Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

Previous | Next

Page 1022
________________ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ જહાંગી–તું પ્રાણ હોઈ તારો કદાગ્રહ ધિક્કારને પાત્ર છે. તું તારા પિતાને શત્રુ થાય છે ને અનર્થ કરે છે. આમ કહેવા છતાં સિદ્ધિચંદ્ર મંત્રાદિથી સ્વધર્મમાં નિર્ભરપણે દઢ રહી તેનું વચન માનવા પિતે તૈયાર નથી એમ જણાવ્યું એટલે જહાંગીર ક્રોધિત થઈ બેલ્યો. 'रे रे मामवजानासि न मे जानासि विक्रमं । रुष्टः साक्षात्कृतान्तोऽस्मि तुष्टः कल्पद्रुमः पुनः ॥ ३१६ ॥ कदाग्रह विषद्रोस्तत्फलमाप्नुहि संप्रति ।' –અરે તું મને અવગણે છે? તું મારું પરાક્રમ જાણતો નથી. રૂક્યો હું સાક્ષાત્ કાળ-યમ છું, તુક્યો હું કલ્પવૃક્ષ છું. (તારા) કદાગ્રહરૂપી વિષવૃક્ષનું ફલ તું હમણાં જ પ્રાપ્ત કર.” આમ કહી જહાંગીરે કરાલ કાલ જેવા સર્પની માફક આજ્ઞા કરી અને ભયંકર મદેન્મત્ત હાથી મંગાવ્યું અને ફરી જણાવ્યું – गार्हस्थ्यमुररीकृत्य भुझ्व भोगान् पुरंधिभिः। . देशाधिपत्यं मन्यस्व गृहाणाश्वगजान पुनः ॥ ३२६ ।। इमां शेषामिवाशेषां मदाज्ञां कुरु मुर्द्धनि । न चेत्त्वामधुना नेता कृतान्तातिथितामहम् ॥ ३२७ ॥ –ગૃહસ્થપણું સ્વીકારી સ્ત્રીઓ સાથે ભેગ ભેગવ, કઈ દેશનું અધિકારી પાછું તેમજ અશ્વ, હાથી (પાંચ હજારી અધિકારીપણું) સ્વીકાર. આ મારી છેલ્લી આજ્ઞા છે તે માથે ચડાવ, નહિ તો તને હમણું જ મોતનો મહેમાન બનાવું છું. સિદ્ધિચક્રે જણાવ્યું કે આ દુઃખ દુસહ છે પણ તે ધર્મહતુવડે અમોને ગુણરૂપે જ થશે. જહાંગીરે “તું મૂઢ છે તે તે મૂઢતાનું પરિણામ હમણાં જ જે.” એમ કહી કોપથી પ્રચંડ હાથીને પ્રેર્યો. સિદ્ધિચંદ્ર તે છતાં અશુભિત રહ્યા. તે જોઈને વિસ્મય પામી આજ્ઞા કરી કે તેનો વનમાં વાસ કરાવે. એ સ્વીકારી અકંપ તેઓ ચાલી નીકળ્યા. બાદશાહે સર્વત્ર ફરમાન લખી મેકવ્યું. 'मद्देशवर्तिभिश्चान्यैर्वने स्थेयं मुमुक्षुभिः । निःस्पृहाणां यतीनां यत् स्थितिस्तत्रैव युज्यते ॥ ३३४ ॥' ૧ આ હકીકતના સમર્થનમાં જુઓ હીરસૂરિ રાસ પૃ. ૧૮૫ કડી ૧ થી ૮. શતાબ્દિ ગ્રંથ ] * ૨૪૧ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042