________________
વિધિની વકતા
૩૯૫
પરંતુ નંદિવર્ધન રાજકુમાર ચેરના ટેળામાં ક્યાંથી હેય ? એ સંભવિત ન ગણાય. “વિઃ વિવિત્રણ ચરિત્રા”િ ભાગ્યની રમત જુદી જ હેય. કર્મો કયારે કેવી કરૂણ દશા કરે એ કાંઈ કહી ન શકાય. આ નંદિવર્ધન કુમાર પણ હોઈ શકે.
મને બારીકાઈથી નિરીક્ષણ કરી જોવા લાગ્યા. છેવટે નિર્ણય કર્યો કે આ નંદિવર્ધન કુમાર જ છે. એમણે પુરાણ પ્રેમને પલ્લવિત કરી સિંહાસનથી ઊભા થઈ મને ભેટી પડયા.
આ પ્રસંગને નિહાળી સભા આશ્ચર્ય વિમૂઢ બની ગઈ. શ્રી વિભાકર નરપતિએ પ્રેમ પૂર્વક પિતાના અર્ધાસન ઉપર બેસાડ. ઉદાર દિલે એમણે પૂછયું, “હે બંધુ ! આ શું હકીક્ત છે? આપની આવી કઢંગી દશા કેમ થઈ?”
સન્માન આપનાર વિભાકરનું ખૂન મેં મારી અવદશાનું સત્ય કારણ કહી સંભળાવ્યું.
વિભાકરે કહ્યું, એ બંધુ ! આ આપે સુંદર કર્યું ન ગણાય. માતા, પિતા, ભાઈ, ભગિની, ભાર્યા, મંત્રી વિગેરેની ક્રૂર હત્યાઓ જન્મ જન્માન્તરે સુધી મહાકલેશ અને યાતનાઓનું કારણ બને છે. દુર્ગતિ, દુઃખ અને સંતાપ એ એના ફળે હેાય છે. આ કાર્ય કરૂણા વિનાનું અને આપને ન શેભે તેવું ગણાય.
વિભાકરની હિતશિક્ષા સાંભળી હિંસા અને વૈશ્વાનરની આધીનતાના કારણે મને વિચાર આવ્યું “આ પણ મારો