SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાપાના કરારો ૩૯ યાત્રાત્યાગના ઠરાવ કરેલા તેને બે વર્ષ થયાં તે આપ મહાનુભાવાના જાણુવામાં છે. આ ઠરાવનુ" પિરપાલન અત્યાર સુધી ઘણી શાભાં આપે તેવી રીતે થઈ રહ્યુ છે તે આપ પૂજ્યેાના ઉપદેશનું પરિણામ છે એમ કહેવામાં આવે તા તે ખોટુ નથી. આપ સાહેખાને તા. ૨૬-૩-૧૯૨૭ ના અહીંના જાવક નંબર ૫૪૭ થી અમેએ વિનતિ કરેલી. તેવી જ રીતે આ વખતે પણ સંવત ૧૯૮૪ની ચૈત્રી પૂર્ણિમા પાસે આવે છે માટે આપ પૂજ્યેાને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપ જ્યાં જ્યાં બિરાજમાન હૈ! ત્યાંના અને વિહારમાં જે જે સ્થાનામાં ઉપદેશના પ્રસ`ગ આવે ત્યાંના સધાને ઉપદેશ દ્વારા યાત્રાત્યાગના ઠરાવને વધારે મજબૂત રીતે વળગી રહેવાની સૂચના આપવાની તસ્દી લેશેા. યાત્રાત્યાગ આપણા કાર્યની સિદ્ધિ માટે મીન ઉપાયેાની સાથે એક સંગીન ઉપાય છે તેટલા માટે આપ સર્વ ભાઈઓ અને બહેનને એના અવલમ્બનમાં અડગ રહેવા યોગ્ય ઉપદેશ આપશો કે જેથી સમય પાકતા આપણા કાની સિદ્ધિ આપણે મેળવી શકીએ. એ જ વિજ્ઞાપના. તા. સદર “ સાં. દે. * શ્રીસંધ જોગ માકલવામાં આવેલ પરિપત્ર નીચે પ્રમાણે હતા— જાવક નંબર ૬૧૬ ૬ શ્રી ગામ “ જોગ, “કસ્તુરભાઈ લાલભાઈ “ ની વંદના ૧૦૦૮ વાર અવધારશોજી. ’ ... Jain Education International (૨) “અમદાવાદ, તા. ૧૯ મી માહે મા સને ૧૯૨૮ ના સધ સમસ્ત tr • વિશેષ. જયજીનેન્દ્ર સાથ જણાવવાનુ` કે શ્રી પવિત્ર શત્રુજય તીર્થ સંબંધમાં પાલીતાણા દરબાર સ.મેના આપણા કૅસેટમાં કાઠીઆવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ સાહેબે આપણા વિરૂદ્ધ ઠરાવ આપતાં તે સામે આપણે નામદાર વાઈસરોય સાહેબને અપીલ કરેલી છે, તે અપીલના ચુકાદો હજી હાંસલ થયેલા નથી. દરમ્યાન જ્યાં સુધી સદરહુ કેસનુ" સતાષકારક પરિણામ ન આવે ત્યાં સુધી શ્રી સકળ સંઘે શ્રી શત્રુંજયની યાત્રા-ત્યાગના ઠરાવ કર્યો છે તે અનુસાર લગભગ બે વર્ષ સુધી યાત્રાત્યાગનું અવર્ણનીય દુઃખ પૂર્ણ સંયમથી સહન કરી તે ઠરાવને આખા હિંદુસ્તાનના આપણા સ` ભાઈઓએ અડગ રીતે વળગી રહી સદરહુ ઠરાવનુ" યથા” પાલન કર્યું છે એ હકીકત જૈન કામની સ્વમાનની લાગણી, શાન્તિપ્રિયતા અને ન્યાયપરાયણતા સ્વતઃ સિદ્ધ કરે છે; અને તે માટે આપણે અભિમાન લેવા જેવું છે, યાત્રાત્યાગનું આ સબળ શસ્ત્ર આપણા કાર્ય માટે એક અણુમાલુ સિદ્ધિનું સાધન છે. અને ધૈર્ય િ ખાતાં તેને તેવી જ અડગતાથી વળગી રહેશુ. તા તે આપણા કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં બીજી પ્રવૃત્તિઓની સાથે અવશ્ય મદરૂપ થશે. “ આવતી તારીખ ૧ લી એપ્રીલ એટલે સંવત્ ૧૯૮૪ ના ચૈત્ર સુદ ૧૨ ની મીતિ યાત્રાત્યાગના ત્રીજા વર્ષની શરૂઆતના દિવસ છે તથા તા. ૫ મી એપ્રિલના રાજ પવિત્ર ચૈત્રી પૂર્ણિમા છે. માટે તા. ૧ લી એપ્રીલના દિવસે સર્વાં સ્થળાના સ`ઘે.એ સભા ભરી યાત્રાત્યાગમાં અડગ રહેવા સવ ૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy