Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી મંજુલાલ રણછોડલાલ જર્મનીની હામબર્ગ યુનિવર્સિટીના છે. શુલ્કીંગ, પી. એચ. ડી. પ્રાગ યુનિવર્સિટીના છે. એાટે સ્ટાઇન, અમેરિકામાં ફિલાડેલફીયાની પેન્સીલવેનિયા યુનિવર્સિટીના પ્રો. નેરમન બ્રાઉન, લંડનની ઇડિયા ઓફીસવાળા ડૅ. થોમસ, અમેરિકન વિદ્યાપીઠની મીસ હેલન જેન્સન મીસ ક્રાઉઝે, પુરાતત્ત્વખાતાવાળા ડૉ. હીરાનંદ શાસ્ત્રી એવા અનેક વિદ્વાનેએ આ સરસ્વતી મંદિરનાં દર્શન કરી પ્રેરણા મેળવી છે.
જ્ઞાનભંડારનાં પુસ્તકોને, સુરક્ષિત રહે તે માટે કાગળ વીંટાવી પાટલીઓ સાથે કપડામાં વીંટી રાખવામાં આવેલાં છે. સુંદર સુખડની પેટીમાં ઉપર ગણાવેલા ભગવતીસૂત્રની તાડપત્રીય પોથી સુરક્ષિત છે, તેમ જ મખમલની પેટીઓ પણ કેટલીક પોથીઓ માટે બનાવેલી છે; બન્ને સંગ્રહોની કોષ્ટકરૂપે યાદીઓ તૈયાર થયેલી છે. તેમાંથી કેટલાંક અનેક દષ્ટિએ ઉપયોગી એવાં અપ્રકટ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીનાં પુસ્તકની નૈધ જ્ઞાનતીર્થ જેવા જ્ઞાનમંદિરમાંથી અંજલિપાન કરી આ સાથે જોડવા ઇચ્છા હતી, પરંતુ સમય તથા સ્થલના સંકેચને લીધે એ કાર્ય બીજા કોઈ પ્રસંગ માટે રાખવું પડ્યું છે. - જ્ઞાનમંદિરમાંના ગ્રંથની સંરક્ષણ પદ્ધતિ સુલભ અને અનુકરણીય છે. * પ્રસ્તુત જ્ઞાનમંદિરની મુલાકાત લેવાને વેગ મને કાતક સુદિ પ-જ્ઞાનપંચમીને દિવસે પ્રાપ્ત થયેલ હતા. જ્ઞાનની ઉપાસનાનું માહાસ્ય જેમને ખૂબ જાણીતું છે તેમને નીચે પ્રસિદ્ધ દુહા સંભારવાની જરૂર રહેતી નથી.
જ્ઞાન સમું કોઈ ધન નહિ, સમતા સમું નહિ સુખ;
જીવિત સમ આશા નહિં, લેભ સમું નહિ દુખ. તે જ્ઞાનોપાસનાની પુણ્યતિથિના સંભારણારૂપ ફોટોગ્રાફ અંતમાં ઉમેરી આ પરિચયલેખ બંધ કરું છું.
રી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org