Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
યુગપુરુષને અર્ધાંજલિ સ્વભાવ હોય છે. આપણે કોઈ વખત કેઈ કામ માથે લઈએ છીએ તેમાં અવિચલ વિશ્વાસ અને શુદ્ધ હેતુથી તે કાર્ય કરીએ છીએ પરંતુ તે તેટલી જ વખત. મહાન પુરુષો દરેક વખતે, દરેક કાર્યમાં ઉત્કટ શ્રદ્ધા અને કર્તવ્યની પરમ શુદ્ધ ભાવનાથી જ મંડ્યા રહે છે. જગતના ગમે તે મહાપુરુષનું જીવનચરિત્ર જુઓ અને આ બંને ગુણે તેનામાં પ્રથમ જ દષ્ટિએ પડશે.
આ બે ગુણો મહત્તાને માટે બસ નથી. મહાન પુરુષમાં એક પ્રકારની Originalityઅપૂર્વતા હોવી જોઈએ, અર્થાત્ મહાપુરુષમાં એક એવી જાતનું અપૂર્વ કપકત્વ હોવું જોઈએ કે જેથી તે અનન્તતા અને સત્યના ગાઢ સમાગમમાં પોતાને લાવી શકે. તાત્પર્ય એ કે સામાન્ય મનુષ્ય જેને ક્ષુલ્લક ધારે તેવા વિષયોમાં પણ તે પોતાની કલ્પનાશક્તિના બળવડે અનન્તતા અને સત્યના ઊંડા ગુહ્ય ભેદો જોઈ શકે અને તે વિષે કાંઈ અપૂર્વ–અનેરી રીતે વિચાર કરી શકે.
આ સર્વ ઉપરાન્ત એક વિશેષ ગુણ મહાપુરુષોમાં આવશ્યક છે, અને તે એક પ્રકારની આકર્ષક શક્તિ-જેવી રીતે લોખંડ લેહચુંબક તરફ આકર્ષાય તેવી રીતની આકર્ષક શક્તિ નહિ-magnetic power નહિ–પરનું એક એવી શક્તિ કે જેથી સામાન્ય મનુષ્યોમાં એ મહાપુરુષો જેવી જ થોડાઘણા અંશમાં ઉન્નત ભાવનાઓ જાગૃત કરી શકે; એવી શકિત કે જેથી સામાન્ય મનુષ્યોને પોતાના જીવનની નિરર્થકતા, ક્ષુલ્લકતા સમજાય અને પિતાના જીવનને ઉન્નત કરવાનો પ્રયાસ કરવાની ઈચ્છા થાય. આવા પ્રકારના મહાપુરુષો ગમે તેવી ઓછી કે વધતી વિદ્રત્તા ધરાવે, સામાન્ય જીવનમાં ફત્તેહ મળી હોય કે ન મળી હોય, ગમે તેવી સ્થિતિમાં હોય; પરંતુ પિતાનું અને આસપાસના અનેક મનુષ્યાનું •: ૧૦૬ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org