Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
मारतीयशिनाजिद न्याय
U
सोहनास
[ લેખક જેન ન્યાયમાં ખૂબ રસ ધરાવે છે. તેમના પ્રયાસથી જેન એજ્યુકેશન ઑર્ડદ્વારા લેવાતી ધાર્મિક પરીક્ષાના પઠનક્રમમાં પ્રમાણનયતત્ત્વાલક આદિ દાખલ થયેલ છે, કે જે પુસ્તક પર પિતે ગૂજરાતી ટીકા લખી હતી તે છેલા ભાગ સિવાયની “જેનયુગ” નામના ભૂતપૂર્વ માસિકમાં પ્રકટ થઈ છે. બાકીનો ભાગ લખેલ તૈયાર છે, પણ તે છપાય ત્યારે ખરે. તેની પ્રસ્તાવના માટે તૈયાર કરેલ જૂનો અપ્રકટ નિબંધ અત્ર પ્રકાશ પામે છે. લેખકનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન સારું છે. મંત્રશાસ્ત્રમાં પણ વિશેષ જ્ઞાન ધરાવે છે. પાદલિપ્તસૂરિના નિર્વાણકલિકાનું તેમણે સંશોધન કરેલું છે અને સદગત શ્રી લજપતરાયના ઇતિહાસમાં જૈન ધર્મ સંબંધે ભ્રમે દૂર કરવા માટે તેનો ઉત્તર લખવામાં લેખકશ્રીએ જબરો ફાળો આપે છે કે જે Historical facts about Jainism એ નામથી જેન એસોસીએશન ઑફ ઇડિયા તરફથી પ્રકટ થયેલ છે.
આ લેખમાં જેન ન્યાયની પ્રાચીનતાનાં પ્રમાણે આપવા સાથે અન્ય બે ન્યાય શાખા નામે વૈદિક અને બૌદ્ધ ન્યાયના પ્રવકને ઇતિહાસ આપેલ છે. યુક્તિવાળું કથન દરેક સ્થળે માન્ય થાય. યુરિક વચનં ક્ય તફ્ટ વર્થઃ રિઝ: એ શ્રી હરિભદ્રસૂરિનું કથન દરેક અભ્યાસક, વિચારવાનને સ્વીકાર્ય છે, તેથી યુક્તિવાદમાં જેનોનો ફાળો જે હોય તે શોધી, વિચારી, તેને બહાર લાવી તેનું પઠન-પાઠન થવું ઘટે છે એ લેખકે આ લેખમાં કુશળતાથી બતાવ્યું છે.–સંપાદક. ]
સામાન્ય માન્યતા એવી છે કે ગૌતમ ઋષિએ અથવા મહર્ષિ અક્ષપદે ન્યાયસૂત્રો રચ્યાં ત્યારથી ન્યાયદર્શનની શરૂઆત થઈ એટલું જ નહિ પણ ન્યાયની અર્થાત્ હેતુવિદ્યાની પણ ત્યારથી જ શરૂઆત થઈ. આ માન્યતા, જેમ બીજી ઘણું માન્યતાઓ ઊભી થાય છે તેમ જ ઊભી થઈ છે. એતિહાસિક સાધન અને ગષણના અભાવે એવી ઘણી માન્યતાઓ ચર્ચાથી પણ પર ગણાય છે. આ માન્યતા ઊભી થવામાં કેટલાંક કારણે એ પણ છે કે વર્તમાન સમયમાં વૈદિક ન્યાય સિવાયના ન્યાયગ્રંથોનો અપ્રચાર અને ભારતવર્ષમાં બૌદ્ધોની નષ્ટપ્રાય દશા અને
* ૧૩૬ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org