SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ ખર્ચે, વિ. સં. ૧૯૫૫ની સાલમાં (સને ૧૮૯ત્ના વર્ષમાં) તૈયાર થવા આવ્યું, એટલે, એમાં મૂળનાયક તરીકે બિરાજમાન કરવા માટે, શ્રી શત્રુંજય તીર્થ ઉપર, દાદાની ટ્રકમાં, મુખ્ય જિનપ્રાસાદના બહારના મંડપમાં, જમણી બાજુની ચેકી તરફ જતાં, ડાબી બાજુએ એક ગેખલામાં બે પ્રતિમાજી હતાં, તેની પાસે મહાવીરસ્વામીનાં પીળા રંગનાં એક પ્રતિમાજી હતાં તે, એક હજાર રૂપિયાના નકરાથી, આપવાની માગણી, ભાવનગર સંધની વતી, શેઠ શ્રી જેઠાભાઈ સુરચંદે કરી હતી. આ ઉપરથી, આ પ્રતિમાજી, ભાવનગર સંઘને, રૂ. ૧૫૦૦)ના નકરાથી આપવાનું, તા. ૬-૩–૧૮૯૯ના રોજ, ઠરાવવામાં આવ્યું; સાથે સાથે એ જ તારીખે એમ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, આ પ્રતિમાજીની ખાલી જગ્યાએ, મોદીની ટ્રકમાંથી પ્રતિમાજી લાવીને, એને પધરાવવાની કોઈ ગૃહસ્થની માગણી આવે તો, એ જગ્યાના અને પ્રતિમાજીના નકરાની તેમ જ કેસર-સુખડની મળીને કુલ કેટલી રકમ આપવાનું તેઓ કહે છે, તે બાબત પાલીતાણા પુછાવીને, એને નિર્ણય કરે. ભાવનગર સંઘને પ્રતિમાજી આપવાને ઉપર મુજબ ઠરાવ કરીને, એ પ્રતિમાજી ભાવનગર સંઘને સોંપ્યા પછી, દાદાની ટ્રકમાંથી આ પ્રતિમાજી બહાર આપવાથી સંઘનું મન દૂભાયું હોય અને તેથી પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને એ પ્રતિમાજી પાછી આપી દેવાની ભાવનગર સંઘને ભલામણ કરવાની ફરજ પડી હોય, એમ તા. ૨૩-૪-૧૮૯૮ના પ્રોસિડિંગમાં સેંધાયેલ એક ઠરાવ ઉપરથી જાણી શકાય છે, જે આ પ્રમાણે છે– પાલીટાણેથી મુળનાયકજીના રંગમંડપમાંથી જે પ્રતિમાજી ભાવનગર આપવામાં આવેલી છે, તે બાબતમાં સંઘના લોકોને અપ્રતી (અપ્રીતિ) ઊત્પન્ન થઈ છે, અને તે બાબતમાં પાલીતાણે કેટલાક ગૃહસ્થ ભેગા થઈ, અત્રે એ બાબત તેમણે લખાણું કહ્યું છે. માટે તેને સારૂ જે લખાણ સહીઓ સાથેનું આવેલું છે, તેની નકલ, આપણું કાગળ સાથે, ભાવનગર મોકલવી અને એ પ્રતમાજી તેઓ પાલીટાણે પાછી મોકલે એવી તેમાં ભલામણ કરવી, એમ એકમતે ઠરાવ કરવામાં આવે.” પણ ઉપર મુજબને ઠરાવ કરવાથી આ પ્રતિમાજી પાછાં મેળવવાનું કામ ન પત્યું, એટલે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, એ માટે કોઈ ઉતાવળું પગલું ભરવાને બદલે, શાણપણ અને દૂરંદેશીથી સંઘની દુભાયેલી લાગણી અને પ્રસંગની ગંભીરતાને પૂરતે વિચાર કરીને, તા. ૧૭-૭–૧૮૯૯ના રેજ, પેઢીની જનરલ કમીટીમાં, નીચે મુજબ ઠરાવ કર્યો હત– “ભાવનગરના સંધવાળાને પ્રતિમાજી નકરે લઈ આપવામાં આવી છે. તે પાછી મગાવવા સબંધી પાલીટાણેથી જત્રાળુઓના કાગળ આવ્યા છે. ત્યા તે સબંધમાં ભાવનગરના સંઘ તરફથી કાગલો આવ્યા છે. તે કાગલેની નકલ તમામ સ્થાનીક પ્રતીનીધી ત્યા બીજા મેટા મેટા ગામના સદગ્રહસ્થાને, પત્ર સાથે, મોકલી, તે પ્રતમાજી પાછાં મંગાવવાં કે શી રીતે, તે બાબત સંઘ મેલવી જે ઠરાવ થાય તે લખી જણાવવા લખવું.” આ ઠરાવ પ્રમાણે, આ બાબત સંબંધમાં, સ્થાનિક પ્રતિનિધિઓ વગેરેને અભિપ્રાય મેળવ્યા બાદ, આ પ્રતિમાજી પાછાં આપવા સંબંધી પત્ર ભાવનગર સંઘ ઉપર લખવા અંગે, તા. ૧૪-૫-૧૯૦૦ને રેજ, પેઢીને વહીવટદાર પ્રતિનિધિઓએ, નીચે મુજબ ઠરાવ કર્યો હત– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy