________________
૩૦૬
ઉપમિતિ કથા સાદ્ધિાર શકે ખરૂં? મનીષી જેવી શુભનિષ્ઠા બીજામાં પણ સંભવી શકે ?
આચાર્ય શ્રી – હે રાજર્ષિ ! મનીષીકુમારની માતા શુભસુંદરી છે, એ વાત તમને અગાઉ જણાવી ગયા. તમને આ વાત ખ્યાલમાં પણ હશે. એ ગુણવતી શ્રી શુભ સુંદરીના જેટલા પુત્રરત્ન છે તે બધા મનીષીકુમાર જેવા શુભ અને સ્વચ્છ પરિણામ વાળા હોય છે.
રાજર્ષિ શત્રમર્દન મર્મ તત્ત્વ પામી ગયા. છતાં અન્ય શ્રોતાઓને આ વિષયને સ્પષ્ટ બોધ થાય એ ખાતર પુનઃ પ્રશ્ન કરે છે.
હે ભગવંત ! શું શુભસુંદરી રાણીને ઘણા પુત્રો છે?
આચાર્ય શ્રી હે આયુષ્યન! ત્રણલેકની અંદર જે આત્માએ મનીષકુમાર જેવા નિર્મળ હૃદયવાળા છે. તે સૌ શુભસુંદરીના જ પુત્ર ગણાય છે.
વળી જે આત્માઓ મધ્યમબુદ્ધિ સાથે ગુણદોષમાં મળતાં આવે તે બધાને સામાન્ય રૂપાના પુત્ર સમજવા અને બાળ જેવા અધમ પુરૂષને અકુશળમાળાના પુત્ર જાણી લેવા.
રાજર્ષિ- હે ભગવન! જે આપ કહે તેમજ હોય તે એને અર્થ મારી જાણ મુજબ એવું જણાય છે કે કર્મ વિલાસ રાજાને શુભસુંદરી સામાન્યરૂપ અને અકુશલમાલા એ ત્રણ રાણીઓ છે. રાણીને ઉત્તમ મધ્યમ અધમ એમ ત્રણ કક્ષાના પુત્ર છે. આ ત્રણ પ્રકારમાં વિશ્વના તમામ