Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
જિ
.
વડોદરાનું થી આત્મારામજી ન નાનમંદિર આ હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ મુખ્યત્વે કરીને પ્રવર્તકજી મહારાજશ્રી અને શ્રી હંસવિજયજી મહારાજને જ નિર્માણ કરેલો છે. જ્ઞાનમંદિરની યોજના થતા પહેલાં વડોદરામાં જુદે જુદે ઠેકાણે એ જ્ઞાનભંડાર વિખેરાયેલે પડ્યો હતો તે તેમના પ્રયાસથી કેન્દ્રસ્થ બજો છેછતાં બન્ને મહારાજના સંગ્રહની યાદીઓ ભિન્ન રાખેલી છે.
' શ્રી પ્રવર્તકજી મહારાજના સંગ્રહની વિશિષ્ટતા નેધતા પહેલાં એ તપસ્વી અને જ્ઞાનપાસક ઋષિને થોડો પરિચય ઉચિત છે. શ્રી કાંતિવિજયજી મહારાજને જન્મ વડોદરામાં સંવત ૧૯૦૭ (ઈ. સ. ૧૮૫૧) માં થયો હતો. આમ અનેક મહાપ્રસંગેના એ દ્રષ્ટા છે. પૂર્વાશ્રમે એ દશાશ્રીમાળી વણિક હતા અને તેમનું નામ છગનલાલ હતું. અઠ્ઠાવીસ વર્ષની વયે તેમના એ ગૃહસ્થ જીવનનો અંત આવ્યા. સંવત ૧૯૩૫ માં ભગવાન બુદ્ધની જેમ મહાભિનિષ્ક્રમણ કરી, પત્નીને મૂકી દઈ, એ પંજાબ તરફ ગયા અને અંબાલા શહેરમાં શ્રીમદ્ વિજયાનંદસૂરિ મહારાજ પાસે મહા વદિ ૧૫ ને દિવસે દીક્ષા લઈ, ત્યાગધર્મ સ્વીકાર્યો.
તેમના વિહારમાં, જ્યાં ત્યાંથી ગ્રંથ ભેગા કરવા અને તેને એક સ્થળે સુરક્ષિત રાખવા તે માટે એમણે ખાસ પરિશ્રમ લીધો હતો. તેમનું જીવન શાંત, સરળ અને જ્ઞાન-પિપાસામય છે. જ્ઞાનોપાસના અને જ્ઞાનદ્ધાર માટે તેમણે આખું જીવન એવારી નાખ્યું છે. એમની સ્વાભાવિક સરળતા, ગાંભીર્ય તેમ જ સ્થિતપ્રજ્ઞતાને લીધે એ જેને સમાજની એક સન્માન્ય અને વિશિષ્ટ વ્યક્તિ બની રહ્યા છે. છયાસી વર્ષ જેટલી વૃદ્ધવયે એમનું દીર્ધ તપસ્વીપણ તેમના મુખ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે.
જે કામ કરી
A+
-
pT
પાયરી, વારા
દથી
[
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org