SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરારે ૩૧૭ આજે ખાવા ધાય છે. સેગન ખાવા એક મનુષ્ય નથી. યાત્રિક કે યાત્રિક ઉપર નભતે કઈ માનવી 'બ આજે નથી દેખાતા. પાલીતાણાની આજ્ઞા સામે શાંત અસહકાર કરતે પ્રત્યેક માનવ આજે તળાટી છોડી ગયો છે. ઉડે છે કાગડા આજે— થતું . • • • પણ અહીં આ બીજુ કાંઈક છે. પીળા ડગલાવાળા પાલીતાણ રાજ્યના સીકકા ધરાવનાર ચાર પિલિસો અમને જોઈને પિતાના પટ્ટા સમારતા તૈયાર થઈ ગયા. ત્રણ બીજા પટાવાળા જેવા માણસ અને એક ટીકીટ કલેકટર આટલા માણસો કઈ ભૂખ્યું જાનવર શિકારની રાહ જોતું બેઠું હોય તેમ આખો ફાડી બેઠા હતા. પણ અમે તે એમનું ખાજ હતા. અમે મૂંડકાવેરે આપવાવાળા નહીં, અમે તે પાસવાળા. “કેમ ભાઈ, મૂંડકાવેરાવાળી કેટલી ટીકીટ ચેક કરી?” “એક પણ નહીં. ” “ આવી અમારા જેવી કેટલીક ?” “ આ તમે લાવો છો એ જ.” રાજયે નાખેલે મુંડકાવેર આમ નાસીપાસ થતા હતા. તેથી જાણે શરમાતા હોય તેમ એ લેકે બીચાર જાણે પ્રાર્થના કરતા હોય ને “કઈ આવે–અમારા રાજ્યની આબરૂ બચાવ.” રાજ્યભક્તિ તરફ સહાનુભૂતિનું એક મિત ફેંકયું અને ચાલ્યા ! ચડવું શરૂ કર્યું–ડુંગરના થોડાં પગથી ચડ્યા. હજી તળાટીના માણસો અમારી નજરે પડતા હતા. અમે માનવસમુદાયની દૃષ્ટિમર્યાદામાં હતા. એ સ્થિતિ ન ટકી. ચઢાવ અને વળાવ પછી તળાટી દેખાતી બંધ થઈ. અમારી એકલતા અમને સાલવા લાગી. નથી ઉપર કોઈ દેખાતું, નથી નીચે કોઈ દેખાતું. બધું મનુષ્યહીન સૂનસાન લાગે છે. અમે નજર કર્યા જ કરીએ-લાંબી લાંબી નજરથી દેટ મૂક્યા જ કરીએ; પણ માનવબર દેખાય જ નહીં. ” અંગ્રેજી દૈનિકાને સાથ સમય જતાં, યાત્રા-બહિષ્કારની આ લડતે જેમ એક બાજુ મક્કમતા પ્રાપ્ત કરી તેમ, બીજી બાજુ, જણે એ નાની સરખી રાષ્ટ્રીય લડત હોય એવી વ્યાપકતા પણ એણે પ્રાપ્ત કરી હતી, એ વાતની પ્રતીતિ એ હકીકત ઉપરથી પણ થાય છે કે, આ લડત અંગેના સમાચાર, વિચારો અને લેખે મુંબઈનાં 24*210 l — The Times of India', 'The Bombay Cronical', 3413tal Englishman” તથા અલાહાબાદના “Pioneer” જેવાં દૈનિકેમાં પણ છપાયા હતા, એટલું જ નહીં પણ, લંડનથી પ્રગટ થતાં “The Times” નામના દૈનિકમાં પણ આ પ્રકરણ સંબંધી લેખ છપાય હતે. જૈન સંઘની નારાજગી પાલીતાણાના દરબારશ્રીએ કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલને આ રોપા બાબતમાં, તા. ૧૪-૯-૧૯૨૫ ના રોજ, જે અરજી કરી હતી, તેને જવાબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી તા. ૨૩-૪-૧૯૨૬ ના રોજ આપવામાં આવ્યું તે દરમ્યાન કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસને, તા. ૨૫-૩-૧૯૨૬ ના રોજ, વચગાળાને હુકમ આપીને પાલીતાણાના દરબારશ્રીને યાત્રિકોની સંખ્યાની નોંધ કરવાની છૂટ આપી હતી, તે સામે પણ જૈન સંઘે ઘણું જ નારાજગી દર્શાવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy