Book Title: Upmiti Saroddhar Part 01
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 441
________________ ૩૦૪ ઉપમિતિ કથા સારે દ્વાર એક કુટલા ઠીકરામાં જેવું તેવું મને ખાવા આપ્યું. રાજમહેલના સુંદર ભેજન યાદ આવ્યા. આ ખાવા માટે મન માને નહિ, પણ સુધા એવી સખત લાગેલી કે એ નફરત ભર્યું ભેજન મારે કમને ખાવું પડ્યું. મારું પેટ પાતાળે પહોંચેલું એટલે ખાધા સિવાય ચાલે તેમ હતું જ નહી. પ્રતિદિન આ ભજન મને ભીલ આપતું અને કચવાતે મને હું ખાતે. જીવતાં છતાં મરેલા જેવી મારી દશા હતી. તુછ ભેજન પણ પેટ ભરીને ન મળતું. મારા શરીરમાં માંસ, લેહી જણાતાં જ ન હતાં. હાડપિંજર ઉપર ચામડું મઢ્યું હોય એવો મારે દેખાવ બની ગયે. કનકપુરમાં બંદી થઈને જતાં વિભાકરનું એાળખવું: મહા પાપી દુષ્ટાત્મા આ ચેર લેકેની પલ્લી ઉપર કનકપુરના મહારાજાના લશ્કરે છાપો માર્યો. ચેરેને આ વાતની જાણ થતાં પલ્લી છડી જંગલ તરફ નાસી ગયા. રાજાની આજ્ઞાથી લશ્કરે પલ્લીને લુંટવી ચાલુ કરી. એમાં જેટલા માણસો હતા એને પકડવામાં આવ્યા. મારે વારે પણ આવી ગયે. અમને સૌને પકડી કનકપુર લઈ જવામાં આવ્યા. મહારાજા શ્રી વિભાકર કેદ થયેલા દરેક શેરોને જોવા લાગ્યા. એમાં મને પણ જે. મને જોતાં જ વિચારમાં પડી ગયા. અરે ! આ શું આશ્ચર્ય ? આ તે દાવાનળથી દાઝી ગયેલા વૃક્ષના ઠુંઠા જે શ્યામ કેદી નંદીવર્ધન કુમાર જે જણાય છે.

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480