SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરા ૩૩૩ વિશેષમાં આપના તા. ૨૮-૩-૨૮ ના પત્ર શત્રુંજયના સમાધાન સંબંધમાં આવ્યો, તેના જવાબમાં લખવાનું કે–શ્રી શત્રુંજયના સમાધાન બાબતમાં આપે જે વાત સાંભળી છે તેમાં કાંઈ વજુદ નથી અને સમાધાન ભાંગી પડયું છે અને તેથી સર્વે એ યાત્રાત્યાગને વળગી રહેવાની જરૂર છે. તા. સદર.” << (નોંધ—શ્રી કેશરીમલજીના તા. ૨૮-૩-૨૮ ના પત્રનેા જવાબ, છેક તા. ૨૫-૪–૨૮ ના રાજ-એટલે મેડેથી—અપાયા, એનું કારણ એ હતું કે એ કાગળ શેઠશ્રી કસ્તુરભાઈ ઉપર ગયા હતા; અને એમની પાસેથી પેઢીને એ તા. ૧૮-૪–૨૮ ના રાજ મળ્યા હતા.) ત્રણ માર્ગ્રાની કામગીરી કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મિ. સૌ. સી. વેટસનના ચુકાદો આવી ગયા પછી જૈન સંધ માટે ત્રણ મેરચે સતત કામગીરી કરવાનું જરૂરી બની ગયું હતું: (૧) આ ચુકાદા સામે જૈન સઘનેા વિરાધ જાગતા રહે એવાં પગલાં ભરવાં. (૨) પાલીતાણા રાજ્ય સાથે માનભર્યું, વાજખી અને સાષકારક સમાધાન ન થાય ત્યાં સુધી શત્રુ ંજયની યાત્રાના બહિષ્કારમાં જરાય ખામી ન આવે એ માટે સતત જાગ્રત રહેવું. આ માટે જેમ દેશભરનાં જુદાં જુદાં સ્થાનામાં પ્રચાર ચાલુ રાખવામાં આવ્યેા હતેા, તેમ પાલીતાણામાં અને ખાસ કરીને શિહેાર સ્ટેશને સ્વયં સેવાની ટુકડીઓને ગાઢવીને એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે, કાઈ પણ યાત્રિક પાલીતાણા જાય નહીં અને જતા હોય તે એમને સમજાવીને ત્યાંથી પાછા વાળવા. અને (૩) આ માટે દિલ્હી સરકાર સાથે એટલે કે હિંદના ગવર્નર જનરલ તથા વાઈસરોય સાથે આ પ્રશ્નના ઉકેલ માટે શેઠ આણુ જી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ તથા જૈન સંધના અગ્રણીઓએ સતત સપર્કમાં રહીને પ્રયત્ન જારી રાખવા. સીમલામાં ત્રીપક્ષી બેઠક “ આ પ્રયત્ન દરમ્યાન નામદાર વાઈસરોય અને ગવર્નર જનરલ લોડ ઈરવીન સાથે શાશી વાત" ચીત અને વાટાધાટા થઈ, તેની કશી આધારભૂત માહિતી પેઢીના દફ્તરમાંથી મળી શકતી નથી, પશુ, એમ લાગે છે કે, આ વાટાઘાટા દરમ્યાન જૈન સંઘના આગેવાનો અને પેઢીના પ્રતિનિધિએ શત્રુંજય તીર્થં અંગે ઊભી થયેલ દુઃખદાયક અને યાત્રાના બહિષ્કાર સુધી આગળ વધેલી પરિસ્થિતિની રજૂઆત કરીને આ બાબતમાં સત્વર સમાધાન થવાની જરૂર છે, એટલી પ્રતીતિ એમને કરાવી શકયા હશે. આને પરિણામે પેઢીના પ્રતિનિધિએ, જૈન સ`ઘના અગ્રણીઓ, પાલીતાણાના નામદાર દરબાર બહાદુરસિંહજી વગેરેએ, પાતપેાતાના કાયદાના સલાહકારા સાથે, તા. ૨૨-૫-૧૯૨૮ ના રોજ, સિમલામાં નામદાર વાઇસરોય સમક્ષ હાજર થવુ એમ નક્કી થયું હતું, જે પેઢીના નીચેના સરક્યુલર ઉપરથી જાણી શકાય છે— “શ્રી પાલીતાણા કેસ માટે શ્રી સીમલે જવા માટે નિચે પ્રમાણે ઠરાવ તા. ૧૦-૫-૨૮ ની મીટીંગમાં થયા છે, એ ઠરાવ અન્વયે આપ સાહેબને વિદિત કરવાનું કે તા. ૧૭-૫-૧૯૨૮ ને ગુરૂવારના સ્હવારમાં મેઈલમાં શેઠ આણુ દૃષ્ટ કલ્યાણુજીની કમીટીના મેમ્બરા સીમલા તરફ સિધાવવાને નક્કી થયું છે, તેથી આપ પણ તે ટ્રેઈનમાં નીકળી આવવાના બંદોબસ્ત કરશેા. તા. ૧૬-૫-૨૮. “ નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ k રોડ માણેકલાલ મનસુખભાઈ rush -1 U Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy