________________
પ્રણાલીગત રીતે જંબુના પ્રશ્નોના ઉત્તરરૂપે સુધર્માસ્વામીએ બાર અંગોનો નિર્દેશ કર્યો અને પછી જંબુસ્વામીએ ચોર કે જે પછીથી યતિ પ્રભાવ તરીકે ઓળખાયા તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકેની જવાબદારી સોંપી અને ત્યારપછી તેઓ ચુંમાળીસ વર્ષ જીવ્યા.
પ્રભવસ્વામીએ અગિયાર વર્ષ સુધી ધુરા સંભાળી શયંભસ્વામીએ તેમનું સ્થાન લઈને 23 વર્ષ સુધી ધુરા સંભાળી અને તેમના ઉત્તરાધિકારી તરીકે યશોભદ્ર પચાસ વર્ષ સુધી પદ સંભાળ્યું.
યશોભદ્રને બે શિષ્યો હતા કે જેઓ તેમના ઉત્તરાધિકારી બન્યા. એક તો સંભૂતિવિજય કે જેઓ આઠ વર્ષ સુધી ઉપદેશક તરીકે રહ્યા અને ત્યારપછી ચૌદ વર્ષ સુધી ભદ્રબાહુએ તે પદ ગ્રહણ કર્યું.
જ્યારે ભદ્રબાહુએ સંઘનું નેતૃત્વ લીધું હતું તે સમયમાં મગધમાં બારવર્ષ સુધી ભયંકર દુકાળ પડ્યો. ભદ્રબાહુને વાસ્તવિકતા સમજાઈ કે પ્રજા પર ભારે કરવેરા નાખ્યા વગર ગુજરાન ચલાવવું સહેલું નહોતું. વળી તેમને એમ પણ લાગ્યું કે ધર્મના કાયદાઓ અને પ્રથાઓને વળગી રહેવું એ પણ શક્ય નથી, અને એમ કહેવાય છે કે તેઓ પોતાના 12000 શિષ્યો સાથે દક્ષિણમાં કર્ણાટક તરફ ગયા અને પોતાની પાછળ ધર્મના વડા તરીકેનું સુકાન સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્રને સોંપતા ગયા.
આ કપરા કાળમાં અંગોનું જ્ઞાન જે પ્રણાલીગત રીતે અનુગામીને આપવામાં આવ્યું હતું તે ધીમે ધીમે ભુલાઈ ગયું, અને તેને સંપૂર્ણ રીતે નષ્ટ થવામાંથી બચાવવા માટે ઈ.સ. પૂર્વે 300માં પાટલીપુત્રમાં એક સભા બોલાવવામાં આવી. બધાં જ અગિયાર અંગોને સંગૃહિત કરવામાં આવ્યાં, પરંતુ ચૌદ પૂર્વો કે જે મૂળભૂત ધાર્મિક સિદ્ધાંતોનું હાર્દ હતું તેમને તે અંગેના જ્ઞાનના અભાવે સંપાદિત કરી શકાયા નહિ. એકલા ભદ્રબાહુને તેનું જ્ઞાન હતું. પરંતુ જ્યારે દુષ્કાળ પછી તેઓ પાછા ફર્યા ત્યારે ફરીથી પાછા તેમને નેપાળ જવાનું થયું અને ત્યાં તેમણે મહાપ્રાણવ્રત' નામનું તપ આદર્યું. ભદ્રબાહુ પાસેથી ઉપરોક્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નેપાળમાં એક પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરંતુ ઉપરોક્ત હેતુ માટે મોકલવામાં આવેલા પૈકી સ્થૂલભદ્ર સિવાયના બધા થોડા જ સમયમાં થાકી ગયા અને તદન ખાલી હાથે પાછા ફર્યા. દસ પૂર્વોનું અધ્યયન જ્યારે