SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૧૯૭ કરીને અને માટી ખર્ચ વેઠીને ત્યાં ગયા પછી જાત્રા કર્યા વગર પાછા જવું એ નામેાશીભરેલું લાગેલું. આવી ઢગાખાર રીતભાતથી તથા તે વખતે અમારે કાઈ સત્તા આગળ ફરિયાદ કરવાનું સાધન નહી. હાવાથી આવા મહાદુષ્ટ વેરાને અમારો ધર્મ પાળવાને ખાતર અમારે તાબે થવુ પડેલુ “રાજાને આ ઉપરથી એમ લાગેલુ` કે શ્રાવકા તેા વગર હરસ્તે વેશ આપ્યું જાય છે, એટલે એણે આજદિન સુધીમાં નિર’કુશ વધારો ચાલુ જ રાખ્યા છે. “ થાડાંક વરસ થયાં રાજાએ પાતાની નોકરીમાં કેટલાક આરાને રાખેલા છે. આ આરમેની નીતિ બહુ હલકા પ્રકારની છે. એ લાકા આ પહાડ ઉપર રહેવા લાગ્યા છે, અને મદિરામાં તથા તેની આસપાસ એ લેાકેા એવી વર્તણ્ ક ચલાવી રહ્યા છે કે જે અમારા ખુદ સ્વભાવની તથા ધર્મની વિરુદ્ધ છે. એ લેાકા દારૂ પીને નશે। કરે છે તથા જાનવરોની હિ`સા કરે છે. આ કૃત્યાને અમે એટલાં બધાં ધાર પાતકી કામા ગણીએ છીએ કે આવાં કામેા અમારા અનાદિકાળના પવિત્ર અને પ્રિય મદિર આગળ થવાં દેવાં કરતાં અમારી જાતને ખપાવી દેવા આરએને અમારાં માથાં ધરી દેવાનું અમને વધારે ચૈાગ્ય લાગે છે. “ એ આરને અત્રે આવાં કૃત્યા નહી' કરવાનું અમે કહીએ છીએ ત્યારે એ લેાકા કહે છે કે, રાજા અમારા દેણદાર છે, અને અમારું' માગણું વસૂલ કરવા સારુ’ગીરા રાખનાર તરીકે અમાએ આ પહાડના કબજો કરેલ છે. “આવા કરની વાર્તા સાંભળીને ભાવનગરના રાજાએ પણ ભાવનગર અને ઘા થઈ ને જે જાત્રાળુએ પાલીતાણે જાય આવે, તેના ઉપર કર નાખવા માંડવા છે.” આ પ્રમાણે યાત્રાળુઓને વેઠવી પડતી મુશ્કેલીનું વર્ણન કર્યા પછી અરજદારાએ પેાતાની અરજીમાં મુંબઈના ગવર્નર પાસે નીચે મુજબ દાદ માગી હતી— “આપ નામદારના અરજદારા અરજ ગુજારે છે કે તેમની શાંત અને નિરુપદ્રવી કામ તથા દેશના (એક) ધર્મ પ્રત્યે આવી આશાતના કરનારી જુલ્મી વર્તણૂકથી અમને જે ખેદ અને દુઃખ થાય છે, તે તરફ આપ સહાનુભૂતિની નજરથી જોશે, ” ૮ જૈન સઘની વતી શેઠશ્રી માતીચં≠ અમીચંદ તથા શેશ્રી હેમચંદ વખતચă વગેરે તરફથી મુંબઈના ગવનરને કરવામાં આવેલ ઉપરોક્ત અરજી મળ્યા પછી બીજે જ દિવસે, એટલે કે તા. ૩૧-૮-૧૮૨૦ના રાજ, મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી ફ્રાન્સિસ વાડને કાઠિયાવાડના પાલિટિકલ એજન્ટ કેપ્ટન આવેલને પત્ર (સને ૧૮૨૦, ન'ખર ૧૩૨૪) લખીને આ ખાખતની ઝીણવટભરી તપાસ કરીને શ્રાવક કામની ફરિયાદને અંગે શું થઈ શકે એમ છે, એ વિશે પેાતાના અહેવાલ માકલવાના આદેશ આપ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy