________________
--
-
: ૨as
12ઉપમિતિ કથા સારોદ્ધાર પરમાણુઓની બનેલી એ સ્ત્રી અને એના જેવા બીજા, પ્રાણીઓ આ સભામાં સત્વહીન બની જાય છે, એટલે તે તમારા શરીરમાંથી નીકળી દૂર જઈને બેઠી છે. એ તમારી રાહ જુવે છે. કાલજ્ઞ અને વિચક્ષણ સભામાંથી બહાર નિકળે અને હું કયારે એમના શરીરમાં પ્રવેશ કરૂં, આ વિચાર કરી રહી છે. ભેગતૃષ્ણને નાશ કયારે ? | હે તારક! આ “ભગતૃષ્ણાની ” લપથી અમારે છૂટકવાર કયારે થશે ? એ અમને કયાં સુધી પરેશાન કર્યા કરશે? કાલજ્ઞના આ પ્રશ્નના ઉત્તરમાં પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું કે–
“આ ભવની અંદર તમે સર્વથા ભગતૃષ્ણને તિલાં- જલિ આપી શકવાના નથી. એને સર્વાશે તજી શકવાની તમારામાં હાલમાં શક્તિ પણ નથી. પરંતુ ગતૃષ્ણાને નાશ કરવાની શક્તિને આપનાર સમ્યકત્વને તમે પામ્યા છે. આ ભવની અંદર શક્ય હોય ત્યાં સુધી ભેગતૃષ્ણને અનુકૂળ હોય એવું ન આચરવું. વિકારી વાસનાઓને અનુકૂળ ન થવું. આવા પ્રયત્ન દ્વારા ધીરે ધીરે તમે ભેગતૃષ્ણાના સંપૂર્ણ નાશ કરવાની શક્તિ મેળવી શકશો.”
વ્યંતર દંપતિ ગુરૂદેવશ્રીના મુખથી આ ઉપાય સાંભળીને અતિ ઉલસિત થયાં. “આપે અમારા ઉપર મહાન ઉપકાર કો’ એ પ્રમાણે બોલી, ગુરુદેવને વંદના કરી.