SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કેટ શેઠ આ કની પેઢીના તિહાસ નવું વધારે મજબૂત મંદિર ચણાવવા ખૂબ ઉત્સુક બની ગયુ. અને તેઓ તરત જ પાલીતાણા જઈ પહાચ્યા. ત્યાં જઈને મુખ્ય સ્થપતિ તેમ જ ખીજા શિલ્પીઓને એકત્ર કરીને એમણે એમની સાથે એ વાતની ચર્ચા કરી કે મંદિર એકાએક પડી જવાનું શું કારણ છે? મુખ્ય સ્થપતિ આનું કારણુ તા ાણુતા હતા, પણ એ કહેતાં એમને સાચ થતા હતા. બાહુડ મંત્રીને એ સમજતાં વાર ન લાગી અને એમણે તરત જ કહ્યું કે, આમ થવાનું જે કંઈ કારણુ હાય તે તમે વિના સંકા૨ે મને કહેા. મારે તે દેવાધિદેવનું ખુબ રળિયામણું અને કાળની સામે ટકી શકે એવું મજબૂત મદિર બંધાવીને મારા પૂજ્ય પિતાની આજ્ઞાનું પાલન કરવુ છે; સાથે સાથે મારા વન અને ધનને પણ કૃતાર્થ બનાવવું છે. મુખ્ય સ્થપતિએ ખુલાસેા કરતાં કહ્યું કે, “મંત્રીશ્વર ! જે મન્દિર પડી ગયુ. તે અમે ભમતીવાળુ' બનાવ્યું હતુ. અને આટલે ઊંચે ભમતીવાળું મદિર ખનાવવા જતાં ઝંઝાવાત કે વાવાઝોડા વખતે દેવપ્રાસાદમાં જે હવા ભરાઈ જાય છે, તેને બહાર નીકળવાની પૂરતી જગ્યા મળતી નથી, તેથી તે હવાના જોશને લીધે મંદિરના ભંગ થઈ જાય છે.” એના જવાબ આપતાં મંત્રીશ્વરે તરત જ કહ્યું : “ જો એમ છે તા હવે પછી જે જિનપ્રાસાદની રચના કરવાની છે, તે ભમતી વગર જ કરેા, જેથી અત્યારે કે ભવિષ્યમાં પણ એને કયારેય કુદરતી આફતને કારણે કશું પણ નુકસાન પહેાંચવા ન પામે.” સ્થપતિએ સંકોચપૂર્વક કહ્યું : “ આપનું કહેવું તેા સાચુ' છે, પણ ભમતી વગરનું દેરાસર કરવા જતાં, શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ, એમાં એક મેટા દાષ સેવવા પડે છે.” મંત્રી : “એવા શા દોષ છે ? ' સ્થપતિ ઃ “ એમાં મહાન દોષ એ છે કે જે વ્યક્તિ ભમતી વગરનું જિનાલય બધાવે છે, તેના વંશવેલા વધા નથી—તે નિઃસ ંતાન રહે છે ! ' મહામ`ત્રી : “ બસ, એટલુ· જ ? એહે!, એમાં આટલા બધા શા માટે સંકોચાએ કે મૂ ઝાએ છે? મહાતીર્થના આ મહાગિર ઉપર ધર્મના સ મંગલકારી સદેશે ફેલાવતું. મજબૂત જિનાલય બનતું હેાય તો, નિઃસંતાન રહેવું મને મજૂર છે. ધર્મના ભાગે મને સંતતિ મળે એવી કાઈ લાલસા મને સતાવતી નથી.' મત્રી બાહુડના આ જવાબ એ એમના જીવન સાથે એકરૂપ બની ગયેલ ધર્મશ્રદ્ધા, દેવસેવા, સમર્પ`ણુભાવના અને પિતૃભક્તિની કીર્તિગાથા બની રહે એવે છે. મંત્રીશ્વરની આ ભાવનાના પાયા ઉપર જે ઉત્તુંગ અને મજબૂત જિનપ્રાસાદ રચાયા, તેના કેટલાક અવશેષો તા અત્યારના જિનાલયમાં પણ વિદ્યમાન છે અને જાણે એ મંત્રીશ્વરની ધર્માંરુચિની કીતિ ગાથા સંભળાવી રહ્યા છે ! આપણા ધર્મપ્રશ'સક અને જ્ઞાનસાધક શ્રમણ ભગત્રાએ આ વિરલ ઘટના અંગે મંત્રી બાહુડની જે પ્રશસ્તિ કરી છે, તે પાવન કરે એવી હાવાથી તેના થાડાક આસ્વાદ લઈએ— (i) भ्रमतीयुते प्रासादे पवनप्रविष्टो न निर्यातीति स्फुटनहेतुं शिल्पिभिनिर्णीय भ्रमतीहीनेषु प्रासादेषु निरन्वयताकारणं ज्ञात्वा मदन्वयाभावे धर्मसंतानमेवास्तु | पूर्वोद्वारकारिणां श्रीभरतादीनां पंक्तौ नामाऽस्तु । —કુમારપાલપ્રતિબાધપ્રબંધ, પૃ॰ ૬૧. (ii) सभ्रमे प्रासादे पवनः प्रविष्टो न निर्यातीति स्फुटन हेतुं शिल्पिभि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy