Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
भाचिनचानंमत्रीपूरनीज ( JUટૂ ફાલ્ય હ :
S
Duો/તીચંદ
કાપ
"
[ આ લેખમાં ચરિત્રનાયક શ્રી આત્મારામજીની કવિતાનાં સ્તુતિ-ગાન લેખકે કર્યો છે. તેની થોડી વાનગી આપી છે અને છેવટે તેના સમગ્ર કાવ્યસાહિત્યની વૈજ્ઞાનિક ચર્ચા ઇચ્છી છે. લેખ વાંચવા જેવો છે. લેખક પ્રસિદ્ધ વ્યકિત, ગ્રંથકાર અને નિબંધકાર પણ છે.–સંપાદક]
કવિત્વ જ્યારે એના પૂર જેમાં જામેલું હોય છે ત્યારે એ મસ્ત થાય છે અને પછી એમાંથી જે શબ્દ–ચિત્ર પ્રકટ થાય છે તે પદલાલિત્યથી ભરપૂર હોય છે. એમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર એવી સુંદર રીતે મઘમઘાયમાન થાય છે કે બેલનાર અને સાંભળનારનાં રોમરાય વિકાસ પામે છે, એની ઊર્મિઓ જાગૃત થાય છે અને એ અનિ
એ સુખનો અનુભવ કરે છે. કવિત્વની પ્રસાદી એની હૃદયંગમતામાં છે, એની ભાષાવિશિષ્ટતામાં છે, એના રસમાધુર્યમાં છે, એની શ્રુતિ પેશલતામાં છે, એની ઝમકમાં છે, એના પ્રવાહની છટામાં છે. એવી કાવ્યપ્રસાદી જેને જન્મપ્રાપ્ય થઈ ગઈ હોય છે એનામાં નૈસર્ગિક મધુરતા અને કાવ્યચમત્કૃતિ એવી સુકર અને સહજ થઈ જાય છે કે એનાં ગેય કવનો જ્યાં જ્યાં ગવાય છે ત્યાં ત્યાં રસની છોળો ઊડે છે અને આખા વાતાવરણમાં ઝોમ વ્યાપી જાય છે.
એ રસસિદ્ધ નૈસર્ગિક કવિ જ્યારે સહદય હોય છે, જ્યારે એને આત્મા અંદરથી જાગતે હેાય છે, જ્યારે એની ભાષામાં કુદરતી સાંદર્ય હોય છે ત્યારે એ ઊર્મિઓને ઉછાળે છે અને ગાનાર તેમજ સાંભળનારને રસમાં લદબદ કરી મૂકે છે. મર્મસ્પશી કવન સુંદર સંગીતના સાજ સાથે ગવાતાં હોય ત્યારે અંતરાત્મા અને સ્વાદ અનુભવે છે, અને એક અતિ સુંદર પરિસ્થિતિ જામી જાય છે. એવાં શબ્દચિત્રો એકલાં ગાવામાં આવે તો પણ દુનિયાની ઉપાધિને ભૂલી પ્રાણી રસમગ્ન થઈ જાય છે અને જાહેરમાં હારનિયમ, વાયોલીન, વીણુ, સારંગી અને નરઘાને વેગ તેમાં ભળે ત્યારે એ કાનને મંત્રમુગ્ધ કરી નાખે છે.
એવા પ્રકારના ગેય કાવ્યની શબ્દ–ચમત્કૃતિનો સાક્ષાત્કાર કરવા માટે એક વિશેપણ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. શબ્દ-ચિત્ર જે સર્વ ગુણસંપન્ન કાવ્યમય હોય અને એમાં
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org