SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મજાન -મન - ------ --im mi r , ૫૮ શેઠ આર કટની પેઢીને ઇતિહાસ માહિતી જેણે આપી હશે, અથવા કયા આધારે આપવામાં આવી હશે, કે એમણે કેવી રીતે સેંધી હશે, એવો સવાલ સહેજે થાય છે. : , પાટણની પડતી શરૂ થઈ ત્યારે શ્રી શત્રુંજય તીર્થને વહીવટ, આગળ સૂચવવામાં આવ્યું છે. તેમ, આચાર્ય શ્રી વિજયરાજસૂરિની સલાહ મુજબ, પાટણ, ખંભાત અને રાધનપુર શહેરનાં જૈન સંઘના આગેવાને સંયુક્તપણે સંભાળતા હતા, એ વાત તે વિક્રમના પંદરમા સિકાના અંત ભાગને લગતી છે અને કર્નલ ટેડે તે શ્રી શત્રુંજય તીર્થની મુલાકાત છેક, વિક્રમની ઓગણીસમી સદીના અંતભાગમાં (ઈ. સ. ૧૮૨૨=વિ. સં. ૧૮૭૮માં લીધી હતી, એટલે એમને મળેલી અને એમણે પિતાના પ્રવાસવર્ણનમાં નેધેલી, આ તીર્થને વહીવટ ગુજરાતનાં જુદાં જુદાં શહેરના ધનવાન આગેવાને સંભાળતા હોવાની વાત નિરાધાર છે, એ સ્પષ્ટ છે. વળી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પદ્ધતિસરનું (કાયદેસરનું) બંધારણ સૌથી પહેલાં, કર્નલ ટેડની પાલીતાણાની મુલાકાત પછી ૫૮ વર્ષે એટલે કે ઈ. સ. ૧૮૮૦ની સાલમાં ઘડાયું હતું, એટલે આ બંધારણમાં કરવામાં આવેલ જુદાં જુદાં શહેર–પ્રદેશના સ્થાનિક પ્રતિનિધિઓની નિમણુકની જોગવાઈને અનુલક્ષીને કર્નલ ટેડે આ પ્રમાણે લખ્યું "હાય એ પણ બનવા જોગ નથી. સંભવ છે, કદાચ વિક્રમની પંદરમી સદીમાં શ્રી શત્રુ. જય તીર્થનો વહીવટ જુદાં જુદાં શહેરેના વગદાર જૈન આગેવાને સંભાળતા હોવાનો ઉલ્લેખ ક્યાંકથી વાંચીને એમણે આ પ્રમાણે લખી દીધું હોય અથવા તો આ તીર્થની સાચવણી સમસ્ત જૈન સંઘ કરે છે, એવા મતલબની માહિતી એમને આપવામાં આવી હોય અને એના ઉપરથી એમણે આ પ્રમાણે લખ્યું હોય. એ ગમે તેમ હોય, પણ શ્રી શત્રુંજય તીર્થનો વહીવટ બાબતમાં કર્નલ ટેડે આપેલ આ હકીકત વસ્તુસ્થિતિથી જુદી અને કંઈક ભ્રમ ઊભો કરે એવી છે, એટલું નિશ્ચિત છે. નિર્ણાયક સમય વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધનો સમય શ્રી શત્રુંજય તીર્થના વહીવટની દૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર અને નિર્ણાયક હતું, તેની મુખ્ય મુખ્ય વિગતો આ પ્રમાણે છે– - (૧) પાલીતાણા પરગણું ગોહિલવંશની રાજસત્તા નીચે આવી ગયું હતું, અને એની રાજધાની ગારિયાધારમાં હતી. : : (ર) ભાવનગર રાજ્ય અને ગાયકવાડ સરકારની આ પરગણા ઉપરની હકૂમતમાં જે દખલગીરી હતી, એને માટે ભાગે અંત આવ્યો હત–માત્ર પાલીતાણું રાજ્ય ગાયકવાડ સરકારને દર વર્ષે અમુક રકમની ખંડણી આપવી પડતી હતી, એટલા પૂરતી આ દખલગીરી ચાલુ રહી હતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy