________________
પ્રકરણ ચોથું અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ અસંવ્યવહાર નગર :
આ લેકમાં અતિપ્રસિદ્ધિને પામેલું અસંખ્યવહાર નામનું નગર છે. આ નગરનું જેવું નામ છે એવા જ એના ગુણ રહેલા છે. અનંતાનંત લોકો આ નગરમાં વસેલા છે.
આ નગરમાં અનાદિવનસ્પતિ” નામના કુળપુત્રો રહે છે. અને કર્મ પરિણામ મહારાજાએ આ કુળપુત્રો ઉપર પોતાની આજ્ઞાનું કડકાઈથી બરોબર પાલન કરાવી શકવામાં સમર્થ
૧ અસંવ્યવહાર–સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. જે હજુ સુધી એ સ્થાન છેડીને આગળ ન ગએલ હોય. આનું વર્ણન આગળ આવશે. અનાદિ નિગોદ સમુહને અસંહાર નગરની ઉપમા આવી છે. - ૨ અનાદિ વનસ્પતિ–ઉપર પ્રમાણે જ સમજવું. નિગોદી સમુહને અસંવ્યવહાર નગર જણાવ્યું છે ત્યારે તેમાં રહેલ જીવને અનાદિ વનસ્પતિ જણાવેલ છે.