SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીનુ ખ ધારણ (૮) રા. વકીલ સાંકળચંદ રતનચંદ (૯) રા. વકીલ હરીલાલ મછારામ પેઢીનું પ્રમુખપદ—આ સભાના છેલ્લા ઓગણીસમા ઠરાવમાં એમ જણાવવામાં આવ્યુ હતુ કે “ ઉપર લખેલા ઠરાવાથી તારીખ ૧૯ સપ્ટેમ્બર સને ૧૮૮૦ની સાલની સ્કીમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તે શીવાય ખીજી બધી ખાખતામાં મજકુર તારીખ ૧૯ સપ્ટેમ્બર સને ૧૮૮૦ ની સ્કીમ કાયમ છે એમ સમજવુ'.” આ ઉપરથી એમ કુલિત થતું હતું કે, નગરશેઠ શાંતિદ્યાસના કુટુ'બના જે વારસ હોય તે જ પેઢીના પ્રમુખપદે રહે એવી જે જોગવાઈ સને ૧૮૮૦ માં મંધારણ ઘડતી વખતે કરવામાં આવી હતી, તેના આ બંધારણમાં પણ સ્વીકાર કરવામાં આવ્યેા હતા. ૧૬૫ આ સભાની કેટલીક યાદગાર બાબતે પેઢીના કારાબારની પ્રશંસા—ભાવનગરના સ્થાનિક પ્રતિનિધિ શેઠ શ્રી કુંવરજી આણુ ૪જી જૈન સંઘમાં એક ઠરેલ, એછાયેલા, શાસ્ત્રાભ્યાસી અને શાણા ધમ પુરુષ તરીકે જાણીતા હતા. એમણે આ સભામાં ચાથા ઠરાવ રજૂ કરીને પેઢી તરફની શ્રીસ`ઘની જે લાગણી વ્યક્ત કરી હતી, તે જાણવા જેવી છે. આ ઠરાવ રજૂ કરતી વખતનુ એમનુ વક્તવ્ય. અને એ ઠરાવ આ પ્રમાણે છે— 66 જણાવ્યુ કે અમદાવાદના વહીવટ ઘણી જ સંતાષચાવીસ પચીસ લાખ ત્યાર બાદ ભાવનગરવાળા શેઠ કુવરજી આણુંદજીએ ગૃહસ્થાએ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના ખત્રીસ વર્ષ સુધી કારક રીતે કરેલા છે, અને તેટલી મુદ્દતમાં સદરહુ પેઢીમાં રૂપી જેટલી માટી રકમના વધારા ર્યાં છે. વહીવટદાર પ્રતિનિધિએએ દર વરસે પાતાની સે સે। જેટલી સીટી'ગે। ભરી પેાતાના શરીર અને વખતના ભાગ આપી શેઠ આણુ દેંજી કલ્યાણજીના હકા, હીંદુસ્થાનના બીજા સંધાની પ્રસંગેાપાત જરૂરી સહાયતા મેળવી, જાળવી રાખ્યા છે, તે આ પ્રમાણે ઉત્સાહ અને સંપથી પેઢીના વહીવટ ઘણી જ સંતાષકારક રીતે તેમણે કરેલા છે. તેથી હું નીચેનેા ઠરાવ રજુ કરું છું— ઠરાવ ૪—શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીનાં સરવૈયાં વગેરે હીસાબ આપણી સમક્ષ હાલ જે વાંચી બતાવવામાં આવ્યાં તે જોતાં સદરહુ પેઢીના વહીવટ વગેરે કામકાજ સદરહુ પેઢીના વખતેાવખતના અમદાવાદના વહીવટ કરનાર પ્રતિનિધિએ સંપૂર્ણ કાળજીથી પેાતાના શરીર અને વખતના ભાગ આપી પૂર્ણ સતાષકારક રીતે બજાવેલ છે તે માટે હીંદુસ્થાનના આ સકળ સંઘ તેમને ધન્યવાદ આપે છે. અને ઇચ્છે છે કે તેવી જ કાળજી અને ખાહોશીથી સદરહુ પેઢીના વહીવટ અમદાવાદના ગૃહસ્થા હવે પછી પશુ ચલાવશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy