SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ દરેક પ્રદેશમાંથી યાત્રિકે અહીં ઠલવાય છે. આ જનસમૂહને “સંઘ” કહે છે, અને ક્યારેક તે એની સંખ્યા વીસ હજાર જેટલી થઈ જાય છે (પૃ. ૨૯૬).૩૦ –ટ્રાવેલ્સ ઇન વેસ્ટ ઈન્ડિયા. ગુજરાતના ઈતિહાસ અને સાહિત્યના સહદય અને પ્રેમી વિદ્વાન શ્રી એલેકઝાંડર કિન્લોક ફાર્બસ લખે છે – એક ગલી પછી બીજી ગલી, અને એક એક પછી બીજે ચેક, એ પ્રમાણે જૈન ધર્મનાં દેવાલય તેઓના ભવ્ય કેટ સહિત વિસ્તાર પામ્યાં છે, તે અદ્ધ હેલ જેવાં, અદ્ધ કટ જેવાં, એકાત અને મહિમાવાન્ પર્વત ઉપર દેદીપ્યમાન આરસપહાણનાં બાંધેલાં, અને સ્વર્ગના મહાલય સમાન, છેક ઊંચે હવામાં મૃત્યુલેકને પગ દેવાને દુર્લભ, એવાં છે. પ્રત્યેક ચિત્યના ગભારામાં અજિતનાથની, આદિનાથની અથવા કેઈ બીજા તીર્થકરની એક અથવા વધારે મૂર્તિઓ છે. તેને, ઉદાસીન વૃત્તિ ધારણ કરેલે, આરસપહાણની મૂર્તિને આકાર, રૂપેરી દિવિના ઓછા અજવાળાથી ઝાંખે દૃષ્ટિએ પડે છે, અગરબત્તીની સુગંધ હવામાં હેકી રહે છે, અને ચકચકિત ફરસબંધી ઉપર ભક્તિમાન સ્ત્રીઓ, સોનાના શૃંગાર સજેલી અને વિચિત્ર રંગનાં વસ્ત્રથી ઝઘઝઘાટ મારતી, એકસ્વરી પણ મધુર સ્તવન ભણતી એવી, ઉઘાડે પગે પણ ધીમે ધીમે પ્રદક્ષિણું કરે છે. શત્રુંજય, ખરેખાત પૂર્વ ભણીની અદ્દભુત કથાના એક કલ્પિત ડુંગરની ઘટિત રીતે ઉપમા આપી શકાય એવે છે. એના રહેવાસિયે જાણે એકાએક આરસનાં પુતળાં બની ગયેલાં હોય, પણ તે ઉપર આવીને અપ્સરાના હાથ, સર્વ સ્વચ્છ અને ચકચક્તિ રાખતા હોય, અને સુગંધીવાળા પદાર્થોના ધૂપ કરતા હોય તેમ જ તે અપ્સરાના સુસ્વર, દેવનાં શંગારિક ગીત ગાઈને હવાને ભરી દેતા હોય એવો ભાસ થાય છે. શત્રુંજય ઘણું જ પ્રાચીન અને જૈન ધર્મનું અતિ પવિત્ર ધામ છે. સર્વ તીર્થ કરતાં એ અગ્રેસર ગણવામાં આવ્યું છે, અને જેને નિરંતર નિવૃત્તિ સાથે સંબંધ થાય છે, તેનું એ સુખસ્થાન ગણાય છે. વળી તે મુમુક્ષુઓનું મહામંદિર મનાય છે, અને અંગ્રેજોના પવિત્ર અનાની પિઠે દુનિયાના નાશની વેળાએ પણ એને નાશ થવો સળે નથી એમ કહેવાય છે.૩૧ –રાસમાળા (ગુજરાતી ભાષાંતર, ત્રીજી આવૃત્તિ), પૃ. ૫૬. વિખ્યાત પુરાતત્વવેત્તા શ્રી જેમ્સ ફરગ્યુસન શ્રી શત્રુંજય તીર્થનું નિરીક્ષણ કરીને કેટલા બધા પ્રભાવિત થયા હતા, તે એમના નીચેના ઉદ્દગારો ઉપરથી પણ જાણું શકાય છે– દેખાવડા મંદિર ઉપર અત્યારે ધનની મોટામાં મોટી રકમ ઉદારતાથી ખરચાઈ રહી છે. હવે નવાં મંદિરે અને નવી દેરીએથી એને (પહાડના શિખરને) ઢાંકી દેવામાં આવી રહ્યું છે. આ ઇમારતે કેવળ ભવ્યતામાં જ નહીં પણ સુંદરતા અને એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy