SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ પેઢીનુ' અંધારણ આ રીતે તા. ૬-૩-૧૯૬૫ થી શરૂ થયેલ અંધારણીય સુધારાને-૫૩ કલમે મને અનેક પેટાકલમા સાથેની સવિસ્તર નિયમાવલીને-મજૂર કરાવવાનું કામ તા. ૨૧-૬૧૯૬૯ ના રાજ, લગભગ સવાચાર વર્ષે, પૂરુ થયું. અને પેઢીની આ નવી નિયમાવલીની છેલ્લી-૫૩ મી કલમ મુજબ, પેઢીના કારોબાર વિ॰ સ૦ ૨૦૨૫ના બીજા અષાડ સુદિ ૨ (તાં. ૧૬–૭–૧૯૬૯) થી, આ નિયમાવલી મુજબ, ચલાવવાનું નક્કી કરવામાં આવ્યુ. નિયમાવલી તૈયાર કરવાની જરૂર અગે નિયમાવલીની પીઠિકામાં જણાવવામાં આવ્યુ છે કે— “ અખિલ ભારતના જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક શ્રીસંઘના પ્રતિનિધિ તરીકે “શેઠ આણુંદજી કલ્યાણજી ” ની પેઢી, શ્રી જૈન સિદ્ધાંતાને તથા તેમને અનુસરતી પ્રણાલિકાઓને અથવા તે સિદ્ધાંતાને ખાધ ન આવે તેવી રીતિએ, પોતાના હસ્તકનાં જુદાં જુદાં ટ્રસ્ટોને વહીવટ ઘણાં વરસેાથી કરતી આવી છે અને એ જ રીતિએ હવે પછી પણ “ શેઠ આણુ દજી કલ્યાણજી ’” ની પેઢીના વહીવટ ચાલુ રાખવાના છે. એટલા માટે સને ૧૮૮૦ ના ઘડાયેલા તથા સને ૧૯૧૨ માં સુધારાવધારા કરાયેલા ખ'ધારણને અનુસરીને, ચાલી આવતી પ્રણાલિકા મુજબ, વહીવટની સુવિધા ખાતર, આ નિયમાવલી કરવામાં આવે છે.” વહીવટને વિસ્તાર થતા જતા હોય, જવાબદારીઓ વધવાની સાથે સાથે આવકા અને અકથામતા વધતી જતી હોય, સયેાગા અને કાયદાઓ બદલાતા જતા હોય તેમ જ કામ કરવાની નવી નવી રીત-રસમા કે પતિએ પણ શોધાતી જતી હોય, એવી સ્થિતિમાં, જો કારોખાર સારી અને સતાષકારક રીતે ચાલુ રાખવા હોય તે એમાં, મૂળ મુદ્દાઓને બાધ ન આવે અને પોષણ મળે એ રીતે, જરૂરી ફેરફાર કરવા જ જોઈ એ. આ વાત બીજી સંસ્થાઓની જેમ પેઢીને પણ લાગુ પડે છે અને સને ૧૮૮૦ માં ઘડેલ પહેલવહેલા અંધારણ પછી ફક્ત ખત્રીસ વર્ષ બાદ જ, સને ૧૯૧૨ માં, એમાં કેટલાક ફેરફાર કરવાનું જરૂરી લાગવાથી, તે વખતના પેઢીના બાહોશ સચાલકાએ, એવો ફેરફાર કર્યાં હતા, તે આગળ જણાવવામાં આવ્યું છે. અને સને ૧૯૧૨ ના સુધારેલા અધારણ મુજબ ૫૨-૫૩ વર્ષ સુધી, પેઢીના કારોબાર ચાલતા રહ્યો; એ દરમિયાન પેઢીના કાર્યક્ષેત્રના ઉત્તરાત્તર વધુ ને વધુ વિકાસ થતા જ રહ્યો. સને ૧૮૮૦ માં, પહેલવહેલાં પેઢીનુ' બંધારણ ઘડાયુ· ત્યારે, પેઢી હસ્તક માત્ર શ્રી શત્રુંજય તીને જ વહીવટ હતા; સને ૧૯૧૨ ના બધારણુ વખતે ગિરિરાજ શ્રી શત્રુ - જય તીથૅ ઉપરાંત શ્રી ગિરનાર–જૂનાગઢ અને શ્રી રાણકપુર-સાદડી તથા એની આસપાસનાં જિનમ'દ્વિરાને વહીવટ પેઢીની પાસે આવી ગયા હતા; અને તે પછીના સમયમાં તા શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy