________________
ઉપમિતિ કથા સારાદ્વાર
મને થયું કે જો હું મારી સત્યવાત જણાવીશ તે એ આને નહિ ગમે. ન ગમે તેવી વાત કહેવાના શે! અથ ? કહેવા જતાં અધેથી વિપરીત ઉત્તર સાંભળવા પડે છે. એમ વિચારી કહ્યું.
૪૦૦
ભાઈ ! એ વાત તું જવાદે, વાતમાં કાંઈ માલ નથી. ન સાંભળવી એજ વધુ ઉત્તમ છે.
શું એ વાત મારાથી પણ ગુપ્ત રાખવા જેવી છે ? મેં કહ્યુ, હા.
હું મિત્ર! એમ ન અને, તારે એ વાત મને જણાવવી પડશે. એના વિના મને ચેન નહિ પડે. ગુપ્ત વાત હશે તે બીજાને એની જાણ નહિ થવા દઉં. તુ વિશ્વાસ રાખ. મારાથી તું છાનું છાનું રાખે એ કાંઈ ઠીક કહેવાય ?
હું સરાજનેત્ર! મને વિચાર થયા કે આ કનશેખર મારી આજ્ઞાના આનાદર કરે છે? ઠીક ત્યારે, આ ભાઈ સાહેબને પણ મજા બતાવી દઉં ! એમ વિચારી મારી કમરમાંથી મે કટારી ખેંચી કાઢી.
હાથ ઉગામી કનશેખરને કટારી મારવા દોડયા ત્યાં કનકચૂડ વિગેરે બેબાકળા થઈ દોડી આવ્યા.
કનકશેખરની ધ શ્રદ્ધાથી અને એના સાત્વિક ગુણાથી આકર્ષાએલા દેવતાએ એ બધાનાં જોતાં જ ત્યાંથી ઉપાડો અને ક્ષણવારમાં કનકચૂડના દેશની સીમાના છેડે મને મૂકી દીધા.