________________
( ઈંgaણી
सूरयं जमी
[ સિંહને અભિષેક કરવા કેાઈ જતું નથી. એ તો પોતાના સહજ વિક્રમ, બળ, તેજ અને ટાથી વનને રાજા બને છે. સ્વ. વિજયાનંદસૂરિ જન્મસિદ્ધ નેતા હતા. એમના રોજના વહેવારમાં નિયમિતતા અને તેજસ્વીતા તરવરતી. અવ્યવસ્થા અને અનિયમને તેઓ સાંખી શકતા નહીં. એમનું વ્યક્તિત્વ પ્રભાવથી અંકાએલું હતું. શ્રીયુત બદામીના બાળવયના સ્મરણમુકરમાં અંકાયેલા કેટલાક આછા ચિ, અહીં, એ વાતની સાબિતી આપે છે. ],
મહાપુરુષોના જીવનપ્રસંગો, વાર્તાલાપ વિગેરેમાંથી આપણે ઘણો બોધ મેળવી શકીએ છીએ, જે બીજી રીતે મેળવો દુર્લભ હોય છે. આપણા પરમપૂજ્ય આચાર્યદેવના એવા જીવનપ્રસંગે વિગેરે બહુ જ અ૫પ્રમાણમાં આપણને મળી આવેલા છે, એ ખરેખર ખેદની વાત છે. આચાર્યશ્રીના સુરતના ચાતુર્માસ સમયના કેટલાક પ્રસંગે મારી સ્મૃતિપટ ઉપર આલેખાયેલા છે, તે આ શુભ પ્રસંગે ટૂંકામાં જણાવવામાં આવે તે અનુચિત નહિ લેખાય.
- પૂજ્ય આચાર્યશ્રીનું ચાતુર્માસ સુરતમાં વિક્રમ સં. ૧૯૪૧ ની સાલમાં થયેલું. તે વખતે મારી આશરે બારેક વર્ષની લઘવય હોવાથી મારા જોવામાં આવેલા અનેક પ્રસંગે મને યાદ રહી શકયા નથી, પણ અત્રે જણાવવામાં આવતા પ્રસંગે હું ભૂલી ગયો નથી. અને તે જ્યારે જ્યારે મારા વિચારવામાં આવે છે ત્યારે મને અત્યંત આહલાદ થાય છે.
જેઠ માસમાં મહારાજશ્રીનો સુરત શહેરમાં પ્રવેશ થયો તે વખતનું શ્રી સંધ તરફથી કરવામાં આવેલું સામૈયું હજુ પણ મારા સન્મુખ દેખાઈ રહે છે. એ સામૈયું દબદબાભરેલું તેમ જ અત્યંત ભક્તિભીનું હતું, અપૂર્વ હતું, સુરતના નગરજનોના જવામાં તે પહેલવહેલું જ હતું. લગભગ બાવીસ મુનિમહારાજાઓનો પ્રભાવશીલ સમુદાય આગળ કોઈ વખત જોવામાં આવેલે નહિ. લોકોની મેદની આખે રસ્તે જામેલી જ રહેલી અને મુક્તકંઠે મહામુનિઓની અને જૈન ધર્મની પ્રશંસા કરતી. મહારાજશ્રીના નિર્મલ ચારિત્રની ને વિદ્વત્તાની ખ્યાતિ તો તે પહેલાં ક્યારનીયે અત્રે પ્રસરી ગયેલ હતી, અને અનેક ભાવિક ગૃહસ્થ અને બહેને મહારાજશ્રીને વંદન કરવા માટે અમદાવાદ અને સુરત વચ્ચે કેટલાં ય મુકામાએ જઈ આવ્યાં હતાં. સુરતમાં કરવામાં આવેલા સામૈયાની અસર જૈનેતર પર
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org