Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વિમલસૂરિએ પઉમચરિયના અંતભાગમાં તેમના પિતાના વિષે ઘણું જ થયું લખ્યું છે. આ
ઉપરથી વિમલસૂરિ વિષે તેમના રચેલા આ મહાકાવ્યમાંથી ઘણું જ થોડું વિમલસૂરિ તેમના જાણવાનું મળે છે. મહાકવિ વિમલસૂરિ ક્યા રાજા મહારાજાની સભાને ગુરુ પ્રગુરુ, કુલ, પોતાની વિદ્યા સમૃદ્ધિવડે શોભાવતા હતા, તેમણે પઉમચરિય જેવા બીજા વિદ્યાસંપત્તિ આદિ ક્યા ક્યા પદ્ય અને ગદ્ય ગ્રંથો લખી ભારતીય વિદ્યા સમૃદ્ધિને અધિકાર વિષયોની માહિતી દીપાવી હતી, તેમનાં માતાપિતા થવાનું કયા ભારતીય દંપતિને સુભાગ્ય સાંપડયું
. હતું, તેમનું નિવાસસ્થાન કયા સ્થળે હતું? વિગેરે વિગેરે બાબતો ઉપર કવિસમ્રાટ કવિકુલગુરુ દીપશિખા કાલિદાસે વર્ણવેલા સૂચિભેદ્ય અંધકારનું સાંપ્રતકાલમાં સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. પ્રસ્તુત લેખમાં લેખક તે વિષયો ઉપર તેની અલ્પવિષયામતિવડે પ્રકાશ પાડવાને યથાશક્તિ અ૫ પ્રયાસ કરી કૃતાર્થ થશે.
સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ઈતર ભારતીય પ્રાચીન સાહિત્યમાં પણ ઘણું ગ્રંથકારેએ આવી જાતનું મૌન સેવ્યું છે. દા. ત. કવિકુલગુરુ કાલિદાસ વિષે તેમના રચેલા ગ્રંથમાંથી ઘણું જ ઘેટું જાણવાનું મળે છે. આ જૂની પ્રણાલિકાને થોડા અપવાદ પણ છે. દા. ત. શ્રી વિક્રમાંકદેવ ચરિત્ર, શ્રી કષ્ઠચરિત્ર, ગઉડવહો, તત્ત્વાર્થસૂત્ર વિગેરે. બાણ, બિહણ આદિ કવિઓએ પોતાના ગ્રંથમાં પિતાના વંશ તેમ જ પિતાના આશ્રયદાતા રાજાઓનાં યશોગાન ગાયાં છે અને તેમનાં સુકૃતસંકીર્તન પણ કર્યા છે. સુવિ
ખ્યાત વાચકષ્ટ ઉમાસ્વાતિએ તેમના રચેલા તત્વાર્થના અંતભાગમાં તેમના પિતાના વિષે ઠીક ઠીક માહિતી આપી છે. આ ઉપરથી ઉપર્યુક્ત ગ્રંથકારો વિષે આપણે કંઈક જાણી શકીએ છીએ, પણ આ પણે અહિયાં સખેદ નોંધ લેવી પડે છે કે આ લેખના ઉદ્દેશ્ય મહાકવિ વિમલસૂરિએ તેમના રચેલા મહાકાવ્ય પઉમચરિયના અંતભાગમાં પોતાના જન્મવંશ તેમ જ બીજી જરૂરી બાબતો પ્રત્યે મનોવેદના ઉપજાવે તેવું મૌનાવલંબન કર્યું છે. તેમના વિદ્યાવંશની માહિતી આપતાં તેઓએ લખ્યું છે કે –
“સ્વમત અને પરમતોનું જેણે યથાત ગ્રહણ કર્યું છે તેવા રાહ નામના આચાર્ય અને નાગેન્દ્રફલનંદન વિજય નામના શિષ્ય હતા. તે વિજયજીના શિષ્ય વિમલસૂરિએ પૂર્વે લખાએલાં નારાયણ અને શ્રીનાં ચરિત્ર સાંભળીને આ રાઘવચરિત્ર (૫૩મચરિય) લખ્યું છે.” વળી આ મહાકાવ્યની પ્રશસ્તિમાં લખ્યું છે કે –
* ૧૦૦ %
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org