________________
રહo
ઉપમિતિ કથા સદ્ધાર તરવરતી હતી. ગમે તે ભેગે મદનકંદલીના શરીરને ભેગસ્પર્શ કરવો જ જોઈએ, એ વિચારમાં ખૂબ ઊંડો ઉતરી ગયે. પરિણામે એ મગજને કાબુ ગુમાવી બેઠે. જ્ઞાનતંતુઓ શૂન્ય બની ગયા. વિમનસ્ક થઈ ગયે.
શરીરમાં કઈ ભૂત પિશાચે પ્રવેશ કર્યો હોય તેમ ઊભું થાય છે. એ દુબુદ્ધિને પિતાના વડિલ ભાઈઓ પડખે બેઠાં છે, મહારાણીની પાસે જ મહારાજા બેઠેલાં જ છે, આચાર્ય ભગવંત ઉપદેશ આપી રહ્યાં છે, અનેક શ્રોતાઓની વિદ્યમાનતા છે, તે કશું ખ્યાલમાં ન રહ્યું અને મહારાણી મદનકંદલી તરફ દોટ મૂકી.
અકાળે શ્રોતાગણમાં હાહારવ થવા લાગે. “અરે! આ નરાધમ શું છે? અરે! આ દુષ્ટ પાપી કોણ છે?” વિગેરે અવાજે થયા, તેથી રાજાએ તરફ નજર ફેરવી કોલાહલ થવાનું કારણ શું છે? એ તપાસવા લાગ્યા, ત્યાં બાળ એમની નજરમાં આવી ગયે.
બાળના નેત્રના વિકારે અને શરીરના આકારથી રાજાને એના દુષ્ટ આશયને તરત જ ખ્યાલ આવી ગયે. અને રાજાનાં નેત્રે ક્રોધથી અંગારા જેવા લાલઘુમ બની ગયાં, મુખ વિકરાળ બની ગયું. જેથી હુંકારે અને ગર્જના કરી. - રાજાની હંકાર–ગર્જના સાંભળતાં જ બાળને