________________
૨૫૬
ઉપમિતિ કથા સાહેદ્ધાર એના નસીબમાં પણ લખાએલી હોય છે. - ગુરૂદેવે આ સ્થાને પાંચ ઈન્દ્રિયના વિષયની કુટીલતાને ઘણી બારીકાથી સમજાવી. તેથી મનીષીના ભાવે કેમળ થયા અને તત્વજિજ્ઞાસા થઈ. ગુરૂદેવે આગળ જણાવ્યું | હે મહાનુભાવ! પાંચે ઈન્દ્રિયની વાત શું કરવી ? અરે ! એક સ્પર્શનેંદ્રિય પણ જગતને વશીભૂત કરવા માટે સમર્થ છે. પાંચ ઇન્દ્રિયે ભેગી થાય તે પછી પૂછવાનું જ શું રહે?
રાજા–ભગવાન ? આ વિશ્વમાં એવા પણ કઈ બળવાન પુરૂષ છે કે નહિ જેણે આ પાંચ ઈન્દ્રિયે પર જય પ્રાપ્ત કર્યો હોય ?
આચાર્ય શ્રી–હે રાજન ! ઈન્દ્રિયને વશ કરી એના ઉપર જિત મેળવનારા જગતમાં સર્વથા નથી, એમ તે નથી. જ પરંતુ ઘણાં જ અલ્પસંખ્યક એવા વિજેતા હોય છે. ઇંદ્રિય વિજેતા એ જ મહા વિજેતા છે. તમારે આ સંબધીકારણ જાણવું હોય તે સાંભળે. ચાર પ્રકારના પુરૂષની જગતમાં વિધમાનતા ? * આ જગતમાં ચાર જાતના પુરૂષ હોય છે. ગુણની અધિક્તા અને હીનતાના કારણે પુરૂષો ચાર પ્રકારમાં વહેંચાઈ જાય છે. ૧. જધન્ય ૨. મધ્યમ ૩. ઉત્કૃષ્ટ ૪ ઉત્કૃષ્ટતમ આ ચાર પ્રકારે છે.