Book Title: Upmiti Saroddhar Part 01
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 474
________________ : કર ઉપસંહાર એ ઉપરાંત ત્યાં ક્ષેત્રની ઘણી પીડાઓ થઈ, વળી પરમાધામી દેવતાઓએ ત્યાં અમને ઘણે ત્રાસ આપે. અનેક જાતજાતના દુખે ભેગવતાં અમારે સાત સાગરોપમને કાળ પસાર થયે. ત્યાર પછી એક નવીન ગળી આપીને ભવિતવ્યતા અમને પંચાક્ષનિવાસ નગરમાં લઈ આવી. અમને નળીયાનું રૂપ આપ્યું. આટલી હેરાનગતિએ અમે વેઠતા આવ્યા તે પણ અમારૂં વેર શાંત ન થયું. અમારી મારામારી બંધ ન થઈ. ક્રોધ અને ઈર્ષા બંધ ન થયાં. નેળીયા તરીકે પણ અમે એક બીજાને પ્રહાર કરતાં લેહી લુહાણ બનાવતા હતા. એમ કરતા આપેલી ગળી જીર્ણ થતાં નવી ગળી અમને આપી. એ ગોળીના પ્રભાવથી પાપિણ્ડ નિવાસ નગરના શર્કરામભા નામના બીજા પાડામાં ગયા. અમારું રૂપ ઘણું જ બીભત્સ બનાવ્યું. એક બીજાને દાટ વાળી નાખવાને અમારે પ્રયત્ન ચાલુ જ રહે. પરમાધામીની અને ક્ષેત્રની વેદનાઓ પણ ચાલુ જ હતી. આ રીતે ત્રણ સાગરોપમને સમય અમે દુઃખમાં જ પસાર કર્યો. - આ રીતે એક વાર “પાપિચ્છનિવાસ” નગરમાં અને પંચાક્ષનિવાસ” નગરમાં, ત્યાંથી પાછા “પાપિચ્છનિવાસ” નગરમાં. એમ અહિંથી ત્યાં અને ત્યાંથી અહીં હડસેલા ખાતા અને પેલા ધરાધર સાથે લડાઈ કરતા રહેતા. આ પ્રમાણે ભવિતવ્યતાના યેગે અનેક રૂપ ધારણ કર્યા.

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480