SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેાષાના કરારો ૧૫ તા વાર્ષિક રૂ. ૬૫૦૦/- ૨ખાપાની રકમ તરીકે નક્કી કરવા. અને આ કરારને, દર દસ વર્ષે, નવેસરથી કરવા. આ માટે દરબાર તા સંમત થયા હતા, પણુ જૈનાએ એને સ્વીકાર કરવાની તૈયારી બતાવી નહી..૩૬ પરિણામે, આ સૂચન પ્રમાણે, કોઈ પાકા કરાર થયા નહીં', એટલે પછી એના અમલ થવાના તા પ્રશ્ન જ ઉપસ્થિત થતા ન હતા. તેથી છેવટે મેજર કીર્ટિજે આપેલ રખાપાની વાર્ષિČક રૂ. ૧૦,૦૦૦] ની રકમને ફૈસલા અસ્તિત્વમાં આવ્યા. આ ગાઠવણને બે પક્ષ વચ્ચે થયેલ કરારના બદલે ફેસલા કહેવાનું કારણ એ છે કે, એમાં પક્ષકારોની સતિરૂપે સહીએ લેવામાં આવી નહેાતી, પણ કીટ જ પેાતાની સહીથી એ આપેલ હતા. વસ્તુસ્થિતિ આવી હાવાથી, મેજર કીટિંજે આપેલ ફૈસલાની સામે અપીલ કરવાને અને પક્ષને અધિકાર, વગર કહ્યે જ, મળી જતા હતા. અને એમણે એના ઉપયાગ પશુ કર્યાં હતા. આ ફૈસલાની સામે, સૌથી પહેલાં, શેઠ આણુજી કલ્યાણજી તરફથી વિશેષ નોંધાવવામાં આવ્યેા હતા. આ વિરાધ, પેઢી તરફથી મુંબઈના ગવર્નર સર એચ. બી. ઈ. ક્રૂર (Sir H. B. E. Frere) સમક્ષ, એ અપીલરૂપે, કરવામાં આવ્યેા હતા. પહેલી અપીલ તા. ૧૨-૧-૧૮૨૪ના રાજ, એટલે કે આ ફૈસલા પછી સવા મહિના બાદ જ, કરવામાં આવી હતી. અને બીજી અપીલ, ત્રણેક મહિના પછી, તા. ૧૫-૪-૬૪ ના રાજ, કરવામાં આવી હતી. આ અપીલમાં મુખ્ય માગણી, સને ૧૮૨૧માં, તે વખતના કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મેજર ખાનવેલની દરમિયાનગીરીથી વાર્ષિક રૂ. ૪૫૦૦/-ના રખાપાને કરાર દરખારશ્રી અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે થયા હતા તેના જ ચાલુ રાખવાની ભારપૂર્વક માગણી કરવામાં આવી હતી.૩૭ અમલ મુંબઈ સરકારને શેઠ આણંદજી કલ્યાણજી તરફથી કરવામાં આવેલી ઉપર્યુક્ત બન્ને અપીલના ફૈસલે મુંબઈ સરકાર તરફથી શુ' આપવામાં આવ્યેા હતેા, તેની માહિતી પેઢીના દફતરમાંથી મળી શકતી નથી, પણ મુ`બઈ સરકારે કર્નેલ કીર્ટિજના ફૈસલાને, તા. ૯-૨-૧૮૬૬ ના રાજ, મજૂરી આપી તેથી એમ લાગે છે કે, મુંબઈ સરકારે પેઢીની આ અપીલમાંની માગણીને મંજૂર નહોતી રાખી. આને પરિણામે પેઢીને, કોઈક સચ્ચે (આની ચાક્કસ તારીખ જાણી શકાઈ નથી ), મહારાણી વિકટોરિયાને અપીલ કરવાની ફરજ પડી હતી. અને એમાં પણ સને ૧૮૨૧ના રખાપાના કરારના અમલ ચાલુ રાખવાની માગણીનું પુનરુચારણ કરવામાં આવ્યું હતું. આ અપીલના ફૈસલા કથારે અને કેવા આવ્યા, તે પણ સ્પષ્ટપણે જાણી શકાયું નથી, તેમ છતાં, સેક્રેટરી ઓફ સ્ટેટ ફાર ઇન્ડિયાના તા. ૨૪-૬-૧૮૬૭ ના પત્રના બીજા પેરેગ્રાફ ઉપરથી કંઈક એવા ભાવ ધ્વનિત થતા જાણી શકાય છે કે, એમણે કર્નલ કીર્ટિજના રૂ. ૧૦,૦૦૦૩ના ફેસલા માન્ય રાખ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy