રેજી ભાષામાં થયો હતો, એટલે એનું મૂળ લખાણ નીચે આપવામાં આવે છે Agreement arrived at between His Highness the Thakore Saheb of Palitana as representing the Palitana Dubar, and Sheth Anandji Kalianji as representing the Swetambar Murti Pujak Jain Community of India. 1. The Shatrunjaya hill is situate within and forms a portion of the Palitana State, subject to the limitation laid down and the rights of the Jains defined in Resolution No. 1641, dated the 16th March 1877. Page #356 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૨૯૭ 2. The Jains are entitled to use, for religious purposes and purposes incidental thereto, all lands, trees, buildings and structures within the Gadh walls, and manage the said religious properties without any control or interference on the part of the Durbar, except for Police purposes. 3. The Jains shall be at liberty, without any permission. to rebuild (when necessary) repair and maintain the Gadh walls, provided that in so doing they do not alter the present dimensions or situation thereof. They will, however, be at liberty to raise such portion of the Gadh wall as forms part of any of the existing temples while raising the height of any such temple to the extent necessary to make the same, one of the walls of the said temple. They will further be at liberty to raise other portions of the said Gadh walls up to a maximum height of 25 feet. 4. The Jains shall manage the temples on the hill and outside the Gadh walls without any interference on the part of the Durbar. 5. The Paglas, Dehris, and Chhatris on the hill outside the said Gadh walls belong to the Jains as well as the Kunds and the Visamas, subject, as to the last two, to the user thereof by the public and the Jains can repair them without permission. 6. The Palitana Durbar will also maintain and repair the channels (natural courses ) feeding the said Kunds. 7. The Jains shall be at liberty, without any permission, to maintain and repair at their cost the road with the parapet walls, called the Mota Rasta' leading to the said Gadh from the foot of the Hill, subject to the user of the said road by the public, 8. The Palitana Durbar will maintain and repair at their cost the paths mentioned below : 1. Mota Rasta stretching to Sripuja Tunk. 2. Gheti Payag. 34 Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શેઠ ૦ કની પેઢીના ઇતિહાસ 3. Rohishala Kedi. 4. Chha gau rasta. 5. Shetrunji River kedi. 6. Dodh gau rasta. 7. Branch roads joining the Chha gau rasta and other commencing from Rohishala road and meeting the Chha gau road. and the Jains will have free access thereto and thereon. 9. The Jains will have control and management of the nonJain Shrines mentioned in Mr. Candy's report, including the shrine of Ingarshah Pir and excluding the temple of Mahadev. The said temple of Mahadev shall be enclosed by a wall separating it from the Gadh wall and an independant access from outside the Gadh wall will be provided thereto. In so doing, the Bhim and Suraj Kunds will be left outside the Mahadev limits. 10. The Jains will have the right to prescribe all reasonable rules and regulations for the conduct of visitors to the Gadh, the temples and tunks therein as well as the other shrines on the hill; but such rules and regulations as regards the non-Jain shrines shall not interfere with their due and proper worship thereat. 11. The line of the said Mota Rasta and the situation of the said temples, paglas, dehris, chhatris, visamas and the Kunds on the Hill and outside the Gadh will be marked on a map which will form part of this Agreement. The said map shall be duly identified. 12. The Palitana Durbar will not levy any duties or taxes on ornaments and jewels brought by Sheth Anandji Kalianji for the decoration of the images in the Jain temples, and this exemption will be granted on a declaration made by the Munim of Sheth Anandji Kalianji. 13. That in the case of any dispute arising out of or rela Page #358 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરારે ting to the rights of the Jains in this Agreement mentioned and in carrying out the terms of this Agreement the ruling Prince of Palitana State would in his executive capacity on the application of the Jains in that bahalf decide the matter and if the Jains feel aggrieved by any such decision, they will be entitled to approach the Agent to the Governor General, who after hearing the parties will give his decision and either party will have the right to appeal therefrom to the higher authorities in due course. 14. The Palitana Durbar agrees to receive and the Jains agree to pay a fixed annual sum of Rs. sixty thousand for 35 years. This obligation will have effect from 1st of June 1928 and the first payment will be made on the 1st of June 1929 and on corresponding dates in subsequent years during the said period of 35 years. In consideration of the above payment and the subsequent annual payments the Durbar agrees not to levy any further dues of any kind from the Jains on account of pilgrimage taxes. This payment includes protection, malnu &c. 15. At the expiration of the said period of 35 years, either party shall be at liberty to ask for a modification of said fixed annual sum and it will rest with the British Government, after hearing the parties, to grant or withhold such modification. The amount of the fixed annual sum and the period during which the same shall remain in force shall be determined by the British Government at the expiration of each such period. 16. In the event of the said annual payment not being made within a month from the due date thereof the Agent to the Governor General will determine the course to be followed by the Palitana Durbar. 17. The ordars of the Government of Bombay, contained in their Resolutions No. 183-T., Political Department, deted the 5th of July 1922, and No. 8. 44-1-6, Political Department, dated the 25th of May 1923, and those of the Secretary of State for India conveyed as per letter No. 1281-B, dated the 9th of October 1924 from the said Government, are superseded in so far Page #359 -------------------------------------------------------------------------- ________________ 300 શેઠ આ કની પેઢીના ઇતિહાસ as they or any part thereof are contrary to or inconsistent with this Agreement: 18. All the appeals and memorials of the parties hereto regarding matters dealt with by this Agreement shall be deemed to be disposed of by this Agreement. 19. The expression Durbar' means and includes the Palitana State and expression Jains' means and includes the Swetamber Murtipujak Jain Community of India represented by Sheth Anandji Kalianji and their successors. 20. This Agreement is produced by the parties and ratified by the Government of India. Dated this 26th day of May One thousand nine hundred and twenty eight, Simla. Kikabhai Premchand. Kastoorbhai M. Nagarsheth. Maneklal Mansukhbhai. Sarabhai Dahyabhai Sheth. Amratlal Kalidas. Signed in our presence. C. H. Setalvad. Bhulabhai J. Desai. Pratapsinh Moholalbhai. Accredeted representatives of The Jain Community of India. Bahadursing, Thakore Saheb of Palitana. Ratified by the Government of India this 26th day of May 1928 at Simla. IRVIN, Viceroy and Governor General, 26-5-28. ૭૨. શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી તરફથી પાલીતાણા રાજ્યની તા. ૧૪-૯-૧૯૨૫ ની અરજીને જે સવિસ્તર જવાબ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વાટસનને મેાલવામાં આવ્યા હતા, તેમાં આ વાતને ઉલ્લેખ નીચે મુજબ શબ્દોમાં કરવામાં આવ્યા હતા——— "We submit that these Orders again clearly bring out and emphasize the position that the Darbar has not full sovereignty and authority over the Shatrunjaya Hill and that the Page #360 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાશે ૩૬ • British Government recognised the obligation on them to protect the vested interests and rights of a large body of British subjects. They further show that the Rakhopa payment was not a tax for revenue purposes but was merely a payment to be made in return of certain services." (પાલીતાણું જૈન કેસ, પૃ. ૧૯૪) ૭૩. આ બનાવની માહિતી ઉપર સૂચવેલ ગ્રંથના આ જ ફકરામાં નીચેના શબ્દોમાં સચવાઈ રહી છે In 1874 a pilgrim sustained a loss in respect of which the Darbar after proceedings before the Political Agent paid Rs. : 4300 to the pilgrim in 1876.” ૭૪. તા. ૧૨-૨-૧૯૨૬ ના રોજ, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વગેરે જૈન સંઘના ચાર અગ્રણી * ઓએ મુંબઈના ગવર્નર નામદાર સર લેસ્લી વિલ્સનની મુલાકાત લીધી હતી. એ મુલાકાતના ' ટૂંકા સારની નોંધ પેઢીના દફતરમાં સચવાયેલી છે, જે નીચે મુજબ છે– STRICTLY PRIVATE & CONFIDENTIAL “Interview with H. E. Governor was had on 12th February 1926, when Sheth Sahebs Kasturbhai Lalbhai, Ambalal Sarabhai, Kikabhai Premchand & Shantidas Askaran were present. They were received by H. E. cordially and sympathetic hearing was given in respect of Palitana affairs. Our difficulties about Jurisdiction & Rakhopa matter were explained & grievances stated. H. E. Sir Leslie Wilson was pleased to write about the matter to H. E. Viceroy, which he did. And after receiving a reply from H. E. Viceroy he addressed a letter to Sheth Saheb Kasturbhai Lalbhai, a copy of which is enclosed herewith.” - આ મુલાકાત પછી મુંબઈના ગવર્નર સર લેસ્લી વિલ્સને શેઠશ્રી કસ્તૂરભાઈ લાલ- ભાઈ ઉપર જે પત્ર લખ્યો હતો, તે નીચે મુજબ હત Government House, Bombay, 19th February, 1926. Dear Mr. Kasturbhai Lalbhai, With reference to your visit to me on the 12th instant, when you were accompanied by Mr. Kikabhai Premchand Roy.. chand, Mr. Ambalal Sarabhai, and Mr. Shantidas Askuren, I Page #361 -------------------------------------------------------------------------- ________________ 302 શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ communicated at once with His Excellency the Viceroy, as I had promised, and received a very prompt reply from him. I understand that Lord Reading has twice seen Sir Chimanlal Setalvad on the subject, and that he is also seeing you, and that Sir Chimanlal has had conversation on the question we discussed with the Political Secretary to the Government of India. Lord Reading informs me that he told Sir Chimanlal that your committee should primarilly approach the Agent to the Governor General, and that he has asked Mr. Watson to give the representation careful examination in view of the importance of the case to the Jains in India generally. I think this meets your case, namely, that you should not be asked to approach the Palitana Durbar; and Lord Reading has requested me to assure you or any one who should speak to me on this subject, that the importance of the question is well known to him, and that it is receiving careful examination at the hands of the Agent to the Governor General. Yours sincerely Leslie Wilson. ૭૫. આ ૭૫ મી પાદનોંધના અંકવાળા ફકરાની પહેલાંના ફકરામાં જૈન સંઘના અગ્રણીઓ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વગેરેએ, તા. ૨૨-૨-૧૯૨૬ ના રોજ સાંજના છ વાગે, દિલ્હીમાં ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ લેર્ડ રીડીંગની મુલાકાત લીધી હતી, તેની નોંધ પેઢીના દફતરમાં સચવાયેલી છે, જે નીચે મુજબ છે STRICTLY PRIVATE & CONFIDENTIAL Interview with H. E. Viceroy. This interview was had at Delhi Viceregal lodge on 22-2-26 6 P. M. when Sheth Sahebs Kasturbhai Lalbhai, Ambalal Sarabhai & Shantidas Askaran were present. H. E. was pleased to hear our whole case patiently and sympathetically for a pretty long time. Matters at issue between the British India Jain Community & the Palitana Darbar were explained to him & our grievances also stated. He seemed to appreciate the point re: the jurisdiction issue. But as regards the Rakhopa payment, it could be gathered that he was not able to Page #362 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ತಿಂಡಿ see eye to eye with us. The interview lasted nearly 45 minutes. H, E. seemed desirous of knowing exactly what could be done by him in the matter. As the matter is at present before A. G. G. at Rajkot, an interview was sought and obtained with him also. મુંબઈના ગવર્નર સર લેસ્લી વિલ્સને, તા. ૧૯-૨-૨૬ ના રોજ, શેઠશ્રી કસ્તૂરભાઈને લખેલ કાગળની નકલ ૭૪ મી ફટનેટના અંતે આપવામાં આવી છે ૭૬. દરબાર તરફથી જૈન સંઘની કરવામાં આવતી કનડગતના અને એમના હકને ઉપેક્ષાના અનેક બનાવો બનતા રહ્યા છે. એમાંના કેટલાક નીચે મુજબ છે (૧) આપણાં દેરાસરમાંનાં ભગવાનનાં આભૂષણે વગેરેની સાચવણી માટે પેઢી તરફથી ગિરિરાજ ઉપર હથિયારધારી આરબોને ચેકીપહેરી રાખવામાં આવતું હતું. દરબારે ૧૮૬૩માં આની સામે વાંધે લીધે. આ અંગે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરફ ફરિયાદ કરવામાં આવતાં એમણે પાલીતાણું રાજ્યને ચેતવણી આપતાં કેવા આકરા શબ્દોને ઉપગ કર્યો હતા, તે તેમના નીચેના ઉદ્ગારે ઉપરથી જાણી શકાય છે– URL 28:“If instead of listening to wise counsel either of the parties proclamed a war to the knife, the result is very likely to be that the Thakore will have to leave Palitana and revert to his ancient capital, than that the sect will ever abandon their vested interests in the Hill.” અથ–“બંને પક્ષકાર શાણી સલાહને કાને ધરવાને બદલે, જે છરીનું યુદ્ધ જાહેર કરશે તે, ઘણે ભાગે, એવું પરિણામ આવવાને સંભવ છે કે, જૈને તે (શત્રુંજય પર્વતમાંનાં પોતાના સ્થાપિત હિતને નહીં છોડે, પણ પાલીતાણાના દરબારને પાલીતાણાને ત્યાગ કરીને પોતાની જૂની રાજધાની (ગારિયાધાર)ને આશ્રય લેવો પડશે.” (૨) સને ૧૮૮૬ માં કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ જે. ડબલ્યુ. વોટસનની દરમ્યાનગીરીથી રખોપાને ચોથે કરાર, તા. ૮-૩-૧૮૮૬ ના રોજ, થેયે તે અગાઉના સમયમાં પાલીતાણું રાજ્ય અને જૈન કેમ વચ્ચે કેવી કડવાશની લાગણી પ્રવર્તતી હતી, તેની બીના મિ. જે. ડબલ્યુ. વોટસને, તા. ૧૯-૩-૧૮૮૬ ના રોજ, આ કરાર થયાની જાણ કરતે જે પત્ર મુંબઈ સરકારને લખ્યું હતું, તેના બીજા પેરેગ્રાફમાંના નીચેના શબ્દો ઉપરથી પણ સમજી શકાય છે TRR: “Of late years, however, so much friction ensued bet. ween the Jain Community and the late Chief of Palitana that had this agreement not been concluded, Government would probably have found it necessary to interfere more directly." Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ અ. છેલ્લાં વર્ષો દરમ્યાન, જૈન કામ અને પાલીતાણાના દરબારશ્રી વચ્ચે એટલું બધુ" ઘણું પ્રવતું હતું કે, જો આ સમાધાન કરવામાં ન આવ્યું હાત તા, એ બાબતમાં સીધે। હસ્તક્ષેપ કરવાનુ સરકારને માટે જરૂરી થઈ પડત. ” ( ૩ ) પોલિટિકલ એજન્ટના આ કાગળના જવાબમાં આ સમાધાનને માન્ય કર્યાની જાણુ કરતા જે કાગળ મુંબઈ સરકારે, તા. ૮-૪-૧૮૮૬ ના રાજ, પોલિટિકલ એજન્ટને લખ્યા હતા, તેમાંના નીચેના શબ્દો પણ જાણવા જેવા છે— પેરા ૨૦: “ But the Political Agent should obtain the undertaking of the Thakore Saheb to adhere to the terms reported in the Political Agent's paragraphs 8 and 9.'' અ. ________"6 પણ પોલિટિકલ એજન્ટે ડાર્કાર સાહેબ પાસેથી એવી બાંયધરી લેવી જોઈએ કે તે પોલિટિકલ એજન્ટના કાગળના આઠમા અને નવમા પેરેગ્રાફમાં સૂચવેલ શરતાને વળગી રહેશે. "" (૪) મુંબઈ સરકારે પાતાના ઉપરના પત્રમાં પાલીતાણાના ઠાકાર સાહેબ પાસે જે આઠમા અને નવમા પેરેગ્રાફની વાતના અમલ કરાવવાનુ` સૂચન પોલિટિકલ એજન્ટને કર્યું હતુ, તે એ શરતા નીચે મુજબ છે. * 8. The Thakore Saheb has also promised to levy Jakat or Customs dues from the Jains at the same rate as from other subjects and the late Thakore Saheb's oppressive rates have been withdrawn. '’ 9. The Thakore Saheb has further agreed to grant the Jain Community land for building sites in and near the city of Palitana at moderate rates. ” અ. ૮. ઠાકાર સાહેબે એવું પણ વચન આપ્યું છે કે, તેઓ ખીજા પ્રજાજના પાસેથી જે હિસાબે જકાત વસૂલ કરતા હશે, એ હિસાબે જૈના પાસેથી પણ વસૂલ કરશે અને સ્વસ્થ ઠાકાર સાહેબે જકાતના જે બહુ ઊંચા દર રાખ્યા હતા, તે એમણે પાછા ખેચી લીધા છે. ' “ ૯. વધારામાં, ઠાકાર સાહેબ એ વાતમાં પણ સંમત થયા છે કે, જૈન કામને મકાન બાંધવા માટે પાલીતાણા શહેરમાં અને એની નજીકમાં જમીન જોઈતી હશે તા તે મધ્યમસરના દરે આપવામાં આવશે. ' અહી આવા કિસ્સાઓ વધારે નોંધવાની જરૂર એટલા માટે નથી કે એની સવિસ્તર રજૂઆત, આ ગ્રંથના બીજા ભાગમાં, “ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ” નામે ૧૧ મા પ્રકરણમાં કરવામાં આવેલ છે, "3 Page #364 -------------------------------------------------------------------------- ________________ પુરવણી યાત્રા-બહિષ્કારનું શકવતી અને અપૂર્વ ધ યુદ્ધ છવ્વીસ મહિના જેટલા લાંબા વખત સુધી ચાલુ રહેલ યાત્રા-બધી શ્રી શત્રુંજય તી અંગેના, પાલીતાણા રાજ્ય સાથે થયેલા, રખાપાના છેલ્લા એટલે ચેાથા કરાર સંબ ંધી સવિસ્તર માહિતી આ ગ્રંથના દસમા પ્રકરણમાં આપવામાં આવી છે. તેમાં જણાવ્યા મુજબ, આ કરાર ચાલીસ વર્ષની મુદ્દતના અને વાર્ષિક રૂપિયા પંદર હજારની ચુકવણીનેા હતા, તે તા. ૩૧-૩-૧૯૨૬ ના રાજ પૂરા થતા હતા; એટલે પાલીતાણા રાજ્ય આ કરાર પૂરા થયા પછી કેવું વલણ અખત્યાર કરશે, એ અંગે કંઈક ચિંતાની લાગણી જૈન સંધમાં, અને ખાસ કરીને શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢીમાં, પ્રવર્તતી હતી. આમ છતાં શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીને એટલી નિશ્ચિંતતા હતી કે, આ કરાર પૂરા થયા પછી પાલીતાણા રાજ્ય, બહુ બહુ તા, રખેાપાની વાર્ષિક રકમમાં વધારા કરવાની માગણી કરશે, પણ કાઈ પણ સ’જોગામાં મુંડકાવેરી કરી ચાલુ કરવાની માગણી તા હરિગજ નહીં કરે, કારણ કે આ કરારનો ત્રીજી કલમમાં એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કરારની મુદત પૂરી થયા પછી, બંને પક્ષકારાને ચૂકવણીની વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવાની માગણી કરવાની છૂટ આપવામાં આવી હતી અને આવી માગણી આવેથી તેના નિકાલ કરવાની સત્તા બ્રિટિશ હકૂમતની હસ્તક રાખવામાં આવી હતી. અભિપ્રાય માગતા પત્ર વસ્તુસ્થિતિ આવી વિશેષ ચિંતાજનક ન હેાવા છતાં, પેઢીના વહીવટદાર પ્રતિનિધિએ આ બાબતમાં જરાય ઢીલાશ કે ઉપેક્ષા સેવવા માગતા ન હતા, એટલે એમણે પાલીતાણાના દરબારશ્રીએ, તા. ૧૪-૯૧૯૨૫ના રાજ, રખેાપાના આ કરાર પૂરો થયા પછી, પોતે આ બાબતમાં કેવું વલણ અપનાવવા ધારે છે તેની જાણ કરતી અરજી, કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેાટસનને કરી, તે પહેલાં જ, ત્રણેક અઠવાડિયાં અગાઉ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ આ બાબતમાં સાગ અને સક્રિય બની ગયા હતા. એટલે એમણે, તા. ૨૫-૮-૧૯૨૫ ના રાજ, જાવક નં. ૮૮૮ ના એક પત્ર છપાવીને તેમ જ રખાપાના જરૂરી કાગળા ' નામની ચેાપડી એની સાથે જોડીને, જૈન સ`ધના શ્રમણુ સમુદાયના અગ્રણીએ તથા જૈન સંધના અગ્રણી ગૃહસ્થા ઉપર મેાકલી આપીને એમને પોતાની સૂચનાઓ લખી જણાવવા જણાવ્યું હતું. આ પત્ર નીચે મુજબ હતેા~~~ “ વી. વી. સાથે લખવાનું કે આ સાથે શ્રી પવિત્ર શત્રુ ંજયતીર્થના રખાપા સંબધીના જરૂરીયાતના કાગળા આપને વાંચવા સારૂ મેાકલ્યા છે. વાંચવાથી આપને ખબર પડશે કે આપણા પાલીતાણાના ઠાકારસાહેબ સાથેના છેવટના કરાર મા માસમાં ખલાસ થાય છે ! તે સંબંધમાં આપની જે કાંઈ સુચના હેાય તે લખી જણાવશેા. તા. સદર “ B. G. K. k. “ ( સહી ) નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ “ વહીવટદાર–પ્રતિનિધિ. ’ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ આ પત્ર સાથે “રખપાના જરૂરી કાગળે” નામે જે પુસ્તિકા મેલવામાં આવી હતી, તેની અંગ્રેજી આવૃત્તિ પણ છપાવીને જરૂર લાગી ત્યાં મોકલવામાં આવી હતી. આ પુસ્તિકામાં રખેપાના ચારેય કરારે અક્ષરશઃ આપવામાં આવ્યા હતા અને સાથે સાથે એને લગતે મુંબઈ સરકારને જરૂરી પત્રવ્યવહાર પણ આપવામાં આવ્યા હતા. પેઢી તરફથી લખવામાં આવેલ આ પત્રે ચતુર્વિધ શ્રીસંઘને આ બાબતમાં જાગ્રત કરવાનું ઘણું મહત્ત્વનું કામ કર્યું હતું એમ કહેવું જોઈએ. આ પત્રના જવાબમાં શ્રમણ સમુદાય તથા જુદા જુદા ગૃહ તરફથી પિતપોતાના અભિપ્રાય લખી જણાવવામાં આવ્યા હતા. એમાં કેટલાક અભિપ્રાયોમાં, જે આ બાબતમાં માનભર્યું” અને સંતોષકારક સમાધાન ન થાય તે. શત્રુંજયની યાત્રાએ જવાનું બંધ કરવાનું પણ સૂચવવામાં આવ્યું હતું. યાત્રાત્યાગનું સૂચન પ. પૂ. પંન્યાસ શ્રી કેસરવિજયજી મહારાજે, રાણપુરથી લખેલા પત્રમાં, જણાવ્યું હતું કે, “કોઈ ઠાકોર સાહેબની દૃષ્ટિમાં અપ્રીતિરૂપ ન થયેલા હોય તેવા શાંત અને પ્રતિભાવાળા સાધુઓએ ઠાકોર સાહેબને રૂબરૂમાં મળીને તેમને સમજાવવા. તેમ છતાં ન સમજે તે એવો મજબુત પ્રતિબંધ કરવો કે કેઈ યાત્રાળુઓ યાત્રાથે પાલીતાણે ન જવું એ રૂપે ઠાકોર સાહેબની સાથે સંબંધ તેડી નાખવો.” એ જ રીતે સિરપુરથી, પ. પૂ. મુનિરાજ શ્રી માણેકમુનિએ, લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “જે તે કષ્ટ (પાલીતાણું રાજ્યની સામે થઈને અને શૂરવીર બનીને યાત્રા કરવાનું કષ્ટ ) સહન ન કરી શકે તે થોડો સમય યાત્રા મુલતવી રાખી ગીરનાર તળાજા જે શત્રુંજયની ટુંકે છે, ત્યાં જઈ તેમણે સંતોષ માનવો જોઈએ.” ગામ દેવાથી ૫૦ પૂ. મુનિરાજ શ્રી મયાસાગરજીએ લખ્યું હતું કે, “તેમ પણ ન બને તે બીજે રસ્ત પણ છે. શેઠ આણંદજી કલ્યાણજી થા નગરસેઠ કસ્તુરભાઈ મણિભાઈ તથા સરવે જૈન બંધુઓ વિગેરે સર્વની સંમંતી લેઈને, સર્વને એક મત હોય તે, અગર એકમત કરીને, શ્રી સીગુંજે જાત્રા કરવા જવાનું બંધ રાખવું. હાલ જાત્રાએ ન જાવું તે શ્રેયનું કારણ જણાઅ છે. જ્યા સુધી આ તકરારને ખેલાસે ન થાય ત્યાં સુધી જાત્રાનું બંધ રાખવું જોયે.” એ જ રીતે સેનગઢના શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમવાળા પ. પૂ. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજે, સોનગઢથી તથા ૫૦ પૂમુનિરાજ શ્રી કનકવિજયજી મહારાજે ધ્રાંગધ્રાથી પણ યાત્રાને ત્યાગ કરવાનું સૂચન કર્યું હતું. ઉપરાંત શ્રી વીરચંદભાઈ ગેકુળદાસ ભગતે પણ યાત્રા-ત્યાગનું પગલું ભરવાનું સૂચન કર્યું હતું. શ્રીસંઘની સભા આ પછી દરબારશ્રીએ, તા. ૧૪-૯-૧૯૨૫ ના રોજ પોતાની અરજી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસનને મોકલી હતી. આ બાબતમાં તા. ૨૫-૮-૧૯૨૫ ના પત્રના જવાબમાં જન સંધ તરફથી જે જે સૂચને મળ્યાં હતાં તે અંગે વિશેષ વિચાર કરીને જરૂરી નિર્ણય લેવા માટે તા. બીજી અને ત્રીજી જાન્યુઆરી, ૧૯૨૬ ના બે દિવસ દરમ્યાન પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓ Page #366 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાષાના કરારો ૩૦૭ તથા જૈન સંધના કેટલાક પ્રતિષ્ઠિત સગૃહસ્થાની સભા, અમદાવાદમાં, તા. ૧૬-૧૨-૧૯૨૫ ના જાવક નં. ૧૯૯ ના પત્ર લખીને, ખેાલાવવામાં આવી હતી. આ પત્ર આ પ્રમાણે લખવામાં આવ્યા હતા— “ અમદાવાદથી લી. શેઠ આણુજી કલ્યાણુજી વિશેશ લખવાનુ કે શ્રી શત્રુ...જય મહાતીર્થના ચાલતા કેસા તેમજ રખાપા સંબધી તેમજ ગીરનારના સે। સબધી તેમજ પાવાપુરી પાસે આવેલા રાજગ્રહી તીમાં દીગંબરા સાથે ચાલતી તકરારા સબધી ખાસ વિચાર કરવા સારૂ સ્થાનીક પ્રતિનિધિઆ તેમજ કેટલાક પ્રતીષ્ઠીત ગૃહસ્થાની મીટીંગ તા. ૨. માહે જાનેવારી સને ૧૯૨૬, સંવત ૧૯૮૨ ના પાષ વદી ૩, શનિવાર તથા તા. ૩, માહે નેવારી સને ૧૯૨૬, સ ́વત ૧૯૮૨ ના પાષ વદી ૪, રવીવારના રાજ બપારના ખાર ઉપર એક વાગે નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈના વડે ભરવાનું નક્કી કર્યું' છે માટે આપ જરૂર પધારશેા. તા. સદર. “ ( સહી) કસ્તુરભાઈ લાલભાઈ “ ( સહી) સારાભાઈ ડાહ્યાભાઈ “ વહીવટદાર પ્રતિનિધિ. ’ આ વખતે પેઢીના પ્રમુખ નગરશેઠે શ્રી કસ્તુરભાઈ મણુિભાઈ પારબંદરમાં હતા અને પોતાની નાદુરસ્ત તબિયતના કારણે સભામાં હાજર રહી શકે એમ ન હતા, એટલે એમણે પેારબંદરથી તાર કર્યો હતા. એમાંના નીચેના શબ્દો ખાસ ધ્યાન ખેંચે એવા હતા—— "Extremely sorry could not attend meeting on account my weak health. Wish meeting unanimous and show united front to defend the cause of holy Tirth and not talk of compromise by which we lose our vested rights for which our ancestors devotedly fought and protected. "" અર્થ : ~ નબળી તબિયતને કારણે હું સભામાં હાજર રહી શકતા નથી તે માટે અત્યંત બ્લિગીર છું ઇચ્છું છું કે, મિટીંગમાં એકમતિ અને સૌંયુક્ત મરચા સાધવામાં આવે, જેથી આપણા પવિત્ર તીની રક્ષાનું કામ થઈ શકે અને આપણા પૂર્વજોએ, ભક્તિપૂર્વક લડત ચલાવીને, આપણાં સ્થાપિત હિતેાનુ` સંરક્ષણુ કર્યુ છે, તે અંગે કોઈ પણ જાતનું સમાધાન કરવાની વાત કરવામાં ન આવે.'' બે દિવસ ચાલેલી આ સભામાં જે કંઈ ચર્ચા-વિચારણા થઈ, તેને અંતે નીચે મુજબ આઠ ઠરાવે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા— સભાએ પસાર કરેલા ઠરાવે ઠરાવ પહેલા-જૈનકામના સકળ હીંદુસ્તાનના રીતસર નીમાયલા પ્રતિનિધિઓની તથા અન્ય આગેવાનાની આ સભા શ્રી શત્રુંજય પવિત્ર પહાડ ઊપરના તથા તેના ઉપર આવેલાં પેાતાના મંદીરાના સબંધમાં પેાતાના જાહેર થએલા તેમજ સ્થાપિત થએલા હ્રાની હાલની દશા પ્રત્યે ઘણા ભયની નજરથી જુએ છે. ’ ઠરાવ બીજો—જૈન સમુદાય તરફ તથા તેમની શ્રી શત્રુ ંજય પહાડ ઉપર આવેલી મીલક્ત તરફ પાલીતાણા દરબારનું વલણ દીવસે દીવસે સહાનુભૂતિ વિનાનું થતુ જાય છે અને સૈકાઓ થયાં Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ આ કામ જે હકે ભગવતી આવી છે તથા જે હકની વ્હાંયધરી વખતેવખત મેગલ શહેનશાહએ તેમજ હાલની હિંદુસ્તાનની સાર્વભૌમ સત્તા નામદાર અંગ્રેજ સરકારે આપેલી છે, તે હકોનું મટે ભાગે ખંડન કરવા તરફ દરબાર મજકુરની પ્રકૃતિ ચાલી રહી છે, તેથી આ સભાના મનમાં ઘણી ચિંતા પેદા થઈ છે. ” ઠરાવ ત્રીજ-નામદાર અંગ્રેજ સરકારની વફાદાર પ્રજાના એક મોટા વિભાગના હકોનું જાગૃત રહીને રક્ષણ કરવું એ અંગ્રેજ સરકારનો ધર્મ છે, એવો મક્કમ અભિપ્રાય આ સભા દર્શાવે છે, અને એ ધર્મ બજાવવાના કાર્યમાં સમસ્ત જૈન સમુદાય અને પાલીતાણ દરબાર વરચે જે ખાસ પ્રકારને અસાધારણ સંબંધ છે, તેને સરકારે પોતાના અંકુશમાં રાખવો જોઈએ તથા એ કાજે શ્રી શત્રુંજય સંબંધી જે જે સવાલે આ બંને પક્ષકારો વચ્ચે ઊભા થાય તેને ફેંસલા અંગ્રેજ સરકારે પિતે જાતે જ કરવાનું ચાલુ રાખવું જોઈએ.” ઠરાવ ચે -પશ્ચિમ હિન્દુસ્તાનના સંસ્થાનના નામદાર ગવર્નર જનરલના મેહેરબાન એજંટ સાહેબને તથા હિંદી સરકારને આ સભા આગ્રહપૂર્વક નિવેદન કરે છે કે નામદાર અંગ્રેજ સરકારની હાલની વલણ દેખાડનારાં કેટલાંક કૃત્યોથી સકળ હિંદને જન સમુદાય ઘણે ખળભળી ઉઠયો છે અને ભયભીત થઈ ગયો છે, જેથી એવી અરજ ગુજારે છે કે, નામદાર અંગ્રેજ સરકારે એવાં પગલાં ભરવાં જોઈએ કે જેથી આ કામના પ્રીય હકનું સંપૂર્ણ રક્ષણ થાય અને એ હકે અખંડીતપણે જળવાઈ રહે, તથા સમસ્ત હિંદમાં વસતા જેના મનમાં વિશ્વાસ અને સંતોષની લાગણું ફરીથી પેદા થાય.” - “ઠરાવ પાંચમે–આ સભા વિનંતિ કરે છે કે પૂજ્ય મુનિ મહારાજેએ તથા અન્ય જૈન આગેવાનોએ અને લાગવગ ધરાવનારા કામના પ્રતિનિધિઓએ હિન્દુસ્તાનમાં જુદે જુદે સ્થળે રહેનારા તમામ જૈનોને એવો ઉપદેશ આપવો કે, આ કટોકટીના મામલા વખતે બધાએ એક મત થવું અને કેમના માન્ય થયેલા પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી જે પગલાં ભરે તેને પૂરી દલજાનીથી ટકે આપવો.” “ઠરાવ છઠ –આ સભા શેઠ આણંદજી કલ્યાણજીને વિનંતિ કરે છે કે જેન સમુદાયના હકનું સંપૂર્ણ રક્ષણ કરવા સારૂ તમામ પ્રકારના વ્યાજબી પગલાં તેમણે ભરવાં અને કામના હકે ઉપર દબાણ થવા દેવું નહીં. તથા નામદાર અંગ્રેજ સરકારને આગ્રહ કરે કે શ્રી શત્રુંજય ડુંગર ઉપરની જેનેની પવિત્ર મીક્તનું રક્ષણ જેવી રીતે ઉત્સાહથી આગલા વખતમાં કરવામાં આવતું હતું તેવી રીતે કરીને આગલી રાજનીતિ ચાલુ રાખવી.” ઠરાવ સાતમો–આ સભા પ્રેસીડેન્ટ સાહેબને સતા આપે છે કે, તેઓશ્રીએ ઉપલા ઠરાવની નકલો નામદાર સેક્રેટરી ઓફ સ્ટેટ ફેર ઇંડીયાને, હિંદુસ્તાનના વાઈસરાય અને ગર્વનર જનરલના મહેરબાન એજન્ટ સાહેબને, પૂજ્ય મુનિમહારાજેને, તથા બીજા લગતા વળગતાઓને મોકલી આપવી.” ઠરાવ આઠમે–આ સભા અને એકત્રિત થયેલા સ્થાનિક પ્રતિનિધિઓને તથા જૈન સમુદાયના બીજા આગેવાનોને વિનંતિ કરે છે કે, તેમણે પોતાના ગામના સંઘે અથવા બીજી સંસ્થાઓ પાસે નીચેની મતલબના ઠરાવ પસાર કરાવવા. “(અ) હિંદુસ્તાનને નામદાર વાઈસરાય અને ગવર્નર જનરલ સાહેબને આ સંઘના સભ્યોની સહી Page #368 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા ખાપાના કરારો સાથેની એક સામુદાયિક અરજ (માસ મેમારીયલ ) મેાકલી આપવી. તથા કલ્યાણુજીના વહીવટ કરનાર પ્રતિનિધિ સાહેબાએ જે છેલ્લુ મેમેરીયલ મેકલેલ છે તેની એક નકલ મેાકલવી, અને એએ નામદારને આગ્રહપૂર્વક જયના પવિત્ર પહાડ સંબધીની ક્રામની જે ફરિયાદેશ છે તેની દાદ આપવી. “ (બ) શ્રી શત્રુ ંજયના સંબંધમાં શેઠ આણુ દજી કલ્યાણુજી વખતાવખત જે પગલાં લેવાનું જણાવે તે પ્રમાણે વવાની પોતાની તૈયારી આ સંઘ જાહેર કરે છે, અને આ તૈયારીની જાણુ થવા સારૂ શેઠ આણુ દૃષ્ટ કલ્યાણુજીને આ ઠરાવની નકલ મેાકલી આપે છે. '' સાત ગૃહસ્થાની મીટી આ સભામાં આ પ્રકરણ અંગે જરૂરી વિચારણા અને ઘટતું કરવા માટે સાત ગૃહસ્થાની કમિટી નીમવાનુ` પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ સાત સગૃહસ્થામાં ત્રણ શ્રીસંધના અગ્રણીઓને અને ચાર પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને સમાવેશ થતા હતા. એમાં સંધના ત્રણ અગ્રણીએ તે (૧) શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, (૨) શેઠશ્રી કીકાભાઈ પ્રેમચંદ અને (૩) શેઠશ્નો શાંતિદાસ આસકરણના તથા પેઢીના ચાર વહીવટદાર પ્રતિનિધિ તરીકે (૪) નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈ, (૫) શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ, (૬) શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને (૭) શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈના સમાવેશ થતા હતા. ૩૦૯ તેની જોડે શેઠ આણુ છ નામદાર - વાઈસરાય સાહેબને વિનતિ કરવી કે શ્રી શત્રું આ સભામાં પણ કેટલાક અગ્રણીઓએ સતીષકારક સમાધાન ન થાય તા યાત્રાનેા બહિષ્કાર કરવાનું સૂચન કર્યું." હતું. આ સભાની કાÖવાહીથી પૂજ્ય શ્રમણ ભગવાને માહિતગાર કરવા માટે, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સહીથી, નીચે મુજબ પત્ર લખવામાં આવ્યા હતા— પૂ. શ્રમણભગવાને વિનંતિ “ શ્રી સજ્ઞ શાસન સમુપાસક, પંચ મહાવ્રતાલ કૃત, પાંચ ઇંદ્રિયાના નિગ્રહ કરનાર, ચાર કષાયના જીતનાર, નવ પ્રકારના બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર, પાંચ પ્રકારના આચારને પાળનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ધરનાર, પ્રાતઃસ્મરણીય શ્રી ૧૦૦૮ શ્રી— k યત્ સવિનય વિજ્ઞપ્તિ કરવાની કે, હાલમાં પવિત્ર તીર્થરાજ શ્રી શત્રુંજય ગિરિરાજના સંબંધમાં જૈન સમુદાય કેવી દશામાં આવી પડેલા છે તે સંબધીની કેટલીક અગત્યની માહિતી આપ સાહેબને કેટલાક વખત પર ખાસ માણસા મેકલી આપવામાં આવેલ છે તેનાથી આપ સાહેબ પૂરતા વાકે થયા હશેા. "6 આપ સાહેબને ઉપર મુજબ માહીતી પૂરી પાડવા બાદ, જાનેવારી માસની તા. ૨-૩ અને ૪ થીએ અત્રે તમામ સ્થાનિક પ્રતિનિધિએ તથા અન્ય આગેવાન પ્રતિષ્ઠિત જૈન સગૃહસ્થાની એક ખાસ સભા શેઠ આણંદજી કલ્યાણુજી તરફથી ભરવામાં આવી હતી. આ સભામાં ધણી જાતના વિચારાની આપલે કરીને હાલ તુરત જે ઠરાવે! પસાર કરવામાં આવ્યા છે તે જાહેરપત્રામાં પ્રસિદ્ધ થઈ ગયા છે. * સભાના સરકયુલરમાં તા. ખીજી અને ત્રીજી જાન્યુઆરી–એમ બે દિવસ જ લખવામાં આવ્યા હતા; જ્યારે અહીં સભા ત્રણ દિવસ ચાલ્યાનું માંધ્યુ છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૧છે. શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ એ ઠરાવો પૈકી નંબર પાંચને ઠરાવ આપ સાહેબના લક્ષ ઉપર ખાસ પ્રકારે લાવવાની અગત્ય હેવાથી સદરહુ સભાના ઠરાવ અનુસાર આપને તરફ તે ઠરાવની નકલ મોકલી છે. તેમજ તે સભામાં થયેલા બીજા ઠરાવની નકલ પણ આપ સાહેબની જાણ સારૂ આ સાથે મોકલી છે. “ચાલુ સમય જેન કેમના તીર્થ રક્ષણના સંબંધમાં કટોકટીને છે એ બાબત હવે વધુ પિષ્ટપેષણ કરવાની અમને જરૂર લાગતી નથી. મુખ્ય મુદ્દાની વાત તે એ છે કે આ સમુદાય એકમત અને એકપગ થઈ આ કામમાં લક્ષ આપે એ ઘણું જરૂરનું છે. માટે સર્વ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈ સમસ્ત જૈન સમુદાયને યોગ્ય બોધ આ સંબંધમાં આપ સાહેબ આપતા આવ્યા છે તેમ આપશે. એજ વિનંતિ. કસ્તુરભાઈ લાલભાઈ “ના વંદણ ૧૦૦૮ વાર અવધારશે.” - આ રીતે ધીરેધીરે આ પ્રશ્ન અંગે શ્રીસંધમાં વધુ ને વધુ જાગૃતિ આવવા લાગી હતી; અને તેથી જે અંતે. કમનસીબે, સંતોષકારક સમાધાન ન થાય તે, યાત્રાને બહિષ્કાર કરવાની લડત શરૂ કરવાની હવા પણ શ્રીસંઘમાં પ્રસરતી જતી હતી. વચગાળાને હુકમ જ્યારે દરબારશ્રીએ પિતાની તા. ૧૪-૯-૧૯૨૫ની અરજીમાં પિતાને મુંડકાવેરા વસૂલ કરવા દેવાની માગણી કરી હોવાની જાણ જૈન સંઘને થઈ ત્યારે શ્રોસંધ ખૂબ વિમાસણમાં મુકાઈ ગયો હતો અને આવી માગણીને સામને કરવા કેવાં પગલાં ભરવાં એની ગંભીરપણે વિચારણું થવા લાગી હતી. દરબારની આવી માગણીવાળી અરજીને જવાબ આપવા માટે પેઢીએ એક મહિનાની વધુ મુદતની માગણી કરી અને એ માગણી મુજબ, તા. ૨૫-૪-૧૯૨૬ પહેલાં, પેઢી પિતાને જવાબ એજન્ટ ટુ ધી ગવર્નરને મોકલી આપે એ પહેલાં જ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટે પાલીતાણું રાજ્યનું હિત સચવાય એ દષ્ટિએ વચગાળાને હુકમ એ આવે છે, જેથી દરબારને મુંડકાવેરાની રકમ ઉઘરાવવાને તે નહીં પણ યાત્રાએ જનાર વ્યક્તિઓની ગણતરી કરવાનો અધિકાર મળતું જ હતું. આ યાત્રાના બહિષ્કારને નિર્ણય મિ. સી. સી. વોટસનને આ નિર્ણય જૈન સંઘને કેાઈ પણ રીતે માન્ય થઈ શકે તેમ હતું જ નહીં, એટલે છેવટે એને યાત્રાના બહિષ્કારને, સ્વયંભૂ કહી શકાય એ, દુઃખદ છતાં દઢ નિર્ણય કરવો પડ્યો. અને એ માટે એવું આવકારદાયક વાતાવરણ સર્જાયું કે તા. ૧-૪-૧૯૨૬થી એક પણ યાત્રિક શત્રુંજ્યની યાત્રા માટે પાલીતાણા ન ગયે! બીજી બાજુ પાલીતાણું રાજ્ય મુંડકાવેરે લેવાની બાબતમાં કેટલું કૃતનિશ્ચય હતું, તે એના તરફથી છપાવવામાં આવેલ નીચે મુજબની જાહેરાત ઉપરથી પણ જાણી શકાય છેશ્રા, જા, ન. ૭ જાહેરખબર તા. ૧ માહે એપ્રીલ સને ૧૯૬ થી જે શ્રાવકે શત્રુંજય ડુંગરની યાત્રા અર્થે આવે તેમની Page #370 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૩૧૧ પાસેથી કર લેવા બાબતની જાહેર ખબર નં. ૪ તા. ૨૮ માહે માર્ચ સને ૧૯૨૬થી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તેમાં જાહેર કર્યા પ્રમાણે મુંડકાવેરાના ધારાની કલમ ૧૩ અનુસાર શેઠ શાંતિદાસના સીધા પુરૂષ વંશજો અને તેવા સીધા પુરૂષ વંશજોની દીકરીઓને મુંડકી વેરામાંથી માફી બક્ષવામાં આવી છે. તે માફીને લાભ લેવાની ઈચ્છા રાખનાર સર્વ વંશજોને આ જાહેરખબરથી ખબર આપવામાં આવે છે કે જેઓ પોતે મજકુર શેઠ શાંતિદાસના ઉપર પ્રમાણેની માફી મેળવવાની લાયકાતવાળા વારસ હોવાને દાવો રાખતા હોય તેમણે પિતાને તે દા દાવાની પુષ્ટિમાં જે પૂરા હેય તે સાથે આ જાહેરખબર છપાયાની તારીખથી દસ રજની અંદર આ સંસ્થાનના “ પીલગ્રીમટેક્ષકલેકટ૨ રૂબરૂ હાજર થઈ અગર કાયદેસર મુખત્યાર મારફતે રજુ કરો અગર રજુ કરવા તજવીજ કરવી. દાવા નીચે હકીક્તના ખરાપણુની પ્રતિજ્ઞા કરવી જોઈએ. સામાન્ય રીતે આવા દાવાઓમાં પૂરાવો રજુ કરવા બાબતમાં દિવાની કાયદાનું ધેરણ સ્વીકારવામાં આવશે. તા. ૨૮ માર્ચ ૧૯૨૬. “ Chamanlal Girdharlal Mehta, દિવાન સં, પાલીતાણા.” આના અનુસંધાનમાં કાઠિયાવાડના લિટિકલ એજન્ટની ઓફીસ તરફથી પ્રગટ કરવામાં આવેલ આ જ મતલબની નીચેની જાહેરાત પણ એ વાતનું જ સમર્થન કરે છે કે, એજન્સીની ઓફિસ પણ પાલીતાણું રાજ્ય મુંડકાવેરે ઉઘરાવે એમાં સંમત હતી. અથવા વધુ સાચી વાત તે એ હતી કે, એજન્સીની આવી સંમતિના બળ ઉપર જ, પાલીતાણા રાજ્ય મુંડકાવેરા ઉઘરાવવાનું નકકી કરીને ઉપર મુજબ જાહેરાત પ્રગટ કરી હતી. એજન્સી તરફથી પ્રગટ કરવામાં આવેલ જાહેરાત નીચે મુજબ હતી- શાંતિદાસના વંશજે હેવાને દાવો કરનારા પિતાને દાવો રજુ કરવા “કાઠીયાવાડ પોલીટીકલ એજન્સી ગેજેટ”ના ૬-૪-૧૮૮૨ ના અંકમાં છપાયેલી જાહેરખબર–. જાહેરખબર “આ જાહેરખબર ઉપરથી સને ખબર આપવામાં આવે છે કે-શેત્રુજા ડુંગર ઉપર જનારા શ્રાવક જત્રાલ પાસેથી સ્વસ્થાન પાલીતાણા તરફથી જે કર લેવામાં આવે છે, તે કર શેઠ સાંતિદાશન વંશજો પાસેથી નહીં લેવા સરકારને ઠરાવ છે. માટે જેઓ મજકુર શેઠ સાંતિદાશના વંશજો થાવાને દાવો રાખતા હોય તેમણે આજથી ત્રણ માસની અંદર વંશાવળીની ખરી નકલ સાથે અમારી હજુરમાં પિતાની હકીકત લખીતવાર જાહેર કરવી. મુદત વીતે કોઈને દાવો સાંભળવામાં આવશે નહીં “તારીખ ૨૭ મી માહે માર્ચ સને ૧૮૮૨, મુ. કુડા એચ. એલ. નટ, મેજર “આકટીંગ ફર્સ્ટ આસીસ્ટન્ટ પોલીટીકલ એજન્ટ, પ્રાંત ગહેલવાડ” (દફતર નં. ૧૨, ફાઈલ નં. ૭) એક જાણવા જે પત્ર અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે, તીર્થાધિરાજની યાત્રાને બહિષ્કાર કરવાને જૈન સંઘને Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ માટે અતિ વસ કહી શકાય એવે સમય ન આવે એટલા માટે, અગાઉથી જ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અને એ પ્રયત્ન ભારતના સર્વોચ્ચ રાજ્યશાસનકર્તા નામદાર વાઈસરોય અને ગવર્નર જનરલ સુધી પણ વિસ્તારવામાં આવ્યા હતા. આને એક પુરાવો કલકત્તાના એક વગદાર જૈન અગ્રણી તેમ જ સરકારમાન્ય નાગરિક બાબુ શ્રી રાયકુમારસિંઘએ, તા. ૨૪-૩-૧૯૨૬ ના રોજ, એટલે કે ૨ખેપાને કરાર પૂરે થાય તેના એક અઠવાડિયા અગાઉ, શેઠ આણંદજી કલ્યાણજીને લખેલા પત્રમાંના નિચેના લખાણ ઉપરથી પણ જાણી શકાય છે. તેઓએ લખ્યું હતું કે– “I am glad to inform you that today I have sent to the Private Secretary to His Excellency The Viceroy, Delhi, thirteen of the Printed Memorial Booklets containing as many signatures as could be obtained from Calcutta. ... ... ... I shall be glad to be of further assistance to you in this most vital matter in which I am deeply interested. Kindly let me know since what date the pilgrimage to the Hill will stop, as many people come to enquire this. અથ–“તમને એ જણાવતાં મને આનંદ થાય છે કે, આજે મેં મેમોરિયલની છપાયેલ પુસ્તિકાની તેર નકલ ઉપર કલકત્તામાંથી બની શકે તેટલી વધારે સહીઓ મેળવીને નામદાર વાઈસરાયના ખાનગી મંત્રીને દિલ્હી મોકલી આપેલ છે......આવી અત્યંત મહત્ત્વની બાબતમાં મને ઘણો ઊંડો રસ છે અને તેથી જે હું તમને વધારે મદદરૂપ થઈ શકું તે હું રાજી થઈશ. મહેરબાની કરીને ગિરિરાજની યાત્રા ક્યારથી બંધ થાય છે તેની મને જાણ કરશે, કારણ કે ઘણું લેકે તે અંગે પૂછપરછ કરવા આવે છે.” એ કહેવાની જરૂર નથી કે આ અને આવા જે કંઈ પ્રયતનો એ વખતે હાથ ધરવામાં આવ્યા હતા, તેનું મહત્તવ “પાણી પહેલાં પાળ બાંધવા” જેવી દૂર દેશી દાખવવા જેવું હતું. પણ, કમનસીબે, તેનું ધાર્યું પરિણામ ન આવ્યું અને છેવટે તા. ૧-૪-૧૯૨૬ થી યાત્રાને બહિષ્કાર જૈન સંઘે કરવો જ પો . મુંબઈના સંઘને રેષ | તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાના જૈન સંઘે, તા. ૧-૪-૧૯૨૬ના દિવસથી, કરેલ બહિષ્કારથી જેન સંધમાં તે અસાધારણ જાગૃતિ આવે એ સ્વાભાવિક હતું, પણ અસહકારના રૂપવાળા આ પ્રકરણે દેશની સામાન્ય જનતામાં પણ જે કુતૂહલ અને ઉત્સુક્તા જન્માવ્યાં હતાં, એના પડઘા તે અરસાનાં દેનિક, સાપ્તાહિક જેવાં જાહેર વર્તમાનપત્રોમાં પણ પડ્યા હતા. આવાં કેટલાંક વર્તમાનપત્રોનાં તે વખતના અંકે, પરમપૂજ્ય શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના જ્ઞાનભંડારમાં સચવાઈ રહ્યાં છે. સદભાગ્યે તે મને જેવા તથા ઉપયોગ કરવા મળેલ હોવાથી, એમાં આ પ્રકરણ અંગે છપાયેલ સમાચારો અને વિચારમાંથી કેટલાક અહીં સાભાર રજૂ કરવામાં આવે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે ૩૧૩ મુંબઈ સમાચાર મુંબઈના સુપ્રસિદ્ધ “ મુંબઈ સમાચાર” દેનિકના, બહિષ્કારની શરૂઆત થઈ તેના બીજા જ દિવસને, તા. ૨-૪-૧૯૨૬, શુક્રવારના અંકમાં, ધ્યાન ખેંચે એવાં અનેક મથાળાં સાથે, લખવામાં આવ્યું હતું કે – “જેનના પવિત્ર તીર્થ શત્રુંજય ઉપર ધાડ. “પાલીતાણું દરબારની દખલગીરીથી જૈનોની દુખાયેલી લાગણી. “ગઈ કાલે મુંબઈમાં તેઓએ પાડેલી હડતાલ અને કહાડેલું સરઘસ. બંધ રાખવામાં આવેલાં સંખ્યાબંધ બજારે. “લાલબાગમાં જેની મોટી જાહેર સભા. “જૈન જાત્રાળુઓની ગણતરી કરવાના કાઠિયાવાડ ખાતેના એ. જી. જી.ના હુકમ સામે વિરોધ. “સંતોષકારક ફડ થાય નહીં ત્યાં સુધી પાલીતાણે જાત્રાએ ન જવાને જેનોને આગ્રહ, “જઈનેના પવીત્ર શ્રી શેતરંજય તીરથના રક્ષણ માટે પાલીતાણ દરબારને જઈનેની પ્રતીનીધીરૂપે જાણીતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી દર વર્ષે ૨પાના રૂ. ૧૫૦૦૦ આપવાના બ્રીટીશ સરકારે ઠરાવી આપ્યા હતા અને તે માટે ૪૦ વરસને કરાર થયો હતો. આ કરારની મુદત તા. ૩૧-૩-૨૬ ના દિીને પુરી થઈ છે. પાલીતાણ દરબાર આ કરાર હવે લંબાવવા અને મંજૂર રાખવા માંગતા નથી. પણ તે તીરથયાત્રાએ આવનાર દરેક જઈન દીઠ રૂ. ૨૫ ને મુંડકાવેરો લેવા માંગે છે. તે આ રીતે પાલીતાણા દરબારના અધીકાર હેઠળ આવવા સામે જઈનોએ પ્રોટેસ્ટ ઉઠા છે. તેઓ પોતાને બાદશાહ અકબરના વખતથી મળતા આવેલા હકે તથા છેલ્લે તે દરબાર સાથે થયેલા કરારો મંજુર રખાવવા માગે છે. તેમ જ જે પાલીતાણા દરબાર છેવટ સુધી કાંઈ પણ સમજુતી પર આવવા ના પાડે તે. જઈનેએ પાલીતાણાની જાત્રાએ સુધાં ન જવું, પણ આવી રીતને મુંડકાવેરે તો ન જ ભરવો એવી ચળવળ ઉપાડી લીધી છે. આ વિષયમાં ગામેગામ પ્રોટેસ્ટ સભાઓ ભરીને તેઓ દ્વારા પશ્ચીમ હીંદના દેશી રાજ્યોના ના ગવરનર-જનરલના એજન્ટ ના, એ. જી. જી. વોટસન તથા ના વાઈસરોય ઉપર સંખ્યાબંધ અરજીઓ તથા તારે મોકલવામાં આવતા રહ્યા છે. તથા આ સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણની પેઢી તરફથી જે સૂચનાઓ કરવામાં આવે તે મુજબ વરતવા સરવે જઈને કબુલ થવાનું જણાતું રહ્યું છે. “ આ બાબતમાં જઈને ભાઈઓની ગમે તેટલી અરજીઓ અને પ્રોટેટો છતાં પણ નામદાર ગવરનર જનરલના કાઠીઆવાડ ખાતેના એજન્ટ મી. વોટસને પાલીતાણે જાત્રાએ જતા જઈન જાત્રાળુઓની ગણતરી કરવા માટે પાલીતાણા દરબારને સત્તા આપવાને વચગાળાને હુકમ કહાડ્યો છે તેની સામે વિરોધ કરવા તથા તેથી જઈન ભાઈઓની દુખાયેલી લાગણી જાહેર કરવા માટે મુંબઈના જ ઈન ભાઈઓએ ગયા ગુરૂવારના દિવસે પોતાનું કામકાજ અને ધંધાપો બંધ કરી હડતાળ પાડી શોકમાં ગાળ્યો હતો. શ્રી મુંબઈ જઈને સ્વયંસેવક મંડળ તરફથી બહાર પાડવામાં આવેલા હેડબિલમાં કરવામાં આવેલી અરજ મુજબ ગઈ કાલે સવારે ૭ ક. ૩૦ મી - પાયધુની ખાતેના ગોડીજીનાં દેરાસર પાસેથી જઈને ભાઈઓનું એક સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં ધણા જઈને ભાઈઓએ ભાગ લીધા હતા. સરઘસ ૪૦ Page #373 -------------------------------------------------------------------------- ________________ શેઠ ૦ ૩૦ની પેઢીના ઇતિહાસ વગેરે લત્તાઓમાં ફરીને પાંજરાપેાળ ખાતેના જઈનેાના લાલબાગમાં આવી પુગ્યું હતું. “ શ્રી શતરૂ ંજય તીરથને લગતા સવાલના સંબંધમાં જઈનાની દુભાયલી લાગણી જાહેર કરવા માટે તમામ જઈન ભાઈઓએ પોતાનું કામકાજ અંધ રાખી હડતાળ પાડી હતી એટલું જ નહીં પણ તેઓની તરફ સહાનુભુતી દેખાડવા માટે મુંબઈનાં જુદાં જુદાં વેપારી બજારાએ પણ પોતાનું કામકાજ બંધ રાખવાના અથવા ઘણાં જ અગત્યનાં કામકાજ માટે ફક્ત થોડા વખત જ તે ઉઘાડા રાખવાના ઠરાવ કર્યા હતા. ૩૪ ... ... “ માટી જાહેર સભા-સરઘસ જુદા જુદા લતામાં કરીને બરાબર નવ વાગે ભુલેશ્વર ઉપરના લાલબાગમાં આવી પુગ્યું હતુ. જ્યાં જઈનેાની એક મેટી સભા ભરવામાં આવી હતી. (શ્રી એધવજી ધનજી સેાલીસીટરના પ્રમુખપદે મળેલી સભામાં નીચે મુજબ ત્રણ) ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. ... ... ... “ઠરાવ પહેલા—શ્રી મુંબઈના સમસ્ત જઈન બની આજની જાહેર સભા વેસ્ટન ઇંડીઓ સ્ટેટસ રાજકોટના એજટ ટુ ધી વરનર જનરલના પાલીતાણાની જાત્રા સંબધી કરેલા વચગાળાના હુકમ તરફ પોતાના સખત અણુગમા તથા વાંધા જાહેર કરે છે અને થયેલા અન્યાય માટે કરી વીચાર કરી જઈનેની લાગણીઓને સતાષવા વીનંતી કરે છે. ’’ “ ઠરાવ બીજોતા. ૧ લી એપ્રીલથી પાલીતાણે યાત્રાએ જનાર યાત્રાળુઓની ગણત્રી કરવાના જે અધીકાર નામદાર એ. જી. જી. સાહેબે નામદાર પાલીતાણા ઢાકાર સાહેબને આપેલ છે તે જઈન ક્રામના સ્વમાનને હીણું લગાડનાર તથા યાત્રાળુઓને હેરાનગતી પહેાંચાડનાર હૈાવાથી શ્રી મુંબઈના સમસ્ત જઈન બ་એની આ જાહેર સભા ઠરાવ કરે છે કે જ્યાં સુધી છેવટના સંતાષકારક નીરણય ન થાય ત્યાં સુધી પાલીતાણા યાત્રાએ જવાનું બંધ કરવું, ' ત્રીજો ઠરાવ આ ઠરાવની નકલ એજન્ટ ટુ ધી ગવરનર જનરલ તથા નામદાર વાઈસરાય ઉપર તથા શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢી ઉપર માકલી આપવા સંબંધી હતા. તે પછી પોતાના છેવટના ભાષણમાં પ્રમુખશ્રીએ કહ્યુ` હતુ` કે— “ અત્યારે આવા કટોકટીના સમયમાં આણુંજી ( કલ્યાણુજી )ની પેઢી સામે કાઈ પણ ફરીઆદ કરવી જોઈએ નહી. હું અત્યારે સહુને ચેતવણી આપું છું કે પેઢીને કઢંગી સ્થીતીમાં મુકવામાં આવે તેવુ કાઈએ ખાલવુ જોઈએ નહી. પાલીતાણાની જાત્રા કરવી એ જઈનાના જન્મસીદ્ધ હક છે. ...હવે વખત એવા આવશે કે જ્યારે દરેક જઈન યુવક અને જઈન આગેવાને પેાતાના જન્મસીદ્ધ હકને માટે સત્યાગ્રહ કરી પાલીતાણાની જેલયાત્રાનેા અનુભવ લેવેા પડશે. ” ( પ્રમુખના ઉપસંહારનું આ કથન “ મુ`બઈ સમાચાર ” ઉપરાંત “ સાંજ વમાન”ના આધારે અહીં નોંધ્યુ છે. ) “ સાંજ વત માન ” મુંબઈના જૈન સ ́ધના વિરાધના આવા જ વિસ્તૃત અહેવાલ મુબઈના “ સાંજ વતમાન ” દૈનિકના તા. ૧–૪–૧૯૨૬ ના અંકમાં છપાયા હતા. એને અહી રજૂ કરીને આ બાબતનુ` પુનરાવર્તન કરવાની જરૂર નથી; પણ આ પ્રકરણ અંગે જૈન સંધને જાહેર જનતા અને વર્તમાનપત્રોએ પણ કેવા સાથ Page #374 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાયાના કરો ૩૧૫ આપ્યા હતા, તેને ખ્યાલ આવી શકે એટલા માટે એ અહેવાલનાં મથાળાં અહીં નોંધવાં ઠીક લાગે છે, જે આ પ્રમાણે છે— “ આજે મુંબઈના જૈનાની હડતાળ. ” “ બંધ રહેલાં વેપારી બજારા. ’ Page #375 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ કની પેઢીના ઇતિહાસ તીર્થની પવિત્રતા અને સ્વાધિનતાનું આજે મૂળ ગુમાવાશે તેા પછી યાત્રા શાની કરશેા ?' · આ ધર્મ સંકટનુ` સૌંપૂર્ણ નિવારણ કરવું હેાય તેા સંઘમાં ઘેર ઘેર ઉપવાસ, આય ખીલાદિકની મહાન તપશ્ચર્યાં ઉજવે’ ૩૧૬ માની ૩૧મી અને ચૈત્ર વદી ૨ ને બુધવારની રાત્રી સુધીમાં પાલીતાણા ખાલી કરે. ' એકેએક ધર્મશાળાને તાળાં વાગી જવાં જોઈએ. ’ હૃદયદુઃખ, અશાંતિ અને ‘આખા હિંદના સમસ્ત જૈનાને આ ધર્મસંકટથી થતા અસાધારણુ ગભરાટના સાક્ષાત્કારરૂપે એપ્રીલ ૧ લી યાને ચૈત્ર વદ ૩ ગુારની અને દુનિયાના ચારે ખુણાઓમાં જૈનનાં ધાર્મિક દુઃખાના કારાના ચમકારા પ્રગટવા જોઈએ. (? ) ભાસી જવા જોઇએ "" ૬ સૌરાષ્ટ્ર ’ રાણપુરથી પ્રગટ થતાં રાષ્ટ્રીય સાપ્તાહિક ‘સૌરાષ્ટ્ર ’નેા તા. ૪-૪-૧૯૨૬ના અંક શત્રુ ંજયના ખાસ વધારા' નામે બહાર પડયો હતા. એ પત્રના ખબરપત્રીએ તા. ૩૧-૩-૧૯૨૬ના રાજ યાત્રાબહિષ્કારની ચળવળને જે આંખે દેખ્યા અહેવાલ આપ્યા હતા, તે પણ જાણવા જેવા છે. એણે લખ્યુ હતું કે— સૂનસાન શત્રુ ંજય : મૂંડકાવેરાનાં મઉંડાણુ ! નિ ન પાલીતાણા : જૈનેનેા અડગ અસહકાર : લેાકલાગણીની પરાકાષ્ટા. સત્ર શેક અને રોષની લાગણી : પાલીતાણા રાજ્યની દુરાગ્રહી મનેાદશા. - પાલીતાણા. તા. ૩૧-૩-૨૬ : ચામાસાના ધાધમાર વર્ષાદ પછી જેમ માર માર કરતા નદીના પ્રવાહ આગળ ધપે, તેમ એક પખવાડીઆથી પાલીતાણા ઉપર યાત્રાળુઓનું જાણે પૂર ફરી વળ્યું હતું. ભાવનગર રેલ્વેએ ખાસ ટ્રેન દોડાવી હતી અને મદ્રાસ અને બંગાળ, પંજાબ અને મારવાડ-એ સૌ દેશના શ્રદ્ધાળુ સ્ત્રીએ અને પુરૂષ, બાળક અને વૃદ્ધો તા. ૧-૪-૨૬ પહેલાં શ્રી સિદ્ધાચળ તીર્થાધિરાજની યાત્રાની પાછળ ઘેલા બન્યા હતા. આજે છેલ્લા દહાડા હતા. આવતી કાલથી યાત્રા બંધ થવાની છે એટલે આજે તા ટ્રેન લગભગ ખાલી હતી. માંડ માંડ ૧૫-૨૦ યાત્રાળુઓ હશે. તે પણ બધા સાંજે પાછા ચાલ્યા જવાના. શિહાર સ્ટેશને—સ્વયંસેવકના પટ્ટા પહેરેલા જૈન જુવાનીઆએ ચોતરફ આંટા મારી રહ્યા છે. “ જેનેએ યાત્રા બંધ કરવી જોઈએ. કૃપા કરીને એકત્રીશમીની સાંજે પાલીતાણા ખાલી કરજો. ’’ વગેરે આજીજીએ કરી રહ્યા છે. યાત્રાળુઓની લાગણીમાં ના પાર નથી. ‘ યાત્રા બ`ધ ' એ એમને મન મૃત્યુ જેવુ લાગે છે ! પણ રાજાની ગુલામી સ્વીકારી લેવી એ વાત એમને એથીયે વિશેષ શરમ ભરેલી છે એવી સ્વયં સેવાની લીલા તેએ માન્ય રાખે છે. ’ ' એ જ ખબરપત્રી તા. ૧-૪-૨૪ ના રાજ સમાચાર આપે છે કે— · આ તળાટી ? ગઈ કાલે સાંજે પણ અમે તળાટી જોઈ હતી. આજે પણ અમે તળાટી જોઈ. એ ખદબદતી માનવતા કાં અને આજની આ સુનસાન સ્થિતિ કયાં ? લાડવા વેંચવાની આખી પ્રવૃત્તિ બંધ છે. કાઈ માણુસનું મેઢું-વેચનારાનુ કે લેનારાનુ ત્યાં નથી. પાણીની પરખેા નથી કે નાસ્તાની દુકાને નથી. નથી મજૂર કે નથી ડાલીવાળા. પેલી ફૂલ વેચનાર માલા નથી. તળાટીમાં આખી ભૂમિ Page #376 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરારે ૩૧૭ આજે ખાવા ધાય છે. સેગન ખાવા એક મનુષ્ય નથી. યાત્રિક કે યાત્રિક ઉપર નભતે કઈ માનવી 'બ આજે નથી દેખાતા. પાલીતાણાની આજ્ઞા સામે શાંત અસહકાર કરતે પ્રત્યેક માનવ આજે તળાટી છોડી ગયો છે. ઉડે છે કાગડા આજે— થતું . • • • પણ અહીં આ બીજુ કાંઈક છે. પીળા ડગલાવાળા પાલીતાણ રાજ્યના સીકકા ધરાવનાર ચાર પિલિસો અમને જોઈને પિતાના પટ્ટા સમારતા તૈયાર થઈ ગયા. ત્રણ બીજા પટાવાળા જેવા માણસ અને એક ટીકીટ કલેકટર આટલા માણસો કઈ ભૂખ્યું જાનવર શિકારની રાહ જોતું બેઠું હોય તેમ આખો ફાડી બેઠા હતા. પણ અમે તે એમનું ખાજ હતા. અમે મૂંડકાવેરે આપવાવાળા નહીં, અમે તે પાસવાળા. “કેમ ભાઈ, મૂંડકાવેરાવાળી કેટલી ટીકીટ ચેક કરી?” “એક પણ નહીં. ” “ આવી અમારા જેવી કેટલીક ?” “ આ તમે લાવો છો એ જ.” રાજયે નાખેલે મુંડકાવેર આમ નાસીપાસ થતા હતા. તેથી જાણે શરમાતા હોય તેમ એ લેકે બીચાર જાણે પ્રાર્થના કરતા હોય ને “કઈ આવે–અમારા રાજ્યની આબરૂ બચાવ.” રાજ્યભક્તિ તરફ સહાનુભૂતિનું એક મિત ફેંકયું અને ચાલ્યા ! ચડવું શરૂ કર્યું–ડુંગરના થોડાં પગથી ચડ્યા. હજી તળાટીના માણસો અમારી નજરે પડતા હતા. અમે માનવસમુદાયની દૃષ્ટિમર્યાદામાં હતા. એ સ્થિતિ ન ટકી. ચઢાવ અને વળાવ પછી તળાટી દેખાતી બંધ થઈ. અમારી એકલતા અમને સાલવા લાગી. નથી ઉપર કોઈ દેખાતું, નથી નીચે કોઈ દેખાતું. બધું મનુષ્યહીન સૂનસાન લાગે છે. અમે નજર કર્યા જ કરીએ-લાંબી લાંબી નજરથી દેટ મૂક્યા જ કરીએ; પણ માનવબર દેખાય જ નહીં. ” અંગ્રેજી દૈનિકાને સાથ સમય જતાં, યાત્રા-બહિષ્કારની આ લડતે જેમ એક બાજુ મક્કમતા પ્રાપ્ત કરી તેમ, બીજી બાજુ, જણે એ નાની સરખી રાષ્ટ્રીય લડત હોય એવી વ્યાપકતા પણ એણે પ્રાપ્ત કરી હતી, એ વાતની પ્રતીતિ એ હકીકત ઉપરથી પણ થાય છે કે, આ લડત અંગેના સમાચાર, વિચારો અને લેખે મુંબઈનાં 24*210 l — The Times of India', 'The Bombay Cronical', 3413tal Englishman” તથા અલાહાબાદના “Pioneer” જેવાં દૈનિકેમાં પણ છપાયા હતા, એટલું જ નહીં પણ, લંડનથી પ્રગટ થતાં “The Times” નામના દૈનિકમાં પણ આ પ્રકરણ સંબંધી લેખ છપાય હતે. જૈન સંઘની નારાજગી પાલીતાણાના દરબારશ્રીએ કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલને આ રોપા બાબતમાં, તા. ૧૪-૯-૧૯૨૫ ના રોજ, જે અરજી કરી હતી, તેને જવાબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી તા. ૨૩-૪-૧૯૨૬ ના રોજ આપવામાં આવ્યું તે દરમ્યાન કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસને, તા. ૨૫-૩-૧૯૨૬ ના રોજ, વચગાળાને હુકમ આપીને પાલીતાણાના દરબારશ્રીને યાત્રિકોની સંખ્યાની નોંધ કરવાની છૂટ આપી હતી, તે સામે પણ જૈન સંઘે ઘણું જ નારાજગી દર્શાવી હતી. Page #377 -------------------------------------------------------------------------- ________________ રોડ આ કની પેઢીના ઇતિહાસ આબૂમાં મુલાકાત અને મિ, વેટસનના ફેસલે પેઢી તરફથી પેાતાને જવાબ મળ્યા પછી મિ. વેટસને પાલીતાણાના દરખારશ્રીના પ્રતિનિધિ તથા જૈન સંઘના પ્રતિનિધિઓને, આખૂમાં સરકીટ હાઉસમાં, તા. ૨૧-૬-૧૯૨૬ ના રાજ, મુલાકાત આપીને બંનેને પોતપોતાની અરજીઓના સમર્થનમાં જે કંઈ કહેવાનું હતું તે રજૂ કરવાની તક આપી હતી. આ પછી, તા. ૧૨-૭–૧૯૨૬ના રાજ, મિ. વેટસને આ બાબતમાં પોતાના સવિસ્તર ફેસલા આપ્યા હતા અને એ ફેંસલામાં ખાસ જોગવાઈ એ કરવામાં આવી હતી કે, જૈન સહધે, દસ વર્ષ સુધી, પાલીતાણા રાજ્યને વાર્ષિક રૂપિયા એક લાખ આપવા અને દસ વર્ષ બાદ, કેવી પરિસ્થિતિ થશે અથવા કયા પક્ષે શું કરવું અથવા તેા મહાસત્તાએ (બ્રિટીશ હકૂમતે) એમાં ફેરફાર કરવા દરમ્યાનગીરી કરવી કે કે નહીં, એ અ’ગે કોઈ પણ જાતના નિર્દેશ કર્યા સિવાય, પાલીતાણા રાજ્યને, કલ કીટીજે આપેલા ફે’સલા મુજબ, યાત્રિકા પાસેથી મુંડકાવેરા ઉધરાવવાની છૂટ આપી હતી. જૈન સઘના રાષ ૧૮ આવા ફૈસલા જૈન સંઘને માન્ય બને એ કાઈ રીતે શકય ન હતું, એટલે ફેંસલાની સામે ઉગ્ર રાષની લાગણી જૈન સંધમાં વધારે વ્યાપક બની. પરિણામે યાત્રા-બહિષ્કારની લડત પણ મક્કમતાવાળી બની, વોટસન પેાતાના શબ્દો પાછા ખેચે છે મિ. વાટસને પેાતાના આ ફે'સલાના ચોથા પેરેગ્રાફમાં, જૈન સમાજના પૈસાથી પ્રભાવિત થઈને વર્તમાનપત્રોએ જેનાની તરફેણમાં પેાતાના સાથ અને સહકાર આપ્યા હતા તે અંગે, આ પ્રમાણે આક્ષેપ કર્યો હતા—‹ subsidised presumably by the wealth which distinguishes the Jains an intensive propaganda in their interests has been carried on in several newspapers disigned to prejudice the issues and to bring press upon the British authorities who have to decide the question. અ. જૈનાને વિશિષ્ટતા અપાવતી એમની સંપત્તિથી, માના કે પૂરક સહાય મેળવીને, કેટલાંય વમાનપત્રોએ તેઓની તરફેણમાં જે ઘનિષ્ટ પ્રચારકાર્ય હાથ ધર્યું હતું, તેના હેતુ જેમને આ પ્રશ્નના નિવેડા લાવવાના છે, તે બ્રિટીશ હકૂમત ઉપર દબાણ લાવવા માટેના મુદ્દા અંગે પૂર્વ ગ્રહ ઊભા કરવાના હતા. ’ પણ પછી એમને પેાતાના આ આક્ષેપનુ ગેરવાજખીપણુ. સમજાયુ. હાય એમ, એમણે પોતાના હુકમના ચોથા પેરેગ્રાફમાંના ઉપર ટાંકેલ વિધાનમાંથી "subsidised presumably by the wealth which distinguishes the Jains ' એ શબ્દો કમી કર્યાની જાહેરાત કાઠિયાવાડના એક્ટિંગ એજન્ટ ટુ ધી ગવર્નીર જનરલ લેફ્ટનન્ટ કલ એ. ડી. મેક`નની સહીથી કરાવી હતી, એ ઉપરથી લાગે છે. મિ. સી. સી. વેટસનને પાછા ખેંચી લેવા પડેલા આ શબ્દો પણ એમને જૈના પ્રત્યે કેવા અણગમા હતા એનું સૂચન કરે છે. અને વચગાળાના હુકમમાં તથા પેાતાના ફેંસલામાં એમણે જૈન સંઘને જે આદેશ આપ્યા હતા અને પાલીતાણાના દરબારશ્રીને, એમની માગણી મુજબ વર્તવાની જે માકળાશ કરી Page #378 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા ૨ાજ્ય સાથે થયેલા રખેપાના કરારે ૩૧૯ આપી હતી, તે ઉપરથી એ સ્પષ્ટ જોઈ શકાતું હતું કે, તેઓ જૈન સંઘ પ્રત્યે કેવી કઠોરતાની અને પાલીતાણાના દરબારશ્રી પ્રત્યે કેવી કુણશની લાગણી ધરાવતા હતા. આ બીના એમના તટસ્થ નહીં પણ એકતરફી વલણની જ સાક્ષી પૂરતી હતી. પણ એમનું આવું જૈન સંઘ વિરોધી વલણ અને વર્તન જૈન સંધને માટે. આડકતરી રીતે, એવું લાભકારક પુરવાર થયું હતું કે, એથી જૈન સંઘના યાત્રા-બહિષ્કારના પગલાને અને એ માટેની એકતા તથા દૃઢતાને ઘણું જ બળ મળ્યું હતું. જન સંઘે આપમેળે સ્વીકારેલ યાત્રા-ત્યાગ કે અસરકારક હતું, એ જાણવાનું એક સબળ સાધન તળાટીમાં યાત્રિકોને આપવામાં આવતા ભાતા સંબંધી તથા બીજી માહિતી મેળવવાનું હતું. એટલે પેઢીએ અમદાવાદથી આ અંગે જે પૂછપરછ કરી હતી, તેને જે જવાબ ભાતા ખાતાના ગુમાસ્તા તથા પેઢીના મુનીમ તરફથી મળ્યો હતો, તે નીચે મુજબ હતો “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી “પાલીતાણું તા. ૧૭–૩–૧૯૨૬ “શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણુજી પાલીતાણા આ “વિ. વિ. તલાટીએ ભાતું વેશનાર ગું. છગનલાલ આણંદજીની નમ્રતાપુર્વક અરજ છે કે આજ રોજ તલાટીએ ભાતું લઈ જતા જાત્રાળું નહીં હોવાથી ભાતું વપરાણું નથી એ જ વીનંતી. તા. ૧૫-૭–૨૬, અશોડ સુદ ૫ ગરૂવાર. “દ. ગુ. છગનલાલ આણંદજી” “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી “પાલીતાણું તા. ૧૭–-૧૮૨૬ “શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ વી. વી. કે શ્રી. ૫. શેત્રુંજય ડુંગર ઉપર રામપોળની બારીએ ત્થા બાવળવાળા કુડે દરબાર તરફથી જે રાવટીઓ ઉભી કરી હતી તે આજ રોજ નીચે ઉતારી લઈ ગયેલા છે. રામપોળની બારીએ ત્થા ઈંગારશા પીરની બારીએ પાસ જેનાર દરબારી માણસ બેઠા નથી. રામપોળની બારી બહાર હનુમાન ધારાથી ઉગમણી બાજુએ છે. દરબારી છાપરૂ છે. તે ઠેકાણે દરબારી કારકુન જીલુભા નામે છે તેમના સિવાય બીજે કાઈ નથી. - “આજે સાંજના છ વાગ્યા સુધીની ઉપર પ્રમાણે હકીક્ત છે. એજ વિનંતી. તે. સદર હરિલાલ કી. મહેતા મુનીમ પાલીતાણા Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શેઠ આઠ ક0ની પેઢીને ઇતિહાસ સ્થાનિક પ્રતિનિધિઓ તથા અગ્રણીઓની સભા આ પ્રમાણેને હુકમ જાણ્યા પછી જૈન સંઘ માટે તે હવે એક જ માર્ગ ખુલે રહેતા હતા અને તે યાત્રા બહિષ્કારની લડતને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાને. આ માટે સૌથી પહેલું કામ પેઢીએ જૈન સંધની મીટીંગ બોલાવીને શ્રીસંઘમાં અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું હતું. આ માટે, તા. ૨૧–૯–૧૯૨૬ ના રોજ, નીચે મુજબ પત્ર લખીને, પેઢીના સ્થાનિક પ્રતિનિધિઓ તથા બીજા જૈન સંભાવિત ગૃહસ્થની એક સભા, તા. ૨૭-૭–૧૯૨૬ ના રોજ, અમદાવાદમાં, બેલાવવામાં આવી હતી– અમદાવાદ, તા. ૨૧-~૧૯૨૬. વિ. વિ. કે શ્રી શત્રુંજ્યના રખોપા સંબંધીને ચુકાદો આવી ગયો છે તે બાબત ઘણી જ મહત્વની અને ખાસ વિચાર કરવા લાયક હોઈ પેઢીના સ્થાનિક પ્રતિનિધિ સાહેબ તથા દેશના બીજા સંભાવિત ગૃહસ્થાની એક સભા શ્રી અમદાવાદ મુકામે તા. ૨૭–૭–૧૯૨૬, સંવત ૧૯૮૨ ના અશાડ વદ ૩ ને વાર મેના રોજ મળશે. આ સભામાં કેટલાક મહત્ત્વના સવાલને નિર્ણય કરવાને છે માટે આપ સાહેબ આ પ્રસંગ ઉપર જરૂર પધારશે. આપના તરફના જાણીતા ગૃહસ્થાને આમંત્રણો તે મોકલ્યાં છે છતાં કોઈ અજાણતા રહી ગયાં હોય તે તેમને આપની સાથે લાવવા વિનંતિ છે. એ જ, “(Sd.) B. G. K. “(સહી) સારાભાઈ ડાહ્યાભાઈ (સહી) ચુનીલાલ ભગુભાઈ વહીવટદાર-પ્રતિનિધિઓ” આ સભામાં પણ ત્રણ ઉપરાંત સગૃહસ્થોએ હાજરી આપી હતી અને આ પ્રસંગે સભાના પ્રમુખપદેથી શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ જે ભાષણ કર્યું હતું તે, પરિસ્થિતિની સચેટ રજૂઆત કરવા સાથે, જૈન સંધના વર્તમાન ધર્મ-કર્તવ્ય તરફ આંગળી ચીંધે એવું અને સંધની એકતા અને શક્તિમાં બળ પૂરે એવું હતું, એટલે એમનું એ આખું વક્તવ્ય અહીં રજૂ કરવું ઉચિત લાગે છે, જે આ પ્રમાણે છે– પ્રમુખશ્રીનું વક્તવ્ય પ્રતિનિધિ સાહેબે અને બંધુઓ, ગયા ડિસેમ્બર માસમાં આપ સૌ અત્રે પધારેલા ત્યારે ચાલુ સાલના માર્ચ માસની આખરે પૂરા થતા ચાલીસ વરસના રખેપા સંબંધી તેમ જ શ્રી શત્રુંજય ઉપરને આપણું હકસંરક્ષણ માટે આપણે વિચાર કરેલો. તે વખતે એવી સ્થિતિ હતી કે પાલીતાણા દરબારે પશ્ચિમ હિંદ સ્ટેટસના એજન્ટ ટુ ધી ગવરનર સાહેબને રખોપાના પૂરા થતા ઠરાવ સંબંધમાં અરજી કરેલી અને તે અરજીની નકલ, રીતસર આપણને, આપણે જવાબ વાળવાને માટે, આપવી જોઈએ તે આપવા એજન્ટ સાહેબે ના પાડેલી. તે ઉપરથી મુંબાઈ ઇલાકાના ગવર્નર સાહેબની મુલાકાત લેવામાં આવેલી અને આ બાબતમાં તેમની મદદ અને દિલસોજીથી હિંદુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ રીડીંગ સાહેબને બધી વાતથી વાકેફ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આપણું કાઉન્સેલ સર સેતલવાડ સાથે રાજકોટ મુકામે એજન્ટ સાહેબને મલી પાલીતાણા દરબારની અરજીની નકલ પૂરી પાડવાનું કહેવામાં આવતાં, કેઈ પણ પક્ષના હકને વાંધા સિવાય, નકલ Page #380 -------------------------------------------------------------------------- ________________ પલીયાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાશે આપવામાં આવી હતી. અને તેને જવાબ એક માસમાં એટલે તા. ૨૫ મી માર્ચે આપવા કબૂલેલું. આ રીતે કબૂલાત આપતી વખતે એવો બિલકુલ ખ્યાલ ન હતો કે પાલીતાણું દરબાર પિતાની અરજીમાં ખેપા સિવાયના બીજા સવાલ વિસ્તારપૂર્વક ચર્ચશે. અરજીમાં તેમ કરવામાં આવેલું હેઈ જવાબ આપવા માટે વધુ વખતની માંગણી કરવામાં આવેલી હતી, પણ તેના પ્રત્યુત્તરમાં એજન્ટ સાહેબે એવું જણાવેલું કે, ચાલીસ વરસને ઠરાવ તા. ૧ લી એપ્રીલે પૂરો થતે હેઈ, ત્યાર બાદ પોતે એક જ શરતે સુત લંબાવી આપવાને કબૂલ છે અને તે એ જ કે, આપણે આપણે જવાબ વાલીએ અને તેનું નિરાકરણ તેઓ સાહેબ આપે ત્યાં સુધી હરકેઈ યાત્રી રૂ. ૨ને માથાવેરે ભરી યાત્રા કરી શકે. આ બાબતમાં ઘણી જાતની જનાઓ તેમના આગળ રજૂ કરવામાં આવી હતી, પણ તેમાંની એકે કબૂલ ન રાખતાં છેવટે તેમણે એવું જાહેર કર્યું કે યાત્રીની ગણતરી તે કરવામાં આવશે જ અને બન્ને પક્ષની આ બાબતની સુણાવણું થયા પછી પોતે જે નિર્ણય આપશે તદનુસાર અમલ કરવામાં આવશે. તેમના આ નિર્ણયને વિચાર કરવા તા. ૩૦ મી માર્ચ લગભગમાં પ્રતિનિધિ સાહેબની એક સભા બોલાવવામાં આવેલી અને તેમની આગળ આ વાત રજૂ કરવામાં આવેલી તે આપ સૌકોઈને વિદિત છે. આ નિર્ણય આપતાં પહેલાં જેનેની ધાર્મિક લાગણીને કેટલું દુઃખ થશે તેને એજન્ટ સાહેબે જરા પણ વિચાર કર્યો હોય તેમ લાગતું નથી. આપણું કાઉન્સેલે ટૂંક મુદતને માટે પણ તેમના આગળ જે જુદી જુદી યોજનાઓ રજૂ કરેલી તે કેવળ એ જ દયેયથી કે જેનેની યાત્રામાં ખલેલ ન પડે અને બન્ને પક્ષને સાંભળી આ બાબતમાં જ્યાં સુધી એજન્ટ સાહેબે પૂરો વિચાર કર્યો નથી ત્યાં સુધી બંને પક્ષની સમાનતા સચવાઈ રહે. જ્યારે તેમને આ નિર્ણય જેન કામની જાહેરાતમાં મૂકવામાં આવ્યો ત્યારે જેન કામના ગૌરવ અને માનને તે છે કે પેહચાડતે હોઈ હિંદુસ્તાનના જુદા જુદા ભાગે માં વસતા જૈનેએ એકીઅવાજે, કેઈના કહ્યા કહેવરાવ્યા વિના, યાત્રા-ત્યાગ કરવાનું વિષમ પગલું ગ્રહણ કીધું. અને તે આજ સુધી એવી અકયતાથી જાળવી રાખ્યું છે કે એક જૈન બચાએ પણ પાલીતાણું કયાં છે તેની તરફ નજર કીધી નથી. આ કઠિન પગલું જેને માટે કેટલું દુઃખદાયી છે, તે તે ધાર્મિક માણસ જ સમજી શકે. આ સ્થિતિને જેમ બને તેમ જલદી અંત લાવવાની ખાતર આપણું કાઉન્સેલે આપણે જવાબ તૈયાર કરી એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ સાહેબ તરફ મોકલી આપ્યો. તે જવાબ એટલે તે સચોટ રીતે વાળવામાં આવેલો હતો કે ફક્ત જૈન બંધુઓને આપણી લડત શા માટે છે તેની જેટલી ખાતરી હતી, તેથી વધુ ખાત્રી અન્ય કામના કેટલાક, જેમનું એમ માનવું હતું કે આપણે ખેટે ઝઘડો લેઈ બેઠા છીએ, તેમને અને હિંદુસ્તાનની દરેક કામને થઈ. જે કોઈ વર્તમાનપત્ર આપણી લડત સમજવા તેના મુદ્દા તપાસવા પ્રયત્ન કર્યો છે, તેની ખાત્રી થઈ છે કે આપણી લડત તદ્દન સાચી અને કેવળ ન્યાયન રસ્તે જ છે, અને તેથી જ કરીને તેમણે આપણને સબળ ટેકે આપેલ છે. મારી જાણમાં કે વાંચવામાં એક પણ પત્ર આવ્યું નથી કે જેમાં પાલીતાણું દરબારે અખત્યાર કરેલી નીતિ સામે સખ્ત વિરોધ * દર્શાવવામાં આવ્યો હોય નહીં. ત્યાર બાદ તા. ૨૧ મી જૂને બન્ને પક્ષના કેસની સુણાવણી કરવામાં આવી. ઘડી ઘડી એમ કહેવામાં આવે છે કે, પાલીતાણુ દરબાર પાલીતાણાના પરગણા માટે સર્વોપરી સત્તા ધરાવનાર છે. જો તેમ જ હોય તો આવી જાતની સર્વોપરી સત્તાને એક કેમના પ્રતિનિધિઓની સામે પિતાના મુદ્દાઓ પુરવાર કરવાને પક્ષ તરીકે બોલાવી શકાય જ નહિ. પણ આપ સૌ જાણે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શેઠ ૦ કની પેઢીના ઇતિહાસ કે આબૂ મુકામે તેમને એક પક્ષકાર તરીકે ઊભા રહેવુ. પડયું અને તે જ ચોખ્ખી રીતે બતાવી આપે છે કે તેમના અને જૈનેના સંબંધ એક સત્તાધારી સત્તાને અને તેમની પ્રજા વચ્ચેતા નથી, પરંતુ ખે પક્ષકારો વચ્ચે થયેલા કરારના એક પક્ષકાર તરીકેના છે. વળી દરબારના વકીલે સ્પષ્ટ રીતે કબૂલ કરેલુ હેાવા છતાં એજન્ટ સાહેબે એવી તા દૂર ંદેશી ચલાવી છે કે દશ વરસ બાદ શું સ્થિતિ હશે તે પોતે કલ્પી શકે તેમ નહીં હેાવાથી, ત્યાર બાદ સાર્વભામ સત્તાએ વચ્ચે પડી આ સવાલના નિર્ણય લાવવા કે જૈનાને દરબારના શરણે સોંપી દેવા તે તે વખતના રાજ્યાધિકારી ઉપર મૂકયુ છે, અર્થાત્ એજન્ટ સાહેબના અભિપ્રાય પ્રમાણે જેમ બને તેમ જલદી જૈનાને પાલીતાણા દરબારને શરણે કરવાથી આ સવાલને વહેલા ફડચેા આવશે તેમ તેમનું માનવુ જણાય છે. સામાન્ય રીતે એક અગ્રેજ અમલદાર આવા પ્રકારના ન્યાય આપશે અને તે પણ મુ`ડકાવેરાના હિમાયતી બનશે તે ભાગ્યે જ કલ્પી શકાય તેમ છે. અને છતાં, આપ જાણેા છે કે, આ ફેંસલેા સીવીલ સીસમાં ઘડાયેલા એક અનુભવી અમલદારે આપ્યા છે. ઉપર જણાવ્યા મુજબ વે1ટસન સાહેબને જૈનાની ધાર્મિક લાગણીનેા ભાગ્યે જ ખ્યાલ હૈાય તેમ લાગે છે. જો આ જગ્યાએ કાઈ ચુસ્ત હિંદુ, મુસલમાન કે ક્રિશ્ચિયન હોત તેા તે સહેજે સમજી શકત કે આહાર, નિદ્રા અને પાણી મનુષ્યનું જીવન ટકાવવા જેટલાં જરૂરી છે, તેટલા જ પ્રમાણમાં ધાર્મિક જૈનેાને યાત્રા એ એક અંગભૂત જરૂરિયાત છે. આ સિવાય વોટસન સાહેબે જ્યારથી એડ-ઇન્ટરીમ ( વચગાળાના ) એર બહાર પાડયો છે, ત્યારથી કેટલા કેટલા જૈના શું શું તપશ્ચર્યા કરી દુઃખ વેઠી રહ્યા છે, તેનેા પણ તેમણે ભાગ્યે જ ખ્યાલ કર્યાં હાય તેમ જણાય છે. આ ઉપરથી તાત્પર્ય એટલુ જ છે કે જ્યાં સુધી જૈનાએ પેાતાનું એકતાબળ બતાવ્યુ નથી, ત્યાં સુધી તેમને સંપૂર્ણ ન્યાય મળવા મુશ્કેલ છે. વધુમાં મિ. વેટસન સાહેબની પાસે ફક્ત રખાપાના સવાલના જ નિર્ણય કરવાની બાબત હતી, અને તે પોતે પોતાના ચુકાદામાં એક કરતાં વધુ વખત જણાવે છે કે, રખાપા સિવાય બીજી બાબતમાં ઊતરવા હું માગતા નથી; છતાં પોતાના ચુકાદાના પોણા ભાગમાં હકૂ મતના સવાલ ચર્ચવામાં આવ્યા છે, તેમાં પોતે એવા અભિપ્રાય જણાવે છે કે બ્રિટીશ અને હિંદુસ્તાનના અન્ય દેશી રાજયામાં વસતા જૈને અને પાલીતાણા દરબારની જૈન પ્રા વચ્ચે કાઈ પણ જાતના તફાવત છેજ નહીં. આપણી આગળ હમણાં વેટસન સાહેબના ચુકાદાને સાર વાંચી સંભળાવવામાં આવશે તે ઉપરથી આપ જોઈ શકશે કે તે પોતે એટલે સુધી કહેવાને આગળ વધ્યા છે કે, એક ભારેમાં ભારે અન્યાય થાય અને તેવા અન્યાય સામે કાઈ પણ દેશી રાજ્યમાં વસતી કોઈ પણ પ્રશ્નને સર્વાપરી બ્રિટીશ સરકાર પાસે ન્યાય મેળવવાના હક છે, તેટલેા જ હક જૈનેાને માટે બસ છે. વોટસન સાહેબ ભૂલી ગયા જણાય છે અને ભૂલ્યા ન હોય તે આંખ આડા કાન કર્યા જણાય છે કે, તેરમા સૈકા સુધી તા પાલીતાણા દરબાર જેવી વસ્તુ જ શત્રુંજયમાં હતી નહી.. હવે હું ટૂંકમાં આપ આગળ મિ. વેટસને આપેલા ચુકાદાને ભાવાર્થ વાંચી સ’ભાવીશ, ચુકાદા પ્રમાણે શ્રી શત્રુ ંજય પર્યંતના સર્વોપરી હક્ક પાલીતાણા દરબારને છે. યાત્રાળુ પાસેથી કર લેવાના રાજ્યના હક્ક છે અને તેથી દશ વરસ સુધી જૈનાએ દર વરસે પાલીતાણા દરબારને એક લાખ રૂપૈઆ આપવા અથવા તેા રાજ્યે યાત્રાળુ પાસેથી રૂ. ૨ મુંડકાવેરા લેવેા. દશ વરસ પછી જો જરૂર પડશે તા બ્રિટીશ સરકાર વચ્ચે પડશે. આપ સર્વે જાણા છે કે અત્યાર સુધી આપણા તરફથી જે રકમ પાલીતાણા દરબારને મળતી તે ફક્ત રખાપાના બદલામાં મળતી. ડુંગર આપણા જ છે, તે ઉપર ખીન કાઈના હક્ક Page #382 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાર ૩૨૩ નથી, છતાં આપણા પુરાવાની, બાદશાહી સણની તેમ જ સિદ્ધ પુરાવાની મિ. વોટસને અવગણના કરી છે, જેની સામે વિરોધનો ઠરાવ આપની આગલ આજરોજ રજૂ થનાર છે. વધુમાં મિ. વોટસન જણાવે છે કે, જ્યાં સુધી એક દેશી રાજા પ્રજા ઉપર જીલ્મ ગુજરે નહિ ત્યાં સુધી બ્રિટીશ સરકારને તે રાજ્યના અંદરના કારભારમાં વચમાં પડવાની જરૂર નથી. સદરહુ ચુકાદે કેવળ એકતરફી છે, તેમ સૌ કોઈને લાગ્યા વિના રહેશે નહીં. આ સિવાય પ્રથમ જ્યારે પાલીતાણાની આસપાસ જંગલ હતાં ત્યારે રખાપાની રકમ આપવાની જરૂર હતી અને તેથી જ રૂ. ૧૫૦૦૦ આપવા આપણે કબૂલ કરેલું', પણ હવે તે વસ્તુસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે અને ઠેઠ સુધી રહ9 થયેલી હોવાથી રાજ્યને, મિ. વોટસન જણાવે છે તેમ, રખેપાનું કાંઈ ખર્ચ વધ્યું નથી, બલકે કાંઈક ધટેલું છે. આજ સુધી જનોએ જે અકય બતાવ્યું છે તેને માટે સૌકોઈને ધન્યવાદ ઘટે છે. અને મને ખાત્રી છે કે આ લડતના વિજ્યકંકા અર્થતાને લીધે જ લાગનાર છે. એજન્ટ સાહેબના આપણું વિરૂદ્ધના ફેંસલાથી : આપણે હિંમત હારી જવાની નથી. સત્ય, પ્રેમ અને લાગણીથી આપણે આપણું પુણ્યતીર્થભૂમિકાઓના પવિત્ર હકકના સંરક્ષણનું કામ સુગમ અને સરળ રતે કરે જવાનું છે. સત્યવચનીને પણ પ્રભુ સખ્ત કસોટીએ ચઢાવવામાં બાકી રાખતા નથી, એ તે હરિશ્ચંદ્ર જેવા મહાન સમર્થ નૃપના સંબંધે પણું બનેલું સાંભલ્યું છે. આપણું પ્રાચીન પવિત્ર તીર્થના રક્ષણની જવાબદારી સમસ્ત કેમને માથે છે. ધાર્મિક જૈન કેમને માટે આ કટોકટીને પ્રસંગ હાઈ આપણે એકત્ર થઈ સૌરાષ્ટ્રને પાવન કરનાર તીર્થની અને આપણું સલામતી માટે પગલાં લેવા જોઈએ, જેથી જૈન કેમની દરેકેદરેક વ્યક્તિ પિતાને ધર્મ બજાવવા, પ્રતિષ્ઠા અને ગૌરવ સાચવવા સજજ થાય. આવા ધર્મયુદ્ધમાં દરેક જેને પોતાને ફાળો આપ્યા વિના ચાલી શકે તેમ નથી. આપણી કોમમાં ઘણાએ સ્વાર્થ ત્યાગી માણસો છે, પણ તેમની મદદે સમસ્ત કેમ ન હોય તે તેમનું કામ સહેલાઈથી અને સરળતાથી થવું - અસંભવિત છે, જેથી આવા કસોટીના પ્રસંગે દરેક જૈન બંધુ એક બળથી સજજ થઈ દઢ આત્મનિશ્ચયથી આપણને રખોપા સંબંધી અને બીજી હકકની તકરાર સંબંધી સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી યાત્રાત્યાગ કરી પોતાને ફાળો આપે તેમાં જ આપણું શ્રેય છે. આ જ લડતમાં આપણાં ધર્મ, અર્થ, મોક્ષ, કામનો સમાવેશ થાય છે. જૈન સમાજ આપણી અક્ષતાની અપેક્ષા રાખે છે. આ જગતમાં માનવ જાતિના ઉદ્ધારની ખાતર-ધર્મની ખાતર–મારે એ જ ખરે ચિરંજીવી. આપણા હકનું સંરક્ષણ કરવામાં જ આપણું સ્વર્ગ સમાયેલું છે. હું વિરમું તે પહેલાં આપ દરેક જૈન બંધુને વીનવી એટલું માગી લઉં છું કે આજના પસાર થયેલા ઠરાવોને તમે સર્વાને અનુસરજે. આ સિવાય, હાલમાં, આપણા હકક-સંરક્ષણને પ્રશ્ન અતિ ગંભીર અને અગત્યને થઈ પડેલ હેઈ આપણા ભાઈઓ આપના કીમતી વિચારે દર્શાવી આપણું કાર્ય સંગમ અને સરળ બને તેવા હેતુથી આજની સંધની સભામાં ઘણે દૂરથી પધાર્યા છે, તેને માટે શેઠ આણંદજી કયાણુજની પેઢી તરફથી આપને સત્કાર કરતાં મને ઘણે જ આનંદ થાય છે, અને આપની સેવાબરદાસમાં કાંઈ પણ ત્રુટી હોય, તેને માટે હું અંતઃકરણથી આપ ભાઈઓની માફી ચાહું છું. ઠરાવો આ સભામાં આ પ્રકરણ અંગે વિસ્તારથી તેમ જ ઊંડાણથી ચર્ચા-વિચારણાને અંતે નીચે મુજબ સાત ઠરાવે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા Page #383 -------------------------------------------------------------------------- ________________ ફરકે શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ “૧. શ્રી શત્રુંજયના સંબંધમાં વેસ્ટર્ન ઈન્ડીઆ સ્ટેટસ એજન્સીના નામદાર ગવર્નર જનરલના એજન્ટ સાહેબે તા. ૧૨-૯-૧૯૨૬ ના રોજ આપેલ ચુકાદાથી જેના કામમાં ભારે દુઃખ અને અસંતેશ ફેલાયા છે કારણ કે તે ચુકાદો જૈન કેમના પરાપૂર્વથી સ્થાપિત અને માન્ય થયેલા હકેને તદ્દન ડુબાવનાર છે. અને તેથી સમગ્ર હીંદના જેન કેમના પ્રતિનિધિઓની આ સભા તે સામે પોતાને સખ્ત વિરોધ જાહેર કરે છે. અને તે ચુકાદે જૈન કેમને માન્ય નથી એમ જણાવે છે. ૨. આ સભા શેઠ આણંદજી કલ્યાણજીને આગ્રહ કરે છે કે તેમણે દરેક જૈનને ફરમાવવું કે જ્યાં સુધી આપણને આ રખેપાના સવાલ તેમજ પવિત્ર શત્રુંજયની બીજી ચાલતી તકરારના સબંધમાં પુરતે અને સંતોષકારક ન્યાય ન મળે ત્યાં સુધી કોઈ પણ જૈને પાલીતાણે યાત્રાએ જવું નહિ અને વધુમાં દરેક સંધને સુચવવું કે શ્રીસંઘની આ આજ્ઞાને ચુસ્ત રીતે અમલ કરાવવો. ૩, આ સભા સંવત ૧૯૮૨ ના શ્રાવણ સુદ ૭ ને રવિવાર તા. ૧૫-૮-૨૬ ને દીવસ આખા હિંદુસ્તાનમાં જેનોને માટે શાકને દીવસ જાહેર કરે છે. અને જેને તે દિવસે તપશ્ચર્યા કરવી, સભાઓ બેલાવવી અને શત્રુંજય સબંધી હાલની પરિસ્થીતિ સમજાવવી એમ ભલામણ કરે છે. ૪. આખા ભારતવર્ષમાં જેનોએ જે ઐક્ય અને આત્મસંયમ બતાવ્યા છે તે પ્રશંસાપાત્ર છે. અને આ સભા આશા રાખે છે કે આપણામાં ધર્મસંકટ અને મહાન કસોટીના સમયમાં તેવી જ રીતે ઐકય અને આત્મસંયમ છેવટ સુધી જાળવશે. પ. સર્વ પુજ્ય મુનિ મહારાજે તથા સાથીજી મહારાજને આ સભા વિનતિ કરે છે કે તેમણે પાલીતાણે યાત્રાએ ન જવા સર્વ જૈનને ઉપદેશ આપવો. . આ સભામાં થયેલ ઠરાવો પૈકી સંબંધ કરતા ઠરાવ મુંબાઈના નામદાર ગવર્નર સાહેબને ત્યા નામદાર વાયસરોય સાહેબ અને નામદાર સેક્રેટરી ઓફ સ્ટેટ ફેર ઇડીયાને મોકલાવવાની આ સભા શ્રીમાન પ્રમુખ સાહેબને સત્તા આપે છે. ૭. શ્રીમાન પ્રમુખ સાહેબે શાંતી અને કાર્યકુશળતાથી આજની સભાનું કાર્ય સંતોષકારક રીતે બજાવ્યું છે તે માટે આ સભા તેમને ઉપકાર માને છે.” ઉપરના તમામ ઠરાવે સર્વાનુમતે પસાર થયા હતા. શ્રીમાન પ્રમુખ સાહેબે જણાવ્યું કે દેશાવરથી પધારેલા સદ્ગુહાએ જે શ્રમ લીધો છે અને વખતનો ભોગ આપે છે તેમને માટે શેઠ આણંદજી કલ્યાણજીની કમીટી અને શ્રી અમદાવાદના સંધ તરથી અને મારી પોતાની તરફથી તેમનો આભાર માનવામાં આવે છે તેમ જ અહીંના સ્વયંસેવકે તરફથી શ્રીસંઘની વખતોવખત સારી સેવા બજાવાય છે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. લડતમાં વેગ આ સભા પછી યાત્રા-ત્યાગની લડત વધારે મજબૂત બની હતી અને શ્રીસંઘમાં આ લડતને સફળ બનાવવાનું એક પ્રકારનું પ્રેરક વાતાવરણ ઊભું થયું હતું. આ સભા સંબંધી કાર્યવાહીના અનુસંધાનમાં એ જાણવું ઉપયોગી અને રસપ્રદ થઈ પડશે કે, Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાયાના કરારો આ પ્રશ્નની વિચારણા કરવા માટે, જૈન સંધની જાણીતી સંસ્થા શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સે ' પણુ, સને ૧૯૨૬ના જુલાઈની ૭૧ મી તથા એગસ્ટની પહેલી, ખીજી તારીખેા–એમ ત્રણ દિવસે માટે, પેાતાનું ખાસ અધિવેશન કલકત્તાના સુપ્રસિદ્ધ અગ્રણી બાજી બહાદુરસિંહજી સિ`ઘીના પ્રમુખપદે મેલાવ્યું હતું. આને લીધે સ્વાભાવિક રીતે જ યાત્રાત્યાગની જૈન સાંધની લડતને વિશેષ બળ મળ્યુ હતુ અને એમાં વેગ આવ્યા હતા. ત્રણ પરિપત્રો અમદાવાદમાં શેઠ આણુંજી કલ્યાણજીની પેઢીના ઉપક્રમે મળેલ સભાની કાર્યવાહીથી આપણા પૂજ્ય શ્રમણુ સમુદાય, પૂજ્ય સાધ્વીજી મહારાજ અને સકળ જૈન ધને માહિતગાર કરવા માટે નીચે મુજબ ત્રણ પરિપત્ર શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સહીથી મેાકલવામાં આવ્યા હતા. (૧) પૂજ્ય મુનિમહારાજો અને સાધ્વીજી મહારાજને વિનતિ. હિદની સકળ જૈન સઘની સભાના ઠરાવ શ્રી શત્રુંજયની યાત્રા ત્યાગ, આ ઉપરથી અમે અમારા શમાદિ અનેક ગુણુગણાલંકૃત જંગમ તીર્થં સ્વરૂપ ધર્મધુરંધર પરમ પુજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરી તથા સાધ્વીજી મહારાજને અનેક વંદના સહીત વીદીત કરવાની રન લઈએ છીએ કે આપણા મહાન પવિત્ર તીથૅરાજ શ્રી શત્રુ ંજયના રખેાપા બાબતમાં હિંદુસ્થાનના પશ્ચિમ ભાગના દેશી રાજ્યાના નામદાર ગવર્નર જનરલના એજંટ મી. વેટસન સાહેબે આપણા શત્રુંજ્ય સબધિ પરાપુથી સ્થાપીત અને માન્ય થયેલા હકાને ડુબાવે તેવે ચુકાદો આપ્યાથી આખી જૈન કામમાં દુઃખ અને અસતાષની લાગણી ફેલાયેલી છે તેથી શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિઓ તથા સકળ હિંદના સ`ભાવિત ગૃહસ્થાની તા. ૨૭-૭-૧૯૨૬ ના રાજ અમદાવાદ મુકામે મળેલી સભાએ આ ચુકાદા સામે પેાતાના સખ્ત વિરોધ જાહેર કરી, તેમજ જૈન ામને માન્ય તે નથી એમ જણાવી સર્વાનુમતે એવા ઠરાવ કર્યો છે કે જ્યાંસુધી આપણને આ રખાષાના સવાલ તેમ જ પવિત્ર શત્રુંજયની ખીજી ચાલતી તકરારાના સંબંધમાં પુરતા અને સાષકારક ન્યાય ન મળે ત્યાં સુધી કાઈ પુર્ણ જૈને પાલીતાણે યાત્રાએ જવું નહી અને તેની સાથે એવા પણ ઠરાવ કર્યાં છે કે પુજ્ય મુનિ મહારાજો તથા સાધ્વીજી મહારાજને વીતિ કરવી કે તેમણે પાલીતાણે યાત્રાએ ન જવાના સર્વ જૈનને ઉપદેશ આપવા. આવા મહાન ધર્મસંકટના પ્રસંગે પેાતે શું કરવું અને શ્રી સંધ દ્વારા શું કરાવવું એ હકીકતથી સંપુર્ણ જ્ઞાત એવા આપશ્રીને અમારે વિનતિ કરવાપણું નથી છતાં પણ લાગણીને આધીન થઈને અમે આપશ્રીને વિનવીએ છીએ કે શ્રી સતધે કરેલા ઠરાવતા ગામેગામ અને શહેરૅશહેરના સકળ સંધ પાસે સૌંપૂર્ણ અમલ કરવાને ઉપદેશ આપવા કૃપા કરોા. (સહી) લી. સેવક કસ્તુરભાઈ લાલભાઈ ની ૧૦૦૮ વાર વના અવધારોાજી, Page #385 -------------------------------------------------------------------------- ________________ શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ (૨) જાહેર ખબર હિંદના સકલ જૈન સંઘની સભાને ઠરાવ, શ્રી શત્રુંજયની યાત્રા-ત્યાગ આ ઉપરથી સકળ હિંદના જૈન શ્વેતાંબર મૂર્તિપુજક ભાઈઓ અને બહેનને ખબર આપવામાં આવે છે કે આપણું મહાન પવિત્ર તીર્થરાજ શ્રી શત્રુંજયના રખોપા બાબતમાં હિંદુસ્તાનના પશ્ચિમ ભાગના દેશી રાજ્યના નામદાર ગવર્નર જનરલના એજન્ટ મી. ડેટસન સાહેબે આપણા શ્રી શત્રુંજય સંબંધિ પરાપૂર્વથી સ્થાપીત અને માન્ય થયેલા હાને ડુબાવે તેવો ચુકાદો આપ્યાથી આખી જૈન કેમમાં દુઃખ અને અસંતોષની લાગણી ફેલાયેલી છે તેથી શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિઓ તથા હિંદના સકળ સંઘના સંભવિત ગૃહસ્થોની તા. ૨૭–૭-૧૯૨૬ના રોજ અમદાવાદ મુકામે મળેલી સભાએ આ ચુકાદા સામે પિતાને સખ્ત વિરોધ જાહેર કરી તેમજ જેન કેમને તે માન્ય નથી એમ જણાવી સર્વાનુમતે એવો ઠરાવ કર્યો છે કે જ્યાં સુધી આપણને આ રોપાન સવાલ તેમજ પવિત્ર શત્રુંજયની બીજી ચાલતી તકરારના સંબંધમાં પુરતા અને સંતોષકારક ન્યાય ન મળે ત્યાં સુધી દરેક જૈનને ફરમાવવું કે પાલીતાણા યાત્રાએ જવું નહી, ઉપર પ્રમાણે યાત્રા ત્યાગના થયેલ ઠરાવ અનુસાર સ” ભાઈ ને જણાવવાનું કે આ શ્રી સંઘની પવિત્ર આજ્ઞાને પોતાની ધાર્મિક ફરજ સમજી બરાબર પોતપોતાના ગામોમાં પાળવી. અને પળાવવી અને આ ઠરાવનું પુરતી ચિવટથી પાલન થાય તેવું દરેક ગામના શ્રી - સંઘે ખાસ ધ્યાન રાખવું. કસ્તુરભાઈ લાલભાઈ પ્રમુખ આ સભામાં કરવામાં આવેલ ત્રીજા ઠરાવમાં જણાવ્યા મુજબ ૧૫ મી ઓગસ્ટને દિવસ શોક દિન તરીકે પાળવાને જૈન સંઘને અનુરોધ કરવા માટે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની સહીથી નીચે મુજબ પરિપત્ર પ્રગટ કરવામાં આવે તે– (૩) જાહેર ખબર હિંદુસ્તાનના સકળ જૈન સંઘની સભાને ઠરાવ તા. ૧૫-૮-૧૯૨૬ શેકને કરાવવામાં આવેલ દિવસ આથી સર્વે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓને ખબર આપવામાં આવે છે કે શ્રી શત્રુંજયની બાબતમાં શેઠ આણંદજી કલ્યાણજીના સ્થાનિક પ્રતિનિધિઓ તથા સકળ હિંદના સંભાવિત ગૃહસ્થાની સભા તા. ર૭––૧૯૨૬ ના રોજ અમદાવાદ મુકામે મળી હતી તેમાં ઠરાવવામાં આવ્યું છે કે તા. ૧૫-૮-૧૯૨૬ શ્રાવણ શુદિ ૭ રવિવારને દિવસ જેનોએ શોકના દિવસ તરીકે પાળ અને તે દિવસે તપશ્ચર્યા કરવી, સભાઓ બેલાવવી અને શત્રુંજય સંબંધિ હાલની પરિસ્થીતિ સમજાવવી. Page #386 -------------------------------------------------------------------------- ________________ પાંલીતાણા રાજ્ય સાથે થયેલા રખોપાના કરારે ३२७ ઉપરના ઠરાવ અનુસાર આપ આપના ગામમાં વ્યવસ્થા કરાવશે। અને સદરહુ ઠરાવનુ... બરાબર પાલન કરાવશેા. અમદાવાદ તા. ૭ ઓગષ્ટ ૧૯૨૬. પ્રમુખ. એ વાતની ગૌરવ અને હર્ષ પૂર્ણાંક નાંધ લેવી જોઈએ કે ૧૫ મી ઓગસ્ટના દિવસ શાકદિન તરીકે પાળવાના આદેશને સમરત જૈન સંધે ખુબ નિષ્ઠા અને ઉત્સાહપૂÖક અમલ કર્યો હતા, એટલુ જ નહીં, પણ કેટલાય સધાએ આને લગતા સ્વતંત્ર પરિપત્રો બહાર પાડીને આ આદેશને વધાવી લીધા હતા. આવા પરિપત્રો ખેરાળુ, માલેગાંવ, ભાવનગર, તળેગામ-દાભાડા, કલકત્તા જેવાં શહેરામાંથી પ્રગટ કરવામાં આવ્યા હતા. શ્રીસધ આ પ્રશ્ન અંગેની પેઢી હસ્તકની કાર્યવાહીથી સારી રીતે માહીતગાર થાય એટલા માટે એના તરફથી પ્રગટ કરવામાં આવેલ સાહિત્ય હિંદી ભાષામાં પણ છપાવવામાં આવતું હતું, કસ્તુરભાઈ લાલભઈ યાત્રાત્યાગના સાડા ચાર મહિના બાદ, તા. ૧૫-૮-૧૯૨૬ ના રાજ, આ પ્રશ્નની બાબતમાં, જૈન સંધમાં, કેવું લડાયક માનસ પ્રવતું હતું, તેનું પ્રતીતિકર પ્રતિબિંબ, એ શેાકદિનની ઉજવણી નિમિત્તે, તલેગામ દાભાડાના જૈન પાર્શ્વજિન ગુણુ મંડળ ” તરફથી પત્રિકારૂપે પ્રગટ કરીને વહેંચવામાં આવેલા નીચેના યુદ્ધગીત ઉપરથી પણ જાણી શકાય છે— CE નહી' નમશે અમે કરવાના અમે કરવાના, શતરૂ་જય સ્વાધિન કરવાના; નહી ડરવાના નહીં. ડરવાના, પશુબળ પેખી નહી ડરવાના. સીદ્ધાચળ પર અમ પ્રીતી છે, યમરાજની પણ નવ ભીતી છે; ગુણુ ગાઈ ઉરમાં ઠરવાના, શતરૂ’જય સ્વાધિન કરવાના. એ શાશ્વત તીરથ શાસ્ત્ર કહે, એથી ભવી જીવા મુક્તી લહે; એ તીરથ માટે મરવાના, શતરૂ་જય સ્વાધિન કરવાના. તીરથ કાજે અમ જીવન છે, એ વિણુ અમને ઘર પણ વન છે; મરતાં માતમ ન વીસરવાના, શતરૂ་જય સ્વાધિન કરવાનાં. શતરૂ`જય નામ જ પ્યારુંં છું, એ તીરથ નિત્ય અમારું છે; રગરગમાં ભક્તિ ભરવાના, શતરૂ`જય સ્વાધિન કરવાના. અમ તનમનધન અણુ કરશું, હક્ક સિદ્ધ થયા વીણ નવ ફરસું; સકટમાં ધીરજ ધરવાના, શતરૂજય સ્વાધિન કરવાના. વેટસનના ચુકાદા અન્યાયી છે, અન્યાયની સામે લડવાના, શતરૂ જય રે, કાણુ કહે એ ન્યાયી છે; સ્વાધિન કરવાના. Page #387 -------------------------------------------------------------------------- ________________ કલ અન્યાયને તામે નવ થાશે, યાત્રા કરવાને નવ બ્રુશે; દાદાને ધ્યાને તરવાના, શતરૂ་જય સ્વાધિન કરવાના. શેઠ આ કની પેઢીના પ્રતિભામ દીલમાં શ્રી આદીશ્વર સ્મરણું, શ્રીસ`ધની આણુા શીર ધરશું; ભક્તીથી શીવવધુ વરવાના, શતરૂ જય સ્વાધિન કરવાના. "3 આ યુદ્ધગીત, દેશની સ્વતંત્રતા માટેના શાંત અને અહિંસક સંગ્રામ વખતે રચાયેલ અને લેકજીભે ચડી ગયેલ “ નહીં નમશે, નહીં નમશે, નિશાન ભૂમિ ભારતનુ એ યુદ્ધગીતને ધ્યાનમાં રાખીને રચાયું હતું એ જોઈ શકાય છે. આ ગીતમાંની વેટસનના ચુકાદા અન્યાયી છે, રે, કાણુ કહે એ ન્યાયી છે ? ”—એ પક્તિ તો આખા સંધમાં, ઠેર ઠેર, ખૂબ પ્રચલિત થઈ ગઈ હતી. ભારત સરકારને દરમ્યાનગીરીની વિનતી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેટસનને આવે કેવળ પાલીતાણાના દરબારશ્રીની તરફેણ કરતા અને જૈન સોંધને સરાસર અન્યાય કરતા ચુકાદો જાણ્યા પછી, એની સામે ફરિયાદ કરવાનું તથા સંતાષકારક સમાધાન થાય એવું અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું, કેન્દ્રસ્થાન હવે દિલ્હી એટલે કે દિલ્હીની સરકાર જ બની ગયુ` હતુ`, એટલે, શરૂઆતમાં તે વખતના વેઈસરાય અને ગવર્નર જનરલ લા રીડિંગને આ કાર્યમાં દરમ્યાનગીરી કરવાની વિનતી જૈન સ`ઘ તરફથી કરવામાં આવી. પણ આ પ્રશ્નના તેઓના હાથે નિવેડા આવે તે પહેલાં જ તેમની બદલી થઈ અને તેમના સ્થાને લાડ ઈરવીન ભારતના વાઈસરાય અને ગવર્નર જનરલ નિમાયા, એટલે જૈન સંઘે આ માટે એમને વિનંતિ કરી. આ રીતે આ પ્રકરણ બહુ ઊંચી કક્ષાની વાટાઘાટાએ પહેાંચ્યું, અને છતાં એને તાત્કાલિક ઉકેલ આવે એવી પરિસ્થિતિ નિર્માણ થવી હજી બાકી હતી અને એમ ને એમ સમય વહેતા રહ્યો અને જૈન સંઘે સ્વયં ભૂ રીતે સ્વીકારેલ યાત્રા-બહિષ્કાર વધારે જોશપૂર્વક ચાલુ રહ્યો. અહિષ્કારના ત્રીજા વર્ષોના પ્રવેશની ઉજવણી આમ કરતાં કરતાં બે વર્ષ જેટલા લાંબા સમય વીતી ગયા અને યાત્રાના બહિષ્કાર શરૂ કર્યાં અનેા ત્રીજો વાર્ષિક વિસ, એટલે તા. ૧-૪-૧૯૨૮ ના દિન, પશુ આવી પહેાંચ્યા. ખીન્ન વર્ષની આ યાત્રા-બહિષ્કારની પૂર્ણાહુતિ નિમિત્તે જૈન સંધ આ લડત માટે વધુ જાગૃત થાય એવું પગલું ભરવું જરૂરી લાગવાથી, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સહીથી બે પરિપત્રો તૈયાર કરીને ઠેર ઠેર મેાકલવામાં આવ્યા હતા. એમાંના પહેલા પરિપત્ર પૂજ્ય સામુનિરાજોને સખાધીને લખવામાં આવ્યા હતા અને ખીજો પરિપત્ર શ્રીસ'ધને ઉદ્દેશીને, સાધુ મુનિરાજોને મેાકલવામાં આવેલ પરિપત્ર નીચે મુજબ હતા— “ જાવક નગર ૬૧૭ શ્રીમાન્— t યત સવિનય વિદિત કરવાનું કે સભાવિત ગ્રહસ્થાની સભાએ અર્થાત્ શ્રી (૧) અમદાવાદ તા. ૧૯ મી માહે મા સને ૧૯૨૮ શ્રી અનેક ગુણગણાલંકૃત પ્રાત:સ્મરણીય શ્રી શેઠ આણુંદજી કલ્યાણુજીના સ્થાનિક પ્રતિનિધિ તથા અન્ય સકળ સંઘે તા. ૨૭ મી જુલાઈ ૧૯૨૬ ના રાજ શ્રી શત્રુ ંજયની Page #388 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૩૯ યાત્રાત્યાગના ઠરાવ કરેલા તેને બે વર્ષ થયાં તે આપ મહાનુભાવાના જાણુવામાં છે. આ ઠરાવનુ" પિરપાલન અત્યાર સુધી ઘણી શાભાં આપે તેવી રીતે થઈ રહ્યુ છે તે આપ પૂજ્યેાના ઉપદેશનું પરિણામ છે એમ કહેવામાં આવે તા તે ખોટુ નથી. આપ સાહેખાને તા. ૨૬-૩-૧૯૨૭ ના અહીંના જાવક નંબર ૫૪૭ થી અમેએ વિનતિ કરેલી. તેવી જ રીતે આ વખતે પણ સંવત ૧૯૮૪ની ચૈત્રી પૂર્ણિમા પાસે આવે છે માટે આપ પૂજ્યેાને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપ જ્યાં જ્યાં બિરાજમાન હૈ! ત્યાંના અને વિહારમાં જે જે સ્થાનામાં ઉપદેશના પ્રસ`ગ આવે ત્યાંના સધાને ઉપદેશ દ્વારા યાત્રાત્યાગના ઠરાવને વધારે મજબૂત રીતે વળગી રહેવાની સૂચના આપવાની તસ્દી લેશેા. યાત્રાત્યાગ આપણા કાર્યની સિદ્ધિ માટે મીન ઉપાયેાની સાથે એક સંગીન ઉપાય છે તેટલા માટે આપ સર્વ ભાઈઓ અને બહેનને એના અવલમ્બનમાં અડગ રહેવા યોગ્ય ઉપદેશ આપશો કે જેથી સમય પાકતા આપણા કાની સિદ્ધિ આપણે મેળવી શકીએ. એ જ વિજ્ઞાપના. તા. સદર “ સાં. દે. * શ્રીસંધ જોગ માકલવામાં આવેલ પરિપત્ર નીચે પ્રમાણે હતા— જાવક નંબર ૬૧૬ ૬ શ્રી ગામ “ જોગ, “કસ્તુરભાઈ લાલભાઈ “ ની વંદના ૧૦૦૮ વાર અવધારશોજી. ’ ... (૨) “અમદાવાદ, તા. ૧૯ મી માહે મા સને ૧૯૨૮ ના સધ સમસ્ત tr • વિશેષ. જયજીનેન્દ્ર સાથ જણાવવાનુ` કે શ્રી પવિત્ર શત્રુજય તીર્થ સંબંધમાં પાલીતાણા દરબાર સ.મેના આપણા કૅસેટમાં કાઠીઆવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ સાહેબે આપણા વિરૂદ્ધ ઠરાવ આપતાં તે સામે આપણે નામદાર વાઈસરોય સાહેબને અપીલ કરેલી છે, તે અપીલના ચુકાદો હજી હાંસલ થયેલા નથી. દરમ્યાન જ્યાં સુધી સદરહુ કેસનુ" સતાષકારક પરિણામ ન આવે ત્યાં સુધી શ્રી સકળ સંઘે શ્રી શત્રુંજયની યાત્રા-ત્યાગના ઠરાવ કર્યો છે તે અનુસાર લગભગ બે વર્ષ સુધી યાત્રાત્યાગનું અવર્ણનીય દુઃખ પૂર્ણ સંયમથી સહન કરી તે ઠરાવને આખા હિંદુસ્તાનના આપણા સ` ભાઈઓએ અડગ રીતે વળગી રહી સદરહુ ઠરાવનુ" યથા” પાલન કર્યું છે એ હકીકત જૈન કામની સ્વમાનની લાગણી, શાન્તિપ્રિયતા અને ન્યાયપરાયણતા સ્વતઃ સિદ્ધ કરે છે; અને તે માટે આપણે અભિમાન લેવા જેવું છે, યાત્રાત્યાગનું આ સબળ શસ્ત્ર આપણા કાર્ય માટે એક અણુમાલુ સિદ્ધિનું સાધન છે. અને ધૈર્ય િ ખાતાં તેને તેવી જ અડગતાથી વળગી રહેશુ. તા તે આપણા કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં બીજી પ્રવૃત્તિઓની સાથે અવશ્ય મદરૂપ થશે. “ આવતી તારીખ ૧ લી એપ્રીલ એટલે સંવત્ ૧૯૮૪ ના ચૈત્ર સુદ ૧૨ ની મીતિ યાત્રાત્યાગના ત્રીજા વર્ષની શરૂઆતના દિવસ છે તથા તા. ૫ મી એપ્રિલના રાજ પવિત્ર ચૈત્રી પૂર્ણિમા છે. માટે તા. ૧ લી એપ્રીલના દિવસે સર્વાં સ્થળાના સ`ઘે.એ સભા ભરી યાત્રાત્યાગમાં અડગ રહેવા સવ ૪૨ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ બધુઓને સમજાવવું અને યાત્રાત્યાગમાં મક્કમ રહેવા ઠરાવ કરવા તેમ જ તે દિવસે અાજે (પાખી ) પાળી સર્વ ભાઈઓ અને બહેનોએ પિતાથી બનતા તપ સંયમ આદરવાને પ્રબન્ધ કરો. આપના તરફથી જે ઠરાવો કરવામાં આવે તે અત્રે જણાવતાં તેને યોગ્ય જાહેરાત આપી લાગતાવળગતા સ્થળે મોકલવા ગોઠવણ કરશે. તા. સદર કસ્તુરભાઈ લાલભાઈ ટીપ ૧. યાત્રાત્યાગમાં મમ રહેવા બાબતને કરાવ નીચેના સ્થળેએ એકલશે:૧. મે. વેસ્ટર્ન ઈન્ડીઆ ટસના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ સાહેબ, મુ. માઉન્ટ આબુ. ૨. નામદાર વાઈસરોય સાહેબના પ્રાઈવેટ સેક્રેટરી સાહેબ, મુ. દીલ્હી. “૩. નામદાર વાઈસરોય સાહેબના પિલીટીકલ સેક્રેટરી સાહેબ, મુ-દીલ્હી “૪. પિતાના પ્રાંતના એડમીનીસ્ટ્રેટીવ હેડ એટલે કે ગવર્નર સાહેબ, લેફ્ટનન્ટ ગવર્નર સાહેબ અને દેશી સ્વસ્થાનમાં મે. પોલીટીકલ એજન્ટ સાહેબ અગર રેસીડન્ટ સાહેબ. ૨. મુનિ મહારાજે સાહેબ ઉપરને આ સાથે પત્ર આપને ત્યાં બીરાજતા મુનિ મહારાજના નામ તેમાં લખી તેઓ સાહેબને આપશે, ૩. જે જે કરા થાય તે તમામની નક્કે જાહેર છાપામાં મોકલતાં એકેક પ્રત અમારા તરફ મોકલશે.” યાત્રાત્યાગના ત્રીજા વર્ષના પ્રવેશના પ્રસંગની ઉજવણી આ બાબતમાં જૈન સંઘને વિશેષ જાગૃત કરવાની દૃષ્ટિએ કરવામાં આવેલી. શેઠ આણંદજી કલ્યાણજની પેઢીની આ જાહેરાતને મુંબઈની શ્રી જેને શ્વેતાંબર કોન્ફરન્સ પણ, તા. ૨૧-૩-૧૯૨૮ ના રોજ, એક ખાસ પત્રિકા પ્રગટ કરીને વધાવી લીધી હતી. આ પત્રિકા કોન્ફરન્સના બે એકટીંગ રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ (૧) શેઠ શ્રી નગીનદાસ કરમચંદ અને (૨) શ્રી ચીનુભાઈ લાલભાઈ શેઠની તેમ જ શ્રી શત્રુંજય પ્રચાર કાર્ય સમિતિના છ સભ્ય (૧) શ્રી બાબુ કીર્તિપ્રસાદજી જૈન, (૨) શ્રી મણીલાલ વલભજી ઠારી, (૩) શ્રી મણીલાલ ખુશાલચંદ પરી, (૪) શ્રી દયાલચંદજી જોહરી, (૫) શ્રી હીરાલાલજી સુરાણું અને (૬) શ્રી પોપટલાલ રામચંદ્ર શાહ એમ આઠ અગ્રણીઓની સહીથી પ્રગટ કરવામાં આવી હતી, અને જૈન સંઘને ઉદ્દેશીને એમાં મુખ્યત્વે હાકલ કરવામાં આવી હતી કે-- “મહાન પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય સંબંધમાં જૈન કેમને થએલ મહા અન્યાય. શ્રી શત્રુંજયની યાત્રાત્યાગના ત્રીજા વર્ષને આરંભ. સકલ જૈન કેમનું મહાન કર્તવ્ય : યાત્રાત્યાગમાં મક્કમ દૃઢતા રાખે. અખિલ ભારતની જૈન કેમને નમ્ર વિજ્ઞપ્તિ ... ... જ્યાં સુધી આ મહાતીર્થને અંગે ન્યાયી અને સંતોષકારક પરિણામ મેળવી શકીએ નહીં ત્યાં સુધી મકકમતાથી યાત્રાત્યાગ ચાલુ રાખવો જોઈએ. તેમાં જ આપણો જય છે, અને આપણે પરમ તીર્થને ઉદ્ધાર છે. ... ... ... ... ...” Page #390 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર આ સહીઓમાં શ્રી મણિલાલ કોઠારીની પણ સહી છે. તેઓ તે વખતે ગાંધીજીની અહિંસક લડતના સૌરાષ્ટ્રના એક અગ્રણી હતા. આ બંને પરિપત્રોની અસર ખૂબ આવકારદાયક અને પ્રેરણાદાયક થઈ હતી. દેશમાં સર્વત્ર સમસ્ત શ્રીસંઘે યાત્રા-બહિષ્ક રને ત્રીજા વર્ષના પ્રવેશદિનને (તા. ૧-૪-૧૯૨૮ ના દિનને) ખૂબ ભાવનાપૂર્વક ઊજવ્યો હતો અને જાતજાતના ઠરાવ કરીને સ્થળે મોકલી આપ્યા હતા, તેમ જ તપસ્યાઓ પણ કરી હતી. બહિષ્કાર ચાલુ હોવાની જાહેરાત યાત્રા બહિષ્કારની લડત એ જેનેએ શરૂ કરેલ એક ધર્મયુદ્ધ જ હતું, એટલે ગેરસમજ, અફવાઓ કે બેટા પ્રચારને કારણે એમાં લેશ પણ શિથિલતા આવવા ન પામે એ માટે શ્રી સંધને સતત જાગ્રત રાખવાની તાતી જરૂર હતી. એટલે જ્યારે પણ આવું કંઈ ધ્યાનમાં આવે ત્યારે એનું સત્વર પરિમાર્જન કરવું અનિવાર્ય બની જતું હતું. આ લડત દરમ્યાન પાલીતાણું રાજ્યને, પાલીતાણું રાજ્યની પ્રજાને તેમ જ ખાસ કરીને પાલીતાણા શહેરના વતનીઓને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડયું હતું. એટલે પ્રજા તે એમ જ ઈચ્છતી હતી કે આ ઝઘડાને સત્વર અંત આવે. આવી જ કઈ વૃત્તિથી પ્રેરાઈને વગરની જાહેરાત કરવામાં આવી હતી કે હવે યાત્રા છૂટી થાય છે. આવી કઈ યાત્રા-બંધી ઊઠી જવાની અને યાત્રા શરૂ થવાની અફવા એટલા મોટા પ્રમાણમાં પ્રચલિત થઈ ગઈ હતી કે, શેઠ આણંદજી કલ્યાણજીની પાલીતાણા શાખાને પેઢીના મુખ્ય કાર્યાલયને, તા. ૨૨-૩-૧૯૨૮ ના રોજ, આ પ્રમાણે પત્ર લખીને, આને ખુલાસે પુછાવવાની ત્યાંના મુનીમ શ્રી હરિલાલ કી. મહેતાને ફરજ પડી હતી– “વિ. વિ. કે અહીં એવી અફવા ચાલી છે કે રોપાની રકમ નક્કી થઈ ગઈ છે અને તે ત્રીસ હજારથી પચીસ હજારની વચમાં છે અને નામદાર ઠાકોર સાહેબની સાલગીરા તા. ૨૬-૩-૨૮ એટલે ચૈત્ર સુદ ૫ ના રોજ આવે છે, તે પ્રસંગે, દર સાલના રિવાજ મુજબ, દરબાર ભરાશે તે વખતે તે વાત જાહેર થશે અને યાત્રા ખુલશે. “આ અફવામાં અમને કોઈ વજુદ જણાતું નથી. વળી આમાં કાંઈ સત્ય હેય તે કાંઈ પણ જાતને ઈશારે અમને આપની તરફથી પણ મળે જ, હું ધારું છું કે પ્રથમ જેમ દરબારે યાત્રાળુઓને અહીં આવવા લલચાવવા જેમ જાહેરાત - માફીની આપી હતી, એવા રૂપમાં આ સાલગીરાના દરબાર વખતે કદાપી એવી કાંઈ જાહેરાત આપે. પરંતુ આજ સુધી એ સંબંધિ અમારા જાણવામાં કાંઈ આવ્યું નથી.” એટલે આ અફવાને ઊગતી જ દાબી દેવા માટે પેઢી તરફથી તરત જ નીચે મુજબ જાહેરાત જન - સંઘમાં પ્રસારિત કરવામાં આવી હતી જાહેર ખબર શ્રી પવિત્ર શત્રુંજયની તકરારોનું સ્વ. પાલીતાણા સાથે સમાધાન થયું છે અને યાત્રા ખુલ્લી છે એમ કેઈના તરફથી અફવા ફેલાવવામાં આવ્યાનું જાણવામાં આવતાં આથી સર્વ જૈન ભાઈઓ તથા Page #391 -------------------------------------------------------------------------- ________________ ફિકર શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ બહેનોને જણાવવામાં આવે છે કે તે અફવા તદ્દન બીનપાયાદાર અને ખોટી છે. હજી તેવું કશું સમધાન થયું નથી અને તેથી જ્યાં સુધી સંતોષકારક સમાધાન ન થાય ત્યાં સુધી યાત્રાત્યાગમાં મક્કમ રહેવું ખાસ જરૂરનું છે. “શેઠ આણંદજી કલ્યાણજીની ઓફીસ. “પ્રતાપસિંહ મેહલાલભાઈ “અમદાવાદ, તા. ૨૩-૩-૨૮ વળી આ અરસામાં જ અમદાવાદના શ્રી જૈન રવયંસેવક મંડળ તરફથી પણ, તા. ૨૨-૩-૧૯૨૮ ના રેજ, નીચે મુજબ એક પત્રિકા પ્રગટ કરીને, જૈન સંઘને, આવી બિનપાયાદાર વાતને સાચી નહીં માનવાની ચેતવણી આપવામાં આવી હતી– સાવચેત રહેજે “સાવચેત રહેજે “ જાહેર સુચના બીનપાયાદાર અફવા “સ જૈન ભાઈઓને સુચના આપવામાં આવે છે કે આજ રાત્રે શ્રી શત્રુંજયની યાત્રા ઉઘડયાની અફવા સારા શહેરમાં ચાલી રહી છે પણ તે બીનપાયાદાર છે. તેવા કેઈ પણ જાતના સત્તાવાર સમાચાર શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને અત્યાર સુધી મલ્યા નથી. માટે જ્યાં સુધી શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી સત્તાવાર યાત્રા ખુલી થવાના સમાચાર લેખીત પ્રસિદ્ધ ના થાય ત્યાં સુધી કેઈએ યાત્રાએ જવું નહિ. અને યાત્રાત્યાગના ઠરાવનું મક્કમતાથી રક્ષણ કરવું.” - આ વખતમાં સમાધાન અંગેની અફવા કેટલી વ્યાપક બની હતી, તે મુંબઈના શ્રી કેશરીમલજી કિશનલાલજી બાગડિયાના, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદ ઉપરના, તા. ૨૮-૩-૧૯૨૮ ના પત્રમાંના નીચેના લખાણ ઉપરથી પણ જાણી શકાય છે. “ગઈ કાલે સવારમાં જવેરી બજારના દહેરે પુજા કરવા ગયો ત્યાં ... .. જે એક સારા વગદાર માણસ છે, તેઓ કેટલાક બીજા માણસો આગળ ઉપરની બાબતમાં નીચેની મતલબને સ્ટેટમેન્ટ કરતા. હતા: શત્રુંજયને વાંધાને નીકાલ, પાલીતાણું ઠાકર સાવ સાથે, ખાનગી મેલે થઈ ચુકયું છે અને તહનામા ને કાચ ખરડો પક્ષકારોની સમ્મતિથી તૈયાર કરી તેના ઉપર બન્ને તરફના પ્રતિનિધિઓએ સહી મુકી છે, તેમાં હવે પછીના ૪૦ વરસ માટેના જુના ધોરણ મુજબના કેલ કરાર કરવામાં આવ્યા છે અને વાર્ષિક રૂ. ૫૦૦૦૦૧ ની ૨કમ કર રૂપે ઠાકોરને આપવાની નકી થઈ છે. પણ જત્રા ચાલુ કરવા પુર્વે કેટલીક કારવાઈ થવાની છે તેમાં હજી ૧૫ દિવસ લાગશે. પાકે દસ્તાવેજ થયા પછી જાત્રા ચાલુ કરવા ઠરાવ બહાર પાડવામાં આવશે.' “આ પ્રમાણેની હકીકત સાંભલતાં જ મારા મનને આંચકે લાગે કે, જે થવું સ્વાભાવિક છે, કેમ કે આ પ્રમાણે ગોઠવણ તદન ગેરવાજબી અને અન્યાયી છે.” આ પત્રમાંની વાત એ હકીકત નહીં પણ કેવળ અફવારૂપ જ હતી, એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી, તા. ૨૫-૪-૧૯૨૬ ના રોજ, જા. નં. ૮૦૪ ના પત્રથી, નીચે મુજબ રદિયે. આપવામાં આવ્યો હતા— Page #392 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરા ૩૩૩ વિશેષમાં આપના તા. ૨૮-૩-૨૮ ના પત્ર શત્રુંજયના સમાધાન સંબંધમાં આવ્યો, તેના જવાબમાં લખવાનું કે–શ્રી શત્રુંજયના સમાધાન બાબતમાં આપે જે વાત સાંભળી છે તેમાં કાંઈ વજુદ નથી અને સમાધાન ભાંગી પડયું છે અને તેથી સર્વે એ યાત્રાત્યાગને વળગી રહેવાની જરૂર છે. તા. સદર.” << (નોંધ—શ્રી કેશરીમલજીના તા. ૨૮-૩-૨૮ ના પત્રનેા જવાબ, છેક તા. ૨૫-૪–૨૮ ના રાજ-એટલે મેડેથી—અપાયા, એનું કારણ એ હતું કે એ કાગળ શેઠશ્રી કસ્તુરભાઈ ઉપર ગયા હતા; અને એમની પાસેથી પેઢીને એ તા. ૧૮-૪–૨૮ ના રાજ મળ્યા હતા.) ત્રણ માર્ગ્રાની કામગીરી કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મિ. સૌ. સી. વેટસનના ચુકાદો આવી ગયા પછી જૈન સંધ માટે ત્રણ મેરચે સતત કામગીરી કરવાનું જરૂરી બની ગયું હતું: (૧) આ ચુકાદા સામે જૈન સઘનેા વિરાધ જાગતા રહે એવાં પગલાં ભરવાં. (૨) પાલીતાણા રાજ્ય સાથે માનભર્યું, વાજખી અને સાષકારક સમાધાન ન થાય ત્યાં સુધી શત્રુ ંજયની યાત્રાના બહિષ્કારમાં જરાય ખામી ન આવે એ માટે સતત જાગ્રત રહેવું. આ માટે જેમ દેશભરનાં જુદાં જુદાં સ્થાનામાં પ્રચાર ચાલુ રાખવામાં આવ્યેા હતેા, તેમ પાલીતાણામાં અને ખાસ કરીને શિહેાર સ્ટેશને સ્વયં સેવાની ટુકડીઓને ગાઢવીને એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે, કાઈ પણ યાત્રિક પાલીતાણા જાય નહીં અને જતા હોય તે એમને સમજાવીને ત્યાંથી પાછા વાળવા. અને (૩) આ માટે દિલ્હી સરકાર સાથે એટલે કે હિંદના ગવર્નર જનરલ તથા વાઈસરોય સાથે આ પ્રશ્નના ઉકેલ માટે શેઠ આણુ જી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ તથા જૈન સંધના અગ્રણીઓએ સતત સપર્કમાં રહીને પ્રયત્ન જારી રાખવા. સીમલામાં ત્રીપક્ષી બેઠક “ આ પ્રયત્ન દરમ્યાન નામદાર વાઈસરોય અને ગવર્નર જનરલ લોડ ઈરવીન સાથે શાશી વાત" ચીત અને વાટાધાટા થઈ, તેની કશી આધારભૂત માહિતી પેઢીના દફ્તરમાંથી મળી શકતી નથી, પશુ, એમ લાગે છે કે, આ વાટાઘાટા દરમ્યાન જૈન સંઘના આગેવાનો અને પેઢીના પ્રતિનિધિએ શત્રુંજય તીર્થં અંગે ઊભી થયેલ દુઃખદાયક અને યાત્રાના બહિષ્કાર સુધી આગળ વધેલી પરિસ્થિતિની રજૂઆત કરીને આ બાબતમાં સત્વર સમાધાન થવાની જરૂર છે, એટલી પ્રતીતિ એમને કરાવી શકયા હશે. આને પરિણામે પેઢીના પ્રતિનિધિએ, જૈન સ`ઘના અગ્રણીઓ, પાલીતાણાના નામદાર દરબાર બહાદુરસિંહજી વગેરેએ, પાતપેાતાના કાયદાના સલાહકારા સાથે, તા. ૨૨-૫-૧૯૨૮ ના રોજ, સિમલામાં નામદાર વાઇસરોય સમક્ષ હાજર થવુ એમ નક્કી થયું હતું, જે પેઢીના નીચેના સરક્યુલર ઉપરથી જાણી શકાય છે— “શ્રી પાલીતાણા કેસ માટે શ્રી સીમલે જવા માટે નિચે પ્રમાણે ઠરાવ તા. ૧૦-૫-૨૮ ની મીટીંગમાં થયા છે, એ ઠરાવ અન્વયે આપ સાહેબને વિદિત કરવાનું કે તા. ૧૭-૫-૧૯૨૮ ને ગુરૂવારના સ્હવારમાં મેઈલમાં શેઠ આણુ દૃષ્ટ કલ્યાણુજીની કમીટીના મેમ્બરા સીમલા તરફ સિધાવવાને નક્કી થયું છે, તેથી આપ પણ તે ટ્રેઈનમાં નીકળી આવવાના બંદોબસ્ત કરશેા. તા. ૧૬-૫-૨૮. “ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ k રોડ માણેકલાલ મનસુખભાઈ rush -1 U Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ દ “ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ વીલાયત ગયા છે “ શેડ પ્રતાપસિંહ મેહેાલાલભાઈ “શે. સારાભાઈ ડાહ્યાભાઈ “શેઠ અમરતલાલ કાળીદાસ “ રા. રા. વકીલ કેશવલાલ પ્રેમચંદ · રા. રા.સા. ભગુભાઈ ચુનીલાલ “રા. રા. શીવાભાઈ હરિલાલ સત્યવાદી તા. ૧૬-૫-૨૮ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ “ અમદાવાદ. “ સ્પેશ્યલ શત્રુંજય કમીટી ના. વાઈસરાય સાહેબની મુલાકાતે તા. ૨૨-૫-૧૯૨૮ ના રાજ સર સેતલવાડ સાહેબ સાથે સીમલે સમાધાન માટે જવાની છે અને આ બાબત મહત્ત્વની હાવાથી કન્સલ્ટેશન માટે આપણી કમીટીના દરેક મેમ્બર સાહેબાને ત્યાં આવવા માટે શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ મારફત કહેવરાવે છે, તા તેથી ઠરાવ કરવામાં આવે છે કે દરેક મેમ્બરે તા. ૨૨-૫-૨૮ પહેલાં સીમલા કન્સ ટેશન માટે પધારવુ, ’' સમાધાન સેવક “ બાલાભાઈ ગટાભાઈ તા. ૨૨-૫-૧૯૨૮ ના રાજ યાજવામાં આવેલ વાટાઘાટામાં ભાગ લેવા માટે પેઢીના નીચે મુજબ પાંચ વહીત્રટદાર પ્રતિનિધિએ—( ૧ ) નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ, ( ૨ ) શેઠ માણેકલાલ મનસુખભાઈ, ( - ) શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, ( ૪ ) શેઠ અમૃતલાલ કાળીદાસ અને ( ૫ ) શેઠ પ્રતાપસિ ંહ મેહેાલાલભાઈ ઉપરાંત છઠ્ઠા જૈન સંધના વગદાર અગ્રણી શેડ કીકાભાઈ પ્રેમચ’દ—એમ છ જૈન આગેવાના, પેાતાના કાયદાના બે સલાહકાર( ૧ ) શ્રી ચીમનલાલ હરિલાલ સેતલવાડ અને ( ૨ ) શ્રી ભુલાભાઈ જે. દેસાઈ સાથે—સમયસર સીમલા પહેાંચી ગયા હતા. CC એમ લાગે છે કે, જૈન સંઘના પ્રતિનિધિએ, પાલીતાણાના દરબાર શ્રી બહાદુરસિંહજી અને એ તેના સલાહકાર તેમ જ દિલ્હી સરકારના અમલદારા તથા નામદાર વાઈસરાય એ ત્રણેય પક્ષ વચ્ચે ત્રણ દિવસ સુધી થયેલી ત્રિપક્ષી વાટાઘાટાને અ`તે, એક સમાધાનના મુસદ્દો તૈયાર થઈ શકયો હતા. એટલે, તા. ૨૬-૫-૧૯૨૮ ના રાજ, હિ ંદના નામદાર વાઈસરાય અને ગવર્નર જનરલ લો ઈરવિનની હાજરીમાં, એ સમાધાનના મુસદ્દા ઉપર સહી-સિક્કા થયા હતા અને છવ્વીસ મહિના જેટલા લાંબા સમય સુધી ચાલેલ આ કલેશકારક અને દુઃખદ પ્રકરણના સુખદ અને સતાષકારક અંત આવ્યા હતા. આ સમાધાન થઈ ગયા પછી તરત જ નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણિભાઈએ એ વાતની શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદને જાણ કરતા નીચે મુજબ તાર કર્યા હતા— "Agreement signed today before Viceroy. All property rights secured. Page #394 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ઉ૫ Approach to agency against Thakore Sahebs executive orders secured. Sum fixed sixty thousand for thirthy five years. Yatra ofens first June. Inform all." અથ–“આજે, નામદાર ઈસરોયની હાજરીમાં, સમાધાન પર સહી-સિક્કા થઈ ગયા છે, મિલકતના હકકો મેળવી લેવામાં આવ્યા છે. ઠાકોર સાહેબના અમલ કરવાના આદેશાની સામે એજન્સી પાસે પહોંચવાનો અધિકાર મેળવ્યો છે. રકમ ૩૫ વર્ષ માટે વાર્ષિક રૂપિયા સાઈઠ હજાર નકકી કરવામાં આવેલ છે. યાત્રા ૧ લી જૂને ખૂલે છે. બધાને ખબર આપશે.” આ જ રીતે સિમલાથી શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ પણ પેઢીની પાલીતાણું શાખાને નીચે મુજબ તાર કરીને સમાધાનના સમાચાર આપ્યા હતા "All our matters settled amicably. Yatra will probably open first June. Perticulars posted.” અથ–બધાં મુદ્દાઓ અંગે સુલેહભર્યું સમાધાન કરવામાં આવ્યું છે અને યાત્રા, ઘણે ભાગે, પહેલી જૂને ઉઘડશે. વિગતે ટપાલમાં રવાના કરી છે.” આ તાર મળ્યા પછી પાલીતાણામાં હર્ષ અને ઉલ્લાસનું કેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું, તે પાલીતાણ પેઢીના મુનીમ શ્રી હરિલાલ કી. મહેતાને તા. ર૬-પ-૨૮ ના અમદાવાદની પેઢી ઉપરના કાગળમાંના નીચે મુજબના ઉદ્દગારોથી જાણી શકાય છે... . આ પ્રમાણે તાર અમને મળે છે જે વાંચી અનહદ ખુશી થઈ છે. જેવો તારવાળે તાર આપવા આભે તેવી જ વાત બધે પ્રસરવા માંડી અને ટોળેટોળા આપણી પેઢી ઉપર ખબર કાઢવા આવ્યા. વાત જાહેર થઈ અને અહીંના મહાજનના આગેવાનો. બારોટો થા બીજા ઘણા માણસો પેઢી આવ્યા અને ખુશાલીમાં સાકર વહેચી ગળ્યાં મેં કરાવ્યા તથા ગામને દેરે આંગી રચાવી છે.” આ સમાધાનની છેટલી વાટાઘાટે વખતે સમાધાન સમિતિના એક સભ્ય અને પેઢીના વહીવટદાર પ્રતિનિધિ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પરદેશ ગયેલા હતા. એમને જ્યારે આ સમાધાનના સમાચાર મળ્યા ત્યારે એમણે, પેરીસથી, તા. ૨૯-૫-૧૯૨૮ ના રોજ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદ ઉપર નીચે મુજબ તાર કર્યો હત– “Please tender my congratulations to Shrisangh for their firm stand which mainly contributed to satisfactory settlement.” અથS--“મહેરબાની કરીને સમસ્ત શ્રીસંઘને મારાં અભિનંદન આપશે, કે જેમના મક્કમ વલણે સંતોષકારક સમાધાન સાધવામાં મુખ્યત્વે ફાળો આપે છે.” આમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ યાત્રા-બહિષ્કારની લડતની સફળતાને યશ સમસ્ત શ્રીસંઘને આપે છે તે તેમની વિવેકદષ્ટિનું સૂચન કરે છે, એ કહેવાની જરૂર નથી. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ - શેક આ કરની પેઢીને ઇતિહાસ જૈન સંઘમાં વ્યાપેલ હર્ષોલ્લાસ જૈન સંઘને આ સમાધાન થયાની જાણ થતાં દેશભરમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતે. અને સમસ્ત સંઘે આ સમાધાનને પૂરા ઉમંગ અને ઉત્સાહથી વધાવી લઈને પિતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી, મીઠા મેં કર્યા હતાં અને આવી સફળતા માટે પેઢીને હાર્દિક અભિનંદન પણ આપ્યાં હતાં. આ સમાધાનને કારણે જૈન સંધમાં ખુશાલીની કેવી લાગણી પ્રસરી ગઈ હતી, એની થોડીક માહિતી આ ગ્રંથન ૨૪૨-૨૪૩ મા પાનામાં આપવામાં આવી છે, એટલે એની પુનરુકિત કરવાની અહીં જરૂર નથી. વિધ–અહીં એ વાતની નોંધ લેવી જોઈએ કે, આ સમાધાન મુજબ પાલીતાણું રાજ્યને દર વષે રખપા નિમિત્તે આપવાની થતી સાઈઠ હજાર જેટલી મોટી રકમની વાતને કઈક કાઈક સંસ્થાએ કે વ્યક્તિએ વિરોધ પણ કર્યો હતો જેમ કે કલકત્તાની “જૈન શ્વેતાંબર નવયુવક સમિતિ', અજમેરના શ્રી કેશરીમલજી ભાંડાવત, સિરોહીની જૈન દેરાસરની વ્યવસ્થાપક કમિટી, આગ્રા જૈન શ્રીસંઘ, મેઘરાજ પુસ્તક ભંડારના માલિક શ્રી લાલજી હીરજી શાહ, કેટાના દીવાન બહાદુર શ્રી કેસરીસિંહજી, શ્રી લાહોર જૈન સંઘ વગેરે. પણ આ વિરોધ કરનારની સંખ્યા નહિ જેવી જ હતી. * આ સમાધાન મુજબ ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રા તા. ૧-૬-૧૯૨૮ ના રોજથી શરૂ થવાની હતી. આ માટે અમદાવાદ, મુંબઈ તથા અન્ય સ્થાનમાંથી યાત્રિકે મોટી સંખ્યામાં પાલીતાણા જઈ શકે તે માટે જરૂરી પ્રચાર તથા રેવેની વધારાની સગવડનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યા હતા. અને , તા. ૧-૬-૧૯૨૮ ના રોજ, જ્યારે ભગવાનનાં પહેલવહેલાં દર્શન થાય ત્યારે, સુંદર આંગી સાથે એમનાં દર્શન કરી શકાય એટલા માટે, પાલીતાણાના શ્રીસંઘને, તા. ૩૧-૫-૧૯૨૮ ના રોજ, શ્રી આદીશ્વર ભગવાનને લાખેણી આંગી રચવાને આદેશ આપવામાં આવ્યો હતે. બે પ્રશંસનીય પગલાં આ પ્રકરણને સૌથી ઉજજવળ અને જૈન સંઘની ઉદારતા અને મૈત્રીભાવનાને ગૌરવ અપાવે એવો અંશ તો એ હતું કે, આ સમાધાન થયા પછી, બે ખૂબ પ્રશંસનીય પગલાં ભરવામાં આવ્યાં હતાં (૧) પાલીતાણાના દરબારશ્રીને આભાર માનત, તા. ૨૯-૫-૧૯૨૮ ના રોજ કરવામાં આવેલ તાર અને (૨) યાત્રાને મંગળ પ્રારંભ પાલીતાણાના દરબાર શ્રી બહાદુરસિંહજીના શુભ હાથે કરાવવાનો નિર્ણય. આભારનો તાર નીચે મુજબ કરવામાં આવ્યું હતું “To H. H. Thakore Saheb, Palitana “We are very grateful to Your Highness for the generous spirit shown in bringing about an amicable settlement to our mutual satisfaction of our long drawn out disput and pray that same generous spirit shall continue in our future relations. “Shree Sangh.” Page #396 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૩૩૭ અથ–“પ્રતિ, નેક નામદાર ઠાકોર સાહેબ, પાલીતાણા, આપણી વચ્ચે લાંબા વખત સુધી ચાલેલ ઝઘડાઓનું આપણને બંનેને સંતોષ થાય એવું સુલેહભર્યું સમાધાન કરાવવામાં આપશ્રીએ જે ઉદારતાની ભાવના દર્શાવી છે, તે માટે અમે આપના ખૂબ આભારી છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે એવી જ ઉદારતાની ભાવના આપણા ભવિષ્યના સંબંધોમાં પણ ચાલુ રહેશે. શ્રીસંઘ, 2) યાત્રાનો મંગળ પ્રારંભ ઓચ્છવ રંગ વધામણું ગિરિરાજને નામે આ યાત્રાને મંગળ પ્રારંભ પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબના હાથે થવાને હવા અંગેની જાહેરાત, પેઢી તરફથી, તા. ૨૮-૫-૧૯૨૮ ના રોજ, નીચે મુજબ કરીને સર્વત્ર એની જાણ કરવામાં આવી હતી અમદાવાદ તા. ૨૮-૫-૧૯૨૮ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જણાવવાનું કે શ્રી શત્રુંજયની બાબતમાં સંતોષકારક સમાધાની થઈ ગઈ છે તે જાણી આપ સર્વે ભાઈઓને હર્ષ થશે. આ સમાધાની પ્રમાણે શ્રી શત્રુંજયની યાત્રા તા. ૧ જન સને ૧૯૨૮ ના દીવસે ખેલવાની છે. આપણી વિનંતિથી પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ એ શુભ કિયા તે દીવસે કરશે તેથી હવે સર્વ ભાઈએ પાલીતાણે જાત્રા કરવા સારૂ પધારશો. “ઉપરની ખબર આપના ગામમાં તથા આજુબાજુના ગામમાં આપશે. (સહી) ભગુભાઈ ચુનીલાલ “વહીવટદાર પ્રતિનિધિ” - આ જાહેરાતને સમસ્ત શ્રીસંઘે ખૂબ આનંદ અને ઉલ્લાસથી વધાવી લીધી હતી; અને, દૂરથી તેમ જ નજીકથી, યાત્રા શરૂ થવાના મંગળ પ્રસંગે હાજર રહેવા માટે, સંખ્યાબંધ ભાવિકો સજજ થઈ ગયા હતા. અને તેઓ પાલીતાણું સમયસર અને સુખરૂપ પહોંચી શકે એ માટે, મુંબઈ, અમદાવાદ તથા અન્ય સ્થાનેથી રેવેની જરૂરી સગવડ સહેલાઈથી મળી જાય એવી ગોઠવણ તત્કાલ કરવામાં આવી હતી. આથી, તા. ૩૧-૫-૧૯૨૮ ના રોજ, પાલીતાણુ શહેરમાં જાણે માનવ-મહેરામણું હિલોળા લેવા હતો. આ પ્રસંગે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ પણ સમયસર પાલીતાણું પહેાંચી ગયા હતા. પરંતુ પેઢીના તે વખતના પ્રમુખ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણીભાઈ એ પ્રસંગે હાજર રહી શક્યા ન હતા. એટલે એમણે પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ ઉપર એક તાર કરીને પિતે આ પ્રસંગે હાજર રહી શકે એમ નથી એ માટે ક્ષમા માગી હતી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેમ જ જૈન સંઘના અન્ય આગેવાને મળીને આશરે પંદરેક વ્યક્તિઓના ઉતારાની વ્યવસ્થા કરવા દરબારશ્રીને વિનતિ કરી હતી. અગાઉ જાહેર થયા મુજબ, તા. ૧-૬–૧૯૨૮, વિ. સં. ૧૯૮૪, જેઠ સુદ તેરસ ને શુક્રવારના ૪૩ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ રોજ સવારમાં, ગિરિરાજની તળાટીનું વિશાળ પ્રાંગણ હજારે ભાવિક યાત્રિકથી સાંકડું બની ગયું હતું, અને એ પ્રસંગને અનુરૂપ મંગળાચરણ થયા પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વતી પાલીતાણુના દરબાર શ્રી બહાદુરસિંહજીને આવકાર આપતું, આ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય પેઢીના એક બાહોશ વહીવટદાર પ્રતિનિધિ શેઠશ્રી પ્રતાપસિંહ મહેતલાલભાઈએ નીચે મુજબ રજૂ કર્યું હતું– નામદાર ઠાકોર સાહેબ તથા અધિકારી મંડળ, “સ્વધર્મી બંધુઓ અને બહેને, “આજનો દિવસ ઘણે માંગલિક દિવસ છે. તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ રહેશે. પાલીતાણું રાજ્ય ને અમારે સંબંધ કાળજુને છે. ગમે તેવા કારણે આવે ને વિક્ષેપ પડે છતાં પણ તે કોઈ પણ રીતે તેડો તૂટે તેવો છે જ નહીં. પાલીતાણા રાજ્ય અને જેને કદી પણ છૂટા પડી શકશે નહીં. આપના જેવા વિશાળ હૃદયના રાજવીના શાસનકાળમાં તે સંબંધ ઘણે જ દઢ અને વિશેષ ગાઢ બને તે આશા અસ્થાને નથી. હાલમાં ચાલતા ઝગડાએ જે વિરાટ સ્વરૂપ પકડયું હતું, તેને સર્વને સંતોષકારક નિર્ણય આપની ઉદાર વૃત્તિનું જ પરિણામ છે. આપ નામદારના હૃદયની વિશાળતા ઘણી જ પ્રશસનીય છે ને તે અમને આશા રાખવા પ્રેરે છે કે આપના હાથે હંમેશાં યશસ્વી ને ઉજજવળ કાર્યો જ થયાં કરશે. નામદાર ઠાકોર સાહેબ, અમારી આપને આગ્રહપૂર્વક વિનંતિ છે કે પાછલે ઇતિહાસ ભૂલી જઈ આપ નો યુગ પ્રવર્તાવશે. આપની ઉદારતાથી આજને દિવસે લાખો સ્ત્રી-પુરુષોને અનહદ આનંદ થયે. છે. આજે હજારો સ્ત્રી-પુરુષ લાંબા વખતે તેમના પ્રાણુસ્વરૂપ પવિત્ર શત્રુંજયનાં દર્શન-પૂજનને અમૂલ્ય લ્હાવો લઈ રહ્યાં છે તે અથાગ પુણ્ય-ઉપાર્જનમાં આપ પણ ભાગીદાર છે. યાત્રાળુઓ યાત્રા કરવા ઘણાં જ ઉત્સુક થઈ રહ્યાં છે તેથી આપ નામદારને વધુ વખત ન લેતાં આપને શેઠ આણંદજી કલ્યાણજી તરફથી પ્રેમ વિનતિ કરવાની કે આપના સ્વમુખે યાત્રા ખૂલવાની વધાઈ જાહેર કરે ને પવિત્ર શત્રુંજય ઉપર ચડી શ્રી યુગાદિદેવના પ્રથમ દર્શનને અપૂર્વ ૯હાવો લેવામાં અમારા અગ્રેસર થાવ.” શેઠશ્રી પ્રતાપસિંહભાઈના ઉપર મુજબના વક્તવ્ય પછી પેઢીના બીજા વહીવટદાર પ્રતિનિધિ શેઠશ્રી અમૃતલાલ કાળીદાસે પાલીતાણું રાજ્ય અને જેને વચ્ચેના કાયમી અને એખલાસભર્યા સંબંધને ઉલેખ કરતાં “ડાંગે માર્યા પણ જુદાં ન પડે” એમ કહીને દુઃખદ ભૂતકાળને ભૂલી જઈને ઉદાર હૃદયથી કામ લેવાને અનુરોધ કર્યો હતે. આ પછી પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ શ્રીસંઘને સંબોધતાં લાગણીભીના શબ્દોમાં કહ્યું શ્રી સંઘના પ્રતિનિધિ ગૃહસ્થ, ભાવિક શ્રાવક-શ્રાવિકાઓ અને અન્ય ગૃહસ્થ, “તમારા આ મેટા સમુદાયને હું ભાવભરેલે આવકાર આપું છું. મેં રાજ્યની સત્તા હાથમાં લીધી ત્યારે હિંદુસ્થાનના દરેક ભાગમાંથી મારા પાટનગરમાં આવનાર યાત્રિકને મારા રાજ્યમાં વસતી પ્રજાની બરાબર ગણવાનું જાહેર કર્યું હતું. તે જ પ્રમાણે અમલ કરવાને મેં પ્રયત્ન કર્યો છે, યાત્રાળુઓની સગવડ માટે જે જે જરૂરનું જણાયું તે તે કરવામાં આવ્યું તે માટે આ જ Page #398 -------------------------------------------------------------------------- ________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૩૩૯ છે. પ્રભુએ જેમને સુખ-શાંતિ આપવાની મને તક આપી છે, તેમને અધિક અધિક સુખશાંતિ મળે, તે જળવાય અને તેમાં વધારા થતા જાય તેમાં મને મળેલી તકની હું સફળતા માનું છું. “ યાત્રાળુઓ પ્રતિ મારી કાયમની પ્રજા પ્રતિ મારા જેવા આદર છે તેવા જ છે. જ્યાં સુધી યાત્રાળુઓ મારા રાજ્યમાં હેાય ત્યાં સુધી તેમને! મારા ઉપર મારી કાયમની પ્રશ્ન જેટલા જ હક્ક છે. તમારાં શરીરને આરામ મળે અને તમે તમારાં મનની શાંતિ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં રાજા તરીકેના મારા ધર્મનું પાલન છે એમ હું માનુ છું. k ધર્મ સંબંધી વિચારાના પરિવર્તનના આ કાળમાં પૂજા-અર્ચા અને ધાર્મિક ક્રિયાઓમાં રહેલા ઊંડા મને નજરમાં રાખી તમારી ધભાવના ખીલવવાની પ્રવૃત્તિ શરૂ થાય અને તેમાં આગળ વધી અનેક ખૂબીવાળા જૈન ધર્મના પૂરા લ્હાવ લઈ, આ લોક અને પરલેાક સુધારવાને તમે સૌભાગ્યશાળી થાએ એ શુભેચ્છા છે. યાત્રાનાં સર્વ શુભ ફળ તમને મળા એ શુભેચ્છા પણ હું પ્રેરું છું. 66 - સદ્ભાવનું કારણ સદ્ભાવ છે અને સદ્ભાવનું પરિણામ સદ્ભાવ જ કેળવવાથી દુનિયા ઉપરની ઘણી મુશ્કેલીએ ઊભી થતી નથી અને કદાચ ઊભી થાય રાજ્ય તરફથી સદ્ભાવ કેળવવાનું ધર્મ પાલન કરવા મારી કેાશિશ ચાલુ જ છે. મને કાયમી પ્રજા અને ભાવિક યાત્રાળુઓ પણુ સદ્ભાવને ખીલવી યાત્રાના અધિક કૃતાર્થ થશે. ’ ઠાકાર સાહેબનું પ્રવચન પૂરું થયા બાદ, આ સુઅવસર અંગે જૈન સંઘની ખુશાલીની લાગણી વ્યક્ત કરતુ અને કવિ શ્રી શામજીભાઈ હેમચ`દભાઈ દેસાઈએ, પોતે રચેલું, નીચે મુજબ ગીત મધુર અને બુલંદ સ્વરે ગાઈ સંભળાવ્યું હતું— હાઈ શકે, સદ્ભાવ તા ઊઠી જાય છે. આશા છે કે, મારી અધિક લાભ મેળવી (ઝુલણા છંદ) આજ આનંદની નૈાખતા ગડગડી, આજ તે। હર્ષના તૂર વાગ્યાં; સ્નેહના સાગરા આજ ઉછળી રહ્યા, આજ જૈના તણાં પુન્ય જાગ્યાં. આજ અમ આંખડી તૃપ્ત થાશે હવે, વિરહની વેદના સર્વ જાશે; પુત્ર ઉત્સવ થકી અધિક ઉત્સવ સમા, આજ ઉભરાય હા ઉલ્લાસે. આજ નારી કહે નાથને સ્નેહથી, અન્ય કામેા હવે દે વિસારી; ગિરિતા શૃંગ પર દેવના દેવને, ભેટવા ત્વરિત થઈ વૃત્તિ મારી. આજ બહાદૂર ' રજપૂત રાજ તણી, બુદ્ધિના કિરણે ખૂબ ખીલ્યાં; બંધ દ્વારા ગિરિરાજના ખાલવા, નૃપવરે આજ આદેશ ઝીલ્યા. યાત્રા ખુલ્લી મૂકચાની નામદાર હાકાર સાહેબે મગળ જાહેરાત કર્યા બાદ શેઠશ્રી લાલભાઈ કલ્યાણભાઈ ઝવેરીએ આ પ્રસંગે ઠાકાર સાહેબના તથા અન્ય સૌના આભાર માન્યા હતા અને સૌનાં 'નાદેા વચ્ચે એ વાતની જાહેરાત કરી હતી કે, “ શ્રી શત્રુ ંજય તીર્થની યાત્રા નિમિત્તે જે સેંકડા ભાઈઓ-મહેનાએ જુદી જુદી જાતના નિયમે ઉર્યાં હતાં તે આજે છૂટાં થાય છે. અને આવા શુભ Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આ કરની પેઢીને ઇતિહાસ પ્રસંગમાં આપ નામદારે જેને સમુદાય પ્રત્યે જે સહાનુભૂતિ અને પ્રેમ બતાવ્યા છે તે માટે આપને આભાર માનું છું.” આ રીતે આ સમારોહ પૂરો થયા પછી નામદાર ઠાકોર સાહેબનું, સૌના હર્ષનાદ વચ્ચે, બહુમાન કરવામાં આવ્યું હતું. અને પછી ઠાકોર સાહેબ તથા જૈન સંઘના તથા પેઢીના અગ્રણીઓ પગે ચાલીને ગિરિરાજની યાત્રાએ ગયા હતા અને આવા ઉલ્લાસ અને મંગળમય વાતાવરણમાં હજારો યાત્રિકાએ, લાંબા સમય બાદ, ખૂબ ઉમંગથી, યાત્રાનો લાભ લીધો હતો. આ શુભ પ્રસંગના અનુસંધાનમાં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે, યાત્રાને મંગળ પ્રારંભ થવાના દિવસે ગિરિરાજ ઉપર દાદાને ભારે આંગી રચવાનો લાભ અમદાવાદના શેઠશ્રી ગુલાબચંદ નગીનદાસને આપવામાં આવ્યો હતો. અને અંતે યાત્રા-બહિષ્કારના દુઃખદ પ્રકરણને આવો સુખદ અને સંતોષકારક અંત આવ્યો હતો. ઉપસંહાર આ પ્રસંગે જૈન સંઘ દાખવેલી એકતાની ભાવના, એકવાર્થતા અને મકકમતા, જૈન પરંપરાના સેકડે વર્ષના સુદીર્ધકાલીન ઇતિહાસમાં, એવી અપૂર્વ હતી કે એને જોટ મળવો મુશ્કેલ છે. એટલે આ પ્રકરણ જૈન પરંપરાના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંક્તિ થઈ રહે એવું અનુપમ અને અનોખ છે. અને તેથી જ એની વિગતો આટલા વિસ્તારથી અહીં આપવામાં આવી છે. ॥ श्रीसिद्धाचलतीर्थराजमनिशं वंदेऽहमादीश्वरम् ।। Page #400 -------------------------------------------------------------------------- ________________ પણ ૪ પંક્તિ ૨૦ . ૧૮ ૨ છેલ્લી ૧૮ શુદ્ધિ પત્રક અશુદ્ધ સીંચન સિંચન વ્યવહુના અવધૂનાં–માëતીમંદિ– –માતી મુષ્ટિતે જિનવરે તે જિન વીરે રે सम्यव सम्यग् तीर्थयात्रा फलानि तीर्थयात्राफलानि विभ्रमणतो बम्भ्रमणतो કારિશા जगदीशमચિત્તના ચિત્તની ત્રણ લોકના ચાર બ્લોકના शिरस्फार શિરઃ#ાર– पायाले पायालि चरणेन चरणेण समुद्दा समुद्द मित्थात्व मिथ्यात्वકયારેય કયારેક આસ્થને અસ્થિને શ્રેષ્ઠીવર્ય શ્રેષ્ઠીવર્ય (વિ. સં. ૨૦૩૬ માં) (વિ. સં. ૨૦૩૬ થી) ૧૮૨૧ એમ ચેખું જોઈએ કમનેવાળા કમાવાળા (પૃ. ૨૯૬) (પૃ. ૨૯૪) ફરસબંધી ફરસબંધી જગલી કબૂતર અને જંગલી કબૂતરે પુષ્કળ છે, અને ૨૩ ૧૨ Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮ર પતિ અશુદ્ધ શુદ્ધ ७२ हजारों हजारों ७४ અજ્ઞાતકક શકયા દ્ધતા. છેલ્લી વગેરે અજ્ઞાતકર્તાક શક્યા હતા. વગેરે (P. 294). fortress tingdoves abound, and ૧૦ ૧૩-૧૪ (P. 296) fortrees ringdoves, and ૧૦૨ ૨૫ ૧૦૩ rodo rode ૧૦૬ ૨૪ છેલ્લી ૧૦૬ ચામડાઓમાં ૧૧૦ ચોપડાઓમાં ૧૨૩ સાતના આશાતના ૧૩૨ ૧૫૦ ૧૫૧ સને ૧૮૧૮ માં લેવા જેવો સુનવણી ઢિી તરફથી 1 80 સ્વીકાર્યો ૧૭૫ ૧૭૬ ૧૯૦ સને ૧૮૭૮ માં લેવા જેવા સુનાવણી પિંઢી તરફથી 1880 સ્વીકાર્યા વળી, (સને ૧૮૨૦, ચોપડા થયેલા કરાર ૧૯૨ છેલ્લી વળી ૧૯૭ (સને ૧૦૨૭, ૨૧૨ ૭. ચેપડા ૨૧૭ મથાળું થયેલા ૨૨૫ રેકરા પાલીતાણા અજુગતિ . પાલીતાણા અજુગતી ૨૩૨ ૨૩૨ ૨૨ Page #402 -------------------------------------------------------------------------- ________________ સ ૨૩૪ ૨૩૦ ,, 99 ,, 99 ૨૪૧ ૨૪૫ ૨૪૬ "2 २४७ ૨૫૪ ૫૫ ૨૫૬ ,, ૨૫૮ ૨૫ ૨૦૦ ૧૨ ૨૬૫ "" ૨૭૪ ૨૭૫ પશ્ચિ ૧૬ મથાળું ૪ * * * ૨૮, ૨૯ ૧૫ ૨૫ ૧૧ ૧૮ ૧૬ ܀ ૧૯-૨૦ ૨૩ ૯-૧૦ २७ . ર २ ૭-૮ . < 3 અશુદ્ધ શુદ્ધ “ સાર્વભૌમ સત્તાને એમ લાગે કે ” આટલું લખાણ ૧૨ મીલીટ્રીમાં પણ આપેલ છે, તેથી અહી એ બેવડાય છે, માટે રદ કરવુ. કર થયેલા પ્રતિનિધિ મંડળ સમક કરતુરભાઈ પ્રતિનિધિ મંડળ ૭.૧ પાલતાણા ૧૨–૨–૧૯૧૬ ૧૯-૨-૧૯૧૬ પા શરતચૂક thoes grievanees religin will not lepsed વાર્ષિક પ્રાણપ્રીય excertions cause o the scrupple થયેલા પ્રતિનિધિમ`ડળ સમય સ્તુરભાઈ પ્રતિનિધિમંડળ ૭૧ પાલીતાણા ૧૨–૨–૧૯૨૬ ૧૯-૨-૧૯૨૬ પત્ર સરતચૂક those grivances religion will not be lapsed વાર્ષિક · પ્રાણપ્રિય exertions caused of the scruple Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પૃષ્ઠ ૨૮૮ ૨૮૯ ૨૯૫ ૨૯૬ ૨૯૭ ૩૦૦ પક્તિ અશુદ્ધ શુદ્ધ ૩૧ પિતાના પિતાશ્રી... ૫૩. પિતાના પિતાશ્રી, ૫૩. પેરે ૧૮. પેરે ૧૮. ( આ છેલ્લી બે ભૂલોને સુધારે એવો સમજવાને છે કે પાદનોંધ નં. ૫૩ને અંક પૃ.૨૮૯ની પહેલી લીંટી સાથે મુકાય છે, તે ૨૮૮માં પેજની ૩૧મી લીંટીની શરૂઆતમાં મૂકવાનો છે.) pilgrim ta... pilgrim taxes ૨૦ ઈસરોય વાઈસરોય permission. permission, Accredeted Accredited આવી છે– આવી છે. હકકના હકકની અગ્રેજ અ ગ્રેજ હિંદમાં હિંદમાં કાઠિયાવાડ કાઠિયાવાડ “સાંજવતમાન” “સાંજવર્તમાન” હિંદના હિંદના પ્યારું છું પ્યારું છે વાઈસરોય વાઈસરોય ૩૦૩ ૩૦૮ જ ૩૧૩ - ૩૧૪ છે ૩૨૬ દે ૩૨૭. ૨ જ ૩૩૫ Page #404 -------------------------------------------------------------------------- ________________