SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૬ શેઠ આ કરની પેઢીને ઇતિહાસ આ તીર્થભક્તિ અને તીર્થરક્ષાની કામગીરી બજાવવા ઉપરાંત આ પ્રમાણે એક મોટી પાંજરાપોળ ચલાવીને પ્રાણરક્ષાનાં કામ હમેશાં થતાં રહે એ અંગેની જવાબદારીની બાબતમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અન્ય તીર્થસ્થાનેને વહીવટ સંભાળતી પેઢીઓથી જુદી પડે છે, એ આ હકીક્ત ઉપરથી જોઈ શકાય છે. અથવ્યવસ્થા પેઢીના વહીવટમાં સૌથી જટિલ અને મુશ્કેલ ગણી શકાય એવું કામ છે, એની અર્થવ્યવસ્થાને સંભાળવાનું અને ધર્મબુદ્ધિથી અપાયેલ ધનની સાચવણું કરવાનું. આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે, તીર્થસ્થાને, જિનમંદિર તથા અન્ય ધર્મ સ્થાનમાં બેલી દ્વારા, ભંડારમાં ના ખવારૂપે, કે ટીપ કે ફાળામાં નોંધાવવામાં આવેલી રકમરૂપે અથવા જ્ઞાન-ખાતામાં, વૈચ્યાવર-ખાતામાં યા સાધારણ-ખાતામાં જે કંઈ નાણાં એકત્ર થાય છે, તે ધર્માનુરાગી સગૃહસ્થ તથા સન્નારીઓ દ્વારા પોતાની ધર્મભાવનાને કૃતાર્થ કરવાની ધર્મબુદ્ધિથી આપવામાં આવેલ હોય છે. એટલે એને વહીવટ પણ એવી ચીવટ, ધર્મબુદ્ધિ તથા પાપભીરુતાપૂર્વક કરવાનું હોય છે કે જેથી એની પાઈએ પાઈ લેખે લાગે એ રીતે વપરાય અને કશું પણ નુકસાન વેઠવાનો વખત ન આવે. આવક લાખો રૂપિયાની હોય, ખર્ચ પણ લાખો રૂપિયાને થતું હોય અને અનેક તીર્થસ્થાનોની કરોડોની સ્થાવર તથા જંગમ મિલકતને વહીવટ સંભાળવાન હોય, ત્યારે એ જવાબદારીને, દેષરહિતપણે, સાંગોપાંગ પૂરી કરવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે, એ તે અનુભવથી જ સમજી શકાય એવી બાબત છે. આ માટે પેઢીએ જે તકેદારી રાખી છે અને વ્યવસ્થા ગોઠવી છે, એ બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી અને પિઢીને આર્થિક નુકસાનીના પ્રસંગોમાંથી સર્વથા નહીં તો પણ ઘણા મોટા પ્રમાણમાં મુક્ત રાખે એવી છે. પેઢી પિતાના અર્થતંત્રને આવું નમૂનેદાર અને કાર્યક્ષમ બનાવી શકી છે, તેમાં બે બાબતે ખાસ ધ્યાન ખેંચે એવી છે. એક તો, પોતે નાના કે મેટા જે કોઈ કાર્યની જવાબદારી સ્વીકારી હોય એને આર્થિક ચિંતાથી મુક્ત અને સધ્ધર બનાવવાની અને એમાં ક્યારેય પૈસાનો બગાડ થવા ન પામે એની પૂરી ચીવટ રાખવાની વણિક કેમની સહજ-સુલભ પ્રકૃતિ અને બીજી બાબત છે, એમાં ભળેલી એ ધર્માધનનું પૂરેપૂરું જતન કરવાની ધર્મબુદ્ધિપ્રેરિત જાગૃતિ. શ્રી શત્રુંજય તીર્થના રખોપા નિમિત્તે તે વખતના પાલીતાણા રાજ્યને દર વર્ષે આપવાની રકમને સવાલ હોય કે એવી જ કોઈ બીજી આર્થિક જવાબદારીને પૂરી કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy