SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ગયફ મહેળા મહાવીરને ૧ ધના મહિમા જીવન તરફ અનુરાગ, સુખ-દુઃખની લાગણી, ભૂખ-તરસનુ` સંવેદન, ઘડપણ અને માંદગી તરફ્ના અણુગમા, મરણને ભય વગેરે ખાખતા જીવમાત્ર સાથે સકળાયેલ છે; અને એમાં માનવજાતિને પણ સમાવેશ થાય છે. આમ છતાં માનવજાતિ અને અન્ય જીવસૃષ્ટિ વચ્ચે કઈક એવી અસાધારણ ભેદરેખા કે વિશેષતા રહેલી છે કે, જે સમસ્ત જીવસમૂહ ઉપર માનવજીવનની સર્વોપરિતા સ્થાપિત કરે છે. તેથી જ બધાં ધર્મશાસ્ત્રાએ માનવભવને દુભ અને શ્રેષ્ઠ કહ્યો છે. માનવજીવન સાથે એકરૂપ બની ગયેલી આ વિશેષતા તે માનવીને મળેલી ચિંતનમનનની બૌદ્ધિક શક્તિ અને હૃદયની સ`વેદનશીલતા. આ શક્તિના ખળે, માનવીએ જ્ઞાન અને વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રાનુ, છેક પ્રાચીન કાળથી, ખેડાણ કરીને આત્મદર્શન અને વિશ્વદર્શીનના અનેક માર્ગની શેાધ કરી છે અને આંતર તથા ખાદ્ય દુઃખના નિવારણનાં અને સુખની પ્રાપ્તિનાં સાધનાનું દન અને નિરૂપણ કર્યું છે. Jain Education International વિશ્વના સ્વરૂપનું દર્શન કરાવતી અને વિશ્વવ્યાપી ભૌતિક તત્ત્વાની શક્તિઓનુ માનવીના ઉપયાગ માટે નિયમન કરતી વિજ્ઞાનની શેાધા માનવીની બુદ્ધિશક્તિની નવાઈ ઉપજાવે એવી નીપજ હાવા છતાં, એ સતત પ્રયાગશીલ પ્રક્રિયાઓનું પરિણામ હેાવાથી, એ આત્માની જ્ઞાનશક્તિના અસાધારણ કે અપૂર્વ વિકાસનું દર્શન નથી કરાવી શકતી. આત્માની ખરેખરી જ્ઞાનશક્તિનાં પ્રતીતિકર દન તેા, ઉચ્ચ કેટિની યાગસાધનાને મળે સિદ્ધ થતા જ્ઞાનના અતિમ કાટિના વિકાસમાં જ થાય છે. અને આ જ્ઞાન જેમ વિશ્વના સ્વરૂપનું સુરેખ દર્શન કરાવે છે, તેમ આત્માના સૂક્ષ્મમાં સૂક્ષ્મ એક એક ભાવનું દર્શન કરાવીને એની પૂર્ણ શુદ્ધિના ઉપાચા પણ આંકી બતાવે છે. આ ઉપાયા એટલે જ ધમ અને એની આરાધના, જે ધર્મપુરુષાથ તરીકે સુવિદિત છે અને સદા-સદા આદરણીય અને એકાંત હિતકારક ગણાય છે. આ પ્રક્રિયા ચાગસાધના, આત્મસાધના કે આધ્યાત્મિક સાધનાને નામે પણ ઓળખાય છે. અને એના આધારે જ માનવી સંસારનાં બંધને થી મુક્ત થવાના પુરુષાર્થ કરી શકે છે. એટલા માટે જ મેાક્ષની પ્રાપ્તિના પુરુષાર્થને પરમ પુરુષાર્થ લેખવામાં આવેલ છે. સંસારનાં અધનાથી મુક્ત થવામાં એટલે કે મેક્ષ મેળવવામાં માનવીને સહાયરૂપ થાય એ ધર્મઃ એ રીતે ધર્મને સાદી સમજથી આળખી શકાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy