Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
ગુજરાતમાં સર્વધર્મ પરિષદૂની જરૂર નકામી વસ્તુઓ કઈ અને મુદ્દાની કઈ એ તારવાઈ રહી છે. જે કોઈ ધર્મે જીવવું હોય અને પ્રજાઓને મહાન બનાવવાનું જે એમનું બિરુદ છે તે સાચવવું હોય તો જૂની માન્યતાઓ અને રૂઢિચુસ્તતાઓમાં જમાનાને ગ્ય ફેરફાર કર્યો જ છૂટકે છે. ફાધર ઈન્ગ જેવાએ વિજ્ઞાનની શેઠે પછી ખ્રીસ્તી ધર્મ પણ જૂના સિદ્ધાંતમાં કેવા કેવા ફેરફાર કરવા જોઈએ અને બુદ્ધિ સ્વાતંત્ર્ય પરથી એનાં રહસ્ય સમજવામાં નવો પ્રકાશ કેવી રીતે મદદ કરી શકે છે તે સમજાવી ખ્રીસ્તી ધર્મની મહાન્ સેવા કરી છે. એ, અને એમના જેવા સુધારકેને એ દાવો છે કે ખ્રીસ્તી ધર્મ પણ સનાતન રહી શકવાની તાકાત ધરાવે છે. આપણે તે હિન્દ ધર્મને સનાતન કહીએ જ છીએ અને રશિયા ધમ માત્ર સામે, આજકાલ જે બળવો કરી રહ્યું છે તેના તવજ્ઞાનમાં માનનારા વિદ્વાને પણ કબૂલ કરે છે કે રશિયાના ધર્મ સામેના
વાંધા, સનાતન હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સામે ટકી શકે એવા નથી. આમાં જેનધર્મને તો હું જુદો ગણતે જ નથી. બદ્ધ, જૈન, શીખ એ બધા ધર્મો તે સનાતન ધર્મની માત્ર જુદી જુદી દષ્ટિઓ જ છે; પરંતુ એમાં દષ્ટિ કરતાં વિશેષ મહત્ત્વ એ છે કે એ માત્ર માન્યતાઓ નથી પરતુ આચરવાની વસ્તુઓ બની છે અને આ વિશાળ દેશના ભિન્ન ભિન્ન રુચિના લોકોના પ્રકૃતિધર્મને અનુકૂળ વિકાસ સાધવામાં અને સંઘબળ વધારવામાં તે તે ધર્મ અને બીજા સંપ્રદાયોએ પણ અનુપમ સેવા કરી છે.
વર્તમાન, તેમ છતાં આપણે મન બહુ જ મહત્વનો કાળ છે અને વર્તમાનમાં, આપણું ધર્મો અને સંપ્રદાયોએ સમભાવ કેળવી તુલનાત્મક દષ્ટિથી એકબીજાની નજદીક આવવાની વધારે જરૂર છે. ક્યાં
કયાં જુદાઈ છે તે તરફ નહીં 3ર હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ.
જેતા, ઈસ્લામ ધર્મ સુદ્ધાંએ * ૧૩૪
[ શ્રી આત્મારામ
૧
: હા
પાદર
:
-
;
જિ.
માં જ કામ કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org