SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા પાના કરાર ૨૫૦ "It must be borne in mind, that from the (Samvat ) year 1865 (A. D. 1809 ) until now though his farm has lepsed, Seth Hemchand Wukutchand has been supreme at Palitana. Kandhaja the late and Noghanjee the present Thakore being men unable to conduct their own affairs.” પાલીતાણાના દરબાર અને એમના યુવરાજ વચ્ચે અણબનાવ હેવાને સ્પષ્ટ ઉલેખ, કાઠિયાવાડના પલિટિકલ એજન્ટ મિ. આર. એચ. કિટિંગ, પિતાના તા. પ-૧૨-૧૮૬૩ના રિપોર્ટ માં, આ પ્રમાણે કર્યો હતો “The Palitana Estate was at that period nearly ruined, the Chief was incapable of managing his own affairs, was at enmity with his own son and was deeply in debt to one of the Shrawuk community.” મિ. મેલેટ પાલિતાણા રાજ્યને કારોબાર સને ૧૮૦૯ થી ૧૮૪૩ સુધી, ૩૪ વર્ષ લગી, શેઠ હેમાભાઈ વખતચંદના હાથમાં લેવાનું લખ્યું છે, તેને ભાવ કંઈક એ થાય છે કે – (૧) સને ૧૮૦૯થી, વાર્ષિક રૂ. ૪ર૦૦૦ નું ગિખત સને ૧૮૨૩ માં થયું ત્યાં સુધીનાં ૧૩ વર્ષ સુધી, એમણે પાલીતાણા રાજ્યને વહીવટ સંભાળ્યો હતો. (૨) અને સને ૧૮૨૨ના પહેલાં દસ વર્ષ અને પછી સને ૧૮૪ર સુધીના બીજાં દસ વર્ષ અને તે પછી વધારાના એક વર્ષ સહિતનાં કુલ ૨૧ વર્ષ સુધી, વાર્ષિક રૂ. ૪૨૦૦૦ ની ઉરચક રકમ આપવાના અવેજમાં કરેલ ગિરોખત મુજબ, પાલીતાણા રાજ્યના કારોબારની તમામ સત્તા એમણે ભેગવી હતી. જે સ્થાનમાંથી પાલીતાણુના આખા રાજને વહીવટ કરવામાં આવતે હતા, તે હેમાભાઈ શેઠની હવેલી નામનું મોટું મકાન. અત્યારે પણ. જર્જરિત હાલતમાં, વિદ્યમાન છે; અને તે શહેરના મધ્યભાગમાં આવેલ મેટા દેરાસરની નજીક આવેલું છે. (આ હવેલીની છબી આ પુસ્તકમાં આપી છે.) ૧૫. આ ગિરખત મુજબ, પાલીતાણાના દરબારશ્રીને, વાર્ષિક રૂ. ૪૨૦૦૦(૨૦૦૧) ચૂકવ વાના થતા હતા. પણ આ ચુકવણીની વાર્ષિક રકમ રૂ. ૪૭૦૦૦) અને રૂ. ૪૦૦૦) હેવાને પણ ઉલ્લેખ મળે છે, જે આ પ્રમાણે છે પાલીતાણાના દરબાર સુરસિંહજીએ, સને ૧૯૭૪ માં, મહારાણુ વિકટારીઆના મુખ્ય મંત્રીને શ્રાવક કેમની વિરુદ્ધ દાદ માગતી જે અરજી કરી હતી, એમાં આ ગિરાખતની રકમ વાર્ષિક રૂ. ૪૦,૦૦૦ જેટલી મામૂલી (the paltry yearly sum of Rs. 40,000) હેવાનું નોંધ્યું હતું. મુંબઈ સરકારના, તા. ૧૬-૩-૧૮૭૭, નં. ૧૬૪૧ ના અતિ મહત્વના ઐતિહાસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy